Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Divya Bhaskar

દલિત, પછાત મહિલાઓ સંસદમાં જશેWednesday, March 10, 2010 02:40 [IST]

women-Reservation_121
મહિલા અનામત વિધેયક હેઠળ લઘુમતી, દલિત અને પછાતવર્ગની મહિલાઓ માટે અલગ અનામતની માગણી કરાઈ રહી છે. ભાસ્કરે લોકસભાના આંકડા મારફતે આ વર્ગના પ્રતિનિધિત્વ અંગેની હકીકત જાણી : ૧૦મી લોકસભામાં ૪૨ મહિલાઓ (સાંસદોની કુલ સંખ્યાના ૭.૫ ટકા) પહોંચી. જેમાં ૬ અનુસૂચિત જાતિ, ૬ અનુસૂચિત જનજાતિ અને ૩ પછાતવર્ગની હતી. એટલે કે મહિલા સાંસદોમાંથી ૩૬ ટકા પ્રતિનિધિત્વ વંચિતવર્ગનું હતું. ૧૯૯૬માં ૧૧મી...
 
 
Divya Bhaskar

‘હું કૃષ્ણ અને બાકી બધી મારી ગોપીઓ’Sunday, March 07, 2010 00:00 [IST]

swami1
સીડી પ્રકરણમાં ફસાયેલા સ્વામી નિત્યાનંદ પોતાની જાતને ભગવાન કૃષ્ણનો અવતાર અને સુંદર મહિલા ભક્તોને પોતાની ગોપીઓ બતાવીને તેમની સાથે ખોટાં વ્યવહાર કરતો હતો. તેના ભૂતપૂર્વ ભક્તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં આ આરોપ લગાવ્યો છે. ચેન્નઈ પોલીસે શનિવારે સલેમ જિલ્લાના નિત્યા ધર્માનંદ ઉર્ફ કે લેનિનની ફરિયાદ પર નિત્યાંનદની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. લેનિને ચેન્નઈના પોલીસ કમિશ્નરને એક...
 
 
danik bhaskar

“પેઇડ ન્યૂઝ ગંભીર મુદ્દો”Friday, March 5, 2010 17:05 [IST]

નાગરિકોનો સાચી અને બિનપૂર્વગ્રહયુક્ત માહિતી મેળવવાના અધિકારની રક્ષા થવી જોઇએ તેમ જણાવીને સરકારે આજે પેઇડ ન્યૂઝને એક ભયાનક બાબત ગણાવી હતી.



આ અંગે બોલતા માહિતી અને પ્રસારણ મંત્રી અંબિકા સોનીએ રાજ્ય સભામાં કહ્યું હતું કે દેશમાં પેઇડ ન્યૂઝનું પ્રસારણ થતું હોવાના મજબુત પુરાવા પણ સરકારની પાસે છે. તેમણે ઉમેર્યું હતું કે પેઇડ ન્યૂઝ ચિંતાજનક બાબત છે અને તે મુક્ત પત્રકારિતાને...

The-Paid-News-of-India[1]211
 
 
danik bhaskar

“નૌકાદળમાં મહિલાઓને લાયક જહાજ નથી”Thursday, March 4, 2010 16:19 [IST]

નૌકાદળના હાલના યુદ્ધ જહાજો પર એટલા માટે મહિલાઓને તૈનાત નથી કરી શકાતી કારણ કે તે તેમના માટે અનુકૂળ નથી, પરંતુ હવે નૌકાદળ મહિલાઓની ભાગીદારી વધારવાના પૂરતા પ્રયત્નો કરી રહ્યું છે. નૌકાદળના પ્રમુખ એડમિરલ નિર્મલ વર્માએ બુધવારે ભાસ્કર ડોટ કોમના સંવાદદાતા ઉપમિતા વાજપાઈ સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આવ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે દરિયાઈ...

admiral_nirmal_varma111
 
 
danik bhaskar

ઓરિસ્સાના બીચ પર ઉમટ્યા નવા મહેમાનWednesday, March 3, 2010 20:11 [IST]

ઓરિસ્સાના કેન્દ્રાપાર જિલ્લામાંના કુદરતનો એક ચમત્કાર ગણી શકાય ગહિરમથા મરિન અભ્યારણ્યમાં આશરે 1.8 લાખ જેટલા માદા ઓલિવ રીડલી કાચબા ઇંડા મુકવા માટે આવી પહોંચ્યા છે.

રાજનગર વાઇલ્ડ લાઇફના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર પ્રસન્ના કુમાર બેહરાએ જણાવ્યું હતું કે, કાચબાઓ મોટી સંખ્યામાં ઇંડા મુકવા આવવાના હોઇ નાસી-2 ટાપુ પર ચાલી રહેલા ડિફેન્સ રિસર્ચ પ્રોગ્રામને પણ 24 ફેબ્રુઆરીથી અટકાવાઇ...

kachbo11
 
 
danik bhaskar

કંદહાર વિમાન અપહરણનો ષડયંત્રકાર ઝડપાયોWednesday, March 03, 2010 00:50 [IST]

૧૯૯૯માં કંદહાર વિમાન અપહરણનું કાવતરું ઘડનાર મુખ્ય સૂત્રધાર ત્રાસવાદી બિલાલ સહિત તેના ચાર સાગરીતોને સોમવારે બાંગ્લાદેશમાંથી ઝડપી લેવાયા હતા. ભારત સરકારે જણાવ્યું હતું કે જૈશ-એ-મહંમદના ત્રાસવાદી બિલાલને ભારત લાવવા માટે બાંગ્લાદેશ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. વિદેશમંત્રી એસ.એમ.કષ્ણાએ જણાવ્યું હતું કે વિમાન અપહરણ મામલે તેની શોધ ચાલી રહી છે તેની જ ધરપકડ કરવામાં આવી હશે તો તેના...
kandhar1
 
 
danik bhaskar

રૂ. ના નિશાનનું ગુજરાતી કનેકશન ?Saturday, February 27, 2010 14:40 [IST]

ગઇકાલે નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ તેમના બજેટ પ્રવચનમાં જણાવ્યું હતુંકે, ભારતના રૂપિયાને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા માટે અને તેને મજબુતી પ્રદાન કરવાના હેતુથી ડોલર, યેન, પાઉન્ડ અને યુરોની તર્જ ઉપર ભારતના રૂપિયાનું નિશાન જાહેર કરવામાં આવશે. આ માટે નાણા મંત્રાલય દ્વારા ગતવર્ષે અરજીઓ મંગાવવામાં આવી હતી. અંતિમ ડિઝાઇન પસંદ કરવાની સતા આઠ સભ્યોની એક સમિતનિને એનાયત કરવામાં આવી છે. જેને...
symbol1
 
 
danik bhaskar

મહિલા અનામતનો ખરડો આજે કેબિનેટમાંThursday, February 25, 2010 12:45 [IST]

કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે મહિલા અનામતના ખરડા પર ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. એવા પણ અણસાર છેકે, કેબિનેટ તેને મંજૂરી આપી દેશે. આ ખરડો વર્ષ 2008માં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને હાલ વિચારણાધિન છે. વર્ષ 1996માં એચ. ડી. દેવગૌડાની સરકાર દ્વારા તેને સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 1999માં કાયદાપ્રધાન રામ જેઠમલાનીએ સંસદમાં મહિલા અનામત ખરડા પર ચર્ચા કરી રહ્યા હતા...
women-reservation1
 
 
danik bhaskar

કિસની ક્લિપ ફરતી થતા પ્રેમીઓનો આપઘાતWednesday, February 24, 2010 02:03 [IST]

ઘણી વખત પ્રેમીઓ સંયમ નથી રાખતા અને ખાનગીમાં કરવા જેવી બાબતો જાહેરમાં કરવા લાગી જાય છે. જેના કારણે તેમણે ભારે નુકશાન વેઠવું પડે છે. આવી જ એક ઘટના કન્નુરમાં બની છે.

18 વર્ષીય યુવતિએ ઇન્ટરનેટ પર તેની અને તેના સહપાઠીની કિસની વીડિયો વહેતી થતા તેણે આપઘાત કરી લીધો હતો.

પોલીસ સુત્રોના કહેવા પ્રમાણે યુવતિ અઢાર વર્ષની છે અને તેણે 27 વર્ષીય કથિત પ્રેમી સાથે આપઘાત કરી લીધો છે. બંનેએ એક...

kiss111
 
 
danik bhaskar

ચીને અમેરિકાના રાજદુતને બોલાવી ખખડાવ્યાFriday, February 19, 2010 18:41 [IST]

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને બૌદ્ધ ધર્મગુરૂ દલાઇ લામા વચ્ચે થયેલી મુલાકાતને ચીને ગંભીરતાથી લીધી છે. ચીનના નાયબ વિદેશમંત્રી કી તિયાનકાઇએ ચીન ખાતે અમેરિકાના રાજદુત જોન હંટ્સમેનને બોલાવીને ઓબામા અને દલાઇ લામા વચ્ચેની મુલાકાત પ્રત્યે નારઝગી પ્રગટ કરી હતી. ચીનના કહેવા પ્રમાણે અમેરિકાનો આ પ્રયાસ ચીનની આંતરિક બાબતમાં દાખલ સમાન છે. જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોને...
america1
 
 
danik bhaskar

નૌકાદળમાં ઔપચારિક રીતે સામેલ થયા મિગ-29 KFriday, February 19, 2010 14:25 [IST]

ભારતીય નૌકાદળમાં રશિયાની બનાવટના મીગ – 29કે પ્રકારના ફાઇટર વિમાનોને સમાવવામાં આવ્યા છે. આ સમય દરમિયાન સંરક્ષણપ્રધાન એ. કે. એન્ટોની હાજર હતા. ગત 4 ડિસેમ્બરથી ભારતમાં આવી ગયેલા આ વિમાનોને આજે ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નૌકાદળના વડા એડમિરલ નિર્મલ વર્મા પણ હાજર હતા. સુત્રોના કહેવા પ્રમાણે જ્યાં સુધી વિમાનવાહક જહાજ વિક્રમાદિત્ય તૈયાર ન થઇ જાય ત્યાં સુધી તેને...
black-panther1
 
 
danik bhaskar

હે પ્રભુ ! તેમને માફ ન કરતો !!Thursday, February 18, 2010 19:01 [IST]

દિલ્હી સ્થિત એક પ્રકાશકના કેટલાક પુસ્તકોમાં ભગવાન ઇસુ ખ્રિસ્તને એક હાથમાં સિગારેટ અને એક હાથમાં બિયરનું કેન ધારણ કરેલા દર્શાવવામાં આવ્યા છે. જે બદલ વહિવટી તંત્રે કાર્યવાહી હાથ ધરી છે.



