













- બે વર્ષ બાદ ગુજરાત આવેલા માતા અમૃતાનંદમયી દેવી : વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી- બે પુસ્તિકા, સોવેનિયરનું વિમોચન થયું
વિશ્વભરમાં ચેપી રોગ-સ્વાઇન ફ્લુ કરતાં ‘અહં’રૂપી ચેપી રોગથી પીડાતા લોકો વધુ છે. પ્રત્યેક માનવીએ કોઇને પણ મન-વચન-કર્મથી નુકસાન કે દુ:ખ ન પહોંચે તેનું ઘ્યાન રાખવું જોઇએ, એમ માતા અમૃતાનંદમયી દેવી ‘અમ્મા’એ બુધવારે સત્સંગ-દર્શનનાં કાર્યક્રમમાં...

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે; જે હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી. મા એટલે થીજી ગયેલી માનવતાના હિમાલયમાંથી નિર્ઝરેલું ઝરણું. સરિતા કોઈ સંપ્રદાય નહીં હોતા. સરિતા કા ઓર કોઈ ધર્મ નહીં હોતા. મા શબ્દ ભી ઐસા હી હૈ. મા શબ્દ પરમ સત્યને, પરમાત્માને પામવા માટે કેવો અદ્ભુત છે! ભગવાન વેદવ્યાસે ભાગવતની અંદર પરમ સત્ય એવો શબ્દપ્રયોગ કર્યો છે.
‘સત્યં પરં ધીમહી’થી ભાગવતનો...


આજના ઇન્ટરનેટના જમાનામાં લગ્નગ્રંથિમાં ફટાફટ જોડાતાં અને તેટલી જ ઉતાવળે જુદા પડતાં યુવાનોએ ગાંધીજીનાં આ વચનોને એમના હૃદયમાં ઉતારવા જેવાં છે.
ચાલો, આજે આપણે ગાંધીજીના એક રળિયામણા પ્રસંગમાં મહાલીએ. સન ૧૯૩૩. સ્થળ પૂના. ગાંધીજીના ૨૧ દિવસના ઉપવાસ મે મહિનાની ૨૮મીએ પૂરા થયા અને ૧૬મી જૂને ગાંધીજીના સૌથી નાના પુત્ર દેવદાસનાં લગ્ન રાજાજીની પુત્રી લક્ષ્મી સાથે સવારે સાડા છ વાગે...

હિંદુ ધર્મમાં માતાના શરીરના સંસ્કારને ઘણો અગત્યનો માનવામાં આવે છે. ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, ઇત્યાદિ ધર્મસંસ્કારો સંતાનના જન્મની પહેલાં માતાના શરીર ઉપર કરવામાં આવે છે અને તે સંસ્કારને લગતા મંત્રો ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ઋષિમુનિઓ પ્રજનનકાર્યને ઘણું ઉત્તમ, ઘણું જવાબદારીવાળું તથા વીર પ્રજાને ઉત્પન્ન કરવાની આકાંક્ષાવાળું માનતા હતા...
આજકાલ પોતાને ત્યાં સુપર...


સ્વામીશ્રી અરૂણભાઈ ગુજરાતીને મળ્યા. તેઓ સ્વામીશ્રીને કહે: ‘આપે કેટકેટલાં મંદિરો બાંઘ્યા! આપની ડિક્ષનરીમાં તો હવે સ્કેવર ફૂટ કે સ્કવેર મીટરની તો વાત જ નથી. જયાં જુઓ ત્યાં વિશાળ મંદિરોની જ વાત છે.’ સ્વામીશ્રી કહે: ‘એ બધું મહારાજ અને શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજના સંકલ્પ અને પ્રતાપે છે.’ અરૂણભાઈ કહે: ‘દિલ્હીનું પણ કેટલું અદભૂત થઇ ગયું! યોગીબાપાની ઇરછા હતી તે આપે પૂરી...


આજે સમત્વની ભાષા બધા બોલે છે. નેતાઓ સમત્વનાં મોટાં મોટાં બણગાં ફૂંકે છે, પરંતુ તે દિશામાં કોઈ નક્કર પગલાં ભરતા હોય એવું લાગતું નથી. કાં તો સમત્વ કેમ લાવવું તેની આ નેતાઓને સૂઝ પણ પડતી ન હોય. ગમે તે કારણ હોય બાસઠ વર્ષની આઝાદી પછી પણ સમાનતા તો દૂર રહી, ઊલટું સમાજમાં દિનપ્રતિદિન વિખવાદ વધતા જણાય છે.
સમત્વની ભાવના નિર્માણ કરવી હશે તો જીવનમાં બે વાતો આવશ્યક છે. પોતાના તરફ જોવાતી...


