તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કર્ણાટક: કોરોના વાઇરસનો ભય સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે અને તેમાંથી ભારત પણ બાકાત નથી. આ માહોલમાં ફેક ન્યૂઝ પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યા છે. લોકો કોરોના વાઇરસ કેનાથી ફેલાઈ છે તેને લઈને ખોટી માહિતીમાં ફસાઈ જાય છે. લોકો વાઇરસના ભયને કારણે ચિકન ખાવાનું છોડી રહ્યા છે. આ ભયના માહોલમાં કર્ણાટકના એક ખેડૂત નાઝીર અહેમદે 6000 મરઘાને જીવતા જમીનમાં દાટી દીધા.
A dejected farmer Nazeer Makandar from Lolasoora village in #Gokak, #Belagavi decided to bury #chicken from his #poultry farm, following steep fall in price due to #CoronavirusOutbreak. @DeccanHerald @CMofKarnataka @mani1972ias #Coronavid19
— Niranjan Kaggere (@nkaggere) March 10, 2020
Nazeer Makandar pic.twitter.com/OExEPM39ay
આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે જેમાં ટ્રકમાં મરઘાને રાખવામાં આવ્યા હતા અને તેને ખાડામાં છુટ્ટા મૂકવામાં આવ્યા. ખેડૂતે આ ઘટના અંગે કહ્યું હતું કે, ‘મારી પાસે કોઈ બીજો ઓપ્શન જ ન હતો. મેં આ મરઘાને પાળવામાં છ લાખ જેટલા રૂપિયા ખર્ચ્યા હતા.’ તેણે એવું પણ ઉમેર્યું કે કોરોના વાઇરસના ભય પહેલાં મરઘાં 50થી 70 રૂપિયામાં વેચાતા હતા પરંતુ કોરોનાના કેરને કારણે ભાવ ઘટીને સીધો 5થી 10 રૂપિયા થઇ ગયો. ભાવ ઘટાડા બાદ મેન્ટેનન્સનો ખર્ચ તેને પોષાતો ન હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.