તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
1) શું કહ્યું અનુ મલિકે?
અનુ મલિકે કહ્યું હતું કે તેણે આ શો છોડ્યો નથી. ત્રણ અઠવાડિયા બાદ તે ફરી શોમાં પરત ફરશે. તે પોતાને નિર્દોષ સાબિત કરીને પછી આ શોમાં પરત આવશે. કેટલાંક લોકો સોશિયલ મીડિયામાં તેની વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યાં છે. તેણે સોશિયલ મીડિયામાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સોશિયલ મીડિયામાં તેની વિરુદ્ધ જે કેમ્પેઈન ચાલે છે, તે તદ્દન ખોટું છે. અનુ મલિકે કહ્યું હતું કે તેણે સિંગર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાને પોતાની વાત રજૂ કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે તેની વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો તે જાહેર કરવામાં આવે. તે તપાસનો સામનો કરવા તૈયાર છે. જોકે, તેની વિરુદ્ધ ચાલતા અભિયાનને તે હવે જવાબ આપશે. આ અભિયાનને તેની ક્યાંયનો રાખ્યો નથી. તે હવે આ તમામ આરોપોમાંથી મુક્ત થવા ઈચ્છે છે.
અનુ મલિકે કહ્યું હતું, છેલ્લાં એક વર્ષમાં મારી પર કેટલાંક એવા આરોપો લાગ્યા, જે મેં ક્યારેય કર્યાં નહોતાં. હું આટલા દિવસ સુધી ચૂપ રહ્યો અને રાહ જોતો રહ્યો કે સત્ય તમારી સમક્ષ આવશે. જોકે, હવે મને એ વાતનો અહેસાસ થયો કે મારા મૌનને નબળાઈ સમજવામાં આવે છે. જ્યારથી મારી પર ખોટા આરોપો લાગ્યાં ત્યારથી મારી પ્રતિષ્ઠા, મારા તથા મારા પરિવારનું માનસિક સ્વાસ્થ્ય પર ઘણી જ ખરાબ અસર પડી છે. આ તમામ આરોપોએ મને તથા મારા કરિયરને બરબાદ કરી દીધું છે. હું મારી જાતને હેલ્પલેસ, નજરઅંદાજ તથા અકળાયેલું ફિલ થાય છે. વધુમાં અનુ મલિકે કહ્યું હતું કે આ ઘણું જ શરમજનક છે કે જીવનના આ તબક્કે મારા નામની સાથે આટલાં ગંદા અને ડરામણી ઘટનાઓને સાંકળવામાં આવી. આ પહેલાં કેમ આ અંગે સવાલ કરવામાં ના આવ્યા? આ તમામ આરોપો ત્યારે જ કેમ લાગ્યા જ્યારે હું ટીવી પર પરત આવ્યો. આ એક માત્ર મારી કમાણીનું સાધન છે. હું બે દીકરીઓના પિતા હોવાને નાતે આવું વિચારી પણ શકતો નથી. શો ચાલુ જ રહશે...પરંતુ આ હસતા ચહેરાની પાછળ હું ઘણી જ તકલીફમાં છું. કોઈ અંધારામાં છું અને મારે બસ ન્યાય જોઈએ.
અનુ મલિકે વધુમાં કહ્યું હતું કે સોની ટીવીએ ક્યારેય તેને જવાનું કહ્યું નથી. તેણે હંમેશાં સપોર્ટ આપ્યો છે. સોની ટીવીને જો તેના પર કોઈ પણ જાતની શંકા હોત તો તેને બીજીવાર શોમાં બોલાવવામાં આવત જ નહીં.
5) હાલમાં જ અનુ મલિકે સો.મીડિયામાં ઓપન લેટર લખ્યો હતો
અનુ મલિકે કહ્યું હતું કે આ દુઃખની વાત છે કે લોકો એ ભૂલી ગયા કે તેણે છેલ્લાં 42 વર્ષથી બેસ્ટ મ્યૂઝિક આપ્યું છે. ટ્વિટર પર લોકો તેની ઈમેજ બગાડવાનો પ્રયાસ કરે છે. લોકો ગમે તે બોલે પરંતુ અહીંયા ભગવાન છે અને તે સંપૂર્ણ સાચો છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.