Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Divya Bhaskar

ધર્મની સાથે વિકસતા પિકનિક પોઈન્ટ તરીકે ઓળખાતું ગળતેશ્વરMonday, March 15, 2010 12:12 [IST]

galteswar111
ગાલવમુનિના તપથી અત્યંત પવિત્ર બનેલી તપોભૂમિમાં પ્રગટ ગંગાજી શિવજીને અભિષેક કરીને મહીસાગરને મળે છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી ૧૭ અને ઠાસરાથી ૬કિ.મી.ના અંતરે ઐતિહાસિક અને પવિત્ર તપોભૂમિ તરીકે ઓળખાતું ગળતેશ્વર મહાદેવનું અતિપ્રાચીન મંદિર આવેલું છે. મહીસાગર નદીના કિનારે પ્રાચીન રાજા ચંદ્રહાસના સમયની ચંદ્રાવતી નગરી અને ૧૦, ૧૧મા સૈકામાં ‘સરનાલ’ મોટું વેપારી મથક હતું. આ...
 
 
Divya Bhaskar

બેટ દ્વારકાSunday, March 14, 2010 19:01 [IST]

dw_boatpier1
ગુજરાત પાસે 1600કિમી જેટલો ભવ્ય દરિયાકિનારો છે જે વેપાર વાણિજ્ય માટે તો મદદરૂપ છે સાથે સાથે પ્રવાસીઓને પણ હરવા-ફરવા માટેના અનેક સ્થળો પુરા પાડે છે. ખાસ કરીને નાના-મોટા ટાપુઓ પ્રવાસીઓને અદ્ભૂત આનંદ પૂરો પાડે છે. આમાંનું એક સ્થળ છે બેટ દ્વારકા. જે એક નાનો ટાપુ છે. બેટ દ્વારકા ટાપુ પર પહોંચીને પર્યટકો તેમજ સાહસિકો દરિયાઇ સફર ખેડવાની મજા માણી શકે છે. ડોલ્ફિન જેવી મહાકાય માછલીના દર્શન...
 
 
danik bhaskar

ઐતિહાસિક સરદાર પટેલ સ્મારકSaturday, March 13, 2010 18:28 [IST]

સંગ્રહાલયમાં પ્રવેશતાની સાથે જ સરદારની વિશાળ પ્રતિમાના દર્શન થાય છે. અંદર પગ મૂકતાની સાથેજ જાણે સરદારના જીવનના અનેક ચિત્રો જોનારની આંખ સમક્ષ ખડા થઇ જાય તેવી ગોઠવણ કરવામાં આવી છે.



આઝાદી પૂર્વેની અને ત્યારબાદની ઐતિહાસિક ઘટનાઓની યાદો અપાવતું અને સરદાર પટેલ સહિત ભારતની આઝાદીની લડત સાથે જોડાયેલી વ્યક્તિઓના જીવનનું ઝાંખી કરાવતું સરદાર પટેલ સ્મારક અમદાવાદના શાહીબાગ...

sardar-patel-smarak-211
 
 
danik bhaskar

દાંડી યાત્રાના 80 વર્ષ પૂર્ણFriday, March 12, 2010 12:35 [IST]

દાંડી યાત્રાને આજે 80 વર્ષ પૂર્ણ થયા છે. મીઠું બનાવવા પર લાગેલા પ્રતિબંધના વિરોધમાં મહાત્મા ગાંધીજી દ્વારા દાંડી યાત્રા કાઢવવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી અને 25 દિવસ બાદ 241 માઈલ દુર પાંચ એપ્રીલે દાંડી પહોચ્યાં હતા.

દાંડીયાત્રાને મીઠાના સત્યાગ્રહના નામથી પણ ઓળખવામાં આવે છે. દાંડી યાત્રાને લઈને અલગ-અલગ પ્રકારના...

d31111112
 
 
danik bhaskar

પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલો પોશીનાનો દરબારગઢWednesday, March 10, 2010 16:05 [IST]

ચાલુક્યવંશના રાજાઓનો મહેલ હાલ હેરિટેજ હોટેલમાં સ્થાન પામ્યો છે. દરમિયાન તેમાં સમારકામ કરાવીને તેને વપરાશ માટે વધુ યોગ્ય બનાવવામાં આવી છે. અરવલ્લીની ગીરીમાળાઓથી ઘેરાયેલી આ હોટેલ અહીં આવનારા પ્રવાસીઓને પુષ્કળ પ્રમાણમાં કુદરતી નજારો પૂરો પાડે છે. તો સાથે સાથે મહેલની પોતાની ખૂબસુરતી પણ એટલી જ છે. સાબરકાંઠાના પોશીનામાં આવેલો દરબારગઢ ચાલુક્ય શૈલીનો ઉત્તમ નમૂનો છે. 12મી સદીમાં...
poshina-darbargadh-21
 
 
danik bhaskar

વૌઠાનો સુપ્રસિદ્ધ લોકમેળોTuesday, March 09, 2010 19:04 [IST]

કાર્તિકી અગિયારસથી કાર્તિકી પૂર્ણિમા સુધી ભરાતા આ મેળામાં ગુજરાતભરમાંથી લાખો લોકો આવે છે. જે આ સમયે ભરાતા મેળાનો લાભ તો લે જ છે સાથે સાથે પવિત્ર સપ્તસંગમના સ્થળે સ્નાન કરીને ઘન્યતા અનુભવે છે. ગુજરાતના ઉત્સવોમાં લોકમેળાનું આગવું સ્થાન છે. ગુજરાતની સંસ્કૃતિના સાચા દર્શન તેના ભાતીગળ મેળામાં થાય છે. આવો જ એક અનોખો મેળો છે વૌઠાનો મેળો. આ મેળો તેના પૌરાણિક માહત્મ્યની સાથે-સાથે...
051108-5_jpg[1]1
 
 
danik bhaskar

રુદ્ર મહાલયના કારણે પ્રસિદ્ધિ પામેલું સિદ્ધપુરMonday, March 08, 2010 16:18 [IST]

સિદ્ધપુરના હજારો બ્રાહ્મણોના સ્ત્રોતપાઠ અને પૂજા વગેરેનાં વર્ણનો પરથી ચોક્કસ લાગે છે કે આ સ્થળ બીજું સોમનાથ હતું ઐતિહાસિક અણહિલવાડ પાટણ પાસે અને સરસ્વતી નદીને કિનારે વસેલું અને રુદ્ર મહાલય, બિન્દુ સરોવર, તેમજ શિલ્પસમૃદ્ધિ અને કોતરણીવાળાં મકાનોના કારણે સુપ્રસિદ્ધ બનેલું સિદ્ધપુર આજે પણ ભૂતકાળમાંની તેની જાહોજલાલીનાં દર્શન કરાવે છે. સિદ્ધપુર માતૃગયા તીર્થ કહેવાય છે. જેમ...
rudramahalay-23[1]_21
 
 
danik bhaskar

સોમનાથSunday, March 07, 2010 15:07 [IST]

યાત્રાધામ સોમનાથ અમદાવાદથી લગભગ ૪૦૦ કિમી.જૂનાગઢથી ૭૫ કિમી.અને ચોરવાડથી ૨૫ કિમી.ના અંતરે આવેલું છે. સોમનાથ અરેબિયન સમુદ્રનાં કિનારે વસેલું છે, અને પયટર્કો માટે એક સુંદર રમણીય સ્થળ બની રહ્યું છે. ભગવાન શિવનાં બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ સોમનાથ ગણાય છે. સર્જનનાં સમયે સ્વયં ચંદ્રએ સોમનાથનું મંદિર બનાવ્યું હતું તેવી માન્યતા આજે પણ લોકોમાં પ્રવર્તે છે. સોમનાથ પાસે...
somnath1
 
 
danik bhaskar

શામળાજીનો કાર્તિકી મેળોFriday, March 05, 2010 15:57 [IST]

એક માન્યતા પ્રમાણે ભગવાન વિશ્વકર્માએ આ મંદિર એક જ રાતમાં બનાવ્યું હતું. અલબત તેનું કાર્ય પૂર્ણ થતા સવાર પડી ગઇ હોવાથી તેઓ મંદિરને તે અહીં જ છોડીને ચાલ્યા ગયા હતા. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામા આવેલા શામળાજીના મંદિરનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ અહીં ભરાતા શામળાજીના મેળાનું છે. કાર્તિક પૂર્ણિમા દરમિયાન અહીં દર વર્ષે મેળો ભરાય છે. જેમાં એકંદરે બે લાખ જેટલા લોકો આવે છે. ખાસ...
Melo-21[1]1
 
 
danik bhaskar

‘ચિત્ર વિચિત્ર મેળો’Wednesday, March 03, 2010 17:22 [IST]

મેળાનું નામ એ આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. તેના નામ સાથે એક લોકવાયકા જોડાયેલી છે. ચિત્રવિર્ય અને વિચિત્રવિર્ય એ બંને ભિષ્મના સાવકા ભાઇ-રાજા શાન્તનુના પુત્રો હતા. તેઓ મેળો ભરાય છે તે સ્થળ પર સ્થાયી થયા હતા અને અહીંના પાણીથી તેમના રોગોનો નાશ થયો હતો. જેનું નામ કૌતુકતા જન્માવે છે તેવો ‘ચિત્ર વિચિત્ર મેળો’ સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે. દરવર્ષે હોળી પછીની અમાસમાં આ મેળો ભરાય છે કે...
Untitled-51
 
 
danik bhaskar

રાજપૂતોના જીવનની ઝાંખી કરાવતો 'સરિતા માંડવી મહેલ'Tuesday, March 2, 2010 19:28 [IST]

ગુજરાતના ભવ્ય મહેલોમાંનો એક છે વડોદરાના ચાંદોદમાં આવેલો સરિતા માંડવી મહેલ. આ મહેલ ઓગણીસમી સદીના પાછળના ભાગમાં મહિડા રાજપૂતો દ્વારા બંધાવવામાં આવ્યો હતો. જે રાજપૂતોની જાહોજલાલીને પ્રતિબિંબિત કરે છે. આ મહેલ થકી રાજપૂતોની અદ્ભૂત સંસ્કૃતિનો પણ ખ્યાલ આવે છે.



મહેલના મુખ્ય દરવાજા નજીકના પાળિયાઓ પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. જ્યારે મહેલની મધ્યમાં આવેલા...

new-111
 
 
danik bhaskar

અમદાવાદના હેરિટેજને માણવાનો માર્ગ : હેરિટેજ વૉકSunday, February 28, 2010 16:36 [IST]

વૉકમાં જોડાયેલા સ્થાપત્યપ્રેમીઓ અમદાવાદના ભવ્ય વારસા સમી પોળો, હિન્દુ-મુસ્લિમ મંદિરો, જૈન મંદિરો સહિત રૂટમાં આવતા ઘણાં બધા એવા સ્થળોની મુલાકાત લે છે જે અમદાવાદની ઓળખ છતી કરે છે.



અમદાવાદના હેરિટેજને જાણવા અને જોવા માટેનો એક ઉપાય છે હેરિટેજ વૉક. જેનો લ્હાવો મોટાભાગના અમદાવાદીઓએ લીધો નહીં હોય. એવું ઘણીવાર બને છે કે આપણને જે વસ્તુઓ સહેલાઇથી મળતી હોય છે તેની આપણને કિંમત નથી...

Dal[1]11
 
 
danik bhaskar

આતશબાજી સાથે અમદાવાદના જન્મદિનની ભવ્ય ઉજવણીSaturday, February 27, 2010 21:21 [IST]

અમદાવાદની સ્થાપનાનાં ૬૦૦ વર્ષની રિવરફ્રન્ટ પર આતશબાજી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તસવીરો શૈલેષ સોલંકી અને વિજય ઝવેરી

















abd2811
 
 
danik bhaskar

અમદાવાદ પર તૈયાર થઇ મ્યુઝિકલ ફિલ્મSaturday, February 27, 2010 21:23 [IST]

‘‘હેપી બર્થ ડે ટુ યુ અમદાવાદ... હેપી બર્થ ડે ટુ યુ..., અહમદ શાહનું અમદાવાદ , મારું તમારું અમદાવાદ, સૌનું વહાલુ અમદાવાદ, શહેર મજાનું અમદાવાદ... આ એ નગર જેની ભીતર પોળો અને ખડકીના ઘર...’’ આ ગીતના બોલ સાંભળતા જ જૂના અને નવા અમદાવાદની એક ઝલક આંખો સમક્ષ તરી આવે છે.



અમદાવાદના આવા ૬૦ લોકેશનની ૯૦૦ જેટલી ઝલકને ક"મેરામાં કેદ કરીને મ્યુઝિકલ ફિલ્મ બનાવવામાં આવી છે.



અમદાવાદની ૬૦૦...

musical_film_ahmedabad1
 
 
danik bhaskar

છસ્સો વર્ષનું અમદાવાદSaturday, February 27, 2010 21:24 [IST]

પાંચ અક્ષરના નામવાળું ૬૦૦ વર્ષનું અમદાવાદ માત્ર અમદાવાદીઓની જ નહીં, બલકે સમગ્ર દેશની વિરાસત છે. અમદાવાદના ઇતિહાસના તો પાનાં ભરાયા છે. ઇમારતો કહો કે કળા, સાહિત્યકારો હોય કે નાટક, કે પછી વિજ્ઞાન કે ઉચ્ચ અભ્યાસ, અમદાવાદ માઇલસ્ટોન રહ્યું છે. ફિલોસોફિકલી જોઇએ તો આ શહેર સમ્યક ભાવે જીવ્યું છે.



અમદાવાદના વેજલપુર રેલવે ક્રોસિંગથી આગળ જુહાપુરા જતાં સોનલ સિનેમાવાળા રસ્તે એક નાનું...

Ahmedabad11
 
 
danik bhaskar

એમ.જે. પુસ્તકાલયમાં જોવા મળશે અમદાવાદSaturday, February 27, 2010 21:31 [IST]

ગઇકાલે અને આજેઅમદાવાદની વર્ષગાંઠના પ્રસંગે તેની  ઐતિહાસિક તસ્વિરો તથા પુસ્તકોનું પ્રદર્શન

માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશના અતિ મહત્વના શહેર અમદાવાદની સ્થાપનાને ૨૬મી ફેબ્રુઆરીના રોજ ૬૦૦ વર્ષ પુરા થઇ રહ્યા છે અને જાણેકે આખુ અમદાવાદ તેની ૬૦૧માં બર્થડે ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા છે . ત્યારે અમદાવાદની રજે રજની માહિતીનો જયાં ફોટા અને પુસ્તકોના રૂપમાં સંગ્રહ કરવામાં આવ્યો...

abad_011
 
 
danik bhaskar

રાજા રણછોડરાયનું પાવન તીર્થ ડાકોરMonday, February 22, 2010 10:59 [IST]

પુરાતન કાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર અને ગુજરાતનું કાશી ગણાય છે. ડાકોર અમદાવાદથી આશરે ૭૫ કિ.મી., નડિયાદથી ૩૮ અને આણંદથી ૩૦ કિ.મી. દૂર આવેલું છે. ડાકોર હવે એક્સપ્રેસ હાઇવેના કારણે દર્શનાર્થીઓને જવા-આવવા માટે વિશિષ્ટ રીતે અનુકૂળ ધાર્મિક સ્થળ બની ગયું છે. આ સમગ્ર વિસ્તાર કેસૂડા (ખાખરા)થી છવાયેલો હતો. ડાકોર ભારતનું એક પવિત્ર તીર્થક્ષેત્ર ગણાય છે. શેઢી નદીના કાંઠે વસેલા ડાકોરમાં...
dakor-21
 
 
danik bhaskar

વલસાડનું તિથલMonday, February 15, 2010 11:33 [IST]

વલસાડનું તિથલ બન્યું તીર્થસ્થળ તિથલના શાંત અને રમણીય દરિયાકિનારે મોટી સંખ્યામાં ઊમટી પડતાં પયટર્કો તિથલ કિનારે આવેલાં ત્રણ તીર્થધામો સાંઈમંદિર, શાંતિનિકેતન અને સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેવાનું પણ ચૂકતા નથી. વલસાડી હાફૂસ કેરીના લીધે મેંગો સિટી તરીકે જગપ્રસિદ્ધ થયેલા વલસાડની પશ્વિમે ચાર કિ.મી.ના અંતરે ઘૂઘવતો અરબી સમુદ્ર તિથલ બીચ તરીકે પયટર્કોની સાથે સાથે શ્રદ્ધાળુ...
untitled1
 
 
danik bhaskar

વાવની રાણી : રાણીની વાવWednesday, February 10, 2010 16:21 [IST]

આ પગથિયાંવાળી વાવનું આખુંય સ્થાપત્ય હિંદુ ધર્મના મંદિરના સ્મારક સમું અનેક દેવ-દેવીઓની મૂર્તિઓથી સમૃદ્ધ છે. પગથિયાં ઊતરતા સામેની પશ્વિમ દિશાની દીવાલ પર સહસ્ત્રફણા નાગની શૈયા પર સૂતેલા વિષ્ણુની કોતરણીવાળો ગોખ આજે પણ એટલો જ જીવંત લાગે છે. ભારત સદીઓ જૂની સંસ્કૃતિ, સ્થાપત્ય, કલાકૃતિનો વારસો લઇને આજે પણ દેશ-પરદેશના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાતને પોતાની આગવી...
Yatra_11
 
 
danik bhaskar

પ્રવાસીઓનું આકર્ષણ : બાલારામ પેલેસSaturday, February 06, 2010 18:49 [IST]

આ પરિવાર પેલેસનો ઉપયોગ તે સમયે વિકેન્ડ હન્ટિંગ માટે કરતો હતો. જેણે બાદમાં હેરિટેજ રીસોર્ટનું સ્વરુપ ધારણ કરી લીધું. હાલ આ જગ્યા ખાનગી સંચાલન હસ્તક છે. વિદેશીઓ કંઇ એમ જ ગુજરાત રાજ્ય તરફ આકર્ષાતા નથી. ગુજરાત પાસે ભવ્ય કલા-સંસ્કૃતિ અને સ્થાપત્યનો ઐતિહાસિક વારસો છે જે અનેક સહેલાણીઓને તેની તરફ આકર્ષે છે. અનેક ધાર્મિક સ્થાપત્યો સહિત રાજા-રજવાડાઓના વિશાળકાય મહેલો જોનાર સામે આજે પણ...
balaram-palace-night1
 
 
danik bhaskar

અમદાવાદનું ગૌરવ હાઉસ ઑફ એમ.જી. (અગાશિયે)Saturday, February 6, 2010 17:39 [IST]

કોઇ વિદેશી અમદાવાદની મુલાકાતે આવ્યા હોય, જો અમદાવાદની પોળોના કલાત્મક બાંધકામથી અંજાઇ ગયા હોય અને તેમણે હાઉસ ઓફ એમ.જી.ની મુલાકાત ન લીધી હોય તો તેમની અમદાવાદની સફર અધુરી ગણાય. જી હા, ‘ધ હાઉસ ઓફ મંગળદાસ ગીરધરદાસ’ જે અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં આવેલું છે. અમદાવાદની સૌથી પ્રસિદ્ધ એવી સીદી સૈયદની જાળીની બરાબર સામે આવેલું હાઉસ ઓફ એમ.જી. એક સમયે વીસમી સદીના અમદાવાદના બિઝનેસમેન...

mg-1111111
 
 
danik bhaskar

શહેરીકરણમાં લાલ દરવાજા કુરબાન થયાSunday, February 28, 2010 15:56 [IST]

૨૬મીએ ૬૦૦ વર્ષના થઈ રહેલા અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ‘લાલ દરવાજા’ કયાં છે? ૧૪૧૧માં અમદાવાદ વસાવનાર કુત્બુદ્દીન અહેમદશાહ બાદશાહ દ્વારા નિર્માણ પામેલા લાલ દરવાજા, બાદશાહના ભદ્રના કિલ્લા તરફ દોરી જતા ૧૦૦ મીટરથી પણ વધુ લાંબા માર્ગની શરૂઆતમાં બનાવાયા હતા.

તે આંધળા શહેરીકરણનો ભોગ બની જતાં ઇતિહાસમાં વિલીન થઈ ગયા છે. એટલું જ નહીં તે જમાનાની જાહોજલાલી દર્શાવતા કિલ્લા...

lal1111
 
 
danik bhaskar

જામનગરનો લખોટા પેલેસWednesday, February 03, 2010 18:09 [IST]

દુષ્કાળગ્રસ્તોને રાહત મળી રહે તે હેતુથી જામ રણમલજીના આદેશથી લખોટા ટાવર બંધાવવામાં આવ્યું હતું. જેથી અસરગ્રસ્તોને સહાય મળી રહે. ગુજરાત આજે પણ તેના અનેક ભવ્યાતિભવ્ય સ્થાપત્યોને કારણે દેશ-વિદેશમાં જાણીતું છે. સમયાંતરે બદલાતા જતા શાસન હેઠળ ગુજરાતમાં કેટલાય બહુમુલ્યવાન સ્થાપત્યોનું નિર્માણ થયું છે. અહીં અલગ-અલગ સ્થાનો પર બંધાયેલા આ સ્થાપત્યો આજે પણ જે-તે સમયના રાજા-રજવાડાઓની...
lakhota-palace-21
 
 
danik bhaskar

શિલ્પકળાનું સુંદરધામ શામળાજીMonday, February 1, 2010 13:24 [IST]

ગુજરાતમાં પંદરમી સદીમાં બંધાયેલાં મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે. જોકે અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે પણ મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે. ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યાં છે પણ તે મૂળને અનુરૂપ હોય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે.



રાજસ્થાન સરહદે સાબરકાંઠા...

shamlaji11
 
 
danik bhaskar

સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ તારંગાMonday, January 18, 2010 11:10 [IST]

સાત ગુંબજ ધરાવતા આ મંદિરમાં ભગવાન અજિતનાથની ૨.૭૫ મીટર એટલે કે નવ ફૂટની શ્વેતવર્ણની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. મંદિરની જમણી બાજુ ભગવાન આદિનાથની મૂર્તિ તથા ડાબી બાજુ ગૌમુખજી અને ખુલ્લું વ્યાખાન કક્ષ આવેલા છે. આ ઉપરાંત વસ્તુપાળે તારંગાના અજિતનાથ ચૈત્યમાં આદિનાથ અને નેમિનાથનાં બિંબ (ઇ.સ.૧૨૨૮) સ્થાપ્યાનો પણ શિલાલેખ મળ્યો છે. ત્યાર બાદ ઇ.સ.૧૫૮૬માં તારંગાના મોટા મંદિરની...
taranga1
 
 
danik bhaskar

સંસ્કૃતિનું સુરક્ષા કવચ : દરવાજાSunday, February 28, 2010 16:15 [IST]

દરવાજો જીવનનો અવિભાજય શબ્દ છે, પૃથ્વી પરનો દરેક માનવહાથ દરવાજાને સ્પર્શથી ઓળખે છે. દરવાજો વિશ્રામ સ્થળનું સુરક્ષા કવચ છે. દરવાજો સ્વપ્નનું પ્રવેશદ્વાર છે, દરવાજો લક્ષ્યબિંદુની શરૂઆત છે, દરવાજો વિશ્રાંતિનું વટવૃક્ષ છે, દરવાજો વિરામનું અલ્પવિરામ છે, દરવાજો પૂણાર્હુતિનું વિરામ સ્થાન છે, દરવાજો સફળતાની શરૂઆત છે, દરવાજો અંતનો સાક્ષાત્કાર છે, દરવાજો ઊઘડે છે, અટકે છે, વિરમે, બંધ...

rajkot11
 
 
danik bhaskar

સેવ હેરિટેજSaturday, January 09, 2010 12:29 [IST]

દેશભરની કોલેજ અને યુનિવર્સિટીઝમાં યુવા દિવસને આ વખતે નેશનલ હેરિટેજના રૂપમાં મનાવવામાં આવશે. આજની યુવા પેઢીને સ્વામી વિવેકાનંદના સંસ્કારોથી પરિચિત કરાવવા માટે (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) યુજીસીની બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બારમી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ હોય છે, જેને યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. અત્યારના સમયમાં યુવાઓ...
Save-Heritage1
 
 
danik bhaskar

ગાંધી આશ્રમTuesday, January 05, 2010 18:18 [IST]

અનેક ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી સમા ગાંધી આશ્રમની સ્થાપના 1917માં સાબરમતી નદીના કાંઠે કરવામાં આવી હતી. આ આશ્રમ વર્ષ 1930 સુધી ગાંધીજીનું નિવાસસ્થાન રહ્યું હતું. આ આશ્રમને હરિજન આશ્રમ અને ગાંધી આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ આશ્રમ ખેડા સત્યાગ્રહ, દાંડીકૂચ, કાપડમીલ કામદારોનો સત્યાગ્રહ વગેરે ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી છે. મીઠાના સત્યાગ્રહ માટે કરવામાં આવેલી મહત્વની દાંડીકૂચની શરુઆત...
gandhi-ashram1
 
 
danik bhaskar

ઉત્કંઠેશ્વર મહાદેવMonday, January 04, 2010 17:54 [IST]

પુરાણકાળમાં કાશ્યપગંગાને નામે અને હાલ વાત્રકને નામે ઓળખાતી પવિત્ર નદીના તટમાં બંધાયેલ આ મહાદેવનું શિખરબદ્ધ મંદિર નદીના તટમાં પ્રવેશદ્વાર ધરાવે છે અને ૧૦૮ પગથિયાંવાળું ચૂનાના મોટા પરથાર પર બાંધેલું છે. જ્યાં ઋષિશ્રી જાબાલિની પ્રતિમા છે. કહેવાય છે કે, મહામુનિ જાબાલિ ઉત્તર ભારતના કાશીથી આ લિંગ લાવેલા અને જાબાલિ ઋષિની ઉત્કંઠાથી સ્વયં દર્શન આપેલા હોવાથી ઉત્કંઠેશ્વર કહેવાય છે....
Utkantheswar1
 
 
danik bhaskar

ઝૂલતા મિનારાSaturday, January 02, 2010 18:42 [IST]

અમદાવાદના ઝૂલતા મિનારા અઢારમી સદીની અમદાવાદની ઓળખ છે. આ મિનારા વિશે કહેવાય છે કે તેની ઉપર ચઢીને તેને હલાવવાથી બીજો મિનાર પણ હલતો હોય તેવું લાગે છે. માટે જ આ મિનારાને ઝૂલતા મિનારા કહેવાય છે. જો કે સમયની સાથે આ મિનારાઓની ઓળખ અને હયાતિ પણ ઝાંખી થઇ છે. ઇરાનમાં આ પ્રકારના મિનારા હોવાનું જાણકારોનું કહેવું છે. તેથી એક તારણ એવું પણ કાઢવામાં આવે છે કે ઝૂલતા મિનારાનું ઉદભવસ્થાન ઇરાન છે....
untitled1
 
 
danik bhaskar

માંડવીMonday, December 28, 2009 16:00 [IST]

માંડવી બીચ ઘણો જ રમણીય અને વિશાળ તટ ધરાવતો બીચ છે. અહિયાંના સમુદ્ર તટ પર પવન ચક્કીઓ પણ મોજુદ છે. ૧૭૪૧-૬૦ ઇ.સ.માં બનેલો આયના મહેલની કલાકૃતિ અને કારીગરી ઉત્તમ છે. આ મહેલમાં જટિલ પથ્થરોથી બનાવાયેલી મૂર્તિઓ બેનામૂન છે. આ મહેલની બહાર સમુદ્ર તટ પર સ્વામિનારાયણ મંદિર મોજુદ છે. માંડવીમાં જોવા લાયક ઘણા મંદિરો પણ છે. માંડવી જવા માટે ઉત્તમ સીઝન ઓક્ટોબરથી માર્ચ છે. માંડવી અમદાવાદથી ૪૪૬ કિ.મી.ની...
mandvi-1
 
 
danik bhaskar

ચોટીલાSunday, December 27, 2009 14:54 [IST]

ચામુંડા માતાજીના ડુંગરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. વર્ષો પહેલાં ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાતદિન ભક્તિ-પૂજા કરતાં મહંત ગોસાઇ પરિવારના વડવા સ્વ.ધનબાઇ માતા એક વખત વહેલી પરોઢે ડુંગર ઉપર ચામુંડા માતાજીની ભક્તિમાં લીન હતાં ત્યારે અચાનક જ એક ઋષિમુનિ જેવા દેખાતા સાધુપુરુષે ધનબાઇ માતાને ‘અહીં એક મોટો કુંડ હતો તેનું શું થયું’ તેમ...
chotila1
 
 
danik bhaskar

ઐતિહાસિક સીદીસૈયદની જાળીMonday, December 21, 2009 19:19 [IST]

અમદાવાદ શહેરમાં અનેક એવા મુસ્લિમ સ્થાપત્યો છે જેના લીધે અમદાવાદ જગવિખ્યાત બન્યું છે. આમાંની એક મસ્જિદ લાલદરવાજા વિસ્તારમાં આવેલી સીદીસૈયદની મસ્જિદ. આ મસ્જિદ તેમાં કોતરાયેલી એક જાળીના કારણે ખૂબજ પ્રખ્યાત બની છે. આ જાળી સીદીસૈયદની જાળીના નામે ઓળખાય છે. સીદી સૈયદનીજાળી મસ્જિદની એક દિવાલ પર કોતરવામાં આવી છે. જેને રસ્તે આવતા જતાં લોકો બહારથી પણ નિહાળી શકે છે. જાળીનું કોતરકામ...
2231
 
 
danik bhaskar

જૈનોનું જેસલમેર તીર્થSaturday, December 19, 2009 18:03 [IST]

રાણા જેસલજીને તેમના ભત્રીજા ભોજદેવ રાવળ સાથે અણબનાવ થતાં-રાણાએ ભોજદેવ સાથે લડાઇ કરી તેને હરાવીને લોદ્રવપુરના મંદિરમાં રહેલ ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પોતાની સાથે લાવીને જેસલમેરના મુખ્ય મંદિરમાં બિરાજમાન કરેલ છે. રેતીની બનેલી આ પ્રતિમા ઉપર મોતીનો લેપ કરેલ હોઇ દૂરથી જોતા પણ પ્રતિમા અત્યંત ભવ્ય અને પ્રભાવશાળી લાગે છે. ઉપરાંત આજે પણ મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન વીસ...
yatra-11
 
 
danik bhaskar

વડોદરાનું મહારાજા ફતેસિંહ મ્યુઝિયમSaturday, December 19, 2009 13:44 [IST]

ગુજરાતનાં બરોડામાં આવેલું મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. તે લક્ષ્મીવિલાસ પેલેસના ગ્રાઉન્ડમાં વિસ્તરેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના સન ૧૯૬૧માં કરવામાં આવી હતી. આ પહેલા મ્યુઝિયમની જગ્યા પર શાળા હતી. હાલ આ મ્યુઝિયમનું સંચાલન ખાનગી ટ્રસ્ટ કરે છે.



ફતેસિંહ સંગ્રહાલય તેની આધુનિક ગોઠવણીને કારણે ઘણું જાણીતું છે. તેમાં ઘણી દુર્લભ કૃતિઓ જોવા મળે છે. ...

jagatne-jano_111
 
 
danik bhaskar

પારસીઓનું આગમન સ્થળ : સંજાણ બંદરMonday, December 14, 2009 19:06 [IST]

હાલ ગુજરાતમાં જ નહીં ભારતભરમાં ઠેર-ઠેર મીઠું ગુજરાતી બોલતા પારસીઓ જોવા મળશે. આ પારસીઓએ ભારતમાં પ્રવેશ સમયે સૌથી પહેલો પગ મૂક્યો હતો સંજાણના બંદરે. વર્ષો પહેલા દસ્તુરાન દસ્તુર નેરયોસંગ ધવલની આગેવાનીમાં સંજાણના કિનારે આવી પહોંચ્યાં હતા. તે સમયે ત્યાં જાદી રાજાનું રાજ્ય હતું. આ રાજાએ પારસીઓને પોતાના રાજ્યમાં રહેવાની પરવાનગી આપી હતી. આમ ધીરે-ધીરે ભારતભરમાં પારસીઓની વસ્તી...
Untitled-131
 
 
danik bhaskar

ઐતિહાસિક નગર ચાંપાનેરSaturday, December 12, 2009 18:33 [IST]

એક સમયે આ નગર જાહોજલાલીથી ધબકતું હતું. અનેક સ્થાપત્યો આ નગરની ઓળખ અને આકર્ષણ હતા.. અલબત હાલ તેની હાલત અત્યંત અસ્ત-વ્યસ્ત છે. તેમ છતાં સ્થાપત્યો જોવાલાયક છે. અહીંનું સૌથી મોટું આકર્ષણ છે જામા મસ્જિદ. મસ્જિદ કુલ 172 પિલ્લર પર ઉભી છે. આ મસ્જિદનું બાંધકામ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. આ નગરને સંરક્ષિત સ્થળ તરીકે જાહેર કરાયું છે. નગરનું સ્થાપત્ય વડોદરા સ્થિત આર્કિયોલોજિકલ સર્વે ઓફ...
img-champaner[1]1
 
 
danik bhaskar

રાજવંત પેલેસFriday, December 11, 2009 17:10 [IST]

અહીંની સગવડો અત્યંત આધુનિક કક્ષાની છે. આ પેલેસનાં ઘણા વિશાળ ખંડો છે જેમાંથી અમુક ખંડ અંગત મ્યુઝિયમ તેમજ રાજવીઓએ વિવિધ કાર્યોમાં મેશવેલી ટ્રોફીઓ તેમજ વિજય-અમરામ તેમજ આખેટનાં શિકારની ગાથાઓ કહેતા હિંસક પશુઓનાં મસ્તક માટે સાચવી રાખ્યા છે. અન્ય ખંડમાં નયનરમ્ય રીતે રાચ-રચીલું ગોઠવવામાં આવ્યું છે. જે સહેલાણીઓ માટે છે. પેલેસમાં એક સુંદર રેસ્ટોરન્ટ છે જેમાં વિવિધતાસભર વાનગીઓ મળે છે....
Untitled-11
 
 
danik bhaskar

સાદ દે છે પોશીનાMonday, December 07, 2009 10:28 [IST]

સાબરકાંઠામાં આવેલું પોશીના અરાવલીની પર્વતમાળાઓથી છવાયેલું ઘણું જ સુંદર અને લાવણ્યમય છે. પોશીનામાં આદીવાસી વસ્તી હોવાથી એમના નૃત્ય અને સંસ્કૃતિ વિશે જાણી શકાય છે. ગુજરાતનાં ટ્રેડીશન માણી શકાય એવી ઘણી હોટલો અને સ્થળો પણ છે તેમ અહીં પણ સફેદ મારબલથી બનાવેલા દરબારગઢ એની ઉત્તમ કારીગરી માટે મશહૂર છે. પોશીનામાં ફાઈબલ ડાન્સ, ઊંટસવારી, સાઈટસીન, બાણવિદ્યાથી માંડીને અલગ અલગ સુવિધાઓ...
POSHINA1
 
 
danik bhaskar

ખાનપુર દરવાજો - દયા નહીં કાળજીની જરૂર છેSaturday, December 05, 2009 15:26 [IST]

આ ઐતિહાસિક દરવાજો પણ શહેરને નદી સાથે જોડતો દરવાજાની બહાર નદી કિનારે માટીની ભેખડો આવેલી હોઈ ૧૯૦૦ આસપાસ અહીં કુંભારોની ખાસ વસ્તી હતી અને માટીના ઘરવપરાશના સાધનો માટલા-કુંડા-કુંજા-કોડિયા વગેરેનું ખાસ બજાર વિકસ્યું હતું. આજે અહીં... ઘણીબધી ભવ્ય હોટેલો આવેલી હોવા છતાં દરવાજાની હાલત દયાજનક છે. ઐતિહાસિક વારસાને જાણી જોઈને નજર અંદાજ કરવામાં આવે છે તેવી આપણને લાગણી થાય છે. કલ ઔર આજ :...
011
 
 
danik bhaskar

ત્રણ દરવાજા: બાદશાહની અવર જવર માટે વપરાતોFriday, December 04, 2009 16:33 [IST]

મોગલકાળ અને સુલતાન કાળમાં ભદ્રના કિલ્લામાં રહેતા સત્તાધીશોને રક્ષણ આપતો ભદ્રનો કિલ્લો તેનું આ ઐતિહાસિક પ્રવેશદ્વાર હતું. ત્રણ દરવાજાની રચના એની કોતરણી નાજુકતા તથા ગૌરવભરી માવજત એ સમયની ભવ્ય જાહોજલાલીનાં દર્શન કરાવે છે. ત્રણ દરવાજા વચ્ચેનો દરવાજો જરા વિશાળ છે. બાદશાહ તથા સત્તાધીશોની અવર-જવર માટે આ દરવાજો વપરાતો. આજુબાજુના બે દરવાજાઓમાં એક નાગરિકો માટે જ્યારે બીજો ત્યાં...
new1
 
 
danik bhaskar

રાયખડ દરવાજા: એક સમયે જયાં સૈનિક અડ્ડો હતોFriday, December 4, 2009 16:29 [IST]

અમદાવાદનો ઐતિહાસિક રાયખડ દરવાજો પણ નદીને શહેર સાથે જોડે છે. નદી કિનારેથી હુમલો ન થાય તે માટે અહીં એક જ કમાન વાળો દરવાજો એક સૈનિક આ જેવો હતો. આજુબાજુ સૈનિકો બેસતા,બાજુમાં જ ગાયકવાડની હવેલી હતી જેથી વિશેષ સૈનિકબળ પણ રહેતું.



પણ બીજી બાજુ આજે આ દરવાજાને શોધવો મુશ્કેલ પડે એવી હાલત છે. દરવાજા તરફ જતાં રસ્તા સાંકડી ગલી જેવા થઇ ગયા છે. ઠેર ઠેર દબાણો છે. રસ્તાઓ વચ્ચે લોકોએ ઝૂંપડાઓ...

0111
 
 
danik bhaskar

સોલંકીયુગનું ઉત્તમ સ્થાપત્ય : રાણકીવાવMonday, November 30, 2009 18:59 [IST]

પાટણની રાણકીવાવ સોલંકી યુગના ઉત્તમ સ્થાપત્યો પૈકીની એક છે. આ વાવ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતિએ પતિ ભીમદેવના અવસાન બાદ તેમની યાદમાં બંધાવી હતી. આ સ્થળનું બાંધકામ જોતા રાણી ઉદયમતિએ રાણકીવાવને માત્ર વાવનું સ્વરુપ જ નહીં અપાવતા તેને જાણે કે યાત્રાના સ્થળ તરીકે બંધાવી હોવાનું માલુમ પડે છે.રાણકીવાવ 20 મીટર પહોળી અને 65 મીટર જેટલી લાંબી છે. વાવના કુલ ત્રણ પ્રવેશ...
ranki-vav11
 
 
danik bhaskar

ગુજરાતના રાજમહેલોSaturday, November 28, 2009 13:47 [IST]

ગુજરાતમાં લગભગ સોએક મહેલો હયાત હશે. તેમાંથી ત્રીસેક મહેલો હોટેલ, રિસોર્ટ, ફિલ્માંકન વગેરે વાણિજય વિષયક ઉપયોગોમાં લેવાય છે. હેરિટેજ હોટેલોનું એસોસિયેશન અને ચેઇન છે. છતાં રાજસ્થાનની હેરિટેજ હોટેલ્સ જેટલો બિઝનેસ ગુજરાતના આ મહેલો કરતા નથી તેનાં કારણોમાં વિમાન મથકથી અંતર, મહેલને આજુબાજુનાં વાતાવરણ (એમ્બિયન્સ)નો અભાવ, સ્ટાફમાં તહેજીબ અથવા અદબનો અભાવ, રહેઠાણ સિવાયની પ્રવત્તિઓ...
samudra-4-copy1
 
 
danik bhaskar

દ્વારકાધીશ મંદિરFriday, November 27, 2009 18:54 [IST]

દ્વારકાનું ઐતિહાસિક મંદિર સમુદ્ર સપાટીથી 200 ફૂટની ઊંચાઇએ આવેલું છે. મંદિરનું સ્થાપત્યની દ્રષ્ટિએ પણ ખૂબજ મહત્વ છે. આકર્ષિત કોતરણીઓથી તૈયાર થયેલું સમગ્ર મંદિર 60 જેટલા થાંભલાઓ પર ઉભુ કરવામાં આવ્યું છે. મંદિરને બે મુખ્ય દરવાજા છે. સ્વર્ગદ્વાર અને મોક્ષ દ્વાર. ભક્તો સ્વર્ગ દ્વારમાંથી મંદિરમાં પ્રવેશ મેળવે છે અને મોક્ષ દ્વારમાંથી મંદિરની બહાર નીકળી શકે છે. મંદિરની બહાર નીકળતા જ...
dwarka1
 
 
danik bhaskar

ધ રોયલ રેસિડન્સી એન્ડ ધ રોયલ ઓએસીસ હેરિટેજ હોટલMonday, November 23, 2009 19:08 [IST]

વાઇસરોય, કરમચંદ, દેશના પ્રથમ ગવર્નર જનરલ... તમને થશે કે અહીં શા માટે આ નામોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તો તમને જણાવી દઇએ કે હોટલના પ્રત્યેક રોયલ-સ્યૂટને આવા વિશેષ નામથી ઓળખવામાં આવે છે. કારણ કે આ તમામ મહાનુભાવો વાંકાનેરના રાજવીઓના મિત્રવર્તુળમાં હતા. આવા અહીં કુલ બાર સ્યૂટ્સ છે. જેમાં ખાસ કરીને ‘જ્વેલ ઇન ધ કાઉન‘ સ્યૂટ રાજવી ઘરાનાની શાનોશૌકતની યાદ અપાવે તેવું છે. ખાસ કરીને વૈભવી...
untitled21
 
 
danik bhaskar

રમણિય સ્થળ-કબીરવડFriday, November 20, 2009 18:59 [IST]

તેમણે વડની એક સૂકી ડાળખી જમીનમાં રોપી અને એવો સંકલ્પ કર્યો હતો કે પુનિત ચરણકમળમાં સ્પર્શથી આ સૂકી ડાળ નવપલ્લિત બને અને તેને કુંપળો ફુટે. વર્ષો સુધી ત્યાં અનેક સાધુ સંતો આવ્યા અને ગયા પરંતુ તે ડાળખીઓ નવપલ્લતી થઈ નહી. જીવો અને તત્વો વૃદ્ધ થયા.બંન્ને ભાઈઓની ઈચ્છા પૂરી થશે કે કેમ તેવો પ્રશ્ન લોકોના મનમાં સતાવતો હતો. ત્યારે કોઈ સાધુએ એવા સમાચાર આપ્યા કે કાશીનગરીમાં એક તેજપુંજ સમા...
8ed82a342b0a38bee20791145cd1
 
 
danik bhaskar

જૈન ધર્મનું સુપ્રસિદ્ધ તીર્થધામ મહુડીWednesday, November 18, 2009 16:04 [IST]

આ સુપ્રસિદ્ધ મંદિરનો ઇતિહાસ જોઇએ તો સેંકડો વર્ષ પૂર્વે પ્રાચીન મહુડી ગામમાં પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરને કારણે મહુડી ગામ ભયમાં આવી જતા અગ્રણી જૈનોએ નવું ગામ વસાવી ત્યાં વસવાટ કરી નૂતન જિનાલય બનાવી મૂળ નાયક પદ્મપ્રભુસ્વામી, આદેશ્વરસ્વામીની પ્રતિષ્ઠા સવંત ૧૯૭૪માં માગશર સુદ ૬ના દિવસે આચાર્ય બુદ્ધિસાગર સુરિશ્વરજી દ્વારા કરવામાં આવી...
mahudi71
 
 
danik bhaskar

ડાકોરના રણછોડરાયTuesday, November 17, 2009 18:54 [IST]

આ મંદિર પાછળ એક વાર્તા સંકળાયેલી છે. ડાકોર પહેલા ડંકપુરના નામે ઓળખાતું હતું. ત્યાં એક કૃષ્ણ ભક્ત બોડણો રહેતો હતો જે દર પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને ભગવાનના દર્શનાર્થે જતો હતો. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી સહન ના થઇ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. બોડાણાએ આ અંગે બધાને વાત કરી. દ્વારકાનાં પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા,...
14[1]1
 
 
danik bhaskar

ગાંધીનગરનું અક્ષરધામ મંદિરSunday, January 10, 2010 10:45 [IST]

ભગવાન સ્વામિનારાયણે બાળપણથી લઇને અંતિમશ્વાસ સુધી કરેલા કેટલાક કાર્યોને મંદિરના પ્રદર્શનગૃહમાં વિવિધ કલાકૃતિઓ દ્વારા મૂકવામાં આવ્યા છે. ભગવાનની દુર્લભ વસ્તુઓ પણ પ્રદર્શનમાં ગોઠવવામાં આવી છે. અત્યાર સુધી અસંખ્ય શ્રદ્ધાળુઓએ આ વસ્તુઓ નિહાળી ધન્યતા અનુભવી છે. વેદો, મહાકાવ્યો અને પુરાણોની કથાઓને તેના પ્રદર્શનમાં મુકેલા છે. તેના બધા જ ચિત્રો પણ અહીં કંડારવામાં કરવામાં આવેલ...

askhardham-gandhinagar[1]11
 
 
danik bhaskar

વડનગર : એક નજરSunday, November 15, 2009 18:27 [IST]

વડનગર કલા, વિદ્વત્તા અને ખાસ કરીને નૃત્ય અને સંગીત માટે ખૂબ વિખ્યાત હતુ. તાના-રીરીની સમાધિ આ નગર સાથે જોડાયેલી બાદશાહ અકબર અને તાનસેનની યાદ અપાવે છે. આ ઐતિહાસિક નગરમાં તાના અને રીરી નામે બે નાગરકન્‍યાઓ રહેતી હતી. કહેવાય છે કે મોગલ સમ્રાટ અકબરના દરબારના સંગીતસમ્રાટ તાનસેને દીપક રાગ ગાયો આથી તેના અંગમાં અતિશય દાહ પેદા થયો. આ દાહનું શમન કરવા અનેક સ્‍થળોએ ફરતો તાનસેન આખરે વડનગર...
hatkeshwar1
 
 
danik bhaskar

પવિત્ર યાત્રાધામ પાવાગઢSaturday, November 14, 2009 18:04 [IST]

એક લોક કથા પ્રમાણે પાવાગઢ પર બિરાજમાન મહાકાળી માતા એક નવરાત્રિમાં નારીરુપ લઇને ગરબે ઘુમવા નીકળ્યા હતા. ત્યારે અંતિમ પતાઇ જયસિંહે માતાજી પર કુદ્રષ્ટિ કરી હતી. તે જ સમયે મહાકાળીએ તેને શાપ આપ્યો. જેના ફળરુપે થોડા સમયમાં જ ગુજરાત-અમદાવાદના રાજા મહંમદ બેગડાએ પાવાગઢ પર ચડાઇ કરી અને ગઢ પર વિજય મેળવ્યો. આ પહેવા રાવળકુળનું પતાઇ કુટુંબ અહીં રાજ કરતું હતું.આ ધામ ત્રણ શક્તિપીઠ પૈકીનું એક...
roap1
 
 
danik bhaskar

કાયાવરોહણ...Tuesday, November 10, 2009 19:30 [IST]

પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું આ સ્થળ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં હરવાફરવાના સ્થળ તરીકે પણ જાણીતું છે. 30 લાખના ખર્ચે બંધાયેલું ભવ્‍ય મંદિર ચારેબાજુ હરિયાળા ઉદ્યાનથી ઘેરાયેલું છે, જેમાં હજારો વર્ષ જૂનું ભવ્ય જ્યોતિર્લિંગ રખાયું છે. મંદિરના પાતાળ-લોકમાં બ્રહ્માજી, પૃથ્વીલોકમાં વિષ્‍ણુજી અને સ્‍વર્ગલોકમાં પ્રાચીન ભવ્‍ય જ્યોતિર્લિંગ બિરાજે છે. મંદિરની ચારે તરફ ઉદ્યાન, સામે જ...
kaya1
 
 
danik bhaskar

રજવાડી અહેસાસ - નીલમબાગ પેલેસSaturday, November 07, 2009 18:43 [IST]

આપણે ત્યાં અત્યારે રાજાશાહી નથી પણ તમારે રાજાઓ જેમ મહેલમાં રહેતાં તે રાજમહેલમાં રહેવાનો આનંદ માણવો હોય તો ભાવનગરમાં આવેલ હોટેલ નીલમબાગ પેલેસની મુલાકાત લેવી પડે કે જયાં તમે રાજાની જેમ જ રહી શકો છો!



આજ સુધીમાં દેશ-વિદેશનાં અનેક મહાનુભાવો તથા સહેલાણીઓને આકર્ષી ચૂકેલો નીલમબાગ પેલેસ ભાવનગરની શાન સમાન છે. ભાવનગર આવતા મોટા ભાગનાં કલાકારો-અધિકારીઓ કે વિદેશી પયટર્કો બાદશાહી...

palace_1211
 
 
danik bhaskar

પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ...Friday, November 06, 2009 19:12 [IST]

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર તેના ભવ્યાતિભવ્ય તરણેતરના મેળાને કારણે વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. જે નાગર શૈલીનું હોવાનું જાણવા મળે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ નગરી વાસુકીની છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના નામનો અપભ્રંશ થઇ આ ગામનું નામ તરણેતર પડ્યું અને વર્ષમાં એકવાર અહીં ભરાતા મેળાને પણ તરણેતરના મેળા તરીકે ઓળખવામાં આવે છે.



દસમા...

Tarnetar_Temple[1]111
 
 
danik bhaskar

પ્રાકૃતિક ધર્મસ્થાન : શામળાજીFriday, October 16, 2009 16:08 [IST]

અતિપ્રાચીન તીર્થસ્થાનોમાંનું એક એવું શામળાજી સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. સાબરકાંઠાના ભીલોડા ગામ નજીક મેળ્વો નદીના કિનારે તેનું સ્થાન છે. શામળાજી વાણિયાઓના ઇષ્ટદેવ મનાય છે. શામળાજીનું મંદિર અંદાજે 400 વર્ષ જૂનું હોવાનું મનાય છે. જો કે, પુરાણોમાં આ મંદિરની નોંધ હોવાથી તે અતિપ્રાચીન હોઇ શકે છે.

વર્ષે સેંકડો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આ ધાર્મિક સ્થળની મુલાકાત લે છે. કાર્તિક...

16-Shamlaji111
 
 
danik bhaskar

પ્રાચીન મહાનગરઃ ધોળાવીરાThursday, October 15, 2009 16:07 [IST]

ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું નગર છે. જે કચ્છના ખડીર વિસ્તાર માં આવેલું છે.ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષ સૌપ્રથમ લીમડી તાલુકામાં રંગપુરમાં મળી આવ્યાં હતા. તે પછી 1954થી 1958 દરમિયાન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામે લોથલનો ટીંબો મળી આવ્યો હતો. ત્યાર બાદ 1967માં કચ્છમાં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિ કેટલી વિક્સિત હતી તેના પુરાવા મળ્યાં હતા.

હડપ્પાની...

dholavira-2[1]111
 
 
danik bhaskar

શિલ્પ-સ્થાપત્યનો ઉત્તમ નમૂનોઃ અડાલજની વાવWednesday, October 14, 2009 17:27 [IST]

અડાલજની વાવ ગુજરાતના શિલ્પ-સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. જે ગુજરાતનાં અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર જિલ્લાનાં અડાલજ ગામમાં આવેલી છે. વર્ષે-દિવસે અનેક સ્થાપત્યપ્રેમી પ્રવાસીઓ આ વાવની મુલાકાત લે છે અને તેના અદભૂત શિલ્પ-સ્થાપત્યનો નજારો માણે છે.



ઐતિહાસિક પુરાવાઓ મુજબ ઇ.સ. 1499માં રાજા વીરસંઘ વાઘેલાના પત્ની રાણી રુડીબાઇએ વાવનું નિર્માણ...

14-Adalaj_111
 
 
danik bhaskar

દાંતાનો ભવાની વિલા પેલેસTuesday, October 13, 2009 18:25 [IST]

બનાસકાંઠામાં આવેલા દાંતાનો ભવાની વિલા કોલોનિઅલ પિરિયડની યાદ તાજી કરાવે છે. આ પેલેસ આધુનિક સમયમાં તૈયાર થયો છે. જે 108 એકરમાં વિસ્તરેલો છે. તેમજ તે ટેકરી પર હોવાથી તેના દરેક ખંડોમાંથી નયનરમ્ય દ્રશ્યો જોવાનો લ્હાવો પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓને મળે છે. સમગ્ર દાંતા પેલેસનો સંકુલ 108 એકરમાં વિસ્તરેલો છે. ભવાની વિલા પેલેસનો સમાવેશ હેરિટેજ હોટેલ્સમાં કરવામાં આવ્યો છે. જેમાં બ્રિટીશ...
Danta_1311
 
 
danik bhaskar

ઐતિહાસિક નગર જૂનાગઢ...Thursday, October 08, 2009 19:18 [IST]

ગુજરાતભરમાંથી અનેક એવી ઐતિહાસિક ઇમારતો અને નગરો મળે છે જે ગુજરાતના ઇતિહાસની ઝાંખી કરાવે છે. પૌરાણિક કાળથી લઇને અર્વાચિન કાળ સુધીના અવશેષો અહીંના નગરોમાંથી મળી આવ્યા છે જે ન કેવળ જે-તે નગરની ઓળખ આપે છે પરંતુ તે નગરની વિશેષતા બયાન કરે છે. આવું જ એક શહેર છે જૂનાગઢ. જૂનાગઢ અતિપ્રાતીન શહેરોમાંનું એક શહેર છે. તેના પહેલવહેલા ઐતિહાસિક પુરાવાઓ ચંદ્રગુપ્ત મૌર્યના ઉલ્લેખમાં મળે છે. જે...
Girnar11
 
 
danik bhaskar

અતિપ્રાચીન શહેર "લોથલ"Tuesday, October 06, 2009 16:41 [IST]

ઇતિહાસપ્રિય વ્યક્તિઓ તેમજ ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્યમાં રસ ધરાવનાર વ્યક્તિઓ માટે ગુજરાતમાં બે સૌથી આકર્ષક સ્થળો છે. એક 'લોથલ' અને અન્ય 'ધોળાવીરા'. વર્ષે-દહાડે સેંકડો પ્રવાસીઓ આ બંને સ્થળોની મુલાકાત લે છે.



આજે પણ આ બંને સ્થળો ગુજરાતમાં મોજુદ છે. જેથી કહી શકાય કે લોથલ અને ધોળાવીરા વિશ્વના નક્શા પર હયાત છે. ઇ.સ.1954નાં નવેમ્બર માસમાં લોથલની શોધ કરવામાં આવી હતી. લોથલ ખૂબજ જૂની...

6_Lothal_212
 
 
danik bhaskar

કુદરતના ખોળે રમતો જિલ્લો ડાંગMonday, October 05, 2009 13:15 [IST]

સામાન્ય રીતે જંગલ વિસ્તારો કુદરતી પદાર્થોથી ઘેરાયેલા હોય છે. જેથી પ્રકૃતિપ્રેમી વ્યક્તિઓને તે વધુ આકર્ષે છે. ગુજરાતના સૌથી નાના ડાંગ જિલ્લાનું પણ કંઇક એવું જ છે. આ જિલ્લો આદ્વાસી વસ્તી ધરાવે છે. કદાચ એટલે જ આજે પણ તે પ્રકૃતિની વધારે નજીક હશે. વર્ષે હજારો પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ અહીંની મુલાકાત લે છે.

ડાંગના આદિવાસીઓની પોતાની આગવી સંસ્કૃતિ છે. અહીંના વનવિસ્તારમાં આદિવાસી...

5-Dang111
 
 
danik bhaskar

પવિત્ર યાત્રાધામ : અંબાજીThursday, October 01, 2009 16:32 [IST]

ગુજરાતની પ્રજા ધર્મપ્રિય છે. વાર-તહેવારે નાના-મોટા ધાર્મિક કાર્યક્રમો ઉજવે છે. કેટકેટલાય દેવી-દેવતાઓને તે પૂજે છે. આમાંના એક દેવી છે "મા અંબા" અને ગુજરાતમાં તેમનું લોકપ્રિય ધર્મસ્થાન છે અંબાજી. આરાસુરી અંબા તરીકે ઓળખાતા આ દેવીમાં અસંખ્ય લોકો ભારે શ્રદ્ધા ધરાવે છે. ખાસ કરીને ગુજરાતના લોકો તેમને ખૂબજ માને છે. યાત્રાધામ અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટ થી...
Ambaji-Temple1
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB