

ધારો કે સપનાંની સંતાકૂકડી શરૂ થાય કે એ બધી જ ડ્રીમ-કેપ્ચરર કે ડ્રીમ-ગ્રેબરના હાઇ-ફાઇ કેમેરામાં ઝિલાઇ જાય. બીજે દિવસે એ સપનાંની ડિજિટલ કોપી લઇ આપણાં કમ્પ્યુટર કે લેપટોપ પર આપણે જોઇ શકીએ... તો?!
સપનાંની ફિલમ ઊતરાવો જી રે...એક ફેન્ટ્સી જો રિયાલિટી બને!
થોડા સમય પહેલાં ટી. વી. ઉપર એક શ્રેણી રજૂ થઇ હતી - ‘રાઝ પીછલે જનમ કા’. પાસ્ટ લાઇફ રિગ્રેશન(પી.એલ.આર.) નામની પદ્ધતિ હેઠળ...











![krishna[1]1](/2010/02/27/images/krishna[1]1_b.jpg)
વિધ્નનો સામનો કરવાની સારામાં સારી રીત છે — સારામાં સારી તૈયારી.
મુંબઇમાં હમણાં એક પ્રસંગ બની ગયો. એક ભાઇ પોતાના મિત્રને મળવા તેના બિલ્ડિંગમાં આવ્યા. ગેટ પર વોચમેને સીટી વગાડી ગાડી ઊભી રખાવી. ડ્રાઇવરને ડીકી ખોલવાનો ઇશારો કરતાં કહે, ‘ડીકી ખોલો. ચેક કરના હૈ.’ તેણે ડીકી ખોલી.
પેલાએ અંદર ટોર્ચ મારી આમતેમ નજર ફેરવી, કંઇ હતું નહીં. તેને સંતોષ થયો એટલે કહ્યું, ‘ઠીક હૈ. તુમ...
![cms-image-000012474[1]11](/2010/02/24/images/cms-image-000012474[1]11_b.jpg)
કૃષ્ણદેવને તો આ અંગે કશો ખ્યાલ જ ક્યાંથી હોય? તેઓ પોતાના નિત્યક્રમમાં ગોઠવાઇ ગયા. ભજિયાં ખાવાનાં તે એવા શોખીન હતા કે વચ્ચે વચ્ચે ક્યારેક તાવ આવી જાય તો પણ ભજિયાં ખાવાનો ક્રમ જળવાઇ રહેતો. તેઓ ત્યાં સુધી માનતા કે પોતે વાસી ભજિયાં ખાય તોય તાવ ઊતરી જાય. તાવની આવનજાવન ચાલુ રહી. આમ ને આમ દસ વરસ પસાર થઇ ગયાં પણ ૧૯૯૯માં એક વખત તાવ આવ્યો અને જરા લાંબો ચાલ્યો. પરિણામે બ્લડટેસ્ટ કરાવતાં જે...

મારું દિલ કહે છે કે મારે અવકાશયાત્રી બનવું છે.’ ખેર, દિલની વાતને દિમાગની જાળીમાંથી પસાર કરવી સારી. દિલ જ્યારે એમ કહે કે અવકાશયાત્રી બનવામાં રસ છે ત્યારે જરા મગજ ચલાવવું કે રસ ખરેખર એસ્ટ્રોનોમીમાં છે કે પછી તેની સાથે સંકળાયેલા ગ્લેમરમાં. સુનીતા વિલિયમ્સ અને કલ્પના ચાવલાના ફોટા જોઈજોઈને, એમનાં વખાણો વાંચી-સાંભળીને કોઈ છોકરીને એવું લાગી શકે કે એને એસ્ટ્રોનોમીમાં રસ છે. ઓકે, હોઈ...

જનક યોગીના શિષ્ય શુક સંન્યાસી, પરમહંસના વિવેકાનંદ કે ગાંધીના વિનોબા એમાં ગુરુ-શિષ્યના નાતા કરતાં ગુરુભાવ કે શિષ્ય ભાવ અગર તો પિતાપુત્ર ભાવ કલ્પવો એ વધુ બંધબેસતું છે.
ચાલુ શિયાળે શ્રી શિવાજીરાવ (વિનોબાજીના નાના ભાઈ)ના સમાગમનો લાભ ત્રણ અઠવાડિયાં મને મળ્યો. આ સમાગમ દરમ્યાન મને જોવા-સાંભળવા ને વાંચવા મળેલાં લેખ અનેક રત્નોમાં એક તેમનો પંદર વીસ વર્ષ જૂનો અપ્રગટ લેખ...

બા, બાપા અને પરિવારની લીલા... નાના બાળકની દ્રષ્ટિએ!
મને મારી બા પાહે રે’વું બઉ ગમે. મને એવી ---! એ, કો’ક બાયણું ખોલિયું. ઓ બા રે ! બાપા કોક માણહ હાથે ઘરમાં આયા. મને તો એવી બીક લાગી કે ઉં તો, બા...બા...બા...બા... કરતો રહોડામાં દોડિયો. મને એ માણહ મારવા જ આયો’તો. હા, એ મને મારવા જ આયો’તો.
ભૈ, મને બઉ બીક લાગતી’તી. ને મને જા’રે જા’રે બીક લાગે છ તા’રે તા’રે રડવાનું ને ભૂ ભૂ કરવાનું જ...

પોતાના બાળકની ક્ષમતા કે રુચિની પરખ ન હોય એ મા-બાપ બાળકોમાં હિંમત અને વિપરીત સંજોગોનો સામનો કરવાની ક્ષમતા કઇ રીતે સીંચી શકવાનાં?...મા-બાપ ફફડી રહ્યાં છે આ ઘટનાઓથી. ઘરમાં હોય ત્યારે ટેલિફોનની ઘંટડી વાગે છે ને માનું દિલ ધડકે છે, કોઇ ખરાબ સમાચાર તો નહીં હોય ને! તો બહારથી ઘરે આવે ત્યારે બંધ બારણાં પાછળ કોઇ દુઘટર્ના તો નહીં ઘટી હોય ને, એવો ફડકો રહે છે!
હંમેશાં હસતો ને ‘સલામ સાબ’કહી...

