Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Divya Bhaskar

વિધાન પરિષદની પૂણે બેઠક પર NCPનાં વંદના ચવ્હાણ બિનહરીફ ચૂંટાશેThursday, March 11, 2010 00:42 [IST]

વિધાન પરિષદની પૂણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા બેઠકની ચૂંટણીમાં શિવસેના- ભાજપ યુતિએ પીછેહઠ કરતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં એકમાત્ર ઉમેદવાર વંદના ચવ્હાણ બિનહરીફ ચૂંટાઈ આવવાની શકયતા નિશ્ચિત બની છે. આ બેઠક પર એનસીપીનું પ્રભુત્વ જોતા શિવસેના અને ભાજપે અહીંથી ચૂંટણી લડવાનો વિચાર માંડી વાળ્યો હતો.રાષ્ટ્રવાદી કોંગ્રેસના પુણે એકમનાં પ્રમુખ વંદના ચવ્હાણ મંગળવારે ઉમેદવારીપત્ર...
 
 
Divya Bhaskar

પુણે ધડાકામાં નાશ પામેલી જર્મન બેકરી ફરી શરૂ થશેTuesday, March 09, 2010 02:00 [IST]

પોલીસે જગ્યાનો કબજો લેવાની મૌખિક પરવાનગી આપી, પણ તેનો માલિક સત્તાવાર અને લેખિત પરવાનગીની રાહ જુએ છે સત્તર જણનો ભોગ લેનારા અને પચાસથી વધુને ઇજા પહોંચાડનારા પુણેના જર્મન બેકરીમાં થયેલા બોમ્બ ધડાકાના ત્રણ સપ્તાહ બાદ પોલીસે અહીં બેકરીના માલિકને તેનો કબજો લેવાની મૌખિક પરવાનગી આપી હતી. જોકે માલિક ખારોશે કુટુંબને એક સમયે ઘરાકોથી ધમધતી રહેતી અને શહેરમાં રહેનારા વિદેશીઓની...
 
 
danik bhaskar

પુણેમાં સ્વાઈન ફ્લૂથી વધુ બેનાં મોત: મરણાંક ૨૦૧Monday, March 08, 2010 01:11 [IST]

ગત ૨૪ કલાકમાં પુણેની સાસૂન અને દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં બે જણનાં સ્વાઈન ફ્લૂથી મોત નીપજયાં હતાં, જેની સાથે પુણેમાં મરણાંક ૨૦૧ ઉપર પહોંચ્યો છે. ઘોરપડી પેઠ ખાતે રહેતા ૬૧ વર્ષીય રઘુનાથ પવાર અને બળગાવના ધીરજ ચોરડિયા (૨૬)નાં સ્વાઈન ફ્લૂને કારણે મોત નીપજયાં હતાં. બંનેને તબિયત સતત લથડતી હોવાથી જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. છેલ્લે તેમને સાસૂન અને...
swinflu5[1]1
 
 
danik bhaskar

રાજ ઠાકરેની હાજરીમાં આશા ભોસલેએ કહ્યું ‘મુંબઈ બધાનું છે’Wednesday, March 03, 2010 00:09 [IST]

‘મેં પણ સખત મહેનત કરી છે તેને કારણે મને જે મળવાનું હતું તે કોઈ ઝૂંટવી શક્યું નથી’, એમ મહાન ગાયિકાએ કહ્યું હતું ‘મુંબઈ બધા માટે છે’, એવું નિવેદન કરવું આજ કાલ સહજ થઈ ગયું છે પણ પ્રખ્યાત ગાયિકા આશા ભોસલેએ રવિવારે અહીં મુંબઈ શહેર બધા માટે છે એમ કહેવાની સાથોસાથ યોગ્ય અને ચોક્કસ તર્ક પણ આપ્યો હતો. આ વાત તેમણે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના અઘ્યક્ષ રાજ ઠાકરેની હાજરીમાં કહી...
asha_raj1
 
 
danik bhaskar

જર્મન બેકરી કેસના ફૂટેજનું પ્રસારણ નહીં કરાયFriday, February 26, 2010 00:19 [IST]

અત્રે જર્મન બેકરીમાં થયેલા ધડાકાનું સીસીટીવી ફૂટેજ ન્યૂઝ ચેનલો પર પ્રસારિત નહીં કરવા માટે કોર્ટ આદેશ આપ્યા છે. સાક્ષીદારો અને તપાસમાં અવરોધ નહીં આવે તેને ઘ્યાનમાં રાખીને આ બંધી લાદવામાં આવી છે. મહારાષ્ટ્ર એટીએસે કોર્ટમાં અરજી કરતાં આ આદેશ આવી પડયો હતો, એમ પુણે કમિશનર ડો. સત્યપાલ સિંહે જણાવ્યું હતું. બેકરી સામે હોટેલમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરામાંનું ફૂટેજ પણ પ્રસારિત...
backer11
 
 
danik bhaskar

પુના બ્લાસ્ટ - CCTV ફૂટેજનું પ્રસારણ નહીંThursday, February 25, 2010 12:44 [IST]

પુનાની કોર્ટે જર્મન બેકરીમાં થયેલા વિસ્ફોટ સંબંધિત સીસીટીવી વિડિયો ફૂટેજને પ્રસારિત કરવા પર પ્રતિબંધ મુક્યો છે. સાક્ષીઓની ઓળક અને તપાસની ગતિને કોઇ ક્ષતિ ન પહોંચે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.



પુનાના પોલીસ કમિશ્નર સત્યપાલસિંહ અને મહરાષ્ટ્ર એટીએસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ નિર્ણય લેવામાં આવ્યો હતો.



પુના પોલીસના કહેવા પ્રમાણે પુના વિસ્ફોટની...

GERMAN11
 
 
danik bhaskar

પૂણે બ્લાસ્ટમાં વધુ એકનું મોત, કુલ મૃત્યુઆંક 16 થયોWednesday, February 24, 2010 16:50 [IST]

પૂણેમાં 13 ફેબ્રુઆરીના રોજ જર્મન બેકરીમાં થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલ 21 વર્ષીય યુવકે બુધવારે સવારે છેલ્લા શ્વાસ લીધા હતાં. આની સાથે જ હુમલામાં મૃતકોની સંખ્યા 16 થઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર અલફતેહ સુલેમાન પૂણેના જહાંગીર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતો. સવારે 5.15 વાગ્યે તેનું મોત થયું હતું, સુલેમાન પૂણેની કોલેજમાં બીએનો વિદ્યાર્થી હતો. તેના મોતની સાથે જ વિસ્ફોટમાં મૃત્યું...
PUNE_blast1
 
 
danik bhaskar

"અભિનવ ભારતને પુણે બ્લાસ્ટ સાથે સાંકળવી વાંધાજનક"Wednesday, February 24, 2010 01:00 [IST]

પુણેના બોમ્બ ધડાકા સાથે ‘અભિનવ ભારત’ નામની હિન્દુત્વ સંસ્થાને સાંકળતા સમાચાર માઘ્યમોના અહેવાલો બાબતે સખત વાંધો લેતાં સંસ્થાનાં પ્રમુખ હિમાની સાવરકરે મંગળવારે કહ્યું હતું કે, તપાસકર્તા સંસ્થાઓ જર્મન બેકરીમાં થયેલા ધડાકામાં સંડોવાયેલા ત્રાસવાદીઓને શોધી કાઢવામાં પોતાને મળેલી નિષ્ફળતાને ઢાંકવાના આશયથી ‘પાયાવિહોણી વાતો’ વહેતી કરે છે. સાવરકરે પુણેમાં જણાવ્યું હતું કે,...
 
 
danik bhaskar

પૂણે બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા 15 થઈSunday, February 21, 2010 17:53 [IST]

પૂણેની જર્મન બેકરીમાં થયેલા બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે વિદ્યાર્થીઓના આજે રવિવારે સવારે મોત થયા હતાં. જેથી આ ઘટનામાં મૃતકોની સંખ્યા 15 થઈ જવા પામી છે. પૂણે પોલીસ કંટ્રોલ રૂમના એક અધિકારીએ જણાવ્યું હતું કે 24 વર્ષીય વિકાસ સુરેશ તુલસિયાની અને 23 વર્ષીય રાજીવ અગ્રવાલનું જહાંગીર હોસ્પિટલમાં મોત થયું હતું. જોકે હજી અન્ય પાંચ ઘાયલો સારવાર હેઠળ છે. જેમની હાલત ખૂબ જ નાજૂક છે,...
ARV_PUNE_FOREIGN_32524e11111
 
 
danik bhaskar

પૂણે: દ્વિચક્રી વાહન ચાલકોને ચહેરો નહીં ઢાંકવાની સૂચનાSunday, February 21, 2010 02:52 [IST]

સ્ત્રી વાહનચાલકોને કરાયેલી ખાસ તાકિદ : કોરેગાંવ પાર્ક વિસ્તાર સિવાય બીજે ચાલકો મોં-ચહેરો ઢાંકી શકે છે પુણેની જર્મન બેકરીમાં બોમ્બ ધડાકો થયાના એક અઠવાડિયા બાદ શહેરની પોલીસે લોકોને અને ખાસ કરીને સ્ત્રીઓને દ્વિ-ચક્રી વાહન ચલાવતી વખતે પોતાનો ચહેરો સ્કાર્ફ કે અન્ય રીતે નહિ ઢાંકવાની તાકિદ કરી છે, કારણ કે શંકાસ્પદ તત્ત્વો પોતાની ઓળખ છૂપાવવા માટે તેનો ખોટો લાભ લેવાની સંભાવના...
two_wheelers1
 
 
danik bhaskar

જર્મન બેકરી બ્લાસ્ટમાં મરણાંક વધીને ૧૩નો થયોSunday, February 21, 2010 00:10 [IST]

પુણેની જર્મન બેકરીમાં થયેલા બોમ્બ ધડાકામાં ઈજા પામેલો સુદાનવાસી વિદ્યાર્થી મૃત્યુ પામતા ત્રાસવાદી હુમલામાં થયેલા મરણનો આંક વધીને ૧૩નો થયો હતો. અહીં વાડિયા કોલેજમાં બીએસસીનો અભ્યાસ કરતો ૨૬ વર્ષનો સુદાનવાસી નાગરિક અમજદ એલ્ગેઝોલી ઇન્લેક બુધરાની હોસ્પિટલમાં શુક્રવારની રાતના મૃત્યુ પામ્યો હતો, એમ હોસ્પિટલના સત્તાવાળાઓએ શનિવારે જણાવ્યું હતું. અતુલ ગણપત અનવ નામના એક...
german_bakery1
 
 
danik bhaskar

વિસ્ફોટ પગલે પૂણે પોલીસનો તઘલઘી ફરમાનSaturday, February 20, 2010 16:28 [IST]

મુંબઈના ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલા બાદ સૌપ્રથમવાર મહારાષ્ટ્રમાં વધુ એક મોટો ત્રાસવાદી હુમલો થયો હતો. પુણેના કોરેગાંવ પાર્ક સ્થિત ઓશો આશ્રમની નજીકની જર્મન બેકરીમાં ગત શનિવાર 13 તારીખે સાંજે ૭-૩૦ વાગ્યે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં નવનાં મોત થયા હતા અને ૫૩ને ઈજા થઈ હતી. જેના પગલે પૂણે પોલીસ તંત્રએ કડક તપાસ અભિયાન હાથ ધર્યું છે. પૂણે પોલીસ સરકારે વિસ્ફોટના એક અઠવાડિયા બાદ એવી જાહેરાત...
bukani11[1]1
 
 
danik bhaskar

જર્મન બેકરી નેતાઓ માટે ‘પિકનિક સ્પોટ’ બની છેFriday, February 19, 2010 00:12 [IST]

બોમ્બધડાકા બાદ પુણેના પોશ વિસ્તાર કોરેગાવ પાર્ક સ્થિત પ્રખ્યાત જર્મની બેકરી નેતાઓ માટે ‘પિકનિક સ્પોટ’ બની ગયો છે. મિડિયા અને આમ જનતાને આ જગ્યાથી ૨૦૦ મીટર દૂર રાખવામાં આવે છે, પરંતુ નેતાઓ તેમના સેંકડો કાર્યકરો સાથે છેક સુધી જઈને સ્થળદર્શન કરી આવે છે. શનિવારે જર્મન બેકરીમાં ધડાકો થયો ત્યારથી ગઈ કાલ સુધી ૧૪થી વધુ પ્રધાન- નેતાઓ તેમના સેંકડો કાર્યકરો સાથે જર્મન બેકરીની મુલાકાત...
germen12
 
 
danik bhaskar

પૂણે ધડાકામાં હેડલીની સંડાવણીની કડી હાથ લાગીThursday, February 18, 2010 00:14 [IST]

પૂણે ધડાકા સાથે અમેરિકામાં પકડાયેલો આતંકવાદી ડેવિડ હેડલીની સંડોવણી હોવાની કડી પોલીસને મળી છે. અમુક લોકોની પૂછપરછમાંથી આ કડી મળી છે અને તેને લઈ ટૂંક સમયમાં સૂત્રધારોની ધરપકડ કરવાની આશા જાગી છે. જર્મન બેકરીમાં ધડાકા કરવા માટે અમુક સ્થાનિક આતંકવાદી મોડ્યુલ્સ દ્વારા મહારાષ્ટ્રના બહારના કેટલાક લોકોની મદદ સાથે કરાયો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.આ કેસની તપાસ અર્થે બેંગ્લોર...
headly21
 
 
danik bhaskar

પૂણે વિસ્ફોટમાં રિમોટનો ઉપયોગ: કમિશનરWednesday, February 17, 2010 20:08 [IST]

તાજેતરમાં પૂણે ખાતેની જર્મન બેકરીમાં થયેલ વિસ્ફોટમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે સઘન તપાસ આદર્યા બાદ આજે બુધવારે માહિતી આપી હતી કે વિસ્ફોટ કરવા માટે આતંકીઓએ રિમોન્ટ કંટ્રોલનો ઉપયોગ કર્યો હતો.



પત્રકારોને માહિતી આપતા પૂણે કમિશનરે જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસ બાદ એવું જાણવા મળ્યું છે કે વિસ્ફોટ કરવામાં આતંકવાદીઓએ રિમોંટ કંટ્રોલનો ઉપયોગ કર્યો છે, જોકે તેમણે...

blstpune-blast11
 
 
danik bhaskar

MNIK ને સુરક્ષા આપતા પુનામાં ધડાકો થયો – બિટ્ટાWednesday, February 17, 2010 16:42 [IST]

ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ એમ. એસ. બિટ્ટાએ આક્ષેપ મુક્યો છેકે, શાહરૂખખાનની ફિલ્મ માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા જતા ખામી ઊભી થઇ હતી. જેના કારણે આતંકવાદીઓ હુમલાને અંજામ આપવામાં સફળ રહ્યાં હતા. બિટ્ટાના કહેવા પ્રમાણે નબળી પડેલી સુરક્ષા વ્યવસ્થાની તકનો લાભ પુનામાં રહેલા આઇએસઆઇના સ્લીપર સેલે લીધો હતો અને આતંકવાદી હુમલાને અંજામ આપ્યો હતો. બિટ્ટાએ પુનાના...
bitta1
 
 
danik bhaskar

અલ અલામીએ પુનાના વિસ્ફોટોની જવાબદારી સ્વીકારીWednesday, February 17, 2010 11:41 [IST]

લશ્કર-એ-તૈયબામાંથી છુટા પડેલા સંગઠન અલ અલગામીએ પુનામાં થયેલા બોમ્બ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે. કેટલાક અખબારોને મોકલવામાં આવેલા સંદેશામાં અબુ જિંદલ નામના શખ્સે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. તે પોતાને આ સંગઠનનો વડો ગણાવે છે. આ સંગઠન લશ્કર-એ-તૈયબામાંથી છુટુ પડ્યું છે. અબુ જિંદલે ભારત અથવા પાકિસ્તાનની અમેરિકા સાથેની મૈત્રીને વખોડી હતી અને કહ્યું હતુંકે, આવા કોઇપણ...
al-alimi1
 
 
danik bhaskar

પુણે, મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટમાં સમાનતા: આઈજીWednesday, February 17, 2010 09:43 [IST]

મહારાષ્ટ્ર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે જર્નમ બેકરી અને 2006માં મુંબઈ લોકલ ટ્રેનમાં થયેલ બોમ્બ વિસ્ફોટમાં સમાનતા જોવા મળી રહી છે તથા બન્ને વિસ્ફોટમાં એક જ પ્રકારનો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પુણે વિસ્ફોટમાં આરડીએક્સનો ઉપયોગની પૃષ્ટિ કરતા રશ્મિ શુક્લાએ જણાવ્યું હતું કે ફોરેન્સિક રિપોર્ટના જણાવ્યાં અનુસાર પુણેમાં શનિવારે થયેલ બોમ્બ વિસ્ફોટમાં આરડીએક્સ,...
Bomb-Blast1
 
 
danik bhaskar

જર્મન બેકરીને ફરીથી ઊભી કરવાનો તેના માલિકનો નિર્ધારWednesday, February 17, 2010 00:36 [IST]

જર્મન બેકરીમાં થયેલા બોમ્બ સ્ફોટ બાદ સરકારે મૃતકોનાં સગાંને, ઈજાગ્રસ્તોને મદદની જાહેરાત કરી હતી પણ સ્ફોટને કારણે સંપૂર્ણપણે નાશ પામેલી બેકરીને નુકસાન ભરપાઈ કરવા વિશે સરકારે હજી સુધી એક શબ્દ કહ્યો નથી કે નથી તેના માલિકને કોઈ પણ પ્રકારની મદદનું આશ્વાસન મળ્યું.



હંમેશાં દેશી-વિદેશી ખાનારાઓની ગિરદીથી ભરચક રહેનારી કોરેગાવ પાર્કની પ્રખ્યાત બેકરીમાં શનિવારે સાંજે બોમ્બ...

germen-backery21
 
 
danik bhaskar

પુણે વિસ્ફોટ: ૪ની અટકાયત મોહસીનની આકરી તપાસWednesday, February 17, 2010 00:19 [IST]

પુણેમાં જર્મન બેકરી ખાતે થયેલા બોમ્બસ્ફોટમાં સંડોવાયેલા ચાર શકમંદોને પોલીસે કબજામાં લીધા હતા. બન્ને ‘ઈન્ડિયન મુજાહિદ્દિન’ નામના હાઈટેક ત્રાસવાદી જૂથ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. એકને જનવાડી વિસ્તારમાંથી તો બીજાને કુદાળવાડી પરિસરમાંથી પકડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બેને અન્ય વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા છે. આ વિસ્ફોટમાં સ્થાનિક લોકોનો સહકાર હોવાનું સ્પષ્ટ થઈ...
rizwan-bhatkal21
 
 
danik bhaskar

પુણે ધડાકામાં આરડીએક્સ અને એમોનિયમ નાઈટ્રેટના ઉપયોગને મળેલું સમર્થનWednesday, February 17, 2010 00:06 [IST]

પુણે બોમ્બધડાકામાં આરડીએક્સ, એમોનિયમ નાઈટ્રેટ, પેટ્રોલિયમ હાઈડ્રો કાર્બન સેલનો ઉપયોગ કરાયો હતો તે વાતને પોલીસ કમિશનર ડો. સત્યપાલ સિંહે મંગળવારે સમર્થન આપ્યું હતું. ફોરેન્સિક લેબનો અહેવાલ સોમવારે રાત્રે અમને મળી ગયો છે અને ઉક્ત વિસ્ફોટક સામગ્રીઓનો બોમ્બધડાકામાં ઉપયોગ કરાયો હતો તે સિદ્ધ થઈ ચૂક્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. જર્મન બેકરીમાં ટેબલ નીચે બેગમાં આ વિસ્ફોટક...
 
 
danik bhaskar

આતંકવાદીઓ બની રહ્યાં છે હાઇટેકTuesday, February 16, 2010 12:59 [IST]

પુનાના ધડાકાની તપાસ કરવા માટે ગાંધીનગરની ફોરેન્સિક સાઇન્સ લેબોરેટરીના આસિસ્ટન્ટ ડારેટકર એમ. એસ. દહિયાના નેતૃત્વમાં એક ટીમ પુના પહોંચી હતી. જેને ધડાકા માટે કયા-કયા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેનો અહેવાલ આપી દીધો છે. ફોરેન્સિક એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે પુનાનો ધડાકો કરવા માટે અને અમદાવાદમાં શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટો કરવા માટે વાપરવામાં આવેલા પદાર્થો અલગ-અલગ હતાં....
pune-blast1
 
 
danik bhaskar

પુણે બોમ્બ વિસ્ફોટ: બે શંકાસ્પદની અટકાયતTuesday, February 16, 2010 16:29 [IST]

મંગળવાર સવારે જર્મન બેકરી બોમ્બ વિસ્ફોટ કેસમાં પોલીસે ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલા બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે એક શંકાસ્પદની અટકાયત પુણેના જનવાડી વિસ્તાર અને અન્યની ઔદ્યોગિક કસ્બે પિમ્પરીના કુડાલવાડીમાંથી કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યાં અનુસાર કુડાલવાડી વિસ્તારમાંથી અટકાયત કરાયેલ એક શંકાસ્પદ આરોપી ઈન્ડિયન...

pune-bomb-blast1112
 
 
danik bhaskar

હેડલીની ગર્લફ્રેન્ડે હિમાચલમાં રેકી કરી હતીTuesday, February 16, 2010 11:29 [IST]

પુણે વિસ્ફોટમાં હેડલીનું નામ આવવાથી હિમાચલમાં પણ ચિંતા વધી રહી છે કારણ કે હેડલી તેની એક મહિલા મિત્ર સાથે હિમાચલના મનાલી અને શિમલામાં ધૂમ મચવી ચુક્યો છે. ખાસ વાત તો એ છે કે મનાલીમાં તેણે ખ્વાદ હાઉસનો પ્રવાસ કર્યો હતો જ્યાં તે શિમલામાં રોકાયા હતાં ત્યાં સંવેદનશીલ રાષ્ટ્રપતિ નિવાસ અને પ્રિયંકા ગાંધીનું મકાન આવેલું છે.



મુંબઈ હુમલા બાદ હેડલી સાથે સંકળાયેલ ઘણાં રહસ્યો ખુલી...

headly1111
 
 
danik bhaskar

સોલાપુરઃ બે જૂથના ઝઘડામાં ૮ને જીવતા સળગાવાયાTuesday, February 16, 2010 02:54 [IST]

સોલાપુરના માઢાના નિમગાવમાં પારધી સમાજનાં બે જૂથના ઝઘડામાં ૮ પારધીને રાતના ઊઘમાં જ જીવતા સળગાવીને મારી નાખવાનો ક્રૂર બનાવ બન્યો હતો. આ ઘટનામાં પોલીસે એક મહિલા સહિત ૧૪ જણની ધરપકડ કરી હોઈને તપાસ ચાલુ છે.



નિમગાવમાં રહેનારા પારધી સમાજના કાર્યકર્તા અને ઝુંબરબાઈ ભૈરુ કાળે વચ્ચે ઝઘડો હતો. પારધી સમાજનું કલ્યાણ કરવાનું રાજકીય શ્રેય આંચકી લેવાના મામલે પવાર-કાળે વચ્ચે હંમેશાં...

 
 
danik bhaskar

અમેરિકા-બ્રિટને ભારત આવતા નાગરિકોને સાવચેત કર્યાMonday, February 15, 2010 18:17 [IST]

પૂનામાં થયેલા બોમ્બ ધડાકાઓના પગલે અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ ટ્રાવેલ એડવાઇજરી બહાર પાડી છે. જે અંતર્ગત નાગરિકોને સાવચેત રહેવા અને લો-પ્રોફાઇલ રહેવા જણાવ્યું છે. અમેરિકાએ બહાર પાડેલ ટ્રાવેલ એલર્ટમાં જણાવ્યા પ્રમાણે પૂનામાં થયેલો બોમ્બ વિસ્ફોટ એ વાતનું પ્રતિક છેકે, આતંકવદાઓ અમેરિકનો કે પશ્ચિમી દેશના લોકો નિશાન બનાવી શકે છે. ખાસ કરીને જે સ્થળોએ પશ્વિમી દેશોના લોકોની...
blast-121
 
 
danik bhaskar

પૂણે વિસ્ફોટનો માસ્ટરમાઇન્ડ કોણ?Monday, February 15, 2010 03:02 [IST]

ઓશો આશ્રમ અને છાબડ હાઉસની નજીક જર્મન બેકરીમાં શનિવારે મોડી સાંજે સાડાસાત વાગ્યે થયેલા ધડાકાનું રહસ્ય ઉકેલવા રાષ્ટ્રીય તપાસ એજન્સી (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી-એનઆઈએ), સીબીઆઈ, એટીએસ તથા ગુપ્તચર તંત્રના અધિકારીઓ સક્રિય થયા છે. સૌનું લક્ષ્ય હુમલા વિસ્ફોટના માસ્ટરમાઈન્ડને શોધવાનું છે.

ડેવિડ હેડલી ઉર્ફે દાઉદ ગિલાની (૪૯)નો આ હુમલામાં હાથ હોવાની શંકા છે. હેડલીએ કોરેગાંવ...

bomb111
 
 
danik bhaskar

હેડલીને તાબામાં લેવા ભારત સરકાર પ્રયત્નશીલMonday, February 15, 2010 00:38 [IST]

‘‘હાલમાં અમેરિકા ખાતે કાનૂની ખટલાનો સામનો કરતા શંકાસ્પદ ત્રાસવાદી ડેવિડ હેડલીને તાબામાં લેવા માટે ભારત સરકાર પ્રયત્નશીલ છે, જેથી તેને પૂછપરછ કરીને આતંકવાદી કાવતરા વિશે માહિતી મેળવી શકાય. રવિવાર રાતના ધડાકામાં તેની સંડોવણી અંતે પણ માહિતી સ્પષ્ટતા જરૂરી છે. આ બાબતમાં કેટલીક કાયદાની અડચણો છે, પરંતુ સરકાર પ્રયત્નશીલ છે,’’ એમ કેન્દ્રના ગૃહપ્રધાન પી. ચિદંબરમે પત્રકાર પરિષદને...
 
 
danik bhaskar

બેકરી સામેની હોટેલમાંથી મેળવેલા સીસીટીવી ફૂટેજની તપાસMonday, February 15, 2010 00:30 [IST]

પુણે સ્થિત જર્મન બેકરી સામેની હોટેલમાંથી મેળવવામાં આવેલા સીસીટીવી ફૂટેજને આધારે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે (એટીએસ) તપાસ હાથ ધરી છે. જર્મન બેકરી સામે જ ‘ઓ’ નામે હોટેલ છે. આ હોટેલની બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમાં શકમંદ આતંકવાદી કેદ થયો હોઈ શકે છે, જે ફૂટેજને આધારે હવે એટીએસે તપાસ હાથ ધરી છે, એમ કાયદો અને વ્યવસ્થા સંભાળતાં ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ રશ્મિ શુક્લાએ...
blast1
 
 
danik bhaskar

પૂણે વિસ્ફોટ સોફ્ટ ટાર્ગેટ હતો : ચિદમ્બરમMonday, February 15, 2010 00:26 [IST]

‘‘પૂણેમાં થયેલો વિસ્ફોટ ગુપ્તચર તંત્રની નિષ્ફળતાને કારણે નહીં પણ ‘સોફ્ટ ટાર્ગેટ’ મનાતા સ્થળે યુક્તિપૂર્વક ગોઠવાયેલા બોમ્બને કારણે હતો, પુણે પહેલેથી જ ત્રાસવાદીઓના નિશાન પર હતું’’ એમ કેન્દ્રના ગ્રહ પ્રધાન પી. ચિદંબરમે જણાવ્યું હતું. વિસ્ફોટના સ્થળની મુલાકાત અને હોસ્પિટલોમાં ઘાયલો સાથે વાતચીત કર્યા બાદ ચિદંબરમે જણાવ્યું હતું કે ‘‘યહૂદીઓના છાબડ હાઉસ તેમ જ ઓશો આશ્રમ જ્યાં...
chiddu3
 
 
danik bhaskar

પુણે એટીએસને વધુ મજબૂત બનાવો: ડો. નીલમ ગોરેMonday, February 15, 2010 00:23 [IST]

પુણે શહેરની જર્મન બેકરીમાં આતંકવાદીઓએ કરેલા વિસ્ફોટની તપાસ પુણે એટીએસને સોંપવામાં આવી છે. આ એટીએસ ટુકડીને વધુ મનુષ્યબળની જરૂર હોવાનું શિવસેનાનાં પ્રવક્તા ડો. નીલમ ગોરેએ જણાવ્યું હતું. શનિવારે રાતે પુણે શહેરના કોરેગાંવ પાર્કની જર્મન બેકરીમાં બોમ્બધડાકો થયા પછી ડો. નીલમ ગોરે અને સ્થાનિક શિવસેના વિભાગ પ્રમુખ શામ દેશપાંડેએ બુધરાની હોસ્પિટલ અને રુબી હોસ્પિટલમાં જઈને ઘાયલોના...
 
 
danik bhaskar

પુણે બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર 9 માંથી 2 વિદેશીઃ પોલીસSunday, February 14, 2010 22:08 [IST]

ગઈકાલે પૂણેમાં આવેલ જર્મન બેકરીમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ પામનાર 9 લોકોમાં 2 વિદેશીઓનો સમાવેશ થાય છે.

પૂણે વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોની ઓળખ જાહેર કરતા શહેર પોલીસ કમિશનર સત્યપાલ સિંઘે જણાવ્યું હતું કે 9માંહી 2 લોકો વિદેશી નાગરીકાતા ધરાવતા હતાં. જેમાંથી નદીઆ મતેરીનીઆ ઉમર 37, ઓશો આશ્રમ સાથે સંકળાયેલી હતી. જ્યારે અન્ય એક વિદેશીમાં સઈદ અબ્દુલ ખલી ઉમર 26 જે એક વિદ્યાર્થી હતો. ....

satyapal-singh-commisioner-11111
 
 
danik bhaskar

પુણે બ્લાસ્ટઃ મહિલા આઈટી પ્રોફેશનલનો તોયબા સાથે સંબંધSunday, February 14, 2010 14:00 [IST]

પુણેની જર્મન બેકરી રેસ્ટોરેન્ટમાં શનિવાર સાંજે થયેલા બોમ્બ વિસ્ફોટમાં મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. જાસુસી એજન્સીની નજર પુનાની એક મહિલ આઈટી પ્રોફેશનલ પર છે. જેની જમ્મૂ કાશ્મિર સ્થિત લશ્કર એ તોયબાના સદસ્ય સાથે ટેલિફોનીક વાતચીત થઈ હતી.



માહિતી અનુસાર જાસુસી એજન્સી નજર એક મહિલા આઈટી પ્રોફેશનલ અને જમ્મૂ કાશ્મિર સ્થિત તોયબાના સદસ્ય વચ્ચે થયેલી ટેલીફોનીક વાતચીત પર છે. જો કે...

pune11
 
 
danik bhaskar

ઇન્ટેલિજન્સ નિષ્ફળ નથીઃ ચિદમ્બરમ્Sunday, February 14, 2010 14:07 [IST]

પુણેમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ ઘટના સ્થળે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી ચિદમ્બરમે્ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે રવિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, હુમલો ઈન્ટેલિજન્સ ફેઈલયર હોવાના કારણે થયો નથી.

હુમલા અંગે અધિકૃત માહિતી આપતા તેમણે કહ્યું કે, આ વિસ્ફોટમાં નવ લોકોના મોત નિપજ્યા છે. અને 57 લોકો ઈજાગ્રસ્ત છે. જેમની સારાવાર થઈ રહી છે. અમે ઈજાગ્રસ્તોને સારી સારવાર...

chidambaram11111
 
 
danik bhaskar

પુણેમાં ત્રાસવાદી હુમલો, બેકરી વિસ્ફોટમાં ૯નાં મોતSunday, February 14, 2010 03:15 [IST]

ઓશો આશ્રમ નજીકની જર્મન બેકરીની ઘટના, ૫૩ને ઈજા, મૃતકમાં એક તાઈવાનનો નાગરિક અને પાંચ મહિલાઓનો સમાવેશ



નજીકમાં આવેલું યહૂદી પ્રાર્થનાઘર છાબડ હાઉસ નિશાન પર હોવાની આશંકા, મુંબઈ વિસ્ફોટ બાદ પ્રથમ મોટો હુમલો



મુંબઈના ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલા બાદ સૌપ્રથમવાર મહારાષ્ટ્રમાં વધુ એક મોટો ત્રાસવાદી હુમલો થયો છે. પુણેના કોરેગાંવ પાર્ક સ્થિત ઓશો આશ્રમની નજીકની જર્મન બેકરીમાં...

blast211
 
 
danik bhaskar

જાતીય સતામણી કરવા બદલ ફિલ્મ નિર્માતાની ધરપકડFriday, February 12, 2010 01:18 [IST]

ફિલ્મ નિર્માતા અને બિલ્ડર એવા અશોક સીતારામ લોંઢેની યુવતીની જાતીય સતામણી કરવા બદલ વાનવડી પોલીસે ધરપકડ કરી હતી. એસ.કે.ડેવલપર્સ અને બિલ્ડર્સના લોંઢેએ ઓફિસ ખોલીને ૨૦૦૬માં પ્લોટના વેચાણ માટે જાહેરાત છપાવી હતી. ફરિયાદી અને તેની માતાએ પાંચ ગૂંઠાં પ્લોટ ખરીધો હતો. લોંઢેએ યુવતીને ૧૦૦ કરોડ રૂપિયાની ફિલ્મ બનાવી રહ્યો હોવાનું કહીને તેને હિરોઈનની ભૂમિકા આપવાનું જણાવ્યું હતું. યુવતીએ...
Representative1
 
 
danik bhaskar

અહીં કાયદેસર રીતે પોર્ન ફિલ્મો વેચાય છે!Monday, February 8, 2010 17:44 [IST]

મહારાષ્ટ્ર પોર્ન માર્કેટમાં પુનાના ફાળો 50 ટકા જેટલો છે.

આર્થિક મંદી હોવા છતાં પણ પોર્ન ઈન્ડસ્ટ્રીઝમાં સહેજ પણ મંદી જોવા મળી નહોતી. મહારાષ્ટ્રમાં પોર્ન ઈન્ડસ્ટ્રીઝને વાર્ષિક રૂપિયા 60 લાખનો વકરો થાય છે. તેમા માત્ર પૂનાનો જ હિસ્સો જ રૂપિયા 30 લાખ જેટલો છે.

1980ના દાયકાથી પુનામાં પોર્ન ફિલ્મો દર્શાવતા 8 થિયેટરો છે. જેમાં પોર્ન ફિલ્મો જ દર્શવવામાં આવે છે. પુનામાં વર્ષે 100 જેટલી...

Untitled-9111
 
 
danik bhaskar

પ્રશાંત ચિતળકર પર રેગિંગ થયું નહોતુંMonday, February 8, 2010 17:47 [IST]

પુણેના વિધાર્થી પ્રશાંત ચિતળકરે કૂવામાં ઝંપલાવીને કરેલી આત્મહત્યા પાછળ રેગિંગ કારણભૂત નહોતું એવું ડેક્કન એજયુકેશન સોસાયટીની ફગ્ર્યુસન લો કોલેજ દ્વારા નિયુકત રચાયેલી સત્યશોધક સમિતિની તપાસમાં બહાર આવ્યું છે.

તા. ૨૫મી જાન્યુઆરીએ પ્રશાંતે કૂવામાં પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. આ પછી તેના વાલીઓએ પોતાના પુત્રે સિનિયરો દ્વારા રેગિંગથી ત્રાસી આત્મહત્યા કરી હોવાનો આરોપ...

RaGGING111
 
 
danik bhaskar

શાહરૂખ કે નામ પે દે દે બાબાWednesday, February 3, 2010 18:18 [IST]

શાહરૂખ ખાને આઈપીએલ માટે પાકિસ્તાની ખેલાડીઓને આપેલા સમર્થન બાદ ભડકેલા શિવસેનાએ તેની સામે ચલાવેલા આંદોલનના આભારે પુણેના મલ્ટિપ્લેક્ષ માલિકો નક્કી નથી કરી શકતા કે તેઓ 12મી ફેબ્રુઆરીના રોજ પ્રદર્શિત થવા જઈ રહેલી ફિલ્મ માય નેમ ઈઝ ખાન પ્રદર્શિત કરે કે નહીં.

વાંચો :-  શાહરૂખ ખાન મુંબઈ આવીને બતાવે: શિવસેના

હવે શાહરૂખ માટે આ વિવાદ વધુ વકરતો જાય છે કેમ કે પતિત પાવન સંગઠને ગઈ...

shahrukh_khan_beg111
 
 
danik bhaskar

પૂણે મેટ્રો પ્રોજેક્ટ પાટે ચઢ્યો પણ હજી અનેક નડતર છેSunday, January 31, 2010 03:14 [IST]

- પૂણે મેટ્રોના પ્રથમ તબક્કાનો ખર્ચ રૂ.૬,૦૦૦ કરોડનો થવાનો અંદાજ છે- પુણેના બે ટ્રાવેલ પોઈન્ટને જોડતા બે કોરિડોર ધરાવતા પ્રથમ તબક્કાને ૨૦૧૪-૨૦૧૫ના વર્ષ સુધીમાં પૂર્ણ કરવાની ધારણા રાખવામાં આવી છે- ૧૬ કિલોમીટરના આ માર્ગમાં નવ એલિવેટેડ અને છ અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનો હશે

પુણે મ્યુનિસિપાલિટીએ મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારની લીલીઝંડી માટે ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ...

pune_metro_project111
 
 
danik bhaskar

શિરડીમાં VIPઓ પાસેથી ફી વસૂલાશેThursday, January 28, 2010 15:43 [IST]

હવે શિરડી સાંઈબાબાના દર્શન કરવા માટે VIP લોકો પાસે પૈસા વસૂલ કરવામાં આવશે. શિરડી સાંઈબાબા મંદિરના સત્તાધિશોએ હવે રજાઓ અને તહેવાર દરમિયાન મંદિરમાં દર્શન કરવા માટે આવનાર VIP નાગરિકો પાસે ફી વસૂલવાનું નક્કી કર્યું છે. બુધવારના રોજ ટ્રસ્ટીઓની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે ત્રણ મહિના માટે આ નિયમને લાગુ પાડવામાં આવશે. શિરડીના મંદિરમાં...
Saibaba1
 
 
danik bhaskar

પુણેના લો કોલેજના વિદ્યાર્થીનો રેગિંગથી કંટાળીને આપઘાતThursday, January 28, 2010 00:24 [IST]

પુણેની ડેક્કન એજયુકેશન સોસાયટી (ડીઈએસ)ની લો કોલેજની એક વિદ્યાર્થીએ રેગિંગથી કંટાળીને આત્મહત્યા કરી હતી. આપઘાત કરનારા વિદ્યાર્થીનું નામ પ્રશાંત ચિતળકર હતું અને તેની ઉંમર ૨૨ વર્ષની હતી. પ્રશાંતે લખેલી સુસાઈડ-નોંધ પરથી પોલીસે મહારાષ્ટ્ર રેગિંગના કાયદા ૩ અને ૪ હેઠળ નવ જણ વિરુદ્ધ ગુનો નોંઘ્યો હતો. પ્રશાંતના પિતા પોલીસ કોન્સ્ટેબલ છે. તેમણે રાહુરી પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદ...
suicide_1
 
 
danik bhaskar

પુણેના લો કોલેજના વિદ્યાર્થીનો રેગિંગથી કંટાળીને આપઘાતThursday, January 28, 2010 00:12 [IST]

પુણેની ડેક્કન એજ્યુકેશન સોસાયટી (ડીઈએસ)ની લો કોલેજની એક વિદ્યાર્થીએ રેગિંગથી કંટાળીને આત્મહત્યા કરી હતી. આપઘાત કરનારા વિદ્યાર્થીનું નામ પ્રશાંત ચિતળકર હતું અને તેની ઉંમર ૨૨ વર્ષની હતી. પ્રશાંતે લખેલી સુસાઈડ-નોંધ પરથી પોલીસે મહારાષ્ટ્ર રેગિંગના કાયદા ૩ અને ૪ હેઠળ નવ જણ વિરુદ્ધ ગુનો નોંઘ્યો હતો. પ્રશાંતના પિતા પોલીસ કોન્સ્ટેબલ છે. તેમણે રાહુરી પોલીસ સ્ટેશનમાં આ સંબંધે...
ragging21
 
 
danik bhaskar

મોંઘવારી માટે વડાપ્રધાન પણ જવાબદાર: પવારMonday, January 25, 2010 02:14 [IST]

મોંઘવારી વિશે આગાહી કરવા બદલ વગોવાયેલા કેન્દ્રના કૃષિખાતાના પ્રધાન શરદ પવાર હવે કહે છે કે ‘‘ભાવ વધારા માટે હું એકલો નહીં, વડા પ્રધાન મનમોહનસિંહ પણ જવાબદાર છે. આ એક સામૂહિક જવાબદારી છે તેમાંથી કોઈ છટકી શકે નહીં.’ છેલ્લા કેટલાક દિવસોથી દૂધ, શાકભાજી, અનાજ, દાળો વગેરેના ભાવ વધવાનો ભય શરદ પવાર વ્યક્ત કરતા હતા.



તેમણે આગાહી કર્યા પછી ખરેખર મોંઘવારી વધી આવી ઘટનાઓને પગલે શરદ...

pawar11
 
 
danik bhaskar

પુત્રીઓની કસ્ટડી માટે અમેરિકન પિતા મુંબઈ હાઈ કોર્ટને શરણેSunday, January 24, 2010 01:25 [IST]

અમેરિકાથી લગ્નમાં આવ્યા બાદ પતિ પાછો ફર્યો પણ પત્ની બાળકીઓને સાથે અહીં જ રહી હતી સંતાનોનો કબજો મેળવવાની વધુ એક આંતરરાષ્ટ્રીય લડાઈ મુંબઈ હાઈ કોર્ટમાં આવી છે. પત્ની દ્વારા તેમની પાંચ અને ચાર વર્ષની બે પુત્રીને ભારતમાં રખાઈ છે, એવા દાવા સાથે અમેરિકા સ્થિત પિતાએ હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે. ૩૮ વર્ષની વયની સોમ નામની વ્યક્તિએ તેના પિતા દ્વારા કરેલી હેબિયસ કોર્પસ પિટિશનમાં...
babu_child1
 
 
danik bhaskar

કૃષિ મંત્રાલયને ભાવવધારા સાથે કાંઈ લેવાદેવા નથી : શરદ પવારSaturday, January 23, 2010 18:37 [IST]

ખેડૂતો માટેની રાહત યોજનાઓની મુદ્દત કદાચ લંબાવાશેભાવવધારા અંગેના તેમના તાજેતરના અવલોકન બદલ ઉગ્ર ટીકાનો ભોગ બનેલા કૃષિ મંત્રી શરદ પવારે શુક્રવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ભાવવધારાના મુદ્દા સાથે તેમના મંત્રાલયને કેવી રીતે જોડી શકાય. અહીંયા એક સમારંભમાં પવારે જણાવ્યું હતું કે મને એ સમજાતું નથી કે ભાવવધારા સાથે કૃષિ મંત્રાલયનેશું સંબંધ છે. તેણે તો માત્ર કૃષિ પેદાશો પર જ...

Sharad_Pawar11
 
 
danik bhaskar

રાજ ઠાકરે માટે શિવસેનાના દરવાજા ખુલ્લા છેThursday, January 21, 2010 03:33 [IST]

મનસેના અઘ્યક્ષ રાજ ઠાકરે માટે શિવસેનાના દરવાજા કાયમ માટે ખુલ્લા છે. તેઓ ગમે ત્યારે પાછા આવી શકે છે, એવું કહીને શિવસેનાના નેતા મનોહર જોશીએ રાજને શિવસેના પ્રવેશ માટેનું ‘‘સ્ટેન્ડિંગ ઈનવિટિશન’’ આપ્યું છે. શિવસેના સભ્યોની નોંધણી અંગેના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે આ સમયે જૂના શિવસૈનિકોને પણ પુન: શિવસેનામાં જોડાવા આહવાન કર્યું હતું. શિવસેનામાં હતો...
 
 
danik bhaskar

સિમ્બાયોસિસના 120 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગWednesday, January 20, 2010 15:27 [IST]

પુનાની વિખ્યાત સિમ્બિઓસિસ યુનિવર્સિટીના ભોજનાલયનો ખોરાક ખાઇને 120 વિદ્યાર્થીઓ બિમાર પડ્યા છે. જેમાંથી 60ને બિરલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બીજા કેટલાક વિદ્યાર્થીઓને સિમ્બિઓસિસ લાઇફ સાઇન્સિસ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં ખસેડવામાં આવેલા વિદ્યાર્થીઓમાંથી કોઇની પણ હાલત ગંભીર ન હોવાનું યુનિવર્સિટીના સુત્રોએ જણાવ્યું હતું, ગત રાત્રે હોસ્ટેલની...
 
 
danik bhaskar

એ તલવારો સતીશ શેટ્ટી પર નહીં, લોકશાહી પર વિંઝાઈ : અણ્ણા હઝારેSunday, January 17, 2010 03:27 [IST]

સતીશ શેટ્ટીને વિંધનારી તલવારોએ કોઈ આરટીઆઈ ચળવળકાર પર નહીં, લોકશાહી પર પ્રહાર કર્યો હોવાના ઉદ્દગારો ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનકાર અણ્ણા હઝારેએ વ્યકત કર્યા હતા. માહિતી પ્રાપ્તિ અધિકાર કાયદા (આરટીઆઈ એકટ) દ્વારા માહિતી મેળવીને પુણે-લોનાવાલા પટ્ટામાં જમીન કૌભાંડો નિર્ભયતાથી ઉઘાડા પાડતા ૩૮ વર્ષીય સામાજિક કાર્યકર સતીશ શેટ્ટીની બુધવારે તળેગાંવમાં કરાયેલી હત્યાને પગલે...

anna-hazare11
 
 
danik bhaskar

નાસિકમાં ત્રણ વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરીThursday, January 14, 2010 03:33 [IST]

અહેમદનગરમાં રહેતી બે વિદ્યાર્થિનીએ ટ્રેનની નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી, જ્યારે નાસિકમાં દસમા ધોરણની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી લીધા હોવાના સનસનાટી ભર્યા સમાચાર વહેતા થયા હતા. અહેમદનગરની રેસિડેન્સિયલ હાઈસ્કૂલમાં બારમા ધોરણમાં વિજ્ઞાનનું ભણતી વૃષાલી ઠુબે અને આકાંક્ષા સોનાવળેએ આત્મહત્યા કરી હતી. બંને વિદ્યાર્થિનીઓએ આજે બપોરે રિક્ષા પકડીને નિંબળક શિવારા સ્થિત...
 
 
danik bhaskar

નાશિકમાં શિક્ષિકાએ ગળે ફાંસો ખાધોTuesday, January 12, 2010 01:19 [IST]

અત્રે ૨૫ વર્ષીય શિક્ષિકાએ સાતપુર સ્થિત પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.રાખી દાનકર પગારે આંગણવાડીમાં શિક્ષિકા તરીકે સેવા આપતી હતી. તેણે સોમવારે પોતાના રૂમમાં પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું. સોમવારે સવારે આ ઘટના પ્રકાશમાં આવી હતી, પરંતુ આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, એમ પોલીસે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી...
 
 
danik bhaskar

હદપાર કરાયેલી છાત્રા પૂણે પાછી આવવા તત્પરMonday, January 11, 2010 03:37 [IST]

‘‘મારા પર આરોપ મૂકાવાનું આ આખું પ્રકરણ મારે માટે ક્ષોભજનક છે. મારે પૂણે પાછા આવીને મારો અભ્યાસ પૂરો કરવો છે.’’ એમ ૩૨ વર્ષીય નેપાળી યુવતી નીતુસિંહે જણાવ્યું હતું. પૂણેની ફિલ્મ એન્ડ ટીવી ઈન્સ્ટિટયૂટની છેલ્લા વર્ષની આ વિદ્યાર્થિનીના માઓવાદીઓ સાથેના કથિત સંપર્કોને કારણે પુણે પોલીસે તેને હદપાર કરીને પાછી નેપાળ મોકલી હતી. ખોટા આરોપ વિશે જાણ કરાયા છતાં સરકારી ધોરણે નોંધ ન લેવાતી...
FTII1
 
 
danik bhaskar

અબ્દુલ કરીમ તેલગીને પોતાનો ગુનો કબૂલ કરવો છે: સોમવારે સુનાવણી થશેSunday, January 10, 2010 00:08 [IST]

કરોડો રૂપિયાના નકલી સ્ટેમ્પપેપર કૌભાંડના આરોપી અબ્દુલ કરીમ તેલગીએ ગુનો કબૂલ કરવો છે એવું કહેતી અરજી કરી છે, જેની પર કોટર્ સોમવારે સુનાવણી હાથ ધરશે.તેલગીને શુક્રવારે પહેલી જ વાર નાશિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે તેલગીની અરજી દાખલ કરીને તે અંગે ૧૧મીએ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. સરકારી પ્રશાસન સેવાના વરિષ્ઠ અધિકારી અને પોલીસની સાઠગાંઠથી તેલગીએ...
abdul_karim_telgi1
 
 
danik bhaskar

નવગ્રહ પૂજાના નામે એક કરોડ સ્વાહા કરનારી યુવતી હવે જેલમાં કર્મકાંડ કરશે!Friday, January 8, 2010 02:56 [IST]

પુણેમાં વરિષ્ઠ નાગરિકની બીમારી મટાડવા વિશે ખોટું બોલીને ૧.૦૪ કરોડ ઓળવી ગઈ હતી

પોતાને નવગ્રહોની જયોતિષ સંબંધી માહિતી અને કાર્યકાંડનું જ્ઞાન હોવાનું જણાવતાં એ કર્મકાંડ વડે આધિ, વ્યાધિ, ઉપાધિ, બીમારી દૂર કરવાનો દાવો કરતી યુવતીની કોથરુડ (પુણે) પોલીસે ધરપકડ કરી હતી. બીમાર માણસને સાજા કરવા નવગ્રહ પૂજાને નામે એક કરોડ ચાર લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદને આધારે માત્ર ૨૩...

12111
 
 
danik bhaskar

આ પતિ પ્રેમ કે પછી અંધશ્રદ્ધા?Thursday, January 7, 2010 15:14 [IST]

અંધવિશ્વાસના ઉત્તમ નમૂના ભારતમાં ઘણી વાર જોવા મળે છે. આવું જ કંઈક પૂનામાં બન્યું છે. 44 વર્ષીય ગૃહિણીને એક મહિલાએ કહ્યું કે, તેના પતિ પર કાળો જાદુ કરવામાં આવ્યો છે અને તે કેટલીક વિધી કરીને તે દૂર કરી દેશે.



જો કે મહિલાનો પતિ તો સાજો ના થયો અને તે ડિસેમ્બરમાં પાર્કિન્સન નામના રોગથી મૃત્યુ પામ્યો પરંતુ તે મહિલા ઘણી જ માલામાલ થઈ ગઈ છે.



આ મહિલાએ રૂપિયા 83 લાખ પડાવ્યા હતા....

lead11
 
 
danik bhaskar

૧૦૦ વર્ષે પણ કાર્યરત સિવિલ એન્જિનિયરTuesday, December 29, 2009 03:28 [IST]

જાન્યુઆરીમાં ૧૦૧ વર્ષના થનારા પૂણેના કેશવ જોગલેકર પેન કાગળ લઈ વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરે છે



કેશવ જોગલેકર કદાચ દેશના સૌથી મોટી વયના સક્રિય સિવિલ એન્જિનિયર છે.તેઓ આગામી ૨૨મી જાન્યુઆરીએ ૧૦૧ વર્ષના થશે. જે વયે અન્ય લોકો પથારીવશ સ્થિતિમાં જીવતા હોય છે તેવી મોટીવયે (સદી વટાવી ચૂકેલા) જોગલેકર આજેય જો કોઇ ગ્રાહક બોલાવે તે પેન, કાગળ અને પેડ લઇને વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરવા જતા...

M_10011
 
 
danik bhaskar

૧૦૦ વર્ષે પણ કાર્યરત સિવિલ એન્જિનિયરTuesday, December 29, 2009 00:10 [IST]

જાન્યુઆરીમાં ૧૦૧ વર્ષના થનારા પૂણેના કેશવ જોગલેકર પેન કાગળ લઈ વેલ્યુએશન રિપોટઉ તૈયાર કરે છે કેશવ જોગલેકર કદાચ દેશના સૌથી મોટી વયના સક્રિય સિવિલ એન્જિનિયર છે. તેઓ આગામી ૨૨મી જાન્યુઆરીએ ૧૦૧ વર્ષના થશે. જે વયે અન્ય લોકો પથારીવશ સ્થિતિમાં જીવતા હોય છે તેવી મોટીવયે (સદી વટાવી ચૂકેલા) જોગલેકર આજેય જો કોઇ ગ્રાહક બોલાવે તે પેન, કાગળ અને પેડ લઇને વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરવા જતા રહે...
civil_engineer1
 
 
danik bhaskar

લશ્કરી, નાગરીક વિમાની મથકો અલગ રાખવા અંગે માગSunday, December 20, 2009 03:05 [IST]

પુણેનું લોહગામ વિમાની મથક ભારતીય વાયુદળનું આગળ પડતું વિમાની મથક છે. અહીં કાયમ તૈયાર રહેલાં વિમાનો જરૂરી સ્થળોએ યોગ્ય સમયે પહોંચી જાય છે. પરંતુ પુણેમાં લશ્કરી અને નાગરી વિમાન મથક ભેગાં હોવાં યોગ્ય ન હોતાં નાગરી વિમાની સેવા માટે સ્વતંત્ર વિમાની મથક હોવાંની માગ ઊઠી છે. નિવૃત્ત એર માર્શલ ભૂષણ ગોખલેએ આવું મંતવ્ય પ્રગટ કર્યું હતું. પુણે શ્રમિક પત્રકાર સંઘના સ્થાપના દિને ‘‘ભારતીય...
airport1
 
 
danik bhaskar

સ્વાઇન ફલૂ ગ્રસ્ત મહિલાને H1I1 પોઝિટિવ બાળક જન્મ્યોThursday, December 17, 2009 03:01 [IST]

સ્વાઇન ફલૂ પીડિત મહિલાએ એચ૧એન૧ પોઝિટિવ બાળકને જન્મ આપતાં ચેપના ફેલાવાના વિકરાળ સ્વરૂપ સામે ચિંતા સેવાઇ રહી છે. એચ૧એન૧નાં લક્ષણો દેખાતાં ૨૨ વર્ષની કરિશ્મા શેખને અત્રેની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાએ ૧૧ ડિસેમ્બરે હોસ્પિટલમાં એચ૧એન૧ પોઝિટિવ બાળકને જન્મ આપ્યો છે. કરિશ્માને હોસ્પિટલમાં દાખલ કરતાં તેને તો ટેમી ફલૂ ટેબ્લેટ આપવામાં આવતી હતી પરંતુ દેખીતી...
swine_flu21
 
 
danik bhaskar

મૂકબધિર પુત્રએ પિતાની હત્યા કરીThursday, December 3, 2009 02:53 [IST]

નોકરીએ જતો નહોતો એટલે પિતા દ્વારા વારંવાર ઠપકો મળતાં એક મૂકબધિર પુત્રે પિતાના પેટમાં ચાકુ ભોંકીને હત્યા કરી નાખી હતી. પુણેના કેન્ટોનમેન્ટ વિસ્તારની કષ્ણકુંજ સોસાયટીમાં ગઈ કાલે આ ઘટના બની હતી.



પુણેના સોલાપુર બજાર, કેમ્પ ખાતે કષ્ણકુંજ સોસાયટીમાં રહેતા કીર્તિકુમાર શાહ (૬૫)ની હત્યા કરવા સંબંધે લશ્કર પોલીસે તેમના પુત્ર રશમી ઉર્ફે ચીકુ શાહ (૪૦)ની ધરપકડ કરી છે. આ કેસમાં...

knife111
 
 
danik bhaskar

ઘરેલુ કારણસર ગુનો આચરતી મહિલા કેદીઓની સંખ્યા વધુThursday, December 03, 2009 02:33 [IST]

યરવડા મઘ્યવર્તી કારાગૃહ ખાતે મહિલા કેદીઓ બાબતે એક અભ્યાસ તાજેતરમાં હાથ ધરાયો હતો. તેમાં એવું જણાવ્યું હતું કે ૯૨ ટકા મહિલા કેદીઓને ‘ઘરેલુ’ કારણસર ગુનો આચરવો પડયો હતો. તેણે તેના વહાલસોયાઓનો જ ભોગ લીધો હતો. યરવડા મહિલા કારાગૃહની ૨૩૮ કેદીઓ પૈકીની હાલમાં સજા ભોગવી રહેલી ૧૮ મહિલા કેદીઓમાંથી કોઈ અંડરટ્રાયલ છે અથવા મિલકતના વિવાદને કારણે અહીં પહોંચી છે અથવા તો નાર્કોટિકસ ધારા હેઠળ...
 
 
danik bhaskar

પુણે-પિંપરીનું મેયરપદ એનસીપીને મળ્યુંWednesday, December 02, 2009 00:51 [IST]

પુણે અને પિંપરીમાં મેયરપદ એનસીપીને ફાળે ગયું છે, જયારે કોલ્હાપુરનું મેયરપદ કોંગ્રેસ- એનસીપી- જનસુરાજય આઘાડીના ઉમેદવારને ફાળે આવ્યું છે. પુણે પેટર્ન રદ થયા પછી પહેલી જ વાર થયેલી પુણે પાલિકાના મેયરપદની ચૂંટણીમાં ધાર્યા પ્રમાણે એનસીપીના મોહનસિંહ રાજપાલ અને ઉપ-મેયર કોંગ્રેસના પ્રસન્ન જગતાપ બન્યા હતા. રાજપાલના રૂપમાં એનસીપીએ પહેલ જ વાર શીખ સમાજને મેયરપદ આપ્યું છે, જયારે...
 
 
danik bhaskar

જહાંગીર હોસ્પિટલને ક્લીનચીટTuesday, December 01, 2009 11:08 [IST]

દેશમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ પૂણેની પૂણેની જહાંગીર હોસ્પિટલમાં નોંધાયો હતો. અને રિદા શેખ નામની દર્દીનું અત્રે મોત નિપજ્યું હતું. જેના પગલે આ હોસ્પિટલ પર કાયદાકીય પગલા લેવામાં આવ્યા હતાં. જોકે આ હોસ્પિટલને આજે તપાસ રિપોર્ટમાં ક્લીન ચીટ આપમાં આવી હતી. દેશમાં સ્વાઈન ફ્લૂના કારણે પ્રથમ શિકાર રિદા શેખ અત્રેની જહાંગીર હોસ્પિટલમાં બની હતી. જેના પગલે હોસ્પિટલ પર મૃતકના સંબંધીઓએ...
swinflu5[1]1
 
 
danik bhaskar

‘સુખોઈ’માં ઉડી પ્રતિભા પાટિલે ઈતિહાસ રચ્યોThursday, November 26, 2009 01:21 [IST]

૭૦ વર્ષની ઉમર પાર કરી ચૂકેલાં રાષ્ટ્રપતિએ હિંમતથી સફર માણી



ભારતનાં પ્રથમ મહિલા અને પ્રથમ મરાઠી રાષ્ટ્રપતિ હોવાનું બહુમાન મેળવનારાં પ્રતિભા પાટીલે પાયલટ એસ. સાજનના સારથિપણામાં બુધવારે સુપર સોનિક લડાયક વિમાન ‘સુખોઈ’માં ઉયનનો અનુભવ લીધો હતો. હવાઈ દળ લડાયક વિમાનો ઉડાવવા માટે મહિલાઓને આમંત્રણ આપે છે ત્યારે લશ્કરની ત્રણેય પાંખોનાં સર્વોચ્ચ સેના પતિ તરીકે લડાયક...

pppp2111
 
 
danik bhaskar

પૂણેના મેયરપદ માટે કોંગ્રેસ- એનસીપી વચ્ચે ખેંચાખેંચWednesday, November 25, 2009 01:14 [IST]

કોંગ્રેસે ઓછામાં ઓછા ફકત એક વર્ષ માટે મેયરપદ આપવાનો આગ્રહ રાખ્યો છે. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં યુતિ થયા બાદ પુણેના મેયરના પદ માટે રસ્સીખેંચની સ્પર્ધા શરૂ થઈ છે. આ પદ રાષ્ટ્રવાદી કોંગ્રેસને મળવાનું હોઈ તેણે પક્ષના સદસ્યો પાસેથી અરજીઓ મગાવવાની શરૂઆત કરતાં પહેલાં જ દિવસે બે અરજીઓ મળી હતી. કોંગ્રેસે ઓછામાં ઓછા ફકત એક વર્ષ માટે મેયરપદ આપવાનો આગ્રહ રાખ્યો...
congress1
 
 
danik bhaskar

પુણેમાં મહિલા કોન્સ્ટેબલને શર્ટ-પેન્ટ અને બૂટ ફરજિયાતFriday, November 20, 2009 03:29 [IST]

સાડીના પરંપરાગત પોષાકમાંથી પેન્ટ-શર્ટ અને બૂટમાં સેટ થતાં સમય લાગશે પુણેના કમિશનર ડો. સત્યપાલ સિંહે મહિલા કોન્સ્ટેબલો માટે શર્ટ- પેન્ટ- બૂટ ફરજિયાત બનાવી દીધાં છે. આને કારણે મહિલા પોલીસમાં પણ આનંદનું વાતાવરણ છે. પૂણેની મહિલા પોલીસ વધુ કાર્યક્ષમ બને અને વધુ સ્માર્ટ લાગે તે દ્દષ્ટિથી તેમના યુનિફોમમાં શર્ટ- પેન્ટ અને બૂટ ફરજિયાત બનાવવામાં આવ્યાં છે. તેમને હવે પુરુષ પોલીસની જેમ...
 
 
danik bhaskar

ડોંબિવલીમાં દૂષિત પાણીની સમસ્યાThursday, November 19, 2009 02:38 [IST]

પાણી કપાતને કારણે થાણેવાસીઓને પરેશાનીનો પાર નથી ત્યાં હાલમાં ડોંબિવલીના રામચંદ્રનગર વિસ્તારમાં કૂવાઓ પ્રદૂષિત થયાની રાવ ઊભી થઈ છે. આને કારણે રહેવાસીઓ પરેશાન થઈ ગયા છે. પીવાના તેમ જ વાપરવાના પાણીની ખેંચનો ઉકેલ લાવવા કૂવાઓના પાણીના વપરાશને અપનાવો એવી સલાહ સરકારી યંત્રણા આપે છે ત્યારે આ વિસ્તારના કૂવાઓનું પ્રદૂષિત પાણી આરોગ્યને હાનિકારક હોવા છતાં યંત્રણા દુર્લક્ષ સેવે છે...
water1
 
 
danik bhaskar

સંઘ ‘ગણવેશ’ અંગે ફેર વિચારણા કરશેSunday, November 15, 2009 00:32 [IST]

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં ખાખી ચડ્ડી, સફેદ શર્ટ અને ચામડાના પટ્ટાનો ગણવેશ આજની યુવાપેઢી માટે જૂની ઢબના હોવાથી તેને બદલવા અંગે વિચારણા ચાલી રહી હોવાની ચર્ચા વચ્ચે સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે આ મુદ્દો તેમના એજન્ડામાં છે. સંઘની પ્રતિનિધિ સભામાં ગણવેશ બદલવા અંગે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે જુદા જુદા અભિપ્રાયો મળી રહ્યા છે....
mohan-bhagwat1
 
 
danik bhaskar

ભાગવતે બીજેપીને ફરી સલાહ આપીSaturday, November 14, 2009 17:56 [IST]

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે તેમણે પાર્ટી નેતૃત્વને સંગઠનને ફરથી ઉભું કરવા માટે યુવા નેતાની પસંદગી કરવાની સલાહ આપી છે. જો કે ભાગવતે બીજેપીમાં ચાલી રહેલી નિર્ણય પ્રક્રિયાથી પોતે અલગ હોવાનું કહ્યું હતું. ભાગવતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે સંઘ માંગવામાં આવે તો જ સલાહ આપે છે, કેમ કે પાર્ટીમાં તેમના સ્વંયસેવક છે. આ પહેલા ભાગવતે...
mohan_bhagwat11
 
 
danik bhaskar

આઝમી પ્રકરણને લઇને પુનામાં હંગામોTuesday, November 10, 2009 15:47 [IST]

ગઇકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં હિન્દીમાં શપથ લઇ રહેલા સપાના ધારાસભ્ય પર હુમલો કરવાના મુદ્દે મનસેના ચાર ધારાસભ્યોને બરતરફ કરાતા પુનામાં મનસેના કાર્યકરોએ દેખાવો કરીને સિટી બસો પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ સુત્રોએ આપેલી માહિતી અનુસાર આ મુદ્દે મનસેના પચાસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.



પોલીસ દ્વારા અટકાયત કરાયેલા લોકોમાં મનસેના શહેરી પ્રભારી પ્રકાશ ધોરેનો પણ...

azmi211
 
 
danik bhaskar

ડોકટરોની હડતાળથી દર્દીઓ હેરાનSunday, November 08, 2009 02:24 [IST]

દરદીના સંબંધીઓએ બે ડોકટરની કરેલી મારપીટના વિરોધમાં પુણે સ્થિત કેઈએમ હોસ્પિટલમાં ડોકટરો શનિવારે સવારથી હડતાળ પર ઊતરી ગયા હતા, જેને લીધે દરદીઓ ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા.ડોકટરોને પૂરતું સંરક્ષણ અપાતું નથી. જયાં સુધી રક્ષણ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે, એમ પુણેની કેઈએમ હોસ્પિટલના હડતાળિયા ડોકટરોએ જણાવ્યું હતું. કેઈએમ હોસ્પિટલમાં ઉપચાર લેતા દરદીઓ પાસે...
pune-doctor1
 
 
danik bhaskar

પુણે- ટ્રેકિંગમાં ગયેલી યુવતી ગુમSunday, November 08, 2009 02:22 [IST]

અત્રે સિંહગઢ પર ટ્રેકિંગ કરવા ગયેલી એક યુવતી રહસ્યમય રીતે ગુમ થવાથી સ્થાનિકો અને પોલીસ પણ પરેશાન છે. ગુરુવારે ૨૮ વર્ષીય કવિતા હર્ષદ ચિખલે અન્ય ૩૫ જણ સાથે સિંહગઢ પર ટ્રેકિંગ કરવા ગઈ હતી. માર્ગમાં તે રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ છે. ગત બે દિવસથી તેને પોલીસ, સ્થાનિકો, ડોગ સ્કવોડ થકી શોધવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, પરંતુ તેમાં જશ મયો નથી. કવિતા કોરેગાવ ભીમા ખાતે સેકો ટૂલ્સ નામે કંપનીના...
 
 
danik bhaskar

પુણેમાં સ્વાઈન ફલૂ- મરણાંક ૧૦૦ થયોFriday, November 06, 2009 03:22 [IST]

સ્વાઈન ફલૂ પુણેમાંથી જવાનું નામ નથી લેતી. ગુરુવારે વધુ એક મહિલાના મોત સાથે પુણેમાં મરણાંક ૧૦૦ થયો છે. છેલ્લા એક સપ્તાહથી સ્વાઈન ફલૂની સારવાર લઈ રહેલી મોહિની ઉદરેએ ગુરુવારે બપોરે નોબેલ હોસ્પિટલમાં દમ તોડયો હતો. આ સાથે મરણાંક ૧૦૦ થયો છે, એમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.નોંધનીય છે કે આ બીમારી ઠંડીમાં વધુ ફેલાતી હોવાથી સત્તાવાળાને વધુ ચિંતા થવા લાગી છે. વિસ્તારમાં વધુ તપાસણી...

puneswineflu_443
 
 
danik bhaskar

પુણેમાં સ્વાઈન ફલૂથી વધુ બેનાં મોતThursday, November 05, 2009 01:51 [IST]

શહેરમાં સ્વાઈન ફલૂને કારણે એક ગર્ભવતી મહિલા સહિત વધુ બે જણનાં મોત થયાં છે. આ સાથે મરણાંક ૯૯ પર પહોંરયો છે. ૨૮ વર્ષીય સુરેખા ચૌરેનું મૃત્યુ ત્રણ દિવસ પૂર્વે થયું હતું, પરંતુ ગઈ કાલે તેનો તબીબી અહેવાલ આવ્યો ત્યારે તેમાં એવું બહાર આવ્યું કે સુરેખાનું મૃત્યુ સ્વાઈન ફલૂને કારણે થયું છે. આ સાથે ૩૦ ઓકટોબરથી વેન્ટિલેટર પર રખાયેલા ૨૯ વર્ષીય નવનાથ ઠોંબરેએ પણ ગઈ કાલે અંતિમ શ્વાસ લીધો હતો....
pune-swine-flu1
 
 
danik bhaskar

સ્વાઈન ફલૂથી પુણેમાં વધુ એક મોતથી મરણાંક ૯૭Wednesday, November 04, 2009 00:52 [IST]

સ્વાઈન ફલૂને કારણે અત્રે વધુ એકના મોત સાથે મરણાંક ૯૭ ઉપર પહોંરયો છે. રવિવારે ૨૯ વર્ષીય શખસનું મોત નીપજયું હતું. અત્રેથી ૨૦ કિલોમીટર અંતરે આવેલા વાઘોલીના ૨૯ વર્ષીય રહેવાસીનું સ્વાઈન ફલૂને કારણે રવિવારે મોત નીપજયું હતું. વિવિધ હોસ્પિટલોમાં દાખલ કર્યા બાદ સારું થતાં આખરે ૩૦ ઓકટોબરે તેને સાસૂન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જયાં રવિવારે તેણે અંતિમ શ્વાસ લીધો હતો. વળી, હવે ઠંડીની...
mask1
 
 
danik bhaskar

પુણેમાં સ્વાઈન ફ્લૂ સામે રોગ પ્રતિબંધકતા અંગે એનઆઈવીનું સંશોધનSunday, November 01, 2009 02:16 [IST]

આખા દેશમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ દર્દીઓ ધરાવતા શહેર તરીકે ખ્યાતિ મેળવનારા પુણેના આરોગ્યતંત્ર પર આ રોગચાળાના પ્રતિકાર માટે સામૂહિક રોગ પ્રતિકારક વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી છે.

સામૂહિક રોગ પ્રતિકારકતા વિશે પુણેની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાઈરોલોજીએ કરેલા સંશોધનના તારણોની આરોગ્ય ખાતાના અધિકારીઓ આતુરતાથી રાહ જુએ છે.

બીજી બાજુ એચ વન એન વન વિષાણુના ચેપ વિશે પરીક્ષણની...

SwineFluturned[1]211
 
 
danik bhaskar

પુણેમાં સ્વાઈન ફ્લૂથી ત્રણ બાળકનાં મોતSaturday, October 31, 2009 02:57 [IST]

પુણેમાં સ્વાઈન ફલૂએ એકસાથે ત્રણ બાળકનો ભોગ લીધો છે. આને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. આ સાથે પુણેમાં સ્વાઈન ફલૂને કારણે મરણાંક ૯૬ થયો છે. વધુ ચાર જણને આ ચેપ લાગુ થયો હોવાનું જણાયું છે, જયારે છ જણની હાલત ગંભીર છ, એમ આરોગ્ય વિભાગના એડિશનલ ડિરેકટર ડો. અશોક મહેતાએ જણાવ્યું હતું. આંબેગાવમાં સાડાપાંચ માસની પ્રણીતિ સુનીલ લોહોકરેને સ્વાઈન ફલૂ લાગુ થયો હતો. ઉપચાર માટે ગુરુવારે તેને...
swine11
 
 
danik bhaskar

એન્જિનિયરની હત્યા કરનારા સામે વધુ એક મહિલાની ફરિયાદSaturday, October 31, 2009 02:37 [IST]

ફરિયાદ કરનારી મહિલા પણ નયના પૂજારીની જ કંપનીમાં કામ કરે છે ખરાડી સ્થિત કંપનીની સિનિયર સોફટવેર એન્જિનિયર ૨૮ વર્ષીય નયના પૂજારીની રાજગુરુનગર નજીક હત્યા કરનારા ત્રણ ડ્રાઈવર અને એક સકિયુરિટી ગાર્ડ વિરુદ્ધ અન્ય એક મહિલાએ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યેરવડા પોલીસમાં વધુ એક મહિલાએ પૂજારીના હત્યારા અને બળાત્કારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મહિલા પણ પૂજારીની જ...
 
 
danik bhaskar

પુણેમાં સ્વાઈન ફ્લૂને કારણે વધુ એકનું મોતThursday, October 29, 2009 01:31 [IST]

પુણેમાં પિંપરી વિસ્તારમાં સ્વાઈન ફ્લૂને કારણે વધુ એકનું મોત નીપજ્યું છે. આને કારણે પુણેમાં મરણાંક ૯૩ થયો છે. સ્વાઈન ફ્લૂ પુણેમાંથી તેનો ભરડો છોડતો નથી. બુધવારે સવારે સ્વાઈન ફ્લૂને કારણે ૫૪ વર્ષીય વિલાસ બેંગાળેનું મોત નીપજયું હતું. સહકાર નગર વિસ્તારમાં રહેતા વિષ્ણુ બેંગાળેને ૨૪ ઓકટોબરે ઠંડી ભરાઈ હતી. સખત તાવ આવ્યો હતો અને ગળામાં દુખવા લાગ્યું હતું. તેમણે પિંપરી સ્થિત...
swine-flu-3[1]51
 
 
danik bhaskar

પૂણે : ચોર ટોળકી ૧૦૦ કિલોનું એટીએમ મશીન ઉઠાવી ગઈWednesday, October 28, 2009 01:30 [IST]

એક્સપ્રેસ હાઈવે નજીક કાસારવાડી ખાતે યુનિયન બેન્કનું ૧૦૦ કિલો વજનનું એટીએમ મશીન ચોરટાઓ ઉઠાવી જતાં આશ્ચર્ય ફેલાયું છે. તેમાં રૂ. સાડાદસ લાખ રોકડા હતા. મંગળવારે પરોઢિયે આ ઘટના બની હતી. આ સંબંધે એટીએમના વોચમેનને કબજામાં લઈને તેની પૂછપરછ હાથ ધરી છે. આ મશીન જૂનું હોવાથી તેને કેમેરા લગાવવામાં આવેલા નહોતા. એટીએમનો વોચમેન નિરંજન ડાગળે ત્યાં હતો છતાં કઈ રીતે ચોરી થઈ તેનો તે ખુલાસો કરી...
pune_atm1
 
 
danik bhaskar

પૂણે રેલવે સ્ટેશન પરથી બે કરોડની ચાંદી પકડાઈTuesday, October 27, 2009 00:49 [IST]

રેલવે પોલીસની હેલ્પલાઈનને કારણે પુણે રેલવે સ્ટેશન પર પોલીસને એક બિનહિસાબી ચાંદીનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. આશરે બે કરોડની કિંમતનો ૯૫૦ કિલો ચાંદીનો જથ્થો પુણે રેલવે પોલીસે જપ્ત કર્યો છે. પુણે રેલવે પોલીસને રેલવે પોલીસ હેલ્પલાઈન ફોન નં. ૯૮૩૩૩ ૩૧૧૧૧ ઉપર સંદેશો મળ્યો હતો કે પ્લેટફોર્મ નં. ૪ પર ચારથી પાંચ બેગ સાથેના લોકો શંકાસ્પદ હાલતમાં આંટા મારી રહ્યા છે. પોલીસે તપાસનાં ચક્રો...
silver_coins11
 
 
danik bhaskar

સ્વાઈન ફ્લૂથી પુણેમાં મૃત્યુઆંક ૯૦ થયોMonday, October 26, 2009 02:51 [IST]

સ્વાઈન ફ્લૂને કારણે પુણેમાં એક મહિલાનું મોત નીપજયું છે, જેને કારણે મરણાંક ૯૦ ઉપર પહોંચ્યો છે.પુણેમાં ૩૦ વષીર્ય મંજુ અશોક કાલ્યા (૩૦)નું સાસૂન હોસ્પિટલમાં મોત નીપજયું હતું. ચિંચવડના દળવી નગરની રહેવાસી મંજુને ૨૦ ઓકટોબરે નાયડુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતા. તે સમયે તેને સ્વાઈન ફ્લૂ હોવાનું જણાયું હતું. આથી તેને સાસૂન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં તેનું મોત થયું હતું, એમ...

swine-flu-3[1]11
 
 
danik bhaskar

બાળા પર બળાત્કાર-હત્યાના કેસમાં માતા સહિત બેની ધરપકડMonday, October 26, 2009 02:45 [IST]

અત્રે એક ૧૦ વર્ષની બાળા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવાના કેસમાં પોલીસે બાળાની માતા અને એક વૃદ્ધની ધરપકડ કરીને તેમને રિમાંડ પર લીધાં છે. નારાયણ પેઠમાં યશોદીપ બંગલોમાં ઘરનોકરાણીની પુત્રી ૧૦ વર્ષીય રોહિણી રણદીવે પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવાના આરોપ હેઠળ પોલીસે ઘરમાલિક મોહિનીરાજ કુલકર્ણી(૭૯) અને પુરાવાનો નાશ કરવામાં મદદરૂપ થવા બદલ બાળાની માતા રેખા...
 
 
danik bhaskar

પુણે-બારામતીમાં દબદબો જાળવતી રાષ્ટ્રવાદી કોંગ્રેસSaturday, October 24, 2009 02:18 [IST]

ઘણા દાયકાથી શરદ પવારના પરિવારનું રાજકીય વર્ચસ્વ જોતા આવેલા પુણે જિલ્લાના ગ્રામીણ મતદારોએ વિધાનસભાની ૨૧ બેઠકોમાંથી ૧૧ બેઠકો કોંગ્રેસ-એનસીપી મોરચાને સોંપી છે અને શહેરી ક્ષેત્રોના મતદારોએ આઠમાંથી ચાર બેઠકો કોંગ્રેસ મોરચાને અને ચાર બેઠકો ભગવી યુતિને સોંપી. પુણે (ગ્રામીણ) ક્ષેત્રમાં મજબૂત આધાર ધરાવતી રાષ્ટ્રવાદી કોંગ્રેસના ક્ષેત્રોમાં પવાર પરિવાર માટે બારામતી ‘ફેવરિટ’ છે....
NCP11
 
 
danik bhaskar

સ્વાઈન ફ્લૂથી પુણેમાં મરણાંક ૮૭ અને રાજ્યમાં ૧૮૧ થયોThursday, October 22, 2009 00:43 [IST]

‘‘છેલ્લા કેટલાક મહિનાથી રાજ્યમાં ફેલાયેલા સ્વાઈન ફ્લૂના રોગચાળામાં પુણે ખાતે વધુ બે વ્યક્તિઓના મૃત્યુ સાથે એ શહેરમાં આ રોગચાળાનો મરણાંક ૮૭ પર પહોંચ્યો છે. સ્વાઈન ફ્લૂના મરણાંકમાં પુણે શહેર ટોચ પર છે અને રાજ્યનો મરણાંક ૧૮૧ પર પહોંચ્યો છે,’’ એમ મહારાષ્ટ્રના આરોગ્ય ખાતાના સહનિયામક અશોક મહેતાએ જણાવ્યું હતું.



દરમિયાન, પુણે સ્થિત સરકારી સાસૂન હોસ્પિટલના ઔષધ-ઉપચાર...

swine121
 
 
danik bhaskar

હત્યા સંબંધે ચાર જણની ધરપકડSaturday, October 17, 2009 01:37 [IST]

ખરાડીમાંથી ગુમ થયેલી સોફટવેર એન્જિનિયર ૨૮ વર્ષીય નયના પૂજારીની રાજગુરુનગર નજીક ઓઢણીથી ગળું દબાવીને હત્યા કર્યા બાદ ચહેરો છૂંદી નાખવા સંબંધે પોલીસે ચાર જણની ધરપકડ કરી છે. આ હત્યા લૂંટને ઈરાદે થઈ હોવાનું બહાર આવ્યું છે.



મૂળ કરાડની નયના બીઈ (આઈટી) હતી અને ખરાડી ખાતે સિનિક્રોન નામની સોફટવેર કંપનીમાં ગત બે વર્ષથી કામ કરતી હતી. તે ૭ ઓકટોબરે સાંજે ૭.૩૦ વાગ્યે કંપનીમાંથી ઘરે જવા...

arrest_01
 
 
danik bhaskar

દસ વર્ષની બાળા પર પાશવી બળાત્કાર બાદ હત્યાFriday, October 16, 2009 01:55 [IST]

પુણેના પ્રખ્યાત નારાયણ પેઠમાં એક દસ વર્ષીય બાળા પર બળાત્કાર કરી તેને મોતને ઘાટ ઉતાર્યાની ચકચારી ઘટના બહાર આવી છે. આ બાળાનું નામ રોહિણી રણદીવે છે.



ઘટના સમયે રોહિણીની માતા બપોરે ૧૨ના સુમારે ડબો દેવા ગઈ હતી. ડબો દઈને આવતાં તેણે રોહિણીને ઘર ઉઘાડવાની ચાવી લેવા બૂમ મારી હતી. તેનો કોઈ જવાબ ન મળતાં તેણે રોહિણીની શોધ આદરતાં યશોદીપ બંગલાની ટેરેસ પર તેની લાશ મળી આવી હતી.





rape[1]111
 
 
danik bhaskar

શિવસેનાના ઉમેદવાર પર હુમલોSunday, October 11, 2009 12:20 [IST]

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટેનો આજે છેલ્લો દિવસ છે. પુનામાં શિવસેનાના ઉમેદવાર અજય ભોંસલે પર રવિવારે કોરેગાંવ પાર્ક નજીક વેડગાંવ વિસ્તારમાં હથિયારથી કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે હુમલામાં અજય ભોંસલેને કોઈ પણ ઈજા થઈ નથી, પરંતુ તેમનો ડ્રાઈવર ઘાયલ થયો છે. ઉલ્લેખનીય છે કે હુમલો કોણે કર્યો તેનું હજુ સુધી જાણી શકાયું નથી. મહારાષ્ટ્ર,...
shivsena1
 
 
danik bhaskar

પુણેમાં સ્વાઈન ફ્લૂથી વધુ બે મહિલાઓનાં મૃત્યુSunday, October 11, 2009 01:02 [IST]

ગામડાંમાં સ્વાઈન ફ્લૂનો ચેપ વધુને વધુ ફેલાતાં પુણેની હોસ્પિટલમાં બે જણે જીવ ગુમાવ્યા હતા. તેમાં એક સગર્ભા મહિલાનો પણ સમાવેશ છે. અત્યાર સુધી પુણે શહેરમાં સ્વાઈન ફ્લૂના મૃતકોની સંખ્યા ૭૮ પર પહોંચી છે અને વધુ ૧૨ને આ બીમારી લાગુ પડી છે. પાથર્ડી ખાતે રહેતાં કવિતા કિશોર પાડળે (૩૫)ને સ્વાઈન ફ્લૂનો ચેપ લાગતાં સોમવારે તેમને સાસૂન હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. બુધવારે સવારે તેમનું...
swine-flu1
 
 
danik bhaskar

અન્ય રાજ્યોના નક્સલીઓ મહારાષ્ટ્રમાં ઘૂસ્યા : રોયThursday, October 08, 2009 00:48 [IST]

‘‘વિધાનસભા ચૂંટણીની પાર્શ્વભૂમિમાં બહારના રાજ્યોના નક્સલવાદીઓ મહારાષ્ટ્રમાં દાખલ થયા છે. તેમની બેઠકો પણ થઈ ચૂકી છે. એ નક્સલવાદીઓ ભાંગફોડ કરે એવી શક્યતા છે.’’ એમ પોલીસ મહાનિયામક અનામી રોય (ચૂંટણી વ્યવસ્થા)એ બુધવારે નાગપુર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

મતદાન સુરક્ષાપૂર્વક પાર પાડવા કેન્દ્રીય અનામત પોલીસદળ (સીઆરપીએફ) અને રાજ્ય અનામત પોલીસદળ (એસઆરપીએફ)...

roy1111
 
 
danik bhaskar

સહકુટુંબ મતદાન કરવા જાઓ: ચૂંટણી પંચThursday, October 08, 2009 00:38 [IST]

બોગસ મતદાન ટાળવા માટે કુટુંબના બધા સભ્યોને સાથે મતદાન માટે જવા ચૂંટણી આયુક્તે અનુરોધ કર્યો રેશન કાર્ડ બતાવીને બોગસ મતદાન ટાળવા માટે ૧૩ ઓક્ટોબરે કુટુંબના તમામ સભ્યોને એક સાથે મતદાન માટે જવાનો અનુરોધ ચૂંટણી પંચે કર્યો હતો. મુખ્ય ચૂંટણી આયુક્ત નવીન ચાવલાએ જણાવ્યું હતું કે રેશન કાર્ડસ પર કુટુંબના સભ્યોના ફોટોગ્રાફસ નહીં હોવાથી તેના દ્વારા બોગસ મતદાનની શક્યતા રહે છે. તેથી...
navin1
 
 
danik bhaskar

સ્વાઈન ફલૂને કારણે પુણેમાં વધુ બે જણનાં મોત નિપજયાંSunday, October 04, 2009 01:35 [IST]

સ્વાઈન ફલૂને કારણે પુણેમાં વધુ બે જણનાં મોત નીપજયાં છે. આમ, સ્વાઈન ફલૂને આતંક પુણેમાં હજુ પણ યથાવત છે. સ્વાઈન ફલૂને કારણે પુણેમાં કાસરબાઈ લોંઢે (૪૮) અને વિકાસ પ્રામાણિક (૨૭) એમ વધુ બે જણનાં મોત નીપજયાં છે, જયારે કમસેકમ ૧૨ જણ ગંભીર અવસ્થામાં સારવાર લઈ રહ્યા છે, એમ રાજય આરોગ્ય વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.

આમ, ગત ૨૪ કલાકમાં એકલા પુણેમાં સ્વાઈન ફલૂને કારણે મરણાંક ૬૬ ઉપર પહોંરયો...

swine1111
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB