Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Divya Bhaskar

IPLની અરાજકતા ટાળવા નાગપુરવાસીની PILMonday, March 15, 2010 02:20 [IST]

ipl-logo11

જાહેર જનતાની સગવડો તરફ બેદરકારી રાખીને મોટાં આયોજનો કરવા સામે લાલ બત્તીઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની સીઝન-થ્રી મુંબઈમાં જોરશોરથી શરૂ થઈ ગયા પછી શહેરના એક ક્રિકેટ પ્રશંસકે ૫, ૧૦ અને ૧૨ એપ્રિલે નાગપુરમાં યોજાનારી આઈપીએલની મેચો માટે વધુ સારી સવલતો અને ચડચણો વિના વર્ધા રોડનો વાહનવ્યવહાર ચાલે એવી માગણી કરતી જાહેર હિતની અરજી (પીઆઈએલ) કરી છે. અરજદારે આ બાબતમાં...

 
 
Divya Bhaskar

બટાકા-પૌંઆ વેચનારની માસિક કમાણી રૂ. ૧લાખFriday, March 05, 2010 00:46 [IST]

sell1
નાગપુરનો રૂપમ સાખરે વર્ષે ૧૨ લાખની કમાણી કરે છે, બે દાયકાથી કર ભરે છે બટાકા-પૌંખા વેચીને મહિને રૂ. એક લાખની કમાણી થઈ શકે ? પણ આવો જ એક કિસ્સો નાગપુરમાંથી પ્રકાશમાં આવ્યો છે. મહિને રૂ. એક લાખની કમાણી કરતી આ વ્યક્તિ નાગપુરના એક રોડ પર છેલ્લા ત્રણ દાયકાથી બટાકા-પૌંઆ વેચે છે અને તે મહારાષ્ટ્રના આવકવેરા વિભાગનો કરદાતા છે. રૂપમ સાખરે નામનો આ કરદાતા અહીંના કસ્તુરચંદ પાર્ક ખાતેના...
 
 
danik bhaskar

અલગ વિદર્ભ માટે ભાજપ યાત્રા કાઢશેWednesday, March 3, 2010 15:31 [IST]

મહારાષ્ટ્ર ભાજપ દ્વારા આવતીકાલથી અલગ વિદર્ભની માંગણી સાથે યુવા જાગર યાત્રા કાઢવાનું એલાન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો ઉદ્દેશ યુવાનોમાં અલગ વિદર્ભની માંગણી અંગે જાગૃતિ ફેલાવવાનો રહેશે.

નાગપુર સાઉથ-વેસ્ટના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર ફદનવિસ બુલધાના જિલ્લાના શેગાંવથી જ્યારે બલ્લારપુરના ભાજપના ધારાસભ્ય સુધરી મુંગાતિવર ચંદ્રપુરથી યાત્રાની શરૂઆત કરશે તેમ પાર્ટીના...

bjp-logo101[1]2111
 
 
danik bhaskar

ભગવાન કૃષ્ણના રૂપમાં આસારામ!Wednesday, February 24, 2010 14:45 [IST]

રંગોનો તહેવાર હોળી નજીક આવી રહ્યો છે. આ તહેવાર દેશભરમાં ઉમંગ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ તહેવાર ઉજવવામાં આસારામબાપુ પણ પાછળ નથી. તેમણે પોતાના નાગપુર સ્થિત આશ્રમમાં ભક્તોની સાથે હોળીનો તહેવાર મનાવ્યો હતો. આ પ્રસંગે આસારામબાપુએ કૃષ્ણ કનૈયાનો વેશ ધારણ કર્યો હતો. તેમણે પોતાના ભક્તોને પાણીથી હોળી રમાડી હતી. આ ઉજવણી દરમિયાન આસારામ બાપુના હજારો ભક્તોએ હાજરી આપી હતી.


*...
Untitled-11111
 
 
danik bhaskar

નાગપુરની સ્ટીલ કંપનીમાં બોયલર ફાટતાં ત્રણનાં મોતWednesday, February 17, 2010 00:05 [IST]

નાગપુર- ભંડારા રોડ પર કળમના ખાતે જે. ડી. ઈસ્પાત કંપનીમાં મંગળવારે બોયલરનો વિસ્ફોટ થતાં ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે ૧૨ જણ ઘાયલ થયા હતા. નાગપુર સ્થિત જે. ડી. ઈસ્પાત કંપનીમાં મંગળવારે સવારે૮ વાગ્યે આ દુઘટર્ના બની હતી. તે સમયે આશરે ૨૩ કર્મચારી ફરજ પર હતા. બોયલરનો સ્ફોટ થયા પછી લાગેલી આગમાં એક એન્જિનિયર અને બે કામગાર મળી ત્રણ જણનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. અન્ય ઘાયલ કર્મચારીઓને...
 
 
danik bhaskar

બાળ ઠાકરે અને રાજ ઠાકરે લંડન જઈ વસે ને આપસમાં મરાઠી બોલે : ઉમા ભારતીFriday, February 12, 2010 00:20 [IST]

શિવસેના પ્રમુખ બાળ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેને હિંદી ભાષાનો એટલો જ તિરસ્કાર હોય તો તેમણે લંડન જઈને વસવું જોઈએ અને અંદરોઅંદર મરાઠી બોલતા બેસી રહેવું જોઈએ, એવી સોંસરવી સલાહ જનશક્તિ પક્ષનાં નેતા ઉમા ભારતીએ આપી હતી. નાગપુરમાં ગુરુવારે એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે ‘માય નેમ ઇઝ ખાન’ ફિલ્મ વિરુદ્ધ શિવસેનાનું આંદોલન એટલે સિનેમાને...
Uma-Bharati11
 
 
danik bhaskar

બાળ અને રાજ ઠાકરે લંડન જતા રહે: ઉમાThursday, February 11, 2010 19:59 [IST]

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને અભિનેતા શાહરુખ ખાનના ‘રણ’માં ભારતીય જનશક્તિ પાર્ટીની ફાયરબ્રાંડ નેતા ઉમા ભારતીએ પણ ઝંપલાવ્યું છે. તેમણે શિવસેના પ્રમુખ બાળ ઠાકરે પર તેમની જ આક્રમક શૈલીમાં જવાબ આપતા કહ્યું હતું કે હિન્દીનો વિરોધ કરનાર બાલ ઠાકરે અને તેમના ભત્રીજા રાજ ઠાકરે લંડન જઈને વસી જાય અને ત્યાં જઈને મરાઠી ભાષાનો પ્રચાર પ્રસાર ચાલુ કરે. મહારાષ્ટ્રની પાટનગર નાગપુરમાં...
umabhartisot_248[1]1
 
 
danik bhaskar

તબીબી શિક્ષણનો શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરાશે : આઝાદSaturday, February 6, 2010 18:51 [IST]

કેન્દ્ર સરકારે સમગ્ર દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં પહોંચવા માટે જિલ્લા સ્તરે સરકારી શાળાઓમાં ટૂંકા ગાળાના તબીબી શિક્ષણ અભ્યાસક્રમો હાથ ધરવાનો નિર્ણય લીધો છે.



કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતાના પ્રધાન ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે ‘‘સરકાર, ટૂંક સમયમાં સાડા ત્રણ વર્ષના તબીબી અભ્યાસક્રમ દ્વારા ગ્રામીણ ક્ષેત્રોમાં સેવા માટે ડોક્ટરો તૈયાર કરશે અને એ માટે...

teaching11
 
 
danik bhaskar

ભાવ વધારો નવી વાત નથી પવારની વહારે પ્રફુલ્લ પટેલThursday, February 4, 2010 19:08 [IST]

ઉડ્ડયન પ્રધાન કહે છે કે દેશમાં વધતી મોંઘવારી ચિંતાનો વિષય છે પણ તે માટે કૃષિ પ્રધાનને કારણ વિના ટીકાનું નિશાન બનાવાય છે

દેશમાં મોંઘવારી વધે છે એ ચિંતાનો વિષય છે, પણ એ માટે કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારને કારણ વિના ટીકાનું કેન્દ્ર બનાવાય છે, એમ કહેતાં કેન્દ્રના મુલકી ઉયન પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે તેમના પક્ષપ્રમુખનો સોમવારે નાગપુરમાં નક્કર બચાવ...

M_Praful-Patel_1111
 
 
danik bhaskar

નાશિક નજીક મેળામાં ૩,૦૦૦ બકરાંની બલિSunday, January 31, 2010 03:12 [IST]

અત્રે મળતા અહેવાલોમાં શનિવારે જણાવાયા પ્રમાણે વડંગલી ગામમાં સતીમાતા-સામંતદાદાના મેળામાં ભકતોએ અત્યાર સુધીમાં ૩,૦૦૦ બકરાંનો બલિ ચડાવ્યો હતો.

ગામમાં વણઝારા સમાજનાં તીર્થ સ્થળે શુક્રવારે શરૂ થયેલા મેળામાં પ્રાણીઓનો બલિ ચઢાવાય છે, એમ અહેવાલમાં જણાવાયું હતું.

દેશના વિવિધ ભાગોમાંથી, ખાસ કરીને ખાનદેશ અને મઘ્ય પ્રદેશમાંથી ઓછામાં ઓછા બે લાખ શ્રદ્ધાળુઓ વિધિ જોવા અહીં એકત્ર...

goats122
 
 
danik bhaskar

ભાજપ ભાવવધારાના મુદ્દે સંસદને ધેરાવ કરશે: જાવડેકરMonday, January 25, 2010 00:57 [IST]

ભાજપ ભાવવધારાને મુદ્દે માચના પ્રથમ સપ્તાહમાં સંસદનો ધેરાવ કરશે, એમ ભાજપે રવિવારે અત્રે જણાવ્યું હતું. ગત ચાર માર્સમાં ખાંડ અને કઠોળના ભાવોમાં જબરદસ્ત વધારો થયો છે. આ ભાવવધારાથી ખેડૂતોને કોઈ લાભ થયો નથી, એમ ભાજપના પ્રવકતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું. ખાંડના ભાવો કિલોદીઠ રૂ. ૫૦ વઘ્યા, પરંતુ ખેડૂતોને તેમની શેરડી સામે કિલોદીઠ ફક્ત રૂ. ૧૬ મળે છે. આ સ્થિતિ સાંખી શકાય નહીં અને તેથી...
 
 
danik bhaskar

વિદર્ભે પાળેલો સજ્જડ બંધThursday, January 21, 2010 03:31 [IST]

તમામ રાજકીય પક્ષોનો ટેકો, બસ વ્યવહાર સદંતર ખોરવાયો, છૂટી છવાઇ હિંસાની ઘટનાઓ પણ બની અલગ વિદર્ભ રાજ્યની માગણી માટે ‘વેગળા વિદર્ભ સંગ્રામ સમિતિ’ જાહેર કરેલા બુધવારે બાર કલાકના ‘વિદર્ભ બંધ’માં બસો પર પથ્થરમારો, રેલ રોકો અને છૂટક હિંસાની ઘટનાઓ બની હતી.’ નાગપુરમાં ત્રણ બસોની ભાંગફોડ કરાઈ હતી અને ચંદ્રપુરમાં એક દંપતીએ ટાવર પર ચડીને વિરોધ દર્શાવ્યો હતો. આંધ્રમાં ‘સ્વતંત્ર...
 
 
danik bhaskar

વિદર્ભ બંધની વ્યાપક અસરFriday, January 22, 2010 19:06 [IST]

વિદર્ભ નિર્માણ સંગ્રામ સમિતિના નેજા હેઠળ અલગ વિદર્ભ રાજ્ય માટે મહારાષ્ટ્રના 11 જિલ્લાઓમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને સ્વયંભૂ સમર્થન સાંપડ્યું હતું.



બંધના પગલે નાગપુર સહિતના 11 જિલ્લાઓમાં વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેટલાક હિંસક દેખાવકારોએ સરકારી વાહનો અને ઇમારતોને નુકશાન પહોંચાડ્યું હતું. જોકે, મોટાભાગની સરકારી કચેરીઓ બંધ રહી હતી. લાંબા...

vidarbha321
 
 
danik bhaskar

તબીબી શિક્ષણ માટે ટૂંકા ગાળાનો કોર્સ શરૂ કરાશેSunday, January 17, 2010 03:25 [IST]

સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સારવાર મળી રહે તેવા આશયથી સરકાર દ્વારા ચાલતી શાળાઓમાં સરકારે જિલ્લા સ્તરે ટૂંકા ગાળાનો મેડિકલ એજ્યુકેશન કોર્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ગુલામનબી આઝાદે શનિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સાડાત્રણ વર્ષનો તબીબી શિક્ષણ કોર્સ લોન્ચ કરશે અને જિલ્લા સ્તરે તે માટે શાળાઓ શરૂ...

DNA-TEST11
 
 
danik bhaskar

એનસીપી દ્વારા પણ અલગ વિદર્ભની માગWednesday, January 13, 2010 01:45 [IST]

મહારાષ્ટ્રમાં લોકશાહી મોરચા સરકારમાં ભાગીદાર એનસીપીએ પણ છેવટે અલગ વિદર્ભ આંદોલનમાં જોડાવાનો પોતાનો મનસૂબો જાહેર કર્યો છે. પક્ષે દાવો કર્યો છે કે અમે કાયમ વિદર્ભને રાજયનો દરજજો આપવાની તરફેણ કરતા રહ્યા છીએ.



અત્રે યોજાયેલી એક રેલીમાં હરિત પ્રદેશના પક્ષકાર નેતા અજિત સિંહે પણ આ બાબતે પૂરેપૂરો ટેકો આપવાનું જાહેર કર્યું હતું. મહારાષ્ટ્રના અનાજ અને પુરવઠા પ્રધાન અનિલ...

