ભાસ્કર ન્યૂઝ. આણંદ
આણંદ જિલ્લાના એક કૂખ્યાત સ્થળેથી કતલ કરાયેલા ગાયનાં માસ સાથે ચાર ઇસમને પકડવાના મામલે એક ઉચ્ચ પોલીસ અધિકારી અને આરોપીઓ પકડનારા પોલીસ જવાનો વચ્ચે ‘તું તું મૈં મૈં થતાં જવાનોના મોબાઇલ છીનવી લેવા સુધીની નોબત આવી ગઈ હતી.
આણંદ જિલ્લા પોલીસ જવાનોએ તાજેતરમાં કતલ કરાયેલી ગાયના માંસ સાથે કુલ ચાર ઇસમને ઝડપી પાડ્યાં હતાં. પોતાની હદ છોડી અન્યની હદમાં જઇ કામગીરી કરનારાં જવાનો સામે એક ઉચ્ચ અધિકારી ભડક્યાં હતાં. આરોપીઓને પકડનારાં પોલીસ જવાનોએ ફરિયાદમાં સત્તર હજારની રોકડ દર્શાવી...
ભાસ્કર ન્યૂઝ. પેટલાદ
પેટલાદ તાલુકાના સિંહોલ ગામની ધર્મશાળામાં શનિવારની સવારે અચાનક આગ ભભડી ઊઠતાં ંદોડધામ મચી ગઈ હતી. જો કે, આ આગ બુઝાઈ ગયાં બાદ ધર્મશાળાની માલિકીના મામલે ભારે ગરમાવો આવી ગયો હતો. આ મામલાને થાળે પાડવા મહેળાવ પોલીસે સમય સુચકતા વાપરી આગેવાનોને સમજાવ્યાં હતાં.
સિંહોલ ગ્રામ પંચાયતને અડીને આવેલી વર્ષો જૂની ધર્મશાળામાં તમાકુ ભરી...
ભાસ્કર ન્યૂઝ. પેટલાદ
પેટલાદ નગરપાલિકાની વિવિધ કમિટિઓની મુદત તા.૮મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ રહી છે, જે સંદર્ભે શુક્રવારના રોજ મળનારી સામાન્ય સભામાં નવી સમિતિની રચના કરવામાં આવશે. જોકે, દોઢ માસ અગાઉ જ બનનારી આ સમિતિમાં કશ્મકશ જોવા મળી હતી.
પેટલાદ નગરપાલિકાની પ્રથમ વર્ષની કમિટિઓના ચેરમેન અને સભ્યોની મુદત તા.૮મી ફેબ્રુઆરીનાં રોજ પૂર્ણ થઈ રહી...
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
નડિયાદ રેલવે તંત્રની બેદરકારીના કારણે ગોદીમાં ગરીબો માટે આવેલો ઘઉંનો જથ્થો ખાતરના જથ્થા સાથે ભળી ગયો હતો. સેંકડો મણ ઘઉંનો જથ્થો ખરાબ થઈ ગયો છે. રેલવેતંત્ર દ્વારા અનાજના પુરવઠા પ્રત્યેની બેદરકારીથી પ્રજાનો કોિળયો છીનવાઈ ગયો છે.
આ સંદર્ભે મળતી માહિતી અનુસાર નડિયાદ રેલવે ગોદીના પ્લેટફોર્મ પર ૧૪મી જાન્યુઆરીના રોજ સરકારી...
આણંદ. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા નિકુલ સુબોધચંદ્ર બ્રહ્નભટ્ટ ઉત્તરાયણપર્વ નિમિત્તે વિધ્યાનગર આવ્યો હતો. જયાં તા.૧૫મીએ તેનું કારમાં અપહરણ થયું હતું અને અપહરણકર્તાઓએ તેને બેઝબોલથી મારી હાથ-પગ ભાંગી નાંખ્યાં હતાં. આ અંગે નિકુલે વિધ્યાનગર પોલીસ મથકે શ્રીકૃષ્ણ પતંગ ભંડારવાળા મયુર પટેલ, તેનો પુત્ર ભાવેશ મયુર પટેલ અને ભાવેશનો મિત્ર...