તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્વ:આજે અંગારક ચોથ; ગણેશજી સાથે જ મંગળ ગ્રહ અને હનુમાનજીની પૂજા કરો

3 દિવસ પહેલા
  • મહા મહિનાના વદ પક્ષની ચોથના દિવસે ગણેશજી સામે ધૂપ પ્રગટાવીને 12 મંત્રનો જાપ કરો
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

આજે મહા મહિનાના વદ પક્ષની અંગારક ગણેશ ચોથ છે. જ્યારે મંગળવારે ચોથ આવે છે ત્યારે તેને અંગારક ચોથ કહેવામાં આવે છે. આ તિથિએ ગણેશજી સાથે મંગળ ગ્રહ અને હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઇએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ તિથિએ ગણેશજી માટે વ્રત-ઉપવાસ અને પૂજા-પાઠ કરવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે. મંગળવારનો સ્વામી ગ્રહ મંગળ છે. આ કારણે ચોથના દિવસે મંગળ ગ્રહ માટે પણ પૂજા-પાઠ કરવામાં આવે છે. માન્યતા છે કે મંગળવારે જ હનુમાનજીનો જન્મ થયો હતો. આ કારણે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઇએ. ધૂપ-દીપ પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

મંગળ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં જ કરવામાં આવે છે

મંગળ ગ્રહ ગ્રહોના સેનાપતિ છેઃ-
જ્યોતિષમાં મંગળને નવ ગ્રહમાં સેનાપતિનું પદ મળ્યું છે. આ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. અંગારક ચોથના દિવસે ગણેશ પૂજન કરો. તે પછી મંગળ ગ્રહને અથવા શિવલિંગ ઉપર લાલ ફૂલ અને લાલ ગુલાલ ચઢાવવા જોઇએ. આ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં જ કરવામાં આવે છે.

અંગારક ચોથના યોગમાં મંગળ માટે ભાત પૂજા પણ કરવામાં આવી શકે છે. આ પૂજામાં શિવલિંગનો પકવેલાં ચોખાથી શ્રૃંગાર કરવામાં આવે છે અને પછી વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. ઓમ અં અંગારકાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઇએ. કોઇ ગૌશાળામાં લીલા ઘાસનું દાન કરો. માતાના આશીર્વાદ લઇને દિવસની શરૂઆત કરો.

જે લોકો ચોથના દિવસે વ્રત કરે છે, તેમણે આખો દિવસ અનાજ ગ્રહણ કરવું જોઇએ નહીં

ગણેશજીના 12 મંત્રનો જાપ કરોઃ-
ચોથના દિવસે ઘરના મંદિરમાં ગણેશજી સામે ધૂપ-દીપ પ્રગટાવો. તમે ઇચ્છો તો કોઇ ગણેશ મંદિર જઇ શકો છો. ગણેશજીને સિંદૂર, દૂર્વા, હાર-ફૂલ, ચોખા, ફળ, પ્રસાદ વગેરે પૂજન સામગ્રી ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરીને પૂજા કરો.

પૂજામાં ગણેશજીને દૂર્વા અને જનોઈ ચઢાવો. ફળનો ભોગ ધરાવો. દીવો પ્રગટાવીને આરતી કરો. પૂજા પછી પ્રસાદ અન્ય ભક્તોને વહેંચો અને સ્વયં પણ ગ્રહણ કરો.

ગણેશજીના 12 નામના મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરો. ગણેશજીના મંત્ર ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્નનાશાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધ્રૂમકેતવે નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ.

જે લોકો ચોથના દિવસે વ્રત કરે છે, તેમણે આખો દિવસ અનાજ ગ્રહણ કરવું જોઇએ નહીં. ફળાહાર કરી શકો છો. પાણી, દૂધ, ફળનો રસ વગેરે વસ્તુઓનું સેવન કરવામાં આવી શકે છે.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...