


દિલ્હી દરવાજા સ્થિત સરકારી વિશ્રામગૃહના રૂમ નં-૨૪માં જુગારની રમત પૂરબહારમાં ખીલી છે. આ માહિતી આશરે બપોરે ૧.૩૦ કલાકે અમને પોલીસ સૂત્રોમાંથી મળી. જેના પગલે ‘ડીબી ગોલ્ડ’ની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી.
દરિયાપુરના શૈલેષને મળવાના બહાને રૂમ-નં ૨૪માં સ્પાય કેમેરા સાથે આશરે ૩.૩૦ કલાકે અમે પ્રવેશ કર્યો અને જોયું : આમ નાગરિકને આઘાત પહોંચાડે તેવું એક દ્દશ્ય! સરકારી...

ન્યાય માટે નિષ્ઠાવાન પ્રમાણિક પોલીસ કર્મચારીની પત્ની વલખે છે... છેલ્લા ૩૮ વર્ષથી પેન્શન મેળવવા માટે સતત લડાઇ છતાં, નિંભર સરકારી તંત્ર પર કોઇ જ અસર નહિ!
કેશવ ગણેશ આલેકર. ૧૪-૬-૧૯૩૮થી ૪-૬-૧૯૬૮ લગભગ ૩૦ વર્ષ સુધી ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક, ગાંધીનગરની કચેરીમાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવનારા એક નિષ્ઠાવાન કર્મચારીનો પરિવાર આજે ૩૮ વર્ષ પછી પણ પેન્શન માટે ઝઝૂમી રહ્યો છે....


અમદાવાદશહેરના જમાલપુર વિસ્તારમાં રહેતા અખ્તર હુસૈન હુસૈનમિયાં શેખનો લગભગ ૧પ સભ્યોનો પરિવાર આપણી ‘સંનિષ્ઠ’ પોલીસની કપાથી આજે અલગ અલગ જીવવા મજબૂર બન્યો છે! આપણી પોલીસની સક્રિયતા અને સંનિષ્ઠતાનું ઉદાહરણ તો જુઓ : ગાયકવાડ હવેલી પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર અને તેમના સહકર્મચારીઓએ અખ્તર હુસૈન અને તેના પરિવાર પર દાખવેલી ‘કપા’ અત્યંત નિરાળી છે.
સામાન્ય સંજોગોમાં આમ...

તામીલનાડુના સ્વામી નિત્યાનંદ અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે એક મંચ ઉપર જોવા મળ્યા હતા. યુ-ટ્યુબ પર રહેલા વિડિયો પ્રમાણે આ વિડિયો તારીખ 11-9-09ના રોજ ઉતારવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ નિત્યાનંદના પુસ્તક "જીવન મુક્તિ"નું ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે તેમનાપ્રવચનમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતુંકે, સાધુ દાન આપે તેનો મતલબ એવો છે કે,...

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલમાં પણ સ્વીકારવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૦૫ ની સરખામણીએ ૨૦૦૯માં વિદ્યાર્થીઓની સંખ્યામાં ૩૫,૯૪૨નો ઘટાડો નોંધાયો છે. આશ્ચર્યજનક રીતે, એક તરફ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે ત્યારે યુનિવર્સિટીનો ખર્ચ બમણો થઈ ગયો છે. ખર્ચમાં વૃદ્ધિ માટે ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવી આ મામલે રાજ્યપાલ અને...


![crime-171008[1]11](/2010/03/01/images/crime-171008[1]11_b.jpg)




દેહવ્યાપારનો હાઈવે...
સરખેજ-ગાંધીનગર હાઈવે સ્થિત નર્મદા કેનાલની પાસે એક અલગ જ દુનિયા વિકસી છે. અડાલજ પોલીસ સ્ટેશનથી માત્ર એક કિ.મી.ના અંતરે આવેલા અવાવરુ સ્થળે રોજ થાય છે દેહના સોદા! અનેક ફરિયાદો મળ્યા બાદ ‘ડીબી ગોલ્ડે’ સ્ટિંગ ઓપરેશન કર્યું. શું હજુ પણ પોલીસના આંખમિચામણા જારી જ રહેશે?
‘બોલો, કિસકે સાથ જાના હૈ? ઈસકા ૧૫૦ હૈ. ઔર મેં ૧૨૦ લૂંગી. પસંદ તુમ્હે કરના હૈ. મગર પૈસે...









ભરતી માટે ૧૦ પાસ લાયકાત હોવા છતાં ગ્રેજ્યુએટ, એમએસસી તથા એમકોમ તેમજ એલએલબી થયેલા યુવાનોએ અરજી કરી
રાજ્યમાં એક તરફ બેરોજગારોની સંખ્યા વધી રહી છે. ત્યારે પોલીસ દળમાં શરૂ થયેલી ભરતીની પ્રક્રિયા માટે રાજ્યભરમાંથી ૨.૭૨ લાખ જેટલા યુવાનોએ નોકરી માટે અરજી કરી છે. માત્ર ૨૫૦૦ના પગારની પોલીસ સહાયક અને એસઆરપી સહાયકની નોકરી માટે ૧૦ પાસ લાયકાત જરૂરી હોવા છતાં ગ્રેજયુએટ, એમકોમ, એમએસસી તથા...
![Gujarat-Police-300x225[1]111](/2010/02/15/images/Gujarat-Police-300x225[1]111_b.jpg)

જૂનાગઢ સ્થિત ભવનાથની તળેટીની વાતાવરણ ત્યારે ભક્તિમય બની ગયું હતુ. જ્યારે ત્યાં મહાશિવરાત્રી નિમિત્તે યોજાયેલા મેળામાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ચો તરફ ધાર્મિકતાના દર્શન થઈ રહ્યાં હતા. ક્યાંક સુરક્ષાની જવાબદારી માટે ગોઠવવામાં આવેલી પોલીસ દ્વારા સાધુઓને દુધની પ્રસાદીનું પાન કરાવવામાં આવી રહ્યું હતું. સાધુઓ દ્વારા મહાશિવાત્રી નિમિત્તે રવેડી કાઢવામાં આવી ત્યારે...

શિવરાત્રીના પાવન પ્રસંગ નિમિતે ગિરનારની ભવનાથ તળેટીમાં નાગા સાધુઓની રવેડી નિકળી હતી. સમગ્ર મેળાની તસ્વીરો તથા સમાચારો માટે www.divyabhaskar.com દ્વારા વિશિષ્ટ વ્યવ્સથા કરવામાં આવી છે. અમારા પત્રકાર રોહિત પટેલ પહોંચાડી રહ્યાં છે તસ્વીરો અને સમાચારો. પ્રસ્તુત છે નાગાસાધુની રવેડી પ્રસંગની EXCLUSIVE તસ્વીરો.

જૂનાગઢ ખાતે ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રિ નિમિતે મેળો ભરાયો છે. દર શિવરાત્રીએ યોજાતો આ મેળો ભવનાથનાં મેળા તરીકે ઓળખાય છે. અને અનેરું મહત્વ હોય છે. ગુજરાત અને રાજ્ય બહારથી શિવભક્તો જૂનાગઢ આવે છે. અને પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળાનો લહાવો ઉઠાવે છે. ભવનાથના મેળામાં ઉમટેલા શિવભક્તોથી વાતાવારણ શિવમય થઈ ગયું હતું. અને ઓમ નમઃશિવાયના મંત્રથી તળેટી ગુંજી ઉઠી હતી.
મેળામા ઉમટેલા...

૨૦૦૯માં શહેરીજનોના ૨.૭૮ કરોડ લૂંટાયા, પોલીસ ૮૪૪ પૈકી માત્ર ૨૪૪ ગુના ઉકેલી શકી
૧૦ દિવસ... ૭૫ લાખ લૂંટાયા, ૦૨ની હત્યા
લૂંટનો આ આંકડો તો માત્ર ફેબ્રુઆરી મહિનાનો જ છે. ગત વર્ષે લૂંટના ૮૪૪ બનાવોમાં શહેરીજનોએ રૂ.૨.૭૮ કરોડ ગુમાવ્યા. તાજેતરમાં કાલુપુરની હોટલમાં રોકાયેલા એક વ્યક્તિ પાસેથી રૂ.૬૪ લાખની સોનાની ચાર પાટો લૂંટી લેવાનો બનાવ બન્યો.
મોંઘવારી અને કરના ભાર તળે કચડાતી પ્રજા...

૨૦૦૨ના રમખાણોમાં વળતરના એક કેસમાં લાંચ લેનાર પીડબલ્યુડીના એન્જિનિયરને એસીબીએ પકડ્યો હતોસુપ્રિ. એન્જિનિયરના નિર્દેશ બાદ કાર્યપાલક ઈજનેરે આરોપી સામે કાર્યવાહી માટે એસીબીને મંજૂરી આપીકાર્યપાલક ઈજનેરે પોતાના સત્તાક્ષેત્રની બહાર જઈને મંજૂરી આપી હોવાની ભૂલ બહાર આવી અને કેસ પડતો મૂકાયો
સામાન્ય લોકો વાંરવાર લાંચિયા સરકારી અધિકારીઓની ઝપટે ચડી જતા હોય છે. પરંતુ, કાયદાનો...



શ્રદ્ધાળુઓ, શું તમે જાણો છો? ભદ્ર વિસ્તારના સિદ્ધિ વિનાયક મંદિરની બહાર દર મંગળવારે ૧,૪૦૦ કિલો સુધી લાડુ વેચાય છે
ખાંડના ભાવ ૪૫ રૂપિયા કિલોથી વધારે છે અને દેશી ઘી ૩૦૦ રૂપિયા છે. આવા સંજોગોમાં પ્રસાદના લાડુ ૪૨ રૂપિયે/કિલો કઈ રીતે બની શકે?
આ અંગે ‘ડીબી ગોલ્ડે’ તપાસ કરી તો જાણવા મળ્યું કે હલકી સામગ્રીનો ઉપયોગ કરીએ તો પણ ૫૬ રૂ./કિલો કરતા સસ્તા લાડુ બની શકે નહીં. તો પછી,...


સતત ચર્ચામાં રહેતી સહજાનંદ કોમર્સ કોલેજમાં બે પ્રાઘ્યાપકો વચ્ચેની મુક્કાબાજીની ઘટના શિક્ષણજગતમાં ચર્ચાસ્પદ બની છે. સ્ટાફ વચ્ચેની આંતરિક ખેંચતાણે કોલેજની છબિ તો બગાડી જ છે, પરંતુ આ સાથે શૈક્ષણિક માહોલને પણ અસર પહોંચાડી છે. જેના કારણે પ્રથમ સત્ર સુધીમાં જ ૨૦૦ જેટલાં વિદ્યાર્થીઓ એન.ઓ.સી. લઇને ભાગી છૂટયાં છે. જો કે, આ અંગે અન્ય કારણો જવાબદાર હોવાની દલીલ કોલેજ સત્તાવાળાઓ કરે...

એકસપાયરી ડેટવાળી અથવા એમ.આર.પી. કરતા વધુ કિંમતની દવા પધરાવી દેતા કેમિસ્ટ વિશે તો ઘણી વખત સાંભળ્યું હશે. પરંતુ, આ વખતે તો કેમિસ્ટે હદ જ કરી નાખી છે! કેમિસ્ટે ખોટી દવા આપીને બે મહિનાના બાળકનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. જોકે, સદનસીબે, દવા અને દુઆના પ્રતાપે આ બાળક ભયમુકત છે. બાળકના પરિવારે આ અક્ષમ્ય બેદરકારી બદલ કેમિસ્ટ સામે નારણપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અસારવામાં...

ગૂજરાત વિધાપીઠ સંચાલિત ગુજરાત કુમાર વિનય મંદિરને બંધ કરવાના મામલે સર્જાયેલો વિવાદ વધુ વકરતો જાય છે. આ સંસ્થાને ઉગારી લેવા માટે ‘ડીબી ગોલ્ડે’ હાથ ધરેલા અભિયાનના પગલે શહેરીજનોમાં ભારે જુવાળ ફેલાયો છે. જેના ભાગરુપે જ શહેરની એક સ્વૈચ્છિક સંસ્થા યોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થાને ગાંધીવાદીઓ જાગો, શિક્ષણ બચાવો,ના હેડીંગ તળે એક પત્રિકા છાપી છે.
જેમાં એક પોસ્ટકાર્ડ ગાંધીબાપુ...

‘માર્ગ સુરક્ષા સપ્તાહ’ની ઉજવણીમાં પોલીસને ગાંધીગીરી કરતી જોઈને લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા. હવે, પોલીસે ‘ઝીરો ટોલરન્સ’નો ડંડો ઉગામી વાહનચાલકોને હેરાન કરી નાખ્યા છે. ભાવવધારાના ચક્રમાં પિસાતા લોકોને હવે માર્ચ એન્ડિંગમાં ઇન્કમટેકસની ચિંતા સતાવી રહી છે ત્યારે પોલીસે પણ આખા વર્ષની આવકનો હિસાબ સરભર કરવા કમર કસી છે. ટ્રાફિક નિયમનની સાથે દંડની રસીદો ફાડવાની આ કામગીરી...


ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિયેશનના ઉપક્રમે અને અમદાવાદ બોડી બિલ્ડિંગ એસોસિયેશનના સહયોગથી રવિવારે અહીંની સ્પોર્ટ્સ ક્લબ ખાતે મિ. ગુજરાત ૨૦૧૦ સ્ટેટ બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ૫૫ કિ. ગ્રા. વજનજૂથથી શરૂ કરીને ૯૦ કિ. ગ્રા. ગ્રૂપ સુધીની નવ કેટેગરીમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાંથી લગભગ ૨૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લીધો હતો. આ જિલ્લાઓમાં...

- વધતી આત્મહત્યા નિવારવા શિક્ષણમાં ‘યોગ’ને સ્થાન આપો :સ્વામી રામદેવ
- ‘પરાજયથી હારો નહીં કેમકે પરાજિત થનારો જ વિજયી બને છે’
- સ્વાઇન ફલુથી બચવા યોગ-પ્રાણાયામ દ્વારા રોગ-પ્રતિકારક શકિત મજબૂત બનાવો
-એસ.જી.વી.પી.માં ઋષિકુમારોને સંબોઘ્યા : પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મ.સા.ની શુભેચ્છા મુલાકાત લીધી
વધતી આત્મહત્યા નિવારવા માટે શિક્ષણમાં ‘યોગ’ને સ્થાન મળવું જોઇએ. આજના...



ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ગૂજરાત કુમાર વિનય મંદિર શું બંધ થઈ જશે? ગાંધીજીએ રચનાત્મક શિક્ષણનું સેવેલું સ્વપ્ન આગામી દિવસોમાં નિર્વાણ પામશે? ના. જો ગાંધીવાદીઓ અને ગૂજરાત વિદ્યાપીઠ સંયુકતપણે તેને બચાવવાના પ્રયત્ન કરશે તો. હા. જો ગુજરાત સરકાર હજુ પણ જાગશે નહીં તો. આ સરકારે ૧૯૯૭-૯૮થી આ પ્રાથમિક સંસ્થાને અનુદાન આપવાનું બંધ કરી જ દીધું છે.
છેલ્લા ૧૨ વર્ષથી સરકારના આર્થિક અનુદાન...





ગાંધીજી તથા અનસુયાબેન સારાભાઈએ ૯૨ વર્ષ પહેલા કામદારોની સમસ્યાઓ ઉકેલવા માટે મજૂર મહાજન સંઘની સ્થાપના કરી હતી. ગાંધીજીના આદર્શોપર સ્થપાયેલી આ સંસ્થામાં ભ્રષ્ટાચારના આરોપ, અવિશ્વાસ દરખાસ્ત લાવવાની માગણીઓ ગૂંજી રહી છે
મજૂર મહાજન સંઘના પ્રમુખ પર મિલ-મજૂરોના હિતને નુકસાન પહોંચાડી સગાવાદ અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાના આરોપ લગાવી કેટલાક સભ્યો તેમની સામે અવિશ્વાસની...


કોન્સ્ટેબલો સાથે એવું તો શું થાય છે કે તે આત્મહત્યા કરવા પ્રેરાય છે? ઉપરી અધિકારીઓના નીત-નવા આદેશો અને ફરજના ભાગરૂપે થતી દોડા-દોડીમાં તેમનું કૌટુંબિક જીવન તહસ-નહસ થઈ જાય છે. આમ, કુટુંબ-કાર્ય સ્થળ એમ બંને મોરચે સફળ થવાના દબાણથી આખરે પરિણમે છે...
રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ નામના સુરતના કાપોન્દ્રા પોલીસ મથકના એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.પૂછો કેમ? કારણ, ૨૪ઘ્૭...


-૨૬મી જાન્યુઆરીએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખનારા ભૂકંપને નવ વર્ષ પૂરા થશે-અમદાવાદ શહેરમાં ધરાશાયી થયેલી ૬૧ ઈમારતો, ૬૧ કેસો પૈકીના માત્ર ૧૦ કેસોનો જ નિકાલ -ભૂકંપ કરતા પણ વધુ તીવ્ર છે ન્યાયમાં અવરોધરૂપ બનતા નવ મુદ્દા અને નવમા વર્ષની હકીકત
ઔડાના અધિકારીઓ સકંજામાં
૨૦૦૧ના ભૂકંપ બાદ પીડિતોને ઝડપથી ન્યાય મળે તે હેતુસર રાજ્ય સરકારે અલગ કોર્ટની રચના કરી, ખાસ સરકારી વકીલની...


મજૂરી કરતીમહિલા તોડ કરવાના આરોપસર અરપકડ કરાઈ હતી
‘વાડ ચીભડાં ગળે ત્યારે’વાળી ઉક્તિ જુની છે પણ ખોટી નથી. તાજેતરમાં જ રક્ષણ આપવા ખાખી વર્દી ચઢાવનારાઓએ ચાર સંતાનોની માતાનાં કપડાં પોલીસમથકમાં જ ખેંચી કાઢ્યા હતા અને તેની સાથે બિભત્સ ચેનચાળા કર્યા હતા.
પોલીસબેડાંમાં ચકચાર મચાવનારી આ ઘટનાનો ભોગ બનનારી મહીલાએ આ હેવાનિયતના આક્ષેપો કરતી અરજી ઉચ્ચ પોલીસ અધિકારીને આપી...

મધુ કોડાના ૨૦૦૦ કરોડના કૌભાંડમાં આઈ-ટી વિભાગે અમદાવાદ, રાજકોટ, ગાંધીધામની ૩૫ બનાવટી કંપનીઓ શોધી કાઢી
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને સંડોવતા રૂ. ૨૦૦૦ કરોડના હવાલા કૌભાંડની ‘ગ્રેટ ઝારખંડ રોબરી’નું ગુજરાતમાં પગેરું શોધી કાઢવામાં આવ્યું છે. બિલ, આવકવેરા રિટર્ન અને ઈ-બેન્કિંગ માટેના ઈ-ગવર્નન્સ સહિત સમગ્ર ઓનલાઈન સિસ્ટમની વિશ્વસનીયતા પર શંકા ઉપજાવે તેવા...


જયારે પણ મોંઘવારીની વાત આવે છે, ત્યારે રાજય સરકાર કેન્દ્રને જવાબદાર ગણાવે છે અને કેન્દ્ર સરકાર જાત-જાતની સમસ્યાઓ/કારણ ગણાવવા માંડે છે. મોંઘવારી વધતી રહે છે અને જનતા તેના ભાર નીચે દબાતી જાય છે, પરંતુ પ્રજાનો અવાજ ઉઠાવવા કોઈ તૈયાર નથી. ‘ડીબીગોલ્ડે’ એક સર્વેક્ષણ બાદ લોક પ્રતિનિધિઓને પ્રજા તરફથી ત્રણ સવાલ પૂછ્યા:
૧ મોંઘવારીને ડામવા તમે શું કરશો?
૨ તમે કોઇ નક્કર...


પોલીસના ત્રાસથી તંગ આવી જઈને વહાબની પત્ની રેશમાબાનુએ વિદેશમાં સ્થાયી થવા માટે દાદ માગતી અરજી કરી: કાનૂની નિષ્ણાતોના મતે વહાબે ફરી એક વાર જૂનો પેંતરો અજમાવ્યો વહાબ હવે વિદેશમાં સ્થાયી થવા ઈચ્છે છે. આ માટે પરવાનગી માગતી એક અરજી તેની પત્ની રેશમાબાનુએ હાઈકોર્ટમાં કરી છે. પોલીસની હેરાનગતિથી વહાબ દેશ છોડવા માગતો હોવાનું કારણ આ અરજીમાં દર્શાવવામાં આવ્યા બાદ, કોર્ટે રાજ્ય સરકાર,...

ભ્રષ્ટાચારની કુલ ૯૬ અરજી દબાવી હતી
પ્રદીપ શર્મા સહિત ત્રણ વેપારીઓનો આજે ફેંસલો
ભૂજિયા તળેટીમાં જથ્થાબંધ બજાર બનાવવા માટે ફાળવવામાં આવેલી રૂ. ૭૦ કરોડની જમીનમાં થયેલા કૌભાંડમાં ધરપકડ કરાયેલા આઇએએસ અધિકારી પ્રદીપ શર્મા કરોડોની સંપત્તિના માલિક હોવાની ચર્ચાએ સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને પણ અંચબામાં નાખી દીધા છે.
બીજી બાજુ શર્મા પર એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે તે જ્યારે...

આ ધમકી કોઇ ખંડણીખોરની નથી, પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાબાના કર્મચારીઓને આપેલો આદેશ છેપોલીસને ગુનાખોરી ઉકેલવા કોઇ લક્ષ્યાંક અપાયો નથી પરંતુ જાહેરાત માટે લક્ષ્યાંક : ડીજીપીનો જાહેરખબરના દર સાથેનો આદેશ
વીમા એજન્ટ, ક્રેડીટ કાર્ડ એજન્ટ કે લોન એજન્ટને તમે આમથી તેમ ભટકતા જોયા હશે. આ એજન્ટોને તેમની કંપની તરફથી ટાર્ગેટ આપવામાં આવે છે. આ શ્રેણીમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે....

ગૃહ વિભાગનું વધુ એક કારનામું : એ તો લતીફના સાગરિતની ભલમનસાઇ કે મુક્તિ બાદ પણ તે ન ભાગ્યો
અશોક જાડેજાનો સાગરિત હકમ તો પોલીસની રહેમ નજર તળે ભાગી ગયો પરંતુ, લતીફનો એક સાગરિત એવો છે કે જેને પોલીસે જાતે જ જેલમાંથી મુકત કર્યો હતો, પણ સારુ છે તે ભાગ્યો નહીં અને ફરી પકડાઈ ગયો.
તાજેતરમાં બનેલી આ ઘટનાને પોલીસ તંત્રમાં સંકલનનો અભાવ કહીએ કે આરોપી સાથેની સાંઠગાંઠ તે કહેવું જરા...

પુરુષ લોકઅપમાં સીઆઇડીના ધામા, મહિલા લોકઅપમાં પોલીસસ્ટેશનના આરોપી અને પીએસઓ રૂમમાં મહિલા કેદીઓ!
મહાઠગ અશોક જાડેજાએ આચરેલા‘એક કા તીન’ કૌભાંડમાં હકમ રાઠોડના પોલીસ લોકઅપમાંથી ભાગી જવાની ઘટના બાદ કેટલા ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. જે અંગે ડીબી ગોલ્ડની ટીમે કરેલા અન્વેષણમાં સીઆઇડી ક્રાઇમ અને સેટેલાઇટ પોલીસસ્ટેશન વચ્ચેના સંકલનનો અભાવ તેમ જ અન્ય સંખ્યાબંધ નબળી કડીઓ...

યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ વિભાગના અધિકારીઓ ઊઘતા ઝડપાયા છે. એક વ્યકિત બોગસ માર્કશીટના આધારે ૧૯૯૪થી આ વિભાગમાં નોકરી કરતી રહી. ૨૦૦૫માં આ ગેરરીતિ ઘ્યાને આવી હોવા છતાં ચાર વર્ષ સુધી કાર્યવાહીના અભાવે તેની નોકરી ચાલુ રહી
બોગસ માર્કશીટના આધારે પંદર વર્ષ સુધી નોકરી સરકારમાં થઇ શકે? હા. રાજ્ય સરકારની યુવક સેવા અને સાંસ્કતિક વિભાગે આ પ્રથમ નજરે અયોગ્ય જણાતી બાબતને...

સર્વાગી વિકાસથી વિપરીત રાજ્યમાં માનવ અધિકાર પર તરાપ મારતી છેલ્લા દાયકાના કસ્ટોડિયલ ડેથનું આ દારુણ ચિત્ર સરકારની આંખો ખોલશે?
ગુજરાત કસ્ટોડિયલ ડેથની સંખ્યામાં ત્રીજા ક્રમાંકે છે. નવી દિલ્હી સ્થિત એક સ્વૈરિછક સંસ્થાએ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનનો સંદર્ભ આપીને ટાંકેલા આંકડા મુજબ ર૦૦૧ થી ર૦૦૮ના દરમિયાન રાજ્યમાં કસ્ટોડિયલ ડેથમાં મરનારાઓની સંખ્યા લગભગ ૧૧૩ની છે....

નવેમ્બર મહિનામાં પકડાયેલી ડુપ્લિકેટ દવાઓનો જથ્થો આરોપીઓને માત્ર ૧૯ દિવસમાં જ પરત મળી ગયો છે. જો આ દવા બજારમાં વેચાય અને લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તો જવાબદાર કોણ? આ અંગે અમારો સૌ પ્રથમ ખુલાસો
પરત અપાયેલો માલ
૧: કીટ્સ એકશન પ૦૦ ટેબ્લેટ્સની કુલ ૭૬,૪પ૦ સ્ટ્રીપ્સ
ર: સુપર એકશન ટેબ્લેટ્સની ૬૮,૬૬૦ સ્ટ્રીપ્સ
૩: સુપર એકશનની ૧૪૦૦ ટેબ્લેટ્સ
પીએન્ડજી કંપનીના...





બેલ્ટ સામે કમર કસતા જવાનો : લાલ રંગના કડક બેલ્ટના સ્થાને કેન્વાસના નરમ બેલ્ટ પહેરવાની ફરજ પડતા કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલો લાલપીળા
કોન્સ્ટેબલથી લઈ હેડ-કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓ વર્દીમાં થયેલા એક નાનકડા ફેરફારના કારણે તેઓ હતોત્સાહ થયા છે. એવું નથી કે તેમના પગારમાં કાપ મૂકાયો હોય કે તેમને ઉપરીઓ દ્વારા હડધૂત કરી દેવામાં આવ્યા હોય. કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલને...

બોલો...ન્યૂ યરની ઉજવણી તપ-જપ-સત્સંગથી થશે
૩૧મી ડિસેમ્બરની ઉજવણી સામાન્ય રીતે ડિસ્કો, ડાન્સ કે ડી.જે. ધમાલમાં કબલ-પાર્ટીઓમાં થતી હોય છે ત્યારે ગુજરાતમાં ૧૦,૦૦૦થી વધુ યુવાનો આ વર્ષે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી જપ-તપ અને સત્સંગ સાથે કરશે, છે ને નવાઇની વાત. કેમકે આ વર્ષે ૩૧મી ડિસેમ્બરની રાત્રિએ ચંદ્ર ગ્રહણ છે. ઉપરાંત શાસ્ત્ર મુજબ ગ્રહણના સ્પર્શથી મોક્ષ સુધી અન્ન-જળનો પણ ત્યાગ કરશે....


બાંકડા બનાવીને શહેરના વિકાસનું શ્રેય ખાટવાનો પ્રયાસ કરતા આપણા પ્રતિનિધિઓએ જ પાંચ વર્ષમાં બાંકડાના નામે એક કરોડ વાપર્યા હોવા છતાં દીવા લઈને બાંકડા શોધવા જવું પડે એવી સ્થિતિ છે
શહેરના વિકાસ માટે કોર્પોરેટર, ધારાસભ્યો તેમ જ સંસદસભ્યોને આપવામાં આવતા અનુદાનનો ઉપયોગ મૂળભૂત નાગરિક સમસ્યામાં વાપરવાના બદલે મહત્તમ રકમ બાંકડાઓ પાછળ વાપરવામાં આવી છે. ચાલો બાંકડા મૂકવાને...

ગ્રેજયુએટ કે વેપાર કરતા યુવકોની પ્રોફાઇલનો રિજેકશન રેશિયો વધુ : NRI યુવક માસ્ટર્સ, પીએચ.ડી. થયેલી કન્યા જલદી પસંદ કરે છે
યુ.કે. અને યુ.એસ.થી આવેલા અનેક એનઆરઆઇ પરિવારો હાલ પોતાના દીકરા માટે કન્યા અને દીકરીઓ માટે મુરતિયા શોધી રહ્યા છે. પરંતુ દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી-ફૂંકીને પીવે એમ એનઆરઆઇ યુવકોને કન્યા આપતાં પહેલાં તેની આર્થિક અને સામાજિક સ્થિરતા ટકોરા મારીને ચકાસવામાં આવે છે....


૩૪,૨૦૧. આ સંખ્યા છે, શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અભેરાઇએ ચઢાવી દેવાયેલાં વણઉકેલાયેલા ગુનાઓની. થોભો. આ સંખ્યા તો માત્ર ર૩ પોલીસ સ્ટેશનોની જ છે. હજુ ૧૩ પોલીસ સ્ટેશનોની માહિતીને તો આવવાની વાર છે. આ રિપોર્ટરે માહિતી અધિકારી અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત શહેરના ૩૬ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા દસ વર્ષમાં કેટલા કેસોમાં ‘એ’ સમરી રિપોર્ટ પોલીસ દ્વારા ભરી દેવામાં આવ્યો તેની વિગતો...



ડર વિના કોઈ પણ રૂટની કન્ફર્મ ટિકિટ વેચાય છે : રિક્ષાચાલકોથી માંડી ટી.સી. સુધીની ગોઠવણ
અમદાવાદ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની ચાંપતી નજર હોવા છતાં ખુલ્લેઆમ દલાલો દ્વારા ટિકિટોના કાળાબજાર થઈ રહ્યા હોવાનો ‘દિવ્ય ભાસ્કર’ના સ્ટિંગ ઓપરેશનમાં ઘટસ્ફોટ થવા પામ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, રેલવેના સમગ્ર તંત્રને ખિસ્સામાં રાખીને ફરતા હોય તેમ દલાલો...

કારણ-૧ : એક બદમાશ પાંચ વર્ષથી આ પરિવારને પજવે છે,
કારણ-૨ : પોલીસ પણ વારંવારની ફરિયાદ છતાં બળાત્કારને માત્ર વ્યાભિચાર માનીને બદમાશને છુટો દોર આપી રહી છે
મેઘાણીનગરની એક પરિણિત મહિલા પોતાના પર બળાત્કાર ગુજારનારના આતંકથી બચવા માટે કાયદાના શરણે આવી છે. આ મહિલા, તેનો અપંગ પતિ, વૃદ્ધ સાસુ-સસરા અને માસૂમ દીકરો આ ગુંડાની ચુંગાલમાંથી બચાવવા સમાજને અને પોલીસને વિનવી રહ્યા છે.
આ...

૨૦૦૮ના વર્ષમાં કરોડોનું બિલિંગ કૌભાંડ પકડાવનાર બાતમીદારે પોતાના હકની રકમ માટે વિભાગ સામે માંડયો જંગ, કૌભાંડ પકડાવનાર બાતમીદાર જ સેલ્સટેક્ષ વિભાગના કૌભાંડનો ભોગ બન્યો
કરચોરી પકડાવનાર બાતમીદારને નિયમ કરતાં ઓછું ઈનામ આપવાના મામલે વાણિજિયક વેરા વિભાગ વિવાદમાં છે. બે બાતમીદારની માહિતીના આધારે વાણિજિયક વેરા વિભાગે ઓકટોબર-૨૦૦૮માં વિવિધ સ્થળોએ દરોડા પાડીને બોગસ બિલિંગ...


ખૂન, ખૂનનો પ્રયાસ, અપહરણ, બળાત્કાર અને આપઘાત જેવા ૨૩ ગંભીર કેસોનો મુદ્દામાલ કોર્ટમાં રજૂ નહિ થવાના કારણે ન્યાયપ્રક્રિયા વિલંબમાં પડી છે. આ કારણે ૧૭ વર્ષથી સેશન્સ કોર્ટમાં કેસ કમિટ થઈ શકયા નથી. આ સ્થિતિ તો માત્ર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નં-૧૯માં ચાલતા કેસોની છે.
વટવા અને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ૧૯૯૨થી ૨૦૦૮ દરમિયાન નોંધાયેલા કેસો પૈકી ૨૩ કેસોમાં મુદ્દામાલ...


- લોકો સમય-પૈસા બંને ફાળવે છે
- ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’ જેવો ઘાટ ગુજરાતમાં થયો છે
- ‘ભવાઇ’ જોવા પણ લોકો ટિકીટ લઇને આવે છે
ગુજરાતી નાટકનાં શો જે દેશમાં સમયની કિંમત છે તેવા દેશ અમેરિકામાં હાઉસ ફુલ થઇ જાય છે અને લોકો ટિકીટ ખરીદીને તે જોવા પણ જાય છે જયારે ગુજરાતમાં જ ગુજરાતી નાટકો જોવા માટે ભાગ્યે જ લોકો સમય અને પૈસા ફાળવી શકે છે, એવો ખેદ અમેરિકામાં ગુજરાતી રંગભૂમિને...


અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં રહેતી વર્ષા 26 વર્ષીય વ્યવસાયિક યુવતી છે. કોર્પોરેટ કંપનીમાં કામ કરતી વર્ષા આકર્ષક દેખાવ ધરાવે છે અને ફાંકડું અંગ્રેજી બોલી જાણે છે. એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી વર્ષા આમતો ખુલ્લા વિચારો ધરાવતી યુવતી છે પરંતુ તાજેતરમાં એની સાથે એવી ઘટના ઘટી કે એમબીએ સુધી અભ્યાસ કરી ચુકેલી અને પોતાની કંપનીમાં સ્ત્રી કરતાં વધુ પુરૂષ મિત્રો ધરાવતી વર્ષા ઘડીભર...


પોલીસની કબૂતરબાજી: ૨૦૦૩માં ત્રણ માસ માટે યુએસએ ગયેલી એક વ્યકિત જાન્યુ.-૦૮માં પરત ફરી, પરંતુ ઓવરસ્ટેના કારણે ભવિષ્યમાં મુશ્કેલી ના થાય તે માટે બે કોન્સ્ટેબલોએ રૂ.૬૦,૦૦૦માં માર્ચ-૨૦૦૩નો એરાઈવલ સ્ટેમ્પ લગાવ્યો. અમેરિકન કોન્સ્યુલટના પત્ર બાદ ઈમિગ્રેશન વિભાગની ઊઘ ઉડી
ત્રણ માસની મુદતના વિઝા પર યુએસએ ગયેલી એક વ્યકિત આપણાં ઇમિગ્રેશન વિભાગના પોલીસ કર્મચારીઓને ૬૦,૦૦૦ રૂપિયા...


રાજ્યના સિંચાઇ ખાતાના ૪૦૦ ઇજનેરો અને કર્મચારીઓ સામે છેલ્લા ૧૪ વર્ષથી ખાતાકીય તપાસ ચાલે છે. આ તપાસ હજુ આગામી ૧૪ વર્ષ સુધી લંબાશે તેવો નિર્દેશ આ વિભાગે જ કર્મચારીઓને લખેલા પત્રથી સ્પષ્ટ થાય છે. કાર્યપાલક ઇજનેર, મદદનીશ ઇજનેર, અધિક મદદનીશ ઇજનેર તથા વર્ક આસિસ્ટન્ટ કક્ષાના કર્મચારીઓ સામે વિવિધ તબક્કે ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે ભ્રષ્ટાચાર, નબળી કામગીરી...



પાણીપુરી. નામ સાંભળતા જ મોંમાં પાણી આવી ગયું ને! સ્વાભાવિક જ. કારણ કે, ભાગ્યે જ કોઈ અમદાવાદી એવો હશે જેને પાણીપુરી ભાવતી ન હોય. પરંતુ જરા વિચારજો, સ્વાદના ચટકામાં કયાંક તમે તમારા આરોગ્ય સાથે તો ચેડાં નથી કરી રહ્યાં ને?!
‘ડીબી ગોલ્ડે’ કરેલાં સ્ટિંગ ઓપરેશન પછી પાણીપુરી વિશેની જે હકીકતો સામે આવી છે, તે જોઇને તમને પાણીપુરી ખાતા સૂગ ચઢશે. જુઓ આ તસવીરો. પાણીપુરી બનવાની પ્રક્રિયા...


--અમદાવાદની પોલિયો ગ્રસ્ત સાહસીક યુવતી અંજુ મજીઠીયા કાર
આજ થી એક વર્ષ પહેલા સિટી ભાસ્કરમાં બન્ને પગે પોલિયા ધરાવતા કાર રાઇડર સમિર કક્કડનો લેખ છપાયો હતો. સમીર કક્કડ વિશે સિટી ભાસ્કરમા વાંચીને અંજુ મોટીવેટ થઇ અને એણે રિપોર્ટર કુલદીપસિંઘ પાસેથી સમિર કક્કડનો ફોન નંબર મેળવ્યો. કાર રેસિંગમાં મહારત ધરાવતા સમિર કક્કડે અંજુને ડ્રાઇવિંગની ટ્રેનિંગ આપી. આજે ડ્રાઇવિંગ શીખીને...

પ્રાદેશિક પાસપોર્ટ કચેરી ખુલે તેની રાહ જોઇને મધરાતથી જ પાસપોર્ટ મેળવવા ઝંખતા સંખ્યાબંધ લોકોની લાઇન તમે જોઇ જ હશે. પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા સામાન્ય માણસ માટે ઘણી દુષ્કર છે. જો કે, અમેરિકામાં બેઠેલા આપણાં જ એક ગુજરાતી મહાશયે રૂ.૫૦ હજારમાં પાસપોર્ટ કચેરીમાં હાજર રહ્યાં વગર ખોટા દસ્તાવેજોને આધારે આ દુષ્કર કાર્યને સરળ કરી બતાવ્યું છે.
૧૬મી નવેમ્બર ૨૦૦૯ની મધરાતે સરદાર...

Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








