Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Divya Bhaskar

લગ્ન કરશો તો એક વર્ષમાં મૃત્યુ પાક્કું!Sunday, March 14, 2010 14:44 [IST]

Untitled-221
પ્રેમમાં તાકાત હોય છે... આકાશના ગ્રહોને પડકારવાની... આ છોકરી સાથે લગ્ન કરીશ તો એક વર્ષમાં તારું મૃત્યુ થશે...’ સામે બેઠેલા જ્યોતિષીનું આ વાક્ય સાંભળી તુષારના કપાળે પરસેવો વળી ગયો... બસ એક જ વર્ષ! મારા પ્રેમનું આયુષ્ય આટલું ટૂંકું? જ્યોતિષીને ત્યાંથી નીકળી તુષાર સીધો વડોદરાના બદામડી બાગમાં પહોંચી ગયો. બદામડી બાગ એટલે પલક સાથે દરરોજના મિલનનું સ્થળ. કુંડળીનું પાનું ખોલીને તુષારે...
 
 
Divya Bhaskar

એક ફેન્ટ્સી જો રિયાલિટી બને!Saturday, March 13, 2010 13:24 [IST]

Untitled-211

ધારો કે સપનાંની સંતાકૂકડી શરૂ થાય કે એ બધી જ ડ્રીમ-કેપ્ચરર કે ડ્રીમ-ગ્રેબરના હાઇ-ફાઇ કેમેરામાં ઝિલાઇ જાય. બીજે દિવસે એ સપનાંની ડિજિટલ કોપી લઇ આપણાં કમ્પ્યુટર કે લેપટોપ પર આપણે જોઇ શકીએ... તો?!



સપનાંની ફિલમ ઊતરાવો જી રે...એક ફેન્ટ્સી જો રિયાલિટી બને!



થોડા સમય પહેલાં ટી. વી. ઉપર એક શ્રેણી રજૂ થઇ હતી - ‘રાઝ પીછલે જનમ કા’. પાસ્ટ લાઇફ રિગ્રેશન(પી.એલ.આર.) નામની પદ્ધતિ હેઠળ...

 
 
danik bhaskar

સફળતાનું રહસ્ય : મગજની શક્તિનો પૂરેપૂરો ઉપયોગFriday, March 12, 2010 14:36 [IST]

મગજ અને સ્મૃતિ કેવી રીતે કામ કરે છે એ તમે સમજી લો ત્યારે. કોઇપણ મહત્વની વિગત હંમેશાં તમારી આંગળીનાં ટેરવે કેવી રીતે નાચતી રહે અને તમારી સંવાદશક્તિમાં સુધારો કેવી રીતે થાય? સારી યાદદાસ્તના સહારે આ બધું શક્ય બન્યું તો પણ એનો ફાયદો શું થશે? વૈજ્ઞાનિકો અનેક પ્રયોગ-અભ્યાસને અંતે એવું માને છે કે બહુમતી લોકો તો આપણા જાગૃત મગજની તાકાતનો માંડ એક ટકો જ ઉપયોગ કરે છે. હકીકત એ છે કે માત્ર સારી...
Untitled-11
 
 
danik bhaskar

ભૂલે એનું ભલું થાયWednesday, March 10, 2010 14:14 [IST]

સારી યાદદાસ્તને બરદાસ્ત કરવી એ ખાવાના ખેલ નથી. માટે, વિસ્મૃતિ કોઈ વરદાનથી કમ નથી. ‘તમને ક્યારેય કોઇ ખોટું-ખરાબ કામ કર્યું હોવાનો પસ્તાવો થાય છે? જાણે-અજાણે કોઇને અન્યાય કર્યાનો ડંખ તમને રહી ગયો છે?’ વર્ષો પહેલા, એક લેખ માટે છ-સાત જણના ઇન્ટરવ્યૂ કરીને એમને આ સવાલ પૂછેલો. એમાંથી મોટા ભાગના લોકોએ પ્રામાણિકતાપૂર્વક જવાબ આપેલો પણ એક જણે બધાંથી જુદો પ્રતિભાવ આપતા કહેલું, ‘ના My conscience is...
Untitled-11
 
 
danik bhaskar

યાદોં કી બારાતTuesday, March 09, 2010 17:19 [IST]

જીવનમાં આપણે જ્યારે ચારે તરફથી ઘેરાઈ જઈએ, આપણી બરાબરની વાટ લાગે ત્યારે જો એમ વિચારીએ કે આ મુશ્કેલ તબક્કો વીતી ગયા બાદ ભવિષ્યમાં એ યાદ કરવામાં મજા પડશે કે ‘ઓહ! ત્યારે કેવા હેરાનપરેશાન થઈ ગયેલા... કેવા ધંધે લાગી ગયેલા...’, તો આવું વિચારવાથી અગવડો, આફતો અને પરેશાનીઓનો મુકાબલો કરવાની થોડી તાકાત મળે છે. સંભારણાંનું સુખ કંઈ જેવું તેવું નથી હોતું. આ સત્યકથા છે કે દંતકથા, નથી ખબર. કોઈએ મને...
Lady1
 
 
danik bhaskar

તમારું રિમોટ કોના હાથમાં છે?Monday, March 08, 2010 15:33 [IST]

વગરકારણે ખુશ રહેવાની પણ એક અલગ પ્રકારની મજા છે. પ્રસન્નતાનું કોઇ સ્પષ્ટ કારણ નથી હોતું, એ તો તમારી અંદરથી ફૂટતું ઝરણું છે. આજે રિમોટ કન્ટ્રોલનો જમાનો છે. ટીવી હોય કે મ્યુઝિક સિસ્ટમ હોય - દૂરથી જ રિમોટ દબાવી તમે એને શરૂ કરી શકો. રિમોટનું ઇલેક્ટ્રોનિક સાધન આધુનિક ભલે લાગે પણ માણસની અંદર તો આ રિમોટ ઘણાં વર્ષોથી કાર્યરત છે. આ સિસ્ટમનો અર્થ છે દૂરથી કન્ટ્રોલ કરવો. ઘ્યાનથી જોઇએ તો બધા જ...
Untitled-22
 
 
danik bhaskar

નવનીતલાલ શાહSunday, March 07, 2010 14:13 [IST]

નવનીતભાઇ વિચારતા થઇ ગયા કે આટઆટલી સવલત હોવા છતાં પત્નીની પીડાને ઘટાડી ન શકાઇ, તો સાવ સામાન્ય લોકોનું શું ગજું? શું થઇ શકે તેમના માટે? ગુજરાતમાં રહેતા ગુજરાતીઓમાં પણ પોતાની માતૃભાષાથી વિચ્છેદ થઇ રહ્યો હોવાનો ભય આજકાલ સેવાઇ રહ્યો છે. ગુજરાતી ભાષાને બચાવવા માટે અનેક સેમિનાર, સભા, ચર્ચા અને જાગૃતિ અભિયાનનું આયોજન પૂરેપૂરી ગંભીરતાપૂર્વક થઇ રહ્યું છે. ગુજરાતીઓ પોતાની માતૃભાષાને...
Untitled-31
 
 
danik bhaskar

લગે રહો અભિજાતભાઈ...Saturday, March 06, 2010 15:18 [IST]

‘થ્રી ઈડિયટ્સ’ અને ‘લગે રહો મુન્નાભાઈ’ જેવી મેગાહિટ ફિલ્મોના લેખક અભિજાત જોશી હવે પછી કેવી કમાલ કરવાના છે? સતત સફળતાનાં નવાં શિખરો સર કરતા રહેવું, અધિકારપૂર્વક ચિક્કાર રેકગ્નિશન મેળવવું અને છતાંય એક કલાકાર તરીકે કરપ્ટ ન થવું - આ કેટલી મોટી અને મહત્વની વાત છે. અભિજાત જયંત જોશીએ ‘લગે રહો મુન્નાભાઈ’ અને ‘થ્રી ઈડિયટ્સ’ જેવી સીમાચિન્હરૂપ બની ગયેલી ફિલ્મો લખી છે. બેસ્ટ સ્ટોરી,...
abhijatbhai1
 
 
danik bhaskar

‘સ્વ’ની શક્તિFriday, March 05, 2010 14:05 [IST]

મારો આંતરિક સ્વ મારી સૌથી મોટી તાકાત છે અને એ મને મારી જાત સાથે જોડાઇ રહેવામાં મદદ કરે છે. જીવનની તાણ અને બધા વિષાદને એ મુક્ત કરી દે છે. આપણે જ્યારે આપણા ‘સ્વ’ને શોધી કાઢીએ છીએ ત્યારે બિનજરૂરી ડરથી મુક્ત થઇ જઇએ છીએ. વિજય અમૃતરાજ, ભૂતપૂર્વ ટેનિસ ચેમ્પિયન ઇશ્વર સાથેનો પ્રેમ મારી જિંદગીમાં સૌથી વધુ મહત્વનો છે. મારો એને માટેનો પ્રેમ અવરોધ વગરનો અને સંપૂર્ણ છે. જો હું મારા સંપૂર્ણ...
Vijay_Amritraj1
 
 
danik bhaskar

દાર્શનિક નહીં, ઇન્સાન બનોWednesday, March 03, 2010 15:02 [IST]

બટ્રાર્ન્ડ રસેલે કહેલું એમ તમે તમારી હાજરી અમારે માટે સહજ કેમ ન રાખી? અથવા તો જેમ જુલિયન બર્નેએ લખ્યું છે, ઇશ્વર જો હોય તો મને આશ્ચર્ય એ થાય છે કે એ આપણા દેવતાઓ વિષે શું વિચારતા હશે? વાસ્તવમાં મને એ વાતમાં વિશ્વાસ નથી કે કોઇ ઇશ્વર છે, જે છે તે આ જીવન જ છે... હોલીવૂડ નિર્માતા રોબર્ટ ચાટ્રોફ સાથે વાતચીત અઘ્યાત્મનો અર્થ તમારે માટે શો છે? હું મારી જાતને આઘ્યાત્મિક કે બિનઅઘ્યાત્મિક...
Monarch_Butterfly_Purple_Fl11
 
 
danik bhaskar

આનંદની અમીરાતTuesday, March 02, 2010 18:57 [IST]

વેસ્ટ સામગ્રીમાંથી બેસ્ટમબેસ્ટ ચીજવસ્તુઓ બનાવી જાણતા શિક્ષક નરભેરામ રાડિયા નિવૃત્તિ પછી કેટલી સુંદર રીતે પ્રવૃત્ત રહી શકાય છે તે વાતનું જીવતુંજાગતું ઉદાહરણ છે. માણસે નિવૃત્તિ બાદ શું કરવાનું? બસ આરામ. પૌત્રો અને પૌત્રીઓને રમાડવાના, યાત્રાઓ કરવાની, ભગવાનનું નામ લેવાનું, અન્ય નિવૃત્ત લોકો સાથે મોર્નિંગ કે ઇવનિંગ વોક પર જવાનું, ગામગપાટા મારવાના, પરિવારના સભ્યોને સલાહ-સૂચનો...
Untitled-821
 
 
danik bhaskar

રંગ, પીંછી અને રંગભૂમિTuesday, March 02, 2010 14:42 [IST]

ત્રણ ઉત્કૃષ્ટ ચિત્રકારો અને એક સત્વશીલ નાટ્યકાર વચ્ચે જ્યારે કમાલની કેમિસ્ટ્રી રચાય છે... મનોજ શાહ એટલે ગુજરાતી રંગભૂમિનું એક સત્વશીલ અને જિદ્દી નામ. નાટકોની દુનિયાની કમર્શિયલ જાળમાં ફસાયા વગર આ મુંબઇસ્થિત પ્રોડ્યુસર-ડિરેક્ટર-એક્ટરે લગભગ એકલે હાથે સમાંતર રંગભૂમિને ધબકતી રાખી છે. કેટકેટલાય નવોદિત કલાકારો તેમના હાથ નીચે ઘડાયા છે, તૈયાર થયા છે. છેલ્લાં નવ વર્ષમાં સાઠ કરતાંય...
21
 
 
danik bhaskar

તમે આઈસક્રીમને પ્રેમ કરો છો?Sunday, February 28, 2010 15:36 [IST]

કોણ જાણે કેમ આપણે ગુજરાતી જીભે પ્રેમ શબ્દ પ્રમાણમાં ઓછો ચડે છે. કહે છેને કે ભાષા અને શબ્દો માણસની કે પ્રજાની તાસીરનું પ્રતિબિંબ પાડે છે. તો શું આપણે ગુજરાતીઓ પ્રમાણમાં ઓછી પ્રેમાળ પ્રજા છીએ? શબ્દો માણસ જેવા છે. સૌની અલગ અલગ તાસીર હોય, જુદીજુદી છટા હોય અને પોતપોતાનું આગવું વાતાવરણ પણ હોય. એક શબ્દ એક ભાષામાંથી બીજી ભાષામાં ગતિ કરે ત્યારે ક્યારેક ઘણું બધું બદલાઈ જતું હોય છે તે આપણે...
Untitled-321
 
 
danik bhaskar

તારક મહેતા: પત્નીપીડિત પુરુષોના નેતા...Saturday, February 27, 2010 14:46 [IST]

પત્નીથી ત્રસ્ત પુરુષોનું નેતૃત્વ સ્વીકારવાનું મહેતાસાહેબને કહેવામાં આવે તો એ શું કરે? તમે મુંબઇમાં હતા ત્યારે બાળ ઠાકરેએ એમની ‘ઠોકશાહી’શરૂ કરી દીધેલી. હવે એમનાં જ પગલે ચાલી રહેલા એમના ભત્રીજા રાજ ઠાકરે તમારું માર્ગદર્શન માગે તો તમે એને શું કહો? - માવજીભાઇ ગડા, મુંબઇ ભોગ એના. આમેય મને કોણ પૂછે છે? ઢંગધડા વગરનાં, ચક્રમ જેવાં, કશું પણ ન સમજાય એવાં ચિત્રોનાં લાખો-કરોડો રૂપિયા શા...
krishna[1]1
 
 
danik bhaskar

થોડી વધુ સાવધાનીSunday, March 14, 2010 15:19 [IST]

વિધ્નનો સામનો કરવાની સારામાં સારી રીત છે — સારામાં સારી તૈયારી.



મુંબઇમાં હમણાં એક પ્રસંગ બની ગયો. એક ભાઇ પોતાના મિત્રને મળવા તેના બિલ્ડિંગમાં આવ્યા. ગેટ પર વોચમેને સીટી વગાડી ગાડી ઊભી રખાવી. ડ્રાઇવરને ડીકી ખોલવાનો ઇશારો કરતાં કહે, ‘ડીકી ખોલો. ચેક કરના હૈ.’ તેણે ડીકી ખોલી.



પેલાએ અંદર ટોર્ચ મારી આમતેમ નજર ફેરવી, કંઇ હતું નહીં. તેને સંતોષ થયો એટલે કહ્યું, ‘ઠીક હૈ. તુમ...

cms-image-000012474[1]11
 
 
danik bhaskar

કૃષ્ણદેવ આર્ય : આ તો ‘આનંદ’નો આનંદ!Saturday, March 13, 2010 13:26 [IST]

કૃષ્ણદેવને તો આ અંગે કશો ખ્યાલ જ ક્યાંથી હોય? તેઓ પોતાના નિત્યક્રમમાં ગોઠવાઇ ગયા. ભજિયાં ખાવાનાં તે એવા શોખીન હતા કે વચ્ચે વચ્ચે ક્યારેક તાવ આવી જાય તો પણ ભજિયાં ખાવાનો ક્રમ જળવાઇ રહેતો. તેઓ ત્યાં સુધી માનતા કે પોતે વાસી ભજિયાં ખાય તોય તાવ ઊતરી જાય. તાવની આવનજાવન ચાલુ રહી. આમ ને આમ દસ વરસ પસાર થઇ ગયાં પણ ૧૯૯૯માં એક વખત તાવ આવ્યો અને જરા લાંબો ચાલ્યો. પરિણામે બ્લડટેસ્ટ કરાવતાં જે...

Untitled-3211
 
 
danik bhaskar

૩ ઇડિયટ્સ, ૨ જોખમFriday, March 12, 2010 14:43 [IST]

મારું દિલ કહે છે કે મારે અવકાશયાત્રી બનવું છે.’ ખેર, દિલની વાતને દિમાગની જાળીમાંથી પસાર કરવી સારી. દિલ જ્યારે એમ કહે કે અવકાશયાત્રી બનવામાં રસ છે ત્યારે જરા મગજ ચલાવવું કે રસ ખરેખર એસ્ટ્રોનોમીમાં છે કે પછી તેની સાથે સંકળાયેલા ગ્લેમરમાં. સુનીતા વિલિયમ્સ અને કલ્પના ચાવલાના ફોટા જોઈજોઈને, એમનાં વખાણો વાંચી-સાંભળીને કોઈ છોકરીને એવું લાગી શકે કે એને એસ્ટ્રોનોમીમાં રસ છે. ઓકે, હોઈ...

career11
 
 
danik bhaskar

ગાંધીજી અને વિનોબાWednesday, March 10, 2010 14:21 [IST]

જનક યોગીના શિષ્ય શુક સંન્યાસી, પરમહંસના વિવેકાનંદ કે ગાંધીના વિનોબા એમાં ગુરુ-શિષ્યના નાતા કરતાં ગુરુભાવ કે શિષ્ય ભાવ અગર તો પિતાપુત્ર ભાવ કલ્પવો એ વધુ બંધબેસતું છે.




ચાલુ શિયાળે શ્રી શિવાજીરાવ (વિનોબાજીના નાના ભાઈ)ના સમાગમનો લાભ ત્રણ અઠવાડિયાં મને મળ્યો. આ સમાગમ દરમ્યાન મને જોવા-સાંભળવા ને વાંચવા મળેલાં લેખ અનેક રત્નોમાં એક તેમનો પંદર વીસ વર્ષ જૂનો અપ્રગટ લેખ...

Untitled-4213
 
 
danik bhaskar

ચોન્ટીTuesday, March 9, 2010 17:41 [IST]

બા, બાપા અને પરિવારની લીલા... નાના બાળકની દ્રષ્ટિએ!



મને મારી બા પાહે રે’વું બઉ ગમે. મને એવી ---! એ, કો’ક બાયણું ખોલિયું. ઓ બા રે ! બાપા કોક માણહ હાથે ઘરમાં આયા. મને તો એવી બીક લાગી કે ઉં તો, બા...બા...બા...બા... કરતો રહોડામાં દોડિયો. મને એ માણહ મારવા જ આયો’તો. હા, એ મને મારવા જ આયો’તો.



ભૈ, મને બઉ બીક લાગતી’તી. ને મને જા’રે જા’રે બીક લાગે છ તા’રે તા’રે રડવાનું ને ભૂ ભૂ કરવાનું જ...

Untitled-211
 
 
danik bhaskar

અપેક્ષાઓની આગમાં હોમાતાં સંતાનો!Monday, March 8, 2010 15:54 [IST]

પોતાના બાળકની ક્ષમતા કે રુચિની પરખ ન હોય એ મા-બાપ બાળકોમાં હિંમત અને વિપરીત સંજોગોનો સામનો કરવાની ક્ષમતા કઇ રીતે સીંચી શકવાનાં?...મા-બાપ ફફડી રહ્યાં છે આ ઘટનાઓથી. ઘરમાં હોય ત્યારે ટેલિફોનની ઘંટડી વાગે છે ને માનું દિલ ધડકે છે, કોઇ ખરાબ સમાચાર તો નહીં હોય ને! તો બહારથી ઘરે આવે ત્યારે બંધ બારણાં પાછળ કોઇ દુઘટર્ના તો નહીં ઘટી હોય ને, એવો ફડકો રહે છે!



હંમેશાં હસતો ને ‘સલામ સાબ’કહી...

mother_daughter11
 
 
danik bhaskar

ગયા ભવનું ઋણ?Sunday, March 7, 2010 14:46 [IST]

સવારે એકનો પાર્થિવ દેહ એમના કુટુંબીજનોને સોંપી દેવામાં આવ્યો પણ એ લાવારિસ વૃદ્ધાના પાર્થિવ દેહની સોંપણી મને કરવામાં આવી. ઉત્તરાખંડ આંદોલનકારીઓનાં બલિદાનને લીધે એ દિવસે આખો પ્રદેશ ચિક્કાર જામ હતો. એવામાં મારે અંતિમસંસ્કારની વ્યવસ્થા કરવાની હતી. મેં નગરપાલિકાની ટ્રક મંગાવવાની વ્યવસ્થા કરી. જેટલી થઇ શકે એટલી સૂકી લાકડીઓ અને બાળવાની સામગ્રી લઇ અમે નીકળી પડ્યા.



ઘટના એ...

Untitled-411
 
 
danik bhaskar

મહાન બનવાના નુસખાSaturday, March 6, 2010 15:37 [IST]

કાલીદાસ કે ટોલ્સ્ટોય પણ કરિયાણાની દુકાનમાં ઘઉં-ચોખા-ખાંડ-માચિસ લેવા જાત તો એમની પણ એ જ હાલત થાત જે તમારી થઇ છે! એટલે એ નિષ્કર્ષ પર જરાય ન પહોંચી જતા કે તમે મહાન બનવાને યોગ્ય નથી.



એકમહાન બનવાનો પહેલો નુસખો એ છે કે મહાન બનવાનો કોઇ નુસખો જ નથી હોતો. જો હોત તો એ એક પુસ્તકના રૂપમાં રેલવે બુક સ્ટોલ પર ચોક્કસ મળતો હોત અને તમામ બેરોજગાર યુવાનો એને ખરીદવાની ભૂલ કરી રહ્યા...

rose11
 
 
danik bhaskar

જાત પર જુલમ ન ગુજારોFriday, March 5, 2010 14:38 [IST]

ઘ્યાનથી શરીરમાં જે ઊર્જા ઉત્પન્ન થાય છે એને આત્મસાત્ કરવાની રહે છે. એવું ન કરી શકનારા લોકો નિરાશ થઇ ઘ્યાન ધરવાનું છોડી દે છે. શરીર વિશે થોડી સમજ કેળવી લેશો તો સરળતા રહેશે.

મોટા ભાગના લોકો ઘ્યાનમાંથી શાંતિ અને આનંદ મેળવવા ઇચ્છે છે પણ તેઓ ઘ્યાન ધરવાની કોશિશ કરે છે ત્યારે એમનું શરીર સાથ નથી આપતું. સામાન્ય રીતે શરીરની જે આદતો હોય છે, એ ઘ્યાનને અનુકૂળ નથી હોતી. ઘ્યાન માટે શરીર હળવું...

Untitled-62111
 
 
danik bhaskar

વિરહની વેદના-કમ-ખુશીWednesday, March 3, 2010 19:06 [IST]

ખટમીઠા અનુભવો પાછળથી યાદ આવશે અને ત્યારે તને એ સંભારણાં અત્યંત મીઠા લાગશે. અત્યારે આપણા સૌના સારા દિવસ જ છે, પણ આના કરતાંય વધુ ખુશહાલ દિવસો પાછા આવશે. આપણે બધાં સાથે હોઇશું. હું ફરી તારી સાથે ક્રિકેટ રમીશ. તારી ઇચ્છા દાદા-દાદીને પણ રાજકોટ તેડાવવાની છે તો તારી એ ઇચ્છા પણ જરૂર પૂરી થશે.

પ્રિય શાશ્વત,એક-એક કરતાં બે વર્ષ વીતી ગયાં છતાં આજે પણ પહેલીવાર તને કોટા મૂકવા આવ્યો હતો એ દિવસ...

 
 
danik bhaskar

તમે સફળ છો કે સાચા છો?Tuesday, February 23, 2010 16:19 [IST]

શું સારા માનવી અને સફળ માનવી એ બે જુદી ચીજ છે? આ સવાલને યોગ્ય રીતે સમજવા માટે આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ: પહેલો હિસ્સો છે કે શું સારી વ્યક્તિ હોવા માટે સફળ હોવું જરૂરી છે? અને બીજું કે શું સફળ હોવું જ સારા હોવાનું પ્રમાણ છે?



‘જે સાચું છે એ હંમેશાં લોકપ્રિય નથી નીવડતું અને જે લોકપ્રિય છે એ હંમેશાં સાચું નથી હોતું.’આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું આ વાકય એમને ખુદને જ લાગુ પડે છે....

Untitled-213
 
 
danik bhaskar

કેટલી સચ્ચાઈ?કેટલી લુચ્ચાઈ?Tuesday, March 2, 2010 15:30 [IST]

રાખી કા સ્વયંવર શોના હોસ્ટ રામ કપૂરે સમાપન ટિપ્પણીમાં દર્શકોને વચન આપ્યું કે રાખી અને ઇલેશ પરુજનવાલા લગ્ન કરશે ત્યારે અમારી ચેનલ એનું સૌથી પહેલું પ્રસારણ કરશે. આ શો દર્શકોના ગાલ પર એક જોરદાર તમાચો હતો. શોના અંતે ઘણા પ્રતિસ્પર્ધીઓએ સ્વીકાર પણ કર્યો કે પોતે રાખી સાથે ખરેખર લગ્ન કરવા નહીં, પરંતુ પ્રસિદ્ધિ મેળવવા આવ્યા હતા. સાચું પૂછો તો આ રિયાલિટી શોમાં કદાચ કોઇ વાસ્તવિકતા હતી જ...

Untitled-4111
 
 
danik bhaskar

ડ્રીમ વર્લ્ડની રિયાલિટીSunday, February 28, 2010 15:51 [IST]

હું અસલી જીવનમાં તાણભર્યો નથી. હું જીવનને સહજતાથી લઉં છું, કેમકે હું મારા સમયનો ૮૦ ટકા હિસ્સો કામમાં લગાડી દઉં છું.

ઉત્તમ કક્ષાના સિરિયલ એક્ટર તરીકેની ઓળખ ધરાવતા ઇરફાન ખાન અસલ જિંદગીમાં એકદમ ઝિંદાદિલ અને મિલનસાર માણસ છે. પોતાની ફિલ્મોની અલગ અલગ ભૂમિકાઓ દ્વારા એમણે અદના માણસના અસ્તિત્વનો સબળ આભાસ કરાવ્યો છે — પાત્ર ભલેને કોઇ સનકીનું હોય કે પીડિત વ્યક્તિનું, કોઇ પોલીસ...

billubarber112
 
 
danik bhaskar

આરોગ્યને જાળવવાની સોનેરી શિખામણોSaturday, February 20, 2010 17:36 [IST]

ગુજરાતી રસોડામાં ગાંધીજી બ્રાન્ડની ક્રાંતિ લાવવાની જરૂર છે. રાજકીય આઝાદી પછી ડોક્ટરના ખર્ચમાંથી આઝાદી મેળવવી હોય તો સ્વાદના ચટકા ઓછા કરો.



અમેરિકામાં બરાક ઓબામા નવા નવા પ્રમુખ થયા ત્યારે તેણે સૌપ્રથમ કઇ સમસ્યા હાથમાં લીધી? થોડો સમય અફઘાનિસ્તાન કે ચીનને તડકે મૂકી અમેરિકામાં હેલ્થ રિફોર્મની યોજના ઘડી. અમેરિકનોની બીમારીને એક રાષ્ટ્રીય સમસ્યા ગણી. આપણા આરોગ્યનું તંત્ર...

Untitled-211
 
 
danik bhaskar

અચૂક મંત્રFriday, February 19, 2010 16:32 [IST]

મુશ્કેલીઓનો મુકાબલો કરીને સફળ થવાનો એક જ સચોટ મંત્ર છે, તે છે પોતાની જાત અને નિર્ણયો પર અતૂટ ભરોસો.



એક રાજા હતો. એના દરબારમાં એકએકનું માથું ભાંગે એવા પ્રકાંડ પંડિતો હતા. રાજાએ એક દિવસ બધાને બોલાવીને કહ્યું કે મને એક એવો મંત્ર જોઈએ જે કોઈ પણ પરિસ્થિતિમાં અચૂક પરિણામ આપે. ભલભલી આફતોનો મુકાબલો કરવા માટેનો મંત્ર મને જોઈએ.



વિદ્વાનો નીકળી પડ્યા મંત્ર શોધવા. આકાશપાતાળ એક...

flower11
 
 
danik bhaskar

શું છે પંચકર્મ ચિકિત્સા?Wednesday, February 17, 2010 16:03 [IST]

આયુર્વેદનું નવું લોકપ્રિય રૂપ સ્પાના સ્વરૂપમાં ઊપસ્યું છે. પૂર્વના દેશોમાં સ્પા ઉદ્યોગની જેમ વિકસી રહ્યું છે. ફરી ચેતનવંતા થવાની આ એક વિધિ છે. પંચકર્મને માત્ર તેલની ધાર સુધી સીમિત કરી દેવું એ આયુર્વેદ નથી.

આજના વ્યાપારી યુગમાં દરેક જૂની અને એન્ટિક ચીજની જેમ આયુર્વેદ પણ ચપોચપ વેચાઇ રહ્યો છે. ત્યાં સુધી કે પશ્વિમી જીવનશૈલીના માર્ગે આગળ વધી ગયેલી પંચતારક હોટલો અને હેલ્થ...

Untitled-5111
 
 
danik bhaskar

શરીરને ફોસલાવવાની કળાTuesday, February 16, 2010 14:08 [IST]

શરીર સાથેની લડત હિંસક અને કદરૂપી છે. શરીર સાથે કોઈ પણ પ્રકારની લડાઈ દુર્ભાવ અને સ્ટ્રેસ પેદા કરે છે. માટે, સ્ટ્રેસ પેદા ન કરો. બહુ શાંતિથી, પ્રેમથી, જેવી રીતે એક પ્રેમી તેની પ્રેમિકા પાસે જાય છે એ રીતે શરીરથી નિકટતા સાધો. શરીર તો કુદરતની સુંદર ભેટ છે. તેની સામે લડવું મતલબ આપણા અસ્તિત્વ સામે લડવું. આવું કરવાને બદલે શરીરની પોતાની જે કુદરતી ઉપચારશક્તિ છે તેને સક્રિય કરવામાં આવે તો ગાઢ...

Untitled-2211
 
 
danik bhaskar

જે તાકાત, તે જ નબળાઈ!Sunday, February 14, 2010 18:18 [IST]

દિવસભરની મહેનત-મજૂરી કરીને પપ્પા કે મમ્મી ઘરે આવે ત્યારે નાનકડા દીકરા કે દીકરીની કિલકારીથી ચહેકતા ઘરમાં પગ મૂકતાં જ તેમનો બધો થાક ઊતરી જાય ને બાળકો પણ એ ખુશીનો અનેરો પડઘો ઝીલે પરંતુ એ જ બાળકો મોટાં થાય એટલે તેમનાં સ્વતંત્ર રસ-રુચિ વિકસવાં લાગે. હવે તેની દુનિયા માત્ર મમ્મી-પપ્પા સુધી મર્યાદિત નથી રહેતી. દોસ્તો, સાથીઓ, ટીચર્સ, સ્કૂલ, કોલેજ, ક્લબ, પબ... કંઇ કેટલા નવા ચહેરા ને નવી...

Untitled-5111
 
 
danik bhaskar

‘પા’ કરતાં ઊલટો રોગ લાગુ પડે તો...Friday, January 29, 2010 14:12 [IST]

ઓમ પુરીની પત્ની લેખિકા છે અને એક્ટર પતિ જેટલી કમાણી નથી. એને તો એક્ટરની ફિલ્મો લખવા જેટલી પણ કમાણી નથી, એટલે એણે પતિને ઉઘાડો પાડી રોકડી કરી લીધી. આ બદલો નથી, શાણપણ છે. ઘરડા પતિની નવી ઇમેજથી રોકડી કરવામાં ખોટું શું છે? બન્નેનાં હાથમાં લાડુ. ભગવાન કંઇ કર્યા વગર જ તમારી પર પ્રસન્ન થાય તો તમે એમની પાસેથી શું માગો? - લક્ષ્મીશંકર ઠક્કર, મહેમદાવાદ કાંઇ પણ કર્યા વગર પ્રસન્ન થનાર ભગવાનની નજરે...
paa-amitabh-bachchan-paa[1]1
 
 
danik bhaskar

શિમિત અમીન : હું પવનની લહેરખી જેવો છુંWednesday, February 10, 2010 15:50 [IST]

‘અબ તક છપ્પન’, ‘ચક દે ઇન્ડિયા’ અને હવે ‘રોકેટ સિંહ - સેલ્સમેન ઓફ ધ યર’. એકબીજાંથી ભિન્ન એવી ત્રણ અતિસુંદર ફિલ્મો બનાવનાર મૂળ ગુજરાતી ડિરેક્ટર શિમિત અમીન દિલ ખોલીને વાત કરે છે.



શિમિત, તમારો ઉછેર ફ્લોરિડામાં થયો હતો, ખરું?



હા, બિલકુલ સાચું છે. મારો જન્મ યુગાન્ડામાં થયો, પણ પછી અમે અમેરિકાના ફ્લોરિડામાં શિફ્ટ થઇ ગયાં. ઘરમાં મમ્મી-પપ્પા અને એક મોટો ભાઇ છે....

shimit-amin11
 
 
danik bhaskar

આયુર્વેદમાં આહાર-વિહારTuesday, February 9, 2010 18:58 [IST]

આયુર્વેદની દ્રષ્ટિએ કોળું અત્યંત બળવર્ધક અને બુદ્ધિવર્ધક છે, પણ સાથે સાથે એ વાયુ વધારનાર છે, એટલે વાયુનુ શમન કરવા માટે હીંગ અને મેથીનો વઘાર કરાય છે. આને લીધે પેટમાં ગેસ નથી થતો. આ રીતે આહાર સંસ્કાર અર્થાત્ ખાવાનું બનાવવાની રીતનું ઘણું મહત્વ છે. દાખલા તરીકે દહીં અને છાશ. કોઇ પણ એલોપથી ડોક્ટર કહેશે કે બંનેમાં પ્રોટીન છે, કેલ્શિયમ છે, કેલરી અને ફેટ છે. એટલે બંને સરખાં છે. ફક્ત એક ઘટ્ટ...

Untitled-1211
 
 
danik bhaskar

ચરક: કોણ, ક્યાં, ક્યારેMonday, February 8, 2010 17:03 [IST]

એકવાર શેષનાગ ભૂલોકની દશાના અવલોકન માટે ચર(યાત્રી)ની જેમ અવતરિત થયા. તેઓ પ્રાણીમાત્રને રોગોથી પીડાતા અને વ્યાકુળ જોઇ દુ:ખી થયા અને સૌને રોગોથી મુક્ત કરાવવાનો ઉપાય વિચારવા લાગ્યા. પછી તેઓ કોઇ સુપ્રસિદ્ધ વેદજ્ઞ ઋષિને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. તેઓ ચરની જેમ આવ્યા એટલે એમનું નામ ચરક પ્રસિદ્ધ થઇ ગયું. તેઓ જ કાળાંતરે ચરકાચાર્ય નામથી સુવિખ્યાત થયા. તેઓ શેષનાગના અંશાવતાર હતા. એમણે...

ayurveda-herbs_s600x600[1]112
 
 
danik bhaskar

સ્વીકારો તો શાસ્ત્ર, નહીંતર કોયડોSaturday, February 6, 2010 14:36 [IST]

આયુર્વેદના પ્રસ્તાર અને સમગ્ર રૂપને મહાઆશ્ચર્યરૂપે જોનારાઓએ એવું પણ અનુમાન કર્યું છે કે ચરક કોઇ એક ઋષિનું વ્યક્તિગત નામ નહોતું પરંતુ સંશોધન માટે સતત ફરતા રહેતા કેટલાય વિદ્યાર્થીઓ-વિદ્વાનો માટે ઉપયોગમાં લેવાતું સર્વનામ હતું. ‘ચરક’ તરીકે ઓળખાતા કેટલાય લોકો હશે, જે પેઢીઓ સુધી આયુર્વેદના અઘ્યયન અને વિકાસમાં ખૂંપેલા રહ્યા હશે. જોકે આવી ઉપજાવી કઢાયેલી થિયરીને નકારવામાં આવે...

3_-_Ayurveda_246112749[1]111
 
 
danik bhaskar

ભગવાન છેFriday, February 5, 2010 17:04 [IST]

ભગવાનની હયાતીને કેમિસ્ટ્રી દ્વારા પુરવાર કરી શકાય છે. સાયન્સ જર્નાલિસ્ટ જહોન હોર્ગને ‘ઘી એન્ડ ઓફ સાયન્સ’ નામનું વિવાદાસ્પદ પુસ્તક લખ્યું છે. તે કહે છે કે વધુ શોધો વગરના વિશ્વમાં જીવવું કેવું લાગશે? આપણી આશ્ચર્ય પામવાની વૃત્તિમાંથી ફક્ત વિજ્ઞાન જ બહાર નથી આવતું. તેમાંથી કલા, સાહિત્ય, જ્ઞાન ને ધર્મ પણ સ્ફૂરે છે, અને તેમાંથી ભગવાન માટેની ભક્તિ પણ બહાર આવે છે. જો ભગવાન ન હોત તો...

Untitled-411
 
 
danik bhaskar

શરીર પર રસનો પ્રભાવTuesday, February 2, 2010 17:28 [IST]

કેટલાક પદાર્થ એવા હોય છે જે સ્વાદમાં તો ખાટા-મીઠા કે ખારા લાગે છે પરંતુ એનો વિપાક જુદી રીતનો હોય છે. છ રસ માટે ત્રણ વિપાક માનવામાં આવ્યા છે - મધુર, ખાટો અને કડવો કે તીખો. ઘણી વાર એવું જોવામાં આવે છે કે વધુ પ્રમાણમાં ગળી ચીજો ખાધા પછી પણ અપચાને કારણે ખાટા ઓડકાર આવે છે અથવા કેટલીક વાર પેટમાં ગેસથી કે નાકમાં પાણી આવવાથી બળતરા થવા લાગે છે. આ વિપાકને અથવા અધિક પિત્તને કારણે જ થાય છે.
....

Untitled-43111
 
 
danik bhaskar

આયુર્વેદ: ભ્રમ અને નિરસનSaturday, January 23, 2010 14:52 [IST]

આયુર્વેદ વિશે અનેક પ્રકારની માન્યતા પ્રવર્તે છે. કેટલાક લોકો માને છે કે એની ઔષધિઓમાં ભેળવેલી ધાતુ શરીર માટે નુકસાનકારક છે. ઘણાને એની પરેજી બાબતોના નિયમોમાં અતિરેક લાગે છે. દવાની અસર તરત ન થતી હોવા વિશે પણ જુદીજુદી વાતો સાંભળવા મળે છે. બધા પ્રયત્ન નિષ્ફળ થઇ ચૂક્યા હોય ત્યારે જ આયુર્વેદ પાસે જવું - આ પણ એક સર્વસામાન્ય માન્યતા છે. છેતરામણી ગેરસમજમાંથી બહાર નીકળીને તાર્કિક રીતે...

Untitled-5111
 
 
danik bhaskar

માનસિંહ માંગરોલા : સુદામાઓના સાંદીપનીSaturday, January 30, 2010 15:54 [IST]

સાગબારા તાલુકાના જ ભવરીસાવર ગામે માનસિંહભાઇએ ‘સર્વોદય કેન્દ્ર’ શરૂ કર્યું, જ્યાં મુખ્યત્વે ખાદીકામ કરવામાં આવતું. દરમિયાન તેમનાં લગ્ન નજીકના દેસાળ ગામનાં કનુબેન સાથે થયાં. તેમનું શિક્ષણ ઓછું, પણ સમજદારી ઘણી હોવાથી ગૃહસ્થીનો ભાર તેમણે જ ઉપાડી લીધો. ભવરીસાવરમાં તેમણે છાત્રાલય પણ શરૂ કરેલું, જેમાં પંદરેક છોકરા રહેતા અને બે કિ.મી. દૂર આવેલા રોઝદવ ગામની શાળાએ ભણવા જતા. આ...

Untitled-61111
 
 
danik bhaskar

તમારાં સપનાંને મરવા દેતા નહીંFriday, January 29, 2010 14:55 [IST]

‘કસમ સે’ જેવી સુપર હિટ સિરિયલ, ‘રોક ઓન’ જેવી ખૂબ વખણાયેલી ફિલ્મ અને તે પછીનાં તેનાં કામે ગુજરાતી અભિનેત્રી પ્રાચી દેસાઇને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં અતિ આશાસ્પદ અભિનેત્રી તરીકે ઉપસાવી દીધી છે.



ઘણી નાની ઉંમરે તમારી કારકિર્દીની શરૂઆત થઇ ગઇ. ઝપાટાભેર સફળતા મળી ગઇ કેવું લાગે છે?



અનબિલિવેબલ. નાની હતી ત્યારથી જ મને એક્ટર બનવાની અદમ્ય ઇચ્છા હતી. કહે છેને મન હોય તો માળવે...

prachi-desai11
 
 
danik bhaskar

મધરાતના સૂરજનો દેશWednesday, January 27, 2010 15:15 [IST]

નોર્વેના ઉત્તર ભાગમાં મઘ્ય મેથી જુલાઇના અંત સુધી દિવસ-રાત સૂર્યપ્રકાશ રહે છે અને સૂર્યાસ્ત થતો જ નથી. ધીરે ધીરે સૂર્ય છુપાવા લાગે છે, સમય લંબાતો જાય છે અને નવેમ્બરના અંતમાં સૂર્યોદય થવાનું બંધ થઇ જાય છે. નવેમ્બર અંતથી જાન્યુઆરી સુધી સૂર્યોદય નથી થતો અને પછી પાછો ઉદય થવા લાગે છે. અહીં રાજકારણમાં મહિલાઓની ભાગીદારી લગભગ પુરુષને સમકક્ષ છે. કળાપ્રેમીઓને જલસો પડી જાય એવાં વિવિધ...

norway11
 
 
danik bhaskar

વંશ-પરંપરા, માણ-પરંપરાMonday, January 25, 2010 14:48 [IST]

ગુજરાતમાં માણભટ્ટો દ્વારા થતાં આખ્યાનની પરંપરા આમતો ૪૫૦થી ૫૦૦ વર્ષ પુરાણી ગણાય. નરસિંહ મહેતાએ આ પરંપરાની શરૂઆત કરી અને કવિ પ્રેમાનંદે તેને પ્રચલિત કરી. મજાની વાત એ છે કે મનોરંજનના પ્રસ્ફોટના આ યુગમાં પણ માણભટ્ટ પરંપરા સદંતર લુપ્ત નથી થઇ. આ વાતનો યશ જાય છે વડોદરાના એક પરિવારને, જે આ કળાને જીવંત રાખવાની નિષ્ઠાવાન કોશિશ કરતો આવ્યો છે. આ પરિવારના મોભી છે ધાર્મિકલાલ પંડ્યા, જેમણે...

Untitled-22111
 
 
danik bhaskar

કાળ, અર્થ અને કર્મMonday, January 18, 2010 15:05 [IST]

યોગનો અર્થ છે જોડાવું, સંબંધ કે સંપર્ક. આપણી દિનચર્યા દરમિયાન કાળ, અર્થ અને કર્મનો જે સંબંધ બને છે એને યોગ કહે છે. આ યોગ સારો કે સાત્મ્ય પણ હોઇ શકે છે અને અસાત્મ્ય પણ હોઈ શકે છે. અસાત્મ્ય યોગ ત્રણ પ્રકારના છે - અયોગ અથવા હીનયોગ, મિથ્યાયોગ અને અતિયોગ. આ ત્રણયે આપણાં શરીર અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.



આપણે એવું આચરણ અને એવો વ્યવહાર કરવાં જોઇએ, કે જેથી આપણે ૧૦૦ વર્ષનું આયુષ્ય...

Untitled-411
 
 
danik bhaskar

મૌલિકતા ક્યાં છે?Monday, January 11, 2010 17:01 [IST]

એવું પણ કહેવાય છે કે હિટલરના વિચારો પર નિત્શેની ફિલોસોફીનો પ્રભાવ હતો. આ નિત્શેએ એક પુસ્તક લખ્યું: ‘ધસ સ્પોક જરથુસ્ટ્રા’ (મસ્ત છે, અચૂક વાંચવું). એમાં એણે એક ઘટના વર્ણવી છે પણ જોવા જેવું એ છે કે નિત્શેએ પુસ્તક લખ્યું તેની અડધી સદી પહેલાં (નિત્શેના જન્મ પહેલાં) પ્રગટ થયેલી એક ચોપડીમાં એ જ ઘટના, લગભગ એ જ શબ્દોમાં લખાયેલી હતી. તો શું નિત્શેએ એ બૂકમાંથી પોતાની બૂકમાં ઉઠાંતરી...
man1
 
 
danik bhaskar

સ્વસ્થ રહેવું સ્વધર્મ છેSunday, January 10, 2010 14:24 [IST]

સનાતન ધર્મ કોઇ ધર્મ નથી, પરંતુ જિંદગીનો એક બ્રહ્માંડીય દ્રષ્ટિકોણ છે. એ માત્ર બ્રહ્માંડ વિજ્ઞાનની વ્યાખ્યા નથી કરતો, બલકે એ સૃષ્ટિશાસ્ત્રને પણ સમજાવે છે, એટલે એ ભારતની વૈજ્ઞાનિક પરંપરા સહિત બધી ચીજને પોતાનામાં સામેલ કરે છે. વાસ્તવમાં આયુર્વેદની ચિકિત્સાપદ્ધતિ એ જ સત્ય પર આધારિત છે કે જે સિદ્ધાંત બ્રહ્માંડને લાગુ પડે છે, એ જ માનવશરીરને પણ લાગુ પડે છે. સ્વધર્મ તંદુરસ્તી બરાબર...
yoga1
 
 
danik bhaskar

થાકથી ધિનાધિન સુધી...Saturday, January 09, 2010 14:35 [IST]

‘આટલાન્ટિક’ મેગેઝિનના નવેમ્બર ૨૦૦૭ના અંકમા ન્યુરોસાયન્સ અને માનવીનાં મગજની વાત કહેલી છે. તેમાં એક શબ્દ વપરાયેલો — ‘મિલ્ટટાસ્કિંગ’. અર્થાત્ એકસાથે અનેક કામ કરવાં. ક્રિકેટરો અમુક મેચમાં સેન્ચુરી મારે પછી ઝીરોમાં આઉટ થઇ જાય, માત્ર ગણ્યાગાંઠ્યા સતત સેન્ચુરી મારે. બોલર હોય તો ત્રણ-ચાર-પાંચ વિકેટ લઇ શકે, પણ આજે ક્રિકેટરો, રાજકારણીઓ, પત્રકારો, વેપારીઓ મિલ્ટટાસ્કિંગનો-આત્મશોષણનો...
aha1
 
 
danik bhaskar

સચ્ચાઈનો ચહેરોSaturday, January 16, 2010 10:40 [IST]

‘અહા! જિંદગી’નાં કટારલેખિકા નંદિતા પુરીએ પતિ ઓમ પુરીની વિવાદાસ્પદ જીવનકથા લખી છે. સ્તરીય અભિનેતા ઓમ પુરી સ્વયં આ પુસ્તક વિશે શું માને છે? પેશ છે, જીવનકથાના કેટલાક અંશો અને ઓમની ખુદની પ્રતિક્રિયા.

ઓમ પુરી ઉવાચ...

જ્યારે આપણે પોતાની જિંદગી વિષે કહી રહ્યા હોઇએ છીએ ત્યારે એક જ પક્ષથી ન કહેવું જોઇએ. આપણે આપણી માત્ર સારી સારી વાતો કહેતા રહીએ અને નબળાઇઓનો ઉલ્લેખ પણ ન કરીએ તો એ...

om-puri111
 
 
danik bhaskar

આયુર્વેદની તેજી ઊડીને આંખે વળગે છેWednesday, January 13, 2010 14:59 [IST]

એવું નથી કે આયુર્વેદનું નામ અચાનક લોકપ્રિયતાના ચાર્ટ પર સૌથી ઉપર દેખાવા લાગ્યું છે. જડીબુટ્ટીઓ વડે ઘરગથ્થુ ઉપચાર પેઢીઓથી આપણે ત્યાં થઈ રહ્યો છે. હાલ જે વિશાળ બજાર ઊભી થઇ છે એણે એટલું તો જરૂર સાબિત કરી જ દીધું છે કે બદલાતી જીવનશૈલીએ પેદા કરેલા ટેન્શનના પ્રતાપે માણસને વૈકિલ્પક ચિકિત્સાની જરૂર છે.

પૂર્વના દેશોમાં સ્પા-કલ્ચર ઝપાટાભેર પોપ્યુલર બની રહ્યું છે. પારંપરિક...

aha111
 
 
danik bhaskar

૭૪નો સ્કોરWednesday, January 06, 2010 17:53 [IST]

મનોમન એમણે ગોલ્ફનું મેદાન ખડું કર્યું અને એમાં એ રમવા લાગ્યા. આવું કરતી વખતે એ બધી જ બાબતોનો પૂર્ણ અનુભવ કરતા. પોતાને ગોલ્ફના પોષાકમાં જોતા, વૃક્ષો અને તાજાં કપાયેલાં ઘાસની સુવાસ લેતા. અલગઅલગ મોસમ અનુભવતા. હાથમાં ક્લબ પકડ્યા પછી બોલને કઈ રીતે ફટકારવો તે નક્કી કર્યા પછી મનના ચિત્રમાં જોતા કે બોલ બે ટપ્પા પડીને એ જ જગ્યાએ પહોંચ્યો. જ્યાં તેમને પહોંચાડવો હતો. સ્પષ્ટ લક્ષ્ય અને...
Untitled-61
 
 
danik bhaskar

લેખકનું સૌથી મોટું વળતર... હૂંફાળો પ્રતિસાદTuesday, January 5, 2010 18:56 [IST]

એમનાં પુસ્તકો વિક્રમ સેઠ, સલમાન રશ્દી અને અમિતાવ ઘોષની સાહિત્યિક કક્ષામાં સ્થાન પામતા નથી પરંતુ આ પુસ્તકો એવાં છે, જેને તમામ વાચકો વાંચી શકે છે. આ પુસ્તકો અત્યંત સરળ, સહજ, જટિલતા વગરનાં અને હલકાંફૂલકાં છે. આ પુસ્તકોની ટીકા કરવાનું વિવેચકોને બહુ ગમે છે પરંતુ આ જ પુસ્તકો કેટલાય લોકોની જિંદગી બદલી ચૂક્યાં છે અને લાખો લોકોને એ ખૂબ પ્રિય છે. એ છે ચેતન ભગત. ‘ફાઇવ પોઇન્ટ સમવન’, ‘વન...

chetan-bhagat11
 
 
danik bhaskar

એન્જેલિના જોલીની જીવન કિતાબTuesday, January 12, 2010 16:18 [IST]

એન્જેલિનાનું બાળપણ સામાન્ય નહોતું. સેલિબ્રિટી મા-બાપનું સંતાન હોવા છતાં એના બાળપણના દિવસો અભાવો અને લાગણીની ઊથલપાથલ વચ્ચે પસાર થયા. એ એક જ વર્ષની હતી ત્યારે એનાં માતા-પિતા અલગ થઇ ગયેલાં. એ પછી માતા એને અને ભાઇ જેમ્સને લઇને ન્યૂયોર્કના પૂર્વ છેડે રહેવા લાગી. માતા-પિતાની જુદાઇથી અજાણ એન્જેલિના મા અને ભાઇ સાથે નવી જગાએ ખુશ હતી અને પોતાના સાવ જુદા જ મિત્રો સાથે સમય વિતાવતી. બેટી...

angelina_jolie_headshot-47911111
 
 
danik bhaskar

અકસ્માત નહીં, અવસરSunday, January 10, 2010 15:08 [IST]

એક સમય હતો જ્યારે તે આ ચાલી શકશે કે કેમ, બન્ને પગે ઊભી રહી શકશે કે કેમ, દોડી શકશે કે કેમ એ સવાલ હતો. માત્ર ત્રણ વર્ષની ઉંમરે તે સખત તાવના કારણે જમણા પગે પોલિયોગ્રસ્ત બની હતી. એક પગમાંથી ચેતના જતી રહી હતી. નાચવા-કૂદવા અને ઝાંઝર પહેરીને રૂમઝૂમ, રૂમઝૂમ દોડાદોડી કરવાની ઉંમરે તે પથારીવશ થઇ ગઇ હતી. ઘણી દવા કરી, ઘણા ડોક્ટરને બતાવ્યું પણ કંઇ કારગત ન થયું. આખરે ઇશ્વરમાં શ્રદ્ધા અને...

parul-parmar111
 
 
danik bhaskar

૧૮મું બેઠું ને અપહરણ !Monday, January 4, 2010 15:49 [IST]

ગિરીશ ભાંગી પડ્યો. હવે મારી ગીતીને ક્યાં શોધું? ગીતીની વાત મળી ત્યારથી ગિરીશે પાણીનો ઘૂંટડો પણ ગળે ઉતાર્યો ન હતો. ગીતાના ઘર સામે દુકાન ધરાવતા મિત્રને ગિરીશે કહી રાખ્યું હતું કે, ગીતાના ઘરમાં શું થાય છે તેના ઉપર તું નજર રાખજે. પડોશીએ ગીતાના ઘરે જઇને ચાડી ફૂંકી દીધી કે તમારી દીકરી તો પેલા લોહાણાના દીકરા ગિરીશ સાથે ચાલુ છે. દરરોજ તમારા ઘરની બારીએથી બંને ચિઠ્ઠીની આપ-લે કરે છે. ઘ્યાન...

Girish-Kotecha-Gita-Kotecha111
 
 
danik bhaskar

અમેરિકાનું ગોવાFriday, January 1, 2010 15:28 [IST]

હોનોલૂલૂની પૂર્વ દિશાએ વાઈકીકી સમુદ્રતટ છે, જે સૌથી જાણીતો અને માનીતો છે. આમ તો વાઈકીકીને અલગ ટાપુ પણ ગણી શકાય. વાઈકીકીની એક તરફ દરિયો છે અને બીજી તરફ નહેર છે, જે એને હોનોલૂલૂથી અલગ પાડે છે. બાળકોને વાઈકીકીનું માછલીઘર અને હોનોલૂલૂનું અજાયબ ઘર ખાસ દેખાડવાં. હવાઈ સંસ્કૃતિનો પરિચય મેળવવા બિશપ સંગ્રહાલયની ખાસ મુલાકાત લેવી. પ્રાચીન અવશેષોનું અહીં સમૃદ્ધ કલેક્શન છે. હવાઈ મેરીટાઈમ...

honolulu11
 
 
danik bhaskar

આટલું બધું કઈ રીતે લખો છો?Tuesday, December 29, 2009 16:50 [IST]

કોકીલાબેન, ઢળતી વયે જ આવું બધું સૂઝે. ભૂલી ગયાં? મોરારજીભાઇ ઢળતી ઉમ્મરે શિવામ્બુનાં ઘૂંટડે ઘૂંટડે પ્રાઇમ મિનિસ્ટર થયેલા અને હમણાં જસવંત સિંહે ઢળતી વયે ઝીણાનો જયજયકાર કર્યો અને ભાજપમાં ભડકો કર્યો. મજા તો ઢળતી વયે જ આવે. ઘરડાં જ ગાડાં વાળે. જુવાનિયાઓ ગાડાં ઊંધાં કરે. તમને જાણીને આનંદ થશે કે મને આવાં બધાં પાછલી ઉમ્મરનાં પરાક્રમો કરવા માટે એકેય પાર્ટીએ ટિકિટ આપી નથી.

તમારો એક પણ...

elizabeth21
 
 
danik bhaskar

આર્થિક સહાય માટે અમીરી જરૂરી નથીSaturday, December 26, 2009 17:42 [IST]

એસએસસી પાસ કરી સર્ટિફિકેટ લઇ વકીલ બનવાની ઇચ્છા સાથે મુંબઇ આવેલા હરિહરન પહેલાં બોમ્બે હાઇ કોર્ટના જજના પર્સનલ સેક્રેટરી બન્યા અને ત્યાર પછી પોતાની મહેનત અને નિષ્ઠાના જોરે આજે છેલ્લાં તેંત્રીસ વર્ષથી હિંદુસ્તાન લીવરમાં છે અને રિટાયરમેન્ટ પછી પણ એ જ કંપનીમાં કન્સલટન્ટ તરીકે કાર્યરત છે.જીવનમાં એવો કયો વળાંક આવ્યો જેણે એમના જીવનની આખીને આખી દિશા બદલી નાખી? ૧૨ માર્ચ ૧૯૯૩માં...

Untitled-912
 
 
danik bhaskar

કર તું જ તારો ઇલાજ, તારા મન વડેWednesday, December 23, 2009 14:59 [IST]

હિપ્નોટિઝમ બીજું કશું નહીં, પણ શરીરને તદન ઢીલું છોડવાની પ્રક્રિયા છે. તમારા મન દ્વારા શરીરના દુ:ખતા ભાગને કહેવાનું છે કે મને કાંઇ નથી...હિપ્નોટિઝમ એવી કળા છે કે તમે પોતે પણ તમારા ઉપર વાપરી શકો છો. ચાર્લ્સ ડિકન્સ જેવા વિખ્યાત કલાકાર તેની વાસના સંતોષવા હિપ્નોટિઝમનો પ્રયોગ તેના મિત્રની પત્ની પર કરીને તેને પ્રેમમાં ફસાવતા. માઇકલ ફ્લેટર નામના લેખક તાજેતરમાં પ્રગટ થયેલા ‘ચાર્લ્સ...

Untitled-511
 
 
danik bhaskar

શબ્દોને ‘અંક’માં ફેરવવાનો પુરુષાર્થ રતિલાલ ચંદરયાTuesday, December 22, 2009 15:43 [IST]

૧૯૪૦માં રતિલાલે જુનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરીને સિનિયર કેમ્બ્રિજમાં પ્રવેશ મેળવ્યો, જે મેટ્રિકની સમકક્ષ ગણાતું. આ અરસામાં જ બીજું વિશ્વયુદ્ધ શરૂ થઇ જતાં સૌ કુટુંબકબીલા સહિત જામનગર પાછા આવી ગયા. રતિલાલે ભારત આવ્યા પછી અભ્યાસને મૂક્યો પડતો અને ઝંપલાવ્યું વ્યવસાયમાં. પોતાની સૂઝબૂઝ વડે તેમણે ધારી સફળતા મેળવવા માંડી. ગાંધીનો પ્રભાવ તેમના પર એટલો પડેલો કે ૧૯૪૩માં...

Untitled-22
 
 
danik bhaskar

અતિ હૂંફ તે વિનાશનું મૂળ!Monday, December 21, 2009 14:31 [IST]

સીધી સાદી વાત એ છે કે આપણે છેલ્લાં અઢીસો-ત્રણસો વર્ષથી આધુનિકતાના નામે વાતાવરણમાં કરોડો ટન કાર્બનડાયોક્સાઇડ ઠાલવ્યો છે એ ગ્લોબલવોર્મિંગ પેદા કરીને પૃથ્વીનું તાપમાન સતત વધારી રહ્યો છે. પરિણામે ગરમાગરમ ભજિયાં જેવી બની રહેલી પૃથ્વીના ધ્રુવ પ્રદેશો પરનો બરફ પીગળી રહ્યો છે અને જેને કારણે સમુદ્રસપાટી ઉપર આવી રહી છે. આથી, જમીન વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં લાખો લોકો બેઘર બનશે, જેના...
Untitled-221
 
 
danik bhaskar

પોતાને માટે જ નહીં, બીજાને માટે પણSaturday, December 19, 2009 16:07 [IST]

ભગવાન મહાવીર વ્યક્તિગત સાધના જેટલો જ ભાર સામૂહિક સાધના પર પણ મૂકતા હતા. એમણે દર્શનના આઠ આચાર કહ્યા છે, એમાં આઠમો આચાર છે સાધર્મિક વાત્સલ્ય. વ્યક્તિગત આસ્થાને ધર્મમાં સ્થિર કરવી અને જે લોકોમાં ધર્મ માટે શ્રદ્ધા નથી, જે લોકો જન્મજાત ધાર્મિક નથી, એમને કર્મથી ધાર્મિક બનાવવાના પ્રયાસ કરવા એ સાધર્મિક વાત્સલ્યનો આઘ્યાત્મિક પક્ષ છે. એનો સામાજિક પક્ષ છે - સાધર્મિક લોકો સાથે ભાઇચારાનો...
321
 
 
danik bhaskar

ઉધારનું અજવાળુંSaturday, December 19, 2009 10:33 [IST]

‘હું જાણું છું કે રસ્તો જોવા માટે તને ફાનસની જરૂર નથી,’ ફાનસ આપનારા મિત્રે કહ્યું અને ઉમેર્યું, ‘આ એટલા માટે છે કે બીજા રાહદારી સહેલાઇથી તને જોઇ શકે અને એ લોકો તારી સાથે અથડાતાં બચી શકે. આમ તું સહેલાઇથી ઘરે પહોંચી જઈશ.’ અંધ માણસ ફાનસ લઇને ઘર તરફ નીકળી પડ્યો. હજી એ થોડોક જ આગળ વઘ્યો હતો ત્યાં એક જણ આવીને એની સાથે અથડાયો. અંધે જોરથી ઘાંટો પાડ્યો, ‘અલ્યા જો તો ખરો.. કેમ આડેધડ ધસી...

Untitled-611
 
 
danik bhaskar

સંતાનો તરફ લંબાવો દોસ્તીનો હાથTuesday, December 15, 2009 18:05 [IST]

એ સમયે મારું મન કહેતું કે શૂટિંગ પર ન જાઉં અને પાછી ફરી જાઉં. મને જ નહીં મારાં બાળકોને પણ એવું થતું. બાળકો પણ પોતાનાં માતાપિતાથી દૂર રહેવા નથી ઇચ્છતાં. જોકે પછી ધીરે ધીરે તેઓ પણ સમજવા લાગે છે કે મારી મમ્મી કામ પર જઇ રહી છે અને એ જરૂરી છે. માતાપિતાએ કામકાજ અને તમામ વ્યસ્તતાઓ વચ્ચે પણ બાળકને ફાળવી શકાય એટલો સમય ચોક્કસ ફાળવવો જોઇએ. હું સમય નહોતી આપી શકતી, ત્યારે ઘણી વાર મારી દીકરીને મારી...

Untitled-42111
 
 
danik bhaskar

પાર્થિવ ગોહિલ : કર્મ કી ગતિ ન્યારી...Monday, December 14, 2009 13:13 [IST]

રિયાલિટી શોનો એટલો રાફડો ફાટ્યો છે કે સંગીતની વ્યાખ્યા પણ પહેલા જેવી નથી રહી કે પ્લેબેકમાં જો કોઇને કામ નહીં મળે તો બિચારાનું શું થશે? ફિલ્મો માટેના પ્રયત્ન મેં મોડા શરૂ કર્યા. સંજય લીલા ભણસાળીની ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મનું સંગીત સાંભળીને હું ઘણો પ્રભાવિત થયો અને ઇસ્માઇલ દરબારને મળવા ખાર દાંડા પહોંચી ગયો. થોડો સંઘર્ષ કરવો પડ્યો. છેવટે ‘દેવદાસ’ની બેકગ્રાઉન્ડ ગાયિકી...

parthivgohil1_310
 
 
danik bhaskar

ગરદનની યોગ-સારવારSaturday, December 12, 2009 17:42 [IST]

ઘણી શારીરિક સમસ્યાઓનું કારણ થાયરોઇડ ગ્રંથિ જણાય છે, કેમકે એમાંથી થતો સ્રાવ શરીરનાં અનેક તંત્રોનાં કામનું નિયંત્રણ કરે છે. થાયરોઇડ આપણાં મેટાબોલિઝમ (ચયાપચય) પર પણ પ્રભાવ પાડે છે. થાયરોઇડ માટે સૌથી વધુ અસરકારક આસન ર્વાંગાસન છે. નામ પ્રમાણે જ આ સર્વ અંગ પર પ્રભાવ પાડતું આસન છે. બધા અંગો પર થાયરોઇડનો પ્રભાવ છે અને આ આસનનો થાયરોઈડ પર પ્રભાવ છે. એ હિસાબે, ર્વાંગાસન એકદમ ઉચિત નામ...
Neckpaingirl_cropped[1]11
 
 
danik bhaskar

વિચારની ધારાને રોકવાની કળાFriday, December 11, 2009 14:08 [IST]

મનને શાંત કરવાની કોશિશ કરનારાની સામાન્ય ફરિયાદ રહે છે કે અસંખ્ય વિચારો આવે છે. વિચારો માખીઓની જેમ બણબણે છે. શું કરીએ? તમે પલાંઠી મારીને બેઠા નથી કે વિચારોનું આક્રમણ શરૂ થયું નથી. એ વખતે તમે વિચારોની અસર હેઠળ બરાબરના ફસાઇ જાઓ છો. એની સાથે વહી જાઓ છો, એટલે અતીશાનું બીજું સૂત્ર થોડું વધુ અઘરું અને સૂક્ષ્મ છે: વિચારોને એ વખતે જ પકડી લેવાના, જ્યારે તેઓ ઉત્પન્ન થઇ રહ્યા હોય. આવું કરી શકાય...
Untitled-21
 
 
danik bhaskar

સમી સાંજની ઉષ્માWednesday, December 09, 2009 12:32 [IST]

બે સીડી ચઢીને પ્રણય ધોળકિયાએ સ્ટોરનું નિરીક્ષણ કર્યું. થોડી અગરબત્તી લીધી અને બસમાં પાછા ફરીને પોતે જે જોયું એનું વર્ણન પત્ની પાસે કર્યું. જાણે ખુદની આંખે જોઇ લીધું હોય એવા હાવભાવ સાથે સરલાબહેને માથું હલાવ્યું. પછીના સ્ટોપ પર પણ આ જ વાતનું પુનરાવર્તન થયું. પ્રણયભાઇની ઉંમર પૂરા એકોતેર વર્ષ પણ સ્ફૂર્તિભેર બસમાંથી ઊતરે. ખાસ જોવા જેવું હોય અને પહોંચવામાં તકલીફ પડે એમ ન હોય તો...
 
 
danik bhaskar

ઝિંદગી ધૂપ, તુમ ઘના સાયાMonday, December 21, 2009 14:39 [IST]

નાનાં હોઇએ ત્યારે અણસમજમાં જ ઘર કે કુટુંબમાં મળતાં પ્રેમ કે ઉષ્માની ખાસ કદર નથી હોતી, પણ એક વાર ઘરથી દૂર થવાનું આવે અને મા-બાપ કે ભાઇ-બહેન વગર રહેવાની નોબત આવે ત્યારે શરૂશરૂમાં લૂંટાઇ ગયાની - નિરાધાર થઇ ગયાની જે લાગણી જન્મે છે તે કેટલી તીવ્ર હોય છે! ‘માસૂમ’ ફિલ્મમાં હીરો પોતાના નાનકડા દીકરાને હોસ્ટેલમાં મૂકવાનું નક્કી કરે છે ત્યાંથી લઇને તેને બોર્ડિંગમાં મૂકવા આવે છે ત્યાં...

Untitled-42111
 
 
danik bhaskar

જે છે તે ઘણું છેMonday, December 07, 2009 16:15 [IST]

એક માણસ ભરબપોરે રસ્તા પર ઉઘાડે પગે જઇ રહ્યો હતો. તપેલા ડામરથી તેના પગ બળતા હતા. તેને પોતાની દયા આવી. પોતાની આવી સ્થિતિ માટે તેણે ભગવાનને ભાંડવાનું શરૂ કર્યું: ‘મારી પાસે પહેરવા ચંપલ કે બૂટ નથી. તેં મારી સાથે આવું કેમ કર્યું?’ ભગવાન તો કશું બોલ્યા નહીં, કારણ કે તેમની જવાબ આપવાની રીત અલગ છે. ત્યાં તેણે સામેથી વ્હીલચેર આવતી જોઇ. તેમાં બેઠેલી વ્યક્તિના બંને પગ કપાઇ ગયા હતા. પેલાના મનમાં...
Untitled-511
 
 
danik bhaskar

માર્ગ એ જ મંઝિલMonday, December 07, 2009 14:55 [IST]

તો પણ સવાલ એ થાય કે જિંદગીભર, છેક મરીએ ત્યાં સુધી, ભણતર-કમાણી-આરોગ્ય-સંબંધ-ધર્મ-અઘ્યાત્મ... આ બધાંમાં સતત ઇન્વેસ્ટ જ કરવાનું હોય તો પછી રિટર્નનું શું? રિટર્ન ક્યારે મળે? મરીએ ત્યારે? કે મર્યા પછી? ધર્મો તો કહે જ છે કે આ જન્મે સારાં કર્મ કરો તો આવતા ભવમાં વળતર મળે. ચાલો, માની લઇએ કે ફળ આવતા ભવમાં મળે તો પણ, છેવટે તો આવતા ભવમાંય ખેલ તો ઇન્વેસ્ટમેન્ટનો જ આવીને ઊભો રહેવાનો. આવતા ભવમાં પણ એ જ...
Untitled-341
 
 
danik bhaskar

બેલુત્ફ ઝિંદગી કે કિસ્સે હૈં ફીકે ફીકેSunday, December 06, 2009 14:25 [IST]

બીમાર મીનાકુમારીએ હવે નિર્ધાર કરી લીધો હતો કે ‘પાકિઝા’ કોઇ પણ ભોગે પૂરી કરવી જ છે. તેને સમજાઇ ગયું હતું કે તેની પાસે હવે ઝાઝો સમય નથી. કથળેલી તબિયત વચ્ચે પણ મીના કુમારીએ પોતાના બનતા શ્રેષ્ઠ પ્રયત્ન કર્યા. આખરે ૪ ફેબ્રુઆરી, ૧૯૭૨ના રોજ ‘પાકીઝા’ રિલીઝ થઇ. તેના પ્રીમિયરમાં આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊમટી પડી. મીનાકુમારીએ આખી ફિલ્મ જોઇ. તેના ચહેરા પર સંતોષ છવાયેલો રહ્યો. ફિલ્મ પૂરી થઇ,...
Untitled-41
 
 
danik bhaskar

ફિટનેસ, ફૂડ અને ફેશન ફન્ડાSaturday, December 05, 2009 13:00 [IST]

રાની મુખર્જી અને શાહિદ કપૂર બન્ને ‘એ’ ગ્રેડનાં ફિલ્મસ્ટાર્સ છે અને શારીરિક ચુસ્તીસ્ફૂર્તિ, ખાણીપીણી તેમ જ વસ્ત્રોની બાબતમાં ખૂબ ચોક્કસ છે. ફિટનેસ, ફેશન અને ફૂડ વિશેના તેમના ફન્ડા જાણવા જેવા છે. રાનીએ ભૂમિકાઓ અનુસાર ફિલ્મોમાં પોતાનો હુન્નર પણ દેખાડ્યો. ‘હે રામ’ ફિલ્મમાં કમલ હસનની બંગાળી પત્નીની ભૂમિકા માટે એણે પોતાનું વજન વધાર્યું તો ‘હમ તુમ’, ‘ચલતે ચલતે’ અને ‘બ્લેક’ માટે વજન...
shahid_kapoor-5-650x700-2001
 
 
danik bhaskar

જાયન્ટ જાપાનીFriday, December 04, 2009 15:35 [IST]

છ ફૂટ ઊંચો આ માણસ જાપાની નથી લાગતો — ન દેખાવ કે કદથી, ન ગુણો કે વિશેષતાઓથી. આમ છતાં એ જાપાનના સૌથી લાડકા સર્જકોમાં એક ગણાય છે. આ સર્જકને આયુષ્યના કોઇપણ તબક્કે, કંઇપણ સહેલાઇથી મળ્યું નથી. સંજોગો અને મુશ્કેલીઓ સામે હારીને મોતને શરણે ગયા ત્યારે મૃત્યુએ પણ એમને નકારી કાઢ્યા. આખરે એક સમુરાઇ યોદ્ધાની જેમ એમણે સીંચી અને પાછા ઊઠીને ઊભા થયા, જગતને એ બતાવવા માટે કે સફળતા પ્રાપ્ત કરવા કરતાં...
4441
 
 
danik bhaskar

કાળી ડાયરી, લાલ ડાયરીFriday, December 04, 2009 14:59 [IST]

મલ્હારે સીધા જ બેડરૂમમાં જઇને સૂતેલા પીયૂષને હચમચાવીને જગાડ્યો અને તેની સામે ગઇકાલે મળી આવેલી માલાની લાલ ડાયરી ધરી દીધી. પીયૂષે પ્રશ્નાર્થભરી આંખોએ ડાયરી તો ખોલી પણ જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ તેની આંખો પણ આશ્ચર્યથી પહોળી થતી ગઇ. માલાનો મલ્હાર પ્રત્યેનો અનહદ પ્રેમ ઠાંસીઠાસીને ભર્યો હતો એ લાલ ડાયરીમાં. ડાયરીનું દરેક વાક્ય, દરેક શબ્દ જાણે માલાના મલ્હાર પ્રત્યેના પ્રેમનું...
Untitled-421
 
 
danik bhaskar

જિંદગીની સભરતાને બરકરાર રાખતા બ્રેક્સSaturday, November 28, 2009 17:17 [IST]

થોડા સમય પહેલાં એક અઠવાડિયા માટે પૂર્વ ભારતના કેટલાંક તીર્થસ્થાનોની ભૂમિ પર પગ મૂકવાની તક મળી. બિહારના નાલંદા જિલ્લામાં આવેલા રાજગીરી, પાવાપુરી, અને મૂળ બિહારમાંથી ટુકડો થઇને અલગ થયેલા રાજ્ય ઝારખંડમાં આવેલા પારસનાથ(સમેત શિખરજી) અને પેટરબારની એ મુલાકાત સ્થાવર અને જંગમ તીર્થોની ઊડતી મુલાકાત બની રહી. જૈન અને બૌદ્ધ ધર્મસ્થાનોની શાંત-સ્વચ્છ પૃષ્ઠભૂમિમાં દર્શન માટે રુટિન કરતાં...
canada-train-trip[1]1
 
 
danik bhaskar

જીવતીજાગતી શ્રેષ્ઠતાFriday, November 27, 2009 14:53 [IST]

તેઓ સંગીતમાં જ પૂરેપૂરું ઘ્યાન આપે તે માટે પિતાજીએ તેમને સ્કૂલમાંથી ઉઠાડી મૂક્યા! સત્તર વર્ષની ઉંમરે વધુ અભ્યાસ કરવા બીથોવન વિયેના ગયા પણ માની બીમારીને લીધે બોન પાછા આવી ગયા. ૧૭૯૨માં બાવીસ વર્ષની ઉંમરે તેઓ પાછા વિયેના ગયા અને આ વખતે તેમણે અન્ય મહારથીઓ પાસેથી તાલીમ પણ મેળવી અને ખુદનાં કમ્પોઝિશન્સ પણ બનાવ્યાં. બીથોવન સ્માર્ટ માણસ હતા. તેઓ જાણતા હતા કે પાવરફુલ લોકો સાથે દોસ્તી...

untitled311
 
 
danik bhaskar

ચહેરે પે ચહેરાWednesday, November 25, 2009 12:18 [IST]

મારું મોઢું એકદમ હૃતિક રોશન જેવું છે. મને ફિલ્મોમાં કામ મળે કે નહીં? - હૃતિક જેવું મોઢું હોવાથી શું વળે! શરીર ઉપર હૃતિક સાઇઝનાં ગઠ્ઠા પણ જોઇએ અને વાંકુંચૂંકું નાચતા પણ આવડવું જોઇએ. પછી તો ઓડિયન્સે નક્કી કરવાનું... ધારો કે કોઇ ટીવી ચેનલ ‘તારક મહેતા કા સ્વયંવર’ નામનો રિયાલિટી શો યોજવા માટે તમારો સંપર્ક કરે તો તમે કેવી શરતો મૂકો? - જે ઉમ્મરે જેવી શરતો મુકાતી હોય તેવી મુકાય. એ પાત્રે અમારી...
Untitled-41
 
 
danik bhaskar

શેર નહીં, છતાં શેરTuesday, Nov 24th, 2009, 1:52 [IST]

ધારો કે તમે એબીસી કંપનીના શેર વેચ્યા, જેની રકમ તમારા ખાતામાં બ્રોકર પાસે ક્રેડિટ થઇ. હવે પછી તમે નવા શેર એ બ્રોકર મારફત ખરીદવાના છો તો તમે એટલો સમય તમારી એ રકમનું લિક્વિડ બીઝમાં રોકાણ કરાવી શકો છો. તમારે બ્રોકરને પેમેન્ટ કરવાનું આવે ત્યારે એ લિક્વિડ બીઝ વેચીને નાણાં લઇ લે એવું તેને જણાવી શકો છો. વચ્ચેના સમયમાં લિક્વિડ બીઝ પર તમને જે વળતર મળ્યું હશે એ જમા થયું હશે. વળી, તમારે...

Untitled-4111
 
 
danik bhaskar

અનુભવ પ્રેમનો...Monday, November 23, 2009 14:23 [IST]

‘શ્રેયસ, શું થશે?’ આંસુની ભીનાશથી ભીંજાઇને ભારે થઇ ગયેલા અવાજમાં મોનાએ કહ્યું, ‘મને ડર લાગે છે. તારી સાથે હોઉં ત્યારે તારામાં ખોવાઇ જાઉ છું પણ જેવી જુદી પડું કે એક ડર મને ઘેરી વળે છે. શું થશે એ સવાલ આખી રાત તીરની જેમ ભોંકાતો રહે છે. રાત વધુ કાળી લાગે છે અને સવાર પણ જાણે ઝાંખી ઊગે છે. આનંદને કેમ સમજાવું કે હું તારી નથી. તેને કેમ કહેવું કે મને માફ કરી દે, મને મુક્ત કરી દે, એક પીંજરાનું...
Untitled-71
 
 
danik bhaskar

છોડી શકવાની ખુમારીSunday, November 22, 2009 14:21 [IST]

હું જો વ્યક્તિઓ અને વસ્તુઓના જીવનમાં આવવા તથા જવાના અનુભવને આદર અને ગરિમા સાથે જોઇશ તો હું હંમેશાં મારી જાત સાથે જોડાયેલી રહીશ. આ જ એક ખરું જોડાણ છે. જ્યારે તમે શાલીનતાથી કોઇ ચીજને જતી કરતાં શીખશો તથા કોઇ વ્યક્તિ કે ચીજને એમની સફર નક્કી કરવાની સ્વતંત્રતા આપશો તો તમે એમને ક્યારેય નહીં ગુમાવો. એ ચોક્કસપણે તમારી પાસે જ પાછી ફરશે. આ જ સદાચાર છે. હું સમજુ છું જોડાણ આંતરિક હોય છે, બાહ્ય...
tw14[1]1
 
 
danik bhaskar

ઘેરબેઠાં ખરીદી, ઘેરબેઠાં કમાણીSaturday, November 21, 2009 15:22 [IST]

૧૦ વર્ષ પહેલાં તેઓ એમવે વ્યાપારમાં જોડાયાં. આજે પટેલદંપતી પોતાનાં લગભગ તમામ સપનાં સાકાર કરી ચૂકેલું સંતોષી દંપતી છે. વધુમાં ભૂતકાળ પર નજર નાખતાં પારુલબહેન ગૌરવ સાથે કહે છે, ‘મને યાદ આવે છે કે અજાણ્યા સાથે બે અક્ષર વાત કરવી પણ મારે માટે બહુ અઘરી પરીક્ષા હતી અને આજે હું પૂરા વિશ્વાસ સાથે ૧,૦૦૦ થી મોટા સમુદાયને સંબોધી શકું છું, એમવે વ્યાપારની વાત કરી શકું છું, આ ઉત્પાદનોનું નિદર્શન...
Untitled-31
 
 
danik bhaskar

સાઠ સેકન્ડમાં સુખFriday, November 20, 2009 14:41 [IST]

પણ આ ઘ્યાન છે શું? આ એક એવી મનોદશા છે, જેમાં તમે પૂરેપૂરા પોતાનામાં ખોવાઇ જાવ છો, પાણીમાં જેમ પતાસું ઓગળી જાય તેમ. બહારની કોઇ પણ ઉત્તેજના માટે તમે તમારી ઇન્દ્રિયોનાં દ્વાર બંધ કરી દો અને તમારી અંદર-પોતાની સાથે જ રહો. નિશ્વિંત અને શાંત બનીને. જે પણ અંદર ભેગું થયું છે એના ઘ્યાનની આ ઘડીઓમાં મંથન થાય છે. માખણ નીકળે છે, છાશ અલગ કરાય છે. ઘ્યાન બમણી કામગીરી બજાવે છે. સાર્થક છે એને સાચવે છે અને...
Untitled-11
 
 
danik bhaskar

કુંદનિકા, બક્ષી, હેમિંગ્વે અને ગિલ્ટThursday, Nov 19th, 2009, 11:44 [IST]

સાવ સાધારણ માર્ક્સ સાથે પાસ થયેલો એ છોકરો એન્જિનિયરિંગની ઊંચી શાખામાં સહેલાઇથી એડમિશન મેળવી લે છે. આ બ્રાંચ અને આ કોલેજ તેની ઓરિજિનલ તેજસ્વિતા સાથે બરાબર મેચ થાય છે અને છોકરાએ પણ માની લીધું છે કે હું કોલેજમાં જતાંવેંત મારા મૂળ ફોર્મમાં આવી જઇશ. કમનસીબે આવું બનતું નથી. છોકરાની આસપાસ જબરદસ્ત મહેનત કરીને ખૂબ ઊંચી ટકાવારી સાથે એડમિશન મેળવનારા સ્ટુડન્ટ્સની જમઘટ છે. આ ‘નાલાયક’...

Untitled-211
 
 
danik bhaskar

‘દરેક એક્ટરને ફિલ્મમાં કામ કરવું જ હોય છે...’Tuesday, November 17, 2009 12:48 [IST]

‘ચાણક્ય’, ‘ગાંધી વિરુદ્ધ ગાંધી’ અને ‘રંગીલો’ જેવાં યાદગાર નાટકો તેમ જ ‘ગુરુ’ જેવી કેટલીય ફિલ્મોમાં ઉત્તમ અભિનય કરનાર તેજસ્વી અદાકાર મનોજ જોશી હવે સરદાર પટેલને મંચ પર લાવવા માગે છે. તેઓ જણાવે છે 'મારું વર્ષોનું સપનું છે — સરદાર પટેલના જીવન પરથી નાટક. બસ એની જ વેતરણમાં છું. એક સારા મનોરંજનાત્મક નાટક વિશે પણ વિચારી રહ્યો છું.' એક અભિનેતા તરીકે તેમને રંગભૂમિ, ટેલીવિઝન અને સિનેમા...
IMG_7449[1]1
 
 
danik bhaskar

સહજતા એ જ શ્રેષ્ઠતાMonday, November 16, 2009 12:40 [IST]

‘મારી આ વાત પ્લીઝ સ્વીકારશો? માનવીમાત્ર એક વિચાર કરનારું સાંઠીકડા જેવું પ્રાણી છે, પરંતુ એ દૂબળો માનવ ત્યારે જ મહાન બને છે જ્યારે તે ગણતરીબાજ હોતો નથી, અને માત્ર વિચાર્યા કરતો નથી. માણસમાં બાલસહજ સ્વભાવ હોવો જોઇએ. બાળક જેવો સ્વભાવ આપણે મોટાપણામાં ગુમાવી બેસીએ છીએ. એટલે મહાન બનવાને બદલે તમે પાછા બાળક જેવા બનવાની તાલીમ કે રિહર્સલ કરો તો જ બાળક બનીને જિંદગીની મોજ લઇ શકો છો. માનવ...
kanti51
 
 
danik bhaskar

પલટૂ વાણિયો: રામનો મોદીSunday, November 15, 2009 17:10 [IST]

તેઓ નંગા જલાલપુરના નિવાસી હતા પરંતુ તેઓ એવા રામભક્ત થઇ ગયા કે ત્યાં રહેતાં રહેતાં જ અયોઘ્યા-નિવાસી થઇ ગયા. આ કોઇ ભૌગોલિક અયોઘ્યા નહોતી - આ ચેતનાની, ભાવનાની અયોઘ્યા હતી. અયોઘ્યાનો મૂળ અર્થ પણ એ જ છે ને કે જ્યાં કોઇ યુદ્ધ ન થતું હોય... પરંતુ આજના ભારતની વિડંબના જુઓ કે અયોઘ્યાના નામે થોડા થોડા સમયે કેટલાં તોફાનો, કેટલાં રમખાણો થયાં કરે છે!સંત આવી અયોઘ્યાથી દૂર રહે છે, તેઓ પોતાની ભીતર...
LordRam_[1]1
 
 
danik bhaskar

વર્ષો નહીં, જીવન જીવોSaturday, November 14, 2009 13:13 [IST]

કોને કેટલું આયુષ્ય મળ્યું એ વાતનું મૂલ્ય નથી, મૂલ્ય એ વાતનું છે કે કોણ કેટલું ઊંડું ઊતરીને જીવ્યું. થોડા દિવસ પહેલા જ એક વડીલ મારી પાસે બેઠેલા. તેઓ ૯૮ વર્ષના હતા. બધા લોકો એમના દીઘાર્યુના વખાણ કરતા હતા. મને પણ એમની ઉમ્મરની જાણકારી અપાઇ ત્યારે મેં એમને એ બદલ અભિનંદન તો આપ્યાં, પરંતુ મારા મનમાં એ ભાવ જાગ્યો કે શું કોઇ માણસને ૯૮ વર્ષનું આયુષ્ય મળવા માત્રથી એ ૯૮ વર્ષ જીવી ચૂક્યો છે એમ...
Untitled-61
 
 
danik bhaskar

છેલ્લા શ્વાસ સુધી...Friday, November 13, 2009 18:34 [IST]

સ્ટ્રોકનાં ત્રણ અઠવાડિયાં પછી ડોમિનક જાગ્યો. તે પોતાની પથારીમાં લોક થઇ ગયો હતો. પહેલાં તો તે દુ:ખી થયો, પરંતુ તેણે નક્કી કર્યું કે છેલ્લા શ્વાસ સુધી કશું કરવું છે. તે ફક્ત ડાબી આંખના પોપચા પર કાબૂ ધરાવતો હતો.પથારીમાં પડ્યાપડ્યા તે મિત્રોને મળતો. મિત્રો તેની આંખ સામે આલ્ફાબેટ મૂકે. તે ડાબી આંખના ઇશારે ધીમે ધીમે એક પછી એક અક્ષર પસંદ કરે. તેમાંથી એક શબ્દ બને. એવા થોડા શબ્દોમાંથી એક...
Untitled-231
 
 
danik bhaskar

વેબસાઇટની વેગળી દુનિયાFriday, November 13, 2009 13:02 [IST]

આજ સે ગ્યારહ સાલ પહલે કી બાત હૈ. અમેરિકાના એક જેકી ચાનના ફેન-નામે સેન ડુઓંગને એવો વિચાર આવ્યો કે જેકીની બધી જ ફિલ્મોના મસ્ત મસ્ત રિવ્યુઝ એકઠા કરીને એક સાઇટ પર મૂકવા જોઇએ. આદરેલું આ સત્કાર્ય એણે ‘rottentomatoes.com’નામે સાઇટ બનાવીને પૂરું કર્યું પરંતુ આ સત્કાર્યની સુવાસ એટલી બધી ફેલાઇ કે યાહૂ, નેટસ્કેપ જેવા ઇન્ટરનેટના અને યુએસએ ટુડે જેવા પ્રિન્ટના પોપ્યુલર ઠેકાણાઓએ એની નોંધ લીધી અને આ...
Untitled-21
 
 
danik bhaskar

કોઇ કદર નથી કરતું?Wednesday, November 11, 2009 17:00 [IST]

માણસને એવી અપેક્ષા તો રહેવાની જ કે હું જે કંઇ કરું છું એનું મને ફળ મળે, એની કદર થાય, મારો પગાર વધે... આ બધું સહજ છે, છતાં થોડું મૂર્ખામીપૂર્ણ પણ છે. આમાં મૂર્ખામી એ છે કે બીજા લોકો આપણી કદર કરી શકે એટલા સમજદાર, ઉદાર, સંવેદનશીલ ન હોય તો એમાં આપણો શો વાંક? કોઇ વાંક નહીં, છતાં દુ:ખી કોણ થાય? આપણે થઇએ. નાઉ ધેટ ઇઝ ફૂલિશનેસ. માટે, લોકો કદર કરે તો બહુ સારું અને ન કરે તો ઇસુ ખ્રિસ્તની જેમ જાતને કહેવું -...

Untitled-1311
 
 
danik bhaskar

શ્રેષ્ઠતાના ૧૦ નિયમોWednesday, November 11, 2009 14:35 [IST]

સંતોની કથાઓ, સૂફીઓના કિસ્સા કે તપસ્વીઓની સાધનાનાં ઉદાહરણો એટલે અપાય છે કે જેથી લોકો ત્યાગનો અર્થ સમજે. આ એક રસપ્રદ વાત છે કે સમૃદ્ધિ અને સફળતાને જ સુખનું સૌથી મોટું કારણ કહેવાયું છે. એને માટે આત્મશક્તિના ઉપાય શિખવાડનારાઓની અછત નથી પણ વસ્તુને છોડવી એનાથી પણ મોટો ગુણ મનાય છે. એની પાછળ શ્રેષ્ઠતાનો આધાર છે જે સૂચવે છે કે આપણે આ દુનિયામાં આવવાનું છે, મળેલા ઉદ્દેશ પૂરા કરવાના છે અને...
Untitled-121
 
 
danik bhaskar

સૌંદર્યનો રોમાંચTuesday, November 10, 2009 18:34 [IST]

આ ટાપુ મુખ્ય ધોધથી ઘણો નજીક છે. અહીં નદી હોર્સ શૂ રેપિડ પણ કહેવાય છે, જે અમેરિકા તરફ ધોધ બનીને પડે છે. ઓબ્ઝર્વેશન ટાવરની લિફ્ટમાં તમે નદીના વિશાળ-સ્થિર વિસ્તાર સુધી પણ પહોંચી શકો છો. અહીંથી તમે ‘મેઇડ ઓફ ધ મિસ્ટ’ નામની નૌકામાં સવાર થઇ નૌકાવિહારનો અત્યંત પ્રફુલ્લકર અનુભવ લઇ શકો છો. આ નૌકામાં ફરતાં તમે નાયગરા ધોધનો રોમાંચ એની ખૂબ નજીકથી અનુભવી શકો છો. વધુ કમાલનો અનુભવ લેવો હોય તો...
Niagara-Falls-Flow[1]1
 
 
danik bhaskar

ભેટTuesday, November 10, 2009 14:17 [IST]

શ્રેષ્ઠતા એટલે દરેક કામમાં બધી રીતે, બધા રસ્તે, પોતાનું સર્વશ્રેષ્ઠ આપવું, પછી ભલે દરેક કામમાં પૂર્ણતા મેળવવા વધુ મહેનત કેમ ન કરવી પડે. વૈજ્ઞાનિક શોધોનો મુખ્ય નિષ્કર્ષ એ જ નીકળે છે કે કામ કર્યા વગર કોઇપણ મહાન કે શ્રેષ્ઠ નથી બનતું. તમારી પાસે જન્મજાત પ્રતિભા જે ક્ષેત્રમાં છે એ જ ક્ષેત્ર જો તમને મળી જાય તો પહેલા જ દિવસથી તમે શ્રેષ્ઠ હશો, એવું વિચારવામાં સારું લાગે છે, પરંતુ આવું...
Untitled-11
 
 
danik bhaskar

આનંદMonday, November 09, 2009 13:20 [IST]

કન્ફ્યૂશિયસે અઢી હજાર વર્ષ પહેલાં આપેલા વિચારો બીજાં ઘણાં પ્રાચીન દર્શનોના મુકાબલે આનંદિત અને શ્રેષ્ઠ જીવન તરફ લઇ જવામાં વધુ અસરકારક છે. કન્ફ્યૂશિયસનું કહેવું હતું કે જે પરિવર્તનશીલ છે, એ જ હંમેશાં ખુશ રહી શકે છે. આ જ વાત આધુનિક સંશોધન પણ કહે છે કે આપણે કોઇ પણ બાબતથી જલદી ટેવાઇ જઇએ છીએ અને એ આપણને વધુ લાંબો સમય સુધી ઉત્તેજિત કે પ્રસન્ન નથી રાખી શકતાં. એટલે પરિવર્તન જ સતત...

Untitled-1111
 
 
danik bhaskar

ગાયકીની બડી બેગમ શમશાદSunday, November 08, 2009 16:06 [IST]

ભારતીય સિનેમામાં ગીત-સંગીતનું મહત્વ શરૂઆતથી જ ચાલ્યું આવે છે. પાર્શ્વગાયન (પ્લેબેક સિંગિંગ) શરૂ થયાં પહેલા ફિલ્મનાં નાયક-નાયિકા અને બીજા કળાકારો પોતાનાં ગીતો પોતે જ ગાતાં હતાં. કુંદનલાલ સાયગલ, નૂરજહાં, સુરૈયા જેવાં કેટલાક લોકોનો અભિનયની સાથે સાથે ગાયકી પર પણ મજાનો કાબૂ હતો. એમની સાથે પાર્શ્વગાયક-ગાયિકાઓની પહેલી પેઢીએ હિન્દી સિનેમામાં ગાયકીનો નવો દોર શરૂ કર્યો. પહેલી જ...
Untitled-41
 
 
danik bhaskar

વિશ્વાસSaturday, November 07, 2009 17:32 [IST]

‘તમારી પાસે આશા હશે તો જિંદગીમાં એ તમામ લક્ષ્યો દેખાશે જેને તમે પૂરાં કરી શકો એમ છો. બની શકે કે જીવનમાં ખરાબ સમય પણ આવે, જેને કારણે તમારે લક્ષ્યો અડધેથી છોડવાં પણ પડે, છતાં આશાનું આછું કિરણ પણ બચ્યું હોય અને તમે જો ક્ષમતા ધરાવતા હો તો એ તમને તમારાં લક્ષ્યો પાર પાડવામાંથી પીછેહઠ નહીં કરવા દે અને આખરે એક ઉત્તમ પરિણામ મળશે. જેમની પાસે આશા નથી એમનાં પણ ઘણાં સપનાં અને લક્ષ્ય હોય છે પણ...

Untitled-61111
 
 
danik bhaskar

લોકકલાના આરાધક હકુ શાહSaturday, November 07, 2009 13:22 [IST]

ગાંધીપ્રેમી ચિત્રકારના જીવનપટના રંગોની ઝલક



‘ભારતીયોમાં અત્યારે કઇ ચીજનો અભાવ વર્તાય છે? ‘કેરેક્ટર’નો. ચાહે વ્યક્તિ હોય કે વસ્તુ, તેણે પોતાનું કેરેક્ટર ગુમાવી દીધું છે. કેરેક્ટર એટલે સ્થૂળ અર્થમાં ચરિત્ર કહીએ છીએ તે નહીં, પણ વ્યક્તિ કે વસ્તુની લાક્ષણિકતા, સ્વઓળખ, આપા ચિન્હા.’



દેશવિદેશના લોકોને ભારતીય પારંપરિક કળાઓનો પરિચય કરાવનાર ભારતીય લોકકળાવિદ્, અવ્વલ...

Untitled-211
 
 
danik bhaskar

સ્ત્રીની વ્યાખ્યા, પુરુષની વ્યાખ્યાFriday, November 06, 2009 18:18 [IST]

જ્યારે વેદના એક સાહચર્ય બને છે, જ્યારે યંત્રણા એક સહાનુભૂતિ બને છે, જ્યારે વિષાદ એક સાઝેદારી બને છે ત્યારે જે પ્રકટે છે, જે ટપકે છે એ પ્રેમ છે.



મિખેઇલ ગોર્બાચેવની પત્ની રાઇસા ગોર્બાચેવે આત્મકથા લખી છે: આઇ હોપ (હું આશા રાખું છું), અને એ સ્મરણકથામાં પત્નીના પતિ માટેના પ્રેમ વિષે રશિયન કવયિત્રી નતાલિયા ક્રાન્દિએસ્કાયાની એક કવિતા ટાંકી છે:



એ લોકો આકાશને બ્લુ કહે છે / એ લોકો...

Untitled-3211
 
 
danik bhaskar

મને મરી જવાનું મન થાય છે...Friday, November 06, 2009 11:29 [IST]

મને બાઇક ચલાવવાનો ડર લાગે છે. હંમેશાં મને એ વાતનો ડર રહે છે કે હું બાઇક ચલાવતા પડી ગયો તો લોકો કહેશે કે ૧૯ વર્ષનો થયો તોય બાઇક નથી ચલાવી શકતો. મારી ઉંમરના છોકરા બહુ સહેલાઇથી બાઇક ચલાવતા હોવાનું મને બધા કહેતા હોય છે, પણ દુર્ભાગ્યે હું એવું નથી કરી શકતો. સૌનાં મહેણાં-ટોણાથી બચવા મેં લોકો વચ્ચે જવાનું છોડી દીધું છે. મારો આત્મવિશ્વાસ હલી ગયો છે. હું શું કરું? - કુણાલ મહેશ્વરી, અમદાવાદ
....

Untitled-1211
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB