Divya Bhaskar

CSTને VT કહેતા રાજ વિવાદોમાંFriday, March 19, 2010 11:14 [IST]

raj21
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) વડા રાજ ઠાકરે ફરી ચર્ચાનો મુદ્દો બન્યા છે. ફિલ્મ વેક અપ સિડમાં મુંબઇને બદલે બોમ્બે કહેનાર ફિલ્મ નિર્માતા કરણ જોહરને માફી માંગવા મજબુર કરનાર રાજે ખુદ મુંબઇના છત્રપતી શિવાજી ટર્મિનસ(CST)ને તેના જુના નામ VT (વિક્ટોરિયા ટર્મિનસ) સંબોધતા મસમોટો વિવાદ ઉભો થયો છે. વારંવાર મરાઠીનો ઢોલ પીટતા રાજ ઠાકરે ખુદ ભુલી ગયા કે વીટી એ મરાઠી નામ નથી. તેનું નવું નામ છત્રપતિ...
 
 
Divya Bhaskar

મહારાષ્ટ્રમાં પાંચ માસૂમ બાળકોની બલી ચઢાવાઇFriday, March 19, 2010 01:24 [IST]

બાળકોની બલી ચઢાવવાની એક શંકાસ્પદ ઘટનામાં એક કુટુંબના પાંચ બાળકોની હિંગોલી જિલ્લાના એક ગામમાં હત્યા થઇ હતી. આ બારામાં ત્રણ મહિલાઓ સહિત ચારની ધરપકડ કરાઇ છે. મહારાષ્ટ્રના દિગ્રાસ ગામમાં એક જ કુટુંબના ૪ થી ૧૨ વર્ષની વયના બાળકોની ડિસેમ્બર-૨૦૦૯થી માર્ચ-૨૦૧૦ વચ્ચે હત્યા થઇ હતી. પોલીસ ઇન્સ્પેકટર એમ.એ. રઉફના જણાવ્યા મુજબ, તાજેતરની હત્યાના પગલે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી, જે અંગે...
 
 
danik bhaskar

ઠાકરેને આંખોના ઉપચાર માટે જે.જેમાં દાખલ કરાયાFriday, March 19, 2010 00:13 [IST]

શિવસેના પ્રમુખ બાળ ઠાકરેને ગુરુવારે સવારે આંખોની વ્યાધિના ઉપચાર માટે જે.જે. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે.જે. હોસ્પિટલના અધિષ્ઠાતા (ડીન) ડો. તાત્યારાવ લહાને લેસર પદ્ધતિએ તેમની આંખોનો ઉપચાર કરી રહ્યા છે. આંખોની સર્જરીમાં વિક્રમો સર્જવા ઉત્સુક રહેતા ડો. લહાનેનો બાળ ઠાકરે સાથેનો સંબંધ ડોક્ટર અને દર્દીથી વિશેષ હોવાનું કહેવાય છે. આ સંબંધને આધારે તેઓ નિયમિત રીતે ‘માતોશ્રી’ બંગલે...
bal21
 
 
danik bhaskar

બજેટસત્રનો પ્રારંભ : મનસેનું વિરોધ પ્રદર્શનFriday, March 19, 2010 00:11 [IST]

વિધાનસભાના બજેટ સત્રનો થયેલો આરંભ: મનસેના વિધાનસભ્યો બગીમાં આવ્યા બજેટ સત્રનો ગુરુવારથી આરંભ થતાં મનસેના વિધાનસભ્યોએ બગીમાં આવીને આશ્ચર્ય સજર્યું હતું. કાળાં વસ્ત્રો અને કાળી ટોપી પહેરીને મનસેના વિધાનસભ્યો બગીમાં વિધાનભવનના પ્રાંગણમાં આવ્યા હતા. આને કારણે સૌકોઈની નજર તેમની પર મંડાઈ હતી. ચક્કાજામ થતાં પહેલા દિવસનું વક્તવ્ય આપવા આવેલા રાજ્યપાલની ગાડી પણ થોડા સમય માટે...
 
 
danik bhaskar

મુંબઈમાં એન્કાઉન્ટર : ગુજરાતી કિશોરી વિંધાઈ ગઈFriday, March 19, 2010 00:11 [IST]

અંધેરીમાં કસ્ટમ્સના એક ભૂતપૂર્વ અધિકારીએ ૧૬ વર્ષીય નિર્દોષ ગુજરાતી કિશોરીની ગોળી મારીને હત્યા કરી હોવાની આઘાતજનક ઘટના બની હતી. આ માથાફરેલ નિવૃત્ત અધિકારીએ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ઉપર પણ ફાયરિંગ કર્યું હતું, જેમાં વળતા ગોળીબારમાં તેનું મોત નીપજ્યું હતું. જોકે કિશોરીનું મોત આ અધિકારીની ગોળીથી થયું હતું કે પોલીસની ગોળીથી થયું એ વિશે વિવાદ ઊભો થયો છે. હવે આ માટે પોસ્ટમોર્ટમ...
 
 
danik bhaskar

પાલઘર અને થાણેમાં પોલીસને ચકમો આપી છ આરોપી ફરારFriday, March 19, 2010 00:10 [IST]

પાલઘર અને થાણેમાં પોલીસને હાથતાળી આપીને છ આરોપી રફુચક્કર થઈ ગયા છે. પાલઘર પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી જાબુઆ ટોળકીના પાંચ લૂંટારા ફરાર થઈ ગયા હોવાની ઘટનાથી પોલીસ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ સ્ટેશનની છતનાં નળિયાં કાઢીને લૂંટારાઓ ભાગી ગયા હતા. ફરાર થયેલા પાંચેય આરોપીની ફેબ્રુઆરીમાં લૂંટના ગુનામાં ધરપકડ કરી હતી. પાંચેયની શોધ ચલાવવા આસપાસના વિસ્તારોમાં પોલીસે...
 
 
danik bhaskar

૨૬/૧૧ના ખટલાને કોઈ જ અસર નહીં થાય: નિકમFriday, March 19, 2010 00:09 [IST]

૨૬/૧૧ના આતંવાદી હુમલાનું કાવતરું ઘડવા સંબંધે અમેરિકામાં ધરપકડ કરાયેલા ડેવિડ હેડલીએ સજા ઓછી કરવા માટે માફીની અરજી કરી છે છતાં મુંબઈમાં ચાલતા કેસને કોઈ અસર નહીં થાય, એમ વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે ગુરુવારે જણાવ્યું હતું. ૪૯ વર્ષીય હેડલી લશ્કરે-તોઈબા માટે કામ કરે છે. ગત ઓકટોબરમાં એફબીઆઈએ તેની અમેરિકામાં ધરપકડ કરી હતી. તેણે શિકાગોની કોર્ટમાં માફી માટે અરજી કરી છે, જેની...
UJJVAL21
 
 
danik bhaskar

લતીફ અને રીયાઝે તેમનાં નામ બદલ્યાં હતાFriday, March 19, 2010 00:08 [IST]

આતંકવાદીઓ અને ગેન્ગસ્ટરો તેમનાં નામની ઉપર અનેક નામ રાખી લે છે, પરંતુ હવે તેઓ ઓળખ છુપાવવા માટે સત્તાવાર રીતે નામ બદલી કરી રહ્યા હોવાનું એટીએસે ધરપકડ કરેલા બે શકમંદ આતંકવાદીઓની કિસ્સા પરથી બહાર આવ્યું છે. અબ્દુલ લતીફ અને રિયાઝ અલીએ સત્તાવાર સરકારી ગેઝેટ થકી પોતાનાં નામ બદલી નાખ્યાં હોવાનું બહાર આવ્યું છે. નવી ઓળખને આધારે તેમણે પાસપોર્ટ માટે અરજી કરી હતી અને તેઓ પાકિસ્તાન જવાની...
 
 
danik bhaskar

ભારતમાં ડિઝનીલેન્ડ જેવો પાર્ક પણ જોઈએ: રમેશચંદ્રFriday, March 19, 2010 00:07 [IST]

‘‘ભારત વેગપૂર્વક પ્રગતિ કરી રહ્યું છે. તેના વિકાસની ગતિ જોઈને હવે અમેરિકા જેવા દેશોને પણ જોખમ દેખાઈ રહ્યું છે. ડિઝનીલેન્ડ ૨૦૦ અબજ ડોલરની કંપની છે. મનોરંજન પાર્કના ક્ષેત્રમાં અમર્યાદ શક્યતાઓ જોતાં ભારતમાં પણ ડિઝનીલેન્ડ જેવો મનોરંજન પાર્ક બનાવવાની જરૂરિયાત જણાય છે,’’ એમ ભાસ્કર ગ્રુપના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલે એમ્યુઝમેન્ટ એક્સ્પો-૨૦૧૦ નામના એમ્યુઝમેન્ટ પાર્ક પ્રદર્શનના...
RAMESH31
 
 
danik bhaskar

ATS પ્રમુખ સામે કાર્યવાહી થઇ શકે છે : અશોક ચૌહાણThursday, March 18, 2010 17:31 [IST]

બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચૌહાણે કહ્યું હતું કે રાજ્યના એટીએસના પ્રમુખ કે.પી.રઘુવંશી દ્વારા શંકસ્પદ આતંકવાદીઓ વિશે મહત્વપૂર્ણ જાણકારી મીડિયાને આપવાના મુદ્દે તપાસ કરશે અને તેમના વિરૂદ્ધ જરૂરી કાર્યવાહી કરશે જેમ કે કેન્દ્ર સરકારે માંગણી કરી છે. ચૌહાણે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે હું આ મુદ્દે અધ્યયન કરીશ અને ત્યારબાદ આ રાજ્યના ગૃહમંત્રી જરૂરી પગલાં લેવાં...
Ashok-Chavan1
 
 
danik bhaskar

મુંબઇમાં હાઇએલર્ટ : વિધાનસભા પર આતંકી ખતરોThursday, March 18, 2010 16:48 [IST]

ફરી એકવાર મુંબઇ પર આતંકી હુમલાનો ખતરો મંડરાય રહ્યો હતો. દેશની ગુપ્તચર સંસ્થાએ મુંબઇમાં મોટા આતંકી હુમલા આશંકાને લઇને અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે આતંકી હુમલાની આશંકાને ગંભીરતા પૂર્વક લેવામાં આવી રહી છે કારણ કે ગૃહમંત્રી આર આર પાટીલે કહ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા આતંકવાદીઓના નિશાના પર છે. વિધાનસભામાં આવનારી કોઇપણ ગાડીને અંદર પ્રવેશવા દીધી ન હતી. સીએમ સહિત બધા...
mumbai_vidhansabha1
 
 
danik bhaskar

16 વર્ષની કિશોરીની ગોળી મારી હત્યાThursday, March 18, 2010 14:53 [IST]

મુંબઇના અંધેરી વિસ્તારમાં ગુરૂવારે સવારે એક 65 વર્ષિય વૃદ્ધે 16 વર્ષિય કિશોરીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. પોલીસ સાથે ફાયરિંગમાં વૃદ્ધ પણ મોતને ભેટ્યો છે. આ ફાયરિંગમાં બે પોલીસ જવાનોને પણ ઇજાઓ થઇ હતી. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો ફેલાઇ ગયો છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

સુત્રોના જણાવ્યાનુસાર મુંબઇના અંધેરી વિસ્તારમાં આવેલા સૌજન્ય એપાર્ટમેન્ટમાં રહેતા કેતન...

 
 
danik bhaskar

આજથી શરૂ થતું બજેટ સત્ર તોફાની બની રહેશેThursday, March 18, 2010 00:18 [IST]

પૂણેમાં થયેલો બોમ્બધડાકો, નક્સલવાદી પ્રવૃત્તિ સંબંધે દરોડા પાડવાની પ્રવૃત્તિ ચાલુ હોવાની બાબત સહિત વિવિધ મુદ્દાને આગળ ધરીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની બાબતે મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણની મહારાષ્ટ્ર સરકાર સદંતર નિષ્ફળ નીવડી હોવાનો આરોપ કરતાં વિરોધપક્ષો ગુરુવારથી શરૂ થતા બજેટ સત્રમાં સરકારને આકરી ભીંસમાં લેશે એવા સંકેત મળ્યા છે. સત્તાધારી પક્ષ અને...
maharashtra-vidhansabha-bha21
 
 
danik bhaskar

સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ શરૂ કર્યા ઉપવાસThursday, March 18, 2010 00:17 [IST]

રાજ્ય સરકાર સાથે વિવિધ મુદ્દાઓ પર ઓછામાં ઓછી બાવીસ વખત મેં બેઠકો યોજી હતી, પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી : અણ્ણા હજારે મહારાષ્ટ્ર સરકારના પ્રધાનોની સત્તાવાર કચેરીઓ અને બંગલોનાં પુનરુદ્ધાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર જનતાનાં નાણાંમાંથી કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે તેની વિરુદ્ધ સમાજસેવક અણ્ણા હજારે દ્વારા બુધવારથી બેમુદતી ઉપવાસ આંદોલન શરૂ...
anna21
 
 
danik bhaskar

હવે મહારાષ્ટ્રમાં ‘ગોરે ગોરે ચહેરે’ની શોધ શરૂThursday, March 18, 2010 00:17 [IST]

હવે મહારાષ્ટ્રમાંથી ગોરે ગોરે ચહેરેની શોધ શરૂ થઈ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ચાર શહેરોમાં આ સ્પર્ધા હાથ ધરવામાં આવશે. ફેમ કે ગોરે ગોરે ચહેરે નામની આ સ્પર્ધામાં સુંદર અને ગોરા ચહેરાની શોધ કરવામાં આવશે. મુંબઈ, પૂણે, નાગપુર અને નાશિકમાં આ સ્પર્ધા હાથ ધરાશે. વિજેતાને તાજ સિવાય ફેસ ઓફ ફેમ બનવાનો મોકો મળશે. આ એક અનોખી પહેલ છે. ગયા મહિને પંજાબમાં આ સ્પર્ધા રજૂ કરવામાં આવી હતી, જેને...
 
 
danik bhaskar

વિમાનો ભાડે આપતી કંપનીઓને બખ્ખાં કરાવતું બોલિવૂડ જગતThursday, March 18, 2010 00:17 [IST]

દર સપ્તાહે બે-ત્રણ ફિલ્મો રિલીઝ થવા સાથે બોલિવૂડ હવે વિમાનો-હેલિકોપ્ટર્સના નોન શિડ્યુલ્ડ ઓપરેટર્સ માટે મોટું બજાર બન્યું છે. તેમને ફિલ્મ નિર્માણગૃહોના એટલા બુકિંગ્સ મળે છે કે તેમાં કમાણી ઊચી થાય છે અને તેમનો ખાસ્સો સમય પણ તેમના કામોમાં જ વ્યસ્ત રહે છે. ‘કાર્તિક કોલિંગ કાર્તિક’ રિલીઝ થઈ એ પહેલાં એ ફિલ્મના પ્રમોશન માટે કલાકારો ચાર્ટર્ડ વિમાન દ્વારા એક જ દિવસમાં અમદાવાદ, સુરત...
plane21
 
 
danik bhaskar

દત્તકબાળકીને અમેરિકામાં નોંધારી છોડી દેવામાં આવીThursday, March 18, 2010 00:30 [IST]

બેત્યજી દેવાયેલા બાળકોના વાલી બનવાની પરવાનગી અમેરિકન દંપતીને આપતા આદેશના પાંચ વર્ષોમાં જ વડી અદાલતે એ આદેશ રદ કર્યો હતો. બે બાળકીઓમાંથી મોટી બહેને આ દંપતી, સંતાનો તરફની જવાબદારી સારી રીતે નિભાવતું નહીં હોવાનું જણાવ્યા બાદ અગાઉનો આદેશ રદ કરવામાં આવ્યો હતો.



મીતા (નામ બદલાયું છે) અને તેની નાની બહેન ગ્રાંટરોડ રેલવે સ્થાનક પર નિરાધાર હાલતમાં મયા હતા. એ વખતે મીતા નવ વર્ષની હતી....

 
 
danik bhaskar

રિયાઝ અને લતીફ કેસમાં તપાસ નિષ્પક્ષ કરવા માગThursday, March 18, 2010 00:15 [IST]

પાકિસ્તાનમાં બેઠેલા અંકલને ઈશારે મુંબઈમાં મહત્વનાં સ્થળો ખાતે આગ લગાવવાનું કાવતરું ઘડવાના આરોપ હેઠળ ધરપકડ કરાયેલા રિયાઝ અલી અને અબ્દુલ લતીફની તપાસ નિષ્પક્ષ થવી જોઈએ એવી માગણી સાથે મુસ્લિમ બાંધવો બુધવારે એટીએસના વડા કે. પી. રઘુવંશીને મળ્યા હતા. સેંકડો મુસ્લિમ આગેવાનો બુધવારે એટીએસના વડાને ભાયખલા સ્થિત તેમની કચેરીમાં જઈને મળ્યા હતા. આ કેસની તપાસ નિષ્પક્ષ થવી જોઈએ, એવી માગણી...
riaz-case21
 
 
danik bhaskar

અશોક ચવ્હાણ-અજિત પવાર વચ્ચે કેબિનેટ બેઠકમાં બોલાચાલીThursday, March 18, 2010 00:15 [IST]

વિધાનમંડળના બજેટ સત્ર પૂર્વે થયેલી કેબિનેટ બેઠકમાં મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ અને પુણેના પાલકમંત્રી અજિત પવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પૂણેની એક જગ્યા, માણિકરાવ ઠાકરેની ઉમેદવારી, પુણે સાહિત્ય સંમેલનનો ચેક અને પાટણ સ્થિત કાર્યક્રમને મુદ્દે બે નેતાઓમાં બોલાચાલી થઈ હતી. આ મુદ્દાઓ કેબિનેટ બેઠકમાં ચર્ચામાં નહીં લાવવો જ હિતાવહ રહેશે એવું કહીને મહેસૂલ પ્રધાન નારાયણ રાણેએ મામલો...
 
 
danik bhaskar

મુંબઈગરાની સેવામાં નવી ફ્લીટ એસી ટેક્સી સેવા શરૂThursday, March 18, 2010 00:12 [IST]

મુંબઈગરાની સેવામાં બુધવારથી નવી ફ્લીટ એસી ટેક્સી સેવા શરૂ થઈ છે. ચંદેરી રંગની હુંડાઈ એસેન્ટ કંપનીની આ ટેક્સીમાં પ્રવાસીઓને મિનરલ વોટર, અખબાર, ભીનો ફેસ ટિશ્યુ આપવામાં આવશે. શહેરમાં હાલ મેરૂ સહિતની ખાનગી મીટર ટેક્સી કંપનીઓની ભારે બોલબોલા છે. આ તમામે મોટો બજારહિસ્સો મેળવ્યો છે. આ સ્પર્ધાને કારણે મુંબઈ ટેક્સીમેન્સ એસોસિયેશને પણ કૂલ કેબનો વિકલ્પ લાવ્યો છે. કાર્સ ઓન રેન્ટ સાથે નવી...
taxi21
 
 
danik bhaskar

ધમકીઓ પછી પોલીસની નિષ્ક્રિયતા સામે સામાજિક કાર્યકરો અદાલતમાંThursday, March 18, 2010 00:11 [IST]

તાજેતરમાં મુંબઈનાં સુમેરા અબ્દુલ અલી અને યવતમાળ (વિદર્ભ)ના પંઢારકવડા ગામના રજનીકાંત બોરેળે એમ બે સામાજિક ચળવળકર્તાઓએ પોતાની પર હુમલા અને ધમકીઓ વિશે ફરિયાદ નોંધાવ્યા પછી પણ પોલીસની નિષ્ક્રિયતાના વિરોધમાં મુંબઈ વડી અદાલતમાં જાહેર હિતની અરજીઓ કરી છે. સુમેરાની અરજી અંગે અદાલતે ગુરુવાર સુધીમાં રાજ્યના પોલીસ મહાનિયામકનો જવાબ પણ માગ્યો છે. તળેગાંવ (પુણે)ના આરટીઆઈ ચળવળકર્તા...
mapo21
 
 
danik bhaskar

બાળકી પર રેપ કરવાના પ્રયાસમાં કિશોરની અટકThursday, March 18, 2010 00:11 [IST]

સાત વર્ષની બાળા પર બળાત્કારનો પ્રયાસ કરનારા એક દસમા ધોરણના વિદ્યાર્થીની અટક કરીને ધારાવી પોલીસે તેને બાળ સુધારગૃહમાં મોકલાવી દીધો છે. ધારાવીમાં રહેતો અને વડાલાની એસઆઈડબ્લ્યુએસ શાળામાં ભણતા દસમા ધોરણના વિદ્યાર્થીએ તેના મકાનમાં રહેતી એક સાત વર્ષીય બાળા પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. તે બાળાને મકાનના ભોંયતળિયે દાદરાની નીચેની જગ્યામાં લઈ ગયો હતો અને બળાત્કારનો પ્રયાસ...
rape41
 
 
danik bhaskar

સ્વતંત્ર વિદર્ભના મુદ્દે શિવસેના અને ભાજપમાં ટકરાવ ઊભો થયોThursday, March 18, 2010 00:09 [IST]

ગુરુવારથી શરૂ થતા બજેટ સત્રમાં કોંગ્રેસ-એનસીપીની યુતિને ભીંસમાં લેવાના મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના દાવાની પોલ ખૂલી ગઈ છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા એકનાથ ખડસેએ બુધવારે શિવસેના, ભાજપ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વચ્ચે ‘ઓલ વેલ’ હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે તેઓ આ વખતે ગૃહની અંદર ચર્ચા માટે સ્વતંત્ર વિદર્ભનો મુદ્દો ઉઠાવશે, તેનો શિવસેનાએ એમ કહીને તરત...
sena21
 
 
danik bhaskar

મહેશ ભટ્ટ નાલાયક છે: રાજ ઠાકરેની ટીકાThursday, March 18, 2010 01:41 [IST]

મહેશ ભટ્ટે મનસે કાર્યકરો પર ખંડણીનો આરોપ કર્યો હતો.મનસેના કાર્યકરો પર ખંડણીનો આરોપ કરનારા ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ નાલાયક છે, એમ મનસેના અઘ્યક્ષ રાજ ઠાકરેએ બુધવારે ટીકા કરતાં જણાવ્યું હતું. મહેશ ભટ્ટની ફરિયાદને આધારે હાલમાં ૧૧ મનસે કાર્યકરોની ખંડણીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે એક સમારંભમાં રાજે જણાવ્યું હતું કે બાંદરા સ્થિત મહેસૂબ સ્ટુડિયોમાં ચાલી રહેલા...

raj-thackeray21111
 
 
danik bhaskar

કબૂતરનો જીવ બચાવવા જતાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યોThursday, March 18, 2010 00:04 [IST]

જીવદયા પ્રેમીઓએ બિરદાવવા- શ્રદ્ધાંજલિ આપવી જોઈએ એવી એક ઘટનામાં ટ્રોમ્બે સ્થિત ભાભા અણુસંશોધન કેન્દ્રના પરિસરના નેત્રાવતી બિલ્ડિંગમાં બુધવારે બપોરે કબૂતરને બચાવવાના પ્રયત્નમાં સદાનંદ શેલાર (૫૮) ત્રીજે માળેથી નીચે પડીને મૃત્યુ પામ્યા હતા. સદાનંદ શેલાર બુધવારની બપોરે ઘરની બાલ્કનીમાં રખાયેલા છોડ, વેલા વગેરેને પાણી પિવડાવતા હતા ત્યારે એક કબૂતર તરફડતું જોવા મળ્યું હતું....
dove31
 
 
danik bhaskar

'મહેશ ભટ્ટ જો હાથમાં આવશે તો મજા ચખાડીશ'Wednesday, March 17, 2010 19:56 [IST]

મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એકવાર ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ પર આકરા પ્રહારો કર્યા છે. રાજે કહ્યું હતું કે જો ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ મારા હાથમાં આવી ગયા તો તેને મજા ચખાડીશ. હકિકતમાં ફરી એકવાર મનસેએ ફિલ્મ ઇંડસ્ટ્રીઝને નિશાન બનાવી છે. આના પહેલાં કરણ જોહર તેમના નિશાના પર હતા અને કરણ જોહર પાસે માફી મંગાવી હતી. જાણવા મળ્યું છે કે બાંદ્રા સ્થિત મેહબૂબ સ્ટૂડિયોમાં અભિષેક બચ્ચન અને...
RAJ_MAHESH1
 
 
danik bhaskar

રૂ. 95 લાખના ઝાડુથી રસ્તાની સફાઇ કરાશેWednesday, March 17, 2010 15:19 [IST]

આ વર્ષે મહાનગરના રસ્તાઓ અને ગલી-મહોલ્લાઓની સફાઇ માટે બીએમસી દ્વારા 95 લાખ રૂપિયાના ઝાડુની ખરીદી કરાઈ રહી છે. આ કામ માટે બીએમસી બે જાતના ઝાડુ ખરીદે છે. એક સીંક વાળુ અને બીજી ફૂલ વાળુ. બીએમસી સીંક વાળુ ઝાડુ સીધુ ખરીદતું નથી પરંતુ સીંક ખરીદે છે. સફાઇ કામદારો સીંકનો ઉપયોગ ઝાડુ બનાવવામાં કરે છે. બીએમસી સીંક 25.65 રૂપિયે પ્રતિકિલો ખરીદી રહ્યું છે જે કે ગત વર્ષે તેણે 23.40 પ્રતિ કિલોની કિંમતે...
broom1
 
 
danik bhaskar

દાઉદ પાકિસ્તાન છોડવા ઈચ્છે છેWednesday, March 17, 2010 16:04 [IST]

આમ તો ડોન દાઉદ ઈબ્રાહિમના નામથી મુંબઈથી લઈને દુબઈ સુધી લોકો થથરી જાય છે પરંતુ હવે ડોન ખુદ ડરવા લાગ્યો છે. એક અહેવાલ પ્રમાણે દાઉદ ઈબ્રાહિમ કાસકર પાકિસ્તાન છોડી અન્ય કોઈ સ્થાનની શોધમાં છે. એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ મુંબઈ પોલીસને જાણકારી મળી છે કે ડોન દાઉદ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ડરથી પોતાના સાથીદારો અને પરિવાર સાથે પાકિસ્તાન છોડવાની યોજના બનાવી રહ્યો...

dawood_ibrahim_ISI_pakistan111
 
 
danik bhaskar

પ્રજ્ઞાસિંહને હોસ્પિટલમાંથી સેન્ટ્રલ જેલમાં ખસેડાઈWednesday, March 17, 2010 01:11 [IST]

માલેગાંવ વિસ્ફોટની આરોપી સાઘ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને એક હોસ્પિટલથી નાસિક રોડ સેન્ટ્રલ જેલમાં ખસેડાઈ હતી. આયુર્વેદ સેવા સંઘ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે, પ્રજ્ઞા સિંહને મણકાના દુ:ખાવાની સમસ્યા માટે અહીં લવાઈ હતી. જયાં ઉમા ભારતી અને આશારામ બાપુ તેને મળવા આવ્યા હતા.
praggna211
 
 
danik bhaskar

બંગાળી બાબાની રેલવે ટ્રેનોમાં જાહેરાતો ગેરકાયદેWednesday, March 17, 2010 00:37 [IST]

જીવનની આંટીઘૂંટીના ઉકેલ માટે આમંત્રણ આપતી બંગાળી બાબાઓની જાહેરાતો અનધિકૃતપણે કરવામાં આવતી હોવાનું રેલવે પ્રશાસનનું કહેવું છે, જ્યારે બીજી બાજુએ આ જાહેરાતો અધિકૃતપણે કરવામાં આવતી હોવાનું રેલવે સુરક્ષા દળનું જણાવવું છે. આ બંનેના ઝઘડાઓનો લાભ લઈ બંગાળી બાબાઓની જાહેરાતોની સંખ્યા ઉપનગરીય રેલવેમાં ઉત્તરોત્તર વધી રહી છે. ઉપનગરીય રેલવેના ડબ્બાઓના બહારના અને અંદરના ભાગમાં...
 
 
danik bhaskar

ભાડૂત ફ્લેટમાં તેના સગાંને રાખે તો પણ એ પેટા ભાડૂત ગણાયWednesday, March 17, 2010 00:35 [IST]

‘‘પોતે ભાડે લીધેલી જગ્યામાં પોતે રહેવાને બદલે પોતાના સગાંઓને રાખવા એ પેટા ભાડૂતની પ્રવૃત્તિ ગણી શકાય,’’ એમ મુંબઈ વડી અદાલતે તાજેતરમાં જણાવ્યું હતું. આ પ્રકારના એક કેસમાં ભાડૂતને જગ્યા ખાલી કરાવતા નીચલી અદાલતના હુકમને ન્યા. નિશિતા મ્હાત્રેએ માન્ય રાખ્યો હતો. વડી અદાલતે મકાન માલિકે અસલ કેસ ફાઈલ કર્યાના ૩૩ વર્ષ બાદ આ ચુકાદો આપ્યો હતો. વી.પી. રેલને પોતાનો ફ્લેટ એચ. એચ. શાહને ભાડે...
 
 
danik bhaskar

દ. મુંબઈના ભૂલેશ્વર વિસ્તારનો પાણી આધાર માત્ર કૂવાઓ પરWednesday, March 17, 2010 00:35 [IST]

એક બાજુએ ગગનચુંબી ટાવર્સ અને બીજી બાજુએ જૂની ચાલીઓની હારમાળા ભરેલી વસાહત ધરાવતા દક્ષિણ મુંબઈના રહેવાસીઓ પણ તીવ્ર પાણી ખેંચનો સામનો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કૂવાના તેમ જ જૂના બોરવેલનું પાણી જ તેમનો એક માત્ર આધાર બની શકે છે. આ વિસ્તારમાં એક બાજુએ પેડર રોડ, નરીમાન પોઈન્ટ, વાલકેશ્વર વગેરે વિસ્તારો ગગનચુંબી ઈમારતોથી ભરેલો છે. તે સામે ભૂલેશ્વર, કાલબાદેવી, ગિરગામ, પરેલ, લાલબાગ...
bhuleshwar21
 
 
danik bhaskar

મુંબઈ મેટ્રો રેલ પ્રકલ્પમાં બજારભાવની અડચણ નડીWednesday, March 17, 2010 00:34 [IST]

મુંબઈની પહેલી મેટ્રોના માર્ગમાં મહત્વના આશીર્વાદ સમાન પશ્ચિમ રેલવે માર્ગ પરના ‘કેબલ સ્ટેડ’ પુલ માટેની આવશ્યક પરવાનગીની ગાડી રેલવેએ માગેલી દસ કરોડ રૂપિયાની ભરપાઈને લઈ અટકી પડી છે. તે માટે કેન્દ્રના નગર વિકાસ મંત્રાલયને દરમિયાનગીરી કરવાનું ભારે દબાણ ‘એમએમઆરડીએ’એ કર્યું છે. વર્સોવા- અંધેરી- ઘાટકોપર માર્ગ પર મુંબઈની પહેલી મેટ્રો ટ્રેન ડિસે.-૧૦ના અંતમાં પ્રવાસીઓને ઉપલબ્ધ થશે,...
metro211
 
 
danik bhaskar

પાર્કિંગના ગુનામાં નવ ગણો વધારો નોંધાયોWednesday, March 17, 2010 00:33 [IST]

મુંબઈને દેશમાંના સૌથી વધુ ગંદા શહેર તરીકેનું નામોશીભર્યું બિરુદ ક્યારનુંય મળી ગયું છે અને આંકડાઓ જો સાચા હોય તો શહેરને ટૂંક સમયમાં ટ્રાફિકના નિયમોને મામલે સૌથી વધુ શિસ્તભંગ કરનારા શહેર તરીકેનું સ્થાન પણ મળી જશે. છેલ્લા પાંચ વર્ષમાં શહેરની અંદર પાર્કિંગના મામલે થતા ગુનામાં કે નિયમોના ભંગમાં નવ ગણો વધારો થયો થવાનું સત્તાવાર આંકડા જણાવે છે. રાઈટ ટુ ઇન્ફોર્મેશન (આરટીઆઈ) અરજીને...
parking21
 
 
danik bhaskar

કેનેરા બેંકની નોકરીમાં ૮૦ ટકા સ્થાનિકો રાખો: શિવસેનાWednesday, March 17, 2010 00:33 [IST]

‘ભૂમિપુત્રો’ને રોજગાર આપવાની માગણી બાબતે દબાણ લાવતા શિવસેનાએ કેનેરા બેંકને તેની ૧,૫૦૦ જેટલી કલાર્કની જગ્યા ભરતી વખતે ઓછામાંઓછી ૮૦ ટકા ભરતી સ્થાનિકોની ભરતી કરવા જણાવ્યું હતું. સેનાના નેતા અનિલ દેસાઈએ કહ્યું હતું કે, ‘અમે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પર બારીક નજર રાખીએ છીએ અને અમે બેંકને ૮૦ ટકા જગ્યા સ્થાનિકો માટે રાખી મુકવા કહ્યું છે.’ સેનાના સિનિયર નેતા ગજાનન કિર્તીકર...
shivsena11
 
 
danik bhaskar

એફએમપર મરાઠી ગીતો જ, મનસેની નવી ધમકીWednesday, March 17, 2010 00:42 [IST]

મોબાઈલ ફોન કંપનીઓને મનસેએ ‘હૂલ’ માર્યા પછી હવે આખી દુનિયામાંથી મહારાષ્ટ્રના નંબર પર ફોન કરનારને મરાઠી ભાષામાં સૂચનાઓ સાંભળવા મળે છે. હવે એફએમ ચેનલો પર સવારે મરાઠી ભાષામાં પ્રભાતિયાં અને રાતે પ્રેમ સંબંધના યુગલ ગીતો સાંભળવા મળે તો આશ્ચર્ય થવું ન જોઈએ.



મોબાઈલ ફોન કંપનીઓ પછી હવે મનસેએ ‘મિશન એફએમ’ શરૂ કર્યું છે. મોબાઈલ ફોન પર સૂચનાઓ તેમ જ બિલોનું છાપકામ તેમ જ અન્ય...

mns11
 
 
danik bhaskar

ગૂડી પડવાની શુભતા માટે કોંગ્રેસી શાસનની હોળી પેટાવો : ઠાકરેWednesday, March 17, 2010 00:28 [IST]

મહારાષ્ટ્રમાં નૂતન વર્ષ તરીકે ઉજવાતા ગૂડી પડવાના શુભ દિને શરૂ થાય છે. આ નિમિત્તે કોંગ્રેસને વિદાય આપવા તેનું શાસન ખતમ કરવા માટે ચિનગારી પેટાવવાની હિમાયત કરતાં શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ ગૂડી પડવાના દિવસે હોળીની શુભેચ્છાઓ આપી હતી. ટૂંકમાં કોંગ્રેસની હોળી સળગાવવાનો અનુરોધ કર્યો હતો. બાળ ઠાકરેએ ગૂડી પડવા નિમિત્તે શુભેચ્છા સંદેશમાં નોંઘ્યું હતું કે ‘‘આજે ગૂડી પડવા નિમિત્તે...
bal21
 
 
danik bhaskar

દાઉદ પરિવારને પાક.ની બહાર ખસેડવા ઉત્સુકWednesday, March 17, 2010 00:24 [IST]

પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ઈન્ટર સર્વિસિઝ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ની કોઈ દખલગીરી ન હોય એવા પાકિસ્તાનની બહારના સ્થળે પોતાના પરિવારો ખસેડવા દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીઓ ઉત્સુક હોવાનું દાઉદના નજીકના સાથી ફિરોઝ અબ્દુલ રશીદ ખાન ઉર્ફે હમઝાએ પોલીસને જણાવ્યું હતું. ગઈ છઠ્ઠી ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નવી મુંબઈમાં હમઝાની ધરપકડ કરી હતી તેને પકડવા માટે સીબીઆઈએ બે લાખ...
daud21
 
 
danik bhaskar

કોન્ડોમ:મુંબઈમાં લોકપ્રિય રાજ્યના અન્ય ભાગોમાં નહીંWednesday, March 17, 2010 00:10 [IST]

કુટુંબ નિયોજનની યોજનાઓ ઘડનારા મહારાષ્ટ્રના અધિકારીઓ, હાથ લાગેલી નવી આંકડાવારીને લીધે મુંઝાઈ ગયા છે. આ માહિતી-આંકડાવારી એવી છે કે કુટુંબ નિયોજનનું સૌથી સસ્તા અને સહજતાથી ઉપલબ્ધ માઘ્યમ ‘કોન્ડોમ’નો વપરાશ રાજ્યના અન્ય ભાગોમાં ઘટ્યો છે અને મુંબઈમાં તેનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વર્ષ ૨૦૦૭ની તુલનામાં મહારાષ્ટ્રમાં કોન્ડોમ વાપરનારા લોકોની સંખ્યા ૩૫ ટકા ઘટી છે....
condom211
 
 
danik bhaskar

"'૯૩ના બોમ્બધડાકાનો આરોપી પણ ‘ચાચા’ હોઈ શકે"Wednesday, March 17, 2010 00:10 [IST]

શહેરમાં આતંકવાદી પ્રવૃત્તિ કરવા સબબ ધરપકડ કરાયેલા બે શકમંદ ત્રાસવાદીને સૂચનાઓ આપનારો ‘ચાચા’ શહેરમાં ૧૯૯૩ના શ્રેણીબઘ્ધ બોમ્બ ધડાકાનો ફરાર આરોપી બશીર ખાન હોઈ શકે છે, એમ એટીએસએના અધિકારીઓએ મંગળવારે કહ્યું હતું. એટીએસના એક અધિકારીએ કહ્યું હતું કે, ‘ચાચાની ઓળખ પ્રસ્થાપિત કરવા વિશેની ચકાસણી હજી ચાલી રહી છે. એ બશીર ખાન છે એમ હજી સુધી નક્કી કરી શકાય એમ નથી, પણ એ સાથે જ તેને નકારી...
9311
 
 
danik bhaskar

વિદેશી નહીં, દેશી આઈટમ ગર્લ જઃ મનસેTuesday, March 16, 2010 12:03 [IST]

ઉત્તર ભારતીયોને નિશાન બનાવ્યા બાદ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ બોલિવૂડમાં કામ કરતા વિદેશીઓ વિરૂદ્ધ તેમનું નવુ અભિયાન શરૂ કર્યુ છે. જો કે મનસે સ્ક્રિપ્ટની માંગ મુજબ જે વિદેશીઓ ફિલ્મમાં કામ કરતા હશે તેને નિશાન બનાવશે નહીં. આ ઉપરાંત મનસેએ વિવિધ ભૂમિકાઓ માટે લેવામાં આવતા જૂનિયર આર્ટિસ્ટો માટે મરાઠીઓને જ લેવાનો આદેશ આપ્યો છે.



મનસેએ બોલિવૂડ માટે નવુ ફરમાન જાહેર...

raj_thackeray_bollywood11
 
 
danik bhaskar

આખરે એ પાક. ‘અંકલ’ છે કોણ ?Tuesday, March 16, 2010 01:37 [IST]

મુંબઈમાં સંવેદનશીલ સ્થળો પર હુમલા કરવાનું કાવતરું ઘડવાના સંબંધે ધરપકડ કરાયેલા અબ્દુલ લતીફ ઉર્ફે ગુé અને રિયાઝ અલી ઉર્ફે રેહાન પાકિસ્તાનમાં કરાચી સ્થિત ‘અંકલ’ના સતત સંપર્કમાં હતા. આ અંકલ કોણ છે તે અંગે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ખુદ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. બંને આતંકવાદી કરાચીમાં બેઠેલી અંકલ નામની વ્યકિતને ઈશારે મુંબઈમાં મહત્ત્વનાં સ્થળોને આગ લગાવવાની પેરવીમાં હતા. જોકે આ અંકલ...
Mumbai1
 
 
danik bhaskar

લતીફ - રિયાઝને ગોધરાકાંડના પીડિતો સાથે કોઇ સંબંધ છે?Tuesday, March 16, 2010 01:34 [IST]

મુંબઈ પર હુમલા કરવાનું કાવતરું ઘડવા સંબંધે ધરપકડ કરાયેલા અબ્દુલ લતીફ અને રિયાઝ અલી ગુજરાતના ગોધરાકાંડના પીડિતો સાથે સંબંધિત છે કે કેમ તેની હવે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ તપાસ કરી રહી છે. ૨૬/૧૧ની સિરિયલ ટ્રેન બ્લાસ્ટ વેળા ગુજરાતીઓને લક્ષ્ય બનાવાયા હતા. તે સમયે ગોધરા કનેકશન બહાર આવ્યું હતું. આ વખતે પણ લતીફ અને રિયાઝનાં લક્ષ્ય પર ગુજરાતી વિસ્તારો જ હતા. આમાં દક્ષિણ મુંબઈ સ્થિત...
godhrakand1
 
 
danik bhaskar

કસાબ સામેનો ખટલો શનિવાર સુધીમાં પૂરો થશેTuesday, March 16, 2010 01:32 [IST]

૨૬/૧૧ હુમલા અંગે પાકિસ્તાની ત્રાસવાદી કસાબ અને ભારતના ફહીમ અન્સારી અને સબાઉદ્દીન અહમદ સામે ખટલાની કાર્યવાહી આ સપ્તાહમાં પૂરી થવાની વકી છે. ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષના વકીલોએ દલીલોનો આખરી દોર ચાર- પાંચ દિવસોમાં પૂરો થવાની શકયતા અદાલત સમક્ષ દર્શાવતાં ખટલો અંતની નજીક પહોંરયાના અણસાર મળ્યા હતા. વિશેષ અદાલતના ન્યાયમૂર્તિ એમ. એલ. ટાહિલિયાનીએ જણાવ્યું હતું કે ‘‘દલીલો ૨૦ માર્ચ...
kasab1
 
 
danik bhaskar

મુંબઈગરા ૩૦૦ મેગા વોટ વીજબચત કરશેTuesday, March 16, 2010 01:20 [IST]

મુંબઈ શહેર અને ઉપનગરમાં આશરે ૩૫ લાખ વીજ ગ્રાહક છે. તેમને એકંદર દરરોજનો વીજ વપરાશ ૨૭૦૦થી ૩૦૦૦ મેગાવોટનો રહે છે મુંબઈગરાઓ દરરોજના ઉજાશ માટે આશરે ૮૦૦ મેગાવોટ વીજળીનો વપરાશ કરે છે. તે પૈકીની આશરે ૨૨૫થી ૩૦૦ મેગાવોટ વીજળીની બચત કરવાનું સૂચન નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ હાલના બજેટમાં કર્યું છે. સૌ મુંબઈગરા હાલના ‘‘દીવા’’ઓને બદલે થોડીક મોંઘી એવી ‘‘એલઈડી’’ લાઈટ વાપરવાનું શરૂ કરે તો આ...
electricity1
 
 
danik bhaskar

મરાઠીઓ અને હિંદુ કોંકણીઓનું નવું વર્ષTuesday, March 16, 2010 01:18 [IST]

મંગળવારે ગૂડી પડવો, ચૈત્ર સુદ એકમ અથવા પ્રતિપદા, મરાઠી કેલેન્ડરનો પહેલો દિવસ હોઈ ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રિયનો તેમ જ હિન્દુ કોંકણીઓનું નવું વર્ષ આજથી શરૂ થાય છે. મરાઠી ગૂડી પાડવા કહે છે તેને કોંકણીઓ સંવત્સર પડવો કે યુગાડી કહે છે. આ જ દિવસે રાજા શાલિવાહને શકને પરાજય આપ્યો હતો. આ જ દિવસથી વસંત ઋતુનો પ્રારંભ ગણાય છે. કહેવાય છે કે બ્રાહ્મણએ...
New-Years1
 
 
danik bhaskar

અનેક રાજ્યોમાં લૂંટફાટ આચરનારી ટોળકી ઝડપાઈTuesday, March 16, 2010 01:18 [IST]

મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક રાજયમાં લૂંટફાટ આચરીને કાળો કેર વર્તાવનારી ટોળકીને થાણે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. કાર, દાગીના, મોબાઈલ, પેટ્રોલપંપો પર લૂંટ ચલાવનારી ચંડાળચોકડીની થાણે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે અને તેમની પાસેથી કેટલીક મતા પણ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓમાં સાકીનાકાનો ગુé ઉર્ફે રાજનારાયણ અશોકકુમાર સિંહ (૨૬), યુપીનો રહેવાસી રાજેંદ્રપ્રસાદ દેવીશંકર પાંડે,...
gang-arrested11
 
 
danik bhaskar

અગ્નિશમન દળમાં ખાલી પદો પર મહિલાઓની ભરતી કરવા માગણી કરાઈTuesday, March 16, 2010 01:10 [IST]

મુંબઈ અગ્નિશમન દળમાં વધુમાં વધુ મહિલાઓની ભરતી કરાશે એવું મેયર શ્રદ્ધા જાધવે આશ્વાસન આપ્યા બાદ હવે થાણે પાલિકામાં પણ અગ્નિશમન દળમાં ખાલી પદો પર વધુ ને વધુ મહિલાઓની ભરતી કરવા માટે માગણી ઊઠી છે. થાણે શહેર (જિલ્લા) કોંગ્રેસ કમિટીનાં અઘ્યક્ષ કે. વષાલીએ વૈશ્વિક ગ્રાહક દિનનું નિમિત્ત સાધીને દળમાં ખાલી પડેલી જગ્યાઓ પર વધુમાં વધુ મહિલાઓની ભરતી કરવી, એવી માગણી પાલિકા કમિશનર નંદકુમાર...
Fire1
 
 
danik bhaskar

સી-લિન્ક પર બેસ્ટની બસો દોડાવવાનું સર્વેક્ષણ કરાયું નથીTuesday, March 16, 2010 01:04 [IST]

થોડા ઉતારુઓ સાથે બીઈએસટી (બેસ્ટ)ની બસ દોડે? આ બાબત તો કોઈ પણ રીતે લોકોનાં ભવાં ચઢાવનારી છે, પણ રૂટ નંબર એ-૭૦ અને ૩૩ એકસપ્રેસ માટે હાલમાં આમ જ થઈ રહ્યું છે. વળી, આ બે બસ સેવા ઓછા ઉતારુઓ સાથે મોટાભાગે નહીં દોડાવાતી હોવાનું બીજા કોઈએ નહીં પણ બેસ્ટના સત્તાવાળાઓ દ્વારા જ કબૂલ કરાયું હતું. આરટીઆઈની અરજીના જવાબમાં બેસ્ટના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, યોગ્ય સર્વેક્ષણ કર્યાં વગર જ આ બે...
bus1
 
 
danik bhaskar

મનસેના 11 ગુંડાઓની ધરપકડMonday, March 15, 2010 11:30 [IST]

મુંબઇ પોલીસે આજે રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના 11 જેટલા કાર્યકરોની ધરપકડ કરી હતી. આ કાર્યકરો એક ફિલ્મ પ્રોડ્યુસર પાસે ધાકધમકીથી 25 લાખ રૂપિયા પડાવવાની ફિરાકમાં હતા. આ કેસ બાંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને આજે આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મનસેના આ કાર્યકરો મહેબુબ સ્ટુડિઓ પહોંચ્યા હતા જ્યાં રિતેષ સિંધવાણી નામના ફિલ્મ પ્રોડ્યુસરની એક ફિલ્મ...
raj51
 
 
danik bhaskar

રત્નો-ચાંદી પરની જકાત ઘટાડવા સામે સેનાનો વિરોધMonday, March 15, 2010 02:36 [IST]

હીરા, માણેક, ચાંદી તથા કીમતી પથ્થર અને રત્નો પર જકાત દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં રૂપિયા છ કરોડની આવક થઈ હતી મહાનગરપાલિકા આર્થિક ભીંસમાંથી પસાર થાય છે એવા વખતમાં હીરા, માણેક, અન્ય કીમતી પથ્થર તથા ચાંદી પર જકાતનું પ્રમાણ નહીં ઘટાડવાની માગણી મહાપાલિકાના સભાગૃહમાં શિવસેના જૂથના નાયબ નેતા રાજા ચૌગુલેએ આયુક્ત સ્વાધિન ક્ષત્રિય સમક્ષ કરી હતી. ‘જકાત (ઓક્ટ્રોય) ઘટાડવાથી સામાન્ય જનતા...
diamonds71
 
 
danik bhaskar

મરાઠી સાહિત્યકાર વિંદા કરંદીકરનો દેહવિલયMonday, March 15, 2010 02:31 [IST]

આગામી મરાઠી સાહિત્ય સંમેલન (પુણે)ના ઉદઘાટક એવા ‘વિંદા’ જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનારા ત્રીજા મરાઠી સાહિત્યકાર હતા કવિતા, બાળસાહિત્ય, વિવેચન, અનુવાદિત સાહિત્ય એમ અનેક સાહિત્ય ક્ષેત્રોમાં મુસાફરી કરનારા અને મરાઠી સાહિત્ય જગતને ત્રીજો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવી આપનારા વરિષ્ઠ સાહિત્યકાર વિંદા કરંદીકર રવિવારે સવારે બાંદરાની ભાભા હોસ્પિટલમાં અવસાન પામ્યા હતા. તેઓ ૯૧ વર્ષના હતા....
 
 
danik bhaskar

નવા ઉદ્યોગ સૌપ્રથમ મહારાષ્ટ્ર તરફ આકર્ષાય છે : ચવ્હાણMonday, March 15, 2010 02:29 [IST]

પુણેથી ૪૦ કિ.મી દૂર ચાકણ ખાતે મહિન્દ્રાના વાહન ઉત્પાદક પ્લાન્ટનું ઉદઘાટન કરાયું રાજ્યની સંસ્કાર નગરી તરીકે સુખ્યાત પુણેથી ૪૦ કિ.મી દૂર ચાકણ ખાતે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ૫૦ અબજ રૂપિયાના ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યા બાદ નવા ઉદ્યોગ માટે સૌથી વધુ પસંદગી પામતું રાજ્ય મહારાષ્ટ્ર હોવાની જાહેરાત મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કરી હતી. દર વર્ષે ત્રણ લાખ વાહનોના ઉત્પાદનની...
Ashok-Chauhan-51
 
 
danik bhaskar

રિયાઝ ઠક્કર મોલમાં અને અબ્દુલ લતીફ મંગલદાસ માર્કેટમાં કામ કરે છેMonday, March 15, 2010 00:58 [IST]

મારો દીકરો નિર્દોષ છે: રિયાઝનાં માતા-પિતાનો આક્રોશ, રિયાઝનાં બે મહિના પછી નિકાહ થવાના હતા મારો દીકરો નિર્દોષ છે. તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે, એમ દહિસરના રહેવાસી રિયાઝ શેખનાં માતા- પિતા અજીદા અને અબુબકરે રવિવારે આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું. રિયાઝ બોરીવલીના ઠક્કર મોલમાં નોકરી કરતો હતો, જ્યારે મારી પુત્રી અબ્દુલ લતીફ સાથે પરણેલી છે. લતીફ મંગલદાસ માર્કેટમાં કામ કરતો હતો,...
 
 
danik bhaskar

મહારાષ્ટ્રમાં મોબાઈલ-મ્યુઝિક-કોલર ટ્યુન્સ પર ટેક્સ?Monday, March 15, 2010 00:52 [IST]

મહેસૂલ ખાતાને ઈન્ટરનેટ-સાઈબર કોફે, વિડિયો થિયેટર્સ, મોબાઈલ મ્યુઝિક વગેરે પર મનોરંજનવેરો લાદવાની ભલામણ કરાઈ છે. તમારા મોબાઈલ ફોન પરની કોલર ટ્યુન બદલવા અથવા કોઈ ગીત મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરવા માટે મોબાઈલ કંપનીને ચૂકવવાના ચાર્જીસમાં હવે સરચાર્જ ઉમેરાશે. કોલર ટ્યુન્સ અને મોબાઈલ મ્યુઝિક પર કર લાદવાની ભલામણ મહેસૂલ ખાતાએ કરી છે. એ સાથે જ સાઈબર કેફે અને વિડિયો થિયેટર્સને પણ નવો કર...
projector1
 
 
danik bhaskar

અમેરિકન દંપતીએ બાળકી દત્તક લઈ અમેરિકામાં તરછોડીMonday, March 15, 2010 00:37 [IST]

બે ત્યજી દેવાયેલા બાળકોના વાલી બનવાની પરવાનગી અમેરિકન દંપતીને આપતા આદેશના પાંચ વર્ષોમાં જ વડી અદાલતે એ આદેશ રદ કર્યો હતો. બે બાળકીઓમાંથી મોટી બહેને આ દંપતી, સંતાનો તરફની જવાબદારી સારી રીતે નિભાવતું નહીં હોવાનું જણાવ્યા બાદ અગાઉનો આદેશ રદ કરવામાં આવ્યો હતો. મીતા (નામ બદલાયું છે) અને તેની નાની બહેન ગ્રાંટરોડ રેલવે સ્થાનક પર નિરાધાર હાલતમાં મયા હતા. એ વખતે મીતા નવ વર્ષની હતી....
MissingChild[1]1
 
 
danik bhaskar

મહિલા ખરડામાં ફેરફાર થશે: શરદ પવારMonday, March 15, 2010 00:24 [IST]

મહિલા ખરડાનો દરેક પક્ષમાંથી અંતર્ગત વિરોધ થઈ રહ્યો હોવાથી તેની પર હાલ ચર્ચા ચાલી રહી છે એમ કહીને રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે રવિવારે આ ખરડામાં ફેરફાર થશે એવા સંકેત આપ્યો હતો. લોનાવાલામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે. આ પ્રસંગે બોલતાં પવારે ઉક્ત સંકેત આપ્યા હતા. લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમ સિંહ યાદવ સાથે કેન્દ્ર સરકાર ચર્ચાવિચારણા કરી રહી છે....
SharadPawar1
 
 
danik bhaskar

સોહરાબુદ્દીન કેસમાં CBI ફરી સુપ્રીમના દ્વાર ખખડાવશેMonday, March 15, 2010 00:17 [IST]

સોહરાબુદ્દીન શેખ બોગસ એન્કાઉન્ટર કેસમાં કહેવાતા સાક્ષીદારની હત્યાની વિગતો આપવાનો ઈનકાર કરવા સામે સીબીઆઈ ગુજરાત સરકાર વિરુદ્ધ ફરી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. ઉદયપુર જેલના કેદી તુલસી પ્રજાપતિને સંડોવતા પોલીસ એન્કાઉન્ટરની વિગતો ગુજરાત સરકાર પાસે માગ્યા બાદ હવે સીબીઆઈ સુપ્રીમ કોર્ટમાં જવા વિચારી રહી છે. ૨૦૦૫માં સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસરબી બોગસ એન્કાઉન્ટરમાં ઠાર...
suprem-court1
 
 
danik bhaskar

મુંબઈમાંથી બે ત્રાસવાદી ઝડપાયાMonday, March 15, 2010 02:24 [IST]

મુંબઈમાં ONGC-માર્કેટ સહિતનાં સ્થળોમાં આ સાળો બનેવી આગ લગાડવાની  ફિરાકમાં હતાપાકિસ્તાનમાં બેઠેલા આકાઓને ઈશારે મુંબઈમાં ટ્રોમ્બે સ્થિત ઓએનજીસી, દક્ષિણ મુંબઈ સ્થિત મંગલદાસ માર્કેટ, બોરીવલી સ્થિત ઠક્કર મોલ સહિત મહત્વનાં સ્થળો ખાતે આગ લગાવીને ખુંવારી સર્જવાના કાવતરાને અંજામ આપવા નીકળેલા બે આતંકવાદી, કે જેઓ સાળો બનેવી છે તેની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે (એટીએસ) શનિવારે ધરપકડ...

terrormumb
 
 
danik bhaskar

મહિલાને નિર્વસ્ત્ર કરી ફેરવાઇSunday, March 14, 2010 11:03 [IST]

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક મહિલાને નિર્વસ્ત્ર કરીને ફેરવાઇ હોવાની ઘટના તાજેતરમાં સામે આવી છે. 35 વર્ષની આ મહિલાનો વાંક એટલો હતો કે તેણે પોતાના લિવ-ઇન પાર્ટનરના ઘરવાળાઓની વાત માનવાથી ઇન્કાર કરી દીધો હતો. સોમવારે રાત્રે આ મહિલાના પ્રેમીના ભાઇ તેમજ તેના દિકરાએ તેના ઘર પર હુમલો કર્યો હતો જેમાં તેને ઘરમાંથી ઢસડી લાવીને ડંડાથી માર મારવામાં આવ્યો હતો. મહિલા સાથે ગેરવર્તન કરનારા...
 
 
danik bhaskar

મઘ્ય રેલવેમાં આજે ૧૧ કલાકનો મેજર બ્લોકSunday, March 14, 2010 02:20 [IST]

લાંબા અંતરની ચાર ગાડીઓ રદ કરવામાં આવી : અન્ય મેલ-એકસપ્રેસને જાજરથી રવાના કરવામાં આવશે મઘ્ય રેલવેમાં રવિવારે ટેકનિકલ કાર્ય માટે ૧૧ કલાકનો પાવર બ્લોક હોઈને મુંબઈ-પુણે રૂટ પર લાંબા અંતરની ચાર ગાડીઓ રદ કરવામાં આવી છે. લાંબા અંતરની ગાડીઓ દાદર સ્ટેશન સુધી ચલાવવામાં આવશે. મઘ્ય રેલવેમાં સ્લો ટ્રેક પર પરેલથી મસ્જિદ વચ્ચે ટેકનિકલ કામ માટે સવારે સાડા આઠ વાગ્યાથી સાંજના સાડાચાર વાગ્યા...
train11
 
 
danik bhaskar

૨૬/૧૧ હુમલામાં RDXના જથ્થાને નાશ કરવાની પરવાનગી અપાઈSunday, March 14, 2010 01:01 [IST]

૨૬/૧૧ના રોજ શહેર પર થયેલા આતંકવાદી હુમલા માટે લાવવામાં આવેલો ૨૪ કિલો આરડીએકસને નષ્ટ કરવા માટે વિશેષ કોર્ટે પરવાનગી આપી દીધી હતી. આ શકિતશાળી વિસ્ફોટકોને નષ્ટ કરવા માટે નિયંત્રિત વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચના અધિકારી અને જજની ઉપસ્થિતિમાં કરાશે. આ વિસ્ફોટક જથ્થો તાજમહાલ હોટેલ, ગોકુલ હોટેલની નજીકથી અને સીએસટી ટર્મિનસ નજીકથી જપ્ત કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટકને પુરાવા રૂપે...
 
 
danik bhaskar

મનસેના નગરસેવક ગણેશ શેટ્ટીની ભાયંદરમાંથી ધરપકડSunday, March 14, 2010 00:58 [IST]

ભાયંદરની એક શિક્ષિકાને ધમકી આપીને દસ લાખ રૂપિયા ખંડણી વસુલ કરવાના આરોપસર થાણે (ગ્રામીણ) પોલીસના નવઘર પોલીસ સ્થાનકના અધિકારીઓએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નગરસેવક ગણેશ શેટ્ટી અને તેના ત્રણ સાથીઓની ધરપકડ કરી હતી. અગાઉથી મનસે નગરસેવક શેટ્ટી સામે મીરા રોડ પોલીસ સ્થાનકમાં બે અન્ય ગંભીર ગુના નોંધાયેલા છે. નવઘર પોલીસ સ્થાનકના સીનિયર ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર મોહિતેએ જણાવ્યું હતું...
 
 
danik bhaskar

‘રાહુલ પોતાનો મનસૂબો પાર પાડવા કોઈ પણ સ્તરે ગયો હોત’Sunday, March 14, 2010 00:49 [IST]

રાજ ઠાકરેની હત્યાનો ઇરાદો ધરાવતા રાહુલ રાજના મોતનો અહેવાલ રજૂ કરાયો‘હું રાજ ઠાકરેને મારી નાખવા આવ્યો છું અને મારે પોલીસ કમિશનરને મળવું છે...’, એવા ઉચ્ચારણો કરનારો રાહુલ રાજ પોતાનો ઇરાદો પાર પાડવા કોઈ પણ સ્તરે જઈ શકયો હોત. બસની અંદર તેમ જ બસની બહારનાં લોકોનાં ટોળાંને ઇજા પહોંચાડી શકયો હોત, એવી જાણકારી આપતો રાહુલ રાજના મૃત્યુની તપાસનો અહેવાલ રજૂ કરાયો છે. બજેટના અધિવેશનની ઘડીઓ...
rahul1raj1
 
 
danik bhaskar

પૂણે બ્લાસ્ટમાં ઈન્ડિયન મુજાહિદ્દીનનો હાથSunday, March 14, 2010 00:31 [IST]

દુબઈથી બેઠાં બેઠાં આખું ઓપરેશન રિયાઝે હાથ ધર્યું હતું: એટીએસ ૧૩ ફેબ્રુઆરીએ પુણેની જર્મન બેકરીમાં થયેલા બ્લાસ્ટમાં પણ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનનો જ હાથ હોવાનું સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સીએ સ્પષ્ટ કર્યું હતું. પુણેમાં થયેલા બ્લાસ્ટમાં ૧૭ જણનાં મોત થયાં હતાં જ્યારે ૭૦થી વધુ ઘાયલ થયાં હતાં. આ કાર્યવાહી પાછળ ફરાર ભટકલ ભાઈઓ-ઈકબાલ અને રિયાઝ હોવાનું મહારાષ્ટ્ર...
blstpune-blast1
 
 
danik bhaskar

પાણીના વાંધા છે પણ સ્વિમિંગ પૂલોને તેની કમી નડતી નથીSunday, March 14, 2010 00:22 [IST]

પાલિકાના અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ સામે સ્વાભિમાન સંગઠને દેખાવો કર્યા ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને શહેરના પાણીપુરવઠામાં કાપકૂપની ચિંતા સૌને સતાવી રહી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ મુલુંડ તથા અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેકસના સ્વિમિંગ પૂલ ફરી ખોલવાનો નિર્ણય લેતાં લોકોમાં ઉહાપોહ મરયો છે. કારણ કે બન્ને સ્વિમિંગ પૂલોમાં પીવાનું પાણી વપરાય છે. પાલિકા પ્રશાસને અગાઉ પાણીની...
swimming_pool1
 
 
danik bhaskar

ચાર મોટા નવા ફ્લાયઓવર ડિસેમ્બર સુધીમાં બંધાઈ જશેSunday, March 14, 2010 00:15 [IST]

સાયન હોસ્પિટલ અને હિંદમાતા (પરેલ) ખાતેના બે ફ્લાયઓવર બ્રિજ ખુલ્લા મુકાયા પછી હવે એમએમઆરડીએના સત્તાવાળાઓએ ૨.૪ કિ.મી. લાંબા લાલબાગ ફ્લાયઓવર અને ૧.૫ કિ.મી.ના કિંગ્સ સર્કલ- તુળપુળે ચોક ફ્લાયઓવરનાં કામ પર ઘ્યાન કેન્દ્રિત કર્યું છે. આથી લાલબાગનો ફ્લાયઓવર આ વર્ષના અંત સુધીમાં અને તુળપુળે ચોકનો ફ્લાયઓવર મે મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ...
bridge1
 
 
danik bhaskar

છેલ્લા છ મહિનાથી એફડીએ કમિશનર વગર ચાલી રહી છેSunday, March 14, 2010 00:09 [IST]

લગભગ ૪૨૫ ઇન્સ્પેકટરો ધરાવતું મહારાષ્ટ્રનું ફૂડ એન્ડ ડ્રગ્ઝ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) છેલ્લા ૬ મહિનાથી કમિશનર વગર જ ચાલે છે અને સરકારને કોઈ કમિશનર શોધી કાઢવામાં રસ ન હોવાનો દાવો અધિકારીઓ કરે છે. એફડીએના સૂત્રો સંભાળતું ડિપાર્ટમેન્ટ ઓફ મેડિકલ એજયુકેશન એન્ડ રિસર્ચ (ડીએમઈઆર)ના ટોચના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એફડીએ ચલાવવા માટે એક કમિશનર આવશ્યક છે. ડીએમઈઆરના એક અધિકારીએ કહ્યું...
 
 
danik bhaskar

૧૯ દિવસમાં BMCના સ્વિમીંગ પૂલમાં ડૂબવાથી બીજું મોતSunday, March 14, 2010 00:00 [IST]

કાસીમ સિદ્દીક અને છેડા સ્વિમિંગના જાણકાર હતા અને તેઓ સ્વિમર તરીકે પ્રમાણિત પણ હતા, હાર્ટ એટેક આવ્યાનું તારણ અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પૂલમાં સાત વર્ષીય કિશોરનું મૃત્યુ થતાં છેલ્લા ૧૯ દિવસમાં આ સ્વિમિંગ પૂલમાં ડૂબી મરવાને લીધે બીજું મોત થયું હતું. ઘાટકોપરના મ્યુનિસિપલ સ્વિમિંગ પૂલમાં ૨૧ ફેબ્રુઆરીના રોજ કાપડના વેપારી ભાવેશ છેડાનું મૃત્યુ થયું હતું. જોકે...
 
 
danik bhaskar

મનોરંજન કર મુદ્દે IPL v/s ભાજપSunday, March 14, 2010 01:19 [IST]



રાજ્યના પ્રધાન મંડળના નિર્ણય અનુસાર જો ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાને મનોરંજન વેરો લાગુ નહીં કરાય તો કાયદેસર પગલાં લેવાની ધમકી ભારતીય જનતા પક્ષે ઉચ્ચારી હતી. જોકે મુખ્ય પ્રધાને પંઢરપુર ખાતે આઈપીએલને કરમાફી અશકય હોવાની જાહેરાત કરી હતી.





આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાને કરમુક્તિ આપવા અંગે...

ipl211
 
 
danik bhaskar

નૂરિયા હવેલીવાલાની જામીન અરજીની સુનાવણી મોકૂફSaturday, March 13, 2010 01:52 [IST]

નશામાં ચૂર થઈને હોંડા સીઆરવી કારની અડફેટે બેનાં મોત નીપજાવવાના કેસમાં આરોપી નૂરિયા હવેલીવાલાની જામીન અરજીની સુનાવણી હાઈકોર્ટે મોકૂફ રાખી છે. જાન્યુઆરીમાં બનેલી આ ઘટનાના કેસમાં હવેલીવાલાએ જામીન અરજીમાં જણાવ્યું છે કે તેની વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કરાયો તે અયોગ્ય છે. આ કલમ કાઢીને બેફામ વાહન હંકારવું તથા મોત માટે કારણભૂત બનવાનો ગુનો લાગુ કરવો જોઈએ. વળી, પોતે સ્ત્રી...
 
 
danik bhaskar

મુંબઈની રિક્ષા-ટેક્સીઓના થાણેમાં મુક્ત સંચાર માટેનો નવો આદેશSaturday, March 13, 2010 01:47 [IST]

બે વર્ષ પૂર્વેના આદેશના અમલમાં રિક્ષા યુનિયનનો વિરોધ અવરોધરૂપ બે વર્ષ પૂર્વે મુંબઈની ટેક્સીઓ અને રિ-ક્ષાઓને સીધા થાણે, કલ્યાણ,અંબરનાથ, નાલાસોપારામાં છૂટથી હરવાફરવાની મુકિતનો આદેશ મયો હતો, પરંતુ એ આદેશના અમલમાં રિક્ષા યુનિયનનો વિરોધ અવરોધરૂપ બન્યો છે. સત્તાવાર જોગવાઈનો અમલ નહીં થતાં પ્રવાસીઓનું કાર્યાલયે નવો આદેશ બહાર પાડયો છે. મુંબઈ અને આસપાસની મહાનગરપાલિકાઓ અને...
auto-mumbai1
 
 
danik bhaskar

હાઈકોર્ટના સમારકામમાં છ કરોડ રૂ.ની ગેરરીતિનો આરોપSaturday, March 13, 2010 01:46 [IST]

મુંબઈ હાઈકોર્ટના સમારકામમાં છ કરોડ રૂપિયાની ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદ ભૂતપૂર્વ સરકારી કર્મચારીએ કરતાં તે બાબતે બે અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ ગુરુવારે સાર્વજનિક બાંધકામ ખાતા (પીડબ્લ્યુડી)ને આપવામાં આવ્યો હતો. સાર્વજનિક બાંધકામ ખાતામાંથી નિવૃત્ત થયેલા કર્મચારી અશોક શિંદેએ જનહિત માટેની અરજી કરી હતી. બોગસ અને બિનજરૂરી કામ માટે પીડબ્લ્યુડીએ ૨૦૦૫થી ૨૦૦૯ના સમયગાળા...
 
 
danik bhaskar

પાણીના મુદ્દે અંધેરીમાં ક્લબનો વિરોધ કરતા કાર્યકરોની ધરપકડSaturday, March 13, 2010 01:44 [IST]

પીવાનું પાણી સ્વિમિંગ પૂલ માટે શું કામ ઉપયોગમાં લો છે એવું કહીને અંધેરીમાં એક ક્લબનો વિરોધ કરનારા સ્વાભિમાન સંગઠનના કેટલાક કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. અંધેરી વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછત છે. ઘણા નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે. આવા સંજોગોમાં સ્પોર્ટ્સ ક્લબ સ્વિમિંગ પૂલ માટે પાણીનો ઉપયોગ કઈ રીતે કરી શકે એવો સવાલ સ્વાભિમાને ઉઠાવ્યો હતો. સંગઠને ક્લબને આ બગાડ અટકાવવા...
 
 
danik bhaskar

મહારાષ્ટ્ર સરકારનું બજેટ ખિસ્સાં પર કાતર ફેરવશેSaturday, March 13, 2010 01:42 [IST]

મહારાષ્ટ્ર સરકારનું બજેટ પણ સામાન્ય માણસના ખિસ્સા પર કાતર ફેરવનારું જ હોવાના સંકેતો મયા છે. પેટ્રોલ- ડિઝલના ભાવમાં વધારાને કારણે મોંઘવારી આકાશને આંબે છે ત્યારે હવે રસ્તા પરના ટોલના દરમાં વધારો થશે, એમ માનવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકારનું અંદાજપત્ર મંજૂર કરવાના આશયથી મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે ગુરુવારે નવી દિલ્હીમાં આયોજન પંચ (પ્લાનિંગ કમિશન)ના નાયબ અઘ્યક્ષ ડો.અહલુવાલિયાને...
 
 
danik bhaskar

ન્યાયમૂર્તિ પટેલની નિમણૂક સામેની અરજી મુંબઇ હાઇકોર્ટે ફગાવી દીધીSaturday, March 13, 2010 01:41 [IST]

એડવોકેટ પાટીલના કહેવા પ્રમાણે ન્યાયમૂર્તિ પટેલને ન્યાયાધીશ પદનો ૧૦ વર્ષનો અનુભવ નથી, પણ ન્યાયાધીશ પદનો સમયગાળો આઠ વર્ષ, ૧૦ મહિના અને ૧૯ દિવસનો જ છે, તેથી તેમની નિમણૂક ગેરકાયદે છે મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે. એન. પટેલની નિમણૂક રાજયના બંધારણની જોગવાઈઓ પ્રમાણે થઈ ન હોઈને તે રદ કરવી એવી માગણી કરતી પિટિશન હાઈકોર્ટે મંગળવારે ફગાવી દીધી હતી અને નિમણૂકને કાયદેસરની ગણાવી હતી....
 
 
danik bhaskar

બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસા. ‘બોમ્બે’ને મુદ્દે આંદોલનSaturday, March 13, 2010 01:34 [IST]

સંસ્થાને ૩૦ એપ્રિલ સુધીની આખરી મુદત અપાઈ છે : સભ્યો આવતા મહિને બેઠક યોજી નિર્ણય કરશે, એમ બીએનએચએસે જણાવ્યું હતું ફોર્ટમાં આવેલી સંસ્થા બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી (બીએનએચએસ)ના નામમાંથી બોમ્બે કાઢીને તેની જગ્યાએ મુંબઈ લખવાની માગણી સાથે શિવસેનાએ ગુરુવારે તેની આગવી સ્ટાઈલમાં આંદોલન કર્યું હતું. સંસ્થાના બોમ્બે શબ્દ ઉપર મુંબઈ શબ્દ ચોંટાડાયો હતો અને મૂળ અંગ્રેજી નામની તોડફોડ...
bombay2
 
 
danik bhaskar

ઉનાળાના વેકેશનમાં મુંબઈ અને શિરડી વચ્ચે જનશતાબ્દી એક્સપ્રેસSaturday, March 13, 2010 01:30 [IST]

મઘ્ય રેલવેની ૧૫૩૦ સમર સ્પેશિયલમાં આ ટ્રેનનો સમાવેશ ઉનાળાની રજાઓ ઘ્યાનમાં લઈને મુંબઈ અને શિરડી વક્ચે રોજિંદી સેવા જનશતાબ્દી એક્સપ્રેસ આવતી ૧ એપ્રિલથી શરૂ થાય છે. આ ટ્રેન સીએસટીથી રવાના થયા બાદ છ કલાકમાં સાઈનગર પહોંચશે. આ સેવા ‘સમર સ્પેશિયલ’ પૂરતી જ મર્યાદિત છે. મઘ્ય રેલવેએ ઉનાળાની રજાઓ માટે ૧૫૩૦ સમર સ્પેશિયલ ગાડીઓ જાહેર કરી. તેમાં શિરડી માટે મુંબઈથી બે અને ચેન્નાઈથી એક...
train1
 
 
danik bhaskar

અબુ આઝમીના દીકરા ફરહાનને ધમકીભર્યા ફોન કોલ્સSaturday, March 13, 2010 00:32 [IST]

સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ અસીમ આઝમીના પુત્ર ફરહાન આઝમીને ધમકીભર્યા ફોન કોલ્સ આવતા હોવાની તેણે પોલીસમાં નોંધાવી છે. છેલ્લા બે દિવસથી ફરહાનને ફોન કરીને અજ્ઞાત શખસ ધમકી આપતો હોવાનું પોલીસને કરેલી ફરિયાદમાં જણાવાયું છે. ફરહાને જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) રાકેશ મારિયાને ઉક્ત બાબતની લેખિતમાં ફરિયાદ કરી હતી. અમુક અજ્ઞાત વ્યક્તિ ફોન કરીને એકે ૪૭ રાઈફલ આપવા માટે ધમકાવતી...
 
 
danik bhaskar

સાઘ્વી પ્રજ્ઞા સિંહની જામીન અરજી નામંજૂરSaturday, March 13, 2010 00:27 [IST]

જામીન અરજીમાં સાઘ્વીએ ધરપકડ પહેલાં તેર દિવસ પોલીસે પોતાને ગેરકાયદે ગોંધી રાખ્યાનો અને સતામણી કર્યાનો કરેલો આક્ષેપ પણ અદાલતે અમાન્ય રાખ્યો માલેગાંવ બોમ્બ સ્ફોટ કેસમાં મુખ્ય આરોપી સાઘ્વી પ્રજ્ઞા સિંહની જમીન અરજી મુંબઈ વડી અદાલતે શુક્રવારે નકારી કાઢી હતી. ન્યાયમૂર્તિ એસ. સી. ધર્માધિકારીએ ઉપરોકત આદેશ આપ્યો હતો. માલેગાંવના મામલામાં કાવતરું ઘડવા બદલ પોલીસે ૨૩ ઓક્ટોબર, ૨૦૦૮ના...
Sadhvi-Pragya1
 
 
danik bhaskar

લિવ-ઈન પાર્ટનરને પણ ભરણપોષણ મળશેSaturday, March 13, 2010 00:06 [IST]

એક વેપારી સાથે લીવ ઈન રિલેશન (લગ્ન વિના સહવાસ)માં રહેનારી એક મહિલાને દર મહિને દસ હજાર રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ બોરીવલી કોર્ટે આપતાં લિવ ઈન રિલેશન્સમાં પણ ભરણપોષણની સવલતના દ્વાર ખૂલી રહ્યાં છે. ‘કાકા’ બિયર બારના ઓર્કેસ્ટ્રામાં ગાવા જતી બાની રોય જયંતીલાલ જૈન નામના એક વેપારી સાથે રહેતી હતી. ત્રણ મહિનાથી એ મઘ્ય પૂર્વના મસ્કત શહેરમાં રહેતી હતી. જયંતીલાલના અગાઉ લગ્ન થયેલાં છે...
live-in1
 
 
danik bhaskar

દુનિયાના ટોપ ટેન સમૃદ્ધ શહેરોની યાદીમાં મુંબઇFriday, March 12, 2010 12:37 [IST]

'ફોર્બ્સ' દ્વારા બહાર પાડેલ એક યાદીમાં દુનિયાના 10 મુખ્ય સમૃદ્ધ શહેરોમાં મુંબઇનો પણ સમાવેશ છે, જ્યાં દેશના 20 અરબપતિઓ વસવાટ કરે છે. 'ફોર્બ્સ'ના મતે 29 અરબ ડૉલરની સંપત્તિની સાથે દુનિયાના સમૃદ્ધ લોકોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું ઘર આ શહેરમાં છે.

મુંબઇમાં રહેનાર અન્ય ધનકુબેરોમાં અનિલ અંબાણી, શશિ અને રવિ રૂઇયા, કુમારમંગલમ બિરલા વગેરેનો સમાવેશ છે. અરબપતિ...

Mumbai-city1111
 
 
danik bhaskar

વસઈ-વિરાર આંદોલનનો અંત લાવતા મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણFriday, March 12, 2010 02:01 [IST]

સૂચિત વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વસઈ નજીકનાં ૫૩ ગામોનો સમાવેશ નહીં કરવા વિશેના ચાલી રહેલા ઉગ્ર ઝઘડાનો કદાચ ટૂંક સમયમાં અંત આવવાની સંભાવના છે. રાજ્ય સરકારે બુધવારે ૫૩માંથી ૩૦ ગામોને નહીં સમાવવાની વાતને સ્વીકારી હતી અને બાકીનાં ૨૩ ગામોના સમાવેશ-ન સમાવેશ કરવાનો નિર્ણય ૧૮ માર્ચથી શરૂ થતા બજેટ સત્ર પહેલાં લેવાની ખાતરી આપી હતી. સરકાર એ બાબતે પણ સંમત થઈ છે કે આ મામલે અંતિમ...
 
 
danik bhaskar

એમ્બ્યુલન્સ બાઈકને અડફેટે લેતાં ત્રણનાં મોત નીપજ્યાંFriday, March 12, 2010 02:00 [IST]

ધુળે-જળગાંવ માર્ગ પર અજંગ ગામની નજીક બુધવારે બપોરે થયેલા અકસ્માતમાં ત્રણ જણના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. પૂરપાટ વેગે જઈ રહેલી એમ્બ્યુલન્સે મોટરસાઈકલને ટક્કર મારતાં હિરામણ ભિકારી બડગુજર (૫૫), રવીન્દ્ર પાંડુરંગ બડગુજર (૩૬) અને છોટુ ભાઈદાસ પાટીલ (૪૫)ના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. અજંગ ગામથી દોઢ કિલોમીટર દૂર બુધવારે બપોરે સુમારે સાડાત્રણ વાગ્યે આ અકસ્માત થયો હતો. ધુળે પોલીસે...
 
 
danik bhaskar

ચિંચોલી ગામે એસ.ટી. બસ સળગાવાનો પ્રયાસFriday, March 12, 2010 01:52 [IST]

બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરોને હાથમાં ઈજા થઈ બુધવારે બપોરે સુમારે ત્રણ વાગ્યે અમુક શખસોએ ચિંચોલી ગામની નજીક એસટી બસને બાળી મૂકવાનો પ્રયાસ કર્યો હતો. પાચોરા તાલુકામાં પણ બે અજ્ઞાત યુવાનોએ બસની ઉપર પથ્થરમારો કર્યો હતો. બળગાંવ-જામનેર એસટી બસ બુધવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ચિંચોલીની નજીક પહોંચતા આઠ દસ જણે આ બસને રોકી હતી અને બસના કાચ ફોડીને નુકસાન કર્યું હતું. આ...
 
 
danik bhaskar

પુનર્વસનમાં ફાળવાયેલા ઘરો વેચાયાં હોવાની સરકારની કબૂલાતFriday, March 12, 2010 01:48 [IST]

નેશનલ પાર્કમાંથી બહાર કઢાયેલા લોકોને ચાંદીવલીમાં ફાળવાયેલા રહેઠાણોમાં ૮૦૦થી વધુ વેચાઈ ગયા હતા સંજય ગાંધી રાષ્ટ્રીય ઉધાન (નેશનલ પાર્ક)ના પરિસરમાંથી બહાર કઢાયેલા લોકોને પુનર્વસન માટે ફાળવાયેલા ૮૦૦ જેટલા ફ્લેટસ ગેરકાયદેસર રીતે વેચાયા અથવા ભાડે અપાયા હોવાનું નેશનલ પાર્કના નિયામક (ડિરેક્ટર) પાંડુરંગ મુંડેએ વડી અદાલતને જણાવ્યું હતું. નેશનલ પાર્કના ઝૂંપડાંધારકોને પુનર્વસન...
 
 
danik bhaskar

વાનખેડેના નવીનીકરણના કાર્યથી પ્રદૂષણ ફેલાય છે: MCAને નોટિસFriday, March 12, 2010 01:41 [IST]

૨૪ નવેમ્બરે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ તાજેતરમાં નોટિસ મોકલી હતી વાનખેડે સ્ટેડિયમના નૂતનીકરણનાં કામકાજથી હવા અને ભૂતળના પાણીમાં પ્રદૂષણ વધતું હોવાનું મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળ (એમપીસીબી)ને જણાવ્યું છે. આ કાર્યક્રમથી પ્રદૂષણ વૃદ્ધિ ફલિત થતાં પ્રદૂષણ નિયંત્રણ મંડળે ગયા સપ્તાહે મુંબઈ ક્રિકેટ એસોસિયેશનનને બાંધકામ રોકવા માટે...
Wankade-Stadium-31
 
 
danik bhaskar

બાળમજૂરીના વિરોધમાં આજે ‘ક્રાય’ની પદયાત્રાFriday, March 12, 2010 01:36 [IST]

મહાત્મા ગાંધીજીની વિખ્યાત દાંડીકૂચની ૮૦મી વર્ષગાંઠનો અવસર સાધીને ‘ચાઈલ્ડ રાઈટસ એન્ડ યુ’ (ક્રાય) સંસ્થાએ આજે થાણે ખાતે પદયાત્રા યોજી છે. રાજ્યમાં બાળ મજૂરીની નાબૂદી માટે અસરકારક પગલાં લેવાની અપીલ કરવાના ઉદ્દેશથી આ પદયાત્રા યોજાઈ રહી છે. બે વર્ષથી થાણે ક્ષેત્રમાં બાળમજૂરીના વિરોધમાં કાર્યરત ‘ક્રાય’ના સ્વયંસેવકોએ પદયાત્રા યોજી છે. આ પદયાત્રા સવારે સાડા નવ વાગ્યે થાણેના...
cry1
 
 
danik bhaskar

બેંગ્લોરનું ફાયર વિભાગ મુંબઈ શહેરના ફાયર વિભાગ પાસેથી પાઠ ભણશેFriday, March 12, 2010 02:04 [IST]

બેંગ્લોરમાં કાલટર્ન ટાવરની આગમાં બચાવકામગીરી બાબતે તેમની સામે સવાલો ઊઠ્યા હોઈને બેંગ્લોર અગ્નિશમન વિભાગે લીધેલો નિર્ણયબેંગ્લોરના અગ્નિશમન વિભાગે બચાવ કામગીરી બાબતે મુંબઈ અગ્નિશમન વિભાગ પાસેથી પાઠ ભણવાનો નિર્ણય કર્યો છે. બેંગ્લોર ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બુધવારે મુંબઈના ફાયર ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી હતી.



ચીફ ફાયર ઓફિસર સાથેની વાતચીત દરમિયાન બેંગ્લોરની...

fire_04
 
 
danik bhaskar

ઈ-ગવર્નન્સમાં મહારાષ્ટ્ર અગ્રેસર હશે : CMFriday, March 12, 2010 01:30 [IST]

ઇ-ગવર્નન્સનો ઉપયોગ કરવામાં મહારાષ્ટ્ર દેશનું અગ્રેસર રાજ્ય બનશે, એવો આત્મવિશ્વાસ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે ગુરુવારે વ્યક્ત કર્યો હતો.વહિવટ વધુ ઝડપી અને પારદર્શક કરવા માટે મહારાષ્ટ્ર શાસન અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ(ટીસીએસ) વચ્ચે સાહ્યદ્રી ગેસ્ટહાઉસમાં મુખ્ય પ્રધાનની હાજરીમાં સમજૂતી કરાર કરાયા હતા, એ સમયે મુખ્ય પ્રધાને વ્યક્તવ્ય આપતા ઉપરોક્ત બાબત કહી હતી. આ કરાર...
Ashok-Chauhan-51
 
 
danik bhaskar

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદનાં ઝાપટાંThursday, March 11, 2010 01:10 [IST]

મુંબઈ સહિત રાજ્યમાં અનેક ઠેકાણે બુધવારે રાત્રે અચાનક કમોસમી વરસાદનાં ઝાપટાં પડતાં આશ્ચર્ય ફેલાયું હતું. બુધવારે રાત્રે મુંબઈમાં અનેક ઠેકાણે સુસવાટાભર્યા પવન સાથે વરસાદનાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં. મુંબઈમાં ખાસ કરીને પૂર્વીય વિસ્તારમાં ભાંડુપ, કાંજુરમાર્ગ, મુલુંડ ખાતે વરસાદનાં ઝાપટાં પડ્યાં હતાં. જોકે થોડા જ સમયમાં ઝાપટાં બંધ થયાં હતાં. બીજી બાજુ મહારાષ્ટ્રમાં...
Rain2
 
 
danik bhaskar

સરકાર આંતરજ્ઞાતિય લગ્ન કરનારને ૫૦,૦૦૦ આપશેThursday, March 11, 2010 01:07 [IST]

આંતરજ્ઞાતિય લગ્ન સામે હજીય સમાજનો વિરોધ છે ત્યારે એ પ્રકારે વિવાહ કરનારી જોડીને પીઠબળ આપતા રાજ્ય સરકારે તેમને અપાતા રૂ. ૧૫ હજારના અનુદાનમાં વધારો કરીને તે રકમ રૂપિયા ૫૦ હજારની કરી હતી. આ પ્રકારે મોટી રકમની આર્થિક મદદ કરવાથી સવર્ણ અને દલિત વર્ગમાં વિવાહ-લગ્નને પ્રોત્સાહન મળશે, એવો રાજ્ય સરકારનો અભિપ્રાય છે. આંતરજ્ઞાતિય લગ્ન-વિવાહ સામે છોકરા-છોકરીના કુટુંબીજનોનો ભારે વિરોધ...
marriage12
 
 
danik bhaskar

મુંબઈના જુહુમાં નવા સ્વરૂપે અવતરી ‘ખાઉગલ્લી’Thursday, March 11, 2010 00:54 [IST]

મુંબઈની ખાઉગલીને વિશ્રામ સાવંત વેન્ચર દ્વારા ખાસ પ્રકારની શૈલીમાં ફરી ઊભી કરવામાં આવી છે. તાજેતરમાં ૧૦,૦૦૦ ચોરસફૂટના વિસ્તારમાં ખુલ્લી મુકાયેલી આ ખાઉગલીમાં મુંબઈની આગવી સ્ટાઈલમાં મુંબઈની વાનગીઓ મળે છે. જેમાં ચોપાટી પર ચાયવાલા અને પાનવાલાથી માંડીને નારિયેળ પાણી, વડાંપાંઉ, જલેબી, ફ્રેન્કી અને પાસ્તા અને લોકલ ટ્રેન સાથે ખાસ સજાવટથી અનેરૂં વાતાવરણ ઊભું કરાયું છે. અંધેરી...
Khaugalli_41
 
 
danik bhaskar

રાજ્યસભામાં દાખવેલી સર્વપક્ષીય એકતા ત્રાસવાદ સામે કેળવો: કલામThursday, March 11, 2010 00:50 [IST]

‘‘તમામ રાજકીય પક્ષોએ ત્રાસવાદને રાષ્ટ્ર માટે બદી તરીકે જાહેર કરીને તેની સામે લડત આપવી જોઈએ. આ એક રાષ્ટ્રીય સમસ્યા છે. મન અને ઈરછાશકિતના ધોરણે એકતા સાધવાથી આ લડાઈ લડી શકાશે. તમામ રાજકીય પક્ષોએ એકઠા થઈને તેને રાષ્ટ્ર માટે બદી જાહેર કરીને લડત આપવી જરૂરી છે. જેમ મહિલા આરક્ષણ ખરડાને તમામ પક્ષોએ એકઅવાજે સમર્થન આપ્યું એવી જ રીતે આતંકવાદનો પણ એકઅવાજે પ્રતિકાર આવશ્યક છે,’’ એમ ભૂતપૂર્વ...
kalam1
 
 
danik bhaskar

શહજાદને નહીં, તેના પિતાને જાણું છુંThursday, March 11, 2010 00:47 [IST]

દિલ્હીમાં સપ્ટેમ્બર ૨૦૦૮માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બધડાકામાં ધરપકડ કરાયેલા ઈન્ડિયન મુજાહિદ્દીનના કથિત આતંકવાદી શહજાદને લઈ હવે સમાજવાદી પાર્ટીના મુંબઈના વિધાનસભ્ય અબુ અસીમ આઝમી મુસીબતમાં આવી ગયા છે. આઝમીએ બુધવારે લંડનથી મિડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ શહજાદના પિતાને જાણે છે, પરંતુ શહજાદને જાણતા નથી. જોકે મહારાષ્ટ્ર વિધાનમંડળનું બજેટસત્ર શરૂ થવાનું છે ત્યારે જ...
Shahzad1
 
 
danik bhaskar

મિલ કામદારોની કસોટી-વ્યથાના કાળને ફિલ્મ પર કંડારતા માંજરેકરThursday, March 11, 2010 00:44 [IST]

ફિલ્મસર્જક મહેશ માંજરેકર એક સમયે શહેરમાં કાપડ ઉધોગના મિલ કામદારોથી ધબકતા કાળને, કામદારોની કસોટીની વેળાને અને તેમની વ્યથાને હિન્દી અને મરાઠીમાં હંમેશ માટે કચકડે મઢી લેવાની પ્રક્રિયામાં લાગેલા છે. મરાઠી ફિલ્મનાં ટાઈટલ ‘લાલબાગ પરેલ’ની પરેલમાં મંગળવારે જાહેરાત કરાઈ હતી. હિન્દી ફિલ્મનું ટાઈટલ ‘સિટી ઓફ ગોલ્ડ-મુંબઈ૧૯૮૨ : એક અનકહી કહાની’ છે. ફિલ્મનું ટાઈટલ જાહેર કરવાના...
mahesh-manjrekar1
 
 
danik bhaskar

યુવાનની ઘાતકી હત્યાનું કોકડું આખરે ઉકેલાયુંWednesday, March 10, 2010 02:25 [IST]

માલવણીમાં યુવકની હત્યા ચેનચાળા કરવાને મુદ્દે દંપતીએ હત્યારાના રોકાવીને કરાવી હતી. પોલીસે આ કેસમાં દંપતી સહિત ત્રણ જણની ધરપકડ કરીને હત્યાનું કોકડું ઉકેલી કાઢયું છે.મહિના અગાઉ માલવણી પોલીસને કોહવાઈ ગયેલી હાલતમાં એક અજ્ઞાત શખસનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને મૃતદેહની નજીક રેલવેની અમુક કૂપન મળી આવી હતી. આ કડીને આધારે પોલીસે હત્યારા સુધી પહોંચીને હત્યાનો કેસ ઉકેલીને ત્રણની...

murder_11
 
 
danik bhaskar

વિલેપાર્લેના સ્કાયવોકને લંબાવવાની માગણીWednesday, March 10, 2010 02:16 [IST]

શહેરમાં સ્કાયવોક બદલ આકરી ટીકાનો સામનો કર્યા બાદ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને હવે એ બાબતે વિનંતી મળવા માંડી છે. વિલેપાર્લેના વિધાનસભ્ય કૃષ્ણા હેગડેએ ઓથોરિટીને વિનંતી કરતાં લખીને જણાવ્યું છે કે, વિલેપાર્લે (પશ્વિમ)ના સ્કાયવોકને એસ. વી. રોડના જંકશન સુધી લંબાવો. એમએમઆરડીએ દ્વારા આડીઅવળી આડશો ઊભી કરાઈ છે. આવી આડશો વિલેપાર્લે (પશ્વિમ)ના સ્ટેશન રોડ પર...
M_skywalk-vile-parle11
 
 
danik bhaskar

બીડી પર વેરો કેમ નહીં લાદ્યો? સંસ્થાનો સવાલWednesday, March 10, 2010 02:14 [IST]

બજેટ ૨૦૧૦માં સિગારેટો ઉપર ૧૧-૧૮ ટકાનો વેરો લાધો પણ બીડી પર વેરો કેમ નહીં લાધો એવો સવાલ તમાકુ સામે લડત ચલાવતી સંસ્થાએ કેન્દ્રીય નાણાં પ્રધાનને કર્યો છે. હીલિસ-સખસેરિયા ઈન્સ્ટિટયૂટ ફોર પબ્લિક હેલ્થના સંચાલક ડો. પ્રકાશ સી. ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતમાં વિશ્વની તુલનામાં સૌથી વધુ ૮૫ ટકાથી વધુ ઉત્પાદન થાય છે. દર વર્ષે અંદાજિત એક ટ્રિલિયન બીડીનું ઉત્પાદન થાય છે. બીડી પર ફકત એક...
M_BD1
 
 
danik bhaskar

ઉપનગરીય ટ્રેનોમાં ‘ગો મુંબઈ’ સ્માર્ટ કાર્ડનો આરંભWednesday, March 10, 2010 02:11 [IST]

પશ્વિમ રેલવેએ મેસર્સ કૈઝેન ઓટોમેશનના સહયોગથી ઉતારુઓની સુવિધા માટે ચર્ચગેટથી વિરારના પરાંના ઉપનગરીય ટ્રેનના પ્રવાસીઓ માટે મંગળવારથી ‘ગો મુંબઈ’ સ્માર્ટ કાર્ડનો પાઈલોટ પ્રોજેકટ શરૂ કર્યોહતો.પશ્વિમ રેલવેના જનરલ મેનેજર આર. એન. વર્માના હસ્તે ચર્ચગેટ ખાતે આ સુવિધાનું ઉદ્ઘાટન કરાયું હતું. પ્રોજેકટ પ્રાયોગિક હોઈને તે હાલમાં તો ૨૭ જૂન, ૨૦૧૦ સુધી ચાલુ રહેશે.આ કાર્ડથી સિંગલ પ્રવાસ...
M_GO-MUMBAI1
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB