ગુજરાતમાં લગભગ સોએક મહેલો હયાત હશે. તેમાંથી ત્રીસેક મહેલો હોટેલ, રિસોર્ટ, ફિલ્માંકન વગેરે વાણિજય વિષયક ઉપયોગોમાં લેવાય છે. હેરિટેજ હોટેલોનું એસોસિયેશન અને ચેઇન છે. છતાં રાજસ્થાનની હેરિટેજ હોટેલ્સ જેટલો બિઝનેસ ગુજરાતના આ મહેલો કરતા નથી તેનાં કારણોમાં વિમાન મથકથી અંતર, મહેલને આજુબાજુનાં વાતાવરણ (એમ્બિયન્સ)નો અભાવ, સ્ટાફમાં તહેજીબ અથવા અદબનો અભાવ, રહેઠાણ સિવાયની પ્રવત્તિઓ...