NCP11
 
 
danik bhaskar

વધુ બે વિધાર્થિનીની આત્મહત્યાTuesday, January 12, 2010 01:06 [IST]

બુલઢાણા અને નાગપુરમાં વધુ બે વિધાર્થિનીએ પરીક્ષામાં તાણ આવતાં આત્મહત્યા કરી લીધી છે, જેને કારણે શિક્ષકો, વાલીઓમાં ચિંતાનું મોજું વધુ પ્રસરી ગયું છે. બુલઢાણામાં લો કોલેજની વિધાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. ખામગાવ સ્થિત લો કોલેજમાં ભણતી સીમા ઉખાળકર છેલ્લા થોડા દિવસમાં ખૂબ તાણમાં હતી. સોમવારથી તેની પરીક્ષા શરૂ થઈ હતી. તેણે પેપર શરૂ થવાના ગણતરીના કલાકો પૂર્વે પોતાના ઘરમાં...
student-suicide1
 
 
danik bhaskar

થ્રી ઈડિયટ્સને ટેક્સ ફ્રી કરો: આમિરWednesday, January 06, 2010 00:59 [IST]

થ્રી ઈડિયટ્સ ફિલ્મ રેગિંગ વિરોધ છે. તેમાં રેગિંગ રોકવા બાબતે સંદેશ અપાયો છે, એમ કહીને અભિનેતા આમિર ખાને મંગળવારે અત્રે આ ફિલ્મનો બચાવ કર્યો હતો. ફિલ્મમાં કોઈ અતિશયોક્તિ નથી. ઊલટાનું આ ફિલ્મ સામાજિક સંદેશ આપતી હોવાથી તેને ટેકસ ફ્રી કરવી જોઈએ, એમ આમિરે જણાવ્યું હતું. સરકાર આ ફિલ્મમાંનાં દ્રશ્યો વાંધાજનક છે કે કેમ તે તપાસી રહી છે એવો સવાલ સામે પ્રતિક્રિયામાં આમિરે ઉકત વાત જણાવી...
aamir-khan1
 
 
danik bhaskar

અલગ વિદર્ભને માટે રાજીનામું આપવાની દુગ્ધ વિકાસ પ્રધાનની જાહેરાતTuesday, January 05, 2010 00:51 [IST]

વિલાસ મુત્તેમવારેના આંદોલનમાં નિતીન રાઉત પણ જોડાયા કોંગ્રેસના સાંસદ વિલાસ મુત્તેમવારે પોકારેલા અલગ વિદર્ભ માટેના આંદોલનમાં અશોક ચવ્હાણના પ્રધાનમંડળના દુગ્ધ વિકાસ પ્રધાન નીતિન રાઉતે હવે ઝંપલાવી દીધું હોઈ આ માગણી માટે જરૂર પડયે પોતે પ્રધાનપદેથી રાજીનામું આપવા તૈયાર છે, એવી જાહેરાત તેમણે કરી છે, જે ચવ્હાણને મુશ્કેલીમાં મૂકી શકે છે. નીતિન રાઉત અત્રે ગ્રામવાસીઓના એક...
farmer1
 
 
danik bhaskar

વિજસ અલગ વિદર્ભના ધરણાંમાં જોડાશેSaturday, January 02, 2010 02:54 [IST]

પ્રદેશના ખેડૂતોના કલ્યાણ સાથે સંકળાયેલી એનજીઓ વિદર્ભ જનઆંદોલન સમિતિ પણ અલગ વિદર્ભ પર ધરણાંમાં જોડાવાનું નક્કી કર્યું છે.૩ જાન્યુઆરીએ કોંગ્રેસના સાંસદ અને માજી કેન્દ્રીય પ્રધાન વિલાસ મુત્તેમવારે આ આંદોલન જાહેર કર્યું છે. સમિતિ અલગ વિગર્ભના કાજ માટે સંપૂર્ણ ટેકો આપશે, એમ તેના પ્રમુખ કિશોર તિવારીએ જણાવ્યું હતું.અમુક પક્ષો સંયુકત મહારાષ્ટ્ર ચળવળની વાતો કરી રહ્યાં છે, જયારે...
 
 
danik bhaskar

દેશની લોકશાહીને મજબૂત કરવા મતદાન ફરજિયાત કરો : ગડકરીWednesday, December 30, 2009 04:02 [IST]

મતદાન બાબતે હજુ પણ આપણે ગંભીર નથી. દેશની લોકશાહીને મજબૂત કરવા માટે મતદાન ફરજિયાત કરવું જરૂરી છે, એમ ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ નીતિન ગડકરીએ જણાવ્યું હતું.



હાલમાં જ ગુજરાતમાં મુખ્ય પ્રધાન નરેંદ્ર મોદીની સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માટે મતદાન ફરજિયાત કરતું બિલ વિધાનસભામાં મંજૂર કરાવી લીધું હતું. જોકે મુખ્ય ચૂંટણી કમિશનર નવીન ચાવલાએ તે મતદાન ફરજિયાત કરી શકાશે નહીં એવી...

nitin111
 
 
danik bhaskar

ખેડૂતોના આપઘાતને રોકવા પર મુખ્યપ્રધાન ચવ્હાણે ભાર મૂકયોThursday, December 24, 2009 03:43 [IST]

રાજ્ય સરકાર તેમજ પ્રધાનમંત્રી પેકેજની અમલ બજાવણી બાબતની બેઠકમાં મુખ્ય પ્રધાને હાજરી આપી



મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ હવે ખેડૂતોની આત્મહત્યા રોકવા પર ભાર આપી રહ્યા છે. આ મુદ્દે રાજ્ય સરકાર તેમ જ પ્રધાનમંત્રી પેકેજની અમલ બજાવણી બાબતની બેઠકમાં તેમણે હાજરી આપી હતી. ખેડૂતોની આત્મહત્યા રોકવા વિશેષ પ્રયત્ન કરવા ચવ્હાણે ભારપૂર્વક જણાવ્યું હતું.



સાથોસાથ તેમણે ખેડૂતોએ...

M_ASHOK-CHAWAHAN11
 
 
danik bhaskar

રાજ્યમાં એક વર્ષમાં લોકોને નવાં બાયોમેટ્રિક રેશનકાર્ડ મળશેThursday, December 24, 2009 03:12 [IST]

રાજ્યમાં વસતાં પરિવારોમાં એક કરતાં વધુ રેશનકાર્ડ હોય તો તે વધારાનાં રેશનકાર્ડને અપાત્ર ઠરાવવા અંગેના નિર્ણય મુજબ કાર્યવાહી રાજ્યમાં વસતા પરિવારોમાં એક કરતાં વધુ રેશનકાર્ડ હોય તો તે વધારાનાં રેશનકાર્ડને અપાત્ર ઠરાવવા અંગેના નિર્ણય મુજબ આગામી વર્ષ સુધીમાં સૌને બાયોમેટ્રિક પદ્ધતિનાં રેશનકાર્ડ આપવામાં આવશે, એવી જાહેરાત અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન અનિલ દેશમુખે મંગળવારે...
 
 
danik bhaskar

વિદર્ભ માટે ૧૦૦ અબજનું પેકેજ જાહેરThursday, December 24, 2009 02:59 [IST]

વિધાનમંડળના શિયાળુ સત્રના છેલ્લા દિવસે મુખ્યપ્રધાને અશોક ચવ્હાણે કરેલી જાહેરાત વિધાન મંડળના શિયાળુ સત્રના છેલ્લા દિવસે મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે અપેક્ષા મુજબ વિધાનસભામાં વિદર્ભના વિકાસ માટે ૧૦૦ અબજ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. આ પેકેજનો અમલ સુનિયંત્રિત પદ્ધતિએ કરાય એ માટે મુખ્ય સચિવની અઘ્યક્ષતામાં સમિતિ સ્થાપવામાં આવશે. એવી જાહેરાત પણ મુખ્ય પ્રધાને કરી. અગાઉ...
M_Ashok-Chauhan-11
 
 
danik bhaskar

મુંબઈના પૂર્વ કમિશનર ગફુર શંકાના ધેરામાંTuesday, December 22, 2009 03:25 [IST]

૨૬/૧૧ના હુમલા અંગેનો પ્રધાન સમિતિનો અહેવાલ વિધાનસભામાં રજૂ મુંબઈમાં ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલાની તપાસ કરનારી પ્રધાનસમિતિએ મુંબઈના તત્કાલિન પોલીસ કમિશનર હસન ગફુર દ્વારા ગંભીર ચૂક થઈ હોવાનો અહેવાલ રજૂ કર્યોછે. જયારે ૨૬/૧૧ની તપાસનો અહેવાલ મિડિયામાં ફૂટી ગયો હતો એવી કબૂલાત સોમવારે મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કરી હતી. સોમવારે વિપક્ષની ધાંધળધમાલ વચ્ચે આ અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં...
 
 
danik bhaskar

ગડકરી ત્રણ વર્ષ સુધી ચૂંટણી લડશે નહીંMonday, December 21, 2009 03:50 [IST]

ભાજપના નવા પ્રમુખ નીતિન ગડકરી આગામી ત્રણ વર્ષ સુધી લોકસભા કે રાજય સભાની ચૂંટણી લડશે નહીં.