મળતી માહિતી પ્રમાણે અહીંની સેન્ટ જોસેફ સેકન્ડરી સ્કૂલના ધોરણ 1 થી 5 ના પુસ્તકોમાં ઇસુ ખ્રિસ્તની તસ્વીરો પ્રકાશીત કરવામાં આવી છે. પોલીસે એફઆઇઆર નોંધીને દિલ્હી સ્થિત પ્રકાશનગૃહ સ્કાઇલાઇન...

jesus11
 
 
danik bhaskar

બદલાય જશે નેશનલ હાઇવે – 8 નો નંબરThursday, February 18, 2010 12:46 [IST]

નેશનલ હાઇવે ઓથોરિટિઝ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નંબરોની આ ફાળવણી કરવામાં આવશે. જે મુજબ મુંબઇ અને નવીદિલ્હીને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠનો નંબર આઠથી બદલીને 48 કરવામાં આવશે. સુત્રોની માનીએ તો રાજકોટ અને બીજા નેશનલ હાઇવેના એક્સટેન્શનને પણ નેશનલ હાઇવે -48 હેઠળ જ આવરી લેવાશે. ઉપરાંત ગુજરાતને આસામ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગને નંબર -27 તરીકે...
nhai1
 
 
danik bhaskar

પાક. સાથે વાતચીત છે વાટાઘાટો નહીં - ક્રિષ્નાWednesday, February 17, 2010 18:29 [IST]

ભારતના વિદેશપ્રધાન એસ. એમ. ક્રિષ્નાએ આજે સ્પષ્ટતા કરી છેકે, પાકિસ્તાન સાથે 25મી તારીખથી વિદેસસચિવ સ્તરનો વાર્તાલાપ શરૂ થઇ રહ્યો છે. તે માત્ર વાતચીત હશે નહીં કે વાટાઘાટો. ક્રિષ્નાએ ભારતના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો છેકે, જ્યાંસુધી 26-11ના હુમલાઓમાં સંડોવાયેલા પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી તેમની સાથે વાટાઘાટો થઇ શકે નહીં. ક્રિષ્નાએ ઉમેર્યું હતુંકે, વાતચીતમાં...
krishna2
 
 
danik bhaskar

નાગા સાધુ – આકર્ષણનું કેન્દ્રMonday, February 15, 2010 19:06 [IST]

હાલ હરિદ્વાર ખાતે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. જેમાં નાગા સાધુઓએ શ્રદ્ધાળુઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમની એક ઝાંખી મેળવવા માટે તથા તેમના કરતબો જોવા માટે લોકો તલપાપડ હોય છે. નાગાસાધુઓ પણ ભાવિકોને નિરાશ નથી કરતાં. નાગા સાધુઓ અલગ-અલગ મુદ્રામાં ઊભા રહ્યાં હતા. પ્રસ્તુત છે કેટલીક તસ્વીરો.
KUMBH-FINAL1
 
 
danik bhaskar

આ છે દિલ્હીMonday, February 15, 2010 00:22 [IST]

નંબર ગેમ



આ યોગાનુયોગ જ હોઈ શકે છે. ભાજપના કેટલાક ટોચના નેતાઓના નિવાસસ્થાનના સરનામામાં મકાન નંબર એક જેવા જ છે. લાલકૃષ્ણ અડવાણી ૩૦, પૃથ્વીરાજ રોડ પર રહે છે. ભૂતપૂર્વ ભાજપ અઘ્યક્ષ વેંકૈયા નાયડુનું ઘર ૩૦, ઔરંગજેબ રોડ પર છે. ભાજપના નવા અઘ્યક્ષ હાલ ૩૦, ફિરોજશાહ રોડ પર રહે છે. દક્ષિણ દિલ્હીમાં ગેસ્ટ હાઉસમાં એક મહિના સુધી રહ્યા બાદ ગડકરી તાજેતરમાં જ લુટિયન્સની દિલ્હીમાં શિફટ થયા જે...

Katiyar_Vinay_21
 
 
danik bhaskar

દિલ તો કમીના હૈ જી...Saturday, February 13, 2010 16:38 [IST]

તાજેતરમાં ફિલ્મ \'ઇશ્કિયા\' રજૂ થઇ હતી. જેના ગીતો ગુલઝારે તેમની આગવી શૈલીમાં લખ્યા છે. ત્યારે દિલ તો બચ્ચાં હૈ જી... ગીતની એક પંક્તિમાં ગુલઝાર દિલ તો કમીના હૈ જી કહે છે. આ વાત કદાચ સાચી પણ છે. ઘણી વખત દિલની અસર નીચે વ્યક્તિ એવો નિર્ણય લઇ બેસે છે, જેના કારણે તેણે જીંદગીભર માટે પસ્તાવું પડે છે. આવું ન બને તે માટે તામીલનાડુના થેન્નીલની એક સ્કૂલે પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં વિદ્યાર્થીઓના...
VALENTINES-DAY1
 
 
danik bhaskar

વેલેન્ટાઇન્સ ડે અને ગુલાબThursday, February 11, 2010 17:11 [IST]

14 ફેબ્રુઆરીના દિવસને દુનિયાભરમાં વેલેન્ટાઇન્સ ડે તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે લોકો ગુલાબ કે તેના ગુલદસ્તાંની આપ-લે કરી તેમના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. ત્યારે \'દિવ્ય ભાસ્કર\'ના એક વાંચકે ગુલાબના ગુલદસ્તાંના કેટલાક ફોટોગ્રાફ્સ મોકલ્યા છે.
flower-final1
 
 
danik bhaskar

પોર્ન સાઈટ પર પ્રતિબંધ નહી લગાવી શકે કેન્દ્ર સરકારThursday, February 11, 2010 13:30 [IST]

કેન્દ્ર સરકાર હાલમાં ઈચ્છવા છતાં પણ પોર્ન બેબસાઈટ પર કોઈ પ્રતિબંધ નથી લગાવી શકતી. આ અધિકાર હવે માત્ર કોર્ટને રહેશે. આ આઈટી એક્ટ(2000)માં કરવામાં આવેલ સંશોધનના કારણે શક્ય બની શક્યું છે. આ સંશોધન બાદ પોર્ન સાઈટ પર પ્રતિબંધ લાદવાનો અધિકાર માત્ર કોર્ટને રહેશે. આ પગલાંઓ ઘણાં સમય પહેલા 27 ઓક્ટોબર 2009ના રોજ ભરવામાં આવ્યા હતાં. સેક્શન 69એ આઈટી એક્ટમાં જોડી દેવામાં આવી છે. જેના કારણે સરકાર જો...
savitabhabhi1
 
 
danik bhaskar

મેધા પાટકર તેમની જ જાળમાં ફસાયાMonday, February 08, 2010 18:45 [IST]

નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટિઝના અધ્યક્ષ વી. કે. સકસેનાએ ફરિયાદ દાખલ કરીને માગ કરી છેકે, મેધા પાટકર વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની જોગવાઇઓ હેઠળ કાર્યવાહી ચલાવવામાં આવે. જેની પર સુનાવણીકરતા મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ મુનિષ મારકને 31 માર્ચ સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. મેધા પાટકર આજે કોર્ટમાં હાજર રહ્યાં હતા, પરંતુ 3 માર્ચ 2009ના તેઓ કોર્ટમાં હાજર રહ્યાં ન હતા અને તેમણે...
medha-patkar1
 
 
danik bhaskar

પથ્થરમારો કરવા પાક. પૈસા આપે છેMonday, February 8, 2010 11:06 [IST]

પાકિસ્તાન દ્વારા ભારતમાં અશાંતિ ફેલાવવા માટે માત્ર હથિયારો અને ગોળીઓ જ મોકલવામાં નથી આવતી. પરંતુ તેઓ સુરક્ષાબળો પર પથ્થરમારો કરવા માટે પણ પૈસા આપે છે.



સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના મહાનિર્દેશક એન. કે. ત્રિપાઠીના કહેવા પ્રમાણે તેમના જવાનોએ માત્ર બોમ્બ અને ગોળીઓ સામે જ નહીં પરંતુ પથ્થરો સામે પણ ઝઝુમવું પડે છે. વિશેષ કરીને શુક્રવારે. આ દિવસે જુમ્માની નમાઝ અદા કર્યા પછી...

kashmir11
 
 
danik bhaskar

ભારત હિંદ મહાસાગરનું કાજી નહીં બનેSaturday, February 6, 2010 18:47 [IST]

ભારતીય નૌકાદળના વડા એડમિરલ નિર્મલ વર્માએ સ્પષ્ટતા કરી છેકે, ભારતીય નૌકાદળને હિંદ મહાસાગરનું કાજી બનવાનો કોઇ શોખ નથી.



હિંદ મહાસાગરની સુરક્ષા માટે ભારતે તેની ભૂમિકા વધારવી જોઇએ તેવા અમેરિકાના સૂચન પર બોલતા એડમિરલ વર્માએ કહ્યું હતુંકે, આ પ્રકાના ખતરાઓને પહોંચી વળવા માટે ભારત સંયુક્ત કવાયતની તરફેણ કરે છે. 13 દેશોની વાર્ષિક નૌકા કવાયત 'મિલન-2010' ના ઉદ્ઘાટન પ્રસંગે એડમિરલ...

verma11
 
 
danik bhaskar

બીટી કે ખતરાની ઘંટી?Saturday, February 6, 2010 14:56 [IST]

ભાસ્કર નોલેજ રિપોર્ટ

દેશભરના ખેડૂતો, વિજ્ઞાનીઓ, સરકારી અધિકારીઓ સાથેની વાતચીતના આધારે તૈયાર બીટી રિંગણ પર શ્રેણીનો ભાગ-૨

દેશમાં બીટી રીંગણની ખેતી માટે મંજૂરી અંગેની ચર્ચા અંતિમ તબક્કામાં છે. મલ્ટિનેશનલ કંપની મોનસાન્ટો અને તેમની ભારતીય ભાગીદાર માયકો તેની તરફેણમાં છે તો સ્વયંસેવી સંસ્થાઓ અને સ્વતંત્ર વિજ્ઞાનીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. દાવા અને વિરોધ શું છે?...

brinjal111
 
 
danik bhaskar

સીમી પરનો પ્રતિબંધ બે વર્ષ માટે લંબાવાયોFriday, February 05, 2010 18:33 [IST]

ગૃહ મંત્રાલયના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પ્રતિબંધ 7 ફેબ્રુઆરીથી બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. ભારત ઉપરાંત અમેરિકાએ પણ સિમીને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું છે. ગુપ્તચર તંત્રના અહેવાલ પ્રમાણે સિમીના કાર્યકર્તાઓ હવે, ઇન્ડિયન મુજાહિદ્દિનના નામ હેઠળ કામ કરે છે. અને આતંકવાદી ઘટનાઓને અંજામ આપે છે. અમદાવાદ તથા જયપુરના બોમ્બ ધડાકાઓમાં પણ તેમની સંડોવણી બહાર આવી હતી. ...
 
 
danik bhaskar

શું આ રીંગણ ઝેરી છે ?Friday, February 05, 2010 00:54 [IST]

કેન્દ્ર સરકાર એક અઠવાડિયાની અંદર એ નિર્ણય લેવાની છે કે બીટી રીંગણ જેવા જિનેટિકલી મોડિફાઈડ (જીએમ) બીજની (જેમના જીનની સંરચનામાં પરિવર્તન કરાયું છે) દેશમાં ખેતી કરવા માટે મંજૂરી આપવી કે નહીં. આ નિર્ણયથી ખેડૂતોની પેદાવારમાં વધારો થવાની સંભાવના છે તો જીએમ ખાધ પદાર્થથી તંદુરસ્તીને નુકસાન થવાની આશંકા વ્યકત કરાઈ છે. શું ઝડપથી વધતી જતી વસ્તીનું પેટ ભરવા માટેનો એકમાત્ર ઉપાય જીએમ ફૂડ જ...
brinjal1
 
 
danik bhaskar

ગુજરાતના પગલે ચાલશે ઓરિસ્સાThursday, February 4, 2010 18:46 [IST]

ઓરિસ્સા સરકારે ગુજરાતની આઇટી જોગવાઇઓની તર્જ પર કાયદો લાવવાની તજવીજ હાથ ધરી છે. જેની મદદથી સાઇબર કાફે પર નિયંત્રણ લાદવામાં આવશે તથા નજર રાખવામાં આવશે.



સુત્રોના કહેવા પ્રમાણે આ અંગેનો પ્રસ્તાવ ઓરિસ્સાના ગૃહ મંત્રાલયને મોકલી દેવામાં આવ્યો છે. જેની જોગવાઇઓ પ્રમાણે સાઇબર કાફેના માલિકોને ફરજ પાડવામાં આવશેકે, વપરાશકર્તાઓએ કઇ વેબસાઇટ જોઇ હતી તેની હિસ્ટ્રી અને કુકીઝને છ માસ...

cyber-crime11
 
 
danik bhaskar

મૃત્યુ પછી ફરી અનેક જીવનThursday, February 04, 2010 01:40 [IST]

દેહદાન કોણ કરી શકે છે, કેવી રીતે થાય છે શરીર અમર અને કઈ શોધ થાય છે? જ્યોતિ બસુના દેહદાન પછી કોલકાતાની સ્વયંસેવી સંસ્થા ગણદર્પણનો ૩,૦૦૦ લોકોએ સંપર્ક કરી મૃત્યુ પછી દેહદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અન્ય રાજયોમાંથી પણ મેડિકલ સાયન્સ માટે શરીર આપવાનો સંકલ્પપત્ર ભરનારાઓની સંખ્યા વધી રહી છે. ઊર્જાથી ભરેલા પ્રીતિ ઉન્હાલે બેડમિન્ટનના પોતાના શોખની સાથે કોલેજ જીવનની સંપૂર્ણ મજા માણી...
donated-copy1
 
 
danik bhaskar

હે રામ...આતંકવાદના પર્યાયને પદ્મશ્રીWednesday, February 3, 2010 17:37 [IST]

ચાલુ વર્ષે જાહેર કરવામાં આવેલા પદ્મ વિવાદોમાં વધુ એક નામ ઉમેરાયું છે. આતંકવાદના પર્યાય એવા ગુલામ મહંમદ મીરને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે.



જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબદુલ્લાહે એવો દાવો કર્યો છેકે, તેમની સરકાર દ્વારા મીરને પદ્મશ્રી આપવાની ભલામણ કરવામાં નથી આવી. પરંતુ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓમરના પિતા ફારૂક અબ્દુલ્લાહે મીરના નામની ભલામણ કરી...

terrorist11
 
 
danik bhaskar

ગુજરાત સાથે બિહારની સરખામણી ન થાય – લાલુMonday, February 1, 2010 12:16 [IST]

રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો છેકે, નીતિશ કુમાર દ્વારા વિકાસના ખોટાં આંકડા દર્શાવવામાં આવી રહ્યાં છે.

તાજેતરમાં સેન્ટ્રલ સ્ટેટસ્ટિકલ ઓર્ગેનાઇઝેન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓને પણ લાલુપ્રસાદે ફગાવ્યા હતા. લાલુના કહેવા પ્રમાણે બિહારનું અર્થતંત્ર ખેતી આધારિત છે અને...

lalu-modi111
 
 
danik bhaskar

ગોવા એટલું ઉજળું નથી રહ્યુંFriday, January 29, 2010 15:31 [IST]

એક સમયે પ્રવાસીઓ માટે સ્વર્ગ ગણાતું ગોવા ધીમે-ધીમે પ્રવાસીઓ માટે જોખમરૂપ બની રહ્યું છે અને તેનું કારણ પણ ખુદ પ્રવાસીઓ જ છે. અહીં પ્રવાસીઓને ડ્રગ્સ વેંચવા માટે અહીં માત્ર ગોવા જ નહીં પરંતુ વિદેશીઓની પણ ગેંગો અસ્તિત્વ ધરાવે છે. જેમાં સૌથી શક્તિશાળી છે રશિયનોની ગેંગ.



પાંચ વર્ષ પહેલા નેશનલ સિક્યુરિટી કાઉનસિલે તેના અહેવાલમાં રશિયન માફીયાઓની પેશકદમી પર અહેવાલ આપ્યો હતો....

russia-mafia11
 
 
danik bhaskar

જ્યોતિ બસુનું મગજ સંશોધન માટે કાઢી લેવાયુંFriday, January 29, 2010 00:24 [IST]

પશ્ચિમ બંગાળના દિવંગત ભૂતપૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુના દાનમાં અપાયેલા પાર્થિવ શરીરમાંથી તેમનું મગજ મેડિકલ રિસર્ચ માટે સુરક્ષિત કાઢી લેવાયું છે. એસએસકેએમ હોસ્પિટલના તબીબોએ બુધવારે આ કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.

હોસ્પિટલમાં શરીર રચના વિભાગના પ્રો. આશિષ દત્તાએ દોઢ કલાકમાં બસુનું મગજ કાઢી તેને સુરક્ષિત રીતે અલગ મૂકયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર બેંગલોર સ્થિત...

jyoti_basu1[1]11
 
 
danik bhaskar

હવે, શિવરાજસિંહ યાત્રાઓ કાઢવાના રસ્તેThursday, January 28, 2010 16:20 [IST]

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને પણ હવે યાત્રાઓ કાઢવાનો રંગ લાગ્યો છે. તેમણે 'આઓ બનાયે અપના મધ્યપ્રદેશ' યાત્રા શરૂ કરી છે.

શિવરાજસિંહ ચૌહાણે અહીં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતુંકે, માત્ર સરકારે જ બધુ કરવું જોઇએ તે માન્યતા ભૂલ ભરેલી છે. લોકભાગિદારી વિના કશું ન થઇ શકે તેવો મત પણ ચૌહાણે વ્યક્ત કર્યો હતો.

શિવરાજસિંહ ચૌહાણના કહેવા પ્રમાણે, દરેક...

shivraj-singh111
 
 
danik bhaskar

ઇન્ટરનેટ પરથી ભાજપનો મોહભંગ થયોThursday, January 28, 2010 13:22 [IST]

ઇન્ટરનેટ દ્વારા ભારતના યુવાવર્ગ સુધી પહોંચવાનો ભારતીય જનતા પક્ષનો ઉત્સાહ ઓસરી ગયો છે. ગતવર્ષે લોકસભાની ચૂંટણીઓમાં પરાજય પછી ઉત્સાહમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ ગયા વર્ષે યુવાનો સુધી પહોંચવા માટે બ્લોગિંગનો સહારો લીધો હતો. આ માટે મોટાપાયા પર જાહેરાતો પણ કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણીઓ પછી અડવાણીએ બ્લોગ પર લખવાનું જ બંધ કરી...
narendra-modi1
 
 
danik bhaskar

મોદીના પ્રસ્તાવને ચૂંટણી પંચનો ફટકોMonday, January 25, 2010 13:45 [IST]

ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરજીયાત મતદાન માટેનો પ્રસ્તાવ મુક્યો હતો અને આ માટેનો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં પણ પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટે પ્રયાસો હાથ ધર્યા હતા અને લોકમત ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ચૂંટણી પંચના કહેવા પ્રમાણે આ પ્રકારની જોગવાઇઓ વ્યવહાર નથી. કારણકે, કોઇ વ્યક્તિ બિમાર હોય શકે છે અથવા તો...
chawla1
 
 
danik bhaskar

હિમાલય મુદ્દે કાચું કાપ્યું હતું – પચૌરીSaturday, January 23, 2010 16:14 [IST]

પર્યાવરણ વિશેષજ્ઞ આર. કે. પચૌરીએ સ્વીકાર્યું છેકે, હિમાલયની ગ્લેશિયર્સ અંગેના તેમના અહેવાલમાં કાચું કપાયું છે. આ અહેવાલમાં પચૌરીએ આગાહી કરી હતીકે, જે રીતે વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે, તે જોતાં વર્ષ 2035 સુધીમાં હિમાલયની હિમશિલાઓ અદ્રશ્ય થઇ જશે. જોકે, આ ભૂલ છતાં તેમણે પર્યાવરણમાં આવી રહેલા પરિવર્તન અંગે નિમવામાં આવેલી ઇન્ટરગવર્મેન્ટલ પેનલના અધ્યક્ષપદેથી રાજીનામું...
pachauri1
 
 
danik bhaskar

ગુજરાતી વિદ્યાર્થીઓ ચેતો....નહિંતર...Tuesday, January 19, 2010 13:28 [IST]

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલા એક જવાબમાં જણાવ્યું છેકે, 44 જેટલી ડિમ્ડ યુનિવર્સિટીઓની માન્યતા રદ્દ કરવામાં આવશે. જેના કારણે આ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહેલા લગભગ બે લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થઇ ગયું છે.

રાષ્ટ્રીય સ્તર પરના શૈક્ષણિક માફિયાઓની નજર હંમેશા જ ગુજરાતના વિદ્યાર્થીઓ પર રહે છે. જ્યારે ગુજરાતમાં પરિક્ષાઓ પૂરી થાય છેકે, તરત જ આવી...

edumafia1
 
 
danik bhaskar

માઓવાદીઓની નવી ટ્રિક 'નકલી એકે રાઇફલ'Monday, January 18, 2010 11:36 [IST]

અત્યારસુધી પોલીસ સ્ટેશનોમાં લૂંટ કરીને હથિયારો લૂંટી જતા માઓવાદીઓને હવે કદાચ પોતાના આ જૂના વ્યાયામ પર ખાસ નિર્ભર રહેવું નહીં પડે કારણકે હવે તેમણે એવી ટેકનોલોજી વિકસાવી લીધી છે જેનાથી તેઓ નકલી રાઇફલો બનાવવા પણ સક્ષમ છે અને આ રાયફલોમાં એકે સીરિઝની ઘાતક રાઇફલોનો પણ સમાવેશ થાય છે. માઓવાદીઓ માટે કદાચ ભલે આ સિદ્ધી હોય પરંતુ સુરક્ષા એજન્સીઓ માટે હવે આ નવો માથાનો દુખાવો બની ગયો...
ak
 
 
danik bhaskar

વૈકિલ્પક ઉર્જાથી દોડી વિકાસની વિજળીSaturday, January 16, 2010 00:11 [IST]

ડો. મનમોહન સિંહે આવનારા બાર વર્ષોમાં ૭૫૦૦ મેગાવોટ વિજળી સૌર ઉર્જા દ્વારા પેદા કરવાની જાહેરાત કરી છે. આપણે હવે પછીના ત્રણ વર્ષોમાં ૧૩૦૦ મેગાવોટ સૌર ઉર્જા પેદા કરી શકીશું. અત્યારે ઉપલબ્ધ ૧૫૬ ગીગાવોટ ઉર્જામાં વૈકિલ્પક સ્રોતથી પ્રાપ્ત વિજળીનો હિસ્સો ૧૦ ટકા કરતાં પણ ઓછો છે અને તેમાં પણ મોટાભાગની ઉર્જા પવનથી મળી રહી છે. આપણા ગામ અને ખેતર વૈકિલ્પક ઉર્જાથી કેવી રીતે બદલી શકાય, તે...
GYAN_21
 
 
danik bhaskar

ઝરણા પર ફીટ કરેલી પનચક્કીથી ઝળહળ્યું પર્વતીય ગામSaturday, January 16, 2010 00:10 [IST]

દહેરાદૂનમાં રાયવાલાની પાસે વહેતા એક પર્વતીય ઝરણાની ચારેય બાજુએ છેલ્લા દસ વર્ષમાં એક વસ્તી ઉગી નિકળી છે. આ ગામમાં એક સમયે વિજળી હતી નહીં. આ ગામનું નામ લેટાના એટલા માટે પડ્યું છે કેમકે અહીં બધું જ લેટાના નામના જંગલી છોડમાંથી બનેલું છે. ગામના લોકોએ આ ઝરણા પર પહેલાથી ફીટ કરેલી પનચક્કીમાં ટર્બાઈન લગાવીને વિજળીનું ઉત્પાદન ચાલુ કર્યું છે. આ પનચક્કી લગભગ રૂ.૬૦ હજારની છે. તેમાં...
GYAN_11
 
 
danik bhaskar

અહીં બને છે આતંક સામે લડનાર પોલાદSaturday, January 09, 2010 01:34 [IST]

હજીસુધી આપણે જ્ઞાન, વિજ્ઞાન, અર્થતંત્ર અને ઇન્ફ્રાસ્ટ્રકચર જેવાં ક્ષેત્રોમાં થઇ રહેલા નવા પ્રયોગો વિશે વાંચ્યું. નવા દાયકા અંગે આ શ્રેણીના અંતિમ ભાગમાં આજે આપણે પોતાની તાકાત વિશે જાણીશું. સુરક્ષા દળો અને આધુનિક શસ્ત્રો તો આપણી તાકાત છે જ પરંતુ તેનાથી પણ આગળ વધીને લોકો આપણી તાકાત છે. એ લોકો જેઓ પોતાનું જીવન અન્યોની સેવામાં સોંપી દે છે. ઓમસિંહ . માનેસરથી તેઓ દુશ્મનોમાં ભય પેદા...
POLAD1
 
 
danik bhaskar

કુષ્ટરોગીઓને ગળે લગાવ્યાSaturday, January 9, 2010 11:00 [IST]

તેમના પ્રભુ આકાશમાં નથી રહેતા કે નથી શૂળી પર લટકયા. તેમના પ્રભુ તેમના આશ્રમમાં વસે છે. તેઓ એવા લોકો છે કે જેમને લોકો સ્પર્શવા પણ માગતા નથી કેમ કે તેઓ કુષ્ટરોગી છે. પરંતુ ક્રિસ્ટુદા તેમનાથી કોઇ અંતર રાખતા નથી. નેપાળને સ્પર્શતી બહાર સરહદે આવેલા રકસૌલ નજીક સુંદરપુર ગામે આવેલા આશ્રમના ચોગાનમાં બેઠેલા ક્રિસ્ટુ રોજ સવારે કુષ્ટરોગીઓથી ધેરાઇ જાય છે.



એકસાથે ઘણાબધા લોકો સાથે...

KUSHT-ROG11
 
 
danik bhaskar

માછીમારો પણ બન્યા મરીન કમાન્ડો...Saturday, January 09, 2010 01:24 [IST]

મુંબઇ હુમલો એક પદાર્થપાઠ હતો, તેના પરિણામે આજે ગુજરાતના તટપ્રદેશ પર મરીન કમાન્ડોથી લઈને સામાન્ય માનવીઓ અને માછીમારો બાજનજર રાખી રહ્યા છે તમે કોણ છો? અને ક્યાંથી આવ્યા છો? તમે ત્રાસવાદીઓ તો નથી ને? આ પહેલો પ્રશ્ન છે જે પોરબંદરના દરિયા કાંઠે અમને પૂછવામાં આવ્યો હતો. આ એ વિસ્તાર છે જયાંથી મુંબઇ હુમલાના ત્રાસવાદીઓએ કુબેર બોટ દ્વારા દેશમાં પ્રવેશ કર્યો હતો. આજે વાતાવરણ એકદમ બદલાઇ...
MARINE-COMMANDO-11
 
 
danik bhaskar

યુધ્ધનો અનુભવ સૈન્યનો જુસ્સો વધારે છેSaturday, January 09, 2010 01:18 [IST]

એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે આપણો દેશ બે મોરચે એક સાથે ઝઝૂમી રહ્યો છે. આગામી ૧૦ વર્ષોમાં ચીન કાંઇક વધુ આક્રમક બનશે. જો એક વખત આવું થયું તો પાકિસ્તાન પણ તેનો ફાયદો ઉઠાવવાનો જરૂર પ્રયત્ન કરશે. ઉપરાંત નકસલીઓ પણ એક સમસ્યા છે. આપણી રણનીતિ આ બધાની સાથે સામનો કરવાની હોવી જોઇએ. આપણે પહેલાં સમસ્યાઓની પ્રાથમિકતા નક્કી કરીએ, પછી તેને એક એક કરીને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. પહેલાં આપણે નકસલી...
 
 
danik bhaskar

ખાધાન્નનો ઉપયોગ ઈંધણ માટે ન થવો જોઈએFriday, January 08, 2010 01:14 [IST]

એક ટન અનાજના ઉત્પાદનમાં એક હજાર ટન પાણી વપરાઈ જાય છે. ખેડૂતોએ ખેતી માટે રૂ. ૫૫,૨૦૦ કરોડ ખર્ચી આખા દેશમાં કુલ ૨૧૦ લાખ કૂવા ખોદ્યા છે. આ રકમ દેશમાં થતા વિદેશી રોકાણથી વધારે છે. દેશભરમાં આપણા અડધાથી વધારે પરંપરાગત કૂવામાં પાણી સુકાઈ ગયું છે. હવે ખેડૂતોએ પાણી માટે ૫૦૦ મીટરથી વધારે ઊંડાઈએ જવું પડે છે અને સાથે ડીઝલ તેમજ ઓઈલ ટેકનિકનો પ્રયોગ કરવો પડે છે. જુદા જુદા દેશ આ સમસ્યાનો ઉકેલ...
wheat1
 
 
danik bhaskar

ભવિષ્ય બિનરાસાયણિક ખેતીનું જ છેFriday, January 08, 2010 01:11 [IST]

દેશ ૨૧મી સદીના બીજા દશકામાં પ્રવેશી ચૂક્યો છે એવામાં પર્યાવરણને જરાપણ દૂષિત કર્યા વિના ભારતીય ધરતીપુત્રના ચહેરા પર સ્મિત લાવનારી ભાવિ ખેતીની પટકથા લખાઇ ચૂકી છે. છ વર્ષ પહેલાં ખમ્મમ જિલ્લામાં નાની પહેલના રૂપમાં શરૂઆત થયા બાદ ખેતીની આ પદ્ધતિ આંધ્રના ૧૮ જિલ્લાના ૨૦ લાખ એકર વિસ્તારમાં ફેલાઇ ગઇ છે. મેં પહેલીવાર આંધ્રના પન્નાકુલા ગામમાં થયેલા ચમત્કારની વાત કરી હતી ત્યારે લોકોએ...
gyan-41
 
 
danik bhaskar

ચેન્નાઈમાં ઉછેરી બ્રોકલીFriday, January 08, 2010 01:08 [IST]

ગરમ જળવાયુમાં વિદેશી પાક લઈ શકાય છે. માત્ર માટીના પરીક્ષણથી જ ખેતરોની તસવીર અને તકદીર બદલી શકાય છે. સો ગણું ઉત્પાદન વધી શકે છે. ઓએનજીસીના એન્જિનિયર તરીકે સેવા આપનાર ખેડૂતે આ કલ્પનાને સાકાર કરી બતાવી વૃક્ષો તો અંધ હોય છે. તેમને શું ખબર કે તેઓ ચેન્નાઈમાં ઉગી રહ્યાં છે કે પછી કેલિફોર્નિયામાં. તેમને તો બસ યોગ્ય જમીન, પોષક તત્વો અને યોગ્ય વાતાવરણ મળવું જોઈએ. આ શબ્દો છે મિકેનિકલ...
gyan-31
 
 
danik bhaskar

ઉજજળ થતી જમીનને ફરીથી ફળદ્રુપ બનાવાઈFriday, January 08, 2010 01:05 [IST]

જે ૩૦ એકર જમીનને પ્રીતપાલના પિતા બળદેવસિંહ છેલ્લા ૨૫ વર્ષોથી વાવણી કરી રહ્યા હતા જેથી છેલ્લી સદીના અંત સુધીમાં તે જમીન ઉજજવળ બની ગઈ હતી. અમૃતસરના જુ હલવાઈયા ગામમાં ૧૯૭૬માં જયાં ૧૦-૧૫ ફૂટે પાણી મળતું હતું ત્યાં ૨૦૦૪માં ૪૦ ઊંડા બોરિંગ કરવાથી પણ પાણી મળતું નથી. તે વર્ષે એક એકર જમીનમાં માત્ર બે કિવન્ટલ ડાંગરનો પાક થયો. છેવટે તેણે અમૃતસરની પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કૃષિ...
gyan-21
 
 
danik bhaskar

મિરઝાપુરમાં પથ્થરાડી જગ્યા પર ફૂલો ઉગાડ્યાંFriday, January 08, 2010 01:01 [IST]

ઉત્તરપ્રદેશના મિરઝાપુરમાં દૂર-દૂર સુધી માત્ર લાલ પથ્થરના પહાડો અને ખાણો છે. લખનઉથી લઇને દિલ્હી સુધી ચાલી રહેલા મુખ્યમંત્રી માયાવતીના ડ્રીમ પ્રોજેકટોમાં મિરઝાપુરના પથ્થરનો જ ઉપયોગ થતો હતો. વિઘ્યાંચલના પહાડોની તળેટીમાં રાત દિવસ પથ્થર તોડનારા મશીનો ચાલી રહ્યાં છે અને તેના કારણે ઉડતી ધૂળ દૂરથી જ તમારું સ્વાગત કરે છે. પાણીનું કોઇ નામોનિશાન નથી. એવામાં અમારા માટે ડગમગપુર ગામ...
gyan-11
 
 
danik bhaskar

૩૦ થી વધુ રોગોનો સ્ટેમસેલથી ઇલાજWednesday, January 06, 2010 00:19 [IST]

રિસર્ચ ૩૦ થી વધુ રોગોનો વિશ્વભરમાં સ્ટેમસેલથી ઇલાજ કરવામાં આવી રહ્યો છે ૨૫ ટકા ઘટી જશે દવાઓના સંશોધન અને વિકાસનો ખર્ચ, સ્ટેમસેલ રિસર્ચ દ્વારા ૪૫૦ અબજ રૂપિયાના સ્ટેમસેલ થેરાપીનું વિશ્વભરમાં બજાર હશે ૨૦૧૦ના અંત સુધી. હાલમાં આ ૧૨૦ અબજ રૂપિયાથી વધુ છે ૫૦૦ થી વધુ કિલનિકલ ટ્રાયલ ચાલુ છે સ્ટેમસેલનો ઉપયોગ કરીને થેરાપી વિકિસત કરવા માટે ૧૫ ટકાના વાર્ષિક દરથી સ્ટેમસેલનું બજાર...
stam-cell1
 
 
danik bhaskar

મોબાઇલ પર વાંચો તમારી મનપસંદ કોમિકસTuesday, January 05, 2010 00:08 [IST]

કોમિકસના શોખીન બાળકોની સાથે-સાથે અન્ય લોકો માટે પણ આ સારા સમાચાર છે. કાર્ટૂન નેટવર્ક ચેનલે મોબાઇલ પર કોમિકસની ડાઉનલોડિંગ સુવિધા માટે દેશમાં કેટલાય નેટવર્ક પ્રોવાઇડરો સાથે સંપર્ક સાઘ્યો છે. આ કોમિકસને રોજના રૂ.૧થી માંડીને મહિનાના રૂ.૩૦ ચૂકવીને ડાઉનલોડ કરી શકાશે. વર્તમાનમાં દેશના ૬૩ ટકા બાળકો અઠવાડિયામાં ઓછામાં ઓછો એક વખત મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. આવા સંજોગોમાં ચેનલને આ...
cartoon-on-mobile1
 
 
danik bhaskar

વીજળી અને ડીઝલ વગર પાણી ખેંચાયMonday, January 04, 2010 00:31 [IST]

ઉજજૈનથી ૨૦ કિલોમીટરના અંતરે આવેલા નાનકડા ગામ કાંકરિયા ચિરાખાનમાં નવા દાયકાની આશાઓ આકાર લઇ રહી છે. અહીંયા એક નાના વર્કશોપમાં નત મસ્તકે, ગ્રીસવાળા હાથો સાથે રાધેશ્યામ શર્મા એક એવું મશીન બનાવવામાં વ્યસ્ત છે જે વીજળી અને ડીઝલ વગર પણ ૨૪ કલાક બોરવેલમાંથી પાણી ખેંચી શકશે. આ પ્રયોગ સફળ થવાની સાથે માત્ર વીજળીની અછતથી પરેશાન લાખો ખેડૂતોને ફાયદો થશે તેમ નથી, પણ પ્રદૂષણ ન થવાથી...
pump1
 
 
danik bhaskar

બિચારા ના કહેશોSaturday, January 2, 2010 04:10 [IST]

સેંકડો બેસહારાની સહારો બની જલંધરની ખુદની એક બેસહારા છોકરી



બાર વર્ષની બાળકીના માથા પરથી એક દિવસ અચાનક માં-બાપનો છાયો ઊઠી ગયો. નજીકના સંબંધીઓ તેને સહારો દેવાનું તે દૂર રહ્યું પણ તેના ઘર પર કબજો કરવાના પ્રયાસમાં લાગ્યા હતા. કોઇ બીજું હોત તો ભાંગી પડત, પણ પર્લ જસરા અલગ માટીની બની હતી.



મામાની મદદથી તેણે ન તો માત્ર પોતાનું ઘર બચાવ્યું પણ કુમળીવયે તેણે મનમાં ગાંઠ બાંધી લીધી...

PARL11
 
 
danik bhaskar

જ્ઞાનની બુલંદ રોશનીSaturday, January 2, 2010 04:10 [IST]

શિક્ષણની આહલેક જગાડતા એચસીએલ કોર્પના સીઈઓ



‘તમે અમેરિકા ગયા હતા તો આપ શું બન્યા? બુલંદશહેર, ઉત્તર પ્રદેશની વિધાજ્ઞાન સ્કૂલના છઠ્ઠા ધોરણની બે વિધાર્થિનીઓએ જ્યારે રોશની નડારને આ પ્રશ્ન પૂછ્યો તો તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા કે, ગામની પૃષ્ઠભૂમિવાળી આ બાળાઓ કેરિયર વિશે વિચારવા પણ લાગી છે.



તેઓ બાળાઓને શું બતાવતા કે, એચસીએલ ટેકનોલોજીસ અને એચસીએલ ઇન્ફોસિસ્ટમ જેવી કંપનીઓના...

ROSHNI-NADAR-HCL-CEO11
 
 
danik bhaskar

અમરોહાની ખુશ્બૂSaturday, January 2, 2010 04:11 [IST]

ચંદ્રયાન મિશનમાં સામેલ થઈને પ્રેરણાસ્રોત બની



ઉત્તર પ્રદેશમાં સિત્તેર ટકા મુસ્લિમ વસતી ધરાવતા અમરોહાની ખુશ્બૂ મિરઝાએ આમ તો ઘણીબધી રૂઢિ તોડી છે. સામાન્ય મુસ્લિમ કન્યાની જેમ કેટલાક ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ ભણતર છોડ્યું હોવા છતાં અભ્યાસ પાછો શરૂ કરીને બીટેક બનીને ઇસરોમાં ચંદ્રયાન -૧ મિશનનો હિસ્સો બની ગઇ. ફેશન શોમાં પણ ભાગ લીધો. બુરખાથી ઢંકાયેલી મહિલાઓવાળા ચૌગોરી...

Khushboo_Mirza11
 
 
danik bhaskar

આવ્યો આપણો દાયકોFriday, January 1, 2010 04:15 [IST]

આજથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. નવો દાયકો શરૂ થઈ રહ્યો છે. એકવીસમી સદીનો બીજો દાયકો. વીતેલા દાયકામાં આપણે ઘણી પ્રગતિ કરી. આપણું યાન ચંદ્ર પર ઊતર્યું. ત્યાં પાણીની શોધ કરી. જિનોમનો ઉકેલ શોઘ્યો. થોડું થયું, ઘણું કામ બાકી છે. આ દાયકાના અંત સુધીમાં આપણે શક્તિશાળી બની જઈશું. એક મહાશક્તિ. આ બધું થશે માત્ર આપના કારણે. આ મહાન પર્વનો ભાગ બનવા માટે ઘણી બધી શુભેચ્છાઓ.

૨૦૨૦ : વિશ્વના સૌથી વધુ...

dayako_3101
 
 
danik bhaskar

અમારા યુવા એટલે ૪૦ કરોડ વીજળીઘર...Friday, January 01, 2010 00:29 [IST]

ટોકિયોથી આવેલું કોઇ બાળક નવી દિલ્હી વિમાની મથકે પંચતંત્રની વાર્તાઓની માંગ કરતા દેખાય તો આશ્ચર્યચકિત થશો નહીં. સમજી લેજો કે, તે જાપાની રાજધાનીના મિતાકા વિસ્તારથી આવ્યું છે. ત્યાં ભારતીય પુસ્તકોથી શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જે હવે ઘણી શાળાઓમાં ચાલુ છે અને આવું કોઇ ફેશનેબલ પ્રયોગ માટે કરવામાં આવ્યું નથી. ઇ.સ. ૨૦૦૦માં જાપાન ગણિતના શિક્ષણમાં વિશ્વમાં સર્વશ્રેષ્ઠ હતું. બે વર્ષ...
ATOM1
 
 
danik bhaskar

જયાં જઈને માથું ગર્વથી ઊચું થઈ જાય છેFriday, January 01, 2010 00:13 [IST]

વિશ્વની શકિત બનેલા યુવાનોને નવો રાહ ચિંધતું ગુરુદેવનું શાંતિનિકેતન વિશાળ વૃક્ષ જેની નીચે અનેક મજબૂત, ફેલાયેલી ડાળી-શાખાઓ ફંટાઈ જાય છે. પ્રત્યેક શાખા મોટાં-મોટાં પાંદડાંથી ઢંકાયેલી. તેની નીચે જૉવા મળે છે શાંતિનિકેતનનો ઓપન એર કલાસરૂમ ! વિધાર્થીઓના બેસવા માટે રેતીનો ઢગલો છે, તો શિક્ષકો માટે સિમેન્ટની નાની બેન્ચ છે! શાંતિનિકેતનની આસપાસ ઊભી થઈ ગયેલી ઈમારતોને નજરઅંદાજ કરીએ તો...
SHANTI-NIKETAN1
 
 
danik bhaskar

એક કરોડની ઓફર ઠુકરાવી, તૈયાર કરી રહ્યા છે ભાવિ સીઈઓFriday, January 01, 2010 00:12 [IST]

પાકા ઇરાદા ધરાવતા યુવાનો ઊચા વેતન કરતાં પોતાના નાના વેપારને વધુ મહત્ત્વ આપી રાા છે. તેમને પૈસાનો મોહ નથી. તમે ઘણીવાર કહ્યું હશે કે કોઇ મને એક કરોડ રૂપિયા આપે તો પણ હું આ કામ નહીં કરું. પરંતુ કદાચ કદી તમારી સમક્ષ આવો પ્રસ્તોવ તો કયારેય આવ્યો જ નહીં હોય. પરંતુ દિલ્હીના વિનીતા સિંહ અને કોલકાતાના દેવાષિશ ચક્રવર્તીને ડયૂશ બેન્કે બે વર્ષ પહેલાં એક કરોડનું વાર્ષિક વેતન આપવાની ઓફર કરી...
ceo1
 
 
danik bhaskar

સુવર્ણ ચંદ્રક જોઈએ, તેના વગર મારું જીવન બેકારFriday, January 01, 2010 00:12 [IST]

રાચીમાં રહેનારી દીપિકા એક વર્ષથી પોતાના ઘરે નથી ગઇ. તે કહે છે કે મને ઘરની ખૂબ જ યાદ આવે છે. અહીંયા બહુ જ મહેનત કરવી પડે છે. ઇરછીએ તો પણ આરામ નથી કરી શકતી. ૧૬ વર્ષની દીપિકા માટે આરામ અને ઘર કરતાં વધુ જરૂરી છે પોતાની પ્રતિભાને નિખારવાનું. જમશેદપુરના તાતા આર્ચરી અકાદમીમાં છેલ્લા ત્રણ વર્ષથી તીરંદાજીનો અભ્યાસ કરી રહેલી દીપિકાનું લક્ષ્ય ચાલુ વર્ષે દિલ્હીમાં યોજાનારી કોમનવેલ્થ...
DSC019611
 
 
danik bhaskar

ચીજ ગમી જાય તો એ જ સમયે ખરીદી લોFriday, January 01, 2010 00:11 [IST]

હું માનું છું કે જો તમને કોઈ ઘર પસંદ હોય અને તેને ખરીદવા માગતાં હોવ તો તુરંત ખરીદી લો. ભલે તેની કિંમત ગમે એટલી હોય. નહીં તો પછી શકય છે કે એ મકાન ભવિષ્યમાં તમને મળે જ નહીં. જયારે મેં કોરસ અને જગુઆર લેન્ડરોવર જેવી કંપનીઓ ઘણા ઊચી કિંમતે ખરીદી ત્યારે આ અંગે ઘણા લોકોએ સવાલ કર્યા હતા અને હવે જયારે વૈશ્વિક મંદી પૂર્ણ થવા જઈ રહી છે તો મને લાગે છે કે આપણે પાછળ જૉઈશું અને કહીશું કે આ બંને સોદા ઘણા...
RATANTATA1
 
 
danik bhaskar

ગ્લેશિયર્સ સમાન દરે નથી પીગળી રહ્યાંWednesday, December 30, 2009 00:47 [IST]

છતાં કાર્બનના પ્રમાણમાં વૃદ્ધિ અને ગ્લોબલ વોર્મિંગની દુરોગામી અસરો પડવાની ચેતવણી તમામ ગ્લેશિયર્સ ગ્લોબલ વોર્મિંગને કારણે સમાન દરે ઓગળી રહ્યા હોવાના મુદ્દે વિજ્ઞાનીઓમાં મતભેદ પ્રવર્તી રહ્યા છે. કેટલાક વિજ્ઞાનીઓનું માનવું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે વિભિન્ના ગ્લેશિયર્સનો ઓગળવાનો દર અલગ અલગ છે. ‘સ્ટેટ ઓફ હિમાલિયન ગ્લેશિયર્સ એન્ડ સ્નો પૈકસ’ વિષયે અત્રે આયોજીત...
glacier1
 
 
danik bhaskar

આ છે દિલ્હીMonday, December 28, 2009 00:16 [IST]

મમતા કે કબીર તૃણમુલનાં વડા મમતા બેનરજી આમ તો મોરચે ચડવાના તેમના વલણના કારણે ઓળખાય છે પરંતુ થોડા દિવસો પહેલાં તેમના જ મ્યુઝિશિનય સાંસદ કબીર સુમને તેમની સામે મોરચો માંડી દીધો હતો. કબીરે મમતા બેનરજીની ટીકા કરી તૃણમુલ કોંગ્રેસમાં તેમનો શ્વાસ રુંધાતો હોવાની વાત કરી પરંતુ મમતા બેનરજીએ યુનાન અને તુર્કી જઈ રહેલા સંસદીય પ્રતિનિધિમંડળમાં તેમની પાર્ટીના નેતા તરીકે કબીર સુમનનું નામ...
politics1
 
 
danik bhaskar

ગામ-શહેરથી ચંદ્ર સુધી... જય હોSunday, December 27, 2009 04:05 [IST]

૨૦૦૯માં સૌ પ્રથમ વાર ત્રણ પ્રતિભાઓને ઓસ્કાર એવોર્ડ મળ્યો, એ સાથે જ જય હો... એક મુખ્ય ધૂન તરીકે બહાર આવી. સામાન્ય ચૂંટણીમાં જનતાએ મજબૂત સરકાર અને યુવા શકિતનો જય જય કાર કર્યોતથા ચંદ્રયાને ચંદ્ર પર પાણી શોધીને વિજ્ઞાનને બુલંદી બક્ષી.



વર્ષોબાદ કેન્દ્રમાં સ્પષ્ટ જનાદેશ

દેશની જનતાએ આગામી પાંચ વર્ષ માટે યુપીએને ફરીથી શાસન કરવાનો જનાદેશ સંભળાવ્યો. મનમોહનસિંઘના...

jay-hio221
 
 
danik bhaskar

પરિવર્તનના ચાર ચહેરાSunday, December 27, 2009 03:30 [IST]

નંદન નિલેકણી -નાગરિકને નંબર આ વર્ષે જૂનમાં યુનિક આઈડેન્ટિટીકાર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી તે સાથે જ તમામ નાગરિકોને યુનિક આઈડેન્ટિટી નંબર આપવાનો પ્રોજેકટ આગળ ધપ્યો. તેની જાહેરાત નાણામંત્રી પ્રણવ મુર્ખજીઐ ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટમાં કરી હતી. તેના અઘ્યક્ષ બનાવાયેલા નંદન નિલેકનીએ આ પદ માટે ઈન્ફોસિસના કો-ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું. બનાવટી નામ પર...
PEOPLE1
 
 
danik bhaskar

નેનો આવી ચેતક ગયુંSunday, December 27, 2009 03:25 [IST]

કેટલાંક વર્ષથી પોતાની કાર એ સામાન્ય વ્યકિતનું સપનું બની રહી છે. આ સપનું સાકાર કરવાનું બીડું તાતાના ચેરમેન રતન તાતાએ ઝડપ્યું અને લોકોને માત્ર રૂપિયા એક લાખમાં કાર આપવાનું વચન આપ્યું. આ વચન ૨૩ માર્ચે નેનોના રૂપમાં તેમણે પૂરું કરી બતાવ્યું. કાર નિર્માણ ક્ષેત્રે નેનોએ એક રીતે ક્રાંતિ લાવી દીધી છે તેમ કહી શકાય. મઘ્યમ વર્ગના લોકોનાં સપનાં મોટાં થવા સાથે હવે સ્કૂટર સપનું નથી રાું...
nano1
 
 
danik bhaskar

અજબ, ગજબ અને ઈતિહાસનું પ્રેતSunday, December 27, 2009 03:18 [IST]

પ્રેમ, લગ્ન અને છૂટાછેડા ચાંદ-ફિઝા પ્રકરણ : હરિયાણાના નાયબ મુખ્યમંત્રી ચંદ્રમોહન ઉર્ફે ચાંદ મોહમ્મદ અને અનુરાધા વાલી ઉર્ફે ફિઝાની પ્રેમકહાની, લગ્ન અને તલ્લાકના કિસ્સા સતત ચર્ચામાં રાા છે. ફિઝાએ કથિતપણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યોહતો. જિન્નાહનું જિન જસવંત અને જિન્નાહ : જસવંતસિંહે જિન્નાહ પર લખેલા પુસ્તક ‘જિન્નાહ : ઇન્ડિયા, પાટિર્શન, ઇન્ડિપેન્ડન્સ’માં જિન્નાહનાં વખાણ...
fiza1
 
 
danik bhaskar

તોફાનો વચ્ચે ધેરાયેલું રાજય - આંધ્રSunday, December 27, 2009 03:06 [IST]

રાજયની મોટા ભાગની સરહદ સમુદ્રને સ્પર્શે છે પરંતુ ૨૦૦૯માં સમગ્ર રાજય અલગ અલગ કારણોસર તોફાનોમાં ધેરાયેલું રહ્યું. હવાઈ આંચકો
પહેલું તોફાન મે મહિનામાં વાય.એસ.રાજશેખર રેડ્ડીની આગેવાની હેઠળ કોંગ્રેસમાં આવ્યું. મે મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તાવિરોધી તખ્તો પલટીને ધમાકેદાર એન્ટ્રી કરી. આનો શ્રેય રેડ્ડીની જમીન સાથે જોડાયેલી નીતિઓને આપવામાં આવ્યો. ...
andhra1
 
 
danik bhaskar

અલવિદા ...Sunday, December 27, 2009 02:56 [IST]

વર્ષ ૨૦૦૯માં કલા અને રચનાત્મક ક્ષેત્રે અનેક હસ્તિઓએ વિદાય લીધી . હબીબ તનવીર, નાટયકાર જન્મ- ૧ સપ્ટે., ૧૯૨૩
અવસાન- ૮ જૂન, ૨૦૦૯ પ્રભાષ જોષી, લેખક-પત્રકાર
જન્મ- ૧૫ જુલાઈ, ૧૯૩૬
અવસાન- ૫ નવે., ૨૦૦૯ દિલીપ ચિત્રે, લેખક-ચિત્રકાર
જન્મ- ૧૭ સપ્ટે., ૧૯૩૮
અવસાન-૧૦ ડિસે., ૨૦૦૯ ગાયત્રી દેવી, રાજમાતા, જયપુર
જન્મ- ૨૩ મે, ૧૯૧૯
અવસાન- ૨૯ જુલાઈ, ૨૦૦૯ કમલા દાસ, લેખિકા
જન્મ- ૩૧ માર્ચ,...
fir11
 
 
danik bhaskar

આ તે સંસદ ગૃહ છે કે પછી કોલેજ કેમ્પસ ?Friday, December 25, 2009 21:01 [IST]

અડધા સાંસદોએ સંસદની કોઇ ચર્ચામાં ભાગ નથી લીધો

જ્યારે પાર્લામેન્ટનું કામકાજ ચાલુ હોય ત્યારે તેનો પ્રતિ કલાકનો ચૌદ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. અને બીજી તરફ કલ્પના કરો કે જ્યારે સંસદમાં મહત્વની ચર્ચા થતી હોય તોય અને તેમાં ક્યારેય સો ટકા હાજરી હોય જ નહીં તો? હાલમાં ચાલી રહેલી ભારતની 15મી લોકસભાના શિયાળુ સત્રમાં એક પણ દિવસે તમામ સાંસદોએ હાજરી પૂરાવી નથી. આ સમયે સમજી લો કે...

parliamne2112
 
 
danik bhaskar

કાશ્મીરને ગુમાવવા કેન્દ્ર તત્પર... ?Thursday, December 24, 2009 16:23 [IST]

વડાપ્રધાનની કેન્દ્ર-રાજ્ય સંબંધોની ઉપરની સમિતિ જમ્મુ અને કાશ્મીરને વધુ સ્વાયત્તા આપવા પર વિચાર કરી રહી છે. ઉપરાંત જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી ધારા 370માં કેટલા અંશે વધુ છુટ આપવી શક્ય છે તેના પર વિચાર કરી શકાય તેમ છે.



આ અંગેની સમિતિ એસ. સાગીર અહેમદના અધ્યક્ષ સ્થાનમાં કામ કરતી સમિતિએ આ અંગેનો અહેવાલ જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહને સુપ્રત...

jammu11
 
 
danik bhaskar

જિન્દાલે રાત્રે ત્રિરંગો લહેરાવવાની મંજૂરી મેળવીWednesday, December 23, 2009 18:21 [IST]

ભારતના નાગરિકો હવે પોતાનો રાષ્ટ્રધ્વજ રાત્રે પણ લહેરાવી શકશે. જોકે, રાત્રે ત્રિરંગો લહેરાવવા માટે એ શરત રાખવામાં આવી છે કે ધ્વજદંડ યોગ્ય ઉંચાઇ ધરાવતો હોવો જોઇએ તેમજ ધ્વજ પણ પ્રકાશિત હોવો જોઇએ.



આ અગાઉ 1990માં ઉદ્યોગપતિ નવીન જિન્દાલે કરેલી અરજીને કારણે દરેક ભારતીયને ત્રિરંગો લહેરાવવાનો બંધારણિય અધિકાર ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા અને...

flag111
 
 
danik bhaskar

કરોડો વર્ષ જૂના સમુદ્રી જીવોના અવશેષWednesday, December 23, 2009 00:17 [IST]

ઉત્તરાખંડના ચમોલીના લફથલની શિખરે અશ્મિઓના સ્વરૂપમાં સમુદ્રી જીવો છે ઉત્તરાખંડના ચમોલીમાં ૧૭ હજાર ફૂટ ઊચા લફથલના શિખરે સમુદ્રી જીવોની ચમત્કારિક દુનિયા છે. અહીં મગર, કાચબા, છીપ, વ્હેલ, શાર્ક, સર્પ અને સ્ટાર ફિશ જેવા સમુદ્રી જીવોની અસંખ્ય જાતિઓ તમારા સ્પર્શ માટે બેતાબ છે. કરોડો વર્ષના સમયગાળામાં પથ્થર બની ગઇ. આ પ્રજાતિઓ અહીં અશ્મિઓના સ્વરૂપમાં છે. લફથલ એવો વિસ્તાર છે જયાં પાંચ...
21fossil11
 
 
danik bhaskar

અમેરિકા જળવાયુ પરિવર્તન મુદ્દે ચેતવણી ન આપી શકેTuesday, December 22, 2009 17:43 [IST]

ભારતના જાણીતા પર્યાવરણવિદ્દ આર.કે. પચૌરીએ અમેરિકાના એ દાવાને ફગાવી દીધો હતો જેમાં તેણે જળવાયુ કરારના લક્ષ્યને પુરૂં કરવામાં જો ભારત નિષ્ફળ જાય તો તેને અમેરિકા ચેતવણી આપશે તેમ જણાવ્યું હતું. પચૌરીએ સાફ કર્યું હતું કે કોપેનહેગન કરારમાં અમેરિકાને એવો કોઇ અધિકાર આપવામાં આવ્યો નથી જેના અંતર્ગત તે ભારતના ઘરઆંગણાના મામલે હસ્તક્ષેપ કરી શકે. જળવાયુ પરિવર્તન પર અંતરસરકારી સમિતિ...
pachaury21
 
 
danik bhaskar

ભારત v/s વિદેશ: બાળકને ક્યાં ભણાવું ?Monday, December 21, 2009 13:53 [IST]

ચર્ચામાં જોડાવ : બાળકને તમે ક્યા ભણાવવાનું પસંદ કરશો ? ભારતમાં કે વિદેશમાં ? યુકે, યુએસએ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ભણવા અને કમાવા માટેની સ્થિતિ વૈશ્વિક મંદી આવ્યા બાદ તદન બદલી ગઈ હોવાના અહેવાલો સાપડી રહ્યા છે. વિદેશમાં વસતા અમારા વાચકોએ પણ પોતાના પ્રતિભાવો દ્વારાએ વાતનો સ્વિકાર કર્યો છે કે વિદેશમાં ભણવા અને કમાવા માટે અવે પહેલા જેવુ સરળ રહ્યું નથી. આ અંગેના...
flag1
 
 
danik bhaskar

છૂટાછેડા માટે પતિની મંજૂરી કેટલી જરૂરી ?Monday, December 21, 2009 00:16 [IST]

કેન્દ્રીય ઊર્જા મંત્રી સુશીલકુમાર શિંદેની પુત્રી સ્મૃતિએ પોતાના પતિ સંજય પહાડિયા સાથેથી છૂટાછેડાની અરજીમાં હિન્દુ મેરેજ એકટ હેઠળ છૂટાછેડા લેવાની જોગવાઇઓમાં ફેરફાર કરવાની માગણી કરી છે. પ્રશ્ન એ છે કે કોઇ મહિલા માનસકિ અને ભાવનાત્મક રીતે સંબંધ જાળવવા અસમર્થ હોય ત્યારે છૂટાછેડા માટે પતિની સંમતિની રાહ જોવા તેને મજબૂર કરવી જોઇએ કે નહીં ? હિન્દુ લગ્ન ધારો ૧૯૫૫ની કલમ ૧૩બીમાં...
DIVORCENEW
 
 
danik bhaskar

વિકાસ માત્ર આંકડામાં જSunday, December 20, 2009 18:22 [IST]

તેન્ડુલકર આયોગના રિપોર્ટ મુજબ દેશમાં ૪૨ ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. મતલબ કે આ લોકોની આવક રોજના દસ રૂપિયા પણ નથી



આપણે ચંદ્રયાન મોકલી ત્યાંથી પાણી શોધ કાઢ્યું. અવકાશ ક્ષેત્રે આપણે જબ્બર કુદકો લગાવ્યો છે અને દુનિયાને એવું કહી રહ્યા છીએ કે ભારત અર્થિક ક્ષેત્રે પણ આવી જ ઝડપથી આગળ વધી રહ્યું છે, પણ હાલમાં યોજના આયોગ દ્વારા જે આંકડા બહાર પાડવામાં આવ્યા છે તે જોયા બાદ આ વાત...

poor_india2
 
 
danik bhaskar

ઈમિગ્રેશન અને વિઝા પ્રક્રિયા માટે રૂ. ૧૦૧૧ કરોડનો પ્રોજેકટSaturday, December 19, 2009 00:07 [IST]

સરકાર ઈમિગ્રેશન, વિઝા અને વિદેશીઓની નોંધણી તથા તેમના ટ્રેકિંગ અંગે મજબૂત પ્રોજેકટ અમલમાં મૂકશે, જેથી પ્રવાસીઓને સલામત અને સંકલિત સેવાનું એક માળખું પૂરું પાડી શકાય. ગૃહમંત્રાલયની પરામર્શ સમિતિની બેઠકને સંબોધતાં ગૃહમંત્રી પી. ચિદમ્બરમે શુક્રવારે કહ્યું હતું કે રૂ. ૧૦૧૧ કરોડનો આ પ્રોજેકટ સાડા ચાર વર્ષમાં અમલમાં મુકાશે, જેની શરૂઆત એપ્રિલ-૨૦૧૦થી થશે. તેમાં ૭૭ ઈમિગ્રેશન ચેક...
immigration1
 
 
danik bhaskar

જ્ઞાતિ પ્રથાના મૂળ ઘણા ઊડા છેFriday, December 18, 2009 00:29 [IST]

ઉત્તરપ્રદેશમાં ત્રીસ વર્ષ પહેલાં ઊચી જ્ઞાતિવાળા લોકોએ આઠ દલિતોની હત્યા કરી નાખી હતી. તાજેતરમાં જ આ મામલે સુપ્રીમ કોર્ટે સજા ફટકારતાં દેશમાંથી જાતિવાદ દૂર કરવાનું સૂચન કર્યું હતું. સૂચન ઉચિત છે, પરંતુ શું તેના પર અમલ શક્ય છે ? શું કાયદો બનાવીને આ કુપ્રથામાંથી મુકિત મેળવી શકાય તેમ છે ?



જ્ઞાતિપ્રથાને નાબૂદ કરવા માટે સુપ્રીમ કોટર્ના સૂચન પર સમાજના વિવિધ વર્ગોમાં ઘણે હદ સુધી...

Cartoon11
 
 
danik bhaskar

ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ ઓસી નહિ યુકેMonday, December 14, 2009 11:02 [IST]

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલા વંશીય હુમલાને કારણે ત્યાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં મંદીને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે, આનો સીધો ફાયદો ઈંગ્લેન્ડને થઈ રહ્યો છે. ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 70 ટકાનો વધારો થયો હતો. મોટા ભાગના વિદ્યાર્થીઓ મીડિયા, ફેશન ડિઝાઈનિંગ અને...
british_flag1
 
 
danik bhaskar

વરવી વાસ્તવિકતા: દર ત્રીજો ભારતીય નિર્ધનMonday, December 14, 2009 00:55 [IST]

ભારત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ સમિતિના રિપોર્ટ અનુસાર દરેક ત્રીજો ભારતીય દ્રરિદ્રતામાં જીવન ગુજારી રહ્યો છે.

પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના પૂર્વ અધ્યક્ષ સુરેશ તેંડુલકરના નેતૃત્વવાળા વિશેષજ્ઞ સમૂહનું કહેવું છે કે દેશમાં ગરીબોની સંખ્યામાં લગભગ 10 ટકાની વૃદ્ધિ થઈ છે અને આ રીતે ભારતની કુલ વસ્તીમાં 37 ટકા ગરીબો છે.

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે 41.8 ટકા ગ્રામીણ...

Poor111
 
 
danik bhaskar

હજુ કેટલા ટુકડા થશે?Sunday, December 13, 2009 16:16 [IST]

- રાજકીય રોટલા શેકવાવાળા દેશની અખંડિતતાના ભોગે નવા રાજ્યની માગણી કર્યા કરે છે - કેન્દ્ર સરકારે તેલંગાનાને અલગ રાજ્યને દરજજો આપવાની તૈયારી બતાવ્યા બાદ અલગ રાજ્યની માગણી કરી રહેલા અન્ય વિસ્તારોનાં સ્થાનિક નેતાઓ હરકતમાં આવી ગયા છે આંધ્રપ્રદેશમાંથી તેલંગાનાને નવા રાજ્ય બનાવવાની કેન્દ્ર સરકારે તૈયારી બતાવ્યા બાદ આ રાજયાનાં બીજા વિસ્તારના ૧૧૭ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં...
india_states1
 
 
danik bhaskar

સપનું છે મુસ્લિમ વડાપ્રધાનSaturday, December 12, 2009 03:34 [IST]

કોંગ્રેસ મહામંત્રી રાહુલ ગાંધીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિધાર્થીઓ સાથેની ચર્ચામાં વડાપ્રધાન મુસલમાનને બનાવવાનું એક શરતે વચન આપ્યું કે તેમાં ક્ષમતા હોવી જોઇએ. બાલ ઠાકરેએ જણાવ્યું કે, રાહુલ દેશના માલિક નથી. ઠાકરેને મુસલમાનને વડાપ્રધાન બનાવવામાં વાંધો નથી, જો તે રામ જન્મભૂમિ પર મંદિર બનાવડાવે, સમાન નાગરિક સંહિતા લાગુ કરે અને વંદે માતરમ્ને અનિવાર્ય કરે.



દેશમાં ૧૩...

patel111
 
 
danik bhaskar

તેલંગાણાનું સત્યFriday, December 11, 2009 01:31 [IST]

આંધ્રપ્રદેશની રચનાની સાથે જ તેલંગાણાના મુદ્દાએ ચળવળનું સ્વરૂપ ધારણ કર્યું હતું. શું છે તેલંગાણા આંદોલનનો ઇતિહાસ ? શું છે તેનાં કારણો ? શોધતો એક અહેવાલ : કોણ છે ચંદ્રશેખર રાવ વિધાર્થી નેતાના રૂપમાં કોંગ્રેસમાંથી રાજકારણ શરૂ કરનારા કાલ્વકુંતલા ચંદ્રશેખર રાવે ૨૦૦૧માં નાયબ સ્પીકરના પદ પરથી રાજીનામું આપીને તેલુગુદેશમ પાર્ટી છોડી દીધી. કેબિનેટપ્રધાન ના બનાવતાં તેઓ નારાજ હતા...
rao1
 
 
danik bhaskar

તેલંગાણા ચળવળ વિષે જાણવા જેવુંThursday, December 10, 2009 19:02 [IST]

કહેવાય છેકે, સમય બડા બલવાન નહીં મનુષ્ય મહાન. કાબે અર્જુન લૂંટ્યો વહીં ધનુષ્ય વહીં બાણ. આજથી કરીને છ મહિના પહેલા આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો અને અલગ તેલંગાણા રાજ્યની માગ કરતા કે ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિની કારમી હાર થઇ હતી. ત્યારે આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યપ્રધાન વાય. એસ. રાજશેખરરેડ્ડીએ એવો ટોણો...

telangana11
 
 
danik bhaskar

જવાબદાર લોકો આપણને પ્રશ્ન પૂછે છેWednesday, December 9, 2009 02:18 [IST]

આ મોટી છેતરપિંડી છે. જળવાયુ બગાડવાવાળા મુઠ્ઠીભર છે. તેમના શિકાર અસંખ્ય. આપણા દેશની જ વાત કરો. આપણને પુરાવા સહિત છઠ્ઠાક્રમના ખરાબ ચિતરી દેવાયા છે. અર્થાત્ પાંચ દેશ જ હિન્દુસ્તાનથી વધુ ખરાબ છે અને દુનિયાનું વાતાવરણ ખરાબ કરી રહ્યા છે. આ જ છેતરપિંડી છે. કેવી રીતે?



આ વાતને કોપનહેગનમાં એકઠા થયેલા શાસનઅઘ્યક્ષો નહીં પરંતુ આપણી પોતાની ભાષામાં સમજીએ.શકિતશાળી ‘નોર્થ’નું...

climate11
 
 
danik bhaskar

વધતી ગરમી, ઊઠતા પ્રશ્નો...Monday, December 7, 2009 15:11 [IST]

પૃથ્વીનું તાપમાન વધતાં કલાઈમેટ ચેન્જ(જળવાયુ પરિવર્તન) થઈ રહ્યું છે અને ઋતુઓની અનિશ્ચિતતાનાં રૂપમાં તેનાં પરિણામો સામે આવી રહ્યાં છે. ૧૯૨ દેશોના પ્રતિનિધિઓ આજથી ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં યોજાનાર બેઠકમાં આ સમસ્યાનો સામનો કરવા તેમજ તેના ઉપાય પર મંજૂરી મેળવવાનો પ્રયત્ન કરશે. આ પ્રસંગે ભાસ્કર રિસર્ચ ટીમે ગ્લોબલ વોર્મિંગ અને તેના પડકાર સાથે જોડાયેલાં કેટલાંક તથ્યો...

4GLOB11
 
 
danik bhaskar

દુબઇ કટોકટી : ભારતનાં કેટલાંક ક્ષેત્રોને અસરFriday, December 04, 2009 00:14 [IST]

એક અહેવાલમાં જણાવ્યા મુજબ દુબઇ કટોકટી ભારતીય અર્થતંત્રના નિકાસ, રેમિટન્સ, બેન્કિંગ અને રિયલ એસ્ટેટ જેવા ગણતરીનાં ક્ષેત્રોને જ પ્રભાવિત કરશે અને અર્થતંત્રના ઔધોગિક વિકાસ જરાપણ પ્રભાવિત નહીં થાય. વર્તમાનમાં ગ્રાહકની માંગ અને ઔધોગિક વિકાસ જ ભારતીય અર્થતંત્રના વર્તમાન સુધારાને આગળ ધપાવી રહ્યા છે. સ્થાનિક આર્થિક પ્રોત્સાહનોની જ આ કમાલ છે. એચડીએફસી બેન્કના અહેવાલમાં જણાવ્યા...
dubai1
 
 
danik bhaskar

દુર્ઘટનાની તપાસ પૂરી થતાં સુધી નહીં ઉડે સુખોઇThursday, December 03, 2009 00:26 [IST]

રાજસ્થાનમાં સોમવારે સુખોઇ વિમાનની દુર્ઘટનાએ વાયુસેના મુખ્યાલયની ઊંઘ ઉડાડી દીધી છે. સાત મહિનાના સમયગાળામાં આ બીજી સુખોઇ દુર્ઘટના છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઉડ્ડયન દરમિયાન વિમાનમાં આગ લાગવાથી આ દુર્ઘટના સર્જાઇ છે. વાયુસેનાના ઉડ્ડયન સુરક્ષા નિર્દેશાલયની ટીમ દુર્ઘટનાની તપાસ કરી રહી છે. હવે, તપાસનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી સુખોઇ વિમાનના ઉડ્ડયન પર પ્રતિબંધ...
sukhoi11
 
 
danik bhaskar

યુનિયન કાર્બાઈડનું ઝેર આજે પણ જમીનમાં શોષાઈ રહ્યું છેWednesday, December 02, 2009 00:18 [IST]

ભોપાલમાં થયેલી ભયાનક ઔધોગિક દુર્ઘટનાના ૨૫ વર્ષ બાદ પણ યુનિયન કાર્બાઈડની ફેકટરીનું ઝેરી રસાયણ અહીંની જમીનમાં શોષાઈ રહ્યું છે. ફેકટરીથી ત્રણ કિમી દૂર સુધી આ રસાયણ માટી અને ભૂગર્ભ જળમાં છે. સીએસઈ અહેવાલમાં જણાવ્યું હતું કે અહીંના ભૂગર્ભજળમાં જંતુનાશકોના નિર્ધારિત માપદંડ કરતાં ૪૦ ગણા વધુ માત્રામાં આ રસાયણ છે. જયારે ફેકટરીની સૌથી નજીક તો આ પ્રમાણ ૫૬૧ ગણું વધારે છે. ફેકટરી અને...
union-carbied1
 
 
danik bhaskar

અહીં એઇડ્સ મુમ્બૈયાના નામે ઓળખાય છેTuesday, December 01, 2009 17:03 [IST]

આજે વિશ્વ એઇડ્સ દિવસ છે. સમગ્ર વિશ્વ ઉપર એઇડ્સનો પંજો ફેલાઇ રહ્યો છે. ત્યારે વિશ્વમાં એક ખૂણો એવો પણ છે કે, જ્યાં એઇડ્સનો ભોગ બનેલી વ્યક્તિને મુમ્બૈયા તરીકે ઓળખવામાં આવે છે. નેપાળના કાઠમાંડુમાં એઇડ્સગ્રસ્તને મુમ્બૈયા તરીકે ઓળખવામાં આવે છે. અહીં પૈસા માટે માતા પિતા તેની સગીર દિકરીઓને વેંચી દેતા હોય છે. જેમને મુંબઇમાં દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવે છે. જ્યારે તેમને એઇડ્સ થાય...
nepal1
 
 
danik bhaskar

ગ્લોબલ વોર્મિંગ : ગરમીને રોકવાનો ખર્ચTuesday, December 01, 2009 00:04 [IST]

પૃથ્વીના વધતા તાપમાનને રોકવું હશે તો કાર્બન ડાયોકસાઈડ, મિથેન, નાઈટ્રસ ઓકસાઈડ જેવા વાયુઓનું ઉત્સર્જન કરતા કામકાજોની પદ્ધતિ બદલવી પડશે. આ માટે ખર્ચાના માત્ર અનુમાનથી જ વિશ્વભરના અર્થશાસ્ત્રીઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને વર્લ્ડ બેંકના ભૂતપૂર્વ વરિષ્ઠ ઉપાઘ્યક્ષ નિકોલસ સ્ર્ટનએ જે આંકડા કાઢ્યા છે તેના પર ઘણી હદ સુધી મંજૂરી મળી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી ૧૦થી ૧૫ વર્ષમાં...
GLOBAL-WARMING1
 
 
danik bhaskar

ગ્લોબલ વોર્મિંગ - મુદ્દા, વિવાદ, લક્ષ્ય અને પડકારો`Monday, November 30, 2009 02:57 [IST]

જળવાયુના પરિવર્તનથી સૌથી વધુ જોખમનો સામનો કરી રહેલા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. પ્રત્યેક સદીમાં દેશની ધરતી નજીકની હવાનું તાપમાન ૦.૪ ડિગ્રી સેલ્સિયસ વધતું રહ્યું છે. વર્ષ ૨૦૫૦ સુધીમાં ઠંડીના દિવસોનું તાપમાન ૩.૨ અને ગર્મીનું તાપમાન ૨.૨ ડિગ્રી સુધી વધી શકે છે, તે સમયે ચોમાસુ વરસાદ ઘટશે અને શિયાળામાં થતા વરસાદના પ્રમાણમાં પણ ૧૦થી ૨૦ ટકા ઘટ પડવાની આશંકા સેવાઇ રહી છે. હિમાલયના...
GLOBALWARMING-NEW1
 
 
danik bhaskar

ભારત સેટેલાઈટ ક્રાયોજેનિક ટેકનિક વિકસાવી રહ્યું છેFriday, November 27, 2009 00:21 [IST]

ભારત છ ટન વજનના ઉપગ્રહને લોન્ચ કરવાની ક્ષમતા વિકસાવવા કેરોસીનનો ઉપયોગ કરીને ‘ સેમી-ક્રાયોજેનિક પ્રોપ્યુલઝન ટેકનોલોજી’ વિકસાવી રહ્યું છે.નવી ટેકનોલોજીનો વિકાસ થતાં દેશ વર્તમાનમાં જે કદના ઉપગ્રહને લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે તેના કરતાં ત્રણ ગણા કદના ઉપગ્રહને લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતું થશે.



ઇસરોના અઘ્યક્ષ કે. રાધાક્રિશ્નને જણાવ્યું હતું કે ક્રાયોજેનિક...

satellite_310
 
 
danik bhaskar

ચંદ્ર પર સંશોધનની અપાર તકો : ઇસરોMonday, November 23, 2009 16:40 [IST]

ચંદ્રયાન પ્રોજેક્ટના ડિરેક્ટર મયલસ્વામી અન્નાદુરાઇએ આજે જણાવ્યું હતું કે ચંદ્રયાન-i દ્વારા મળેલી માહિતી દર્શાવે છે કે ચંદ્ર પર સંશોધનની અપાર તકો રહેલી છે. તેમણે કહ્યું હતું કે ચંદ્રાયાન દ્વારા ભારત ચંદ્ર પર શોધ કરવાની પહેલ કરનારૂં રાષ્ટ્ર બન્યું છે. ચંદ્રાયાન દ્વારા ચંદ્ર પર પાણી હોવાની સાથે ખનિજ તત્વોનું અસ્તિત્વ હોવાની માહિતી મળી છે જેમાં ટાઇટેનિયમ જેવી ધાતુનો પણ...
chandrayaan21
 
 
danik bhaskar

"પાક.ના અણુ શસ્ત્રો આતંકવાદીઓના હાથમાં જઇ શકે"Monday, November 23, 2009 13:25 [IST]

રક્ષામંત્રી એ.કે. એન્ટોનીએ આજે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં સતત વધી રહેલા આતંકવાદી હુમલાઓથી એ વાતનો ભય ઉત્પન્ન થાય છે કે તેના અણુ હથિયારો ખોટા હાથમાં જઇ શકે અને તે ચિંતા ઉપજાવનારી બાબત છે. એન્ટોનિએ કહ્યું હતું કે હાલમાં દુનિયામાં ભાગ્યેજ કોઇ દેશ આતંકવાદનો ભોગ નહીં બન્યો હોય, પરંતુ હાલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં થઇ રહેલા આતંકવાદી હુમલાઓએ દક્ષિણ એશિયાને લડાઇ તેમજ...
ak31
 
 
danik bhaskar

શ્યામાપ્રસાદ મુખરજીના મૃત્યુ અંગેનો રેકોર્ડ જ નથીSunday, Nov 22nd, 2009, 11:21 [IST]

જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીનું મૃત્યુ પંચાવન વર્ષ પહેલાં જમ્મુ-કાશ્મીરની જેલમાં થયું હતું તે અંગે સરકાર પાસે કોઈ દસ્તાવેજ છે કે કેમ તે એક રહસ્ય છે. ગૃહમંત્રાલયના અધિકારીઓ પાસે પણ તેનો કોઈ સ્પષ્ટ જવાબ નથી, જેને કારણે તેમણે આરટીઆઈ હેઠળ પુછાયેલા આ સવાલનો ‘સંતોષકારક’ જવાબ આપ્યો નથી.



ઓલ ઈન્ડિયા લીગલ એઈડ ફોરમના કાર્યકર જયદીપ મુખરજીએ માહિતી અધિકાર(આરટીઆઈ) એકટ હેઠળ...

mukharjee11
 
 
danik bhaskar

સંસદમાં ગુજરાતી સહિત ૭ ભાષાના અનુવાદનો અભાવSaturday, Nov 21st, 2009, 2:25 [IST]

લોકસભામાં કોઈ પણ સભ્ય તે ૨૨ ભારતીય ભાષાઓમાં બોલી શકે છે, જેનો દેશના બંધારણની ૮મી અનુસૂચિમાં સમાવેશ કરાયેલો છે.

પરંતુ ૭ ભાષાઓ એવી છે, જેમને તાત્કાલિક હિન્દી કે અંગ્રેજીમાં સમજાવી શકાતી નથી. લોકસભા બુલેટિન અનુસાર ગુજરાતી સહિતની સાત ભાષાઓના હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદની સુવિધા નથી.

તેના માટે ઓછામાં ઓછો અડધો કલાકની નોટિસ આપવી જરૂરી છે. જો કે, સરકાર આ ભાષાઓના...

Praliament111111
 
 
danik bhaskar

ઇન્દિરા ગાંધીના જન્મદિને રાષ્ટ્રે અંજલિ અર્પણ કરીThursday, Nov 19th, 2009, 1:31 [IST]

દેશના પહેલા અને એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને આજે તેમના 92મા જન્મદિને પુષ્પો તેમજ અન્ય વિધિથી અંજલિ અર્પણ કરવામાં આવી હતી.

યમુના નદીના કિનારે આવેલા તેમના સ્મારક શક્તિ સ્થળ પર આજે વહેલી સવારે તેમની યાદગીરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્ત્રી અને બાળકોના વિકાસ મંત્રી ક્રિષ્ના તિર્થે 'લોખંડી મહિલા'ની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ભારતના...

ig_310_01
 
 
danik bhaskar

ભારત વિશ્વમાં 84મો સૌથી ભ્રષ્ટાચારી દેશWednesday, November 18, 2009 13:40 [IST]

વહિવટમાં પારદર્શિતા પરના આંતરરાષ્ટ્રીય સ્તરના વાર્ષિક અહેવાલમાં ભારતનું સ્થાન હજૂપણ ટોચના ભ્રષ્ટાચારી દેશોમાં સામેલ છે. આ વર્ષના રીપોર્ટમાં દુનિયાના 180 દેશોમાંથી ભારતને સ્થાન 84 આપવામાં આવ્યું છે. જાહેરવહીવટમાં ચાલતા ભ્રષ્ટાચારના આધારે ભારતને આ સ્થાન આપવામાં આવ્યું છે. ભ્રષ્ટાચાર પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાએ રીલિઝ કરેલા આ રીપોર્ટમાં પહેલીવાર ટેક્સહેવન...
corruption21
 
 
danik bhaskar

ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારત ૮૪મા સ્થાનેWednesday, November 18, 2009 00:11 [IST]

ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ દ્વારા વિશ્વના સૌથી ભ્રષ્ટ ૧૮૦ દેશોની તૈયાર કરવામાં આવેલી યાદીમાં ભારત ૮૪મા ક્રમે છે. ભ્રષ્ટાચારની બાબતમાં ભારત ભુતાન, ચીન, સર્બિયા, બર્કીના ફાસો, પેરૂ અને ઘાનાથી પણ આગળ છે. પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા કરતાં ભારતની સ્થિતિ સારી છે. યાદીમાં ભુતાન ૪૯, ઘાના ૬૯, પેરૂ ૭૫, બુર્કીના ફાસો ૭૯ અને સર્બિયા ૮૩મા ક્રમે છે. વિશ્વના સૌથી...
india31
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB