તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવૂડ ડેસ્ક: છત્રપતિ શિવાજી મહારાજના પરમ મિત્ર અને મરાઠા સરદાર તાન્હાજી માલાસુરેના જીવન પર બનેલ ફિલ્મ ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ને ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. ફિલ્મના કો-પ્રોડ્યૂસર અને એક્ટર અજય દેવગણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો અનુરોધ કર્યો હતો.
જોકે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માગ પહેલેથી જ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માગ કરવામાં આવી રહી છે. સરકાર તરફથી એવી માહિતી આપવામાં આવી છે કે તાન્હાજીની વીરતા અને તેમના ત્યાગપૂર્ણ જીવનથી પ્રેરણા પ્રાપ્ત કરી શકે માટે મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર ભાજપાએ પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માગ કરી છે. ભાજપાના પ્રદેશ અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે તાન્હાજી છત્રપતિ શિવાજીના પરમ મિત્ર હતા. તેમને 1670ના સિંહગઢ યુદ્ધ માટે સૌથી વધારે યાદ કરવામાં આવે છે જેમાં તેમણે મુગલ કિલા રક્ષક ઉદયભાન રાઠોડ વિરુદ્ધ આખરી શ્વાસ સુધી લડત લડી હતી.
આ ફિલ્મ અજય દેવગણની 100મી ફિલ્મ છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અજય દેવગણ, કાજોલ, સૈફ અલી ખાન, શરદ કેલકર વગેરે સામેલ છે. સૈફ અલી ખાન ફિલ્મમાં ઉદય ભાનના રોલમાં છે. કાજોલ સાવિત્રી માલાસુરેના રોલમાં છે. શરદ કેલકર છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં છે. ફિલ્મે રિલીઝ બાદ 4 દિવસમાં જ 75 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.