સવારે એકનો પાર્થિવ દેહ એમના કુટુંબીજનોને સોંપી દેવામાં આવ્યો પણ એ લાવારિસ વૃદ્ધાના પાર્થિવ દેહની સોંપણી મને કરવામાં આવી. ઉત્તરાખંડ આંદોલનકારીઓનાં બલિદાનને લીધે એ દિવસે આખો પ્રદેશ ચિક્કાર જામ હતો. એવામાં મારે અંતિમસંસ્કારની વ્યવસ્થા કરવાની હતી. મેં નગરપાલિકાની ટ્રક મંગાવવાની વ્યવસ્થા કરી. જેટલી થઇ શકે એટલી સૂકી લાકડીઓ અને બાળવાની સામગ્રી લઇ અમે નીકળી પડ્યા.
ઘટના એ...

કાલીદાસ કે ટોલ્સ્ટોય પણ કરિયાણાની દુકાનમાં ઘઉં-ચોખા-ખાંડ-માચિસ લેવા જાત તો એમની પણ એ જ હાલત થાત જે તમારી થઇ છે! એટલે એ નિષ્કર્ષ પર જરાય ન પહોંચી જતા કે તમે મહાન બનવાને યોગ્ય નથી.
એકમહાન બનવાનો પહેલો નુસખો એ છે કે મહાન બનવાનો કોઇ નુસખો જ નથી હોતો. જો હોત તો એ એક પુસ્તકના રૂપમાં રેલવે બુક સ્ટોલ પર ચોક્કસ મળતો હોત અને તમામ બેરોજગાર યુવાનો એને ખરીદવાની ભૂલ કરી રહ્યા...

ઘ્યાનથી શરીરમાં જે ઊર્જા ઉત્પન્ન થાય છે એને આત્મસાત્ કરવાની રહે છે. એવું ન કરી શકનારા લોકો નિરાશ થઇ ઘ્યાન ધરવાનું છોડી દે છે. શરીર વિશે થોડી સમજ કેળવી લેશો તો સરળતા રહેશે.
મોટા ભાગના લોકો ઘ્યાનમાંથી શાંતિ અને આનંદ મેળવવા ઇચ્છે છે પણ તેઓ ઘ્યાન ધરવાની કોશિશ કરે છે ત્યારે એમનું શરીર સાથ નથી આપતું. સામાન્ય રીતે શરીરની જે આદતો હોય છે, એ ઘ્યાનને અનુકૂળ નથી હોતી. ઘ્યાન માટે શરીર હળવું...

ખટમીઠા અનુભવો પાછળથી યાદ આવશે અને ત્યારે તને એ સંભારણાં અત્યંત મીઠા લાગશે. અત્યારે આપણા સૌના સારા દિવસ જ છે, પણ આના કરતાંય વધુ ખુશહાલ દિવસો પાછા આવશે. આપણે બધાં સાથે હોઇશું. હું ફરી તારી સાથે ક્રિકેટ રમીશ. તારી ઇચ્છા દાદા-દાદીને પણ રાજકોટ તેડાવવાની છે તો તારી એ ઇચ્છા પણ જરૂર પૂરી થશે.
પ્રિય શાશ્વત,એક-એક કરતાં બે વર્ષ વીતી ગયાં છતાં આજે પણ પહેલીવાર તને કોટા મૂકવા આવ્યો હતો એ દિવસ...

શું સારા માનવી અને સફળ માનવી એ બે જુદી ચીજ છે? આ સવાલને યોગ્ય રીતે સમજવા માટે આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ: પહેલો હિસ્સો છે કે શું સારી વ્યક્તિ હોવા માટે સફળ હોવું જરૂરી છે? અને બીજું કે શું સફળ હોવું જ સારા હોવાનું પ્રમાણ છે?
‘જે સાચું છે એ હંમેશાં લોકપ્રિય નથી નીવડતું અને જે લોકપ્રિય છે એ હંમેશાં સાચું નથી હોતું.’આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું આ વાકય એમને ખુદને જ લાગુ પડે છે....

રાખી કા સ્વયંવર શોના હોસ્ટ રામ કપૂરે સમાપન ટિપ્પણીમાં દર્શકોને વચન આપ્યું કે રાખી અને ઇલેશ પરુજનવાલા લગ્ન કરશે ત્યારે અમારી ચેનલ એનું સૌથી પહેલું પ્રસારણ કરશે. આ શો દર્શકોના ગાલ પર એક જોરદાર તમાચો હતો. શોના અંતે ઘણા પ્રતિસ્પર્ધીઓએ સ્વીકાર પણ કર્યો કે પોતે રાખી સાથે ખરેખર લગ્ન કરવા નહીં, પરંતુ પ્રસિદ્ધિ મેળવવા આવ્યા હતા. સાચું પૂછો તો આ રિયાલિટી શોમાં કદાચ કોઇ વાસ્તવિકતા હતી જ...

હું અસલી જીવનમાં તાણભર્યો નથી. હું જીવનને સહજતાથી લઉં છું, કેમકે હું મારા સમયનો ૮૦ ટકા હિસ્સો કામમાં લગાડી દઉં છું.
ઉત્તમ કક્ષાના સિરિયલ એક્ટર તરીકેની ઓળખ ધરાવતા ઇરફાન ખાન અસલ જિંદગીમાં એકદમ ઝિંદાદિલ અને મિલનસાર માણસ છે. પોતાની ફિલ્મોની અલગ અલગ ભૂમિકાઓ દ્વારા એમણે અદના માણસના અસ્તિત્વનો સબળ આભાસ કરાવ્યો છે — પાત્ર ભલેને કોઇ સનકીનું હોય કે પીડિત વ્યક્તિનું, કોઇ પોલીસ...

ગુજરાતી રસોડામાં ગાંધીજી બ્રાન્ડની ક્રાંતિ લાવવાની જરૂર છે. રાજકીય આઝાદી પછી ડોક્ટરના ખર્ચમાંથી આઝાદી મેળવવી હોય તો સ્વાદના ચટકા ઓછા કરો.
અમેરિકામાં બરાક ઓબામા નવા નવા પ્રમુખ થયા ત્યારે તેણે સૌપ્રથમ કઇ સમસ્યા હાથમાં લીધી? થોડો સમય અફઘાનિસ્તાન કે ચીનને તડકે મૂકી અમેરિકામાં હેલ્થ રિફોર્મની યોજના ઘડી. અમેરિકનોની બીમારીને એક રાષ્ટ્રીય સમસ્યા ગણી. આપણા આરોગ્યનું તંત્ર...

મુશ્કેલીઓનો મુકાબલો કરીને સફળ થવાનો એક જ સચોટ મંત્ર છે, તે છે પોતાની જાત અને નિર્ણયો પર અતૂટ ભરોસો.
એક રાજા હતો. એના દરબારમાં એકએકનું માથું ભાંગે એવા પ્રકાંડ પંડિતો હતા. રાજાએ એક દિવસ બધાને બોલાવીને કહ્યું કે મને એક એવો મંત્ર જોઈએ જે કોઈ પણ પરિસ્થિતિમાં અચૂક પરિણામ આપે. ભલભલી આફતોનો મુકાબલો કરવા માટેનો મંત્ર મને જોઈએ.
વિદ્વાનો નીકળી પડ્યા મંત્ર શોધવા. આકાશપાતાળ એક...

આયુર્વેદનું નવું લોકપ્રિય રૂપ સ્પાના સ્વરૂપમાં ઊપસ્યું છે. પૂર્વના દેશોમાં સ્પા ઉદ્યોગની જેમ વિકસી રહ્યું છે. ફરી ચેતનવંતા થવાની આ એક વિધિ છે. પંચકર્મને માત્ર તેલની ધાર સુધી સીમિત કરી દેવું એ આયુર્વેદ નથી.
આજના વ્યાપારી યુગમાં દરેક જૂની અને એન્ટિક ચીજની જેમ આયુર્વેદ પણ ચપોચપ વેચાઇ રહ્યો છે. ત્યાં સુધી કે પશ્વિમી જીવનશૈલીના માર્ગે આગળ વધી ગયેલી પંચતારક હોટલો અને હેલ્થ...

શરીર સાથેની લડત હિંસક અને કદરૂપી છે. શરીર સાથે કોઈ પણ પ્રકારની લડાઈ દુર્ભાવ અને સ્ટ્રેસ પેદા કરે છે. માટે, સ્ટ્રેસ પેદા ન કરો. બહુ શાંતિથી, પ્રેમથી, જેવી રીતે એક પ્રેમી તેની પ્રેમિકા પાસે જાય છે એ રીતે શરીરથી નિકટતા સાધો. શરીર તો કુદરતની સુંદર ભેટ છે. તેની સામે લડવું મતલબ આપણા અસ્તિત્વ સામે લડવું. આવું કરવાને બદલે શરીરની પોતાની જે કુદરતી ઉપચારશક્તિ છે તેને સક્રિય કરવામાં આવે તો ગાઢ...

દિવસભરની મહેનત-મજૂરી કરીને પપ્પા કે મમ્મી ઘરે આવે ત્યારે નાનકડા દીકરા કે દીકરીની કિલકારીથી ચહેકતા ઘરમાં પગ મૂકતાં જ તેમનો બધો થાક ઊતરી જાય ને બાળકો પણ એ ખુશીનો અનેરો પડઘો ઝીલે પરંતુ એ જ બાળકો મોટાં થાય એટલે તેમનાં સ્વતંત્ર રસ-રુચિ વિકસવાં લાગે. હવે તેની દુનિયા માત્ર મમ્મી-પપ્પા સુધી મર્યાદિત નથી રહેતી. દોસ્તો, સાથીઓ, ટીચર્સ, સ્કૂલ, કોલેજ, ક્લબ, પબ... કંઇ કેટલા નવા ચહેરા ને નવી...

![paa-amitabh-bachchan-paa[1]1](/2010/01/29/images/paa-amitabh-bachchan-paa[1]1_b.jpg)
‘અબ તક છપ્પન’, ‘ચક દે ઇન્ડિયા’ અને હવે ‘રોકેટ સિંહ - સેલ્સમેન ઓફ ધ યર’. એકબીજાંથી ભિન્ન એવી ત્રણ અતિસુંદર ફિલ્મો બનાવનાર મૂળ ગુજરાતી ડિરેક્ટર શિમિત અમીન દિલ ખોલીને વાત કરે છે.
શિમિત, તમારો ઉછેર ફ્લોરિડામાં થયો હતો, ખરું?
હા, બિલકુલ સાચું છે. મારો જન્મ યુગાન્ડામાં થયો, પણ પછી અમે અમેરિકાના ફ્લોરિડામાં શિફ્ટ થઇ ગયાં. ઘરમાં મમ્મી-પપ્પા અને એક મોટો ભાઇ છે....

આયુર્વેદની દ્રષ્ટિએ કોળું અત્યંત બળવર્ધક અને બુદ્ધિવર્ધક છે, પણ સાથે સાથે એ વાયુ વધારનાર છે, એટલે વાયુનુ શમન કરવા માટે હીંગ અને મેથીનો વઘાર કરાય છે. આને લીધે પેટમાં ગેસ નથી થતો. આ રીતે આહાર સંસ્કાર અર્થાત્ ખાવાનું બનાવવાની રીતનું ઘણું મહત્વ છે. દાખલા તરીકે દહીં અને છાશ. કોઇ પણ એલોપથી ડોક્ટર કહેશે કે બંનેમાં પ્રોટીન છે, કેલ્શિયમ છે, કેલરી અને ફેટ છે. એટલે બંને સરખાં છે. ફક્ત એક ઘટ્ટ...

એકવાર શેષનાગ ભૂલોકની દશાના અવલોકન માટે ચર(યાત્રી)ની જેમ અવતરિત થયા. તેઓ પ્રાણીમાત્રને રોગોથી પીડાતા અને વ્યાકુળ જોઇ દુ:ખી થયા અને સૌને રોગોથી મુક્ત કરાવવાનો ઉપાય વિચારવા લાગ્યા. પછી તેઓ કોઇ સુપ્રસિદ્ધ વેદજ્ઞ ઋષિને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. તેઓ ચરની જેમ આવ્યા એટલે એમનું નામ ચરક પ્રસિદ્ધ થઇ ગયું. તેઓ જ કાળાંતરે ચરકાચાર્ય નામથી સુવિખ્યાત થયા. તેઓ શેષનાગના અંશાવતાર હતા. એમણે...
![ayurveda-herbs_s600x600[1]112](/2010/01/24/images/ayurveda-herbs_s600x600[1]112_b.jpg)
આયુર્વેદના પ્રસ્તાર અને સમગ્ર રૂપને મહાઆશ્ચર્યરૂપે જોનારાઓએ એવું પણ અનુમાન કર્યું છે કે ચરક કોઇ એક ઋષિનું વ્યક્તિગત નામ નહોતું પરંતુ સંશોધન માટે સતત ફરતા રહેતા કેટલાય વિદ્યાર્થીઓ-વિદ્વાનો માટે ઉપયોગમાં લેવાતું સર્વનામ હતું. ‘ચરક’ તરીકે ઓળખાતા કેટલાય લોકો હશે, જે પેઢીઓ સુધી આયુર્વેદના અઘ્યયન અને વિકાસમાં ખૂંપેલા રહ્યા હશે. જોકે આવી ઉપજાવી કઢાયેલી થિયરીને નકારવામાં આવે...
![3_-_Ayurveda_246112749[1]111](/2010/01/23/images/3_-_Ayurveda_246112749[1]111_b.jpg)
ભગવાનની હયાતીને કેમિસ્ટ્રી દ્વારા પુરવાર કરી શકાય છે. સાયન્સ જર્નાલિસ્ટ જહોન હોર્ગને ‘ઘી એન્ડ ઓફ સાયન્સ’ નામનું વિવાદાસ્પદ પુસ્તક લખ્યું છે. તે કહે છે કે વધુ શોધો વગરના વિશ્વમાં જીવવું કેવું લાગશે? આપણી આશ્ચર્ય પામવાની વૃત્તિમાંથી ફક્ત વિજ્ઞાન જ બહાર નથી આવતું. તેમાંથી કલા, સાહિત્ય, જ્ઞાન ને ધર્મ પણ સ્ફૂરે છે, અને તેમાંથી ભગવાન માટેની ભક્તિ પણ બહાર આવે છે. જો ભગવાન ન હોત તો...

કેટલાક પદાર્થ એવા હોય છે જે સ્વાદમાં તો ખાટા-મીઠા કે ખારા લાગે છે પરંતુ એનો વિપાક જુદી રીતનો હોય છે. છ રસ માટે ત્રણ વિપાક માનવામાં આવ્યા છે - મધુર, ખાટો અને કડવો કે તીખો. ઘણી વાર એવું જોવામાં આવે છે કે વધુ પ્રમાણમાં ગળી ચીજો ખાધા પછી પણ અપચાને કારણે ખાટા ઓડકાર આવે છે અથવા કેટલીક વાર પેટમાં ગેસથી કે નાકમાં પાણી આવવાથી બળતરા થવા લાગે છે. આ વિપાકને અથવા અધિક પિત્તને કારણે જ થાય છે.
....

આયુર્વેદ વિશે અનેક પ્રકારની માન્યતા પ્રવર્તે છે. કેટલાક લોકો માને છે કે એની ઔષધિઓમાં ભેળવેલી ધાતુ શરીર માટે નુકસાનકારક છે. ઘણાને એની પરેજી બાબતોના નિયમોમાં અતિરેક લાગે છે. દવાની અસર તરત ન થતી હોવા વિશે પણ જુદીજુદી વાતો સાંભળવા મળે છે. બધા પ્રયત્ન નિષ્ફળ થઇ ચૂક્યા હોય ત્યારે જ આયુર્વેદ પાસે જવું - આ પણ એક સર્વસામાન્ય માન્યતા છે. છેતરામણી ગેરસમજમાંથી બહાર નીકળીને તાર્કિક રીતે...

સાગબારા તાલુકાના જ ભવરીસાવર ગામે માનસિંહભાઇએ ‘સર્વોદય કેન્દ્ર’ શરૂ કર્યું, જ્યાં મુખ્યત્વે ખાદીકામ કરવામાં આવતું. દરમિયાન તેમનાં લગ્ન નજીકના દેસાળ ગામનાં કનુબેન સાથે થયાં. તેમનું શિક્ષણ ઓછું, પણ સમજદારી ઘણી હોવાથી ગૃહસ્થીનો ભાર તેમણે જ ઉપાડી લીધો. ભવરીસાવરમાં તેમણે છાત્રાલય પણ શરૂ કરેલું, જેમાં પંદરેક છોકરા રહેતા અને બે કિ.મી. દૂર આવેલા રોઝદવ ગામની શાળાએ ભણવા જતા. આ...

‘કસમ સે’ જેવી સુપર હિટ સિરિયલ, ‘રોક ઓન’ જેવી ખૂબ વખણાયેલી ફિલ્મ અને તે પછીનાં તેનાં કામે ગુજરાતી અભિનેત્રી પ્રાચી દેસાઇને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં અતિ આશાસ્પદ અભિનેત્રી તરીકે ઉપસાવી દીધી છે.
ઘણી નાની ઉંમરે તમારી કારકિર્દીની શરૂઆત થઇ ગઇ. ઝપાટાભેર સફળતા મળી ગઇ કેવું લાગે છે?
અનબિલિવેબલ. નાની હતી ત્યારથી જ મને એક્ટર બનવાની અદમ્ય ઇચ્છા હતી. કહે છેને મન હોય તો માળવે...

નોર્વેના ઉત્તર ભાગમાં મઘ્ય મેથી જુલાઇના અંત સુધી દિવસ-રાત સૂર્યપ્રકાશ રહે છે અને સૂર્યાસ્ત થતો જ નથી. ધીરે ધીરે સૂર્ય છુપાવા લાગે છે, સમય લંબાતો જાય છે અને નવેમ્બરના અંતમાં સૂર્યોદય થવાનું બંધ થઇ જાય છે. નવેમ્બર અંતથી જાન્યુઆરી સુધી સૂર્યોદય નથી થતો અને પછી પાછો ઉદય થવા લાગે છે. અહીં રાજકારણમાં મહિલાઓની ભાગીદારી લગભગ પુરુષને સમકક્ષ છે. કળાપ્રેમીઓને જલસો પડી જાય એવાં વિવિધ...

ગુજરાતમાં માણભટ્ટો દ્વારા થતાં આખ્યાનની પરંપરા આમતો ૪૫૦થી ૫૦૦ વર્ષ પુરાણી ગણાય. નરસિંહ મહેતાએ આ પરંપરાની શરૂઆત કરી અને કવિ પ્રેમાનંદે તેને પ્રચલિત કરી. મજાની વાત એ છે કે મનોરંજનના પ્રસ્ફોટના આ યુગમાં પણ માણભટ્ટ પરંપરા સદંતર લુપ્ત નથી થઇ. આ વાતનો યશ જાય છે વડોદરાના એક પરિવારને, જે આ કળાને જીવંત રાખવાની નિષ્ઠાવાન કોશિશ કરતો આવ્યો છે. આ પરિવારના મોભી છે ધાર્મિકલાલ પંડ્યા, જેમણે...

યોગનો અર્થ છે જોડાવું, સંબંધ કે સંપર્ક. આપણી દિનચર્યા દરમિયાન કાળ, અર્થ અને કર્મનો જે સંબંધ બને છે એને યોગ કહે છે. આ યોગ સારો કે સાત્મ્ય પણ હોઇ શકે છે અને અસાત્મ્ય પણ હોઈ શકે છે. અસાત્મ્ય યોગ ત્રણ પ્રકારના છે - અયોગ અથવા હીનયોગ, મિથ્યાયોગ અને અતિયોગ. આ ત્રણયે આપણાં શરીર અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
આપણે એવું આચરણ અને એવો વ્યવહાર કરવાં જોઇએ, કે જેથી આપણે ૧૦૦ વર્ષનું આયુષ્ય...




‘અહા! જિંદગી’નાં કટારલેખિકા નંદિતા પુરીએ પતિ ઓમ પુરીની વિવાદાસ્પદ જીવનકથા લખી છે. સ્તરીય અભિનેતા ઓમ પુરી સ્વયં આ પુસ્તક વિશે શું માને છે? પેશ છે, જીવનકથાના કેટલાક અંશો અને ઓમની ખુદની પ્રતિક્રિયા.
ઓમ પુરી ઉવાચ...
જ્યારે આપણે પોતાની જિંદગી વિષે કહી રહ્યા હોઇએ છીએ ત્યારે એક જ પક્ષથી ન કહેવું જોઇએ. આપણે આપણી માત્ર સારી સારી વાતો કહેતા રહીએ અને નબળાઇઓનો ઉલ્લેખ પણ ન કરીએ તો એ...

એવું નથી કે આયુર્વેદનું નામ અચાનક લોકપ્રિયતાના ચાર્ટ પર સૌથી ઉપર દેખાવા લાગ્યું છે. જડીબુટ્ટીઓ વડે ઘરગથ્થુ ઉપચાર પેઢીઓથી આપણે ત્યાં થઈ રહ્યો છે. હાલ જે વિશાળ બજાર ઊભી થઇ છે એણે એટલું તો જરૂર સાબિત કરી જ દીધું છે કે બદલાતી જીવનશૈલીએ પેદા કરેલા ટેન્શનના પ્રતાપે માણસને વૈકિલ્પક ચિકિત્સાની જરૂર છે.
પૂર્વના દેશોમાં સ્પા-કલ્ચર ઝપાટાભેર પોપ્યુલર બની રહ્યું છે. પારંપરિક...


એમનાં પુસ્તકો વિક્રમ સેઠ, સલમાન રશ્દી અને અમિતાવ ઘોષની સાહિત્યિક કક્ષામાં સ્થાન પામતા નથી પરંતુ આ પુસ્તકો એવાં છે, જેને તમામ વાચકો વાંચી શકે છે. આ પુસ્તકો અત્યંત સરળ, સહજ, જટિલતા વગરનાં અને હલકાંફૂલકાં છે. આ પુસ્તકોની ટીકા કરવાનું વિવેચકોને બહુ ગમે છે પરંતુ આ જ પુસ્તકો કેટલાય લોકોની જિંદગી બદલી ચૂક્યાં છે અને લાખો લોકોને એ ખૂબ પ્રિય છે. એ છે ચેતન ભગત. ‘ફાઇવ પોઇન્ટ સમવન’, ‘વન...

એન્જેલિનાનું બાળપણ સામાન્ય નહોતું. સેલિબ્રિટી મા-બાપનું સંતાન હોવા છતાં એના બાળપણના દિવસો અભાવો અને લાગણીની ઊથલપાથલ વચ્ચે પસાર થયા. એ એક જ વર્ષની હતી ત્યારે એનાં માતા-પિતા અલગ થઇ ગયેલાં. એ પછી માતા એને અને ભાઇ જેમ્સને લઇને ન્યૂયોર્કના પૂર્વ છેડે રહેવા લાગી. માતા-પિતાની જુદાઇથી અજાણ એન્જેલિના મા અને ભાઇ સાથે નવી જગાએ ખુશ હતી અને પોતાના સાવ જુદા જ મિત્રો સાથે સમય વિતાવતી. બેટી...

એક સમય હતો જ્યારે તે આ ચાલી શકશે કે કેમ, બન્ને પગે ઊભી રહી શકશે કે કેમ, દોડી શકશે કે કેમ એ સવાલ હતો. માત્ર ત્રણ વર્ષની ઉંમરે તે સખત તાવના કારણે જમણા પગે પોલિયોગ્રસ્ત બની હતી. એક પગમાંથી ચેતના જતી રહી હતી. નાચવા-કૂદવા અને ઝાંઝર પહેરીને રૂમઝૂમ, રૂમઝૂમ દોડાદોડી કરવાની ઉંમરે તે પથારીવશ થઇ ગઇ હતી. ઘણી દવા કરી, ઘણા ડોક્ટરને બતાવ્યું પણ કંઇ કારગત ન થયું. આખરે ઇશ્વરમાં શ્રદ્ધા અને...

ગિરીશ ભાંગી પડ્યો. હવે મારી ગીતીને ક્યાં શોધું? ગીતીની વાત મળી ત્યારથી ગિરીશે પાણીનો ઘૂંટડો પણ ગળે ઉતાર્યો ન હતો. ગીતાના ઘર સામે દુકાન ધરાવતા મિત્રને ગિરીશે કહી રાખ્યું હતું કે, ગીતાના ઘરમાં શું થાય છે તેના ઉપર તું નજર રાખજે. પડોશીએ ગીતાના ઘરે જઇને ચાડી ફૂંકી દીધી કે તમારી દીકરી તો પેલા લોહાણાના દીકરા ગિરીશ સાથે ચાલુ છે. દરરોજ તમારા ઘરની બારીએથી બંને ચિઠ્ઠીની આપ-લે કરે છે. ઘ્યાન...

હોનોલૂલૂની પૂર્વ દિશાએ વાઈકીકી સમુદ્રતટ છે, જે સૌથી જાણીતો અને માનીતો છે. આમ તો વાઈકીકીને અલગ ટાપુ પણ ગણી શકાય. વાઈકીકીની એક તરફ દરિયો છે અને બીજી તરફ નહેર છે, જે એને હોનોલૂલૂથી અલગ પાડે છે. બાળકોને વાઈકીકીનું માછલીઘર અને હોનોલૂલૂનું અજાયબ ઘર ખાસ દેખાડવાં. હવાઈ સંસ્કૃતિનો પરિચય મેળવવા બિશપ સંગ્રહાલયની ખાસ મુલાકાત લેવી. પ્રાચીન અવશેષોનું અહીં સમૃદ્ધ કલેક્શન છે. હવાઈ મેરીટાઈમ...

કોકીલાબેન, ઢળતી વયે જ આવું બધું સૂઝે. ભૂલી ગયાં? મોરારજીભાઇ ઢળતી ઉમ્મરે શિવામ્બુનાં ઘૂંટડે ઘૂંટડે પ્રાઇમ મિનિસ્ટર થયેલા અને હમણાં જસવંત સિંહે ઢળતી વયે ઝીણાનો જયજયકાર કર્યો અને ભાજપમાં ભડકો કર્યો. મજા તો ઢળતી વયે જ આવે. ઘરડાં જ ગાડાં વાળે. જુવાનિયાઓ ગાડાં ઊંધાં કરે. તમને જાણીને આનંદ થશે કે મને આવાં બધાં પાછલી ઉમ્મરનાં પરાક્રમો કરવા માટે એકેય પાર્ટીએ ટિકિટ આપી નથી.
તમારો એક પણ...

એસએસસી પાસ કરી સર્ટિફિકેટ લઇ વકીલ બનવાની ઇચ્છા સાથે મુંબઇ આવેલા હરિહરન પહેલાં બોમ્બે હાઇ કોર્ટના જજના પર્સનલ સેક્રેટરી બન્યા અને ત્યાર પછી પોતાની મહેનત અને નિષ્ઠાના જોરે આજે છેલ્લાં તેંત્રીસ વર્ષથી હિંદુસ્તાન લીવરમાં છે અને રિટાયરમેન્ટ પછી પણ એ જ કંપનીમાં કન્સલટન્ટ તરીકે કાર્યરત છે.જીવનમાં એવો કયો વળાંક આવ્યો જેણે એમના જીવનની આખીને આખી દિશા બદલી નાખી? ૧૨ માર્ચ ૧૯૯૩માં...

હિપ્નોટિઝમ બીજું કશું નહીં, પણ શરીરને તદન ઢીલું છોડવાની પ્રક્રિયા છે. તમારા મન દ્વારા શરીરના દુ:ખતા ભાગને કહેવાનું છે કે મને કાંઇ નથી...હિપ્નોટિઝમ એવી કળા છે કે તમે પોતે પણ તમારા ઉપર વાપરી શકો છો. ચાર્લ્સ ડિકન્સ જેવા વિખ્યાત કલાકાર તેની વાસના સંતોષવા હિપ્નોટિઝમનો પ્રયોગ તેના મિત્રની પત્ની પર કરીને તેને પ્રેમમાં ફસાવતા. માઇકલ ફ્લેટર નામના લેખક તાજેતરમાં પ્રગટ થયેલા ‘ચાર્લ્સ...

૧૯૪૦માં રતિલાલે જુનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરીને સિનિયર કેમ્બ્રિજમાં પ્રવેશ મેળવ્યો, જે મેટ્રિકની સમકક્ષ ગણાતું. આ અરસામાં જ બીજું વિશ્વયુદ્ધ શરૂ થઇ જતાં સૌ કુટુંબકબીલા સહિત જામનગર પાછા આવી ગયા. રતિલાલે ભારત આવ્યા પછી અભ્યાસને મૂક્યો પડતો અને ઝંપલાવ્યું વ્યવસાયમાં. પોતાની સૂઝબૂઝ વડે તેમણે ધારી સફળતા મેળવવા માંડી. ગાંધીનો પ્રભાવ તેમના પર એટલો પડેલો કે ૧૯૪૩માં...



‘હું જાણું છું કે રસ્તો જોવા માટે તને ફાનસની જરૂર નથી,’ ફાનસ આપનારા મિત્રે કહ્યું અને ઉમેર્યું, ‘આ એટલા માટે છે કે બીજા રાહદારી સહેલાઇથી તને જોઇ શકે અને એ લોકો તારી સાથે અથડાતાં બચી શકે. આમ તું સહેલાઇથી ઘરે પહોંચી જઈશ.’ અંધ માણસ ફાનસ લઇને ઘર તરફ નીકળી પડ્યો. હજી એ થોડોક જ આગળ વઘ્યો હતો ત્યાં એક જણ આવીને એની સાથે અથડાયો. અંધે જોરથી ઘાંટો પાડ્યો, ‘અલ્યા જો તો ખરો.. કેમ આડેધડ ધસી...

એ સમયે મારું મન કહેતું કે શૂટિંગ પર ન જાઉં અને પાછી ફરી જાઉં. મને જ નહીં મારાં બાળકોને પણ એવું થતું. બાળકો પણ પોતાનાં માતાપિતાથી દૂર રહેવા નથી ઇચ્છતાં. જોકે પછી ધીરે ધીરે તેઓ પણ સમજવા લાગે છે કે મારી મમ્મી કામ પર જઇ રહી છે અને એ જરૂરી છે. માતાપિતાએ કામકાજ અને તમામ વ્યસ્તતાઓ વચ્ચે પણ બાળકને ફાળવી શકાય એટલો સમય ચોક્કસ ફાળવવો જોઇએ. હું સમય નહોતી આપી શકતી, ત્યારે ઘણી વાર મારી દીકરીને મારી...

રિયાલિટી શોનો એટલો રાફડો ફાટ્યો છે કે સંગીતની વ્યાખ્યા પણ પહેલા જેવી નથી રહી કે પ્લેબેકમાં જો કોઇને કામ નહીં મળે તો બિચારાનું શું થશે? ફિલ્મો માટેના પ્રયત્ન મેં મોડા શરૂ કર્યા. સંજય લીલા ભણસાળીની ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મનું સંગીત સાંભળીને હું ઘણો પ્રભાવિત થયો અને ઇસ્માઇલ દરબારને મળવા ખાર દાંડા પહોંચી ગયો. થોડો સંઘર્ષ કરવો પડ્યો. છેવટે ‘દેવદાસ’ની બેકગ્રાઉન્ડ ગાયિકી...

![Neckpaingirl_cropped[1]11](/2009/12/12/images/Neckpaingirl_cropped[1]11_b.jpg)


નાનાં હોઇએ ત્યારે અણસમજમાં જ ઘર કે કુટુંબમાં મળતાં પ્રેમ કે ઉષ્માની ખાસ કદર નથી હોતી, પણ એક વાર ઘરથી દૂર થવાનું આવે અને મા-બાપ કે ભાઇ-બહેન વગર રહેવાની નોબત આવે ત્યારે શરૂશરૂમાં લૂંટાઇ ગયાની - નિરાધાર થઇ ગયાની જે લાગણી જન્મે છે તે કેટલી તીવ્ર હોય છે! ‘માસૂમ’ ફિલ્મમાં હીરો પોતાના નાનકડા દીકરાને હોસ્ટેલમાં મૂકવાનું નક્કી કરે છે ત્યાંથી લઇને તેને બોર્ડિંગમાં મૂકવા આવે છે ત્યાં...







![canada-train-trip[1]1](/2009/11/28/images/canada-train-trip[1]1_b.jpg)
તેઓ સંગીતમાં જ પૂરેપૂરું ઘ્યાન આપે તે માટે પિતાજીએ તેમને સ્કૂલમાંથી ઉઠાડી મૂક્યા! સત્તર વર્ષની ઉંમરે વધુ અભ્યાસ કરવા બીથોવન વિયેના ગયા પણ માની બીમારીને લીધે બોન પાછા આવી ગયા. ૧૭૯૨માં બાવીસ વર્ષની ઉંમરે તેઓ પાછા વિયેના ગયા અને આ વખતે તેમણે અન્ય મહારથીઓ પાસેથી તાલીમ પણ મેળવી અને ખુદનાં કમ્પોઝિશન્સ પણ બનાવ્યાં. બીથોવન સ્માર્ટ માણસ હતા. તેઓ જાણતા હતા કે પાવરફુલ લોકો સાથે દોસ્તી...


ધારો કે તમે એબીસી કંપનીના શેર વેચ્યા, જેની રકમ તમારા ખાતામાં બ્રોકર પાસે ક્રેડિટ થઇ. હવે પછી તમે નવા શેર એ બ્રોકર મારફત ખરીદવાના છો તો તમે એટલો સમય તમારી એ રકમનું લિક્વિડ બીઝમાં રોકાણ કરાવી શકો છો. તમારે બ્રોકરને પેમેન્ટ કરવાનું આવે ત્યારે એ લિક્વિડ બીઝ વેચીને નાણાં લઇ લે એવું તેને જણાવી શકો છો. વચ્ચેના સમયમાં લિક્વિડ બીઝ પર તમને જે વળતર મળ્યું હશે એ જમા થયું હશે. વળી, તમારે...


![tw14[1]1](/2009/11/22/images/tw14[1]1_b.jpg)


સાવ સાધારણ માર્ક્સ સાથે પાસ થયેલો એ છોકરો એન્જિનિયરિંગની ઊંચી શાખામાં સહેલાઇથી એડમિશન મેળવી લે છે. આ બ્રાંચ અને આ કોલેજ તેની ઓરિજિનલ તેજસ્વિતા સાથે બરાબર મેચ થાય છે અને છોકરાએ પણ માની લીધું છે કે હું કોલેજમાં જતાંવેંત મારા મૂળ ફોર્મમાં આવી જઇશ. કમનસીબે આવું બનતું નથી. છોકરાની આસપાસ જબરદસ્ત મહેનત કરીને ખૂબ ઊંચી ટકાવારી સાથે એડમિશન મેળવનારા સ્ટુડન્ટ્સની જમઘટ છે. આ ‘નાલાયક’...

![IMG_7449[1]1](/2009/11/17/images/IMG_7449[1]1_b.jpg)

![LordRam_[1]1](/2009/11/15/images/LordRam_[1]1_b.jpg)



માણસને એવી અપેક્ષા તો રહેવાની જ કે હું જે કંઇ કરું છું એનું મને ફળ મળે, એની કદર થાય, મારો પગાર વધે... આ બધું સહજ છે, છતાં થોડું મૂર્ખામીપૂર્ણ પણ છે. આમાં મૂર્ખામી એ છે કે બીજા લોકો આપણી કદર કરી શકે એટલા સમજદાર, ઉદાર, સંવેદનશીલ ન હોય તો એમાં આપણો શો વાંક? કોઇ વાંક નહીં, છતાં દુ:ખી કોણ થાય? આપણે થઇએ. નાઉ ધેટ ઇઝ ફૂલિશનેસ. માટે, લોકો કદર કરે તો બહુ સારું અને ન કરે તો ઇસુ ખ્રિસ્તની જેમ જાતને કહેવું -...


![Niagara-Falls-Flow[1]1](/2009/11/10/images/Niagara-Falls-Flow[1]1_b.jpg)

કન્ફ્યૂશિયસે અઢી હજાર વર્ષ પહેલાં આપેલા વિચારો બીજાં ઘણાં પ્રાચીન દર્શનોના મુકાબલે આનંદિત અને શ્રેષ્ઠ જીવન તરફ લઇ જવામાં વધુ અસરકારક છે. કન્ફ્યૂશિયસનું કહેવું હતું કે જે પરિવર્તનશીલ છે, એ જ હંમેશાં ખુશ રહી શકે છે. આ જ વાત આધુનિક સંશોધન પણ કહે છે કે આપણે કોઇ પણ બાબતથી જલદી ટેવાઇ જઇએ છીએ અને એ આપણને વધુ લાંબો સમય સુધી ઉત્તેજિત કે પ્રસન્ન નથી રાખી શકતાં. એટલે પરિવર્તન જ સતત...


‘તમારી પાસે આશા હશે તો જિંદગીમાં એ તમામ લક્ષ્યો દેખાશે જેને તમે પૂરાં કરી શકો એમ છો. બની શકે કે જીવનમાં ખરાબ સમય પણ આવે, જેને કારણે તમારે લક્ષ્યો અડધેથી છોડવાં પણ પડે, છતાં આશાનું આછું કિરણ પણ બચ્યું હોય અને તમે જો ક્ષમતા ધરાવતા હો તો એ તમને તમારાં લક્ષ્યો પાર પાડવામાંથી પીછેહઠ નહીં કરવા દે અને આખરે એક ઉત્તમ પરિણામ મળશે. જેમની પાસે આશા નથી એમનાં પણ ઘણાં સપનાં અને લક્ષ્ય હોય છે પણ...

ગાંધીપ્રેમી ચિત્રકારના જીવનપટના રંગોની ઝલક
‘ભારતીયોમાં અત્યારે કઇ ચીજનો અભાવ વર્તાય છે? ‘કેરેક્ટર’નો. ચાહે વ્યક્તિ હોય કે વસ્તુ, તેણે પોતાનું કેરેક્ટર ગુમાવી દીધું છે. કેરેક્ટર એટલે સ્થૂળ અર્થમાં ચરિત્ર કહીએ છીએ તે નહીં, પણ વ્યક્તિ કે વસ્તુની લાક્ષણિકતા, સ્વઓળખ, આપા ચિન્હા.’
દેશવિદેશના લોકોને ભારતીય પારંપરિક કળાઓનો પરિચય કરાવનાર ભારતીય લોકકળાવિદ્, અવ્વલ...

જ્યારે વેદના એક સાહચર્ય બને છે, જ્યારે યંત્રણા એક સહાનુભૂતિ બને છે, જ્યારે વિષાદ એક સાઝેદારી બને છે ત્યારે જે પ્રકટે છે, જે ટપકે છે એ પ્રેમ છે.
મિખેઇલ ગોર્બાચેવની પત્ની રાઇસા ગોર્બાચેવે આત્મકથા લખી છે: આઇ હોપ (હું આશા રાખું છું), અને એ સ્મરણકથામાં પત્નીના પતિ માટેના પ્રેમ વિષે રશિયન કવયિત્રી નતાલિયા ક્રાન્દિએસ્કાયાની એક કવિતા ટાંકી છે:
એ લોકો આકાશને બ્લુ કહે છે / એ લોકો...

મને બાઇક ચલાવવાનો ડર લાગે છે. હંમેશાં મને એ વાતનો ડર રહે છે કે હું બાઇક ચલાવતા પડી ગયો તો લોકો કહેશે કે ૧૯ વર્ષનો થયો તોય બાઇક નથી ચલાવી શકતો. મારી ઉંમરના છોકરા બહુ સહેલાઇથી બાઇક ચલાવતા હોવાનું મને બધા કહેતા હોય છે, પણ દુર્ભાગ્યે હું એવું નથી કરી શકતો. સૌનાં મહેણાં-ટોણાથી બચવા મેં લોકો વચ્ચે જવાનું છોડી દીધું છે. મારો આત્મવિશ્વાસ હલી ગયો છે. હું શું કરું? - કુણાલ મહેશ્વરી, અમદાવાદ
....

Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








