

સફળતા પ્રાપ્ત કરવાની ઝંખના વ્યક્તિને અશ્વમાનવ બનાવી મૂકે છે. એ હાંફતો હાંફતો જીવે છે અને દોડતો દોડતો જમે છે. સાર્થકતાનો દિવ્ય સ્વાદ એ પામતો નથી.
સૌ દોડી રહ્યાં છે. તેઓ દોડવામાં જ એટલાં રમમાણ છે કે દિશા અંગે વિચારવાનો સમય નથી. દોડવાનું પ્રયોજન શું છે? દોડવું એ જ દોડવાનું પ્રયોજન ન હોઇ શકે. ઘોડાની રેસ જોવાનું બન્યું નથી, પરંતુ ફિલ્મોમાં વગર લેવેદેવે દોડતા અને હાંફતા ઘોડાઓ જોયા...














અમે ગયા જન્મમાં પુણ્ય કર્યા હશે તે આ વખતે કૂતરાનો અવતાર મળ્યો છે, જો માણસનાં બચ્ચાં થયા હોત તો અત્યારે નર્સરીમાં જઇને એબીસીડી ગોખતાં હોત.
(સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદનું મેઘાણી પ્રાંગણ, તારીખ: ૨૧-૦૨-૧૦, સમય: સાંજે ચાર વાગે, મેદાનમાં ખૂણાનાં આવેલા ઝાડનાં છાયામાં એક કૂતરી આડા પડખે થઇ છે, બાજુમાં તેના બે ગલૂડિયાં ગેલ કરી રહ્યા છે. ધીમે ધીમે સાહિત્યકારો અને સાહિત્યરસિકો ઉભરાવા...





મનને અતિ સૂક્ષ્મ કરો તો તમે ઘણું દૂર દૂરનું જોઈ શકો છો. પરંતુ તે માટે મનની અંદરની અને બહારની શાંતિ જોઈએ...
I was taught to feelPerhaps too muchThe selfsufficing power of solitude- William Wordsworth
વિલિયમ વર્ડ્ઝવર્થને કહેલું કે મને ભલે થોડું વધુ પડતું શીખવાડ્યું હોય પણ સૂક્ષ્મ લાગણી રાખવાનું માનવે શીખવું જ પડશે અને તે માટે તેણે અવારનવાર એકાંતમાં જવું પડશે. એવા જ સ્પિરિટમાં એડવર્ડ ગિબન નામનાં અંગ્રેજ વિદ્વાને કહેલું ‘તમે...



આ એકમાત્ર એવા ભારતીય નેતા છે જેમને બે રાષ્ટ્રોએ સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. ભારતે તેમને ભારતરત્નથી અને પાકિસ્તાને તેમને નિશાન-એ-પાકિસ્તાનથી સન્માનિત કર્યા છે.
વિલિયમ બાપુનો એક ઇ-મેઇલ છે, સાર એવો છે કે એક અમેરિકનને પૂછતાં તેણે કહ્યું કે ભારત સુંદર દેશ છે. પછી ભારતના લોકો કેવા લાગ્યા તે પૂછતાં તમેણે ફરી જણાવ્યું કે ‘કોણ ભારતીય? મને તો ગુજરાતી, મરાઠી, પંજાબી કે બંગાળી...


ભારત અને પાકિસ્તાન મંત્રણા કરે તો ત્રાસવાદીઓના પેટમાં ચૂંક આવે છે, એટલે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દિલથી ઇચ્છે તો પણ કટ્ટરવાદીઓ કદી મંત્રણા સફળ થવા દેશે નહીં.
ભારતના સચિવ નિરુપમા રાવ અને પાકિસ્તાનના સલમાન બશીર વચ્ચે સચિવ સ્તરની મંત્રણા અપેક્ષા અનુસાર નિષ્ફળ નીવડી છે. મુંબઈમાં ૨૬-૧૧ના પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી હુમલા બાદ મનમોહન સરકારે કડક વલણ...

નગરજીવનમાં સર્વિસ કરતી દરેક સ્ત્રીની આ મૂંઝવણ અને સમસ્યા છે. સ્ત્રી જીવનની આ સિવાયની તો અનેક સમસ્યાઓ છે. પણ પોતાનાં સંતાન સાથેના સવાલોમાં તે બાંધછોડ કરવા માગતી હોતી નથી.
સ્મિતાનું ઓફિસમાં ન હોવું એટલે ફૂલોએ સુગંધને તલ્લાક આપી હોય એવું લાગે. ઘણાં માણસોનું વ્યક્તિત્વ જ એવું લોહચુંબકીય હોય કે તેની ક્ષણે ક્ષણની નોંધ લેવાતી હોય અથવા તો તેની હાજરીની હૈયામાં સતત પ્રતીતિ થયા...

બાળક પૂછે છે : ‘શા માટે લોકો મરી જાય છે? હું નથી ઇચ્છતો કે લોકો મરી જાય.’ એના કાકા પાસે કોઈ જવાબ નથી. એ માત્ર એટલું જ કહી શકે છે: ‘તું મોટો થશે ત્યારે તને બધું સમજાઈ જશે.’
મહાન ગ્રીક લેખક નિકોસ કઝાનત્ઝાકિસે (૧૮૮૩-૧૯૫૭) ‘રિપોર્ટ ટુ ગ્રેકો’ નામની નવલકથા લખી છે. એ નવલકથામાં એમણે એમના જીવનની વિગતોનું નિરૂપણ કર્યું છે. એમાં એમણે એમના બાળપણની વાતો પણ અદ્ભૂત સર્જનાત્મકતા સાથે...

ફિલ્મ સફળ થતાં જ ગેલમાં આવી ગયેલા શાહરુખ ખાન-કરણ જોહર કેમ્પે જોરશોરથી ઢોલ-નગારાં-પડઘમ વગાડવા માંડ્યાં. દુનિયાભરમાં એકસાથે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા ત્રણ જ દિવસમાં ૯૦.૨ કરોડ રૂપિયાનો વકરો કરીને ભારતીય સિનેમાનો ‘ધ બિગેસ્ટ એવર થ્રી-ડે કલેક્શન વર્લ્ડવાઈડ’નો રેકર્ડ પોતાના નામે કરી લીધો છે ને એવું ગાઈવગાડીને કહેવામાં આવ્યું. આ દાવાથી સુપર ઈડિયટ આમિર ખાન ગિન્નાયો છે અને...

મન જ્યારે વિચારશૂન્ય થઈ જાય છે ત્યારે બહારના સ્થૂળ પદાર્થોનું મહત્વ રહેતું નથી. આ અવસ્થામાં બધી જ ઈન્દ્રિયો મનમાં લીન થઈ જાય છે અને તેને ‘બ્લિસ’ કહે છે.
BLISSTake me o mother to those shoreswhere strifes forever ceaseBeyond all sorrows beyond tearsBeyond all every earthly-blissMay the wind blow us blissMay the days be blissfull on usAnd the night approach blissfullyAnd blissfully the dawn glowSwami Vivekanand
હરખે આંખલડી ભીંજાય રે, નેહે નેણ નમેરે, મારા ડાબા ફરુકેસે અંગરે... ભાઈની બહેન તેના પુત્ર કે પુત્રીનાં લગ્નની કંકોત્રી...

પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીને આવતો દરેક જીવ મહેમાન છે અને જગદીશ યજમાન છે, પરંતુ આપણે નાદાનિયતમાં યજમાનભાવ ધારણ કરી લઇએ છીએ...
શ્રીમદ્ ભાગવત કુલ બાર સ્કંધ અને અઢાર હજાર શ્લોકમાં પથરાયેલી કૃષ્ણકથા છે, જેનાં દસમ્ સ્કંધમાં કુલ નેવું અઘ્યાય છે. એકથી ઓગણપચાસ અઘ્યાયનો પૂર્વાધ છે, પચાસથી નેવું સુધીનો ઉતરાર્ધ છે, પૂર્વાધનાં એકત્રીસમા અઘ્યાયમાં ગોપીગીતની કથા છે.
ભગવાન કૃષ્ણ...

લોર્ડ માઉન્ટબેટને અનેક પ્રસંગોએ પોતાની વાત સરદારને કેમ દબાણપૂર્વક સમજાવી અને મનાવી લીધા તેનું વર્ણન કર્યું છે, પણ તેમાં સત્ય અલ્પ અને આત્મશ્લાઘા સવિશેષ રહ્યાં છે.
આઝાદીનાં વધામણાં અને ભાગલાની ભયાનકતા એકીસાથે આગળ વધતાં હતાં. ‘પંજાબ અને બંગાળના વિભાજન સિવાય કોઇ વિકલ્પ નથી’ તેવા અંગ્રેજી શાસનના વિધાન સાથે કોંગ્રેસ અને મુસ્મિલ લીગ સહમત થતાં જતાં હતાં. પંજાબના ભાગલાની...



ભાષા માત્ર સાહિત્યિક તત્વ નથી. ભાષાનો વ્યાપક સંગ તો ભાષકોની સામાજિક-રાજકીય-આર્થિક જરૂર ઉપર આધારિત છે.
આપણે ગુજરાતી લોકો પાંચસોએક વર્ષથી ગુજરાતી ભાષા બોલીએ છીએ, તેમાં પણ આજે જે પ્રકારની ભાષા બોલીએ છીએ તે તો છેલ્લાં બસોપચાસ વર્ષથી જ અસ્તિત્વ ધરાવે છે. ગુજરાત પ્રદેશમાં લોકો લોથલ-ધોળાવીરાથી એટલે કે છેલ્લાં પાંચ હજાર વર્ષથી વસે છે તેવું ઐતિહાસિક હકીકતો કહે છે.
કદાચ...

સંપ્રદાય ભક્તિમાર્ગના પહેલા પગથિયા તરીકે ઉપયોગી બની શકે. પણ વાત જ્યારે ભક્તિની આવે, અંતર્યાત્રાની આવે, અહમને ઓગાળવાની આવે, ‘હું’માંથી મુકત થવાની આવે, ત્યારે માણસે સંપ્રદાયથી ઉપર ઉઠવું પડે.
ગયા લેખમાં ગુરુની ભૂમિકાની વાત કરી. હવે વાત કરીએ સંપ્રદાયની. ધર્મ-કોમ-સંપ્રદાય... આ બધા વિના માનવજાતને ચાલતું નથી. અને એ સમજી શકાય તેવું છે. સંપ્રદાય એટલે કે જૂથ માણસને એક ઓળખ પૂરી પાડે...


માઓવાદીઓ કહે છે કે મનમોહન અને ચિદમ્બરમની સરકાર જંગલની ખનીજથી સમૃદ્ધ જમીન ખનીજના ઉત્ખનન માટે મલ્ટિનેશનલ કંપનીઓને આપવા ઇચ્છે છે, પણ અમે આ આદિવાસીઓના હક્કની જમીન પરથી નહીં હટીએ અને મૂડીવાદીઓને નહીં ફાવવા દઈએ...
આ દેશમાં ત્રાસવાદ કરતાં વધુ નિર્દોષ નાગરિકો અને પોલીસમેન નક્સલવાદ અને માઓવાદની લડાઈમાં મૃત્યુ પામ્યા છે. માઓવાદીઓ ભુરાયા થયા છે. છેલ્લા દસ દિવસમાં પશ્વિમ બંગાળ અને...

લગભગ લંડનને મળતી આવતી બાંધણી ધરાવતા ન્યૂ યોર્ક સ્ટેટ અને ન્યૂ યોર્ક સિટી બંનેને ૧૭મી સદીથી ડ્યુક ઓફ યોર્કના નામ પરથી ઓળખવામાં આવે છે
સ્વપ્નાની કેડી કંડારીને આગળ આવવા માગતા અનેક નવયુવાન-યુવતીઓની સ્વપ્ન નગરી એટલે મુંબઇ, તેવી રીતે પ્રગતિનો પથ કંડારવા પરદેશ જઇ વસવાટ કરવા ઇચ્છુક, સ્થાયી થવાની આશા લઇને જયારે કોઇ પણ વ્યક્તિ અમેરિકા તરફની ઉડાન ભરે એટલે સૌ પ્રથમ યાદ આવે ન્યૂ...

સંબંધો હતા, ગાઢ મિત્રતા હતી. એક ફ્રેન્ડશિપ હતી પણ તેના દરવાજા નિશ્વિત હતા. સમય અને સ્થળ આવ્યે તે બંધ થઇ જવાના હતા. મર્યાદાની એક સીમાએ આવીને ઊભા રહી જવાના કે અટકી જવાના હતા. વળી, તેમાં એવું કશું જ ઊભું થયું નહોતું કે તે જીવન કે મેરેજલાઇફમાં મુશ્કેલી ઊભી કરે !
શર્વરીના મન આ બહુ મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્નનું લગભગ નિરાકરણ જ નથી તેવું તેને લાગે છે. પ્રશ્ન નહીં ઉકેલે તો પોતાની જિંદગી...

આકારને એક ક્ષણ તો થયું કે પૌલોમી જે કહે છે તે ક્યારેય સાચું હોઇ જ ન શકે અને સાચું હોય તો પોતે તેમાં દોષિત છે નહીં. પૌલોમી કોઇ બીજાનું પાપ પોતાના માથ ઓઢાડે છે.અને આમ પૌલોમીએ પોતાની સાથે દગો કર્યો છે. ભલે મરે પણ તેના મિત્રએ જણાવ્યું કે પેટ જાણે પાપ અને મા જાણે બાપ... એક વખત લખીને મરશે તો પછી બચવાનો કોઇ જ ચાન્સ નહી રહે. તેથી એક વખત તો પૌલોમીને હાથ કરી લે, બચાવી લે, બાકીનું પછી જોયું...