નાગપુરમાં પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેના ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન તેઓ કોઇ પણ સંસદીય ચૂંટણી લડશે નહીં.



તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે, તેમની મુખ્ય કામગીરી ભાજપને મજબૂત બનાવવાની છે. ભાજપના નવા પ્રમુખ તરીકે દિલ્હીમાં...

gadkari11
 
 
danik bhaskar

નકસલવાદને ડામવા સરકાર ગોળીનો જવાબ ગોળીથી આપશે : ચવ્હાણThursday, December 17, 2009 03:04 [IST]

નકસલવાદીઓ સાથે વાટાઘાટ કરવાની તૈયારી છે પરંતુ તે પહેલા તેમણે હિંસાચાર અટકાવવો પડશે નકસલવાદને ડામવા માટે મહારાષ્ટ્ર સરકાર ગોળીનો જવાબ ગોળીથી આપશે, એમ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે જણાવ્યું હતું. નકસલવાદને ડામવાનો સવાલ છે ત્યાં સુધી અમે ગોળીનો જવાબ ગોળીથી એ નીતિ સાથે વળગી રહીશું, એમ તેમણે જણાવ્યું હતું. નકસલવાદીઓ સાથે વાટાઘાટ કરવાની પણ અમારી તૈયારી છે, પરંતુ તે પૂર્વે તેમણે...
chauhan1
 
 
danik bhaskar

અલગ વિદર્ભને મુદ્દે રાજના વિધાન પર હવે સૌની મીટWednesday, December 16, 2009 00:23 [IST]

મહારાષ્ટ્રને વિદર્ભથી અલગ કરવાની માગણી જોર પકડી રહી છે ત્યારે શિવસેનાએ ભાગલા સામે વિરોધ નોંધાવ્યો હોલાથી હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અઘ્યક્ષ રાજ ઠાકરે કેવું વલણ અપનાવે તેની પર સૌની મીટ મંડાયેલી છે. રાજ ઠાકરેએ મંગળવારથી વિદર્ભ પ્રવાસ શરૂ કર્યો હતો, જેના ભાગરૂપે તે સવારે નાગપુરમાં આવ્યો હતો. તેના સ્વાગત માટે એરપોર્ટ પર સમર્થકોએ ભારે ભીડ કરી હતી. સ્વતંત્ર વિદર્ભ બાબતે રાજ...
raj11
 
 
danik bhaskar

પ્રધાન સમિતિનો અહેવાલ ૨૧મીએ બંને ગૃહમાં રજૂ થશેTuesday, December 15, 2009 01:30 [IST]

અહેવાલ લીક થવાના મામલે વિપક્ષે સવાલ ઉઠાવ્યો અહેવાલ બંને ગૃહમાં રજૂ કરવાની માહિતી ગૃહ પ્રધાન આર.આર. પાટીલે વિધાનસભામાં આપી ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના આતંકવાદી હુમલાની તપાસ કરનારી રામ પ્રધાન સમિતિનો અહેવાલ આગામી સોમવારે બંને ગૃહમાં રજૂ કરવાની માહિતી ગૃહ પ્રધાન આર આર પાટીલે સોમવારે વિધાનસભામાં આપી હતી. સોમવારે સવારે ગૃહનું કામકાજ શરૂ થયું ત્યાં વિપક્ષે ફરી રામ પ્રધાન સમિતિના...
2611
 
 
danik bhaskar

તબીબી વિદ્યાર્થીઓ માટે ગ્રામીણ ક્ષેત્રમાં સેવા ફરજિયાત બનાવાશેTuesday, December 15, 2009 01:29 [IST]

પોસ્ટ ગ્રેજ્યુએટ અને ફેકલ્ટીને મહિનામાં એક વાર ગ્રામીણ વિસ્તારની મુલાકાત લેવી પડશે અગાઉ રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોના એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે બે વર્ષની ઈન્ટર્નશિપ ફરજિયાત કરી હતી, જે નિર્ણયને લઈ ભારે ઊહાપોહ મચી ગયો હતો તબીબી વિદ્યાર્થીઓ માટે ગ્રામીણ સેવા ફરજિયાત બનાવવામાં આવશે, એમ એક સિનિયર પ્રધાને જણાવ્યું હતું. બધા જ પોસ્ટ ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને...
 
 
danik bhaskar

નાગપુરખાતે આંતરરાષ્ટ્રીય મેરેથોન યોજાશેTuesday, December 15, 2009 01:28 [IST]

મહાત્મા ગાંધી બાપુની પુણ્યતિથિ ૩૧ જાન્યુઆરીએ નાગપુર ખાતે બીજી આંતરરાષ્ટ્રીય મેરેથોન યોજાઈ છે. સ્પર્ધામાં ૩૫ લાખના ઈનામો રખાયા છે.સ્પર્ધાના સંયોજક અને સંસદસભ્ય વિલાસ મુત્તેમવારે જણાવ્યું હતું કે ‘‘કેન્યા, ઈથોપિયા, બલોરિયા, ટાન્ઝાનિયા, રશિયા તથા અન્ય દેશોના દોડવીરો સાથે રાજ્યના તથા દેશના અન્ય પ્રાંતોના એથ્લેટસ ભાગ લેશે. ગયા વર્ષે આ સ્પર્ધાને મળેલો પ્રતિસાદ જૉતાં આ વખતે વધુ...
 
 
danik bhaskar

અલગ વિદર્ભ રાજ્યની માંગ પર નાગપુરમાં હંગામોMonday, December 14, 2009 10:35 [IST]

તેલંગાણાના બહાને મહારાષ્ટ્રમાં અલગ વિદર્ભ રાજ્યની માંગ પણ જોર પકડી રહી છે. આંદોલનકારીઓએ મુંબઇથી ગોડિયા જઇ રહેલી વિદર્ભ એક્સપ્રેસને નાગપુરમાં અડધો કલાક સુધી રોકી રાખી હતી. આંદોલનકારીઓએ મહારાષ્ટ્રના વિરોધમાં અને વિદર્ભના સમર્થનમાં મોટાપાયે સુત્રોચ્ચારો કર્યા હતા. રેલવે રોકવાની ઘટનાઓને કારણે કેટલીક ટ્રેનો મોડી પડી હતી. જોકે, હવે પરિસ્થિતિ સામાન્ય હોવાનું સુત્રોએ...
vidarbh11
 
 
danik bhaskar

અંગ્રેજી શાળાના ફી નિયંત્રણ માટે પ્રાધિકરણMonday, December 14, 2009 03:24 [IST]

મુંબઈ, થાણે, પુણે જેવાં મહાનગરોની ખાનગી બિનઅનુદાનિત અંગ્રેજી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી વસૂલ કરવામાં આવતી ફીની મસમોટી રકમ દ્વારા થતી નફાખોરી પર અંકુશ લાવવા માટે રાજયના શાળા શિક્ષણ વિભાગ દ્વારા ફી નિયંત્રણ પ્રાધિકરણની સ્થાપના કરાશે. આગામી વર્ષની ૧૫ ફેબ્રુઆરી સુધીમાં આ નિર્ણય લેવાઈ જશે, જેથી આગામી શૈક્ષણિક વર્ષથી તેનો અમલ થઈ શકે.સીબીએસઈ, આઈસીએસઈ, આઈસીજીએસઈ અને ઈન્ટરનેશનલ...
 
 
danik bhaskar

તબીબી વિદ્યાર્થીઓ માટે ગ્રામીણ ક્ષેત્રમાં સેવા ફરજિયાત બનાવાશેMonday, December 14, 2009 03:12 [IST]

તબીબી વિદ્યાર્થીઓ માટે ગ્રામીણ સેવા ફરજિયાત બનાવવામાં આવશે, એમ એક સિનિયર પ્રધાને જણાવ્યું હતું. બધા જ પોસ્ટ ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને મહિનામાં એક વાર ગ્રામીણ વિસ્તારના દરદીઓની મુલાકાત લેવાનું ફરજિયાત બનાવવાનું અમે વિચારી રહ્યા છીએ, એમ તબીબી શિક્ષણ પ્રધાન વિજયકુમાર ગાવિતે માહિતી આપતા જણાવ્યું હતું. અગાઉ રાજય સરકારે ગ્રામીણ વિસ્તારોના એમબીબીએસના વિદ્યાર્થીઓ...
 
 
danik bhaskar

ખેડૂતો દારૂ પીને આત્મહત્યા કરે છે એવા નિવેદનથી રાણે મુસીબતમાંSaturday, December 12, 2009 03:55 [IST]

વિદર્ભમાં ખેડૂતોની આત્મહત્યા પાછળનું કારણ દારૂ પણ હોવાનો દાવો કરીને છ જિલ્લામાં દારૂબંધી લાદવાની મહેસૂલ પ્રધાન નારાયણ રાણેએ કરી હતી તેની સામે વિપક્ષો આંદોલન છેડયું છે. શુક્રવારે વિધાનસભામાં મોટે ભાગે રાણેના આ કથનનો મુદ્દો ભારે ગાજયો હતો. ભાજપ અને શિવસેનાએ રાણે માફી માગે એવો હઠ ચાલુ જ રાખ્યો હતો. દેવેંદ્ર ફડણવીસના નેજા હેઠળ ૧૨ વિધાનસભ્ય તો સભાગૃહમાં બેનરો લહેરાવીને બેસી...
Rane1
 
 
danik bhaskar

મુંબઈમાં નવા બંધાનારા ટાવરોને પાણી પુરવઠો બંધSaturday, December 12, 2009 03:43 [IST]

વિધાનસભામાં મનસે તથા અન્ય સભ્યો દ્વારા એવો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે શહેરમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે. જૂનાં મકાન અને ચાલીઓને પૂરતું પાણી મળતું નથી. આ તમામ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી નવાં બંધાતાં ટાવરોને પાણી પુરવઠો નહીં આપવામાં આવે. મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે સભ્યોની લાગણીને ઘ્યાનમાં રાખીને એવી જાહેરાત કરી હતી કે હવે પછી નવા બંધાતા ટાવરો અને ટાવરો પરના સ્વિમિંગ...
 
 
danik bhaskar

વિરોધ બાદ ધાન્યનો દારૂ બનાવવા અંગેના લાઈસન્સ પર ફેરવિચારણાSaturday, December 12, 2009 03:32 [IST]

રાજયમાં મકાઈ, જુવાર અને બાજરીમાંથી દારૂ બનાવવાના પ્રસ્તાવ સામે વિરોધ બાદ સરકારે હવે ફેરવિચાર કરવાની ખાતરી આપી છે. શિવસેનાનાં નેતા ડો. નીલમ ગોરેએ શુક્રવારે આ મુદ્દો વિધાન પરિષદમાં ઉઠાવ્યો હતો. એક બાજુ મોંઘવારી વધી છે ત્યારે દારૂ બનાવવા માટે સારું ધાન્ય ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. આને કારણે આવાં કારખાનાંના લાઈસન્સ તાત્કાલિક રદ કરો એવી માગણી તેમણે કરી હતી. આના જવાબમાં ગૃહ...
wine1
 
 
danik bhaskar

પતપેઢીઓ સંકટમાં આવતાં રોકાણકારોના કરોડો સલવાયાFriday, December 11, 2009 04:14 [IST]

રાજયમાં ૨૨,૦૦૦ પતપેઢીમાંથી ૪૬૨ નાગરી સહકારી પતપેઢી આર્થિક સંકટમાં આવતાં રોકાણકારોના રૂ. ૯૧૭.૧૫ કરોડ સલવાઈ ગયા છે, એવી માહિતી સહકાર પ્રધાન હર્ષવર્ધન પાટીલે આપી હતી. આ સંબંધમાં આર એમ વાણી, સંજય શિરસાટ, પ્રશાંત બંબે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં પાટીલે જણાવ્યું હતું કે પતપેઢીઓનું કામકાજ સુધરે અને રોકાણકારોનાં નાણાં પાછાં મળે તે માટે સરકાર પ્રાધિકરણ સ્થાપવા વિચારી રહી છે. આ માટે રૂ....
 
 
danik bhaskar

આજના વિધાર્થીઓ આવતીકાલે વિધાનસભ્ય બને એવી આશા: ચવાણThursday, December 10, 2009 03:40 [IST]

સંસદીય કાર્યશાળામાં વિધાર્થીઓને યુવાન ઉમરે રાજકીય કારકિર્દી શરૂ કરવાનો મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણનો અનુરોધ ‘‘સંસદીય કાર્યશાળામાં શીખનાર એકાદ વિધાર્થી વિધાનસભ્ય બને તો તેનું બહુમાન કરવું જ જોઈએ. વિધાનમંડળના સભાગૃહમાં નવા ચહેરાનું સ્વાગત છે.’’ એમ મુખ્ય પ્રધાન અશોક ચવાણે બુધવારે ૩૯મા સંસદીય અભ્યાસવર્ગને સંબોધતાં જણાવ્યું. હાલ સભાગૃહમાં ૧૫૦ નવા ચહેરા છે. ‘‘લોક પ્રતિનિધિ...
ASHOK-CHAWAHAN-C-M111
 
 
danik bhaskar

૨૬/૧૧નો અહેવાલ ફૂટયાની વાતો સાવ ખોટી: ચવ્હાણThursday, December 10, 2009 03:38 [IST]

મુંબઈ પર ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ થયેલા આતંકવાદી હુમલાની તપાસ કરનારી રામ પ્રધાન સમિતિનો મિડિયા સુધી પહોંચી ગયેલો અહેવાલ ખોટો છે, એમ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે બુધવારે વિધાન પરિષદમાં જણાવ્યું હતું.મને વિરોધી પક્ષ દ્વારા ફૂટેલા અહેવાલની નકલ આપવામાં આવી છે. તે અને અમારી પાસેના ચાર પાનાંના અહેવાલમાં તફાવત છે. અમારી પાસે મૂળ નકલ છે, એમ તેમણે જણાવ્યું હતું. આમ છતાં અમે વિરોધી...
mumbai11
 
 
danik bhaskar

સરકાર ત્રાસવાદ સામે અસહાય : ગોપાળ શેટ્ટીThursday, December 10, 2009 03:36 [IST]

‘મુંબઈ શહેરમાં બાંગલાદેશી ઘૂસણખોરોની સંખ્યા દિનપ્રતિદિન વધે છે. પાકિસ્તાની આતંકવાદી હુમલા રોકવામાં સરકાર પૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. મંગળસૂત્ર ખેંચીને, આંચકીને નાસી જવાની વધતી જતી ઘટનાઓને કારણે મહિલાઓ મારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. એકંદરે રાજ્ય સરકાર, મુંબઈની સલામતીની બાબતે સ્હેજ પણ ગંભીર નથી.’ એવો આરોપ ભાજપના મુંબઈ એકમના પ્રમુખ અને વિધાનસભ્ય ગોપાલ શેટ્ટીએ...
terrorist_183[1]11
 
 
danik bhaskar

26-11નો રિપોર્ટ લીક નથી થયો- ચવ્હાણWednesday, December 09, 2009 17:36 [IST]

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અશોક ચવ્હાણના કહેવા પ્રમાણે મુંબઇ પરના 26-11ના આતંકવાદી હુમલાનો અહેવાલ લીક નથી થયો. તેમના કહેવા પ્રમાણે લીક થયેલા રિપોર્ટ અને મુળ રિપોર્ટમાં કોઇ સામ્યતા નથી. મહારાષ્ટ્રની વિધાન પરિષદમાં વિપક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા એક પ્રશ્નનો જવાબ આપતા અશોક ચવ્હાણે આ વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતુંકે. આમ છતાં વિપક્ષ દ્વારા આપવામાં આવેલા અહેવાલની નકલ અને મુળ...
chavhan1
 
 
danik bhaskar

બહુજન એકતા મંચનાં અઘ્યક્ષા સુલેખાની ધરપકડWednesday, December 09, 2009 03:51 [IST]

નાગપુરમાં મંગળવારથી શરૂ થયેલા શિયાળુ સત્રના પહેલા જ દિવસે મોંઘવારી, વીજકાપ જેવા મુદ્દા પરથી આંદોલન છેડીને માજી ગ્રામવિકાસ પ્રધાન તથા બહુજન એકતા મંચનાં અઘ્યક્ષા સુલેખા કુંભારેએ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણની કારને જ અટકાવી દીધી હતી. સકિયુરિટી ભેદીને કુંભારે અને તેમના કાર્યકરો કારને અટકાવવામાં સફળ રહ્યા હતા. જોકે બાદમાં પોલીસે મોટી સંખ્યામાં આવીને કારને માર્ગ કરી આપ્યો હતો...
AAREST1
 
 
danik bhaskar

સત્ર શરૂ: ફયાન ગાજયું પણ રિપોર્ટના મુદ્દાનું સુરસુરિયુંWednesday, December 09, 2009 03:51 [IST]

વિપક્ષોએ ધાંધલ ધમાલ મચાવતાં બે વાર ગૃહ મોકૂફ રાખવાની ફરજ પડી રામ પ્રધાન સમિતિના તપાસના અહેવાલ પરથી રાજય સરકારને ભીંસમાં લેનારા વિરોધીઓએ ગઈ કાલે કરેલા દાવાનું સૂરસૂરિયું થયેલું મંગળવારે નાગપુર ખાતે વિધાનમંડળના શિયાળુ સત્રના પ્રથમ દિવસે વિધાનસભામાં જોવા મળ્યું હતું. ગત સત્રમાં રાજય સરકારે ગોપનીયતાના નામ નીચે રામ પ્રધાન સમિતિનો અહેવાલ ગૃહમાં રજૂ કર્યો ન હોતો. જોકે...
 
 
danik bhaskar

૨૬/૧૧, પ્રધાન સમિતિ અને બીજા મુદ્દા પડઘાશેTuesday, December 08, 2009 03:14 [IST]

મહારાષ્ટ્ર વિધાનમંડળનાં મંગળવારથી શિયાળું સત્રમાં ૨૬/૧૧ વિશે રામ પ્રધાન સમિતિનો અહેવાલ તેમજ વિદર્ભ સહિત રાજયની અનેક ધરખમ સમસ્યાઓના પડઘા પડવાનો સંભવ છે. વિરોધ પક્ષોએ સરકાર પર અચૂક નિશાન સાધવા તેમના ભાથામાં અનેક તીર સજાવી રાખ્યા છે. માવઠાને લીધે ખેતીને નુકસાન, વિદર્ભના સંતરાં તથા ડાંગર અને સોયાબિનને નુકસાન, એકાધિકાર કપાસ ખરીદીમાં સરકારની શિથિલતા વગેરે મુદ્દા પર સરકાર -...
mumbai11
 
 
danik bhaskar

વિધાનમંડળના શિયાળુ સત્રની નાગપુરમાં જોરદાર તૈયારીSaturday, December 05, 2009 01:37 [IST]

રાજયભરમાંથી ચાર હજાર પોલીસ જવાનો નાગપુરમાં ખડકાયા, એક હજારને કમાન્ડો તાલીમ, સરકારી અધિકારીઓ બે દિવસ પૂર્વે પહોંચ્યા મહારાષ્ટ્ર વિધાનમંડળના શિયાળુ સત્રની પૂર્વ તૈયારી વેગવાન બની રહી છે. નાગપુર ખાતે યોજાનારા આ સત્રની કાર્યવાહીમાં સુસૂત્રતા માટે સરકારી અધિકારીઓએ બે દિવસ પૂર્વે ત્યાં પહોંચીને સચિવાલયની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ સત્ર માટે બંદોબસ્ત અર્થે રાજયના અનેક...
nagpur1
 
 
danik bhaskar

‘મહાર’ કહેવું ગુનો નથી: હાઈકોર્ટMonday, November 30, 2009 03:17 [IST]

‘મહાર’ શબ્દ ઉચ્ચારવાથી કાયદેસર સજા થઈ શકે? (મરેલાં ઢોરનો નિકાલ કરનારી અસ્પૃશ્ય જાતિને મરાઠીમાં ‘મહાર’ કહેવાય છે.) મુંબઈ વડી અદાલતની નાગપુર ખંડપીઠે ગુરુવારે એક કેસનો ચુકાદો આપતાં ‘મહાર’ શબ્દ ઉચ્ચારતાં ગુનો થતો નહીં હોવાનો ઐતિહાસકિ નિર્ણય જાહેર કર્યોહતો. આ સંદર્ભના એક ખટલાની સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ એસ.એસ.શિંદેએ જણાવ્યું હતું કે ‘‘જાતિના ઉલ્લેખ તરીકે એકાદ શબ્દ બોલાયો...
mumbai-high-court1
 
 
danik bhaskar

રામ મંદિર માટે વધુ એક યાત્રા કાઢો: ઉમાWednesday, November 25, 2009 01:09 [IST]

લિબરહાન કમિશનનો રિપોર્ટ રાજકીય દસ્તાવેજ છે. તે ન્યાયાલયીન દસ્તાવેજો નથી તેવી ટીકા ભારતીય જનશકિત પક્ષના નેતાએ કરી લિબરહાન કમિશનનો રિપોર્ટ રાજકીય દસ્તાવેજ છે. તે ન્યાયાલયીન દસ્તાવેજો નથી, એવી ટીકા ભારતીય જનશકિત પક્ષનાં નેતા ઉમા ભારતીએ કરી હતી. આક્રમણવાદી બાબરી મસ્જિદ પાડવા બદલ જવાબદાર તરીકે મને ફાંસી પર ચઢાવવામાં આવશે તો હું રાજીખુશીથી તે સ્વીકારીશ, પરંતુ તે પૂર્વે...
uma-bharti-1
 
 
danik bhaskar

લાંચિયા નગરસેવકને ત્રણ વર્ષની સખત કેદTuesday, November 24, 2009 00:44 [IST]

નાગપુરની વિશેષ કોર્ટે લાંચખોરીના એક કેસમાં બહુજન સમાજ પાર્ટીના માજી નગરસેવક દીપક જેઠુજી જાંભુળકરને ૩ વર્ષ વર્ષની સખત કેદ આપી છે. ઉપરાંત તેને રૂ. ૧૦,૦૦૦નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નાગપુરમાં પ્રભાગ-૨માં પાલિકા વતી ચાલી રહેલા એક કામનો કોન્ટ્રાકટ વિલાસ આષ્ટીકરને મળ્યો હતો. જોકે જાંભુળકરે મજૂરોને હાંકી કાઢયા હતા. આ બાબતે આષ્ટેકરે જાંભુળકર પાસે પૃરછા કરી હતી. તે સમયે આષ્ટેકરે...
prison1
 
 
danik bhaskar

બાલ ઠાકરેમાં હિંમત નથી : સિંઘલMonday, Nov 23rd, 2009, 3:26 [IST]

બાબરી મસ્જિદ શિવસૈનિકોએ તોડી હોવાના દાવાને હસી કાઢતા વિશ્વ હિન્દુ પરિષદના નેતા



‘‘શિવસેના પ્રમુખ બાળ ઠાકરે કયારેય અયોઘ્યા ગયા નથી. તેમનામાં એટલી હિંમત નથી તેમનામાં હિંમત હોત તો તેમણે અયોઘ્યાની મુલાકાતો લીધી હોત.’’ એવો ટોણો વિશ્વહિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલે માર્યોહતો. સિંઘલે ‘રામબાણ’ છોડતાં શિવસૈનિકોએ બાબરી મસ્જિદ તોડી હોવાનો દાવો પણ હસી કાઢયો...

ashok-shinghal11
 
 
danik bhaskar

નકસલવાદીઓએ વન વિભાગનો લાકડાનો ડેપો બાળી નાખ્યોMonday, November 23, 2009 00:20 [IST]

ગઢચિરોલીના અલાપલ્લી તાલુકામાં ૧૦થી ૧૨ સશસ્ત્ર નકસલવાદીઓએ રવિવારે લાકડાનો ડેપો બાળી નાખ્યો હતો. વન વિભાગે અલાપલ્લીમાં ઊભો કરેલા લાકડાનો ડેપો નકસલવાદીઓએ બાળી નાખ્યો હતો. આ ઘટનામાં જોકે કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ મહત્ત્વના દસ્તાવેજો તેમં બળીને ખાક થયા હતા. ચોક્કસ કેટલી મતાને નુકસાન થયું છે તેનો કયાસ કાઢવામાં આવી રહ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું. હાલમાં જ નકસલવાદીઓએ ગ્રામ...
 
 
danik bhaskar

રાજ ઠાકરે સામે પગલા લો : વીએચપીSunday, Nov 22nd, 2009, 4:58 [IST]

મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના વોટ બેંકના રાજકારણના મુદ્દે હિંદી વિરૂદ્ધના વલણ પર દેશના ભાગલા કરવાની કોશિષનો આરોપ મુકીને વિશ્વ હિંદુ પરિષદે તેમની ટીકા કરીને તેમના વિરૂદ્ધ પગલાં ભરવાની માંગ કરી હતી.



વીએચપીના આતંરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલે અહીંની એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, " આ વોટબેંક આધારિત રાજકારણ છે અને રાજ ઠાકરે હિંદીની વિરૂદ્ધ બોલીને દેશના ભાગલા...

singhal21
 
 
danik bhaskar

આજથી ૧૫ ડબાની લોકલ અને ‘નાગપુર-મુંબઈ દૂરંતો’નો આરંભSaturday, November 21, 2009 02:47 [IST]

પંદર ડબાની લોકલની ઘણા વખતથી મુંબઈગરાઓને પ્રતીક્ષા હતી તેનો ૨૧ નવેમ્બરે અંત આવશે. કેન્દ્રનાં રેલવે પ્રધાન મમતા બેનર્જી મુંબઈની મુલાકાતે આવ્યાં છે અને આ મુલાકાત દરમિયાન તેઓ દાદર મિડટાઉન ર્ટમિનસ, મહિલા લોકલ અને મુંબઈ-કારવાર એકસપ્રેસને લીલીઝંડી બતાવીને નવી સેવાની શરૂઆત કરશે તેમજ અંધેરી રેલવે સ્થાનકેથી પંદર ડબાની લોકલને પણ લીલી ઝંડી બતાવશે. પંદર ડબાની ટ્રેનના અનુસંધાનમાં...
 
 
danik bhaskar

અશ્લીલતા કેસમાં મલ્લિકા શેરાવત વિરુદ્ધ વોરન્ટ જારીFriday, November 20, 2009 03:34 [IST]

અશ્લીલતાના એક જૂના કેસમં યવતમાળ જિલ્લાની પાંઢરકવડા કોર્ટે અભિનેત્રી મલ્લિકા શેરાવત વિરુદ્ધ જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે. નાગપુરના પોલીસ કમિશનરને આ સંબંધના આદેશ આપતી વેળા કોર્ટે મલ્લિકા સામે કયારે વોરન્ટ બજાવવામાં આવશે તેની માહિતી આપવા કહ્યું છે. મસ્તીભરી અદા માટે ઓળખાતી મલ્લિકા વિરુદ્ધ અત્રેના સ્થાનિક રજનીકાંત બોરેલેએ ફરિયાદ નોંધાવી હતી. જૂનમાં તેણે કોર્ટમાં...
Mallika-Sherawat1
 
 
danik bhaskar

રેલવેતંત્રના ૮૦ હજાર કર્મચારીઓની અછતથી અન્ય કર્મીઓ પરેશાનFriday, November 20, 2009 03:32 [IST]

કર્મચારીઓની અછતને લીધે ટ્રેનોની દેખભાળ-સારસંભાળમાં શિથિલતા અને બેદરકારી રહે છે ‘‘રેલવેતંત્રના સુરક્ષા વિભાગમાં તથા રેલવે વાહનવ્યવહાર (ટ્રાન્સપોર્ટ) ખાતામાં નોકરીઓની ૮૦ હજાર જગ્યાઓ ખાલી છે. તેથી હાલ સેવામાં ઉપસ્થિત કર્મચારીઓ પર મોટો બોજ પડે છે,’’ એમ નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવેઝ સાથે સંલગ્ન સેન્ટ્રલ રેલવે મજદૂર સંઘના પ્રમુખ આર. પી. ભટનાગરે નાગપુર ખાતે પત્રકારો સાથેની...
 
 
danik bhaskar

આજે નવી સરકારની શપથવિધિની શકયતાThursday, November 05, 2009 02:21 [IST]

રાજયપાલ એસ.સી.જમીરે ઠપકો આપ્યા બાદ મહારાષ્ટ્રમાં સરકાર રચનાની પ્રક્રિયા વેગવાન બની છે. મુખ્ય પ્રધાન અશોક ચવાણ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા પ્રફુલ્લ પટેલે ગુરુવારે નવી સરકારની શપથવિધિનો સંકેત આપ્યો હતો. સરકાર રચનાની મડાગાંઠ અને ગુંચવણો ગુરુવાર સુધીમાં ઉકલી જવાનો આત્મવિશ્વાસ પ્રફુલ્લ પટેલે નાગપુર ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન વ્યકત કર્યો હતો. ખાતાંની વહેંચણી...
nagpur-vidhan-bhavan1
 
 
danik bhaskar

માણિકરાવના દીકરાના જમીન ગોટાળા પ્રકરણમાં અશોક ચવ્હાણ સાણસામાં?Sunday, November 01, 2009 01:41 [IST]

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માણિકરાવ ઠાકરેના સુપુત્ર અને વણી વિધાનસભા મત ક્ષેત્રના નવા કોંગ્રેસી વિધાનસભ્ય વામનરાવ કાસાવારે યવતમાળ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેતીની જમીન દબાવી હોવાની ઘટનાઓની ગુપ્તચર તંત્ર દ્વારા તપાસ ચાલે છે. હાલના મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ ઉદ્યોગ પ્રધાન હતા એ વખતમાં આ ગોટાળા કરાયા હોવાનું કહેવાય છે.ચવ્હાણે એ વખતે એ જમીનોના વેચાણની પરવાનગી આપી...

Ashok-Chavan211
 
 
danik bhaskar

નાગપુર ઠંડીથી ઠૂંઠવાયું : સ્વેટરો અને શાલ બહાર નીકળ્યાWednesday, October 28, 2009 01:31 [IST]

નવેમ્બર- ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અનુભવ કરનારા નાગપુરવાસીઓને ચાલુ વર્ષે ઓકટોબર પૂરો થવા પૂર્વે ત્રીજા અઠવાડિયામાં ધ્રૂજારીનો અનુભવ થઈ રહ્યો છે. પરિણામે નાગપુરવાસીઓએ કબાટમાં પૂરી રાખેલાં સ્વેટર્સ, શાલ વગેરે બહાર કાઢવા માંડયાં છે. છેલ્લા ચાર દિવસથી આ શહેરનું ઉષ્ણતામાન ઘટી રહ્યું છે.



સાધારણ રીતે ૨૦ ડિગ્રી આસપાસ રહેતું ઉષ્ણતામાન રવિવારે ઘટીને ૧૫.૩ ડિગ્રી સેલ્સિયસ પર...

winter_mumbai
 
 
danik bhaskar

ગઢચિરૌલીમાં ફરી નક્સલવાદીઓનો કેરMonday, October 26, 2009 13:11 [IST]

ગત મોડીરાત્રે નક્સલવાદીઓનું એક ટોળું ગઢચીરૌલી જિલ્લાના બેનગુંડા ગામ ઉપર ત્રાટક્યુ હતું. જ્યાં તેમણે ગણેશ કાટલામે નામની વ્યક્તિને ઠાર માર્યો હતો.



નક્સલવાદીઓને શંકા હતીકે, નક્સલવાદી ગતિવિધિઓ અંગે ગણેશ પોલીસને માહિતી આપતો હતો. જેથી લગભગ એક ડઝન જેટલા નક્સલવાદીઓ ત્રાટક્યા હતા. ઉલ્લેખનીય છેકે, મહારાષ્ટ્રનો આ જિલ્લો નક્સલવાદીઓ માટે કુખ્યાત છે અને ચૂંટણીઓ પહેલા અહીં 17...

naxal11
 
 
danik bhaskar

રાષ્ટ્રપતિના પુત્ર અમરાવતીની બેઠક ઉપર પાછળThursday, October 22, 2009 10:46 [IST]

મહારાષ્ટ્ર વિધાનસભાની અમરાવતી બેઠક ઉપર આજે સવારે શરૂ થયેલી ગણતરીના ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના બળવાખોર ઉમેદવાર સુનિલ દેશમુખ 6,500 જેટલા મતથી આગળ છે. તેઓ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પુત્ર રોશનદેવ શેખાવતને ટક્કર આપી રહ્યા છે. જેમને કોંગ્રેસની ટિકીટ મળતા સુનિલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.આ બેઠક બંને ઉમેદવારો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય તેને અગત્યની માનવામાં આવી રહી...

deshmukh111
 
 
danik bhaskar

રત્નાગિરિના સોમેશ્વર ગામમાં એનસીપી કાર્યકરની હત્યા બાદ તંગદિલી ફેલાઇSunday, October 18, 2009 22:26 [IST]

પોલીસે એફઆઈઆરમાં ભાજપ-સેના યુતિના ચાર હોદ્દેદારોના નામ નોંઘ્યા હતા તેમાંથી બે જણને અટકમાં લેવાયા કોંકણ પ્રાંતના રત્નાગિરિ જિલ્લાના સોમેશ્વર ગામમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના સ્થાનિક અગ્રણી (શાખાપ્રમુખ) રવીન્દ્ર મયેકરની શુક્રવારે રાતે હત્યા કરાયા બાદ આખા જિલ્લામાં તંગદિલીનું વાતાવરણ ફેલાયું છે. આ ઘટના માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસે શિવસેના-ભાજપ પર આરોપ મૂક્યો છે. ભૂતપૂર્વ...
NCP1
 
 
danik bhaskar

નક્સલીઓએ ગઢચિરોલીમાં યુવાનને ગળું કાપી મારી નાખ્યોSunday, October 18, 2009 00:06 [IST]

- ૨૬ વર્ષીય મહેન્દ્ર પોલીસનો બાતમીદાર હોવાનો નકસલીઓને આશંકા હતી નકસલવાદીઓએ વધુ એક યુવાનને ગળું કાપીને અત્યંત ક્રૂરતાપૂર્વક મારી નાખ્યો હતો. ચૂંટણી વીત્યા પછી પોલીસ બંદોબસ્ત ઓછો થતાં જ નકસલવાદીઓએ ફરી સક્રિય થયા હોવાનું આ સાથે બતાવી દીધું છે. ૨૬ વર્ષીય મહેંદ્રકુમાર ફૂલસિંહ નરોટે પોલીસને માહિતી પહોંચાડતો હોવાની શંકર પરથી નકસલવાદીઓ શુક્રવારે રાત્રે કુલભાતી વિસ્તારમાં તેના...
terrorist11112
 
 
danik bhaskar

નાંદેડમાં કોંગ્રેસી કાર્યકરો પર હુમલોTuesday, October 13, 2009 11:31 [IST]

મહારાષ્ટ્રમાં આજે વિધાન સભાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે. આ ચૂંટણીમાં સૌથી મોટો ભય નક્સલવાદીઓનો છે. કેમ કે તેઓ આ ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના નાંદેડમાં કોંગ્રેસી કાર્યકરો પર હુમલો થયો છે. આ હુમલામાં છ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. જો કે હજી સુધી કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા નથી. આ હુમલા પાછળ કોનો હાથ છે તે હજી સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ...
congress1
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB