નવસારીની ઐતિહાસિક શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા છેલ્લા ૧૫ વરસથી બાળકોમાં પુસ્તક વાંચનની ટેવ પડે તથા તેઓમાં વાચન-સંસ્કરણનું આરોપણ કરવા વિવિધ નવતર કાર્યક્રમો પ્રતિવર્ષ હાથ ધરાય છે. આ વર્ષે સ્વામી વિવેકાનંદ સાર્ધ શતાબ્દી નિમિત્તે વિચાર વાચન શિબિર ®úંખલાનું આયોજન કરાયું છે.
સયાજી પુસ્તકાલયના પ્રમુખ મહાદેવભાઈ દેસાઈ માહિતી આપતા જણાવે છે કે આ ®úંખલા અંતર્ગત વર્ષભર ૫૦૦ જેટલી વિચાર વાચન શિબિરો દ્વારા જિલ્લાના ૨૫ હજાર બાળકોને પુસ્તકાભિમુખ...
બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રીના દિવસે રાત્રે ઘીના કમળના દર્શન કરવા લોકોની ભારે ભીડ થઈ હતી. દિવસ દરમિયાન પણ ભકતોની દર્શન માટે ભારે ભીડ હતી. રાત્રે બાર વાગ્યે ઘીના કમળના દર્શન કરવા ખુલ્લા મુકવામાં આવ્યા હતા . ઘીના કમળના ૨૪મી ફેબ્રુઆરી શુક્રવાર સાંજ સુધી દર્શન કરી શકાશે.
માર્ચ ૨૦૧૨માં લેવાનાર ધો. ૧૦ એસએસસી બોર્ડની પરીક્ષાની વિદ્યાર્થીઓની પ્રવેશિકાનું વિતરણ ૨૪મી ફેબ્રુઆરીને શુક્રવારના રોજ ૧૦થી ૪ વાગ્યા દરમિયાન જિલ્લા વિતરણ કેન્દ્ર બનાતવાલા હાઈસ્કૂલ નવસારી ખાતેથી થશે. દરેક શાળાઓને પોતાનું સાહિત્ય આ દિવસે અને સમય દરમિયાન લઈ જવા જણાવાયું છે.
સવારે સાડા દસેક વાગ્યાન સુમારે બીલીમોરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ ઉપરથી મુંબઈથી વડોદરા તરફ કોનરાજ ગુડઝ ટ્રેન પસાર થઈ રહી હતી તે સમયે એલસી ગેટ નં. ૧૦૮ નજીક એક અજાણ્યો યુવાન (ઉ.વ. ૨૨) રેલવે ટ્રેક ક્રોસ કરતા ટ્રેન અડફેટે આવી જતા તેનું મોત નપિજયું હતું. મૃત્યુ પામનાર યુવાનનું પીએમ કરી એક દિવસ મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકયો છે. આ મરનાર યુવાન...