સંપત્તિ હોય ત્યાં જ સમજણ હોય એવું નથી ક્યારેક ગરીબની સમજણ અમીરની સમજણ કરતાં ઊચા આસન ઉપર બેઠી હોય છે
બે વર્ષ પહેલાં હનુમાન જયંતી ઉપર એક દેવીપૂજક પરિવાર મને મળવા આવ્યો, એના મોભીએ મને એક વાત કરી એ વિચારવા જેવી છે, એમણે કહ્યું કે અમારી વિચરતી જાતિ છે, ભટકતી કોમ છે, અમે સરનામા વગરના ઘરમાં રહીએ છીએ પરંતુ આજ દિવસ સુધી અમારી જ્ઞાતિના એક પણ માણસે ધર્મપરિવર્તન કર્યું નથી.
અમને...

એક તો બિચારીથી પથારીમાંથીય ઉઠાતું નથી તો પણ તે ચોરી જોવા માટે કષ્ટ વેઠીને આવે ત્યારે એના હાથમાં તમારે પંદરસો એક મૂકવાના અને સાથે મારી કાકીને અગિયારસો અગિયાર આપવાના...
જેને પારસીઓ કબૂતરાં કહે છે તે કમુરતાં ઊઠી ગયાં છે અને લગ્નગાળો પુરબહારમાં શરૂ થઇ ગયો છે. આ વખતે કદાચ પહેલી વાર વસંત પંચમીએ લગ્ન માટેનું એક પણ મુહૂર્ત નહોતું એટલે આ વસંત પંચમીએ કોઇને પરણવા ન દીધા. જોકે...

૧૯૧૭થી આઝાદી માટે ઝઝૂમતા સરદારે હવે આઝાદ દેશને છિન્નભિન્ન થતો અટકાવવાનો જટિલ પ્રશ્ન ઉકેલવાનો હતો.
ઈંગ્લેન્ડમાં રચાયેલી મજૂરપક્ષની સરકારે લોર્ડ વેવેલને પાંચ હિંદી આગેવાનો સાથે લંડન આવવા સંદેશો મોકલ્યો. આ પાંચ આગેવાનોમાં ગાંધીજીનું નામ સામેલ કરવામાં આવ્યું ન હતું. બ્રિટિશ સરકારે પંડિત નહેરુ, સરદાર પટેલ, લિયાકત અલીખાન, ઝીણા અને બલદેવસિંહને નિમંત્રણ પાઠવ્યું હતું....

મનીષા દસ વરસની થઇ છતાં પાંચ વરસની હોય એવી લાગે છે. મેં કહ્યું એનું નામ મનીષાને બદલે મોંઘવારી કરી નાખ. ત્યાર બાદ તે કૂદકે-ભૂસકે વધશે.
હોળીને હજુ બે અઠવાડિયાની વાર છે, પરંતુ મોંઘવારીની હોળી લાંબા સમયથી સળગે છે. આપણે જીવનને જોવાનો દ્રષ્ટિકોણ થોડો બદલી શકીએ તો હોળીની જગ્યાએ દિવાળીનો અનુભવ કરી શકીએ. દાખલા તરીકે અત્યારે તમે વાંચી રહ્યા છો એ ક્ષણે જ આ દુનિયામાં અસંખ્ય માણસો છેલ્લો...

ઈમ્મેચ્યોર લવ કહે છે કે ‘આઈ લવ યુ બિકોઝ આ નીડ યુ’ પણ મેચ્યોર લવ કહે છે ‘આઈ નીડ યુ બીકોઝ આઈ લવ યુ.’
કભી આકાશ પર કાન રખકર સુનોવહાંસે અહોરાત્ર એક પુકાર આ રહી હૈજીવન કી અમરતા કા દેવયાનમૃત્યુંજય હોના હી દૈવત્વ હૈઔર મૃત્યુંજય હોને કે લિએઅપને પદાર્થ સ્વરૂપ કો બાસી વસ્ત્રો સાઅપને પર સે ઉતાર દોકહાં તક ઢોઓગે યહ દ્રવ્ય બોઝ?ક્યોં નરિ અપને સ્વત્વ કી ભાસ્વરતા કોપ્રકાશ પંખો કે સાથ,...

પુષ્પ સ્વભાવે પ્રસન્નતાનું પરબ્રહ્મ છે. ધરતીમાંથી ઘણું બધું ઊગે છે, પરંતુ ભગવાનને થયું કે લાવ કવિતા ઉગાડું અને એણે પુષ્પનું સર્જન કર્યું. વિશ્વના અન્ય કોઇ ગ્રહ પર પુષ્પ નથી ઊગતું.પુષ્પનું મધુ પામવા માટેની પાત્રતા કેવળ પતંગિયા પાસે જ હોય છે. મનુષ્ય ગુલાબમાંથી ગુલકંદ બનાવી શકે, અત્તર બનાવી શકે અને ગુલાબજળ બનાવી શકે, પરંતુ ગુલાબનું મધુ નહીં પામી શકે. લોકો વાતવાતમાં કહે છે કે...

બાળ ઠાકરેનો રાજકીય ટ્રેક રેકર્ડ ચકાસો તો માલૂમ પડશે કે મહારાષ્ટ્ર કે મુંબઈ માટે બાળ ઠાકરેએ કદી પ્રગતિશીલ એજન્ડાની વાત જ નથી કરી. વાચક તરીકે તમને કોઈ પોઝિટિવ વાત યાદ આવે છે ? બાળ ઠાકરે હંમેશાં તડ અને ફડ કરી પોતાનો મત આપે છે. પોતાનું ધાર્યું સાચું છે એમ કહી પોતાનો કક્કો ખરો કરાવવાનો પ્રયાસ કરે છે. બાળ ઠાકરેનું રાજકારણ નકારાત્મક છે. ધાક-ધમકી, દાદાગીરી અને પોલિટિકલ બ્લેક મેઈલિંગ...



ભારતીયો કદાચ ગરીબ હશે, પણ ભારત ગરીબ છે જ નહીં. આપણી કુદરતી સંપત્તિ, કલા, વારસો, સ્થાપત્ય, સંગીત, ખોરાક, પહેરવેશ તરફ દ્રષ્ટિ કરીએ તો જણાશે કે આપણી પાસે ઘણી બધી અસ્કયામતો છે.
ભારતમાં લોકોની જાગીરી (સરંજામી) પદ્ધતિના માનસે (મનોવલણે) સામાન્ય નાગરિક ધારાની પ્રગતિને રૂંધી છે. લોકોએ કૌટુંબિક મૂલ્યો પ્રાચીન રિવાજો અને ધાર્મિક માન્યતાઓની ઉપેક્ષા કરવી જોઇએ એવી હું હિમાયત કરતો નથી,...

મન્ટોનું નામ ઉદ્દૂ સાહિત્યમાં આદરપૂર્વક લેવાય છે. તેમની ટૂંકી વાર્તાઓ ક્રાંતિકારી છે.
થોડા દિવસો પહેલાં જ મન્ટોની પુણ્યતિથિ (૧૮ જાન્યુઆરી)ગઈ છે ત્યારે એ નિમિત્તે તેમને થોડા યાદ કરી લઈએ. લોકો મન્ટોને ‘બૂ’, ‘ખોલ દો’ અને ‘ ઠંડા ગોશ્ત’ જેવી ધારદાર ટૂંકીવાર્તાના સર્જક તરીકે ઓળખે છે, પણ અહીં મન્ટોના સાહિત્યની નહીં, પણ તેમના મિત્રવર્તુળની વાત કરવી છે.
તેઓ...
![Saadat_hasan_manto[1]11](/2010/02/13/images/Saadat_hasan_manto[1]11_b.jpg)
શૌચાલય એવું સ્થાન છે જ્યાં નાત, જાત, ધર્મ, ભાષા કે પ્રદેશની સંકુચિતતાને સ્થાન નથી, સંસારમાં સામ્યવાદનાં પ્રચારનું શ્રેષ્ઠ સ્થાન શૌચાલય છે.
પાલનપુરમાં થોડા દિવસો પહેલાં શૌચાલયનું ઉદ્ઘાટન થયું, આપણે ત્યાં સંડાસનું ઉદ્ઘાટન પણ સમાચાર બને એનો અર્થ એવો થાય કે આપણે માણસની અનિવાર્ય જરૂરિયાત માટે સજાગ થયા છીએ પરંતુ એને દરેક ઇન્સાન સુધી પહોંચાડી શક્યા નથી, વિદેશમાં આવા ઉદ્ઘાટન...

કોંગ્રેસ-લીગની મિશ્ર સરકારના કાર્યકાળ દરમિયાન દેશની પરિસ્થિતિ ખૂબ ઝડપથી વણસી રહી હતી. નોઆખલી બિહારના આતંક બાદ ઉત્તરપ્રદેશના ગઢમુકતેશ્વરમાં ૧૦૦૦ જેટલા મુસલમાનોની હત્યાએ દેશમાં ચિંતાનું મોજું પ્રસરાવી દીધું. દેશવાસીઓમાં હિંસા-વેર અને ભયની લાગણીમાં તીવ્ર વધારો થયો ત્યારે લોકોને નીચેની વેદવાણીનું સત્ય સમજાવવા માટે એક ૭૭ વર્ષનો વૃદ્ધ એકલો અટૂલો લાંબા વાંસની લાકડીના ટેકે...

ભારતમાં ઓગણીસમી સદીના બીજા ભાગમાં બ્રિટિશ સામ્રાજ્યે પાશ્ચાત્ય પવન મુજબ વ્યવસ્થાતંત્ર શરૂ કર્યું અને નારીચેતનાનો પ્રારંભ થયો
આજથી એક મહિના પછી આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય નારી દિન આવશે. આ લેખ એક મહિનો વહેલો લખવાનો આશય આ સમયગાળામાં થોડું વિચારમંથન થાય, નારીના સ્થાનમાં બદલાવ લાવવા માટેના નક્કર કાર્યક્રમો વિચારાય, માત્ર ‘હમ હોંગે કામયાબ’ ગીત ગાઇને બધા વિખેરાઇ ન જાય,...


દેશને જરૂર છે અન્યથી જુદા પડી આવે એવા પ્લમ્બરોની, લુહારોની, શિક્ષકોની, ખેડૂતોની, કલેક્ટરોની, કુલપતિઓની, પ્રધાનોની, સફાઇ કામદારોની અને કર્મશીલોની. જેઓ જુદા પડી આવે, તેઓ પાસે એવું શું હોય છે? તેઓ પાસે ‘વર્ક-કલ્ચર’ હોય છે, જેને કારણે તેમનું કર્મ વૈતરું મટીને કર્મનિષ્ઠામાં ફેરવાઇ જાય છે.
વર્ષો પહેલાં મુંબઇના વિક્ટોરિયા ટર્મિનસથી ઊપડતા સિકંદરાબાદ એક્સપ્રેસમાં હૈદરાબાદ...

મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વખતે જે પવિત્રતા અને પૂજ્યભાવથી એક પંડિત વિધિ કરે છે એવા જ પવિત્ર અને પ્રેમભાવથી શિક્ષક જ્યારે વિદ્યાદાન કરશે ત્યારથી વિદ્યાલય સાચા અર્થમાં દેવાલય બની જશે.
મને શિક્ષણ વિશે લખવાનો અધિકાર છે કે મારી એના માટે યોગ્ય લાયકાત છે એવું નથી પરંતુ મારા અનુભવ અને માનસમંથનમાંથી મને શિક્ષણ માટે જે યોગ્ય લાગ્યું છે એ વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ...


ભારતના એક વખતના વાઇસરોય લોર્ડ કર્ઝનને ભારતીય સંગીતના કાર્યક્રમનું આમંત્રણ મળ્યું. તેઓ આપેલા સમય મુજબ રાત્રે નવ વાગ્યે પહોંચ્યા. કોઇ તબલાંની ઠોક મેળવતું હતું તો કોઇક સીતારના તારના સૂર મેળવતું હતું. કોઇક બેઠક વ્યવસ્થા ગોઠવતું હતું. લોર્ડ કર્ઝને નિયત સમયે એટલે કે સાડા નવે ઊભા થઇ ભાષણ આપ્યું, ‘ભારતીય સંગીત ભવ્ય છે, તેનો વારસો અમૂલ્ય છે.’ ભાષણ પૂરું કરી આયોજકોનો આભાર માની ચાલી...

આઝાદી સમયે પંડિત નહેરુ અને સરદારે નજીકમાં જ રહેણાકો પસંદ કર્યા હતાં. તેમના વચ્ચે શરૂઆતમાં સારો મનમેળ રહ્યો. પંડિત નહેરુ સવાર-સાંજ ચાલીને સરદારને મળવા જતા અને બંને વચ્ચે સરકારના સંચાલન માટે વિગતે વાતચીત થતી હતી.
૧૯૪૬માં ફરી કોંગ્રેસ પ્રમુખપદ સંભાળતા સાથે જ પંડિત નહેરુએ જે વિધાનો કર્યાં તેથી મોટો વિવાદ ભડકી ઊઠયો. જવાહરલાલે કહ્યું કે ‘કોંગ્રેસ તમામ સમજૂતીઓ અને કરારથી...


પોલીસ એટલે પોલીસ. તે ભલે યુનિફોર્મમાં ન હોય, સિવિલ ડ્રેસમાં હોય તો પણ તેને જોઇને હું નર્વસ થઇ જઉ છું. ઘેર પોલીસના અણધાર્યા આગમનથી માનવ નામનું સામાજિક પ્રાણી ખાસ રાજી થતું નથી.
સવારે હું સ્નાન કરતો હતો ત્યાં પત્નીએ બાથરૂમનું બારણું ખખડાવી પૂછ્યું કે કહું છું, સાંભળો છો? મને એમ કે કોઇ નાહવાના સમાચાર હશે એટલે તેણે બે ટમ્બલર વધારે પાણી શરીર પર રેડવાની સૂચના આપવા બારણું...

વરરાજા સુરતના અને કન્યા નવસારીની છે તો પછી અહીં બારડોલીમાં લગ્ન રાખવાનું શું કારણ છે તે કૃપા કરીને જિજ્ઞાસુને જણાવો, ત્યારે પેલાએ ફોડલો ફોડ્યો કે લગ્નની વાડી બારડોલીમાં મળી એટલે બારડોલી આવ્યા.
વરસે શિયાળામાં એટલાં બધાં લગ્નો થયાં તે જોઇને એમ લાગે કે ૨૦૧૨માં ખરેખર પૃથ્વીનો પ્રલય થવાનો છે અને અત્યારે પરણનારા પૃથ્વીનો નાશ થાય તે પહેલાં બે-ત્રણ વરસ લગ્નનો લહાવો લેવા માગે...

પાડોશીના ઘરમાં કમ્પ્યૂટર આવે છે. એ કારણે જાણે આડોશપાડોશના લોકો અજ્ઞાન બની ગયા હોય એવું વર્તન થવા લાગે છે. કમ્પ્યૂટરની ‘વિન્ડો’ ખૂલતાં જ જાણે ઘરની બારીઓ બંધ થઇ જાય છે. બીજાં બાળકો શેરીમાં જાતજાતની રમતો રમે છે ત્યારે એનો દીકરો એકલો-એકલો કમ્પ્યૂટર ગેમ રમ્યા કરે છે. અગાઉ તો પતિ-પત્ની સાંજે હીંચકા પર બેસીને અલકમલકની વાતો કરતાં, પરંતુ હવે બંનેની ‘ફાઇલ’ અલગ થઇ ગઇ છે અને બંનેના...

જ્ઞાન શીખવી શકાય, કર્મ શીખવી શકાય, ભક્તિ શીખવી ન શકાય. માટે, જેમનામાં ભક્તિની વૃત્તિ બહુ પ્રબળ છે એવા લોકો આપોઆપ ઇશ્વર પ્રત્યે પ્રેમ અનુભવતા હોય છે.
ભક્તિમાં સૌંદર્ય છે. મૂર્તિ સામે આંખ મીંચીને પ્રાર્થના કરતી સ્ત્રી હંમેશાં રૂપાળી લાગે, ભગવાનને જે જે કરી રહેલું ભટુરિયું વધુ પ્યારું લાગે અને મૂર્તિ સામે નતમસ્તક ઉભેલો ભલભલો ભારાડી પુરુષ પણ એ પળોમાં કૂણો લાગે. સામે મૂર્તિ...


ડો. મનમોહન મોંઘવારીને ડામવા કડવી દવાનો ડોઝ ક્યારે આપશે? પ્રજાની રોટી, કપડા અને મકાનની પ્રાથમિક સુવિધા ન સચવાય તો ૨૧મી સદીમાં સુપરપાવર બનવાની વાત ધોળે દહાડે તારા જોવા સમાન પુરવાર થશે...
મોંઘવારીએ માઝા મૂકી છે. ગરીબ, મઘ્યમવર્ગ અને ઉચ્ચ મઘ્યમવર્ગ પણ ભાવવધારાની ભીંસમાં આવી ચૂક્યો છે. છેલ્લા ૧૨ મહિનામાં એકંદરે ૨૪ ટકા ભાવવધારો થયો છે. શાકભાજી, ફળ, ખાધાન્ન, બળતણ સહિત જીવનજરૂરિયાતની...

આંતરરાષ્ટ્રીય ધોરણોની તુલનામાં, ભારતીય સંસ્થાઓ નાગરિકોની જરૂરિયાતોને સંતોષવા માટે ભાગ્યે જ કાર્યરત હોય છે. આ સંસ્થાઓ પૈકીની કેટલીકને પુનર્ગિઠત કરવાનો સમય પાકી ગયો છે, કારણ કે સંગીન સંસ્થાઓ એક શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરે છે.
મારા મતે વિશ્વસમસ્તમાં વિકસિત અને વિકસતા દેશો વરચેનો તફાવત એ છે કે વિકસિત દેશોમાં, સંસ્થાઓ સરેરાશ આમ આદમી ક્રિયાશીલ રહે એ માટે સ્થાપવામાં...

આચાર્ય રજનીશે તેના અપધાગધમાં ઝીંગૂરની વાત કરી છે. એ ઝીંગૂર એટલે શું? તેમણે કહ્યું કે ઝીંગૂર એટલે રાત્રે રાત પડે અને નાના શહેર કે ગામડાંમાં તમરાં બોલે તેને હિન્દીમાં ઝીંગૂર કહે છે. આજે નવી પેઢીના ટિનેજરોએ તો શું નવી માતા પણ પણ તમરાંને જાણતી નહીં હોય. રજનીશનું અવલોકન કેટલું ગહેરું હશે કે તેણે તમરાંની ફિલસૂફી તેના કાવ્યમાં કહી છે તમરું ભેજવાળી જમીનમાં જ રહે છે. મેઘલી રાતે તે ધાતુના...

થોડા સમય પહેલાં મનોરંજન ક્ષેત્રે ખ્યાતનામ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો હતો. તેણે એક સરસ વાત કરતાં જણાવ્યું કે આપણે માણસ છીએ ને આપણે સૌએ આઘ્યાત્મિકતા (આત્મા-પરમાત્મા) કેળવવી જોઇએ એવું નથી. હકીકતમાં આપણે આત્મિક તત્વ છીએ ને માણસ તરીકે જીવીએ છીએ. આ સમજણ પ્રમાણે તે જીવે ત્યારે ખરું પણ વાત તો સાચી કરી છે. વ્યક્તિ જ્યારે આવી તાત્ત્વિક વાત ભૂલી માત્ર શરીર અને શારીરિક સુખ માટે...

એક ભક્તજન ઊભો થયો. બે હાથ જોડીને બોલ્યો, ‘બાપજી, ખમૈયા કરો. વાંકગુનો માફ. પણ અમને બધાને અચરજ થાય છે કે બાપજી આ વળી કઇ નવી કથા લઇ આવ્યા. વળી, માતમા ગાંધી, નહેરુજી અને સરદારની જે જેની વાત તો સમજ્યા, પણ આ મૌલાના ને આંબેડકર કોણ છે? દેવતા છે? ઇથીયે આગળ જઇએ તો અમે તો એવું સમજ્યા’તા અત્યાર સુધીની કથાઓથી કે જેવાં જેનાં કરમ, એવો એનો જનમ ને જનમારો. આપ વળી આ સ્વતંત્રતા ને સમાનતાની વાત ક્યાંથી...

એક વાર હું ગાંધી રોડ પર ઓટોરિક્ષાની રાહ જોતો ઊભો હતો. વરસાદ ઝીણાં ટીપે પડતો હતો. મારું ઘર ગાંધી રોડથી, રિક્ષાવાળાની નજરે, ઢૂંકડું એટલે ખાસ રસ પડે નહીં, મારે અડધો ડઝન રિક્ષાઓ ગુમાવવી પડી. એક રિક્ષા માંડ મળી, તેમાં હું બેસવા જતો હતો ત્યાં કોલેજિયન જેવા લાગતા બે યુવાનો મારી તરફ ધસી આવ્યા. બેમાંના એકે મને પૂછ્યું કે તમે જ હાસ્ય લેખક વિનોદ ભટ્ટ છો? ઘડીભર તો થયું કે હા પાડી દઉ. પણ પછી ફિકર...

દીકરીને જોવા મહેમાન આવે ત્યારે ફળિયામાં ફૂલછોડનાં થોડાં કુંડાઓ વધી જાય છે. તે દિવસે ઘાસ કાપીને લોકસાહિત્યમાંથી શિષ્ટસાહિત્ય જેવું સપ્રમાણ કરવામાં આવે છે.
આપણે ત્યાં દીકરીને જોવા મહેમાન આવવાના હોય ત્યારે ઘરમાં તાબડતોબ ફેરફાર થાય છે, અને આ રીતે થતા ફેરફારમાં યજમાન પરિવાર હોય એના કરતાં વધુ સારો દેખાય તે માટે યથાશક્તિ પ્રયત્નો થાય છે.
બંગલાના ગેટ પાસે એક દિવસ માટે...

વલ્લભભાઇએ પળના વિલંબ વિના, સ્વસ્થતાથી અને કશી નારાજગીના ભાવ વિના સહી કરી. આ ઘટનાનું દ્રશ્ય આપણી કલ્પના બહારનું છે. પોતાના પક્ષ, પોતાના નેતા અને પોતાના સાથી માટે ઇતિહાસે બક્ષેલી અણમોલ તક સહજતાથી છોડી શકાય તેવા સરદાર આ પછીના અઠવાડિયે ગાંધીજી સહિત સૌ સાથીઓને ખૂબ હસાવતા હતા. કોંગ્રેસ કે સરકારના કામમાં સરદારે કદી ઉપેક્ષાભાવ સેવ્યો ન હતો. તેમની નાદુરસ્ત તબિયતની દરકાર કર્યા વિના...

ઘણા લોકો સ્વાભાવિક વ્યક્તિ બની જ શકતા નથી. એમના વાણીવર્તનમાં એટલી બધી અસ્વાભાવિકતા -કૃત્રિમતા હોય છે કે એવા લોકો પારદર્શક લાગતા નથી. એમનો અહમ્ વારંવાર પ્રગટ થાય છે. એ લોકો એવી રીતે વર્તે છે કે જાણે એ લોકો જ બધું જાણે છે ને લોકો કશું જ જાણતા નથી. એને સાથે જ એમના વ્યક્તિત્વમાં રહેલા કાંટા સામેની વ્યક્તિને ભોંકાય છે. પરિણામે એવા લોકો માટે અરુચિકર ભાવ જન્મે છે. એ લોકો અપ્રિય વ્યક્તિ...

ધાર્મિક યાત્રાનાં એક ધંધાદારી આયોજકે મિસ્ટર અને મિસિસ મનજીને અમદાવાદમાં એવી રીતે ઉતારી દીધા જે રીતે કોઇ કુંવારી માતા નવજાત શિશુને એકાંતમાં છોડીને ચાલી જતી હોય છે
મનજીભાઇ ચાર ધામની જાત્રા કરીને આજે સવા બે મહિને સ્વગામગમન કરવાનાં હતા, પત્ની બુદ્ધિબહેન સાથે હોવાથી મનજીભાઇને સમગ્ર પ્રવાસમાં પોતાની બુદ્ધિ (SENSE)ને બદલે સસરાની બુદ્ધિ (WIFE) પ્રમાણે નિર્ણય લેવાના હતા, ધાર્મિક...

ફિલિપ આઇલેન્ડ નજીક ક્વિન્સક્લિફથી સોરેન્ટો જવા માટે એક અનોખી ફેરી સર્વિસ ચાલે છે. કાર અને પેસેન્જર લઈ જતી આ ફેરી બે શહેરોને માત્ર ૪૦ મિનિટમાં જોડી દે છે. જો મોટર માર્ગે ક્વિન્સક્લિફથી વાયા મેલબોર્ન થઈને સોરેન્ટો જવું હોય તો ૨૨૦ કિ.મી.નું અંતર કાપવું પડે, પણ આ ફેરીને કારણે આ અંતર ૧૦ કિ.મી.નું થઈ ગયું છે. ૧૯૮૫માં શરૂ થયેલી કાર-પેસેન્જર ફેરી સર્વિસની ક્રૂઝની ક્ષમતા એકસાથે ૮૦ વાહનો...

૮૦ના દાયકાની શરૂઆતમાં દર ત્રણ-ચાર મહિને હું ચીનમાં બૈજિંગ નજીક આવેલા તિઆન્જીંગ શહેરમાં જતો. એક વખત હું એક વર્ષના ગાળા પછી ગયો તો, જાણે કે મારાથી શહેર ઓળખી ન શકાયું. અંદર પ્રવેશતાં જ મેં કારચાલકને પૂછ્યું કે આપણે ખરેખર તિઆન્જીંગમાં છીએ. અને તેણે કહ્યું કે, ૧૦ માસના ગાળામાં એ લોકોએ શહેરમાં અને શહેરની ચોતરફ, ૮ લેનવાળો, ૭૦ માઇલ લાંબો એક ધોરીમાર્ગ બાંધી દીધો છે. તેઓએ તેમાં નડતરરૂપ બધું...

મને પુસ્તકના ધંધામાં પડેલાની ઓનેસ્ટી-પ્રામાણિકતા ગમે છે- ના, આ હું વ્યંગ કે વિનોદમાં નથી કહેતો. એક પણ પ્રકાશકે પોતાની દુકાનના એકાદ ખૂણે પણ પાટિયું નથી માર્યું હોતું કે ‘અમે યત્કિંચિત મા સરસ્વતીની સેવા કરીએ છીએ...
ગયા અઠવાડિયે આ કોલમમાં અમે લખ્યું હતું કે અમારા આ ગામના એક વેપારીએ ફક્ત એક પૈસાની (વ્યાજ સાથે) વસૂલાત માટે અન્ય વેપારી સામે કોર્ટમાં કેસ માંડ્યો હતો એ અમદાવાદીનો...

જિંદગીની સુગંધ, ખરી મજા અને ઉત્તેજનાનું સાતત્ય કશુંક પણ સિદ્ધ કરી લેવામાં નહીં, પરંતુ સફળ થવાની પ્રક્રિયામાં છે. સુખ નવાં ઘ્યેયોને હાંસલ કરવાના પ્રયત્નમાંથી જ મળે છે.
સફળતાના સાધકો ક્યારેય પોતાનું કામ પૂરું થઈ ગયું છે એવું માનતા નથી. સફળ થવાની ઝંખના ધરાવતા લોકો એમનું એક ઘ્યેય નક્કી કરે છે, પછી એને સિદ્ધ કરવા માટે મચી પડે છે. એમણે કરવા ધારેલા કામને વધારે ને વધારે સારી રીતે...

કાચબો બાહ્ય ભય કે લાલચ સામે અંગોને સંકોચીને પોતાની ઢાલથી અંગોને સુરક્ષિત રાખે છે. એ રીતે માનવીએ ભગવાન પાસે જવું હોય તો બહિર્મુખ નહીં પણ અંતર્મુખ થઈને જવું જોઈએ. માયાજાળને છોડીને જ ભગવાન પાસે જઈએ...
ભારત ભૌતિકતાથી નહીં આઘ્યાત્મિકતાથી મહાન બનશે, રાજર્ષિ મુનિનું અભય વચન
યં બ્રહ્મા વરુણેન્દ્ર રૂદ્રમરૂત: સ્તુન્વન્તિદિવ્યૈ: સ્તવૈ:વેદૈ સાંગપદકમોપ નિષદૈ: ગાયન્તિયં...

મંદિરની આરતી વખતે કે ભગવાનની પ્રિય મૂર્તિના દર્શનથી ભાવવિભોર થઈને રડતી સ્ત્રીને કેટલા તીવ્ર સુખની અનુભૂતિ થતી હશે એ તો સ્ત્રી હોઈએ અને ઉત્કૃટ ભક્તિ અનુભવીએ તો જ ખબર પડે. જે લોકો સહજ રીતે તીવ્ર ભક્તિ અનુભવી શકે છે તેઓ સુખી હોય છે...
જીવનનો સૌથી મોટો આનંદ ભક્તિમાંથી મળી શકે, પણ એમાં ત્રણ જોખમોનું ખાસ ઘ્યાન રાખવું અંતર્યાત્રાના ત્રણ માર્ગ, ભક્તિ-કર્મ-જ્ઞાનમાંના ભક્તિમાર્ગ...

પ્રાંતોના હિંદુ-મુસ્લિમ જૂથોની સ્વાયત્તા પાકિસ્તાનનું પ્રથમ ચરણ છે તેવા ગાંધી-સરદારના દ્રઢ અભિપ્રાયના કારણે પંડિત નહેરુ, રાજાજી અને મૌલાના આઝાદ માટે કેબિનેટ મિશનની જોગવાઇનો સ્વીકાર કરવાની તેમની વૃત્તિ હતી તે છોડવી પડી. વલ્લભભાઇએ સ્પષ્ટ રીતે કહ્યું કે ‘કોઇ પણ પ્રાંતને તેની મરજી વિરુદ્ધ કોઇ પણ જૂથમાં જોડાવાની જબરજસ્તી કેબિનેટ મિશન કરી શકે નહીં અને તેણે ન કરવી જોઇએ.’ આ...

ગુજરાતે જ્યારે સરદાર સરોવર-નર્મદા બંધ બાંધવાનું આયોજન કર્યું ત્યારે મઘ્યપ્રદેશ અને મહારાષ્ટ્રે બંધવિરોધમાં જે મુદ્દાઓ કોર્ટકેસમાં ઉઠાવ્યા હતા તેમાં સૌથી વધુ મહત્વનો મુદ્દો બંધથી જેની જમીનો ડૂબતી હતી તેવા અસરગ્રસ્તોનાં પુનર્વસનનો હતો. પછી નિમાયેલ નર્મદા જળ વિવાદ પંચે અસરગ્રસ્તોનાં યોગ્ય પુનર્વસન માટે આદેશો આપ્યા, જેના આધારે ગુજરાત સરકારે વિકાસશીલ દેશોની સૌથી વધુ ઉદાર...

એક યુવાન પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો હતો. વાતવાતમાં એણે કન્યાનાં મા-બાપને જેટલી ગાળો ભાંડી તે અન્ય પેસેન્જરોએ સાંભળવી પડી. રાતે મોડે સુધી જોરશોરથી લગ્નના વરઘોડા પસાર થાય ત્યારે કાન ફાડી નાખે એવા ફટાકડા ફૂટે છે અને લાઉડ સ્પીકર પરથી ફિલ્મી ગીતોનો ઘોંઘાટ વહેતો રહે છે. એવો કુરિવાજ જ્યારે બંધ થશે, તે દિવસે કદાચ સભ્ય સમાજની શરૂઆત થશે. રાંદેરમાં વહેલી સવારે ચાલવાનું શરૂ...


પુસ્તક ક્યાંય શુષ્ક બનતું નથી. સંદર્ભો અને અવતરણોથી એ આસ્વાધ બન્યું છે. માત્ર સાહિત્યના અઘ્યાપકોને નહીં, કોઈ પણ વિદ્યાશાખાના જિજ્ઞાસુને આ પુસ્તક વિશ્વાસમાં લેશે. કેમ કે જેમની અહીં ચર્ચા થઈ છે એ વિવેચક દ્વારા સર્જકોનો પરિચય કેળવવાની દ્રષ્ટિ જાગે છે તો એ સર્જકોની કૃતિઓમાં જીવનનાં મર્મસ્થાનોનો નિર્દેશ મળે છે. આમ આ વિવેચનનું વિવેચન પણ ચોક્કસ અંતરથી જીવનને સમજવા પ્રેરે છે.૨૩૪...

એક સરકસમાં વાંદરો-વાંદરી પરણી ગયાં. થોડા સમય પછી વાંદરીને સારા દિવસો જવા લાગ્યા. સરકસના પ્રાણી ડોક્ટરે વાંદરીને તપાસીને પૂછ્યું, ‘કેવું બાળક જોઇએ-છોકરો કે છોકરી?’ પ્રસૂતાએ જવાબ આપ્યો, ‘તેના પગ સાઇકલ ચલાવવા જેટલા લાંબા હોય અને માથું તોપના નાળચામાં સમાઇ શકે તેવું હોય એમ કરજો. પછી છોકરો હોય કે છોકરી તેનો કોઇ ફેર પડતો નથી.’-કથાબોધ : કર્મચારી પુરુષ છે કે સ્ત્રી તે મહત્વનું નથી....

ગાંધીજીના માર્મિક શબ્દોથી અંબાલાલનું હૃદય પીગળે, પણ મન તેમને રોકે. એમ કરતાં એક ક્ષણ એવી આવી કે અંબાલાલ પોતાની આંગળી પરની સોનાની વીંટી આપી દેવા તૈયાર થઇ ગયા, પણ આંગળી પરની વીંટીને ટેરવા સુધી લઇ જાય ને મન પાછું પડે એટલે પાછી લઇ જાય. ગાંધીબાપુના છેલ્લા શબ્દોથી પરાકાષ્ઠા સર્જાઇ, હૃદયની આજ્ઞાથી આંગળી પરની વીંટી તે બહાર સરકાવવા જતા હતા ત્યાં ખુદ અંબાલાલથી બોલાઇ ગયું : ‘ચેત, અંબાલાલ,...

આપણા શરીર, મન, બુદ્ધિ અને આત્મા એટલાં બધા બળવત્તર છે કે માણસ જો ઈચ્છે તો ઘણો શક્તિશાળી બની શકે. શરીરથી જ નહીં પણ મનથી. ચમત્કારીક શક્તિ મેળવી બીજાને ઉપયોગી થઈ શકે છે. એમણે ૧૯૩૫મા લખેલું : આજે મોટો પ્રશ્ન એ છે કે માણસે તેની માનસિકતા અને સમગ્ર શરીરને કેમ ઉચ્ચસ્તરે મૂકવા? માણસ થોડો સમજણો થાય, વાંચતો થાય, વિચારતો થાય પછી તેણે વિચારવું જોઈએ કે બીજા માનવજીવ કરતા તે કેમ ઊંચો જીવ થાય? આમ...

૫૦ વર્ષ પહેલાં ગામડામાં વીજળી જ નહોતી. જે આજે બધે જ છે. દેશનાં મોટા ભાગના વિસ્તારોમાં ટેલિફોન સેવા હાથવગી છે. આ રીતે અમે દેશના આંતરમાળખાકીય વિકાસનાં મહત્વનાં ઘટકો-પરિવહન, વીજળી અને સંદેશાવ્યવહારને દેશના દરેક વિસ્તારમાં લઈ જવા પ્રયત્ન કર્યો છે.પરંતુ હજુ એ પર્યાપ્ત નથી. ભારતમાં તમે ગમે ત્યાં જાઓ. તમે ત્યાં વીજકાપ, થપ્પ થઈ જતો વાહનવ્યવહાર, લોકોની ભીડથી ઉભરાતી ગાડીઓ અને નિષ્ક્રિય...

સરદાર પ્રમાણમાં સ્વસ્થ રહ્યા છે અને આઝાદી માટે આશાવાદી છે તે જોઇને કાર્યકરોનો ઉત્સાહ વઘ્યો. પ્રથમ દિવસ નરહરિ ગાડગીલના નિવાસ્થાને પુણેમાં રોકાય ને સરદાર ગાંધીજીને મળવા પંચગની પહોંચ્યા. મહાત્માજીને મૌનવાર હતો. તે કશું ના બોલ્યા પણ વલ્લભભાઇને આવકારી એક ચિઠ્ઠી આપી. તેમાં દેશના પ્રશ્નોની વિગત ન હતી. આવકાર અને આનંદ સાથે સરદારને તબિયતની કાળજી કરવા મમતાભરી સૂચના લખી હતી. કટિસ્નાન,...

રામાયણ માનવતાનું મહાકાવ્ય છે. રામ માનવતાના વિવેક-ચૂડામણિ છે. સીતા માનવતાની વિમલ વેદના છે. લક્ષ્મણ માનવતાનો પુણ્યપ્રકોપ (મન્યુ) છે. ભરત માનવતાનો તપોનિધિ છે. હનુમાનજી માનવતાના પ્રાણમય કોશ છે.
કનૈયાલાલ માણેકલાલ મુનશીએ જીવનમાં બીજું કંઇ જ ન કર્યું હોત અને કેવળ ભારતીય વિદ્યાભવનનું સર્જન કરીને વિદાય લીધી હોત તોય એમનું પૃથ્વી પર આવેલું સાર્થક થતું હોત. ગુજરાતની અસ્મિતાના...

‘એક વાર અમેરિકાના પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિક ડો. એડવર્ડ ટેલરને પૂછવામાં આવ્યું- તમારું સંતાન પણ વૈજ્ઞાનિક બને એવું તમે ઇચ્છો છો? એમણે જવાબા આપ્યો ‘બાળકને વૈજ્ઞાનિક બનાવવા માટે એનામાં વીજળીની ગતિથી ચાલતા મગજની આવશ્યકતા નથી, એને ચમત્કારી યાદદાસ્તની પણ જરૂર નથી, એને સ્કૂલમાં ઊંચા ગ્રેડ મળે એ પણ જરૂરી નથી. સૌથી મહત્વની વાત એ છે કે બાળકને વિજ્ઞાનમાં ઊંડો રસ હોવો જોઇએ.’...



આપણે આ ૩૦ કરોડ લોકોને આવી નિમ્ન સ્તરની ‘ભારતીય ગરીબીરેખા’થી ઉપર ઉઠાવી નહીં શકીએ અને તેમને સન્માનીય એવું જીવનધોરણ બક્ષી નહીં શકીએ તો વિકાસનો કોઇ અર્થ નથી. ભારત આજે જે પ્રાથમિક માનવ જરૂરિયાતોના પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે તે પ્રશ્ન હંમેશનો છે એવું નથી. અગાઉ તો ભારતની વસતી ઘણી ઓછી હતી અને આ રીતે તેનાં કુદરતી સંસાધનો ઉપર ખૂબ ઓછો બોજ આવતો હતો. ઉદ્યોગીકરણે પર્યાવરણને ભારે હાનિ...

જર્મન કવિ ગેટેએ ૧૮મી સદીમાં કહેલું કે ‘ફૂલોનું શાસ્ત્ર શીખતાં શીખતાં હું કવિ બન્યો. હું જો બોટનિસ્ટ ન બન્યો હોત તો હું કવિ બની જ શકત નહીં. મને ફૂલોએ કવિતાનું શાસ્ત્ર શીખવ્યું. ગુજરાતના જગમશહુર તસવીરકાર અશ્વિન મહેતાએ ‘હંડ્રેડ હિમાલયન ફ્લાવર્સ’ પુસ્તક લખ્યું છે. ‘ફ્લાવર થેરપી’ વિશે ઘણા પુસ્તકો છે.
પારિજાત
સપનાંની મુજ છાબડી છલકે
મલકે...

Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








