સંતરામપુરના હરસિદ્ધિ માતાજી મંદિરે જવાના ભયજનક વળાંક ઉપર મોટર સાઇકલ િસ્લપ ખાતા બે યુવાનોનાં ઘટના સ્થળે કરૂણ મોત નપિજયા હતા. જેને પગલે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડયા હતા. જોકે મૃતક બંને યુવાનના મોબાઇલ નંબર ઉપરથી તેઓના પરિવારજનોનો સંપર્ક થયો છે. સંતરામપુરથી ૩ કિમી દૂર આવેલા હરસિદ્ધિ માતાજી મંદિર પાસેનો વળાંક અત્યંત જોખમી અને અકસ્માત પ્રેરક છે. આ વળાંક અકસ્માત ઝોન હોવા છતાં વળાંક દૂર કરી રસ્તો સીધો કરવામાં સ્ટેટ પીડબલ્યુડી તંત્ર ઉણું ઉતર્યુ છે.
હરસિદ્ધિ માતાજી મંદિર પાસેના વળાંક વાળા...
જેસીઆઇ સંતરામપુરનો બીજો શપથવિધિ સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં જેસી પ્રકાશ ઠાકોરે નવીન પ્રમુખ જેસી રાકેશ પ્રજાપતિને હોદ્દાના શપથ ગ્રહણ કરાવેલ હતા. ત્યાર બાદ કારોબારી સમિતિ તથા જેસીરેટ વિંગ તથા જુનિયર જેસી વીંગને પણ શપથગ્રહણ કરાવ્યો હતો.
કડાણા ડેમના પાછલા ઠેલાના અસરગ્રસ્તોને વર્ષ ૧૯૮૨ સંતરામપુર નગરમાં પુન: ભાગોળ વિસ્તારમાં જમીન સંપાદન કરી શરતી પ્લોટ આપેલા છે. એક વ્યકિતને ગેરકાયદેસર છ પ્લોટ અગાઉ ફાળવી આપવાની સાથે હાલ સબંધિત અધિકારીઓની યોગ્ય દેખરેખના અભાવે એક અસરગ્રસ્તના પાવર ઓફ એટર્ની ધારકે માહિતી માગતાં જમીનનું મસમોટંુ કૌભાંડ અને અનિયમિતતા બહાર આવી છે.
સંતરામપુરના...
સંતરામપુર તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી આર.કે.મહીડાએ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યા મુજબ તાલુકા પંચાયત કચેરીમાં માજી જુનિયર કલાર્ક ૧૯૯૯ થી ૨૦૦૦ના વર્ષના સમયગાળામાં ખરીદ કરેલી ૨૪,૬૬,૫૫૩ રૂ.ની સ્ટેશનરીની ટેન્ડર ફાઇલ સહિતનું રેકર્ડ બદલી થયા બાદ ચાર્જમાં સુપરત કયું ન હતું. જે અંગેની જાણવા જોગ પોલીસ ફરિયાદના...
જમીનોના અને દરિયાના પ્રશ્ને ગ્રામીણ જનતા તેમજ માછીમારો અદાણી જૂથનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે ત્યારે આ ગ્રૂપના કારણે થયેલા આૈધ્યોગિક વિકાસથી કચ્છમાં ખાસ કરીને મુન્દ્રા વિસ્તારમાં બિમારીનું પ્રમાણ વધ્યું છે. મુન્દ્રા પંથકમાં સ્થપાયેલા અદાણી ગ્રૂપ સંલગ્ન ઉદ્યોગોમાં કામ કરવા આવતા પરપ્રાંતીય લોકોના આરોગ્યને લીધે સ્થાનિક રહેવાસીઓને પણ...