હોળી-ધુળેટી ટાણે ચોતરફથી ડાકોરમાં દસથી પંદર લાખ શ્રદ્ધાળુઓના પદસંચારથી ધરતી ધબકી ઊઠે છે. રસ્તાઓ ‘જય રણછોડ.... માખણચોર’ના નારાઓથી ગાજી ઊઠે છે
હોળી અને ધુળેટી એટલે રંગોનો ઉત્સવ. આ ઉત્સવમાં જો ભગવાન ભેગા મળીને હોળી રમાડે તો જીવનનો પરમ આનંદ પ્રાપ્ત થાય. ભગવાનની સાથે હોળી-ધુળેટીનો મહોત્સવ માણવા ડાકોરમાં ફાગણી પૂનમે શ્રદ્ધાળુઓ પગપાળા ઊમટી પડશે અને રાજા રણછોડની સોના-રૂપાની...

સ્વામી રામતીર્થ સમાજને ગુરુ માનતા. તેઓ એક વખતે જતા હતા તો એક જગ્યાએ આગ લાગતી જોઈ, ધમાલ હતી. શેઠજીની હવેલીમાં આગ લાગેલી અને દોડાદોડી થતી હતી. નોકરચાકર બધા અંદરથી જઈ અને બધો સામાન બહાર કાઢતા હતા. આગ એટલી બધી ભયંકર હતી કે એને બુઝાવવી તો શક્ય નહોતી. એટલે જેટલી વસ્તુ બચે એટલી બચાવી લેવાના પ્રયાસમાં પેલા નોકરચાકર પડ્યા હતા.
શેઠ-શેઠાણી એક બાજુ ઊભાં ઊભાં રડતાં હતાં. એમાં બધાયે આવીને...





ભક્તિનાં ત્રણ રૂપો અંગે માતાને સમજાવતાં કપિલજી કહી રહ્યા હતા કે, મા તમે સતોગુણી ભક્તિ કરી શકો છો, તમે રજોગુણી ભક્તિ કરી શકો છો અને તમે તમોગુણી ભક્તિ કરી શકો છો અને પરિણામ પણ તે મુજબ જ મળશે. સતોગુણી ભક્તિ અર્જુનની હતી, સતોગુણી ભક્તિ સુદામાની હતી.
સુગ્રીવે રજોગુણી ભક્તિ કરી હતી. જયારે તમોગુણી ભક્તિ રાવણે અને હિરણ્યાકશ્યપુએ કરી હતી, જેઓ તમને બોલાવશે ખરા પણ પોતાની રીતે જ...


તે પોટલું હીરના તાંતણે બાંધીને બહાર કાઢશો અને તે નવ ટુકડા ઘોઘામાં લઇ જશો. ત્યાર બાદ તે નવ ટુકડા તમે નવ મણ લાપસીમાં ગોઠવશો અને નવ દિવસ પછી બહાર કાઢશો. સવાર તે શ્રાવકે સ્વપ્ન મુજબ કૂવામાંથી હીરના તાંતણે પ્રભુજીની પ્રતિમાના નવ ટુકડા બહાર કાઢ્યા અને ભગવાનને ઘોઘા લાવવામાં આવ્યા. ત્યાર બાદ શ્રાવકે નવેનવ ટુકડાને નવ મણ લાપસીમાં ગોઠવ્યા અને નવમા દિવસે બહાર કાઢવા તે સ્વપ્ન મુજબ નક્કી...

સૂફી સંતો પોતાની સાથે સાદગી, ભક્તિમય જીવન કે ઉદાર ધાર્મિક વિચારો માત્ર નહોતા લાવ્યા. પણ ગઝલ, રુબાઇ, નાત અને કવ્વાલી જેવી લેખનશૈલી પણ લાવ્યા હતા, પરિણામે ૧૫મી સદીથી ગુજરાતી સંત સાહિત્યનું કલેવર બદલાવા લાગ્યું હતું.
ભારતના મઘ્યકાલીન મુસ્લિમ શાસકોના પાંચસો વર્ષના શાસન (૧૨૦૬-૧૫૨૬) દરમિયાન ગુજરાતના સુલતાનોએ પણ સૂફી સંતાને રાજ્યાશ્રય આપ્યો હતો. આ સંતોના જીવનકવનનો અભ્યાસ કરતા...


તે દિવસે વહેલી સવારે શ્રીમતી જ્હોન સેવર્નની ઊંઘ અચાનક જ ઊડી ગઇ. તેણીના મનમાં એવું લાગવા માંડ્યું કે કોઇએ તેના જડબા ઉપર સખત રીતે પ્રહાર કર્યો છે. પરિણામે તેનો ચહેરો રક્તરંજિત થઇ ગયો છે! રૂમાલથી તેણે મોં સાફ કર્યું, તો લોહીનો કોઇ ડાઘ દેખાયો નહીં. દર્પણમાં પોતાનો ચહેરો જોયો તો પણ વાગ્યાની કોઇ નિશાની જણાઇ નહીં.
નોર્થ ઇંગ્લેન્ડના એક શહેરમાં મિ.આર્થર જ્હોન સેવર્ન પોતાની પત્ની...


એ ધારણા મિથ્યા છે કે અકાળે જ કોઇ દુઘટર્નાથી આ પૃથ્વીનો વિનાશ થઇ જશે. સત્ય આ છે કે સૂર્યોદય, ચંદ્રમાની કળાઓ સતત ચાલતી જ રહેશે. ઠંડી, ગરમી, વર્ષા વગેરે ઋતુઓ સતત બનતી રહેશે. ગંગા, યમુના વગેરે નદીઓ વહેતી રહેશે.
અન્તિ સન્તં ન જહાતિ - અંદર બેઠેલા ઈશ્વરથી મનુષ્ય કદી જુદો થઇ શકતો નથી, અન્તિ સન્તં ન પશ્યતિ - તે અંદર બેઠેલાને જોઇ પણ શકતો નથી, દેવસ્ય પશ્ય કાવ્યં - ઈશ્વરના કાર્યોને જુઓ - ન મમાર ન...

જેમ નાનાં બાળકોને તમે બેસાડવાની કોશિશ કરો છો તેમ તે વધારે ધમાલ કરે છે જેથી તમે થાકી જાઓ. એ જ રીતે દેવહૂતિએ ફરી એક પ્રશ્ન પૂછ્યું કે, બેટા તું એ તો સમજાવ કે ભક્તિમાં મન કેવી રીતે લાગશે ? ત્યારે કપિલદેવ સમજાવી રહ્યા છે કે, મા હું તને એ પણ બતાવું છું. તમારું મન અષ્ટાંગ યોગથી લાગશે. હવે કપિલજી અષ્ટાંગ યોગની ચર્ચા કરી રહ્યા છે.
ભાગવતમાં તેઓ કહે છે કે, આઠ પ્રકારના યોગ હોય છે. તમે આ યોગની...



આઠ મહિનાથી માંડી બાર મહિનાની અંદર બાળકો માતાના ચહેરાના હાવભાવની નકલ કરતાં શીખી જાય છે.’છેલ્લાં ૧૫-૨૦ વર્ષો દરમિયાન અસંખ્ય પ્રયોગો દ્વારા સિદ્ધ કરી શકાયું છે કે નવજાત શિશુનું મગજ પણ કામ કરતું હોય છે!
બેતાલીશ મિનિટ પહેલાં જન્મેલું એક નવજાત બાળક - કે જેના માથામાં હજુ માતાના ગર્ભનું લોહી ચીટકેલું હતું. તેના માથાનું લોહી ધોઈ વૈજ્ઞાનિકે તેની સામે જીભ કાઢી. આશ્ચર્યની વાત એ છે...

આજે વડીલોની એક ફરિયાદ છે કે યુવાપેઢી ધર્મથી દૂર થતી જાય છે. યુવાનો નાસ્તિક થતા જાય છે. પાઠપૂજા કરતા નથી, દેવદર્શને જતા નથી. આ માન્યતા ભૂલ ભરેલી છે. યુવાનો નાસ્તિક થયા નથી.
તેઓને ધર્મ જોઈએ છે, પણ તે જીવનમાં પ્રેરણા આપનારો, વિચારાધિષ્ઠિત- તેમના કતૃર્ત્વને આહ્વાન કરનારો, તેમની શક્તિને ગતિ આપનારો ડાયનેમિક ધર્મ જોઈએ છે અને આપણો વૈદિક ધર્મ એ પ્રકારનો જ છે. કાળક્રમે તેમાં અનેક...

ભારતમાં ઉજ્જૈનનું આગવું જ મહત્વ છે. આને ભગવાનની નગરી ગણાય છે. અહીં પ્રખ્યાત સમ્રાટ વિક્રમાદિત્ય ઉજ્જૈનના મોટા અને યશસ્વી શાસક હતા. એમના શાસનમાં આ શહેરનો સંપૂર્ણ વિકાસ થયો. આખાય ભારત વિક્રમાદિત્ય ન્યાયપ્રિય હતા અને હરસિદ્ધ દેવીના મોટા ભક્ત હતા.
પોતાની ભારે સાધનાથી દેવીને ખુશ કરવા તેઓ યજ્ઞના કુંડમાં પોતાના માથાની બલિ ચઢાવતા હતા પણ મા ભગવતીની કૃપાથી તેમનું માથું ફરી...





બાબા ફરીદના સરળ વિચારોએ એ યુગના સાહિત્ય પર ઘાટી અસર કરી હતી. ફરીદ બાબાના શિષ્ય નિઝામુદ્દીન ઓલિયાએ પણ એ પછી સૂફી પરંપરાને ભારતમાં જીવંત રાખવામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું હતું. આ સિવાય પણ ઘણા સૂફી સંતો છે, જે બધાનો ઉલ્લેખ અહીં શક્ય નથી. એક સમયે ભારતના સાંસ્કૃતિક અને સાહિત્યક માહોલમાં સૂફી વિચારધારા સુગંધની જેમ પ્રસરી ગઇ હતી.
ભારતમાં સૂફી વિચારનો પ્રચાર મુઘલકાળ (૧૫૨૬-૧૭૦૭)...

રામકૃષ્ણ પરમહંસે ૧૨ વર્ષ કરેલી સાધનાનું ફળ તેમનાં પત્ની શારદામણિદેવીના ચરણે અર્પણ કરેલું. પોતાની પત્નીને મા તરીકે-દેવી તરીકે પૂજા કરીને સાધનાનું ફળ અર્પણ કરવાનો દાખલો આઘ્યાત્મિક ઇતિહાસમાં અજોડ છે. શ્રી ઠાકુરની મહાસમાધિ પછી ૩૦ વર્ષ સુધી મા શારદાએ શ્રી ઠાકુરનાં અધૂરાં કામ પૂરાં કર્યા.
૧૬ ફેબ્રુઆરી ૨૦૧૦, રામકૃષ્ણદેવ(ઠાકુર)ની ૧૭૫મી જન્મજયંતી છે. રામકૃષ્ણદેવનો જન્મ...

(તા.૧૫-૨-૧૦થી ૨૧-૨-૧૦)
તા.૧૫-૨-૧૦ સોમવાર, ફાગણ સુદ એકમ : શતતારા નક્ષત્ર, પંચક, ચંદ્રદર્શન, પારસી મેહેરે માસ શરૂ, ચંદ્ર કુંભ રાશિમાં, શુભ દિવસ.તા
. ૧૬-૨-૧૦ મંગળવાર, બીજ : પૂર્વાભાદ્રા નક્ષત્ર, પંચક, શ્રી રામકષ્ણ પરમહંસ જયંતી, રાજયોગ, સિદ્ધિયોગ, રવિયોગ ૨૪.૪૩થી શરૂ.
તા. ૧૭-૨-૧૦ બુધવાર, ત્રીજ : ઉત્તરાભાદ્રા નક્ષત્ર, પંચક, ગુરુ અસ્ત પશ્વિમમાં, ચંદ્ર મીન રાશિમાં, શુભ દિવસ.
તા....
![enthroned[1]11](/2010/02/16/images/enthroned[1]11_b.jpg)
મુનિ તરુણસાગરનાં પ્રવચનો એમના માટે નથી જેને માત્ર પેટ ભરવાનું અને બાળકોને ઉછેરીને મત્યુ પામવાનું છે, બલકે તેમના માટે છે, જેમને કંઇક કરીને બતાવવું છે, મુશ્કેલીઓ છતાં સિદ્ધાંતો પર અડગ રહેવું છે.
મારું પ્રવચન ટાઇમપાસનું સાધન નથી, પરંતુ સમયને હમસફર બનાવવાની સાધના છે. કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણે જ્યારે ગીતા સંભળાવી ત્યારે ત્યાં માત્ર એક જ શ્રોતા હતો અને તે અર્જુન! તે ગીતા આજ...

મહાત્મા ગાંધીજીએ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’નો અનુવાદ ગુજરાતીમાં કર્યો હતો અને ‘અનાસક્તિયોગ’ નામે એ અનુવાદ દાંડીકૂચને દિવસે પ્રકાશિત થયો હતો.
ગાંધીજી બાળપણથી જ ધાર્મિક પ્રકૃતિના હતા. એમનો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં થયો હતો એટલે હવેલીએ વખતોવખત જતા. તેમજ રામજી મંદિરમાં રાત્રે રામાયણ સાંભળવા જતા. એમના પિતાજીની લાઇબ્રેરીમાંથી મનુસ્મૃતિનું ભાષાંતર મળી આવ્યું, ગાંધીજી એ...


સૂફીવાદના ઉદ્ભવના પાયામાં ઇસ્લામનો માનવતાવાદી દ્રષ્ટિકોણ દટાયેલો પડ્યો છે. તેની સાક્ષી પૂરતી સમજ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં આપવામાં આવી છે. તેમાં સૂફીવાદ અંગે લખ્યું છે,
‘એક અઘ્યાત્મિક ઇસ્લામિક પંથ અને ઉપાસના પદ્ધતિ, જેમાં ખુદા અંગે પ્રત્યક્ષ અને વ્યક્તિગત અનુભવોના માઘ્યમ દ્વારા અલૌકિક પ્રેમ અને જ્ઞાનનું સત્ય જાણવાનો પ્રયાસ થાય છે.’
આ આઘ્યાત્મિકવાદને...

ખૂબ પરિશ્રમ કર્યા પછી પણ જો પરિણામ અપેક્ષિત ન આવે તો નિરાશા અવશ્ય થાય. પણ ડાહ્યો માણસ તો નિષ્ફળતાને જ પ્રચંડ સફળતાનો રાજમાર્ગ બનાવે. પલાયનવૃત્તિ તો જરા પણ ન શોભે. આપણે તો મહારાણા પ્રતાપ, શિવાજી, ઝાંસીની રાણી અને ગાંધીબાપુના વંશજ! મુઠ્ઠીભર હાડકાનો માળો અને સાવ સરળ વ્યક્તિત્વના માલિક એવા મહાત્મા ગાંધીએ એકલા હાથે બ્રિટિશ સામ્રાજ્યને પડકાર ફેંક્યો અને જીત્યા પણ ખરા.
માઘ્યમિક...

ગુજરાતના જૂનાગઢ ખાતે ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રિ નિમિતે મેળો ભરાયો છે. આ મેળો ભવનાથનાં મેળા તરીકે ઓળખાય છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં ગુજરાતમાંથી જ નહીં સમગ્ર દેશ અને વિદેશમાંથી પણ લોકો ઉમટી રહ્યાં છે અને મેળાનો લહાવો લઇ રહ્યાં છે.
મેળાનાં કેટલાક દ્રશ્યો...
....
દિવ્યભાસ્કર. કોમ દ્વારા તેના વાચકો માટે કુંભના મેળાના કવરેજ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બે રિપોર્ટર રાજેશ યાદવ અને મોનિકા સકસેના કુંભને લગતા સમાચારો અને તસ્વીરો તમારા સુધી પહોંચાડી રહ્યાં છે. પ્રસ્તુત છે મહાશિવરાત્રીના શાહી સ્નાની ખાસ તસ્વીરો જેમાં નાગા સાધુઓ સ્નાન કર્યું હતુ અને બપોરે સાડા ચાર વાગ્યાથી અખાડાઓ સ્નાન માટે ઉતરશે. આતંકવાદીઓ ઉપરાંત સાધુઓના અખાડાઓ...

આજે શિવરાત્રી છે. સમગ્ર દેશમાં આ પર્વની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે. પરંતુ રોહડુના સિંદાસલી પંચાયતના આઠ ગામો ભગવાન શિવજી પ્રત્યેની તેમની નારાજગી પ્રગટ કરશે. સ્થાનિક ઇષ્ટદેવ થૈંઇ નાગ મહારાજને માનતા આઠ ગામના લોકો સદીઓથી શિવરાત્રીની ઊજવણી નથી કરતા અને આ રીતે તેઓ ભગવાન શિવ પ્રત્યેની તેમની નારાજગી પ્રગટ કરે છે.
એવું માનવામાં આવે છેકે, સ્થાનિક દેવ થૈંઇ નાગ અને ભગવાન શિવ...

હરિદ્વારમાં મહાકુંભનું સ્નાન ચાલી રહ્યું છે. જેમાં આજે સવારે 11 વાગ્યાથી પહેલું શાહી સ્નાન શરૂ થયું છે. ત્યારે વહેલી સવારથી જ ત્યાં ભક્તિવાળું વાતાવરણ રહ્યું હતું, જે પ્રસ્તુત તસ્વીરોમાં જોઇ શકાય છે.

શિવરાત્રિ કૃષ્ણપક્ષમાં ઊજવાય છે તેની પાછળ પણ એક વિશેષ દ્રષ્ટિ છે. શુક્લ પક્ષમાં પૂનમે ચંદ્રમા પૂર્ણ હોય છે અને કૃષ્ણપક્ષમાં તે ક્ષીણ થતો જાય છે, તેથી સંપૂર્ણ ચંદ્રક્ષયની તિથિ એટલે કે અમાવાસ્યા આવતાં પહેલાં જ તામસીવૃત્તિના ઉપશમનાર્થ આ પ્રવત્તિના દેવ માત્ર શિવજી હોવાથી તેની આરાધનાનું મહત્વ છે...
એ તો સુવિદિત છે કે ભગવાન શંકર સંહારના દેવતા છે, તમોગુણના અધિષ્ઠાતા છે. તેથી...

>>>મહાશિવરાત્રિએ રાજયમાં શિવભકતો બે લાખ લીટર ભાંગનો પ્રસાદ લેશે
>>>વધુ માત્રામાં ભાંગ પીવી નશાકારક બની શકે, સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે
>>>ચકુડીયા મહાદેવ ખાતે ૧૦૦૦ લીટર ભાંગનો પ્રસાદ અપાશે
>>>ચકલેશ્વર મહાદેવ ખાતે શિવજીને ભાંગનો અભિષેક થશે
મહાશિવરાત્રિએ શિવજીનો વિશિષ્ટ પ્રસાદ લેવા શિવભક્તો આતુર છે. એક અંદાજ અનુસાર રાજયમાં શિવભકતો બે લાખ લીટરથી પણ વધુ...

તા.૧૨મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિની ઉજવણી થશે. ગુજરાતભરનાં શિવાલયોમાં ‘ઓમ્ નમ: શિવાય’નો નાદ ગૂંજી ઉઠશે. જયારે સોમનાથ મહાદેવ અને જૂનાગઢમાં પણ મહાશિવરાત્રિની વિશિષ્ટ ઉજવણી થશે ત્યારે મહાશિવરાત્રિએ દેવાધિદેવ મહાદેવની ઉપાસના કરવાથી ભય, ચિંતા, શોક દૂર થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
જયોતિષાચાર્ય કંદર્પભાઇ ત્રિવેદીએ જણાવ્યું મહાશિવરાત્રિએ જીવનું શિવ...

આસ્થાના સમાગમ સમા મહાકુંભ 2010માં શિવરાત્રી પર્વ પર થનાર પ્રથમ શાહી સ્નાનના એક દિવસ પહેલા શ્રદ્ધાળુઓએ ગંગામાં ડુબકી લગાવીને પુણ્યપ્રાત્પીનો અનુભવ કર્યો હતો. આમતો ગંગા નદીના સ્પર્શ માત્રથી જ પવિત્ર થઈ જવાય છે પરંતુ ગંગામાં ડુબકી લગાવનારની જીવનનૈયા પાર લાગી જાય છે.
અત્રે સવારથી જ ભાવી ભક્તોની ભારો ભીડ ઉમટી પડી હતી. હરિદ્વારમાં પડી રહેલ જોરદાર ઠંડી પણ ભક્તોની ભાવનામાં ઉણપ...

લોકવાયકા એવી છે કે માતાજીની મૂર્તિના સ્થાપન વખતે જમીનમાંથી ગંગાના ઝરણાનો ફુવારો છૂટ્યો હતો. વેદોમાં ઉલ્લેખ જોવા મળે છે કે ગંગાના ઝરણા ઉપર બિરાજમાન મૂર્તિમાં કુદરતે અપાર ચમત્કારિક શકિત પ્રદાન કરેલી હોય છે.આજે તો પેઢામલી ગામ સમગ્ર ઉત્તર ગુજરાતમાં મિની અંબાજી તરીકે ઓળખાય છે. હાલમાં અહીં સુંદર મંદિર સાથે ધર્મશાળાઓ અને ભોજનશાળાઓ બનાવાઇ છે.
મહેસાણા અને સાબરકાંઠા જિલ્લા...

સંતનું આગમન જ વસંતનું આવવું છે. વસંત આવે છે તો પ્રકૃતિ ખીલે છે. સંત આવે છે તો સંસ્કૃતિ ખીલે છે. સંત ઊંઘતા માણસને જગાડી દે છે. જાગેલાને પગ ઉપર ઊભો કરી દે છે અને ઊભેલાની નસોમાં લોહી દોડતું કરાવે છે. સુકાયેલાને હરિયાળું કરવું વસંતનું કામ છે. મડદાને બેઠું કરવું સંતનું કામ છે. ફાગણ આવે છે ફૂલોનો ત્યૌહાર લઇ. મેહુલો આવે છે મેઘોનો મલ્હાર લઇ. સંત આવે છે ખુશીઓનો ઉપહાર લઇ. આ ધર્મનો મંત્ર છે. આ...






મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા, પૂજાપાઠ, કર્મકાંડો એ બધાં ઉપકરણો છે. ઉપકરણોનું પણ એક મહત્વ છે. ઉપકરણોને જ આપણે સાઘ્ય ન સમજી લઈએ. ધર્મ ન સમજી લઈએ. તેના માઘ્યમ દ્વારા જે સ્મૃતિ બની રહે છે તે મહત્વ સ્મૃતિનું છે. ઉપકરણોને જયારે આપણે પૂજવા લાગીએ છીએ ત્યારે ધર્મની અંદર જે સુવાસ છે તે ઊડી જાય છે અને ધર્મ જડ બની જાય છે. ક્રિયાકાંડ જડ બની જાય છે. ધર્મ એટલે માત્ર નગારું, તગારું અને તાવડો.
આવો...


હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ દરરોજ અસાધારણ રીતે વધતા હતા. લાભથી લોભ અને લોભથી પાપ વધે છે. હિરણ્યાક્ષનો અર્થ છે સંગ્રહ વૃત્તિ અને હિરણ્યકશિપુનો અર્થ છે ભોગવૃત્તિ. ભગવાને કામ (ભોગ)ને મારવા માટે એક જ અવતાર લીધો. શ્રી રામે ક્રોધ ઐટલે કે રાવણને મારવા માટે, શિશુપાલનો વધ કરવા માટે શ્રીકૃષ્ણે એક જ અવતાર લીધો, પરંતુ લોભને મારવા માટે ભગવાનને બે અવતાર લેવા પડ્યા, હિરણ્યાક્ષ માટે વરાહ અને...


ગુરુ અવધૂત અલગારી હશે તો આપણી સાથે વાત નહીં કરે. આપણને શીખવા મળશે કે નિ:સ્પૃહતા શું છે? આવા સુગુરુને તમે વંદના કરજો. જો ગુરુ પ્રેરણામૂર્તિ હશે તો તમને સલામત અંતરે ઊભા રાખીને તમારી જિજ્ઞાસાને એ સંતૃપ્ત કરશે. આ સદગુરુની શીખ માથે ચડાવજો. તમારામાં વ્યક્તિગત રસ લે, તમે શ્રીમંત છો કે તમે કોઇ રીતે કામના છો એ દ્રષ્ટિએ તમારી સાથે વાત કરે તે કદાચ ગુરુ નહીં હોય. નિર્લેપતા અને નિ:સ્પૃહતા એ જ...


મનુ અને શતરૂપાથી સમસ્ત સૃષ્ટિની રચના થઈ હતી. ત્યારબાદ પૃથ્વી રસાતાળમાં ડૂબી ગઈ. બ્રહ્માજીએ વિચાર્યું કે પ્રજાનું નિર્માણ કરીએ, પરંતુ તેમને વસાવવા કયાં? ત્યારબાદ નાસિકાઓથી વારાહ ભગવાન પ્રકટ થયા. તેમણે પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢી અને હિરણ્યાક્ષનો વધ કરી પૃથ્વીનું શાસન મનુને સોંપી ભગવાન સ્વધામ પરત ફર્યા. વિદુરજીને મૈત્રેયજી બતાવી રહ્યા છે કે, કઈ રીતે બ્રહ્માંડની રચના થઈ....

દુનિયામાં વ્યક્તિએ આયાની માફક રહેવું જોઇએ. આયા બાળકને દૂધ પિવડાવે છે, તેને ખવડાવે છે અને પ્રેમ પણ આપે છે, પરંતુ જ્યારે એક દિવસ માલિક કોઇ વાત પર નારાજ થઇ જાય ત્યારે તેને કહી દે છે, તું તારો હિસાબ કરી મારા ઘરમાંથી જતી રહે અને તે હિસાબ લઇને પોતાના બોરિયા-બિસ્તર બાંધીને જતી રહે છે. પછી તે એ બાળક માટે રોતી નથી. દુનિયામાં રહો, પ્રેમ કરો પણ આસક્તિ ન રાખો. આસક્તિ જ દુ:ખોનું મૂળ છે. આસક્તિ આવી...



( તા.૧-૨-૧૦થી ૭-૨-૧૦ )
તા. ૧-૨-૧૦ સોમવાર, મહા વદ ત્રીજ : પૂર્વાફાલ્ગુની નક્ષત્ર, મોઢેશ્વરી માતા પ્રાગટ્ય (મોઢેરા), ચંદ્ર સિંહ રાશિમાં. શુભ દિવસ.
તા. ૨-૨-૧૦ મંગળવાર, ચોથ : ઉ.ફાલ્ગુની નક્ષત્ર, અંગારકી ચોથ, સંકટ ચોથ, ચંદ્રોદય ૨૨.૦૫ કલાકે, ચંદ્ર કન્યા રાશિમાં ૯.૨૨ કલાકે.
તા. ૩-૨-૧૦ બુધવાર, પાંચમ : હસ્ત નક્ષત્ર, કાલભૈરવ યાત્રા, કુમારયોગ ૨૪.૨૧ કલાક સુધી, ચંદ્ર કન્યા રાશિમાં, શુભ...
![Ganesh[1]11](/2010/02/02/images/Ganesh[1]11_b.jpg)

બ્રહ્માજીએ ઉત્પન્ન કરેલ રુદ્રને પ્રજાની ઉત્પત્તિ કરવાના આદેશ આપ્યો. નીલ લોહિતે આદેશનું પાલન તો કર્યું પરંતુ જે સંતતિ ઉત્પન્ન કરી તે એટલી ઉગ્ર અને ભયંકર હતી કે ખુદ બ્રહ્માજી પણ તેનાથી ભયભીત રહેવા લાગ્યા. નીલ લોહિત વનમાં જતા રહ્ય. નીલ લોહિતના ગયા બાદ બ્રહ્માજીએ સંકલ્પ કર્યોઅને પોતાના દસ અંગોથી દસ પુત્ર ઉત્પન્ન કર્યા.
તેમની ગોદમાંથી પ્રજાપતિ, અંગુષ્ઠથી દક્ષ, પ્રાણથી...

એક ભાઈ મને પૂછતા હતા, આ ભાગવત કથા કરીએ અને પિતૃઓને મોક્ષ થઈ જાય? તમે ખરેખર ભાગવત કથા કરો ત્યારે પેલા પિતૃ સાંભળવા આવતા હશે? મેં કહ્યું પિતૃ આવતા હોય તે ખબર નથી, પણ પિતૃનાં સગાંવહાલા ઘણાં આવે છે અને એ સાંભળે તથા સારી રીતે સાંભળશે તો એને ફાયદો થવાનો એ ચોક્કસ છે અને જો છોકરો સારો નીકળ્યો એમ કહીએ ને કે એકોતેર પેઢી તારી દે, તો એ તારવાનો જ.
એના બાપા અને એની પાછલી પેઢીને તારે જ છે. આપણે એમ...



‘અલ્લાહ અને ઈશ્વર બંને માનવજાતની મૂળભૂત આસ્થા છે. નામ અલગ છે પણ સ્વરૂપ એક છે.’ અલ્લાહના સ્વરૂપ અંગે ઇસ્લામિક ગ્રંથોમાં કહ્યું છે, ‘અલ્લાહ શબ્દ, નથી એક વચન, નથી બહુવચન. અલ્લાહને કોઇ લિંગ નથી. તે નથી પુલિંગ, નથી સ્ત્રીલિંગ. અલ્લાહ કોઇ વ્યક્તિ કે વસ્તુ પર આધારિત નથી, પણ સૌ સજીવ અને નિર્જીવ તેના પર આધારિત છે. તે શાશ્વત, સનાતન અને સંપૂર્ણ પ્રભુત્વશાળી છે.’ આમ છતાં અલ્લાહ પરમકૃપાળુ...


વિદુરજી અને ઉદ્ધવજી બન્ને એકબીજાની વાત સાંભળી દુ:ખી થઈ ગયા. વિદુર નીતિગત વિરોધ હતા તો ઉદ્ધવ પ્રીતિગત સહયોગી હતા. ઉદ્ધવજી શ્રીકષ્ણના પરમ મિત્ર હતા.
તેમણે બધી જ વાતો વિદુરજીને જણાવી. જયારે વિદુરજીએ યદુવંશના વિનાશ અને સ્વયં ભગવાનના પરમધામ જવા વિશે પૂછ્યું ત્યારે, ઉદ્ધવજીએ જણાવ્યું કે, યદુવંશીઓ દુવ્ર્યસનોમાં, મદિરાપાનમાં અને એકબીજા સાથે સંઘર્ષ કરવામાં લિપ્ત હતા તેથી જ...


ફેફસાંમાં ભરાયેલ શ્વાસને હળવે હળવે છોડવાની ક્રિયાને રેચક કહેવાય. આ ક્રિયાઓ કરવામાં મળદ્વાર, પેટ અને ગળાના સ્નાયુઓની મદદ લેવામાં આવે છે. શ્વાસને પૂરેપૂરો બહાર કાઢીને મળદ્વાર પાસેના સ્નાયુઓનું સંકોચન કરી અંદરની તરફ ખેંચવાની ક્રિયાને મૂલબંધ કહે છે. ડૂંટીને અંદર ખેંચી ઉદરપટલને સંકોચીને ઉડ્ડિયાનબંધ કરી શકાય. ગરદનને આગળ ઝુકાવી હડપચીને છાતી સાથે અડકાવીને ગળામાંથી શ્વાસ...




બાળકને સ્કૂલે જતાં હસતે મુખે વિદાય આપીએ અને આવે ત્યારે હસીને એને આવકારીએ. શાંતિથી, સમજદારીપૂર્વક તેઓને શાળાએ જવા માટે પ્રોત્સાહન પૂરું પાડીએ. સ્કૂલે લઇ જવાની સામગ્રી વ્યવસ્થિત આપીએ. વારંવાર સ્કૂલની મુલાકાત લઇએ. તેમના શિક્ષકોને મળી બાળકોની પ્રગતિની માહિતી મેળવીએ. અભ્યાસ સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બાળકોને પ્રોત્સાહિત કરીએ. ઇતર પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસમાં...

ભગવાન પૂર્ણજ્ઞાની છે. ગુરુ જ્ઞાની છે. ગુરુ જ્ઞાની એટલા માટે છે કેમકે ગુરુ પોતાને પૂર્ણજ્ઞાની નથી માનતા. પોતાને પૂર્ણર્જ્ઞાની માની લે તે ગુરુ થઇ ન શકે. પોતાના અજ્ઞાનને સ્વીકારીને ચાલે તે જ જ્ઞાની બની શકે. ગુરુએ ધર્મની શરૂઆત અહીંથી કરી છે. પોતે ગમે તેટલા આગળ વઘ્યા હોય, પોતાની અપૂર્ણતાને ગુરુ ભૂલતા નથી. આવા ગુરુને પોતાના જ્ઞાનનો, પોતાની સાધનાનો કે પોતાના ત્યાગનો અહંકાર નથી હોતો....

ઇ.સ.૧૯૦૧ ઓક્ટોબર માસમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવવા નીકળ્યા ત્યારે નાતાલમાં રહેતા હિંદીવાસીઓએ ગાંધીજીનું ઠેકઠેકાણે બહુમાન કર્યું હતું. ઘણી કીમતી ભેટો પણ આપી હતી. ભેટોમાં સોના-ચાંદીના દાગીના અને હીરાની વસ્તુઓ પણ હતી. ઉપરાંત કસ્તૂરબાને માટે પચાસ ગીનીનો એક હાર પણ હતો. ગાંધીજીના મનમાં વિચારોનો વંટોળ ઊપડ્યો. મોટાભાગની ભેટો તો એમણે કરેલી જાહેરસેવાને અંગે જ હતી. સેવા...



Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








