Nov 8th, 2009, 11:04 am [IST]
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતનું રાજકારણ(1947-1960)
આઝાદી બાદ સરદાર વલ્લભભાઇ પટેલે સૌથી મહત્વનો દેશી રાજ્યોમાં વિલીનીકરણનો પ્રશ્ન ઉકેલ્યો હતો. તેમાં જૂનાગઢના જોડાણનો પ્રશ્ન, સૌરાષ્ટ્રનું રાજકીય એકીકરણ, કચ્છની સાથે-સાથે દીવ, દમણ અને દાદરા-નગરહવેલીના મહત્વના પ્રશ્નોનો સમાવેશ થાય છે.
આઝાદી મળતાં જ સૌરાષ્ટ્રના દેશી રાજ્યો સ્વતંત્ર બન્યાં. સરદાર વલ્લભભાઇ પટેલના હસ્તે જામનગરમાં 14મી ફેબ્રુઆરી 1948ના રોજ ‘કાઠિયાવાડના...
રિયાસતી વહીવટ
અર્વાચીન કાળમાં રિયાસતોના વહીવટ દરમિયાન દેશી રાજ્યોને સાત વર્ગોમાં વિભાજિત કરવામાં આવતા હતા. જેમાં પહેલા અને બીજા વર્ગના રાજ્યોના રાજાઓને તોપની સલામી આપવામાં આવતી હતી. આ સિવાયના ત્રીજાથી પાંચમાં વર્ગનાં રાજાઓ તોપોની સલામી લેવાના હકદાર ગણાતા ન હતા. જેથી તેઓના રાજ્યો બિનસલામી રાજ્યો કહેવાતાં.
રાજ્યના વડા રાજા રહેતા. પ્રથમ અને દ્વિતિય વર્ગના રાજાઓને કાયદા ઘડવાની સત્તા હતી....
બ્રિટિશ વહીવટી તંત્ર
મરાઠા શાસનના અંતની સાથે જ ગુજરાતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા પ્રવર્તી. ઇ.સ. 1858માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી તાજે ભારતનો વહીવટ સંભાળી લીધો. આ સમયે તાજનું વહીવટી માળખું કંપની સરકાર જેવું હતું.
મુંબઇ ઇલાકાના ગવર્નરની નિમણૂક તાજ તરફથી કરવામાં આવતી હતી. આ સમયે મુંબઇ સરકારમાં ત્રણ સભ્યો રહેતા. જેમાં બહુમતીથી નિર્ણયો લેવામાં આવતા હતા. સચિવાલય દ્વારા લોકોનાં...
ગુજરાતમાં મરાઠા શાસન(ઇ.સ. 1757થી 1818)
ઔરંગઝેબના મૃત્યુ બાદ ધીરે-ધીરે ગુજરાતમાં મુઘલ શાસનનો અંત આવ્યો અને મરાઠા શાસનનો ઉદભવ થયો. છત્રપતિ શિવાજીએ ગુજરાત પર અવાર-નવાર આક્રમણો કર્યા અને ગુજરાતમાંથી અઢળક ધન લૂંટ્યું. શિવાજી સિવાય પણ અનેક મરાઠા સરદારોએ ગુજરાત પર આક્રમણોનો દૌર યથાવત રાખ્યો.
અઢારમી સદીના મધ્યભાગ સુધીમાં તો દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત પર મરાઠાઓનું વર્ચસ્વ સ્થપાઇ ગયું. જ્યાં મહી નદીની ઉત્તરનો પ્રદેશ...
shopping








