તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડિયન કોચનું વેક્સિનેશન:રવિ શાસ્ત્રીએ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના બે દિવસ પહેલાં કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

2 દિવસ પહેલા
ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ અપોલો હોસ્પિટલ્સ, ભાટ ખાતે કોવિડ-19 રસીનો તેમનો પ્રથમ ડોઝ લીધો.
  • શાસ્ત્રીએ કહ્યું કે, કાંટા બેન અને તેમની અપોલોની ટીમ ઘણી ઈમ્પ્રેસીવ હતી
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે અમદાવાદ ખાતે કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, મેં કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. મેડિકલ પ્રોફેશનલ્સ અને વૈજ્ઞાનિકોનો આભાર કે જેઓ મહામારીનો સામનો કરવા માટે દેશને મજબૂત કરી રહ્યા છે.

શાસ્ત્રીએ વધુમાં ઉમેર્યું કે, કાંટા બેન અને તેમની અપોલોની ટીમ ઘણી ઈમ્પ્રેસીવ હતી. ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન કોચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટના બે દિવસ પહેલા કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. ભારત 4 ટેસ્ટની શ્રેણીમાં 2-1થી આગળ છે. અંતિમ ટેસ્ટ જીતવા અથવા ડ્રો કરવા પર ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હી એઇમ્સમાં રસી મુકાવી હતી.

સોમવારે 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને 45 વર્ષથી ઉપરના ગંભીર બીમારીથી પીડિત લોકોને રસી આપવાની શરૂઆત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી એઇમ્સમાં રસી મુકાવી હતી. તેમણે આઈસીએમઅાર અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કરાયેલી કોવેક્સિનનો ડોઝ લીધો હતો.

આ રસીની વિશ્વસનીયતા અંગે વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા. સાથે તેઓ દિવસભર સામાન્ય કામકાજ કરતા નજરે પડ્યા હતા. તેમણે રસી આપનાર નર્સને કહ્યું કે અરે રસી લગાવી પણ દીધી ખ્યાલ પણ ના આવ્યો. પ્રથમ દિવસે 4.72 લાખ લોકોને રસીનો ડોઝ અપાયો હતો. જ્યારે 23 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...