Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Divya Bhaskar

ઘર માંડવું એટલે મૂળને સાચવવુંTuesday, March 16, 2010 10:02 [IST]

family1
ઘરની પરંપરાઓ-રીતો-પદ્ધતિઓ પેઢી-દર-પેઢી ઘરમાં ઊતરતી રહે અને બચાવી શકાય એટલી પરંપરાઓ બચાવી લેવાની કોશિશ કરવી તેને ‘ઘર માંડવું’ કહી શકાય. થોડા દિવસો પહેલાં અમારી એક પરિચિત યુવતીનો ફોન આવ્યો, ‘વડોદરાથી હૈદરાબાદ આવી છું.’ તે યુવતી અમારા નજીકના સગપણમાં છે. થોડા સમય પહેલાં તેના દીકરાના લગ્ન થયાં હતાં. દીકરો હૈદરાબાદમાં નોકરી કરે છે. ‘ફરવા આવી છે?’ અમે પૂછ્યું. ‘ના, ના,’ તેણે કહ્યું,...
 
 
Divya Bhaskar

સફળતા કરતાં સાર્થકતા ઊંચેરીMonday, March 15, 2010 13:03 [IST]

a-14-3-10-Vicharona-Vrindav11

સફળતા પ્રાપ્ત કરવાની ઝંખના વ્યક્તિને અશ્વમાનવ બનાવી મૂકે છે. એ હાંફતો હાંફતો જીવે છે અને દોડતો દોડતો જમે છે. સાર્થકતાનો દિવ્ય સ્વાદ એ પામતો નથી.



સૌ દોડી રહ્યાં છે. તેઓ દોડવામાં જ એટલાં રમમાણ છે કે દિશા અંગે વિચારવાનો સમય નથી. દોડવાનું પ્રયોજન શું છે? દોડવું એ જ દોડવાનું પ્રયોજન ન હોઇ શકે. ઘોડાની રેસ જોવાનું બન્યું નથી, પરંતુ ફિલ્મોમાં વગર લેવેદેવે દોડતા અને હાંફતા ઘોડાઓ જોયા...

 
 
danik bhaskar

આઈપીએલ : કરોડોની કમાણી અબજોનો સટ્ટોSunday, March 14, 2010 10:54 [IST]

આઈપીએલને પગલે ક્રિકેટની રમતમાં મેદાનની અંદર અને બહાર સ્પિનિંગ ચાલશે. સ્પિનિંગ એટલે રાજકારણમાં જો કોઇ મુદ્દે સરકાર શરમજનક સ્થિતિમાં મુકાય તો અઠંગ નેતાઓ એવો પાસો ફેંકે છે કે સમગ્ર દેશમાં ચર્ચાની પેટર્ન બદલાઇ જાય. દા.ત. સંસદના ગત સત્રમાં ન્યુક્લિયર સંધિ અને પાકિસ્તાન સાથેની મંત્રણાનો વિવાદ લોકસભામાં વકરે એ પહેલાં બાબરી ઘ્વંસ અંગે લિબરેહાન પંચનો અહેવાલ ‘લીક’ કરવામાં આવ્યો....
ipl1
 
 
danik bhaskar

દેશની એકતાના સમર્થ ઘડવૈયા સરદારSaturday, March 13, 2010 19:17 [IST]

દેશી રાજવીઓમાં સરદાર માટે મિશ્ર લાગણી હતી. એક બાજુ તેઓ તેની સત્તા છીનવી લેતા નવા સમ્રાટ હતા તો બીજી બાજુ તેઓ તેમના ભરોસાપાત્ર હિતેચ્છુ હતા. વિભાજનની કામગીરી અઢી માસના સમયગાળામાં પૂરી કરવાની હતી. સરહદો નક્કી કરવા માટે સર સિરિલ રેડકલીફનું કમિશન રચવામાં આવ્યું હતું. લગભગ છેલ્લી ઘડી સુધી આ કામગીરી અધૂરી હતી. પંજાબ અને બંગાળના ભાગલાનો નિર્ણય જાહેર થયો ત્યારથી જ કોમી હિંસાના બનાવો...
sardar11
 
 
danik bhaskar

સરદારે દેશી રાજ્યોનો હવાલો સંભાળ્યોSaturday, March 13, 2010 19:13 [IST]

ગાંધીજીએ સરદારને આ અંગે અભિનંદન સાથે જણાવ્યું કે ‘રજવાડાંની સમસ્યા એટલી વિકટ છે કે તમે જ ઉકેલી શકશો.’ તા. ૧લી જૂન ૧૯૪૭ સવારના ત્રણ વાગે જાગી ગયેલા ગાંધીજીએ પોતાની વેદના આ શબ્દોમાં ઠાલવી હતી. ‘આજે હું તદ્દન એકલો પડી ગયો છું. મારું અર્થઘટન ખોટું છે અને ભાગલા સ્વીકારી લઇએ તો શાંતિ સ્થાપી શકાશે તેવું સરદાર અને જવાહર બંનેને લાગે છે. ભાગલા પાડવાના હોય તો પણ અંગ્રેજોની દખલગીરીથી ન...
sardar21
 
 
danik bhaskar

એક જમાનામાં નદી કે પારેવડા પ્રેમનાં સંદેશા લઈ જતા હતા...આજે?Saturday, March 13, 2010 18:43 [IST]

કાસદ મહિને કે બે મહિને પ્રિયતમનો વળતો સંદેશ લાવતા હતાં આતી હૈ બાત બાત મુઝે બાર બાર યાદ કહેતા હૂં દૌડ દૌડ કે કાસિદ સે રાહમેં - કવિ દાગ ફિલ્મ ‘સવેરા’માં નરગિસ એક હોડીમાં બેસીને તેનાં દૂર દૂર રહેતાં પ્રિયતમને ઉદેશીને ગીત દ્વારા નદીને સંદેશો કહે છે-‘નદિયાં કે પાની હો નદિયાં કે પાની, છૂપ છૂપ જઈયો. પિયાજીસે કહીઓ, તુમ બીન કૈસે મેરી બીતેગી જવાની’ અને ગુજરાતી બહેનડી પારેવાની ચાંચમાં...
Dove2
 
 
danik bhaskar

દૂર્ગુણને દૂર કરે તે દેવSaturday, March 13, 2010 17:25 [IST]

વાલિના મત્યુ સમયે ભગવાન રામ કહે છે કે મારે તને મારવો નહોતો પણ તારા અહંકારને મારવો હતો ગયા સપ્તાહના લેખમાં આપણે રામચરિતમાનસના દરેક કાંડમાં રહેલી વિવિધ પ્રકારની વિદ્યાઓ અને એ વિદ્યાઓની માનવજીવનમાં રહેલી ઉપયોગિતા વિશે ચર્ચા કરી હતી. બાલકાંડમાં બ્રહ્મવિદ્યાનો ઉલ્લેખ છે તો અયોઘ્યાકાંડમાં રાજવિદ્યાનો મહિમા છે. મને વિચાર આવે છે કે જ્યારે અયોઘ્યાની ગાદીનો ત્યાગ કરવા માટે રામ...
a-7-3-10-Morari-Bapu1
 
 
danik bhaskar

બસ, હવે બહુ થયું...Saturday, March 13, 2010 17:08 [IST]

‘ના, પાંચ વાર નહીં, આમ તો આઠ વખત તેણે હુમલા કર્યા છે, પણ ત્રણેક મહિના એટલે કે નેવું દિવસમાં આઠ હુમલા બહુ ના ગણાય, આમાં કેટલા દિવસ કોરા -શાંતિમાં ગયા તેની ટકાવારી કાઢો તો તે વધારે થશે.’ મારા કપાળ પરના ઊંડા ઘાને રૂથી સાફ કરતાં ગીધુકાકાએ મને સહાનુભૂતિથી પૂછ્યું : ‘તે હેં વિનિયા, એવું તેં એને શું કહ્યું તે પકલાએ ઉશ્કેરાઇને તારા કપાળ પર પથરો ઝીંકી દીધો? તારા મોંમાંથી કોઇ ભૂંડાબોલી ગાળ-બાળ...
7-3-10-Vinod-Bhatt-copy1
 
 
danik bhaskar

પ્રત્યાયનો અને પ્રસાર માઘ્યમ-સંચાલનSaturday, March 13, 2010 16:59 [IST]

ગાંધીએ પ્રત્યાયનની કુશળતા વાપરીને રાષ્ટ્રને પ્રતીકોને આધારે એક ઘ્યેય માટે ઘેલું લગાડ્યું હતું. ભારતમાં ‘મીઠું’ એ શબ્દે સૌને ઉત્સાહ-ઊર્જાથી તરબતર કરી દીધા હતા. આજે માહિતીની ઝડપ જેટ કરતાં વધી ગઇ છે ત્યારે દરેક નેતા ઉત્તમ પ્રત્યાયન-કૌશલ્ય ધરાવતા હોય એ આવશ્યક છે. ખાસ કરીને મોટી કંપની હોય તો, કંપનીની અંદર અને બહાર પ્રસારમાઘ્યમો સમક્ષની રજૂઆતમાં. નેતૃત્વનું મૂલ્યાંકન કરી શકે...
vision41
 
 
danik bhaskar

ફૌઝિયાનો આર્તનાદSaturday, March 13, 2010 16:20 [IST]

આ એક આફ્રિકન કન્યાની કરુણ કથની છે. અમેરિકાની જેલમાં એ ગજા બહારની યાતના વેઠે છે, પણ તેની સાથે અમાનવીય રિવાજોનો પ્રતિકાર કરવાની ભાવના પણ છે. ફૌઝિયા કસ્સિન્જાએ અમેરિકાની જેલોમાં વેઠેલી યાતનાની વિસ્તત ડાયરી પરથી પ્રગટ થયેલું પુસ્તક ‘ડુ ધે હીયર યુ વેન યુ ક્રાય?’ વિશ્વવિખ્યાત બનેલું. ‘કુમાર’ માં ૨૦૦૬થી ૨૦૦૮ દરમિયાન પ્રકાશિત જિતેન્દ્ર એ.શાહ કત આ ભાવાનુવાદની હસ્તપ્રત વાંચતા નારીના...
RAGHUVIR11
 
 
danik bhaskar

વાતોડિયા બશીર સાહેબSaturday, March 13, 2010 11:54 [IST]

અહમદ બશીર સાહેબ આધુનિક ઉર્દૂ પત્રકારત્વના પિતામહ ગણાય છે. માત્ર પત્રકારત્વ જ નહીં, પરંતુ ‘દિલ ભટકાઈ ગા’ અને ‘જો મિલે થે રાસ્તેં મેં’ જેવી કૃતિઓ દ્વારા તેમણે ઉર્દૂ સાહિત્યને પણ અનેરી ઊચાઈ બક્ષી છે. આ કોલમમાં આપણે છેલ્લા બે-ત્રણ હપ્તાથી ઉર્દૂ સાહિત્યકાર મન્ટો વિશે વાત કરી રહ્યા હતા, પણ આજે ઉર્દૂ પત્રકારત્વ અને સાહિત્યજગત બંનેને ગજવનારા અહમદ બશીર સાહેબ વિશે વાત કરવી છે. તેઓ કેવી...
basir-saheb1
 
 
danik bhaskar

સરદાર પટેલ : એક સિંહપુરુષFriday, March 12, 2010 19:29 [IST]

સરદારના જીવનની પહેલી ચૂંટણી,પહેલી રાજકીય જીત-હાર, અમદાવાદ સુધરાઈની કારકિર્દી, શહેરના વિકાસ માટે એમનો દૂરંદેશી અભિગમ, સમાજશાસ્ત્રી સરદાર જેવી અનેક બાબતો આ પુસ્તકની વિશેષતા છે. આત્મશ્રદ્ધાથી ઉભરાતા એક નીડર અને જાહેરહિતોને વરેલા એક નેતા કેવા હોવા જોઈએ એનું ઉત્તમ દ્રષ્ટાંત આ પુસ્તક પૂરું પાડે છે. લેખક : ડો.રિઝવાન કાદરી પ્રકાશક : ગૂર્જર ગ્રંથર‚ કાર્યાલય કિં. : રૂ.૨૮૦/- સરદાર...
Book1
 
 
danik bhaskar

અંતિમ મુકામ ક્યાંય હોતો નથીFriday, March 12, 2010 18:15 [IST]

કોઇ સફળતા, કોઇ સિદ્ધિ ક્યારેય અંતિમ હોતી નથી. આપણાથી આગળ વધેલા લોકોને જોયા પછી જ આપણે હજી કેટલું આગળ જવાનું બાકી છે તેનો ખ્યાલ આવે છે. એક લેખકે લખ્યું છે : ‘નાના સદ્ગુણો કે નાની સફળતાઓ નાના દુર્ગુણો કે નાની નિષ્ફળતાથી વધારે ખતરનાક હોય છે.’ આ વાત એમણે કસબા જેવા વિસ્તારોમાં રહેતા લોકોના સંદર્ભમાં કહી છે. એથી એ જ સંદર્ભમાં એમની વાતને તપાસીએ. એમણે દ્રષ્ટાંત પણ આપ્યું છે. વાત ગ્રીકના...
dubki11
 
 
danik bhaskar

અલગ સૌરાષ્ટ્રના સૂત્રનો સળવળાટFriday, March 12, 2010 12:54 [IST]

કોઇ પણ અલગાવવાદી આંદોલન માટે ચાર બાબતોની જરૂર પડે. ૧. સાંસ્કૃતિક-ભૌગોલિક અલગતા. ૨. અન્યાયની લાગણી. ૩. આ અન્યાયને વાચા આપતું નેતૃત્વ અને ૪. વિશિષ્ટ કાર્યક્રમો. તેલંગાણાના અલગ રાજ્યની માગ માટે શરૂ થયેલા આંદોલને ઘણાં ખરાં રાજ્યોમાં વિભાજનનો સળવળાટ પેદા કર્યો છે. મહારાષ્ટ્રથી અલગ પડવા વિદર્ભનું આંદોલન તો ચાલી જ રહ્યું છે. રાજસ્થાનમાં પણ મિટિંગો થઇ. ઉત્તર પ્રદેશના પશ્વિમ વિભાગને...
 
 
danik bhaskar

કાર્યોન સહસા કિશ્વિંત્Wednesday, March 10, 2010 12:12 [IST]

ઘણીવાર કોઇ કાર્ય સંપન્ન કરવામાં ઓછો સમય લેવાથી તેનું પરિણામ આપણા હાથમાં રહેતું નથી. એક દાંતનું દવાખાનું હતું. તેના રિસેપ્શન કાઉન્ટર પર રિસેપ્શનિસ્ટ કમ કંપાઉન્ડર કમ એકાઉન્ટન્ટ બેસે. ડેન્ટિસ્ટ પાસેથી ટ્રીટમેન્ટ લઇ એક બહેન તેની પાસે આવ્યા. તેમને બિલના પૈસા ચૂકવવાના હોય છે. તે પોતાનું પર્સ ખોલી અંદર હાથ નાખી કશું શોધવા લાગ્યા. આ જોઇ રિસેપ્શનિસ્ટે તેમને પૂછ્યું, ‘તમારે પેન જોઇએ...
STUDENT1
 
 
danik bhaskar

ભક્તિના સેન્સેક્સની વધ-ઘટTuesday, March 09, 2010 16:13 [IST]

જેમ પ્રેમિકા પ્રત્યે તેમ ઇશ્વર પ્રત્યે પણ એકસરખો ઉત્કટ પ્રેમ સતત શા માટે નથી અનુભવી શકાતો? ગુરુ, સંપ્રદાય અને કર્મકાંડ... ભક્તિ કરવામાં આ ત્રણ કેટલાં ઉપયોગી છે એની વાત ચાલી રહી છે. આમાં કોઇ ધર્મગ્રંથ કે રેફરન્સને વચ્ચે લાવ્યા વિના ફક્ત કોમન સેન્સ - સામાન્ય બુદ્ધિથી વિચારતાં એટલું સમજાય કે ઇશ્વર સાથે એકાકાર થવા માટે આ ત્રણમાંનું કશું જ ન હોય તો પણ ચાલી શકે. શરત ફક્ત એટલી જ કે...
Antar-yatra1
 
 
danik bhaskar

કૂતરી તથા ગલૂડિયાંનો સંવાદSunday, March 14, 2010 11:21 [IST]

અમે ગયા જન્મમાં પુણ્ય કર્યા હશે તે આ વખતે કૂતરાનો અવતાર મળ્યો છે, જો માણસનાં બચ્ચાં થયા હોત તો અત્યારે નર્સરીમાં જઇને એબીસીડી ગોખતાં હોત.



(સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદનું મેઘાણી પ્રાંગણ, તારીખ: ૨૧-૦૨-૧૦, સમય: સાંજે ચાર વાગે, મેદાનમાં ખૂણાનાં આવેલા ઝાડનાં છાયામાં એક કૂતરી આડા પડખે થઇ છે, બાજુમાં તેના બે ગલૂડિયાં ગેલ કરી રહ્યા છે. ધીમે ધીમે સાહિત્યકારો અને સાહિત્યરસિકો ઉભરાવા...

7-3-10-Jagdish-Trivedi--cop11
 
 
danik bhaskar

મરિન ડ્રાઇવના પાનવાળાનો ચકમકતો ખૂમચોMonday, March 08, 2010 12:08 [IST]

ધીમે ધીમે યંત્ર તરફથી મળતી અસંખ્ય સૂચનાઓ અનુસરવાની મનુષ્યને ટેવ પડતી જાય છે. માણસ પોતાને મળતી અહિંસક આજ્ઞાનો ગુલામ બનતો જાય છે. દુનિયામાં જે કોમ્પ્યુટર સંસ્કૃતિનો વિકાસ થઇ રહ્યો છે તે જોઇને હરખ થાય છે. ક્યારેક એમ પણ થાય છે કે કોમ્પ્યુટર માણસ જેવા માણસને ગ્રસી નહીં જાય! માનવ યંત્રવત્ બને અને યંત્ર માનવવત્ બને તો કદાચ માનવતાની સોડમ જ નષ્ટ થાય એ શક્ય છે. દુનિયામાં બસ-સ્ટેન્ડ પર,...
Z-z-z-7-3-10-Vicharona-Vrin1
 
 
danik bhaskar

મયંકની મૂંઝવણSaturday, March 06, 2010 11:56 [IST]

પ્રત્યેક બાળકને ધ્રુવ બનાવવો જોઈએ. તેને ભગવાન પાસે મોકલવો જોઈએ. જ્યારે બાળક ભગવાન પાસે જાય છે ત્યારે તેનું મનોબળ, આત્મબળ, બુદ્ધિબળ વધી જાય છે. થોડા દિવસ પહેલાં મંદિરમાં સંત પર મયંકનો (નામ બદલ્યું છે) ફોન આવ્યો. આમ તો તેનો ફોન ક્યારેય આવે નહીં. તેણે વાત કરતા કહ્યું, ‘સ્વામી સ્કૂલમાં પ્રિલિમ ટેસ્ટ ચાલે છે. વાંચ્યું તો છે પણ... પણ... સોશિયલ સાયન્સનું પેપર છે. એટલે... તો... થયું કે ફોન કરું....
samvad11
 
 
danik bhaskar

ભાતીગળ બાંધણીFriday, March 05, 2010 17:47 [IST]

પત્નીની એ ભત્ર્સના કરે છે કે બધી છોકરીઓ જ જણી! પુષ્પા અહીંની જીવનરીતિમાં ગોઠવાવા મથામણ કરે છે. તે દીકરીઓને ભણાવે છે, એટલું જ નહીં સહકારી વણાટમંડળીમાં હાથસાળ પર સાડી વણવાના કામે પણ જવા લાગે છે. મોટી દીકરીને પણ ત્યાં કામે લગાડવાની ઇચ્છા છે, પણ પતિ હરપાલ તેની સખ્ત વિરુદ્ધ છે, વળી ત્યાં કામે લગાડવા મંડળીના સંચાલકને થોડા રૂપિયા પણ આપવા પડે એમ છે, તે ક્યાંથી લાવવા? બિંદુ ભટ્ટના...
BANDHANI_ok1
 
 
danik bhaskar

કોર્પોરેટ નેતાએ પાર પાડવા જેવા પડકારોFriday, March 05, 2010 17:36 [IST]

દરેક જણ નેતાનો સમય માંગે છે. આ એક એવી વસ્તુ છે જે સૌને ફાળવી શકાય એટલા વિપુલ પ્રમાણમાં નેતા પાસે હોતી નથી. ભારત જટિલતાઓથી ભરેલું છે, તો કોર્પોરેટ જગત પણ એવું જ છે. કોઈ કંપની સરળતાથી, કોઈપણ અનિચ્છનીય ઘટના ઘટ્યા સિવાય ચાલતી હોય, કર્મચારીઓ હાથ ધરેલ કાર્ય સંપન્ન કરવા એકરાગથી કાર્યરત હોય, એવો વિચાર, ધંધામાં જેણે એક દિવસ માટે પણ કામ કર્યું હોય, તેને કોઈ હાસ્યાસ્પદ ખ્યાલ જેવો લાગે....
vision41
 
 
danik bhaskar

આપણા મનની સૂક્ષ્મ લાગણીઓને કેમ ધારદાર બનાવી શકાય?Saturday, March 13, 2010 17:24 [IST]

મનને અતિ સૂક્ષ્મ કરો તો તમે ઘણું દૂર દૂરનું જોઈ શકો છો. પરંતુ તે માટે મનની અંદરની અને બહારની શાંતિ જોઈએ...



I was taught to feelPerhaps too muchThe selfsufficing power of solitude- William Wordsworth



વિલિયમ વર્ડ્ઝવર્થને કહેલું કે મને ભલે થોડું વધુ પડતું શીખવાડ્યું હોય પણ સૂક્ષ્મ લાગણી રાખવાનું માનવે શીખવું જ પડશે અને તે માટે તેણે અવારનવાર એકાંતમાં જવું પડશે. એવા જ સ્પિરિટમાં એડવર્ડ ગિબન નામનાં અંગ્રેજ વિદ્વાને કહેલું ‘તમે...

chetna111
 
 
danik bhaskar

તુમ જીઓ હજારોં સાલWednesday, March 03, 2010 13:54 [IST]

અમદાવાદ, અ-મદ અ-વાદ છે. કોઇ વાતનો તેને મદ નથી કે કોઇના વાદે ચડવાનું તેનાં લોહીમાં નથી. હા, ‘મિરાતે અહમદી’માં લખ્યા પ્રમાણે અમદાવાદ છસો વર્ષનું થયું. તેનો જન્મ ૨૬ ફેબ્રુ.૧૪૧૧નાં રોજ થયો હતો. એ તો પોતાની વર્ષગાંઠની ઉજવણીમાં સામેલ થઇ શકે એમ નહોતું એટલે ‘હેપ્પી બર્થ ડે ટુ યૂ’ એમ મનમાં બબડી બર્થ-ડે કેકના બે ટુકડા અમે અમારા પેટમાં પધરાવી દીધા. ભાવ્યા. બાળપણ યાદ આવી ગયું. બાળપણમાં માની...
28-2-10-Vinod-Bhatt-copy1
 
 
danik bhaskar

ક્રાઇંગ બર્થ, સ્માઇલિંગ લાઇફ, ડાન્સિંગ ડેથWednesday, March 03, 2010 13:01 [IST]

રામાયણ માણસને શું કરવું તે શીખવે છે અને મહાભારત માણસને શું ન કરવું તે શીખવે છે, રામાયણ માણસને જીવતા શીખવે છે અને ભાગવત માણસને મરતાં શીખવે છે. અમેરિકાનાં કેલિફોર્નિયા રાજ્યમાં ચાર-પાંચ ગુજરાતીઓ રજાના દિવસોમાં ફરવા નીકળ્યા હતા, એક જગ્યાએ રોડની વચ્ચોવચ એક બોર્ડ હતું અને એમાં સૂચના હતી કે આગળ રસ્તો નથી, પરંતુ આ લોકો ગુજરાતી હતા, એક વ્યક્તિએ બીજાને કહ્યું કે એ લોકો ભલે લખે કે આગળ...
Z-z-z-28-2-10-Moraribapu1
 
 
danik bhaskar

મોરારજી દેસાઇ : નખશિખ ભારતીયSaturday, March 13, 2010 12:13 [IST]

આ એકમાત્ર એવા ભારતીય નેતા છે જેમને બે રાષ્ટ્રોએ સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. ભારતે તેમને ભારતરત્નથી અને પાકિસ્તાને તેમને નિશાન-એ-પાકિસ્તાનથી સન્માનિત કર્યા છે.



વિલિયમ બાપુનો એક ઇ-મેઇલ છે, સાર એવો છે કે એક અમેરિકનને પૂછતાં તેણે કહ્યું કે ભારત સુંદર દેશ છે. પછી ભારતના લોકો કેવા લાગ્યા તે પૂછતાં તમેણે ફરી જણાવ્યું કે ‘કોણ ભારતીય? મને તો ગુજરાતી, મરાઠી, પંજાબી કે બંગાળી...

samudra-manthan2_ok11
 
 
danik bhaskar

મળી માતૃભાષા મને માંહ્યલાનું જતન કરવાTuesday, March 02, 2010 11:39 [IST]

માણસની માતા એકની એક જ હોય છે. માણસનો માંહ્યલો પણ એકનો એક જ હોય છે. આપણો માંહ્યલો સતત વ્યક્ત થવા તલસે છે. એ માતૃભાષામાં જ ખરેખરો વ્યક્ત થઇ શકે. માતૃભાષા તો આપણા માંહ્યલાની માવજત કરનારી ‘હૃદયભાષા’ છે. માતૃભાષાના રક્ષણ માટે શહીદ થયેલા બહાદુર લોકોનું સ્મારક તમને ઢાકા સિવાય બીજે જોવા નહીં મળે. પશ્વિમ પાકિસ્તાનના શાસકો પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમો પર ઊર્દૂ લાદવા માગતા હતા...
Z-z-z-28-2-10-Vicharona-Vri1
 
 
danik bhaskar

મંત્રણા માટે નાલાયક પાકિસ્તાનને ત્રાસવાદની આણ છેFriday, March 12, 2010 18:22 [IST]

ભારત અને પાકિસ્તાન મંત્રણા કરે તો ત્રાસવાદીઓના પેટમાં ચૂંક આવે છે, એટલે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દિલથી ઇચ્છે તો પણ કટ્ટરવાદીઓ કદી મંત્રણા સફળ થવા દેશે નહીં.



ભારતના સચિવ નિરુપમા રાવ અને પાકિસ્તાનના સલમાન બશીર વચ્ચે સચિવ સ્તરની મંત્રણા અપેક્ષા અનુસાર નિષ્ફળ નીવડી છે. મુંબઈમાં ૨૬-૧૧ના પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી હુમલા બાદ મનમોહન સરકારે કડક વલણ...

why-shake-hand-with-pak-ok11
 
 
danik bhaskar

મને જે આવડે છે તે પરીક્ષકે પૂછ્યું નહીં!Friday, March 12, 2010 13:03 [IST]

નગરજીવનમાં સર્વિસ કરતી દરેક સ્ત્રીની આ મૂંઝવણ અને સમસ્યા છે. સ્ત્રી જીવનની આ સિવાયની તો અનેક સમસ્યાઓ છે. પણ પોતાનાં સંતાન સાથેના સવાલોમાં તે બાંધછોડ કરવા માગતી હોતી નથી.



સ્મિતાનું ઓફિસમાં ન હોવું એટલે ફૂલોએ સુગંધને તલ્લાક આપી હોય એવું લાગે. ઘણાં માણસોનું વ્યક્તિત્વ જ એવું લોહચુંબકીય હોય કે તેની ક્ષણે ક્ષણની નોંધ લેવાતી હોય અથવા તો તેની હાજરીની હૈયામાં સતત પ્રતીતિ થયા...

Z-z-z-21-2-10-Raghavji-Madh11
 
 
danik bhaskar

બાળકો માટે સંઘર્ષ અને મૃત્યુનો અર્થWednesday, March 10, 2010 12:27 [IST]

બાળક પૂછે છે : ‘શા માટે લોકો મરી જાય છે? હું નથી ઇચ્છતો કે લોકો મરી જાય.’ એના કાકા પાસે કોઈ જવાબ નથી. એ માત્ર એટલું જ કહી શકે છે: ‘તું મોટો થશે ત્યારે તને બધું સમજાઈ જશે.’



મહાન ગ્રીક લેખક નિકોસ કઝાનત્ઝાકિસે (૧૮૮૩-૧૯૫૭) ‘રિપોર્ટ ટુ ગ્રેકો’ નામની નવલકથા લખી છે. એ નવલકથામાં એમણે એમના જીવનની વિગતોનું નિરૂપણ કર્યું છે. એમાં એમણે એમના બાળપણની વાતો પણ અદ્ભૂત સર્જનાત્મકતા સાથે...

dubki-111
 
 
danik bhaskar

કન્ટ્રોવર્સી + ક્વોલિટી = સક્સેસ... યે બાત તો પક્કી!Tuesday, March 9, 2010 16:23 [IST]

ફિલ્મ સફળ થતાં જ ગેલમાં આવી ગયેલા શાહરુખ ખાન-કરણ જોહર કેમ્પે જોરશોરથી ઢોલ-નગારાં-પડઘમ વગાડવા માંડ્યાં. દુનિયાભરમાં એકસાથે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા ત્રણ જ દિવસમાં ૯૦.૨ કરોડ રૂપિયાનો વકરો કરીને ભારતીય સિનેમાનો ‘ધ બિગેસ્ટ એવર થ્રી-ડે કલેક્શન વર્લ્ડવાઈડ’નો રેકર્ડ પોતાના નામે કરી લીધો છે ને એવું ગાઈવગાડીને કહેવામાં આવ્યું. આ દાવાથી સુપર ઈડિયટ આમિર ખાન ગિન્નાયો છે અને...

maltiplex111
 
 
danik bhaskar

આનંદ, પરમાનંદ અને અત્યાનંદMonday, March 8, 2010 18:25 [IST]

મન જ્યારે વિચારશૂન્ય થઈ જાય છે ત્યારે બહારના સ્થૂળ પદાર્થોનું મહત્વ રહેતું નથી. આ અવસ્થામાં બધી જ ઈન્દ્રિયો મનમાં લીન થઈ જાય છે અને તેને ‘બ્લિસ’ કહે છે.

BLISSTake me o mother to those shoreswhere strifes forever ceaseBeyond all sorrows beyond tearsBeyond all every earthly-blissMay the wind blow us blissMay the days be blissfull on usAnd the night approach blissfullyAnd blissfully the dawn glowSwami Vivekanand

હરખે આંખલડી ભીંજાય રે, નેહે નેણ નમેરે, મારા ડાબા ફરુકેસે અંગરે... ભાઈની બહેન તેના પુત્ર કે પુત્રીનાં લગ્નની કંકોત્રી...

chetna-5111
 
 
danik bhaskar

મહેમાન થવામાં મઝા છેSunday, March 7, 2010 12:03 [IST]

પૃથ્વી ઉપર જન્મ ધારણ કરીને આવતો દરેક જીવ મહેમાન છે અને જગદીશ યજમાન છે, પરંતુ આપણે નાદાનિયતમાં યજમાનભાવ ધારણ કરી લઇએ છીએ...



શ્રીમદ્ ભાગવત કુલ બાર સ્કંધ અને અઢાર હજાર શ્લોકમાં પથરાયેલી કૃષ્ણકથા છે, જેનાં દસમ્ સ્કંધમાં કુલ નેવું અઘ્યાય છે. એકથી ઓગણપચાસ અઘ્યાયનો પૂર્વાધ છે, પચાસથી નેવું સુધીનો ઉતરાર્ધ છે, પૂર્વાધનાં એકત્રીસમા અઘ્યાયમાં ગોપીગીતની કથા છે.



ભગવાન કૃષ્ણ...

Z-z-z-21-2-10-Manas--Darsha11
 
 
danik bhaskar

દેશના ભાગલા એક કે અનેક વચ્ચે પસંદગીSaturday, March 6, 2010 12:18 [IST]

લોર્ડ માઉન્ટબેટને અનેક પ્રસંગોએ પોતાની વાત સરદારને કેમ દબાણપૂર્વક સમજાવી અને મનાવી લીધા તેનું વર્ણન કર્યું છે, પણ તેમાં સત્ય અલ્પ અને આત્મશ્લાઘા સવિશેષ રહ્યાં છે.



આઝાદીનાં વધામણાં અને ભાગલાની ભયાનકતા એકીસાથે આગળ વધતાં હતાં. ‘પંજાબ અને બંગાળના વિભાજન સિવાય કોઇ વિકલ્પ નથી’ તેવા અંગ્રેજી શાસનના વિધાન સાથે કોંગ્રેસ અને મુસ્મિલ લીગ સહમત થતાં જતાં હતાં. પંજાબના ભાગલાની...

Sadar-Patel11
 
 
danik bhaskar

ઇસ મઝધાર મેંFriday, February 26, 2010 13:47 [IST]

મન્ટો હંમેશાં કહેતા, ‘તમે મને કોઇ એક વાક્ય કહો હું વાર્તા લખી નાખીશ.’ આ રીતે મૃત્યુના મુખમાંથી જ્યારે ઘરે પાછા ફર્યા ત્યાર પછીના ચાલીસ દિવસોમાં તેમણે ચાલીસ વાર્તાઓ લખી હતી. મન્ટો એ સમયના ખૂબ જાણીતા વ્યક્તિ હતા. કળાની દ્રષ્ટિએ એ પોતે જ પોતાનો જવાબ હતા. એમની ભાષામાં સાદગી હતી, અસર હતી, પાત્રોમાં આક્રોશ અને જુસ્સો હતો, વાર્તા લખવાની રીતમાં ગઝલોનો ઢાળ હતો, તેની અલગ મીઠાશ હતી. આ તમામ...
manto-by-kd1
 
 
danik bhaskar

પુત્રને પિતાનો પત્રWednesday, February 24, 2010 19:02 [IST]

અમિતાભ આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ થયા અને આજે એમના અવાજ પાછળ દુનિયા ફિદા છે. રંજીવી મૌલિક મજામાં હશે, જોકે મને વિશ્વાસ છે કે મારી અને તારી મમ્મીની એમ બંનેની મજા બગડી જાય છતાં તારી મજાનો વાળ વાંકો થવાનો નથી. બેટા, તારું નામ મૌલિક પાડવાનું કારણ એવું છે કે ક્યારેક કોઈ નિવેદન કરે કે જગદીશ ત્રિવેદી મૌલિક નથી તો હું છાતી ઠોકીને કહી શકું કે મૌલિકનો બાપ છું. આમ પણ મૌલિક લેખક થવા...
illustration1
 
 
danik bhaskar

ગુજરાતી ભાષા-વંદન અને વર્ચસ્વFriday, March 5, 2010 11:24 [IST]

ભાષા માત્ર સાહિત્યિક તત્વ નથી. ભાષાનો વ્યાપક સંગ તો ભાષકોની સામાજિક-રાજકીય-આર્થિક જરૂર ઉપર આધારિત છે.



આપણે ગુજરાતી લોકો પાંચસોએક વર્ષથી ગુજરાતી ભાષા બોલીએ છીએ, તેમાં પણ આજે જે પ્રકારની ભાષા બોલીએ છીએ તે તો છેલ્લાં બસોપચાસ વર્ષથી જ અસ્તિત્વ ધરાવે છે. ગુજરાત પ્રદેશમાં લોકો લોથલ-ધોળાવીરાથી એટલે કે છેલ્લાં પાંચ હજાર વર્ષથી વસે છે તેવું ઐતિહાસિક હકીકતો કહે છે.



કદાચ...

samudra-manthan311
 
 
danik bhaskar

સંપ્રદાય: જરૂરી-કમ-બિનજરૂરીWednesday, March 3, 2010 14:14 [IST]

સંપ્રદાય ભક્તિમાર્ગના પહેલા પગથિયા તરીકે ઉપયોગી બની શકે. પણ વાત જ્યારે ભક્તિની આવે, અંતર્યાત્રાની આવે, અહમને ઓગાળવાની આવે, ‘હું’માંથી મુકત થવાની આવે, ત્યારે માણસે સંપ્રદાયથી ઉપર ઉઠવું પડે.



ગયા લેખમાં ગુરુની ભૂમિકાની વાત કરી. હવે વાત કરીએ સંપ્રદાયની. ધર્મ-કોમ-સંપ્રદાય... આ બધા વિના માનવજાતને ચાલતું નથી. અને એ સમજી શકાય તેવું છે. સંપ્રદાય એટલે કે જૂથ માણસને એક ઓળખ પૂરી પાડે...

hands_of_god111
 
 
danik bhaskar

પૈસાદાર માણસની ગરીબીનો ચળકાટMonday, February 22, 2010 11:43 [IST]

ટેક્નોલોજીનું બીજું નામ ‘સગવડોલોજી’ છે. યંત્રોની કૃપા અને અવકપાને કારણે પેઢી-દર-પેઢી લોકોનો બેસવાનો સમય વધતો જ જાય છે. એકવીસમી સદીનો આધુનિક માનવ એટલે બેઠાડુ માણસ. એમ કહેવાય છે કે ઇજિપ્તની મહારાણી ક્લીઓપેટ્રા ખાસા સમય સુધી પલંગ પર સૂઇ રહેતી. એ મહેલના બીજા ઓરડામાં જવા ઇચ્છે, ત્યારે નોકરો પલંગ ઉપાડીને રાણીસાહિબાને લઇ જતા. મૃત્યુ પછી કબરમાંથી બહાર કાઢીને એના શબ સાથે સંભોગ કરવામાં...
Z-z-z-21-2-10-Vicharona-Vri1
 
 
danik bhaskar

માઓવાદ અને મૂડીવાદની લડાઇમાં મલ્ટિનેશનલ કંપનીઓને મલાઈ ખાવી છેTuesday, March 2, 2010 19:15 [IST]

માઓવાદીઓ કહે છે કે મનમોહન અને ચિદમ્બરમની સરકાર જંગલની ખનીજથી સમૃદ્ધ જમીન ખનીજના ઉત્ખનન માટે મલ્ટિનેશનલ કંપનીઓને આપવા ઇચ્છે છે, પણ અમે આ આદિવાસીઓના હક્કની જમીન પરથી નહીં હટીએ અને મૂડીવાદીઓને નહીં ફાવવા દઈએ...



આ દેશમાં ત્રાસવાદ કરતાં વધુ નિર્દોષ નાગરિકો અને પોલીસમેન નક્સલવાદ અને માઓવાદની લડાઈમાં મૃત્યુ પામ્યા છે. માઓવાદીઓ ભુરાયા થયા છે. છેલ્લા દસ દિવસમાં પશ્વિમ બંગાળ અને...

naksal___11
 
 
danik bhaskar

ન્યૂ યોર્ક : સિટી ઓફ ઇમિગ્રન્ટ્સTuesday, March 2, 2010 12:00 [IST]

લગભગ લંડનને મળતી આવતી બાંધણી ધરાવતા ન્યૂ યોર્ક સ્ટેટ અને ન્યૂ યોર્ક સિટી બંનેને ૧૭મી સદીથી ડ્યુક ઓફ યોર્કના નામ પરથી ઓળખવામાં આવે છે



સ્વપ્નાની કેડી કંડારીને આગળ આવવા માગતા અનેક નવયુવાન-યુવતીઓની સ્વપ્ન નગરી એટલે મુંબઇ, તેવી રીતે પ્રગતિનો પથ કંડારવા પરદેશ જઇ વસવાટ કરવા ઇચ્છુક, સ્થાયી થવાની આશા લઇને જયારે કોઇ પણ વ્યક્તિ અમેરિકા તરફની ઉડાન ભરે એટલે સૌ પ્રથમ યાદ આવે ન્યૂ...

liberty11
 
 
danik bhaskar

લાડકી દીકરી શર્વરીSunday, February 28, 2010 12:16 [IST]

સંબંધો હતા, ગાઢ મિત્રતા હતી. એક ફ્રેન્ડશિપ હતી પણ તેના દરવાજા નિશ્વિત હતા. સમય અને સ્થળ આવ્યે તે બંધ થઇ જવાના હતા. મર્યાદાની એક સીમાએ આવીને ઊભા રહી જવાના કે અટકી જવાના હતા. વળી, તેમાં એવું કશું જ ઊભું થયું નહોતું કે તે જીવન કે મેરેજલાઇફમાં મુશ્કેલી ઊભી કરે !

શર્વરીના મન આ બહુ મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્નનું લગભગ નિરાકરણ જ નથી તેવું તેને લાગે છે. પ્રશ્ન નહીં ઉકેલે તો પોતાની જિંદગી...

Z-z-z-7-2-10-Raghavji-Madha1111
 
 
danik bhaskar

ગર્ભવતી પૌલોમી!Friday, February 26, 2010 17:05 [IST]

આકારને એક ક્ષણ તો થયું કે પૌલોમી જે કહે છે તે ક્યારેય સાચું હોઇ જ ન શકે અને સાચું હોય તો પોતે તેમાં દોષિત છે નહીં. પૌલોમી કોઇ બીજાનું પાપ પોતાના માથ ઓઢાડે છે.અને આમ પૌલોમીએ પોતાની સાથે દગો કર્યો છે. ભલે મરે પણ તેના મિત્રએ જણાવ્યું કે પેટ જાણે પાપ અને મા જાણે બાપ... એક વખત લખીને મરશે તો પછી બચવાનો કોઇ જ ચાન્સ નહી રહે. તેથી એક વખત તો પૌલોમીને હાથ કરી લે, બચાવી લે, બાકીનું પછી જોયું...

Z-z-z-14-2-10-Raghavji-Madh11
 
 
danik bhaskar

અહમનું વિસર્જન કરવું હોય તો...Friday, February 26, 2010 14:39 [IST]

સંપત્તિ હોય ત્યાં જ સમજણ હોય એવું નથી ક્યારેક ગરીબની સમજણ અમીરની સમજણ કરતાં ઊચા આસન ઉપર બેઠી હોય છે



બે વર્ષ પહેલાં હનુમાન જયંતી ઉપર એક દેવીપૂજક પરિવાર મને મળવા આવ્યો, એના મોભીએ મને એક વાત કરી એ વિચારવા જેવી છે, એમણે કહ્યું કે અમારી વિચરતી જાતિ છે, ભટકતી કોમ છે, અમે સરનામા વગરના ઘરમાં રહીએ છીએ પરંતુ આજ દિવસ સુધી અમારી જ્ઞાતિના એક પણ માણસે ધર્મપરિવર્તન કર્યું નથી.



અમને...

Morari-bapu11
 
 
danik bhaskar

અનિવાર્ય સંજોગોને કારણે...Saturday, February 27, 2010 18:58 [IST]

એક તો બિચારીથી પથારીમાંથીય ઉઠાતું નથી તો પણ તે ચોરી જોવા માટે કષ્ટ વેઠીને આવે ત્યારે એના હાથમાં તમારે પંદરસો એક મૂકવાના અને સાથે મારી કાકીને અગિયારસો અગિયાર આપવાના...

જેને પારસીઓ કબૂતરાં કહે છે તે કમુરતાં ઊઠી ગયાં છે અને લગ્નગાળો પુરબહારમાં શરૂ થઇ ગયો છે. આ વખતે કદાચ પહેલી વાર વસંત પંચમીએ લગ્ન માટેનું એક પણ મુહૂર્ત નહોતું એટલે આ વસંત પંચમીએ કોઇને પરણવા ન દીધા. જોકે...

14-2-10-Vinod-Bhatt-copy111
 
 
danik bhaskar

ભાગલાની વ્યૂહરચનાWednesday, February 24, 2010 13:09 [IST]

૧૯૧૭થી આઝાદી માટે ઝઝૂમતા સરદારે હવે આઝાદ દેશને છિન્નભિન્ન થતો અટકાવવાનો જટિલ પ્રશ્ન ઉકેલવાનો હતો.



ઈંગ્લેન્ડમાં રચાયેલી મજૂરપક્ષની સરકારે લોર્ડ વેવેલને પાંચ હિંદી આગેવાનો સાથે લંડન આવવા સંદેશો મોકલ્યો. આ પાંચ આગેવાનોમાં ગાંધીજીનું નામ સામેલ કરવામાં આવ્યું ન હતું. બ્રિટિશ સરકારે પંડિત નહેરુ, સરદાર પટેલ, લિયાકત અલીખાન, ઝીણા અને બલદેવસિંહને નિમંત્રણ પાઠવ્યું હતું....

sardar-patel11
 
 
danik bhaskar

મોદી, મુખરજી અને મોંઘવારીTuesday, February 23, 2010 13:21 [IST]

મનીષા દસ વરસની થઇ છતાં પાંચ વરસની હોય એવી લાગે છે. મેં કહ્યું એનું નામ મનીષાને બદલે મોંઘવારી કરી નાખ. ત્યાર બાદ તે કૂદકે-ભૂસકે વધશે.



હોળીને હજુ બે અઠવાડિયાની વાર છે, પરંતુ મોંઘવારીની હોળી લાંબા સમયથી સળગે છે. આપણે જીવનને જોવાનો દ્રષ્ટિકોણ થોડો બદલી શકીએ તો હોળીની જગ્યાએ દિવાળીનો અનુભવ કરી શકીએ. દાખલા તરીકે અત્યારે તમે વાંચી રહ્યા છો એ ક્ષણે જ આ દુનિયામાં અસંખ્ય માણસો છેલ્લો...

14-2-10-Jagdish-Trivedi--co11
 
 
danik bhaskar

તગડું હૃદય રાખી જીવનને મોજથી બોજ વગર જીવવાનો મંત્રMonday, February 22, 2010 12:02 [IST]

ઈમ્મેચ્યોર લવ કહે છે કે ‘આઈ લવ યુ બિકોઝ આ નીડ યુ’ પણ મેચ્યોર લવ કહે છે ‘આઈ નીડ યુ બીકોઝ આઈ લવ યુ.’



કભી આકાશ પર કાન રખકર સુનોવહાંસે અહોરાત્ર એક પુકાર આ રહી હૈજીવન કી અમરતા કા દેવયાનમૃત્યુંજય હોના હી દૈવત્વ હૈઔર મૃત્યુંજય હોને કે લિએઅપને પદાર્થ સ્વરૂપ કો બાસી વસ્ત્રો સાઅપને પર સે ઉતાર દોકહાં તક ઢોઓગે યહ દ્રવ્ય બોઝ?ક્યોં નરિ અપને સ્વત્વ કી ભાસ્વરતા કોપ્રકાશ પંખો કે સાથ,...

couple-hands11
 
 
danik bhaskar

પૃથ્વીનું સ્મિત પુષ્પ ખીલે ત્યારે જોવા મળેSunday, February 21, 2010 12:13 [IST]

પુષ્પ સ્વભાવે પ્રસન્નતાનું પરબ્રહ્મ છે. ધરતીમાંથી ઘણું બધું ઊગે છે, પરંતુ ભગવાનને થયું કે લાવ કવિતા ઉગાડું અને એણે પુષ્પનું સર્જન કર્યું. વિશ્વના અન્ય કોઇ ગ્રહ પર પુષ્પ નથી ઊગતું.પુષ્પનું મધુ પામવા માટેની પાત્રતા કેવળ પતંગિયા પાસે જ હોય છે. મનુષ્ય ગુલાબમાંથી ગુલકંદ બનાવી શકે, અત્તર બનાવી શકે અને ગુલાબજળ બનાવી શકે, પરંતુ ગુલાબનું મધુ નહીં પામી શકે. લોકો વાતવાતમાં કહે છે કે...

Rose11
 
 
danik bhaskar

બાળ ઠાકરે મર્દ છે કે મહારાષ્ટ્ર સરકાર નપુંસક?Saturday, February 20, 2010 16:10 [IST]

બાળ ઠાકરેનો રાજકીય ટ્રેક રેકર્ડ ચકાસો તો માલૂમ પડશે કે મહારાષ્ટ્ર કે મુંબઈ માટે બાળ ઠાકરેએ કદી પ્રગતિશીલ એજન્ડાની વાત જ નથી કરી. વાચક તરીકે તમને કોઈ પોઝિટિવ વાત યાદ આવે છે ? બાળ ઠાકરે હંમેશાં તડ અને ફડ કરી પોતાનો મત આપે છે. પોતાનું ધાર્યું સાચું છે એમ કહી પોતાનો કક્કો ખરો કરાવવાનો પ્રયાસ કરે છે. બાળ ઠાકરેનું રાજકારણ નકારાત્મક છે. ધાક-ધમકી, દાદાગીરી અને પોલિટિકલ બ્લેક મેઈલિંગ...

Untitled-212
 
 
danik bhaskar

શિક્ષક એ માસ્તર નથી, ‘માસ્ટર’ છેSaturday, February 13, 2010 19:14 [IST]

આ તો છે રાજા ભાવસિંહજીની મોટાઇ. બાકી સૌરાષ્ટ્રમાં તો કૂતરાની જાન જોડવા પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખનાર રાજા જીદે ચડ્યો હોય તો એક માસ્તરના જીવની શી વિસાત! શાળામાં તો શિક્ષક જ વિદ્યાર્થીનો સાચો વાલી છે, એટલે પોતાના વિદ્યાર્થી સાથે, પોતાને ચમરબંધી સમજનાર મોરારજીભાઇ દેસાઇ જેવો માણસ પણ જો તોછડાઇથી વર્તે તો તેમને પણ શિક્ષક કટ ટુ સાઇઝ માપ પ્રમાણે વેતરી શકે. કવિઓની પેઠે કેટલાક...
7-2-10-Vinod-Bhatt-copy1
 
 
danik bhaskar

ટાગોર પુરસ્કારથી વિભૂષિત ભગવાનદાસની ‘લોકયાત્રા’Saturday, February 13, 2010 18:59 [IST]

દિલ્હીની સાહિત્ય અકાદમીએ આ વર્ષથી જાહેર કરેલો ‘ટાગોર પુરસ્કાર’ ભગવાનદાસને એમના પુસ્તક ‘મારી લોકયાત્રા’ (૨૦૦૬) માટે મળ્યો છે સાબરકાંઠા જિલ્લાના જામળા ગામે તા.૧૯-૧૧-૧૯૪૩ને દિવસે જન્મેલા ભગવાનદાસ પટેલ ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ’ વિષય સાથે પીએચ.ડી થયા. એમણે માઘ્યમિક શિક્ષણનું ક્ષેત્ર છોડ્યું નહીં તેથી એમના લેખનમાં પાંડિત્યનો બિનજરૂરી ભાર ઉમેરાયો નહીં....
RAS-Photo1
 
 
danik bhaskar

રાષ્ટ્રવિકાસનું સૂત્ર ‘અમે કરી શકીએ જ’Friday, February 19, 2010 19:10 [IST]

ભારતીયો કદાચ ગરીબ હશે, પણ ભારત ગરીબ છે જ નહીં. આપણી કુદરતી સંપત્તિ, કલા, વારસો, સ્થાપત્ય, સંગીત, ખોરાક, પહેરવેશ તરફ દ્રષ્ટિ કરીએ તો જણાશે કે આપણી પાસે ઘણી બધી અસ્કયામતો છે.

ભારતમાં લોકોની જાગીરી (સરંજામી) પદ્ધતિના માનસે (મનોવલણે) સામાન્ય નાગરિક ધારાની પ્રગતિને રૂંધી છે. લોકોએ કૌટુંબિક મૂલ્યો પ્રાચીન રિવાજો અને ધાર્મિક માન્યતાઓની ઉપેક્ષા કરવી જોઇએ એવી હું હિમાયત કરતો નથી,...

vision-211
 
 
danik bhaskar

મિત્ર નામની કમજોરી ધરાવતા મન્ટોFriday, February 19, 2010 13:45 [IST]

મન્ટોનું નામ ઉદ્દૂ સાહિત્યમાં આદરપૂર્વક લેવાય છે. તેમની ટૂંકી વાર્તાઓ ક્રાંતિકારી છે.



થોડા દિવસો પહેલાં જ મન્ટોની પુણ્યતિથિ (૧૮ જાન્યુઆરી)ગઈ છે ત્યારે એ નિમિત્તે તેમને થોડા યાદ કરી લઈએ. લોકો મન્ટોને ‘બૂ’, ‘ખોલ દો’ અને ‘ ઠંડા ગોશ્ત’ જેવી ધારદાર ટૂંકીવાર્તાના સર્જક તરીકે ઓળખે છે, પણ અહીં મન્ટોના સાહિત્યની નહીં, પણ તેમના મિત્રવર્તુળની વાત કરવી છે.



તેઓ...

Saadat_hasan_manto[1]11
 
 
danik bhaskar

સ્વશૌચાલય સૌનો જન્મસિદ્ધ અધિકાર છેWednesday, February 17, 2010 14:10 [IST]

શૌચાલય એવું સ્થાન છે જ્યાં નાત, જાત, ધર્મ, ભાષા કે પ્રદેશની સંકુચિતતાને સ્થાન નથી, સંસારમાં સામ્યવાદનાં પ્રચારનું શ્રેષ્ઠ સ્થાન શૌચાલય છે.



પાલનપુરમાં થોડા દિવસો પહેલાં શૌચાલયનું ઉદ્ઘાટન થયું, આપણે ત્યાં સંડાસનું ઉદ્ઘાટન પણ સમાચાર બને એનો અર્થ એવો થાય કે આપણે માણસની અનિવાર્ય જરૂરિયાત માટે સજાગ થયા છીએ પરંતુ એને દરેક ઇન્સાન સુધી પહોંચાડી શક્યા નથી, વિદેશમાં આવા ઉદ્ઘાટન...

7-2-10-Jagdish-Trivedi-----11
 
 
danik bhaskar

તંત્ર ગોઠવવાની,ચલાવવાની સરદારને સારી ફાવટ હતીTuesday, February 16, 2010 12:53 [IST]

કોંગ્રેસ-લીગની મિશ્ર સરકારના કાર્યકાળ દરમિયાન દેશની પરિસ્થિતિ ખૂબ ઝડપથી વણસી રહી હતી. નોઆખલી બિહારના આતંક બાદ ઉત્તરપ્રદેશના ગઢમુકતેશ્વરમાં ૧૦૦૦ જેટલા મુસલમાનોની હત્યાએ દેશમાં ચિંતાનું મોજું પ્રસરાવી દીધું. દેશવાસીઓમાં હિંસા-વેર અને ભયની લાગણીમાં તીવ્ર વધારો થયો ત્યારે લોકોને નીચેની વેદવાણીનું સત્ય સમજાવવા માટે એક ૭૭ વર્ષનો વૃદ્ધ એકલો અટૂલો લાંબા વાંસની લાકડીના ટેકે...

sardarpatel_in_office11
 
 
danik bhaskar

ગુજરાતમાં નારીચેતનાMonday, February 15, 2010 12:16 [IST]

ભારતમાં ઓગણીસમી સદીના બીજા ભાગમાં બ્રિટિશ સામ્રાજ્યે પાશ્ચાત્ય પવન મુજબ વ્યવસ્થાતંત્ર શરૂ કર્યું અને નારીચેતનાનો પ્રારંભ થયો



આજથી એક મહિના પછી આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય નારી દિન આવશે. આ લેખ એક મહિનો વહેલો લખવાનો આશય આ સમયગાળામાં થોડું વિચારમંથન થાય, નારીના સ્થાનમાં બદલાવ લાવવા માટેના નક્કર કાર્યક્રમો વિચારાય, માત્ર ‘હમ હોંગે કામયાબ’ ગીત ગાઇને બધા વિખેરાઇ ન જાય,...

samudra--4_New11
 
 
danik bhaskar

ક્યારેક આવું, ક્યારેક તેવુંTuesday, February 09, 2010 14:23 [IST]

જીવનમાં ક્યારેક વીણાગાન સંભળાય છે તો ક્યારેક હૈયાફાટ રુદન સાંભળવું પડે છે. ક્યારેક વિદ્વાનો ચર્ચા કરે છે તો ક્યારેક લોકો છાકટા થઇ ઝઘડો કરે છે. ક્યારેક સુંદરીનો સાથ મળે છે તો ક્યારેક શરીર જર્જરિત થઇ જાય છે.ક્યારેક આવું ને ક્યારેક તેવું તેના પરથી ભર્તુહરિ ઋષિ બોલી ઊઠ્યા કે સમજાતું નથી કે સંસાર અમૃત છે કે ઝેર? પગાર વધારો થાય તો અમૃત ને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો ઝેર સમાન. આવું...
 
 
danik bhaskar

વર્ક-કલ્ચર ખીલે તો ગરીબી ટળેSunday, February 14, 2010 11:59 [IST]

દેશને જરૂર છે અન્યથી જુદા પડી આવે એવા પ્લમ્બરોની, લુહારોની, શિક્ષકોની, ખેડૂતોની, કલેક્ટરોની, કુલપતિઓની, પ્રધાનોની, સફાઇ કામદારોની અને કર્મશીલોની. જેઓ જુદા પડી આવે, તેઓ પાસે એવું શું હોય છે? તેઓ પાસે ‘વર્ક-કલ્ચર’ હોય છે, જેને કારણે તેમનું કર્મ વૈતરું મટીને કર્મનિષ્ઠામાં ફેરવાઇ જાય છે.

વર્ષો પહેલાં મુંબઇના વિક્ટોરિયા ટર્મિનસથી ઊપડતા સિકંદરાબાદ એક્સપ્રેસમાં હૈદરાબાદ...

Z-z-y-7-2-10-Vicharona-Vrin111
 
 
danik bhaskar

શિક્ષણ એટલે પ્રતિમામાં પ્રતિભાનું પ્રતિષ્ઠાનSaturday, February 13, 2010 19:20 [IST]

મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વખતે જે પવિત્રતા અને પૂજ્યભાવથી એક પંડિત વિધિ કરે છે એવા જ પવિત્ર અને પ્રેમભાવથી શિક્ષક જ્યારે વિદ્યાદાન કરશે ત્યારથી વિદ્યાલય સાચા અર્થમાં દેવાલય બની જશે.



મને શિક્ષણ વિશે લખવાનો અધિકાર છે કે મારી એના માટે યોગ્ય લાયકાત છે એવું નથી પરંતુ મારા અનુભવ અને માનસમંથનમાંથી મને શિક્ષણ માટે જે યોગ્ય લાગ્યું છે એ વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ...

manas-darshan11
 
 
danik bhaskar

ઇડિયટ મત બનો - ડોન્ટ ક્વિટSunday, February 07, 2010 11:22 [IST]

આજકાલ ‘૩ ઇડિયટ્સ’ નામની આમિર ખાનની ફિલ્મમાં એક ‘ઇડિયટ... આઇ ક્વિટ’ કહીને આત્મહત્યા કરે છે. આ ફિલ્મના પ્રભાવમાં દેશમાં સંખ્યાબંધ બાળકોએ ‘કોપી કેટ સ્યૂસાઇડ’ કર્યા છે...દુનિયાના તમામ સફળ મહાનુભાવોએ નિષ્ફળતાનો અનુભવ લીધો હશે. નિષ્ફળતા એ સફળતાની પૂર્વશરત છે. જિનિયસ કદી નિષ્ફળતાથી ડરતા નથી. જિનિયસ માટે નિષ્ફળતા એ સફળતાનો વિરોધી શબ્દ નથી. નિષ્ફળતા એ સફળતાની પહેલી સીડી છે....
Untitled-121
 
 
danik bhaskar

ટાઇમ મેનેજમેન્ટની માયાSaturday, February 13, 2010 18:58 [IST]

ભારતના એક વખતના વાઇસરોય લોર્ડ કર્ઝનને ભારતીય સંગીતના કાર્યક્રમનું આમંત્રણ મળ્યું. તેઓ આપેલા સમય મુજબ રાત્રે નવ વાગ્યે પહોંચ્યા. કોઇ તબલાંની ઠોક મેળવતું હતું તો કોઇક સીતારના તારના સૂર મેળવતું હતું. કોઇક બેઠક વ્યવસ્થા ગોઠવતું હતું. લોર્ડ કર્ઝને નિયત સમયે એટલે કે સાડા નવે ઊભા થઇ ભાષણ આપ્યું, ‘ભારતીય સંગીત ભવ્ય છે, તેનો વારસો અમૂલ્ય છે.’ ભાષણ પૂરું કરી આયોજકોનો આભાર માની ચાલી...

samudra-mantyhan11
 
 
danik bhaskar

સરદારે પહેલીવાર ગાંધીજીના ચરણસ્પર્શ કર્યાSaturday, February 13, 2010 11:56 [IST]

આઝાદી સમયે પંડિત નહેરુ અને સરદારે નજીકમાં જ રહેણાકો પસંદ કર્યા હતાં. તેમના વચ્ચે શરૂઆતમાં સારો મનમેળ રહ્યો. પંડિત નહેરુ સવાર-સાંજ ચાલીને સરદારને મળવા જતા અને બંને વચ્ચે સરકારના સંચાલન માટે વિગતે વાતચીત થતી હતી.



૧૯૪૬માં ફરી કોંગ્રેસ પ્રમુખપદ સંભાળતા સાથે જ પંડિત નહેરુએ જે વિધાનો કર્યાં તેથી મોટો વિવાદ ભડકી ઊઠયો. જવાહરલાલે કહ્યું કે ‘કોંગ્રેસ તમામ સમજૂતીઓ અને કરારથી...

Sardar-Patel12
 
 
danik bhaskar

અમિતાભની એક્ટિંગમાં સચ્ચાઈ નથી?Friday, February 05, 2010 16:49 [IST]

અમિતાભ ઉવાચ: ‘હું નસીરનો જબરદસ્ત પ્રશંસક છું. તેમણે મારા વિશે જે વાત કરી છે તેનો હું વિરોધ તો શું, નાની કમેન્ટ પણ ન કરી શકું. મારે માત્ર નતમસ્તક ઊભા રહેવાનું હોય! ‘પા’ પછી અમિતાભ બચ્ચનને ચમકાવતી ફિલ્મ ‘રણ’ રિલીઝ થઈ. ‘રણ’માં ટેલિવિઝન મીડિયા અને ચેનલવોર કેન્દ્રમાં છે. અહીં ‘રણ’ એટલે રેગિસ્તાન નહીં પણ યુદ્ધનું મેદાન, રણભૂમિ. અંગત રીતે અમિતાભ બચ્ચન મીડિયા સાથે વિચિત્ર સંબંધ ધરાવે છે....
amitabh-bachchan1
 
 
danik bhaskar

આ ‘દિવંગત’ ક્યાં આવ્યું?Friday, February 12, 2010 17:13 [IST]

પોલીસ એટલે પોલીસ. તે ભલે યુનિફોર્મમાં ન હોય, સિવિલ ડ્રેસમાં હોય તો પણ તેને જોઇને હું નર્વસ થઇ જઉ છું. ઘેર પોલીસના અણધાર્યા આગમનથી માનવ નામનું સામાજિક પ્રાણી ખાસ રાજી થતું નથી.



સવારે હું સ્નાન કરતો હતો ત્યાં પત્નીએ બાથરૂમનું બારણું ખખડાવી પૂછ્યું કે કહું છું, સાંભળો છો? મને એમ કે કોઇ નાહવાના સમાચાર હશે એટલે તેણે બે ટમ્બલર વધારે પાણી શરીર પર રેડવાની સૂચના આપવા બારણું...

31-1-10-Vinod-Bhatt11
 
 
danik bhaskar

મફતનું જમવાની મઝાWednesday, February 10, 2010 16:39 [IST]

વરરાજા સુરતના અને કન્યા નવસારીની છે તો પછી અહીં બારડોલીમાં લગ્ન રાખવાનું શું કારણ છે તે કૃપા કરીને જિજ્ઞાસુને જણાવો, ત્યારે પેલાએ ફોડલો ફોડ્યો કે લગ્નની વાડી બારડોલીમાં મળી એટલે બારડોલી આવ્યા.



વરસે શિયાળામાં એટલાં બધાં લગ્નો થયાં તે જોઇને એમ લાગે કે ૨૦૧૨માં ખરેખર પૃથ્વીનો પ્રલય થવાનો છે અને અત્યારે પરણનારા પૃથ્વીનો નાશ થાય તે પહેલાં બે-ત્રણ વરસ લગ્નનો લહાવો લેવા માગે...

31-1-10-Jagdish-Trivedi111
 
 
danik bhaskar

માણસ, મજૂસ, ટી.વી, કમ્પ્યૂટરTuesday, February 9, 2010 14:38 [IST]

પાડોશીના ઘરમાં કમ્પ્યૂટર આવે છે. એ કારણે જાણે આડોશપાડોશના લોકો અજ્ઞાન બની ગયા હોય એવું વર્તન થવા લાગે છે. કમ્પ્યૂટરની ‘વિન્ડો’ ખૂલતાં જ જાણે ઘરની બારીઓ બંધ થઇ જાય છે. બીજાં બાળકો શેરીમાં જાતજાતની રમતો રમે છે ત્યારે એનો દીકરો એકલો-એકલો કમ્પ્યૂટર ગેમ રમ્યા કરે છે. અગાઉ તો પતિ-પત્ની સાંજે હીંચકા પર બેસીને અલકમલકની વાતો કરતાં, પરંતુ હવે બંનેની ‘ફાઇલ’ અલગ થઇ ગઇ છે અને બંનેના...

dubki-2111
 
 
danik bhaskar

પ્રેમની ગલી સાંકડીMonday, February 8, 2010 12:44 [IST]

જ્ઞાન શીખવી શકાય, કર્મ શીખવી શકાય, ભક્તિ શીખવી ન શકાય. માટે, જેમનામાં ભક્તિની વૃત્તિ બહુ પ્રબળ છે એવા લોકો આપોઆપ ઇશ્વર પ્રત્યે પ્રેમ અનુભવતા હોય છે.



ભક્તિમાં સૌંદર્ય છે. મૂર્તિ સામે આંખ મીંચીને પ્રાર્થના કરતી સ્ત્રી હંમેશાં રૂપાળી લાગે, ભગવાનને જે જે કરી રહેલું ભટુરિયું વધુ પ્યારું લાગે અને મૂર્તિ સામે નતમસ્તક ઉભેલો ભલભલો ભારાડી પુરુષ પણ એ પળોમાં કૂણો લાગે. સામે મૂર્તિ...

Antar-Yatra11
 
 
danik bhaskar

ગાંધીજીને છેતરવાનું બંધ!Monday, February 01, 2010 11:40 [IST]

ધીરજભાઇ ટેલર સુરતમાં વીવિંગ ફેક્ટરીના માલિક હતા. એમણે જકાતચોરી અને વીજચોરી ન કરવાનો નિર્ણય કર્યો. વેપારમાં જબરી ખોટ ગઇ. રાતોરાત રસ્તા પર આવી ગયા. દીકરીના વિવાહ તૂટી ગયા. ધીરજભાઇએ મને પત્ર લખીને પોતાનું દર્દ પ્રગટ કર્યું. મેં તરત ફોન કર્યો પછી તેઓ ઘરે મળવા આવ્યા. આત્મહત્યાનો સંકલ્પ થઇ ચૂક્યો હતો, પરંતુ પછી પૂરા મક્કમ થઇને સુરત ગયા. આત્મહત્યા ટળી પછી આજે બધી રીતે સુખી છે. ઊંચા પગારની...
Mahatma-Gandhi1
 
 
danik bhaskar

હાય મહંગાઈSunday, February 7, 2010 12:11 [IST]

ડો. મનમોહન મોંઘવારીને ડામવા કડવી દવાનો ડોઝ ક્યારે આપશે? પ્રજાની રોટી, કપડા અને મકાનની પ્રાથમિક સુવિધા ન સચવાય તો ૨૧મી સદીમાં સુપરપાવર બનવાની વાત ધોળે દહાડે તારા જોવા સમાન પુરવાર થશે...

મોંઘવારીએ માઝા મૂકી છે. ગરીબ, મઘ્યમવર્ગ અને ઉચ્ચ મઘ્યમવર્ગ પણ ભાવવધારાની ભીંસમાં આવી ચૂક્યો છે. છેલ્લા ૧૨ મહિનામાં એકંદરે ૨૪ ટકા ભાવવધારો થયો છે. શાકભાજી, ફળ, ખાધાન્ન, બળતણ સહિત જીવનજરૂરિયાતની...

Mahngai11
 
 
danik bhaskar

રાષ્ટ્રનિર્માણ માટે સંસ્થાનિર્માણSaturday, February 6, 2010 19:33 [IST]

આંતરરાષ્ટ્રીય ધોરણોની તુલનામાં, ભારતીય સંસ્થાઓ નાગરિકોની જરૂરિયાતોને સંતોષવા માટે ભાગ્યે જ કાર્યરત હોય છે. આ સંસ્થાઓ પૈકીની કેટલીકને પુનર્ગિઠત કરવાનો સમય પાકી ગયો છે, કારણ કે સંગીન સંસ્થાઓ એક શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરે છે.



મારા મતે વિશ્વસમસ્તમાં વિકસિત અને વિકસતા દેશો વરચેનો તફાવત એ છે કે વિકસિત દેશોમાં, સંસ્થાઓ સરેરાશ આમ આદમી ક્રિયાશીલ રહે એ માટે સ્થાપવામાં...

Untitled-711
 
 
danik bhaskar

જિંદગીને કોઈ ફિલસૂફીમાં ન જકડો જિંદગી માણી લોSaturday, February 6, 2010 12:46 [IST]

આચાર્ય રજનીશે તેના અપધાગધમાં ઝીંગૂરની વાત કરી છે. એ ઝીંગૂર એટલે શું? તેમણે કહ્યું કે ઝીંગૂર એટલે રાત્રે રાત પડે અને નાના શહેર કે ગામડાંમાં તમરાં બોલે તેને હિન્દીમાં ઝીંગૂર કહે છે. આજે નવી પેઢીના ટિનેજરોએ તો શું નવી માતા પણ પણ તમરાંને જાણતી નહીં હોય. રજનીશનું અવલોકન કેટલું ગહેરું હશે કે તેણે તમરાંની ફિલસૂફી તેના કાવ્યમાં કહી છે તમરું ભેજવાળી જમીનમાં જ રહે છે. મેઘલી રાતે તે ધાતુના...

chetna-211
 
 
danik bhaskar

ચિરંતન ટેક્નોલોજીFriday, February 5, 2010 17:01 [IST]

થોડા સમય પહેલાં મનોરંજન ક્ષેત્રે ખ્યાતનામ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો હતો. તેણે એક સરસ વાત કરતાં જણાવ્યું કે આપણે માણસ છીએ ને આપણે સૌએ આઘ્યાત્મિકતા (આત્મા-પરમાત્મા) કેળવવી જોઇએ એવું નથી. હકીકતમાં આપણે આત્મિક તત્વ છીએ ને માણસ તરીકે જીવીએ છીએ. આ સમજણ પ્રમાણે તે જીવે ત્યારે ખરું પણ વાત તો સાચી કરી છે. વ્યક્તિ જ્યારે આવી તાત્ત્વિક વાત ભૂલી માત્ર શરીર અને શારીરિક સુખ માટે...

samvad11
 
 
danik bhaskar

ભારતબાપુની બંધારણકથાFriday, February 5, 2010 11:38 [IST]

એક ભક્તજન ઊભો થયો. બે હાથ જોડીને બોલ્યો, ‘બાપજી, ખમૈયા કરો. વાંકગુનો માફ. પણ અમને બધાને અચરજ થાય છે કે બાપજી આ વળી કઇ નવી કથા લઇ આવ્યા. વળી, માતમા ગાંધી, નહેરુજી અને સરદારની જે જેની વાત તો સમજ્યા, પણ આ મૌલાના ને આંબેડકર કોણ છે? દેવતા છે? ઇથીયે આગળ જઇએ તો અમે તો એવું સમજ્યા’તા અત્યાર સુધીની કથાઓથી કે જેવાં જેનાં કરમ, એવો એનો જનમ ને જનમારો. આપ વળી આ સ્વતંત્રતા ને સમાનતાની વાત ક્યાંથી...

Samudra-Manthan11
 
 
danik bhaskar

જીવનમાંથી હું શું શીખ્યો?Wednesday, February 3, 2010 14:37 [IST]

એક વાર હું ગાંધી રોડ પર ઓટોરિક્ષાની રાહ જોતો ઊભો હતો. વરસાદ ઝીણાં ટીપે પડતો હતો. મારું ઘર ગાંધી રોડથી, રિક્ષાવાળાની નજરે, ઢૂંકડું એટલે ખાસ રસ પડે નહીં, મારે અડધો ડઝન રિક્ષાઓ ગુમાવવી પડી. એક રિક્ષા માંડ મળી, તેમાં હું બેસવા જતો હતો ત્યાં કોલેજિયન જેવા લાગતા બે યુવાનો મારી તરફ ધસી આવ્યા. બેમાંના એકે મને પૂછ્યું કે તમે જ હાસ્ય લેખક વિનોદ ભટ્ટ છો? ઘડીભર તો થયું કે હા પાડી દઉ. પણ પછી ફિકર...

24-1-10-Vinod-bhatt11
 
 
danik bhaskar

મુખ્યમંત્રી નામનો મુરતિયોTuesday, February 2, 2010 19:05 [IST]

દીકરીને જોવા મહેમાન આવે ત્યારે ફળિયામાં ફૂલછોડનાં થોડાં કુંડાઓ વધી જાય છે. તે દિવસે ઘાસ કાપીને લોકસાહિત્યમાંથી શિષ્ટસાહિત્ય જેવું સપ્રમાણ કરવામાં આવે છે.



આપણે ત્યાં દીકરીને જોવા મહેમાન આવવાના હોય ત્યારે ઘરમાં તાબડતોબ ફેરફાર થાય છે, અને આ રીતે થતા ફેરફારમાં યજમાન પરિવાર હોય એના કરતાં વધુ સારો દેખાય તે માટે યથાશક્તિ પ્રયત્નો થાય છે.



બંગલાના ગેટ પાસે એક દિવસ માટે...

24-1-09-Jagdish-Trivedi-cop11
 
 
danik bhaskar

ગાંધીજીની આજ્ઞા માથે ચઢાવી વડાપ્રધાનપદનો ત્યાગTuesday, February 2, 2010 12:27 [IST]

વલ્લભભાઇએ પળના વિલંબ વિના, સ્વસ્થતાથી અને કશી નારાજગીના ભાવ વિના સહી કરી. આ ઘટનાનું દ્રશ્ય આપણી કલ્પના બહારનું છે. પોતાના પક્ષ, પોતાના નેતા અને પોતાના સાથી માટે ઇતિહાસે બક્ષેલી અણમોલ તક સહજતાથી છોડી શકાય તેવા સરદાર આ પછીના અઠવાડિયે ગાંધીજી સહિત સૌ સાથીઓને ખૂબ હસાવતા હતા. કોંગ્રેસ કે સરકારના કામમાં સરદારે કદી ઉપેક્ષાભાવ સેવ્યો ન હતો. તેમની નાદુરસ્ત તબિયતની દરકાર કર્યા વિના...

sardar11
 
 
danik bhaskar

અન્ય લોકો માટે સારું વિચારવુંMonday, February 1, 2010 12:07 [IST]

ઘણા લોકો સ્વાભાવિક વ્યક્તિ બની જ શકતા નથી. એમના વાણીવર્તનમાં એટલી બધી અસ્વાભાવિકતા -કૃત્રિમતા હોય છે કે એવા લોકો પારદર્શક લાગતા નથી. એમનો અહમ્ વારંવાર પ્રગટ થાય છે. એ લોકો એવી રીતે વર્તે છે કે જાણે એ લોકો જ બધું જાણે છે ને લોકો કશું જ જાણતા નથી. એને સાથે જ એમના વ્યક્તિત્વમાં રહેલા કાંટા સામેની વ્યક્તિને ભોંકાય છે. પરિણામે એવા લોકો માટે અરુચિકર ભાવ જન્મે છે. એ લોકો અપ્રિય વ્યક્તિ...

dubki-411
 
 
danik bhaskar

મકાન સળગે એ પહેલાં વેચી નાખોSunday, January 31, 2010 12:03 [IST]

ધાર્મિક યાત્રાનાં એક ધંધાદારી આયોજકે મિસ્ટર અને મિસિસ મનજીને અમદાવાદમાં એવી રીતે ઉતારી દીધા જે રીતે કોઇ કુંવારી માતા નવજાત શિશુને એકાંતમાં છોડીને ચાલી જતી હોય છે



મનજીભાઇ ચાર ધામની જાત્રા કરીને આજે સવા બે મહિને સ્વગામગમન કરવાનાં હતા, પત્ની બુદ્ધિબહેન સાથે હોવાથી મનજીભાઇને સમગ્ર પ્રવાસમાં પોતાની બુદ્ધિ (SENSE)ને બદલે સસરાની બુદ્ધિ (WIFE) પ્રમાણે નિર્ણય લેવાના હતા, ધાર્મિક...

13-1-10-Jagdish-Trivedi--co11
 
 
danik bhaskar

ફિલિપ આઇલેન્ડ : પ્રાકૃતિક સૌંદર્યનો ખજાનોSaturday, January 30, 2010 17:35 [IST]

ફિલિપ આઇલેન્ડ નજીક ક્વિન્સક્લિફથી સોરેન્ટો જવા માટે એક અનોખી ફેરી સર્વિસ ચાલે છે. કાર અને પેસેન્જર લઈ જતી આ ફેરી બે શહેરોને માત્ર ૪૦ મિનિટમાં જોડી દે છે. જો મોટર માર્ગે ક્વિન્સક્લિફથી વાયા મેલબોર્ન થઈને સોરેન્ટો જવું હોય તો ૨૨૦ કિ.મી.નું અંતર કાપવું પડે, પણ આ ફેરીને કારણે આ અંતર ૧૦ કિ.મી.નું થઈ ગયું છે. ૧૯૮૫માં શરૂ થયેલી કાર-પેસેન્જર ફેરી સર્વિસની ક્રૂઝની ક્ષમતા એકસાથે ૮૦ વાહનો...

Yatara-2111
 
 
danik bhaskar

શહેરી વિકાસ માટે ચાવીરૂપ જાહેર પરિવહન વ્યવસ્થાSaturday, January 30, 2010 14:34 [IST]

૮૦ના દાયકાની શરૂઆતમાં દર ત્રણ-ચાર મહિને હું ચીનમાં બૈજિંગ નજીક આવેલા તિઆન્જીંગ શહેરમાં જતો. એક વખત હું એક વર્ષના ગાળા પછી ગયો તો, જાણે કે મારાથી શહેર ઓળખી ન શકાયું. અંદર પ્રવેશતાં જ મેં કારચાલકને પૂછ્યું કે આપણે ખરેખર તિઆન્જીંગમાં છીએ. અને તેણે કહ્યું કે, ૧૦ માસના ગાળામાં એ લોકોએ શહેરમાં અને શહેરની ચોતરફ, ૮ લેનવાળો, ૭૦ માઇલ લાંબો એક ધોરીમાર્ગ બાંધી દીધો છે. તેઓએ તેમાં નડતરરૂપ બધું...

vision11
 
 
danik bhaskar

પુસ્તક-મેળો...Friday, January 29, 2010 17:37 [IST]

મને પુસ્તકના ધંધામાં પડેલાની ઓનેસ્ટી-પ્રામાણિકતા ગમે છે- ના, આ હું વ્યંગ કે વિનોદમાં નથી કહેતો. એક પણ પ્રકાશકે પોતાની દુકાનના એકાદ ખૂણે પણ પાટિયું નથી માર્યું હોતું કે ‘અમે યત્કિંચિત મા સરસ્વતીની સેવા કરીએ છીએ...



ગયા અઠવાડિયે આ કોલમમાં અમે લખ્યું હતું કે અમારા આ ગામના એક વેપારીએ ફક્ત એક પૈસાની (વ્યાજ સાથે) વસૂલાત માટે અન્ય વેપારી સામે કોર્ટમાં કેસ માંડ્યો હતો એ અમદાવાદીનો...

17-1-10-Vinod-bhatt-copy11
 
 
danik bhaskar

આગને ઠરવા દેશો નહીંFriday, January 29, 2010 16:18 [IST]

જિંદગીની સુગંધ, ખરી મજા અને ઉત્તેજનાનું સાતત્ય કશુંક પણ સિદ્ધ કરી લેવામાં નહીં, પરંતુ સફળ થવાની પ્રક્રિયામાં છે. સુખ નવાં ઘ્યેયોને હાંસલ કરવાના પ્રયત્નમાંથી જ મળે છે.

સફળતાના સાધકો ક્યારેય પોતાનું કામ પૂરું થઈ ગયું છે એવું માનતા નથી. સફળ થવાની ઝંખના ધરાવતા લોકો એમનું એક ઘ્યેય નક્કી કરે છે, પછી એને સિદ્ધ કરવા માટે મચી પડે છે. એમણે કરવા ધારેલા કામને વધારે ને વધારે સારી રીતે...

dubki-5111
 
 
danik bhaskar

અભય વચનFriday, January 29, 2010 12:19 [IST]

કાચબો બાહ્ય ભય કે લાલચ સામે અંગોને સંકોચીને પોતાની ઢાલથી અંગોને સુરક્ષિત રાખે છે. એ રીતે માનવીએ ભગવાન પાસે જવું હોય તો બહિર્મુખ નહીં પણ અંતર્મુખ થઈને જવું જોઈએ. માયાજાળને છોડીને જ ભગવાન પાસે જઈએ...

ભારત ભૌતિકતાથી નહીં આઘ્યાત્મિકતાથી મહાન બનશે, રાજર્ષિ મુનિનું અભય વચન

યં બ્રહ્મા વરુણેન્દ્ર રૂદ્રમરૂત: સ્તુન્વન્તિદિવ્યૈ: સ્તવૈ:વેદૈ સાંગપદકમોપ નિષદૈ: ગાયન્તિયં...

chetna-1111
 
 
danik bhaskar

ભક્તિ ભવ્યતા ભયસ્થાનMonday, January 25, 2010 11:37 [IST]

મંદિરની આરતી વખતે કે ભગવાનની પ્રિય મૂર્તિના દર્શનથી ભાવવિભોર થઈને રડતી સ્ત્રીને કેટલા તીવ્ર સુખની અનુભૂતિ થતી હશે એ તો સ્ત્રી હોઈએ અને ઉત્કૃટ ભક્તિ અનુભવીએ તો જ ખબર પડે. જે લોકો સહજ રીતે તીવ્ર ભક્તિ અનુભવી શકે છે તેઓ સુખી હોય છે...

જીવનનો સૌથી મોટો આનંદ ભક્તિમાંથી મળી શકે, પણ એમાં ત્રણ જોખમોનું ખાસ ઘ્યાન રાખવું અંતર્યાત્રાના ત્રણ માર્ગ, ભક્તિ-કર્મ-જ્ઞાનમાંના ભક્તિમાર્ગ...

prayers-of-the-people111
 
 
danik bhaskar

લોર્ડ વેવેલને સરદાર સૌથી મરદ નેતા લાગ્યાSaturday, January 23, 2010 16:32 [IST]

પ્રાંતોના હિંદુ-મુસ્લિમ જૂથોની સ્વાયત્તા પાકિસ્તાનનું પ્રથમ ચરણ છે તેવા ગાંધી-સરદારના દ્રઢ અભિપ્રાયના કારણે પંડિત નહેરુ, રાજાજી અને મૌલાના આઝાદ માટે કેબિનેટ મિશનની જોગવાઇનો સ્વીકાર કરવાની તેમની વૃત્તિ હતી તે છોડવી પડી. વલ્લભભાઇએ સ્પષ્ટ રીતે કહ્યું કે ‘કોઇ પણ પ્રાંતને તેની મરજી વિરુદ્ધ કોઇ પણ જૂથમાં જોડાવાની જબરજસ્તી કેબિનેટ મિશન કરી શકે નહીં અને તેણે ન કરવી જોઇએ.’ આ...

Saradar-Patel111
 
 
danik bhaskar

દો બીઘા જમીન!Sunday, January 24, 2010 12:52 [IST]

ગુજરાતે જ્યારે સરદાર સરોવર-નર્મદા બંધ બાંધવાનું આયોજન કર્યું ત્યારે મઘ્યપ્રદેશ અને મહારાષ્ટ્રે બંધવિરોધમાં જે મુદ્દાઓ કોર્ટકેસમાં ઉઠાવ્યા હતા તેમાં સૌથી વધુ મહત્વનો મુદ્દો બંધથી જેની જમીનો ડૂબતી હતી તેવા અસરગ્રસ્તોનાં પુનર્વસનનો હતો. પછી નિમાયેલ નર્મદા જળ વિવાદ પંચે અસરગ્રસ્તોનાં યોગ્ય પુનર્વસન માટે આદેશો આપ્યા, જેના આધારે ગુજરાત સરકારે વિકાસશીલ દેશોની સૌથી વધુ ઉદાર...

as_india111
 
 
danik bhaskar

એકવીસમી સદીનો જંગલી મનુષ્યFriday, January 22, 2010 10:59 [IST]

એક યુવાન પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો હતો. વાતવાતમાં એણે કન્યાનાં મા-બાપને જેટલી ગાળો ભાંડી તે અન્ય પેસેન્જરોએ સાંભળવી પડી. રાતે મોડે સુધી જોરશોરથી લગ્નના વરઘોડા પસાર થાય ત્યારે કાન ફાડી નાખે એવા ફટાકડા ફૂટે છે અને લાઉડ સ્પીકર પરથી ફિલ્મી ગીતોનો ઘોંઘાટ વહેતો રહે છે. એવો કુરિવાજ જ્યારે બંધ થશે, તે દિવસે કદાચ સભ્ય સમાજની શરૂઆત થશે. રાંદેરમાં વહેલી સવારે ચાલવાનું શરૂ...

Z-z-y-17-1-10-Vicharona-Vri11
 
 
danik bhaskar

કોંગ્રેસની ૧૨૫ વર્ષની સફરSunday, January 17, 2010 11:11 [IST]

ઇન્દિરાની હત્યા બાદ રાજીવને રાજનીતિમાં ન જવાની જીદ કરનાર સોનિયા આજે દેશની સૌથી પાવરફુલ મહિલા છે. કોંગ્રેસને ઇતિહાસમાં મજબૂત કરવામાં સોનિયાની ભૂમિકા ચાવીરૂપ સિદ્ધ થઇ છે...સોનિયાએ જ્યારે કોગ્રેંસનો હવાલો સંભાળ્યો ત્યારે કટોકટીકાંડ, બાબરી ઘ્વંસ, બોફોર્સ, શીખ હત્યાકાંડ, શ્રીલંકામાં લશ્કરને મોકલવાનો નિર્ણય તથા પંજાબ અને કાશ્મીરની પરિસ્થિતિને કારણે કોંગ્રેસ ખૂબ બદનામ થઈ ચૂકી...
Sonia-Rahul1
 
 
danik bhaskar

રાષ્ટ્રીય પુરસ્કાર પામતું પુસ્તક ‘વાત આપણા વિવેચનની’Friday, January 22, 2010 19:12 [IST]

પુસ્તક ક્યાંય શુષ્ક બનતું નથી. સંદર્ભો અને અવતરણોથી એ આસ્વાધ બન્યું છે. માત્ર સાહિત્યના અઘ્યાપકોને નહીં, કોઈ પણ વિદ્યાશાખાના જિજ્ઞાસુને આ પુસ્તક વિશ્વાસમાં લેશે. કેમ કે જેમની અહીં ચર્ચા થઈ છે એ વિવેચક દ્વારા સર્જકોનો પરિચય કેળવવાની દ્રષ્ટિ જાગે છે તો એ સર્જકોની કૃતિઓમાં જીવનનાં મર્મસ્થાનોનો નિર્દેશ મળે છે. આમ આ વિવેચનનું વિવેચન પણ ચોક્કસ અંતરથી જીવનને સમજવા પ્રેરે છે.૨૩૪...

Shirish-panchal11
 
 
danik bhaskar

મેનેજમેન્ટનું પંચતંત્રWednesday, January 20, 2010 16:05 [IST]

એક સરકસમાં વાંદરો-વાંદરી પરણી ગયાં. થોડા સમય પછી વાંદરીને સારા દિવસો જવા લાગ્યા. સરકસના પ્રાણી ડોક્ટરે વાંદરીને તપાસીને પૂછ્યું, ‘કેવું બાળક જોઇએ-છોકરો કે છોકરી?’ પ્રસૂતાએ જવાબ આપ્યો, ‘તેના પગ સાઇકલ ચલાવવા જેટલા લાંબા હોય અને માથું તોપના નાળચામાં સમાઇ શકે તેવું હોય એમ કરજો. પછી છોકરો હોય કે છોકરી તેનો કોઇ ફેર પડતો નથી.’-કથાબોધ : કર્મચારી પુરુષ છે કે સ્ત્રી તે મહત્વનું નથી....

samudra--1111
 
 
danik bhaskar

પૈસો ક્યારેય નાનો નથી હોતો...Sunday, January 17, 2010 11:41 [IST]

ગાંધીજીના માર્મિક શબ્દોથી અંબાલાલનું હૃદય પીગળે, પણ મન તેમને રોકે. એમ કરતાં એક ક્ષણ એવી આવી કે અંબાલાલ પોતાની આંગળી પરની સોનાની વીંટી આપી દેવા તૈયાર થઇ ગયા, પણ આંગળી પરની વીંટીને ટેરવા સુધી લઇ જાય ને મન પાછું પડે એટલે પાછી લઇ જાય. ગાંધીબાપુના છેલ્લા શબ્દોથી પરાકાષ્ઠા સર્જાઇ, હૃદયની આજ્ઞાથી આંગળી પરની વીંટી તે બહાર સરકાવવા જતા હતા ત્યાં ખુદ અંબાલાલથી બોલાઇ ગયું : ‘ચેત, અંબાલાલ,...

Vinod-bhatt-copy111
 
 
danik bhaskar

આપણી અંદર છૂપાયેલી અદભૂત શક્તિને ઓળખીએMonday, January 18, 2010 15:01 [IST]

આપણા શરીર, મન, બુદ્ધિ અને આત્મા એટલાં બધા બળવત્તર છે કે માણસ જો ઈચ્છે તો ઘણો શક્તિશાળી બની શકે. શરીરથી જ નહીં પણ મનથી. ચમત્કારીક શક્તિ મેળવી બીજાને ઉપયોગી થઈ શકે છે. એમણે ૧૯૩૫મા લખેલું : આજે મોટો પ્રશ્ન એ છે કે માણસે તેની માનસિકતા અને સમગ્ર શરીરને કેમ ઉચ્ચસ્તરે મૂકવા? માણસ થોડો સમજણો થાય, વાંચતો થાય, વિચારતો થાય પછી તેણે વિચારવું જોઈએ કે બીજા માનવજીવ કરતા તે કેમ ઊંચો જીવ થાય? આમ...

hiking11
 
 
danik bhaskar

નક્કર દ્રષ્ટિ માટેની પ્રબળ ઇચ્છાશક્તિTuesday, January 19, 2010 12:42 [IST]

૫૦ વર્ષ પહેલાં ગામડામાં વીજળી જ નહોતી. જે આજે બધે જ છે. દેશનાં મોટા ભાગના વિસ્તારોમાં ટેલિફોન સેવા હાથવગી છે. આ રીતે અમે દેશના આંતરમાળખાકીય વિકાસનાં મહત્વનાં ઘટકો-પરિવહન, વીજળી અને સંદેશાવ્યવહારને દેશના દરેક વિસ્તારમાં લઈ જવા પ્રયત્ન કર્યો છે.પરંતુ હજુ એ પર્યાપ્ત નથી. ભારતમાં તમે ગમે ત્યાં જાઓ. તમે ત્યાં વીજકાપ, થપ્પ થઈ જતો વાહનવ્યવહાર, લોકોની ભીડથી ઉભરાતી ગાડીઓ અને નિષ્ક્રિય...

vision11
 
 
danik bhaskar

સ્પષ્ટ અભિપ્રાય, સ્પષ્ટ વાણીWednesday, January 13, 2010 12:47 [IST]

સરદાર પ્રમાણમાં સ્વસ્થ રહ્યા છે અને આઝાદી માટે આશાવાદી છે તે જોઇને કાર્યકરોનો ઉત્સાહ વઘ્યો. પ્રથમ દિવસ નરહરિ ગાડગીલના નિવાસ્થાને પુણેમાં રોકાય ને સરદાર ગાંધીજીને મળવા પંચગની પહોંચ્યા. મહાત્માજીને મૌનવાર હતો. તે કશું ના બોલ્યા પણ વલ્લભભાઇને આવકારી એક ચિઠ્ઠી આપી. તેમાં દેશના પ્રશ્નોની વિગત ન હતી. આવકાર અને આનંદ સાથે સરદારને તબિયતની કાળજી કરવા મમતાભરી સૂચના લખી હતી. કટિસ્નાન,...

sardar-patel1
 
 
danik bhaskar

રામકથા જગ મંગલ કરનીSaturday, January 16, 2010 13:25 [IST]

રામાયણ માનવતાનું મહાકાવ્ય છે. રામ માનવતાના વિવેક-ચૂડામણિ છે. સીતા માનવતાની વિમલ વેદના છે. લક્ષ્મણ માનવતાનો પુણ્યપ્રકોપ (મન્યુ) છે. ભરત માનવતાનો તપોનિધિ છે. હનુમાનજી માનવતાના પ્રાણમય કોશ છે.



કનૈયાલાલ માણેકલાલ મુનશીએ જીવનમાં બીજું કંઇ જ ન કર્યું હોત અને કેવળ ભારતીય વિદ્યાભવનનું સર્જન કરીને વિદાય લીધી હોત તોય એમનું પૃથ્વી પર આવેલું સાર્થક થતું હોત. ગુજરાતની અસ્મિતાના...

Vicharona-Vrindav11
 
 
danik bhaskar

માણસનું મગજ ગોદામ નથીSaturday, January 16, 2010 14:56 [IST]

‘એક વાર અમેરિકાના પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિક ડો. એડવર્ડ ટેલરને પૂછવામાં આવ્યું- તમારું સંતાન પણ વૈજ્ઞાનિક બને એવું તમે ઇચ્છો છો? એમણે જવાબા આપ્યો ‘બાળકને વૈજ્ઞાનિક બનાવવા માટે એનામાં વીજળીની ગતિથી ચાલતા મગજની આવશ્યકતા નથી, એને ચમત્કારી યાદદાસ્તની પણ જરૂર નથી, એને સ્કૂલમાં ઊંચા ગ્રેડ મળે એ પણ જરૂરી નથી. સૌથી મહત્વની વાત એ છે કે બાળકને વિજ્ઞાનમાં ઊંડો રસ હોવો જોઇએ.’...

mind11
 
 
danik bhaskar

વ્યક્તિત્વ લોખંડી, દિલ પુષ્પનુંSunday, January 10, 2010 18:23 [IST]

પંડિત નહેરુએ આશ્ચર્ય સાથે નોંઘ્યું કે ‘સરદાર બગીચામાં બરાબર રસ લે છે અને તેમની જાણકારી પણ ઘણી છે.’ ડો. મહેતાબે લખ્યું છે કે ‘વલ્લભભાઈ ખૂબ વાંચતા અને એક પછી એક ચોપડીઓ પૂરી કર્યે જતા હતા તેમને પૂરી પાડવાનું કામ મુશ્કેલ હતું.’ ડો. પટ્ટાભિએ સરદારના આ જેલ કાર્યનું વર્ણન કર્યું છે તે કેટલું નેત્રદિપક છે. ‘સરદારે પોતાના રવેશની બહાર વાદળી રંગના ફૂલ ઉગાડયા છે. સવારથી સાંજ આ વાદળી રંગના...
Patel_and_Gandhi1
 
 
danik bhaskar

જ્યોતિ બસુ વડાપ્રધાન બન્યા હોત તો...Sunday, January 10, 2010 11:32 [IST]

જ્યોતિબાબુ જો દેવગૌડાના સ્થાને વડાપ્રધાન બન્યા હોત તો ત્રીજા મોરચાની સરકાર ટકી જાત, કારણ કે લાલુ, મુલાયમ, માયાવતી, જયલલિતા સહિત તમામ નેતાઓ ઉપરાંત કોંગ્રેસના તત્કાલીન સુપ્રીમો સીતારામ કેસરીને પણ એ સરકાર બનાવવામાં રસ હતો. જ્યોતિ બસુ જો વડાપ્રધાન બન્યા હોત તો દેવગૌડા અને ગુજરાલની માફક તેમની સરકાર અસ્થિર અને અલ્પજીવી ન હોત. જ્યોતિ બસુના વડાપ્રધાનપદ હેઠળની સરકાર જો ત્રણ વર્ષ ટકી...
Jyoti-Basu1
 
 
danik bhaskar

માનવીની પ્રાથમિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરવીMonday, January 11, 2010 12:35 [IST]

આપણે આ ૩૦ કરોડ લોકોને આવી નિમ્ન સ્તરની ‘ભારતીય ગરીબીરેખા’થી ઉપર ઉઠાવી નહીં શકીએ અને તેમને સન્માનીય એવું જીવનધોરણ બક્ષી નહીં શકીએ તો વિકાસનો કોઇ અર્થ નથી. ભારત આજે જે પ્રાથમિક માનવ જરૂરિયાતોના પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે તે પ્રશ્ન હંમેશનો છે એવું નથી. અગાઉ તો ભારતની વસતી ઘણી ઓછી હતી અને આ રીતે તેનાં કુદરતી સંસાધનો ઉપર ખૂબ ઓછો બોજ આવતો હતો. ઉદ્યોગીકરણે પર્યાવરણને ભારે હાનિ...

vision111
 
 
danik bhaskar

ફૂલ બોલે છે પ્રેમની ભાષાSaturday, January 9, 2010 19:15 [IST]

જર્મન કવિ ગેટેએ ૧૮મી સદીમાં કહેલું કે ‘ફૂલોનું શાસ્ત્ર શીખતાં શીખતાં હું કવિ બન્યો. હું જો બોટનિસ્ટ ન બન્યો હોત તો હું કવિ બની જ શકત નહીં. મને ફૂલોએ કવિતાનું શાસ્ત્ર શીખવ્યું. ગુજરાતના જગમશહુર તસવીરકાર અશ્વિન મહેતાએ ‘હંડ્રેડ હિમાલયન ફ્લાવર્સ’ પુસ્તક લખ્યું છે. ‘ફ્લાવર થેરપી’ વિશે ઘણા પુસ્તકો છે. 



પારિજાત



સપનાંની મુજ છાબડી છલકે



મલકે...

Chetana11
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB