બીજાઓને ખુશી આપી હંમેશા ખુશ રહેતી વ્યક્તિ જ સાચી ત્યાગી છે- અજ્ઞાત
પોતાની ખામી શોધી શકે તે મહાન છે, તેને દૂર કરે તે વધુ મહાન છે, પણ બીજાને ખામી સાથે સ્વીકારે તે સૌથી વધુ મહાન છે.- મહાવીર સ્વામી
આર્થિક નીતિઓનો ઝોક રાજા નહિ પણ પ્રજાલક્ષી હોવો જોઈએ.- ચાણક્ય
તમારો દુશ્મન જ્યારે ભૂલો કરી રહ્યો હોય ત્યારે તેના કામમાં અવરોધ ઊભો ન કરો.- નેપોલિયન