ભાસ્કર ન્યૂઝ.શામળાજી
શામળાજી નજીક આવેલી બ્રહ્નપુરી પ્રાથમિક શાળાના ઓરડાઓ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત થઈ ગયા હોવાથી બાળકો માથે જોખમ તોળાઇ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા આ અંગે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ સરપંચ સહિત ગ્રામજનોએ કરી છે.
આ અંગે માહિતી આપતાં સરપંચ હિતેશભાઇ ગામેતીએ જણાવ્યુ હતું કે શાળા ચાલુ થઇ ત્યારે બાળકોને બેસવા માટે ત્રણ ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા ત્યારે આજે આ શાળાને ચાલુ થયે ૫૬ વર્ષ કરતાં વધુ સમય પસાર થઇ જતાં શાળાના ઓરડાઓ જીર્ણ થઇ પડુ પડુ હાલતમાં થઇ ગયા છે. બીજી બાજુ...
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
મહાશિવરાત્રિના દિવસે સોમનાથ દર્શન કરી પરત ફરતાં ગોધરાના બગીડોરના એક પરિવારની તવેરા ગાડી અને ડમ્પર વચ્ચે ખેડા-ધોળકા બાયપાસ રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નપિજયું હતું. અન્ય ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. આ બનાવ સંદર્ભે ખેડા શહેર...
ઇડર : ઇડર તાલુકાના સાબલવાડ ગામે ખેતમજુરી કરી ગુજરાન ચલાવતા પરિવારના એક યુવાનને મંગળવારે કામ બાબતે તેના પિતાએ ઠપકો આપતાં યુવાનને લાગી આવ્યુ હતું. ત્યારબાદ યુવાને કૂવામાં પડી મોતને વહાલુ કરી લીધુ હતું. જે અંગે પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.
સાબલવાડ ગામે ખેતમજુરી કરી પેટીયુ રળતા રમેશભાઇ નાયકા પરિવાર સાથે રહેતા હતા. દરમિયાન તેમનો પુત્ર...