Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Divya Bhaskar

કડવાં પ્રવચનો : સદગુરુની આજ્ઞાનું પાલન કરોWednesday, March 10, 2010 12:01 [IST]

TARUNSAGAR1
જે હિસાબી અને કિતાબી હોય છે તે ગુરુ ન બની શકે. ગુરુ તો એ છે જેને જોતાં જ પરમાત્માની યાદ આવી જાય. આજના તથાકથિત ગુરુઓનો એક જ સંદેશ છે, ‘મમેકં શરણ બૃજ’ બલિહારી તો એ ગુરુની છે, જે ગોવિંદની તરફ ઇશારો કરે છે. જે પોતાની તરફ સંકેત કરે, સમજો તે તો હજુ ‘હું’માં જ ફસાયેલો છે. અને જે ‘હું’માં ફસાયેલા છે એવા ગુરુની કિંમત એક બકરાથી વધુ નથી હોતી. સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરો. ગુરુની આજ્ઞાનું પાલન કરવા...
 
 
Divya Bhaskar

ગુજરાતી સાહિત્યલેખન પર સૂફી વિચારોનો પ્રભાવTuesday, March 09, 2010 16:32 [IST]

rahe-roshan-1
નાંદોદમાં જન્મેલા સત્તાર શાહ ચિશ્તિનાં ગીતો, ભજનો અને દ્રષ્ટાંત કથાઓ ગુજરાત-સૌરાષ્ટ્રના તળ પ્રદેશોમાં આજે પણ ભક્તિભાવથી ગવાય છે. અફઘાનિસ્તાનના વતની હોવા છતાં ગુજરાતમાં આવી વસેલા અને જાત મહેનતે ગુજરાતી શીખેલા સત્તાર શાહ હિંદુઓમાં દાસ સત્તાર તરીકે ઓળખાય છે. ઇ.સ. ૧૭૦૦માં લખાયેલ આ ગ્રંથોનો અનુવાદ ૧૭૫૫/૫૬માં તેમના શિષ્ય ભગત સુલેમાન મહંમદે કર્યો હતો. તેની એક રચના માણવા જેવી...
 
 
danik bhaskar

પ્રેમ વગરની સેવા એ સેવા નહીં, માત્ર અને માત્ર કસરત કહેવાયTuesday, March 09, 2010 00:07 [IST]

એક સોસાયટીમાં કોઈ વૃદ્ધ ભિખારી નિયમિત ભીખ માગવા જતો હતો, પણ એકાદ મહિનાથી એ ત્યાં ફરકયો ન હતો. સોસાયટીવાળાએ પૂછ્યું કે એક મહિનાથી તું કેમ દેખાતો નથી? ત્યારે પેલા ભિખારી એ કહ્યું, મેં હમણાં જ મારી દીકરી પરણાવી અને જમાઈને આ સોસાયટી દાનમાં આપી દીધી. હવે મારાથી અહીં ન અવાય. આ દ્રષ્ટાંતમાં એ જ વાત છે કે વૃદ્ધ ભિખારીએ સોસાયટીનું દાન કર્યું તે તેનો અહંકાર છે. આ રીતે દરેક જણ નાનામોટા અહંકાર...
morari_bapu1
 
 
danik bhaskar

સદાલપુત્રની વાર્તાMonday, March 08, 2010 18:15 [IST]

ભગવાન મહાવીર એક વાર વિહાર કરતા પોલાસપુરમાં આવ્યા. પોલાસપુરમાં સદાલપુત્ર રહેતો હતો. એ શ્રીમંત કુંભાર હતો. નિયતિવાદનો ઉપાસક હતો. એ માનતો કે જે થવાનું હોય તે થાય જ છે. એણે ભગવાનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. ભગવાન મહાવીર એના ઘરે ગયા. સદાલપુત્ર પોતાના સરસ મજાના ઘડાઓને કાળજીપૂર્વક તડકે ગોઠવતો હતો. તેણે ભગવાનને આવકાર આપ્યો. ભગવાન તેની નજીક સર્યા, તેને પૂછ્યું : ‘સદાલપુત્ર, આ...
jaindarshanam1
 
 
danik bhaskar

ગાંધીજીની અહિંસાનો પ્રતાપMonday, March 08, 2010 10:43 [IST]

અહિંસામાં વધારે બહાદુરીની જરૂર પડે છે. અહિંસા એ કાયરતા છુપાવવાનું ઢાંકણ નથી. એ તો વીરોનું ભૂષણ છે. અહિંસા એ મનુષ્યજાતિમાં પડેલી પ્રબળમાં પ્રબળ શક્તિ છે. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનો મહાત્મા ગાંધી સામેનો અણગમો જગજાહેર છે. બીજા વિશ્વયુદ્ધના પ્રગટ કરાયેલા ખાનગી દસ્તાવેજોમાં એવો ઉલ્લેખ આવે છે કે દક્ષિણ આફ્રિકાના ફિલ્ડ માર્શલ સ્મટ્સ સાથેની ગાંધીજીની...
gandhi-ji-1
 
 
danik bhaskar

અનીતિથી પ્રાપ્ત ધન ભય પેદા કરે છેSunday, March 07, 2010 17:00 [IST]

ધનનો સ્વભાવ છે કે જેનું જીવન સંયમી, ત્યાગી, સદાચારી નથી હોતું તેઓને આળસુ, પ્રમાદી, વિષયભોગી, લંપટ બનાવી દે છે. આવા વ્યક્તિઓ દુરાચારો, કુટેવોથી યુક્ત થઇ જાય છે. મા સ્ત્રેધત સોમિનો દ્રક્ષતા મહે કૃણુધ્વં રાય આતુજે | તરણિરિજ્જયતિ ક્ષેતિ પુષ્યતિ ન દ્રેવાસ: કવત્નવે || શબ્દાર્થ : મા સ્ત્રેધ - હિંસા ન કરો, સોમિન: ઐશ્વર્યની ઇચ્છા રાખવાવાળા, મહે રાયે-મહાન ધનને માટે, આતુજે- બળને માટે, દક્ષત...
gnaswarje-photo-bayad11
 
 
danik bhaskar

અરણેજનાં બુટભવાની માતાSunday, March 07, 2010 13:23 [IST]

બુટભવાની માતા ગીરપંથકના ચારણ કુટુંબનાં હતાં. દેવલબા માતૃશ્રી અને બલાડ માતાજી, બહુચર માતા એ બંને બહેનો હતાં શ્રી બુટભવાની માતાજીનું મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલ છે. ધોળકાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલ આ મંદિર ઐતિહાસિક, રમણીય અને પ્રાચીન છે. માતાજીનો ઇતિહાસ જોઇએ તો બુટભવાની માતાજી ચારણકુળમાં સૌરાષ્ટ્રના ગીરપંચકના નેસડા બાયલ દેઠા ચારણ કુટુંબનાં હતાં અને...
arnej-butbhavani-1
 
 
danik bhaskar

સમજણ કેળવાય તો વ્યસનોનું આકર્ષણ દૂર કરી આસક્તિમાંથી મુક્તિ મેળવી શકાયSunday, March 07, 2010 00:10 [IST]

ઘણાને આપણે બોલતાં સાંભળીએ છીએ કે આપણને તો ઊઠીને ચા પીવા જોઈએ તે વગર મૂડ જ ન આવે. પેટ સાફ ન આવે. તો કોઈને બીડી, સિગારેટ, પાનમસાલા જોઈએ. અરે! ઊઘવાની જગ્યા બદલાઈ જાય તો ઊઘ ન આવે. આ અને આવી ટેવને લીધે માણસ પોતાનો રોજિંદો વ્યવહાર ચલાવતો હોય છે અને એમાં કારણવશાત્ કોઈ ફરક પડી જાય તો માણસ અપ-સેટ થઈ જાય છે. શાસ્ત્રીય પરિભાષામાં કહેવું હોય તો આ બધી ટેવના પાયામાં દુન્યવી પદાર્થો છે અને આવા...
dadaji1
 
 
danik bhaskar

કડવાં પ્રવચનો : ચિંતાને બદલે ચિંતન કરોSaturday, March 06, 2010 11:21 [IST]

ચિંતા ઝેર જેવી છે. ચિતા તો ફક્ત તનને સળગાવે છે, ચિંતા તન-મન બંનેને સળગાવે છે. ચિંતાને બદલે ચિંતન કરો, સમસ્યાનું સમાધાન જરૂર મળશે. કેટલાક મિત્રો જરૂર બનાવો અને તમારા મનની બધી વાતો તેને કહી દો. નહીં તો ગુરુને કહી દો, ઇશ્વરને સર્વસ્વ માનીને બધું જ કહી દો. આંગણામાં લગાવેલાં ઝાડ-પાનની સામે પણ ચિંતાઓને વ્યક્ત કરી શકો છો. જે વ્યક્તિ તેને બધી ચિંતાઓ કહી દે, તેનાથી ચિંતાઓનું મૂળ જ કપાઇ જશે....
TARUNSAGAR1
 
 
danik bhaskar

નાનામાં નાના જીવની પણ હિંસા ન કરવીSaturday, March 06, 2010 00:04 [IST]

એક યુવક બહારગામથી આવ્યો હતો. એ એક પત્ર લાવ્યો હતો. જે કે જયારે પહેલી વખત એણે દર્શન કર્યા ત્યારે પત્ર આપવાનું ભૂલી ગયો હતો. ત્રણેક દિવસ પછી એ પત્ર એણે સ્વામીશ્રીને આપ્યો અને કહ્યું કે : ‘પેલા ભાઈએ કહ્યું છે કે પત્ર વાંચી લે પછી સ્વામીબાપા શું કહે છે એનો જવાબ મને તરત જણાવજે.’ આ સાંભળતા સ્વામીશ્રી કહે: તું ત્રણ દિવસથી અહીં આવ્યો છે અને કાગળ ઠેઠ આજે આપ્યો?’ ‘હું આપને મળ્યો ત્યારે જ...
nature1
 
 
danik bhaskar

નર્મદાતટે સ્વયંભૂ અંગારેશ્વર મહાદેવ?Friday, March 05, 2010 18:24 [IST]

અંગારેશ્વરનું મંદિર નર્મદાના રમણીય તટ પર આવેલું છે. અંગારેશ્વર મહાદેવની વિશેષ પૂજાનો દિવસ સોમવાર ન માનતા મંગળવાર માનવામાં આવે છે. મંગલનાથનું પૂજા-અર્ચન મંગળવારે કરવાથી મનોકામના પૂર્ણ થાય છ. શ્રાવણ માસમાં મંગળવારે વિશાળ સમુદાય આવે છે. મહાશિવરાત્રિએ ઘણો મોટો ઉત્સવ માનવામાં આવે છે. આ દિવસે એકવીસ (ર૧) શેર ઘીનું સહસ્ત્રદલ કમળ ચઢાવવામાં આવે છે, જ્યારે કૃષ્ણપક્ષની ચોથ અને મંગળવાર...
mari-yatra-1
 
 
danik bhaskar

હરિનો મારગ છે શૂરાનો...Friday, March 05, 2010 11:41 [IST]

અભ્યાસ અને વૈરાગ્ય આપણે માનીએ છીએ તેટલા અસંભવ તો નથી જ. અભ્યાસ માટેનો સરળ વ્યવહારુ શબ્દ છે, પ્રેક્ટિસ. ડ્રાઇવિંગ શીખવાના પહેલા દિવસે સ્ટીયિંરગ પરનો કાબૂ જેટલો અઘરો લાગે, તેટલો એક અઠવાડિયા પછી નથી લાગતો... કઠોપનિષદમાં શરીરને રથનું રૂપક આપીને સુંદર રીતે સમજાવ્યું છે. ઋષિ કહે છે, ‘ઇન્દ્રિયોરૂપી ઘોડાવાળા આ શરીર રથનો સ્વામી તો આત્મા છે.’ બુદ્ધિને સારથિ અને મનને લગામની ઉપમા આપી છે. આ...
dharma-vigyan-1
 
 
danik bhaskar

સોમનાથ મહાદેવજીનું વિશિષ્ટ પૂજન થયુંThursday, March 04, 2010 20:11 [IST]

- દેવાધિદેવ સોમનાથ મહાદેવજીના આશીર્વાદ વિદ્યાર્થીઓને મળે તે માટે મંત્રોચ્ચાર સહિત ગંગાજળથી અભિષેક થયો, પરીક્ષાર્થીઓનું મનોબળ વૃદ્ધિ અર્થે સોમનાથ મહાદેવજીનું વિશિષ્ટ પૂજન થયું ધોરણ-૧૦, ૧૨ની પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ થયો છે ત્યારે રાજ્યભરના બોર્ડના પરીક્ષાર્થીઓનું મનોબળ વધે અને સારું પરિણામ પ્રાપ્ત કરે તે માટે સોમનાથ મહાદેવ ખાતે સવારે વિશિષ્ટ પૂજન કરવામાં આવ્યું...
somnath1
 
 
danik bhaskar

સુંદર શબ્દની શક્તિ શબ્દ દ્વારા વર્ણવી નહીં શકાયThursday, March 04, 2010 13:08 [IST]

શબ્દની સંજીવની શકિત અને સંહારક શકિતનો આપણને અવારનવાર પરિચય થતો રહે છે. શબ્દ દ્વારા ચંદન જેવો શિતળ લેપ થયો હોય એવું બને છે, તો શબ્દ શ્રવણ થતાં વેંત હૃદયમાં ઘણના ઘા પડતા હોય તેવું પણ અનુભવાય! આ બાબતમાં જૂનાં અને નવાં ઉદાહરણો મળે છે, આવો એક પ્રસંગ મને સ્પર્શી ગયો તે અહીં જણાવું છું. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના પૂર્વભવો પૈકીના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવની આ વાત છે. એક જંગલમાં સિંહની...
PRADYUMNASURIJI-SMALL1
 
 
danik bhaskar

સ્વાઇન ફ્લુ કરતાં ‘અહં’રૂપી ચેપી રોગના પીડીતો વધુ : અમ્માWednesday, March 10, 2010 12:15 [IST]

- બે વર્ષ બાદ ગુજરાત આવેલા માતા અમૃતાનંદમયી દેવી : વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી- બે પુસ્તિકા, સોવેનિયરનું વિમોચન થયું

વિશ્વભરમાં ચેપી રોગ-સ્વાઇન ફ્લુ કરતાં ‘અહં’રૂપી ચેપી રોગથી પીડાતા લોકો વધુ છે. પ્રત્યેક માનવીએ કોઇને પણ મન-વચન-કર્મથી નુકસાન કે દુ:ખ ન પહોંચે તેનું ઘ્યાન રાખવું જોઇએ, એમ માતા અમૃતાનંદમયી દેવી ‘અમ્મા’એ બુધવારે સત્સંગ-દર્શનનાં કાર્યક્રમમાં...

ammaprayer11
 
 
danik bhaskar

મા એટલે થીજી ગયેલી માનવતાના હિમાલયમાંથી નિર્ઝરેલું ઝરણુંTuesday, March 9, 2010 16:51 [IST]

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે; જે હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી. મા એટલે થીજી ગયેલી માનવતાના હિમાલયમાંથી નિર્ઝરેલું ઝરણું. સરિતા કોઈ સંપ્રદાય નહીં હોતા. સરિતા કા ઓર કોઈ ધર્મ નહીં હોતા. મા શબ્દ ભી ઐસા હી હૈ. મા શબ્દ પરમ સત્યને, પરમાત્માને પામવા માટે કેવો અદ્ભુત છે! ભગવાન વેદવ્યાસે ભાગવતની અંદર પરમ સત્ય એવો શબ્દપ્રયોગ કર્યો છે.



‘સત્યં પરં ધીમહી’થી ભાગવતનો...

mother11
 
 
danik bhaskar

ગુજરાતી સાહિત્યલેખન પર સૂફી વિચારોનો પ્રભાવWednesday, March 03, 2010 18:28 [IST]

મઘ્યયુગના ગુજરાતી સંતોમાં મીરાં અગ્ર છે. તેનાં પદો અને ભક્તિની પદ્ધતિ સૂફી વિચારાધારાની નજીક લાગે છે. સંભવ છે મીરાંની કૃષ્ણભક્તિમાં ક્યાંક મઘ્યયુગની બહુ પ્રચલિત ઇસ્લામની સૂફી ઇબાદત પદ્ધતિ અને તેના સાહિત્યની છાંટ હોય? ઇસ્લામના સૂફી સંતોના આગમનથી ગુજરાતી સાહિત્યનો શબ્દભંડોળ તો સમદ્ધ થયો પણ તેની સાથે સાહિત્યની લેખનશૈલી ઉપર પણ મોટી અસર થઇ. મઘ્યકાલીન ગુજરાતમાં ગુજરાતી...
rahe-roshan-1
 
 
danik bhaskar

લગ્નમાં ધર્મપાલનની જ વાત છેMonday, March 8, 2010 19:19 [IST]

આજના ઇન્ટરનેટના જમાનામાં લગ્નગ્રંથિમાં ફટાફટ જોડાતાં અને તેટલી જ ઉતાવળે જુદા પડતાં યુવાનોએ ગાંધીજીનાં આ વચનોને એમના હૃદયમાં ઉતારવા જેવાં છે.

ચાલો, આજે આપણે ગાંધીજીના એક રળિયામણા પ્રસંગમાં મહાલીએ. સન ૧૯૩૩. સ્થળ પૂના. ગાંધીજીના ૨૧ દિવસના ઉપવાસ મે મહિનાની ૨૮મીએ પૂરા થયા અને ૧૬મી જૂને ગાંધીજીના સૌથી નાના પુત્ર દેવદાસનાં લગ્ન રાજાજીની પુત્રી લક્ષ્મી સાથે સવારે સાડા છ વાગે...

gandhi-ji-111
 
 
danik bhaskar

પૂર્વ અને પશ્વિમનું સુપ્રજનનશાસ્ત્રMonday, March 8, 2010 11:22 [IST]

હિંદુ ધર્મમાં માતાના શરીરના સંસ્કારને ઘણો અગત્યનો માનવામાં આવે છે. ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, ઇત્યાદિ ધર્મસંસ્કારો સંતાનના જન્મની પહેલાં માતાના શરીર ઉપર કરવામાં આવે છે અને તે સંસ્કારને લગતા મંત્રો ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ઋષિમુનિઓ પ્રજનનકાર્યને ઘણું ઉત્તમ, ઘણું જવાબદારીવાળું તથા વીર પ્રજાને ઉત્પન્ન કરવાની આકાંક્ષાવાળું માનતા હતા...



આજકાલ પોતાને ત્યાં સુપર...

Untitled-6211
 
 
danik bhaskar

ઇશ્વરાક્ત બની જીવનનો આનંદ અનુભવોTuesday, March 02, 2010 10:53 [IST]

સાઠ સાઠ વરસ એ સુખમાં આળોટ્યા પછી પેલા પતિદેવને જિંદગીનો વસવસો શા માટે? તે સુખ ભોગવ્યા પછી પ્રૌઢાવસ્થામાં માનવીને તેનું જીવન ઢસરડો શા માટે લાગે? કારણ બહુ સ્પષ્ટ છે. ભગવાને ગીતામાં કહ્યા મુજબ વિષયજન્ય જે ભોગો છે તે અંતવાળા છે અને તેમાં માનવી સુખ સમજીને માણ્યા કરે છે, તો તે સુખનો અંત આવે જ ને!’ તેવું જ બધા પ્રકારના વિષયોપભોગનું છે... વિષણ્ણ ચહેરે બેઠેલા પતિને પત્નીએ વિષણ્ણતાનું કારણ...
gita-ane-jivan-1
 
 
danik bhaskar

ધર્મ આચરણમાં ન હોય તો નિરર્થકSunday, March 7, 2010 13:32 [IST]

સ્વામીશ્રી અરૂણભાઈ ગુજરાતીને મળ્યા. તેઓ સ્વામીશ્રીને કહે: ‘આપે કેટકેટલાં મંદિરો બાંઘ્યા! આપની ડિક્ષનરીમાં તો હવે સ્કેવર ફૂટ કે સ્કવેર મીટરની તો વાત જ નથી. જયાં જુઓ ત્યાં વિશાળ મંદિરોની જ વાત છે.’ સ્વામીશ્રી કહે: ‘એ બધું મહારાજ અને શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજના સંકલ્પ અને પ્રતાપે છે.’ અરૂણભાઈ કહે: ‘દિલ્હીનું પણ કેટલું અદભૂત થઇ ગયું! યોગીબાપાની ઇરછા હતી તે આપે પૂરી...

krishna21
 
 
danik bhaskar

દૂષિતવૃત્તિઓને ભસ્મ કરનારું પાવન પર્વ હોળીSunday, February 28, 2010 14:14 [IST]

હોળીમાં પ્રહ્લાદનો બચાવ થતાં પ્રભુપ્રેમી લોકો તેને અબીલ-ગુલાલથી વધાવે છે. તેથી હોળી આત્માના ગુણો, પ્રેમ, શાંતિ, શક્તિ, આનંદ, પવિત્રતા વગેરેના પ્રગટીકરણનો, દિવ્યતાનો સંદેશ આપે છે. ઈશ્વરીય રંગમાં રંગાઇ જઇને પ્રેમ, એકતા, બંધુતા, ભાઇચારો અને દિવ્યપ્રેમનો સંદેશ આપે છે. ભારતમાં ઊજવાતા સર્વ તહેવારોમાં હોળીનું આગવું સ્થાન છે. આસુરીશક્તિ ઉપર દૈવી શક્તિના વિજયનું આ પર્વ ફાગણ મહિનાની...
holi111
 
 
danik bhaskar

લોહી બનાવનાર પરમાત્માના સંબંધને સ્વીકારો તો સમત્વની દ્રષ્ટિ કેળવાયSaturday, March 6, 2010 11:37 [IST]

આજે સમત્વની ભાષા બધા બોલે છે. નેતાઓ સમત્વનાં મોટાં મોટાં બણગાં ફૂંકે છે, પરંતુ તે દિશામાં કોઈ નક્કર પગલાં ભરતા હોય એવું લાગતું નથી. કાં તો સમત્વ કેમ લાવવું તેની આ નેતાઓને સૂઝ પણ પડતી ન હોય. ગમે તે કારણ હોય બાસઠ વર્ષની આઝાદી પછી પણ સમાનતા તો દૂર રહી, ઊલટું સમાજમાં દિનપ્રતિદિન વિખવાદ વધતા જણાય છે.



સમત્વની ભાવના નિર્માણ કરવી હશે તો જીવનમાં બે વાતો આવશ્યક છે. પોતાના તરફ જોવાતી...

krishna11
 
 
danik bhaskar

કડવાં પ્રવચનો : સદ્ગુણોને આમંત્રણ આપોSaturday, February 27, 2010 12:31 [IST]

બીજાનું ભલું કરવું સારી વાત છે, પરંતુ પોતાના દુર્ગુણો શોધવા તે વધારે સારું છે. સત્ય બોલવું સારું છે, પરંતુ બીજાના પ્રાણ બચાવવા ખોટું બોલવું વધારે સારું છે. ચારિત્ર્ય ઉજ્જવળ બને તે સારું છે, પરંતુ બધાને પ્યાર આપવો વધારે સારું છે. દુર્ગુણ ઉપર નિયંત્રણ સારું છે, પરંતુ સદ્ગુણને આમંત્રણ આપવું વધારે સારું છે. તીર્થંકરો અને અવતારોમાં શ્રદ્ધા રાખવી સારી છે, પરંતુ તેમનો ઉપદેશ માનવો...
TARUNSAGAR1
 
 
danik bhaskar

શ્રદ્ધા, શક્તિ અને સત્સંગનો સંગમ : ડાકોરની પદયાત્રાFriday, March 5, 2010 18:47 [IST]

હોળી-ધુળેટી ટાણે ચોતરફથી ડાકોરમાં દસથી પંદર લાખ શ્રદ્ધાળુઓના પદસંચારથી ધરતી ધબકી ઊઠે છે. રસ્તાઓ ‘જય રણછોડ.... માખણચોર’ના નારાઓથી ગાજી ઊઠે છે



હોળી અને ધુળેટી એટલે રંગોનો ઉત્સવ. આ ઉત્સવમાં જો ભગવાન ભેગા મળીને હોળી રમાડે તો જીવનનો પરમ આનંદ પ્રાપ્ત થાય. ભગવાનની સાથે હોળી-ધુળેટીનો મહોત્સવ માણવા ડાકોરમાં ફાગણી પૂનમે શ્રદ્ધાળુઓ પગપાળા ઊમટી પડશે અને રાજા રણછોડની સોના-રૂપાની...

dakore-4-new11
 
 
danik bhaskar

‘મા’ શબ્દ એટલે ગુજરાતી ભાષાનું ‘એકાક્ષરી કાવ્ય’Friday, March 5, 2010 11:53 [IST]

સ્વામી રામતીર્થ સમાજને ગુરુ માનતા. તેઓ એક વખતે જતા હતા તો એક જગ્યાએ આગ લાગતી જોઈ, ધમાલ હતી. શેઠજીની હવેલીમાં આગ લાગેલી અને દોડાદોડી થતી હતી. નોકરચાકર બધા અંદરથી જઈ અને બધો સામાન બહાર કાઢતા હતા. આગ એટલી બધી ભયંકર હતી કે એને બુઝાવવી તો શક્ય નહોતી. એટલે જેટલી વસ્તુ બચે એટલી બચાવી લેવાના પ્રયાસમાં પેલા નોકરચાકર પડ્યા હતા.



શેઠ-શેઠાણી એક બાજુ ઊભાં ઊભાં રડતાં હતાં. એમાં બધાયે આવીને...

td11
 
 
danik bhaskar

અમારા આંતરિક શત્રુઓનો નાશ કરોFriday, February 26, 2010 13:12 [IST]

આપે બતાવેલ સિદ્ધાંતો, નીતિનિયમો અને વિધિ-વિધાનોને છોડી જે વ્યક્તિ લૌકિક ધનસંપત્તિ, પદપ્રતિષ્ઠા અને ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે તે અનેક પ્રકારના દોષોથી ગ્રસ્ત થઇ જાય છે. ધીરે ધીરે તેના વિચારો, વ્યવહારોમાં ખરાબીઓ આવી જાય છે એની તેને ખબર પણ પડતી નથી. આથી પોતાના પરિવાર, સમાજ, રાષ્ટ્રને પણ પોતાનાં ખરાબ કૃત્યોથી દુ:ખી કરતો રહે છે. મા પ્રગામ વયં મા યજ્ઞાદિન્દ્ર સોમિન: | માન્ત: સ્થુર્નો...
gnaswarje-photo-bayad11
 
 
danik bhaskar

માણસને હેત કરો, તે બદલાઈ જશેThursday, February 25, 2010 18:25 [IST]

સ્વામીશ્રીએ વધુમાં આગળ કહ્યું કે... એ ઘડીએ કહેવા ગયા હોત કે ‘તમે તો આવા છો ને ફલાણા છો ને ખોટા છો,’ તો સાધુતા જાય અને લોકો સામા પડે, એટલે નિર્માની રહીને સેવા કરીએ એની જ મહત્તા છે. મોટાપુરુષોએ વર્તનથી આ સિદ્ધ કર્યું છે. ચોખવટ કરવા ગયા નથી. શાસ્ત્રીજી મહારાજે સહન કર્યું અને કામ પણ ચાલુ રાખ્યું.’ જ્ઞાનવત્સલ સ્વામી કહે : ‘વિધ્ન નાખનાર વ્યકિતને વર્તનથી સમજાવવા માટે સમય અને ધીરજ બહુ...
worship1
 
 
danik bhaskar

બ્રહ્મચર્યના પાલન વિના સેવા શક્ય નથીWednesday, February 24, 2010 17:36 [IST]

જે વીર્યમાં પોતા જેવો જીવ પેદા કરવાની શક્તિ હોય તે વીર્યનો સંગ્રહ એ જેવી તેવી વાત ન હોઇ શકે. આવાં અનેક બુંદની શક્તિનો સંગ્રહ થાય તો એ શક્તિનું માપ કોણ કાઢી શકે? પણ બ્રહ્મચર્ય એટલે માત્ર વીર્યરક્ષા જ નહીં, એમાં બધી જ ઇન્દ્રિયોનો સંયમ જરૂરી છે. ગાંધીજી એક વાર સિલોન ગયા હતા. એમની સાથે બા પણ હતાં. પણ ત્યાંના લોકોએ બાને ગાંધીબાપુનાં માતાજી માની લીધાં! ગાંધીજીનું સ્વાગત કરનાર ભાઇએ પણ એમ...
gandhi21
 
 
danik bhaskar

સત્યમ શિવમ્ સુંદરમ્Wednesday, February 24, 2010 12:13 [IST]

છાપાંની મસાલેદાર ખબરો તરત ઘ્યાન ખેંચી લે છે. જ્યારે ‘ધર્મ-વિજ્ઞાન’માં રસ કેળવવા થોડો પ્રયાસ કરવો પડે. પ્રેયધારા ધમધોકાર વહેતી રહે છે. બીજી બાજુ શ્રેયધારા સતત સુકાતી રહે. વૃત્તિઓના આવરણતળે આતમનો ઉજાસ ઢંકાઇ જાય. આપણે અષ્ટાંગ યોગયાત્રાના મઘ્યાંતરે પહોંચ્યા છીએ. પ્રથમ ચાર ચરણોમાં યમ, નિયમ, આસન અને પ્રાણાયામનું આપણે દર્શન કર્યું. પાંચમું ચરણ છે, પ્રત્યાહાર = પ્રતિ + આહાર. જેમ જઠર...
dharma-ane-vigyan1
 
 
danik bhaskar

ત્રણ રૂપોમાં શ્રેષ્ઠ છે સતોગુણી ભક્તિWednesday, March 3, 2010 18:47 [IST]

ભક્તિનાં ત્રણ રૂપો અંગે માતાને સમજાવતાં કપિલજી કહી રહ્યા હતા કે, મા તમે સતોગુણી ભક્તિ કરી શકો છો, તમે રજોગુણી ભક્તિ કરી શકો છો અને તમે તમોગુણી ભક્તિ કરી શકો છો અને પરિણામ પણ તે મુજબ જ મળશે. સતોગુણી ભક્તિ અર્જુનની હતી, સતોગુણી ભક્તિ સુદામાની હતી.



સુગ્રીવે રજોગુણી ભક્તિ કરી હતી. જયારે તમોગુણી ભક્તિ રાવણે અને હિરણ્યાકશ્યપુએ કરી હતી, જેઓ તમને બોલાવશે ખરા પણ પોતાની રીતે જ...

krishna11
 
 
danik bhaskar

ભગવાનને પ્રસન્નતા અને પવિત્રતા પસંદ છેTuesday, February 23, 2010 12:58 [IST]

જ્યારે તમે હસો છો ત્યારે જ ભગવાન તમને જુએ છે કેમ કે ભગવાનને પ્રસન્નતા અને પવિત્રતા પસંદ છે. એક વાત યાદ રાખો, હંમેશાં હસવા વાળી વ્યક્તિ અંદરથી ક્યારે દૂષિત થતી નથી. હંમેશાં હસતો રહેનાર વ્યક્તિ ક્યારેય કોઈ પાપ કરી જ શકતી નથી . હંમેશાં હસતી રહેનાર વ્યક્તિ ક્યારેય કોઈને દંડ આપી જ ન શકે. હસતી વખતે તમારી અંદર અપરાધભાવ આવી જ ન શકે અને તમને અસંતોષ ક્યારેય નહીં થાય. આ પણ એક યોગ છે. તેથી જયારે...
lord-krishna1
 
 
danik bhaskar

શ્રી નવખંડા પાર્શ્વનાથજી : શ્રી ઘોઘા તીર્થTuesday, March 2, 2010 18:30 [IST]

તે પોટલું હીરના તાંતણે બાંધીને બહાર કાઢશો અને તે નવ ટુકડા ઘોઘામાં લઇ જશો. ત્યાર બાદ તે નવ ટુકડા તમે નવ મણ લાપસીમાં ગોઠવશો અને નવ દિવસ પછી બહાર કાઢશો. સવાર તે શ્રાવકે સ્વપ્ન મુજબ કૂવામાંથી હીરના તાંતણે પ્રભુજીની પ્રતિમાના નવ ટુકડા બહાર કાઢ્યા અને ભગવાનને ઘોઘા લાવવામાં આવ્યા. ત્યાર બાદ શ્રાવકે નવેનવ ટુકડાને નવ મણ લાપસીમાં ગોઠવ્યા અને નવમા દિવસે બહાર કાઢવા તે સ્વપ્ન મુજબ નક્કી...

mari-yatra-111
 
 
danik bhaskar

ગુજરાતના સૂફી સંતોનું સંત સાહિત્યમાં પ્રદાનTuesday, March 2, 2010 11:11 [IST]

સૂફી સંતો પોતાની સાથે સાદગી, ભક્તિમય જીવન કે ઉદાર ધાર્મિક વિચારો માત્ર નહોતા લાવ્યા. પણ ગઝલ, રુબાઇ, નાત અને કવ્વાલી જેવી લેખનશૈલી પણ લાવ્યા હતા, પરિણામે ૧૫મી સદીથી ગુજરાતી સંત સાહિત્યનું કલેવર બદલાવા લાગ્યું હતું.

ભારતના મઘ્યકાલીન મુસ્લિમ શાસકોના પાંચસો વર્ષના શાસન (૧૨૦૬-૧૫૨૬) દરમિયાન ગુજરાતના સુલતાનોએ પણ સૂફી સંતાને રાજ્યાશ્રય આપ્યો હતો. આ સંતોના જીવનકવનનો અભ્યાસ કરતા...

raheroshan-111
 
 
danik bhaskar

સપ્તાહના તહેવારMonday, February 22, 2010 10:38 [IST]

(તા.૨૨-૨-૧૦થી ૨૮-૨-૧૦) તા.૨૨-૨-૧૦ સોમવાર, ફાગણ સુદ આઠમ : કૃતિકા નક્ષત્ર, હોળાષ્ટક ૧૭.૪૯, જવાળામુખી યોગ ૭.૨૯ ને ૧૭.૪૭થી ૩૧.૦૭, ચંદ્ર વૃષભમાં. તા.૨૩-૨-૧૦ મંગળવાર, ફાગણ સુદ નોમ : મૃગશીર્ષ નક્ષત્ર, બગીચા નોમ, બુધનો અસ્ત પૂર્વમાં, ચંદ્ર મિથુનમાં ૧૮.૪૪થી. તા.૨૪-૨-૧૦ બુધવાર, ફાગણ સુદ દસમ : આદ્રા નક્ષત્ર, ફાગુ દસમી, ચંદ્ર મિથુનમાં. તા.૨૫-૨-૧૦ ગુરુવાર, ફાગણ સુદ અગિયારસ : પુનર્વસુ નક્ષત્ર, આમલકી એકાદશી...
Untitled-121
 
 
danik bhaskar

રક્ષાત્મક યોગશક્તિનો પરચોFriday, February 26, 2010 13:28 [IST]

તે દિવસે વહેલી સવારે શ્રીમતી જ્હોન સેવર્નની ઊંઘ અચાનક જ ઊડી ગઇ. તેણીના મનમાં એવું લાગવા માંડ્યું કે કોઇએ તેના જડબા ઉપર સખત રીતે પ્રહાર કર્યો છે. પરિણામે તેનો ચહેરો રક્તરંજિત થઇ ગયો છે! રૂમાલથી તેણે મોં સાફ કર્યું, તો લોહીનો કોઇ ડાઘ દેખાયો નહીં. દર્પણમાં પોતાનો ચહેરો જોયો તો પણ વાગ્યાની કોઇ નિશાની જણાઇ નહીં.



નોર્થ ઇંગ્લેન્ડના એક શહેરમાં મિ.આર્થર જ્હોન સેવર્ન પોતાની પત્ની...

agochar-11
 
 
danik bhaskar

અવિરત: એક વિશેષ અવસ્થાSunday, February 21, 2010 18:12 [IST]

પાંચમા ગુણસ્થાનકે રહેલો જીવ, જેટલે અંશે ઇચ્છા પર કાબૂ મેળવતો જાય છે તેટલા અંશે તેના જીવનમાં ધર્મપ્રવૃત્તિ વધતી જાય છે. પાંચમા ગુણસ્થાનકે રહેલો જીવ બાર વ્રત સ્વીકારે છે ત્યારે તે મહાશ્રાવક બને છે એમ શ્રીયોગશાસ્ત્ર ગ્રંથમાં લખ્યું છે. જીવને ઇચ્છા થાય છે તે વખતે જીવ વિચારે છે કે ‘મારે ભવિષ્યમાં એવી ભૂમિકાએ પહોંચવું છે જ્યાં ઇચ્છા થાય જ નહીં. એ પહેલાં મારે એક નાની ભૂમિકા બનાવવી...
jain-darshana-1
 
 
danik bhaskar

વેદ અને સંસાર બંને શાશ્વત છેSaturday, February 27, 2010 18:55 [IST]

એ ધારણા મિથ્યા છે કે અકાળે જ કોઇ દુઘટર્નાથી આ પૃથ્વીનો વિનાશ થઇ જશે. સત્ય આ છે કે સૂર્યોદય, ચંદ્રમાની કળાઓ સતત ચાલતી જ રહેશે. ઠંડી, ગરમી, વર્ષા વગેરે ઋતુઓ સતત બનતી રહેશે. ગંગા, યમુના વગેરે નદીઓ વહેતી રહેશે.

અન્તિ સન્તં ન જહાતિ - અંદર બેઠેલા ઈશ્વરથી મનુષ્ય કદી જુદો થઇ શકતો નથી, અન્તિ સન્તં ન પશ્યતિ - તે અંદર બેઠેલાને જોઇ પણ શકતો નથી, દેવસ્ય પશ્ય કાવ્યં - ઈશ્વરના કાર્યોને જુઓ - ન મમાર ન...

gnaswarje-photo-bayad1111
 
 
danik bhaskar

યોગની સાધના કરો મન નિયંત્રિત થશેWednesday, February 24, 2010 12:37 [IST]

જેમ નાનાં બાળકોને તમે બેસાડવાની કોશિશ કરો છો તેમ તે વધારે ધમાલ કરે છે જેથી તમે થાકી જાઓ. એ જ રીતે દેવહૂતિએ ફરી એક પ્રશ્ન પૂછ્યું કે, બેટા તું એ તો સમજાવ કે ભક્તિમાં મન કેવી રીતે લાગશે ? ત્યારે કપિલદેવ સમજાવી રહ્યા છે કે, મા હું તને એ પણ બતાવું છું. તમારું મન અષ્ટાંગ યોગથી લાગશે. હવે કપિલજી અષ્ટાંગ યોગની ચર્ચા કરી રહ્યા છે.



ભાગવતમાં તેઓ કહે છે કે, આઠ પ્રકારના યોગ હોય છે. તમે આ યોગની...

krishna111
 
 
danik bhaskar

કડવાં પ્રવચનો : સંપત્તિને અક્ષય બનાવોSunday, February 21, 2010 13:53 [IST]

દાન આપ્યા વિના સૂવું નહીં અને આપ્યા પછી કદી રોવું નહીં. સંપત્તિને આગમાં નાખો તો બળી જાય છે. લોકરમાં રાખો તો એટલી ને એટલી જ રહે છે. બેંકમાં મૂકો તો વ્યાજ મળે છે, વધે છે, પરંતુ જો સંપત્તિને ધર્મના કાર્યમાં સમર્પિત કરી દો તો અક્ષય થઇ જાય છે. ન્યાય અને નીતિથી ખૂબ કમાઓ અને જરૂરિયાતવાળા લોકોની સેવા પણ કરવી. જો આવું નહીં કર્યું તો ગળામાં પહેરેલી આ સોનાની ચેઇન ક્યારેક ફાંસીનો ફંદો બની શકે...
TARUNSAGAR1
 
 
danik bhaskar

ભગવાનનું સ્વરૂપ ખૂબ જ વિરાટ છેSaturday, February 20, 2010 16:32 [IST]

આગળ બતાવવામાં આવેલી ભક્તિમાંથી કોઈ એક ભક્તિ કરો. કપિલ ભગવાન માતાને સમજાવી રહ્યા છે કે, મા આ જ નવધા ભક્તિ છે. તમારી જે ઇચ્છા હોય તે ભક્તિ તમે કરો. ત્યારે માતાએ ફરી કપિલ ભગવાનને કહ્યું કે, તું મને આ બધું સમજાવી રહ્યો છે, પરંતુ મને એ સમજાતું નથી કે ભગવાનનું રૂપ કેવું છે? તેમણે કહ્યું કે, ભગવાન તો ખૂબ જ વિરાટ છે. મા સંપૂર્ણ પ્રકતિ જ તેમની છે. તમે શું વિચારી રહ્યાં છો માતા ? આ પૃથ્વીથી દસ ગણું...
lord-krishna1
 
 
danik bhaskar

તરત જન્મેલું બાળક કેટલું સમજે છે ?Tuesday, February 23, 2010 12:13 [IST]

આઠ મહિનાથી માંડી બાર મહિનાની અંદર બાળકો માતાના ચહેરાના હાવભાવની નકલ કરતાં શીખી જાય છે.’છેલ્લાં ૧૫-૨૦ વર્ષો દરમિયાન અસંખ્ય પ્રયોગો દ્વારા સિદ્ધ કરી શકાયું છે કે નવજાત શિશુનું મગજ પણ કામ કરતું હોય છે!



બેતાલીશ મિનિટ પહેલાં જન્મેલું એક નવજાત બાળક - કે જેના માથામાં હજુ માતાના ગર્ભનું લોહી ચીટકેલું હતું. તેના માથાનું લોહી ધોઈ વૈજ્ઞાનિકે તેની સામે જીભ કાઢી. આશ્ચર્યની વાત એ છે...

01_santati-shashtra--ok11
 
 
danik bhaskar

જડત્વની શંખલામાં જકડાયેલો ધર્મ યુવાનોને પ્રેરણા ક્યાંથી આપી શકવાનો?Monday, February 22, 2010 18:29 [IST]

આજે વડીલોની એક ફરિયાદ છે કે યુવાપેઢી ધર્મથી દૂર થતી જાય છે. યુવાનો નાસ્તિક થતા જાય છે. પાઠપૂજા કરતા નથી, દેવદર્શને જતા નથી. આ માન્યતા ભૂલ ભરેલી છે. યુવાનો નાસ્તિક થયા નથી.



તેઓને ધર્મ જોઈએ છે, પણ તે જીવનમાં પ્રેરણા આપનારો, વિચારાધિષ્ઠિત- તેમના કતૃર્ત્વને આહ્વાન કરનારો, તેમની શક્તિને ગતિ આપનારો ડાયનેમિક ધર્મ જોઈએ છે અને આપણો વૈદિક ધર્મ એ પ્રકારનો જ છે. કાળક્રમે તેમાં અનેક...

dada11
 
 
danik bhaskar

ઉજ્જયિની મા : હરસિદ્ધ દેવીMonday, February 22, 2010 11:04 [IST]

ભારતમાં ઉજ્જૈનનું આગવું જ મહત્વ છે. આને ભગવાનની નગરી ગણાય છે. અહીં પ્રખ્યાત સમ્રાટ વિક્રમાદિત્ય ઉજ્જૈનના મોટા અને યશસ્વી શાસક હતા. એમના શાસનમાં આ શહેરનો સંપૂર્ણ વિકાસ થયો. આખાય ભારત વિક્રમાદિત્ય ન્યાયપ્રિય હતા અને હરસિદ્ધ દેવીના મોટા ભક્ત હતા.



પોતાની ભારે સાધનાથી દેવીને ખુશ કરવા તેઓ યજ્ઞના કુંડમાં પોતાના માથાની બલિ ચઢાવતા હતા પણ મા ભગવતીની કૃપાથી તેમનું માથું ફરી...

mari-yatra-11
 
 
danik bhaskar

નવધા ભક્તિને જીવનમાં ઉતારોFriday, February 19, 2010 14:16 [IST]

ભગવાન કપિલજી ગુરુ બનીને પોતાની માતાને ભક્તિ અને તેમાં પણ નવધા ભક્તિને જીવનમાં ઉતારવાની શિક્ષા આપી રહ્યા હતા. ભક્તિનું વર્ણન કરતા તેમણે જણાવ્યું કે, ભક્તિ નવ પ્રકારની હોય છે. શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, સ્મરણ ભક્તિ, પાદ સેવન ભક્તિ ઉપરાંત અર્ચન, વંદન, સખ્ય, દાસ, આત્મનિવેદન આમ નવ પ્રકારની ભક્તિ બતાવવામાં આવી છે જેને નવધા ભક્તિ કહેવામાં આવે છે. કપિલજી પોતાની માતાને નવ ભક્તિ વિશે...
krishna1
 
 
danik bhaskar

ૐ શાંતિ: ૐ શાંતિ: ૐ શાંતિ:Friday, February 19, 2010 12:51 [IST]

પ્રાણાયામની પાયાની ક્રિયા છે, પ્રાણની ગતિનું નીરિક્ષણ. આપણે જ્યારે દોડાદોડી કરતા હોઇએ કે ગુસ્સે થયા હોઇએ ત્યારે શ્વાસ ઝડપથી ચાલે છે. તન-મન શાંત હોય ત્યારે પ્રાણના ઘોડા લગામ છોડીને આરામ ફરમાવતા હોય. આવું આપમેળે જ બને છે. સતત નિરીક્ષણ અને અભ્યાસથી સમજાશે કે પ્રાણાયામ એટલે પ્રાણને શાંત અને નિયમિત કરવાની ક્રિયા. આ શ્રેણીમાં આપણે પંચકોશની વાત કરી છે. પ્રાણમય કોષનો એક છેડો જોડાયેલ...
vigyan-1
 
 
danik bhaskar

અવિરતિ : એક વિશેષ અવસ્થાWednesday, February 17, 2010 18:18 [IST]

ઇચ્છા એક મનોભાવ છે. તે અંગેના ચોક્કસ વિચારો મન પર કબજો જમાવે છે. એ વિચારોને ટાળી શકીએ તો ઇચ્છાને જીતી શકીએ છીએ. અવિરતિની પહેલાં મિથ્યાત્વ છે. મિથ્યાત્વનો અર્થ છે ખોટી સમજણ. ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. ઇચ્છાનું પૃથક્કરણ ન થાય તે ખોટું છે. ઇચ્છાના મૂળમાં રાગ અને દ્વેષ છે. આપણી ઇચ્છા અનિવાર્ય આવશ્યકતામાંથી આવી છે કે કેવળ રાગદ્વેષનાં તરંગોમાંથી આવી છે તે આપણને સમજાવું જોઇએ. અવિરતિ,...
jain_tirthankar_wl161
 
 
danik bhaskar

પવિત્રતા પરમાત્માની પહેલી પસંદ છેWednesday, February 17, 2010 18:09 [IST]

પવિત્રતા પરમાત્માની પહેલી પસંદ છે. જો આપણું અંગત જીવન પવિત્ર હશે તો જ પરમાત્મા આપણા જીવનમાં આવશે. જો કે આજે ખૂબ જ અફસોસ સાથે કહેવું પડે છે કે આજે મોટા મોટા લોકોનું અંગત જીવન દૂષિત થઈ ગયું છે. આપણે બધા સમાજમાં રહીએ છીએ, ખૂબ સુશીલ, સભ્ય, આચરણશીલ અને ખૂબ જ સારા દેખાઈ છીએ. પરંતુ પોતાના દિલ પર હાથ રાખી જુઓ. જેવા આપણે એકાંતમાં જઈ ચિંતન કરીએ છીએ ત્યારે આપણો વ્યવહાર પશુઓથી પણ વધુ ખરાબ થઈ જાય...
krishna11
 
 
danik bhaskar

ભારતના સૂફી સંતો અને તેમનો પ્રભાવSunday, February 21, 2010 14:15 [IST]

બાબા ફરીદના સરળ વિચારોએ એ યુગના સાહિત્ય પર ઘાટી અસર કરી હતી. ફરીદ બાબાના શિષ્ય નિઝામુદ્દીન ઓલિયાએ પણ એ પછી સૂફી પરંપરાને ભારતમાં જીવંત રાખવામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું હતું. આ સિવાય પણ ઘણા સૂફી સંતો છે, જે બધાનો ઉલ્લેખ અહીં શક્ય નથી. એક સમયે ભારતના સાંસ્કૃતિક અને સાહિત્યક માહોલમાં સૂફી વિચારધારા સુગંધની જેમ પ્રસરી ગઇ હતી.



ભારતમાં સૂફી વિચારનો પ્રચાર મુઘલકાળ (૧૫૨૬-૧૭૦૭)...

rahe-roshan-11
 
 
danik bhaskar

અદ્વિતીય અવતાર : રામકૃષ્ણ પરમહંસTuesday, February 16, 2010 16:50 [IST]

રામકૃષ્ણ પરમહંસે ૧૨ વર્ષ કરેલી સાધનાનું ફળ તેમનાં પત્ની શારદામણિદેવીના ચરણે અર્પણ કરેલું. પોતાની પત્નીને મા તરીકે-દેવી તરીકે પૂજા કરીને સાધનાનું ફળ અર્પણ કરવાનો દાખલો આઘ્યાત્મિક ઇતિહાસમાં અજોડ છે. શ્રી ઠાકુરની મહાસમાધિ પછી ૩૦ વર્ષ સુધી મા શારદાએ શ્રી ઠાકુરનાં અધૂરાં કામ પૂરાં કર્યા.



૧૬ ફેબ્રુઆરી ૨૦૧૦, રામકૃષ્ણદેવ(ઠાકુર)ની ૧૭૫મી જન્મજયંતી છે. રામકૃષ્ણદેવનો જન્મ...

ramkrishna-11
 
 
danik bhaskar

સપ્તાહના તહેવારSaturday, February 20, 2010 15:09 [IST]

(તા.૧૫-૨-૧૦થી ૨૧-૨-૧૦)



તા.૧૫-૨-૧૦ સોમવાર, ફાગણ સુદ એકમ : શતતારા નક્ષત્ર, પંચક, ચંદ્રદર્શન, પારસી મેહેરે માસ શરૂ, ચંદ્ર કુંભ રાશિમાં, શુભ દિવસ.તા



. ૧૬-૨-૧૦ મંગળવાર, બીજ : પૂર્વાભાદ્રા નક્ષત્ર, પંચક, શ્રી રામકષ્ણ પરમહંસ જયંતી, રાજયોગ, સિદ્ધિયોગ, રવિયોગ ૨૪.૪૩થી શરૂ.



તા. ૧૭-૨-૧૦ બુધવાર, ત્રીજ : ઉત્તરાભાદ્રા નક્ષત્ર, પંચક, ગુરુ અસ્ત પશ્વિમમાં, ચંદ્ર મીન રાશિમાં, શુભ દિવસ.



તા....

enthroned[1]11
 
 
danik bhaskar

કડવાં પ્રવચનો : એક શ્રોતા પણ બહુ છેMonday, February 15, 2010 17:31 [IST]

મુનિ તરુણસાગરનાં પ્રવચનો એમના માટે નથી જેને માત્ર પેટ ભરવાનું અને બાળકોને ઉછેરીને મત્યુ પામવાનું છે, બલકે તેમના માટે છે, જેમને કંઇક કરીને બતાવવું છે, મુશ્કેલીઓ છતાં સિદ્ધાંતો પર અડગ રહેવું છે.



મારું પ્રવચન ટાઇમપાસનું સાધન નથી, પરંતુ સમયને હમસફર બનાવવાની સાધના છે. કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણે જ્યારે ગીતા સંભળાવી ત્યારે ત્યાં માત્ર એક જ શ્રોતા હતો અને તે અર્જુન! તે ગીતા આજ...

TARUNSAGAR11
 
 
danik bhaskar

ગીતાજીના અનુવાદક ગાંધીજીMonday, February 15, 2010 12:52 [IST]

મહાત્મા ગાંધીજીએ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’નો અનુવાદ ગુજરાતીમાં કર્યો હતો અને ‘અનાસક્તિયોગ’ નામે એ અનુવાદ દાંડીકૂચને દિવસે પ્રકાશિત થયો હતો.



ગાંધીજી બાળપણથી જ ધાર્મિક પ્રકૃતિના હતા. એમનો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં થયો હતો એટલે હવેલીએ વખતોવખત જતા. તેમજ રામજી મંદિરમાં રાત્રે રામાયણ સાંભળવા જતા. એમના પિતાજીની લાઇબ્રેરીમાંથી મનુસ્મૃતિનું ભાષાંતર મળી આવ્યું, ગાંધીજી એ...

gandhi22
 
 
danik bhaskar

ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીએSunday, February 14, 2010 18:46 [IST]

જૂઠ, છળ-કપટ, મિલાવટ, રિશ્વત વગેરે અનુચિત ઉપાયો અને સાધનોથી મેળવેલું હોય એવું ધન અર્થકારી નથી હોતું પરંતુ અનર્થકારી હોય છે. શબ્દાર્થ : અગ્નિના-ઇશ્વરની આજ્ઞાઓનું પાલન કરતાં રયિમ÷-વિદ્યા, ધન વગેરેને અશ્નવત્ - પ્રાપ્ત કરે જે પોષમેવ- પુષ્ટિ કરવાવાળો હોય દિવે દિવેð- પ્રતિદિન યશસમ્÷ - યશને વધારવાવાળો હોય વીરવત્તમમ્ - વીર, નિર્ભીક બનાવવાવાળો હોય. વ્યાખ્યા : હે પરમપિતા પવિત્ર પરમેશ્વર!...
Untitled-921
 
 
danik bhaskar

સૂફીવાદનો ઉદ્ભવFriday, February 19, 2010 13:12 [IST]

સૂફીવાદના ઉદ્ભવના પાયામાં ઇસ્લામનો માનવતાવાદી દ્રષ્ટિકોણ દટાયેલો પડ્યો છે. તેની સાક્ષી પૂરતી સમજ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં આપવામાં આવી છે. તેમાં સૂફીવાદ અંગે લખ્યું છે,



‘એક અઘ્યાત્મિક ઇસ્લામિક પંથ અને ઉપાસના પદ્ધતિ, જેમાં ખુદા અંગે પ્રત્યક્ષ અને વ્યક્તિગત અનુભવોના માઘ્યમ દ્વારા અલૌકિક પ્રેમ અને જ્ઞાનનું સત્ય જાણવાનો પ્રયાસ થાય છે.’



આ આઘ્યાત્મિકવાદને...

rahe-roshan11
 
 
danik bhaskar

ઓલ ધ બેસ્ટ, વિદ્યાર્થી મિત્રોWednesday, February 17, 2010 18:42 [IST]

ખૂબ પરિશ્રમ કર્યા પછી પણ જો પરિણામ અપેક્ષિત ન આવે તો નિરાશા અવશ્ય થાય. પણ ડાહ્યો માણસ તો નિષ્ફળતાને જ પ્રચંડ સફળતાનો રાજમાર્ગ બનાવે. પલાયનવૃત્તિ તો જરા પણ ન શોભે. આપણે તો મહારાણા પ્રતાપ, શિવાજી, ઝાંસીની રાણી અને ગાંધીબાપુના વંશજ! મુઠ્ઠીભર હાડકાનો માળો અને સાવ સરળ વ્યક્તિત્વના માલિક એવા મહાત્મા ગાંધીએ એકલા હાથે બ્રિટિશ સામ્રાજ્યને પડકાર ફેંક્યો અને જીત્યા પણ ખરા.



માઘ્યમિક...

Untitled-1211
 
 
danik bhaskar

Special : ભવનાથનાં મેળાની તાજી તસવીરોSaturday, February 13, 2010 10:12 [IST]

ગુજરાતના જૂનાગઢ ખાતે ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રિ નિમિતે મેળો ભરાયો છે. આ મેળો ભવનાથનાં મેળા તરીકે ઓળખાય છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં ગુજરાતમાંથી જ નહીં સમગ્ર દેશ અને વિદેશમાંથી પણ લોકો ઉમટી રહ્યાં છે અને મેળાનો લહાવો લઇ રહ્યાં છે.

મેળાનાં કેટલાક દ્રશ્યો...



 



 

 

 

 

 

 

 

 

 











....

thumb_051113
 
 
danik bhaskar

નાગા સાધુઓએ ડૂબકી મારીWednesday, February 17, 2010 12:53 [IST]

દિવ્યભાસ્કર. કોમ દ્વારા તેના વાચકો માટે કુંભના મેળાના કવરેજ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બે રિપોર્ટર રાજેશ યાદવ અને મોનિકા સકસેના કુંભને લગતા સમાચારો અને તસ્વીરો તમારા સુધી પહોંચાડી રહ્યાં છે. પ્રસ્તુત છે મહાશિવરાત્રીના શાહી સ્નાની ખાસ તસ્વીરો જેમાં નાગા સાધુઓ સ્નાન કર્યું હતુ અને બપોરે સાડા ચાર વાગ્યાથી અખાડાઓ સ્નાન માટે ઉતરશે. આતંકવાદીઓ ઉપરાંત સાધુઓના અખાડાઓ...

naga-final111
 
 
danik bhaskar

અહીં શિવરાત્રીના શિવજીની પૂજા નથી કરતા !!Friday, February 12, 2010 13:05 [IST]

આજે શિવરાત્રી છે. સમગ્ર દેશમાં આ પર્વની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે. પરંતુ રોહડુના સિંદાસલી પંચાયતના આઠ ગામો ભગવાન શિવજી પ્રત્યેની તેમની નારાજગી પ્રગટ કરશે. સ્થાનિક ઇષ્ટદેવ થૈંઇ નાગ મહારાજને માનતા આઠ ગામના લોકો સદીઓથી શિવરાત્રીની ઊજવણી નથી કરતા અને આ રીતે તેઓ ભગવાન શિવ પ્રત્યેની તેમની નારાજગી પ્રગટ કરે છે.



એવું માનવામાં આવે છેકે, સ્થાનિક દેવ થૈંઇ નાગ અને ભગવાન શિવ...

shiv-local11
 
 
danik bhaskar

કુંભ સ્નાનની Exclusive તસ્વીરોTuesday, February 16, 2010 13:12 [IST]

હરિદ્વારમાં મહાકુંભનું સ્નાન ચાલી રહ્યું છે. જેમાં આજે સવારે 11 વાગ્યાથી પહેલું શાહી સ્નાન શરૂ થયું છે. ત્યારે વહેલી સવારથી જ ત્યાં ભક્તિવાળું વાતાવરણ રહ્યું હતું, જે પ્રસ્તુત તસ્વીરોમાં જોઇ શકાય છે.































t_india1111
 
 
danik bhaskar

સંસારના કલ્યાણકારી શિવજીની મહાશિવરાત્રિMonday, February 15, 2010 17:32 [IST]

શિવરાત્રિ કૃષ્ણપક્ષમાં ઊજવાય છે તેની પાછળ પણ એક વિશેષ દ્રષ્ટિ છે. શુક્લ પક્ષમાં પૂનમે ચંદ્રમા પૂર્ણ હોય છે અને કૃષ્ણપક્ષમાં તે ક્ષીણ થતો જાય છે, તેથી સંપૂર્ણ ચંદ્રક્ષયની તિથિ એટલે કે અમાવાસ્યા આવતાં પહેલાં જ તામસીવૃત્તિના ઉપશમનાર્થ આ પ્રવત્તિના દેવ માત્ર શિવજી હોવાથી તેની આરાધનાનું મહત્વ છે...

એ તો સુવિદિત છે કે ભગવાન શંકર સંહારના દેવતા છે, તમોગુણના અધિષ્ઠાતા છે. તેથી...

shiv3111
 
 
danik bhaskar

મહાશિવરાત્રિએ ભાંગ ચડી જાય તો છાશ, લીંબુનું શરબત પીવુંMonday, February 15, 2010 11:32 [IST]

>>>મહાશિવરાત્રિએ રાજયમાં શિવભકતો બે લાખ લીટર ભાંગનો પ્રસાદ લેશે
>>>વધુ માત્રામાં ભાંગ પીવી નશાકારક બની શકે, સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે
>>>ચકુડીયા મહાદેવ ખાતે ૧૦૦૦ લીટર ભાંગનો પ્રસાદ અપાશે
>>>ચકલેશ્વર મહાદેવ ખાતે શિવજીને ભાંગનો અભિષેક થશે

મહાશિવરાત્રિએ શિવજીનો વિશિષ્ટ પ્રસાદ લેવા શિવભક્તો આતુર છે. એક અંદાજ અનુસાર રાજયમાં શિવભકતો બે લાખ લીટરથી પણ વધુ...

palkhi113
 
 
danik bhaskar

ભય-શોક-ચિંતા નિવારણ, આરોગ્ય પ્રાપ્તિ માટે મહાશિવરાત્રિ શ્રેષ્ઠThursday, February 11, 2010 19:28 [IST]

 



 તા.૧૨મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિની ઉજવણી થશે. ગુજરાતભરનાં શિવાલયોમાં ‘ઓમ્ નમ: શિવાય’નો નાદ ગૂંજી ઉઠશે. જયારે સોમનાથ મહાદેવ અને જૂનાગઢમાં પણ મહાશિવરાત્રિની વિશિષ્ટ ઉજવણી થશે ત્યારે મહાશિવરાત્રિએ દેવાધિદેવ મહાદેવની ઉપાસના કરવાથી ભય, ચિંતા, શોક દૂર થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.



જયોતિષાચાર્ય કંદર્પભાઇ ત્રિવેદીએ જણાવ્યું મહાશિવરાત્રિએ જીવનું શિવ...

shiv-ratri11
 
 
danik bhaskar

હર-હર ગંગે... હર-હર મહાદેવ...Sunday, February 14, 2010 15:12 [IST]

આસ્થાના સમાગમ સમા મહાકુંભ 2010માં શિવરાત્રી પર્વ પર થનાર પ્રથમ શાહી સ્નાનના એક દિવસ પહેલા શ્રદ્ધાળુઓએ ગંગામાં ડુબકી લગાવીને પુણ્યપ્રાત્પીનો અનુભવ કર્યો હતો. આમતો ગંગા નદીના સ્પર્શ માત્રથી જ પવિત્ર થઈ જવાય છે પરંતુ ગંગામાં ડુબકી લગાવનારની જીવનનૈયા પાર લાગી જાય છે.

અત્રે સવારથી જ ભાવી ભક્તોની ભારો ભીડ ઉમટી પડી હતી. હરિદ્વારમાં પડી રહેલ જોરદાર ઠંડી પણ ભક્તોની ભાવનામાં ઉણપ...

kumbh1111
 
 
danik bhaskar

મિની અંબાજી (પેઢામલી)Saturday, February 13, 2010 12:18 [IST]

લોકવાયકા એવી છે કે માતાજીની મૂર્તિના સ્થાપન વખતે જમીનમાંથી ગંગાના ઝરણાનો ફુવારો છૂટ્યો હતો. વેદોમાં ઉલ્લેખ જોવા મળે છે કે ગંગાના ઝરણા ઉપર બિરાજમાન મૂર્તિમાં કુદરતે અપાર ચમત્કારિક શકિત પ્રદાન કરેલી હોય છે.આજે તો પેઢામલી ગામ સમગ્ર ઉત્તર ગુજરાતમાં મિની અંબાજી તરીકે ઓળખાય છે. હાલમાં અહીં સુંદર મંદિર સાથે ધર્મશાળાઓ અને ભોજનશાળાઓ બનાવાઇ છે.

મહેસાણા અને સાબરકાંઠા જિલ્લા...

mariyatra11
 
 
danik bhaskar

કડવાં પ્રવચનો : સંતનું આગમનTuesday, February 9, 2010 14:19 [IST]

સંતનું આગમન જ વસંતનું આવવું છે. વસંત આવે છે તો પ્રકૃતિ ખીલે છે. સંત આવે છે તો સંસ્કૃતિ ખીલે છે. સંત ઊંઘતા માણસને જગાડી દે છે. જાગેલાને પગ ઉપર ઊભો કરી દે છે અને ઊભેલાની નસોમાં લોહી દોડતું કરાવે છે. સુકાયેલાને હરિયાળું કરવું વસંતનું કામ છે. મડદાને બેઠું કરવું સંતનું કામ છે. ફાગણ આવે છે ફૂલોનો ત્યૌહાર લઇ. મેહુલો આવે છે મેઘોનો મલ્હાર લઇ. સંત આવે છે ખુશીઓનો ઉપહાર લઇ. આ ધર્મનો મંત્ર છે. આ...

TARUNSAGAR11
 
 
danik bhaskar

ગાંધીજી પુનર્જન્મમાં માનતા હતાTuesday, February 09, 2010 11:52 [IST]

હું વેદોને, ઉપનિષદોને, પુરાણોને અને જે બધા ગ્રંથો હિંદુ ધર્મશાસ્ત્રો નામે ઓળખાય છે તેને માનું છું અને તેથી અવતારોને અને પુનર્જન્મને પણ માનું છું. આપણે ઘરના દેવસ્થાનમાં ભગવાનની સેવા કરીએ છીએ. શું ગાંધીજી કોઇ મૂર્તિની સેવા કરતા હતા? દક્ષિણ આફ્રિકાથી કાયમી વસવાટ માટે ગાંધીજી ૧૯૧૫માં ભારત આવ્યા એ જ વર્ષે હરિદ્વારમાં કુંભમેળો ભરાયો હતો. ગાંધીજી કુંભમેળામાં ગયા હતા. ત્યાં...
gandhi1
 
 
danik bhaskar

સપ્તાહના તહેવારMonday, February 08, 2010 11:04 [IST]

(તા.૮-૨-૧૦થી ૧૪-૨-૧૦) તા. ૮-૨-૧૦ સોમવાર, મહા વદ દસમ: જયેષ્ઠા નક્ષત્ર, વીંછુડો ઊતરે ૨૮.૧૮, જલારામબાપાની પુણ્યતિથિ, સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી, ચંદ્ર ધન રાશિમાં ૨૮.૧૮થી. તા. ૯-૨-૧૦ મંગળવાર, અગિયારસ: મૂળ નક્ષત્ર, વિજયા એકાદશી, રાજયોગ ૩૦.૫૬થી, ચંદ્ર ધન રાશિમાં, શુભ દિવસ. તા.૧૦-૨-૧૦ બુધવાર, બારસ: પૂર્વાષાઢા નક્ષત્ર, કલ્પાદિ, શ્રેયાંશનાથ જયંતી, ચંદ્ર ધન રાશિમાં. તા. ૧૧-૨-૧૦ ગુરુવાર, તેરસ:...
shiva-hindu-god1
 
 
danik bhaskar

યુગપ્રવર્તક મહર્ષિ દયાનંદ સરસ્વતીMonday, February 08, 2010 10:46 [IST]

વૈદિક ધર્મનાં મૂળતત્વોનો પ્રચાર કરનાર અને સંપ્રદાયોમાં પેઠેલા સડાને દૂર કરવાનો પુરુષાર્થ કરનાર મહામાનવ વૈદિક ધર્મના શુદ્ધતમ મૂળતત્વોનો જોરશોરથી પ્રચાર કરનાર અને વિભિન્ન સંપ્રદાયોમાં પેઠેલા દંભ અને સડાને પોતાની સમગ્ર શક્તિથી દૂર કરવાનો પ્રચંડ પુરુષાર્થ કરનાર મહામાનવ મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ ઇ.સ.૧૮૨૪ના ફાગણ વદ દશમના રોજ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ મોરબી રાજ્યના ટંકારા...
Dayanand-Saraswati1
 
 
danik bhaskar

સુપરબેબી : અતિ હોશિયાર બાળકSunday, February 07, 2010 19:14 [IST]

સુપર બેબી તૈયાર કરવા માટે આ દેશોમાં શિક્ષણની જૂની પુરાણી પદ્ધતિઓને સદંતર નાબૂદ કરવામાં આવી છે અને કોમ્પ્યૂટર, ટી.વી., સ્નાનાગર, સંગીતનાં વિવિધ સાધનો, જાતજાતનાં મોડલો, રંગ અને ફોટાઓ વગેરેનો સહારો લેવામાં આવે છે. ‘અતિ હોશિયાર’ શિશુને ભારત જેવા દેશમાં શીખવવામાં આવતા કક્કા કરતાં નવો જ કક્કો શીખવવામાં આવે છે. આપણે અગાઉના લેખમાં ભારતમાં બાળકનો ઉત્તમ ઉછેર કેવી રીતે કરવો તે સમજ્યા...
01_santati-shashtra1
 
 
danik bhaskar

સ્વામિનારાયણ સંપ્રદાયનું વંદાવન વડતાલ ધામSunday, February 07, 2010 19:00 [IST]

આ મંદિરમાં વાસુદેવની મૂર્તિ સહિત હરિકૃષ્ણના નામની પોતાની મૂર્તિ સ્વહસ્તે પ્રતિષ્ઠિત કરી હોય તેવાં નિજ મંદિરોમાં એકમાત્ર વડતાલ ધામ છે. શિલ્પશાસ્ત્રની દ્રષ્ટિએ અજોડ પાષાણનાં પૂતળાં જ્યાં ચેતનવંતા બનીને નાચ્યાં હોય અને શ્રીજી મહારાજે સંપ્રદાયની ગીતા સમાન શિક્ષાપત્રી તથા નવ વચનામૃતો જ્યાં બેસીને રચ્યાં હોય તેવું નવ શિખરોવાળું મંદિર માત્ર વડતાલમાં છે. સંપ્રદાયના કેટલાક...
22nad_Vadtal1
 
 
danik bhaskar

વિચારમાં આમૂલ પરિવર્તન આવે તો માનવી સફાળો જાગેSunday, February 7, 2010 18:03 [IST]

મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા, પૂજાપાઠ, કર્મકાંડો એ બધાં ઉપકરણો છે. ઉપકરણોનું પણ એક મહત્વ છે. ઉપકરણોને જ આપણે સાઘ્ય ન સમજી લઈએ. ધર્મ ન સમજી લઈએ. તેના માઘ્યમ દ્વારા જે સ્મૃતિ બની રહે છે તે મહત્વ સ્મૃતિનું છે. ઉપકરણોને જયારે આપણે પૂજવા લાગીએ છીએ ત્યારે ધર્મની અંદર જે સુવાસ છે તે ઊડી જાય છે અને ધર્મ જડ બની જાય છે. ક્રિયાકાંડ જડ બની જાય છે. ધર્મ એટલે માત્ર નગારું, તગારું અને તાવડો.



આવો...

coffre1
 
 
danik bhaskar

અરવિંદ આશ્રમની પ્રતિકૃતિ સમાન ‘માતૃધામ’ આશ્રમSunday, February 07, 2010 14:11 [IST]

‘માતૃધામ’ આશ્રમ તૈયાર થઈ ગયા બાદ ગુજરાતનાં પવિત્ર યાત્રાસ્થળોમાં આ આશ્રમ પણ પોતાનું મજબૂત સ્થાન ધરાવતું હશે. અહીં વિશાળ જગ્યામાં સાડાબાર હજાર સ્ક્વેર ફીટમાં માત્ર મંદિર બનાવવાનું જ આયોજન છે. પોંડિચેરી સ્થિત અરવિંદ આશ્રમ દુનિયાભરના સાધકો માટે જાણીતો છે. ભાવનગરને મિની પોંડિચેરી બનાવવાના હેતુથી અઢાર કરોડના ખર્ચે ‘માતૃધામ’ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ભાવનગરની બાજુમાં...
bhavnagar1
 
 
danik bhaskar

સત્કર્મને જ યજ્ઞ કહેવાયWednesday, February 10, 2010 13:22 [IST]

હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ દરરોજ અસાધારણ રીતે વધતા હતા. લાભથી લોભ અને લોભથી પાપ વધે છે. હિરણ્યાક્ષનો અર્થ છે સંગ્રહ વૃત્તિ અને હિરણ્યકશિપુનો અર્થ છે ભોગવૃત્તિ. ભગવાને કામ (ભોગ)ને મારવા માટે એક જ અવતાર લીધો. શ્રી રામે ક્રોધ ઐટલે કે રાવણને મારવા માટે, શિશુપાલનો વધ કરવા માટે શ્રીકૃષ્ણે એક જ અવતાર લીધો, પરંતુ લોભને મારવા માટે ભગવાનને બે અવતાર લેવા પડ્યા, હિરણ્યાક્ષ માટે વરાહ અને...

krishna1111
 
 
danik bhaskar

પુરાણકાળથી પ્રસિદ્ધ મંદિર શ્રી અરણ્યેશ્વર મહાદેવSaturday, February 06, 2010 10:57 [IST]

આ ક્ષેત્રમાં દાખલ થતાં વેંત જ તેના તપોબળની અસર વર્તાય છે. તન-મનને અલૌકિક શાંતિનો અચૂક અનુભવ થાય છે. લોકમાતા નર્મદાને કિનારે પુરાણકાળ પ્રસિદ્ધ તીર્થ ‘અરણ્યેશ્વર મહાદેવ’નાં દર્શને જવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રી અરણ્યેશ્વર મહાદેવની દેવભૂમિનો સવિસ્તાર ઉલ્લેખ નર્મદાપુરાણ અને વાયુપુરાણમાં મળે છે. આ તપોભૂમિ ઉપર પુરાણકાળમાં ઋષિપુત્ર નચિકેતાએ ઉગ્ર તપશ્ચર્યા કરી....
mari-yatra1
 
 
danik bhaskar

ગુરુ અને સુગુરુ અને સદગુરુTuesday, February 9, 2010 12:03 [IST]

ગુરુ અવધૂત અલગારી હશે તો આપણી સાથે વાત નહીં કરે. આપણને શીખવા મળશે કે નિ:સ્પૃહતા શું છે? આવા સુગુરુને તમે વંદના કરજો. જો ગુરુ પ્રેરણામૂર્તિ હશે તો તમને સલામત અંતરે ઊભા રાખીને તમારી જિજ્ઞાસાને એ સંતૃપ્ત કરશે. આ સદગુરુની શીખ માથે ચડાવજો. તમારામાં વ્યક્તિગત રસ લે, તમે શ્રીમંત છો કે તમે કોઇ રીતે કામના છો એ દ્રષ્ટિએ તમારી સાથે વાત કરે તે કદાચ ગુરુ નહીં હોય. નિર્લેપતા અને નિ:સ્પૃહતા એ જ...

guru-suguru-11
 
 
danik bhaskar

માતૃપ્રેમની વાત્સલ્યમૂર્તિ માતા યશોદાFriday, February 05, 2010 10:57 [IST]

જે માતાએ પોતાના લાલને આંખોથી એક પણ પળ ઓઝલ થવા નથી દીધો તે માતા યશોદા અને બાળકૃષ્ણના પ્રસંગો વર્ણવતા ભલભલા કથાકારોના કંઠ ગદ્ગદિત થઈ જાય છે અને નયનોમાંથી ગંગા-જમના વહેવા લાગે છે. એટલે જ કહેવાય છે કે મમતાનો પર્યાય ઐટલે માતા યશોદા. કાનુડા વિના ગોકુળિયું સૂનું સૂનું લાગે આવું નો’તું જાણ્યું મેં તું છોડી મૂને જાશે રોઈ રોઈને મારી આંખો થઈ છે રાતી... આ સાદ-સૂર છે એક માતાનો, જેણે...
matru-prem1
 
 
danik bhaskar

કન્યા જન્મ પર શોક નહીં ખુશી મનાવોSunday, February 7, 2010 19:25 [IST]

મનુ અને શતરૂપાથી સમસ્ત સૃષ્ટિની રચના થઈ હતી. ત્યારબાદ પૃથ્વી રસાતાળમાં ડૂબી ગઈ. બ્રહ્માજીએ વિચાર્યું કે પ્રજાનું નિર્માણ કરીએ, પરંતુ તેમને વસાવવા કયાં? ત્યારબાદ નાસિકાઓથી વારાહ ભગવાન પ્રકટ થયા. તેમણે પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢી અને હિરણ્યાક્ષનો વધ કરી પૃથ્વીનું શાસન મનુને સોંપી ભગવાન સ્વધામ પરત ફર્યા. વિદુરજીને મૈત્રેયજી બતાવી રહ્યા છે કે, કઈ રીતે બ્રહ્માંડની રચના થઈ....

krishna11
 
 
danik bhaskar

કડવાં પ્રવચનો : આસક્તિ જ દુ:ખોનું મૂળ છેWednesday, February 3, 2010 12:01 [IST]

દુનિયામાં વ્યક્તિએ આયાની માફક રહેવું જોઇએ. આયા બાળકને દૂધ પિવડાવે છે, તેને ખવડાવે છે અને પ્રેમ પણ આપે છે, પરંતુ જ્યારે એક દિવસ માલિક કોઇ વાત પર નારાજ થઇ જાય ત્યારે તેને કહી દે છે, તું તારો હિસાબ કરી મારા ઘરમાંથી જતી રહે અને તે હિસાબ લઇને પોતાના બોરિયા-બિસ્તર બાંધીને જતી રહે છે. પછી તે એ બાળક માટે રોતી નથી. દુનિયામાં રહો, પ્રેમ કરો પણ આસક્તિ ન રાખો. આસક્તિ જ દુ:ખોનું મૂળ છે. આસક્તિ આવી...

TARUNSAGAR11
 
 
danik bhaskar

ભગવાનની શક્તિ વગર મનુષ્ય પાંગળોTuesday, February 02, 2010 20:53 [IST]

આપે આપણી સંસ્કૃતિના વારસાનું સર્જન કર્યું છે, એ હજુ સુધી કોઈ કરી શકયું નથી. માત્ર આપ જ કરી શકયા છો. દરરોજ આપણા દેશ અને વિદેશના હજારો લોકો અક્ષરધામનાં દર્શને આવે છે, તે બધાં જ ભારતીય હોવાનું ગૌરવ અનુભવીને અને વધારે સારા માનવ બનીને બહાર આવે છે. માત્ર હું નહીં, સમગ્ર દેશ આપના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. આપ પણ પ્રાર્થના કરશો કે સુધારણાનું નાનું સરખું મારું કાર્ય હું સારી રીતે કરી...
gold1
 
 
danik bhaskar

હિશાબ ઇબ્ન અલ કલબીTuesday, February 02, 2010 18:43 [IST]

ઇસ્લામી ઇતિહાસ લેખનનો આરંભ કરનાર હિશાબીની ઇતિહાસ લેખન શૈલી અત્યંત રસપ્રદ હતી. ઘટનાઓનું આલેખન તેઓ બખૂબી કરતા. ઇતિહાસ લેખનમાં તેઓ તથ્ય અને સાક્ષીઓને પ્રાધાન્ય આપતા. આરંભમાં તેમણે આરબો અને તેમના ધર્મના ઇતિહાસનું આલેખન કર્યું હતું. તેમણે લખેલ ગ્રંથ ‘અલ ખ્યાલ’ માં તેમની ઇતિહાસ લેખનની શૈલી વ્યક્ત થાય છે... ઇસ્લામી ઇતિહાસના હીરોડોટ્સ હિશાબ ઇબ્ન અલ કલબી પૂર્વ ઇસ્લામી ઇતિહાસ...
rahe-roshan1
 
 
danik bhaskar

સપ્તાહના તહેવારSunday, February 7, 2010 14:19 [IST]

( તા.૧-૨-૧૦થી ૭-૨-૧૦ )



તા. ૧-૨-૧૦ સોમવાર, મહા વદ ત્રીજ : પૂર્વાફાલ્ગુની નક્ષત્ર, મોઢેશ્વરી માતા પ્રાગટ્ય (મોઢેરા), ચંદ્ર સિંહ રાશિમાં. શુભ દિવસ.



તા. ૨-૨-૧૦ મંગળવાર, ચોથ : ઉ.ફાલ્ગુની નક્ષત્ર, અંગારકી ચોથ, સંકટ ચોથ, ચંદ્રોદય ૨૨.૦૫ કલાકે, ચંદ્ર કન્યા રાશિમાં ૯.૨૨ કલાકે.



તા. ૩-૨-૧૦ બુધવાર, પાંચમ : હસ્ત નક્ષત્ર, કાલભૈરવ યાત્રા, કુમારયોગ ૨૪.૨૧ કલાક સુધી, ચંદ્ર કન્યા રાશિમાં, શુભ...

Ganesh[1]11
 
 
danik bhaskar

કર્મમાં ધર્મનું પાલન કરતા ગાંધીજીTuesday, February 02, 2010 10:27 [IST]

વકીલાતમાં ગાંધીજીની કસોટી ઘણી વાર થઈ હતી. તેમના એક સારામાં સારા અસીલના કેસ દરમિયાન સત્યની કેવી કસોટી થઈ હતી તેની વાત ગાંધીજી અહીં ટાંકે છે. એમના એ અસીલનો કેસ બહુ લાંબો ચાલ્યો હતો. કેસમાં મુખ્યત્વે નામાની (હિસાબની) ભારે ગૂંચો હતી. છેવટે કોર્ટે એક પંચ નીમીને હિસાબ વિશે ઠરાવ મંગાવ્યો. પંચના ઠરાવમાં ગાંધીજીના અસીલની જીત થતી હતી. આથી સામેના પક્ષે પંચનો ઠરાવ રદ કરવાની અરજી કરી...
gandhi21
 
 
danik bhaskar

મનુષ્યના માતા-પિતા છે મનુ-શતરૂપાSaturday, February 6, 2010 11:09 [IST]

બ્રહ્માજીએ ઉત્પન્ન કરેલ રુદ્રને પ્રજાની ઉત્પત્તિ કરવાના આદેશ આપ્યો. નીલ લોહિતે આદેશનું પાલન તો કર્યું પરંતુ જે સંતતિ ઉત્પન્ન કરી તે એટલી ઉગ્ર અને ભયંકર હતી કે ખુદ બ્રહ્માજી પણ તેનાથી ભયભીત રહેવા લાગ્યા. નીલ લોહિત વનમાં જતા રહ્ય. નીલ લોહિતના ગયા બાદ બ્રહ્માજીએ સંકલ્પ કર્યોઅને પોતાના દસ અંગોથી દસ પુત્ર ઉત્પન્ન કર્યા.



તેમની ગોદમાંથી પ્રજાપતિ, અંગુષ્ઠથી દક્ષ, પ્રાણથી...

krishna111
 
 
danik bhaskar

ઉપકરણોને આપણે પૂજવા લાગીએ છીએ ત્યારે ધર્મની સુવાસ ઊડી જાય છેFriday, February 5, 2010 19:31 [IST]

એક ભાઈ મને પૂછતા હતા, આ ભાગવત કથા કરીએ અને પિતૃઓને મોક્ષ થઈ જાય? તમે ખરેખર ભાગવત કથા કરો ત્યારે પેલા પિતૃ સાંભળવા આવતા હશે? મેં કહ્યું પિતૃ આવતા હોય તે ખબર નથી, પણ પિતૃનાં સગાંવહાલા ઘણાં આવે છે અને એ સાંભળે તથા સારી રીતે સાંભળશે તો એને ફાયદો થવાનો એ ચોક્કસ છે અને જો છોકરો સારો નીકળ્યો એમ કહીએ ને કે એકોતેર પેઢી તારી દે, તો એ તારવાનો જ.



એના બાપા અને એની પાછલી પેઢીને તારે જ છે. આપણે એમ...

yoga11
 
 
danik bhaskar

ખૂબ જ વિચિત્ર છે ભગવાનની માયાMonday, February 01, 2010 21:46 [IST]

ગહન તત્ત્વની વાતો સાંભળી વિદુરજીએ મૈત્રેય મહારાજનો આભાર માની કેટલાક પ્રશ્નો કરતાં મૈત્રેયજીએ કહ્યું કે, ભગવાનની માયા ખૂબ જ વિચિત્ર છે વિદુરજી. તમે ખૂબ ગંભીર પ્રશ્નો કર્યા છે. આ પ્રશ્નોના જવાબ ભાગવત પુરાણના માઘ્યમથી આપવાનો પ્રયત્ન કરીશું. ભગવાનના શ્રીમુખથી પ્રકાશિત જે દિવ્યજ્ઞાન ઉદ્ધવજીને સંભળાવતી વખતે મૈત્રેયજીએ સાંભળ્યું હતું, તે તેમણે વિદુરજીને સંભળાવવાનો નિર્ણય...
krishna21
 
 
danik bhaskar

પ્રાણ એ જ જીવનMonday, February 01, 2010 10:39 [IST]

પ્રાણાયામનું પાયાનું કાર્ય છે, શરીરનાં ચાવીરૂપ અંગોમાં ઊર્જાનો સંચાર. ગયા અંકમાં આપણે ત્રિબંધની વાત જોઇ. ત્રિબંધ કરવાથી શરીરની અંત:સ્ત્રાવી ગ્રંથિઓની કાર્યક્ષમતા વધે. જાલધર બંધનો સંબંધ પિચ્યુટરી અને પિનીયલ ગ્રંથિ સાથે છે. ઉડ્ડિયાન બંધ કરવાથી સ્વાદુપિંડ અને પાચનચંત્ર સાથે જોડાયેલ ગ્રંથિઓની કાર્યક્ષમતા વધે. મૂલબંધ દ્વારા ઉત્સર્ગ તંત્ર અને જાતીય અંત: સ્ત્રાવી ગ્રંથિઓનું...
dharma-vigyan-1
 
 
danik bhaskar

સમગ્ર માનવજાતના અલ્લાહ પરમ કપાળુ છેWednesday, February 3, 2010 12:04 [IST]

‘અલ્લાહ અને ઈશ્વર બંને માનવજાતની મૂળભૂત આસ્થા છે. નામ અલગ છે પણ સ્વરૂપ એક છે.’ અલ્લાહના સ્વરૂપ અંગે ઇસ્લામિક ગ્રંથોમાં કહ્યું છે, ‘અલ્લાહ શબ્દ, નથી એક વચન, નથી બહુવચન. અલ્લાહને કોઇ લિંગ નથી. તે નથી પુલિંગ, નથી સ્ત્રીલિંગ. અલ્લાહ કોઇ વ્યક્તિ કે વસ્તુ પર આધારિત નથી, પણ સૌ સજીવ અને નિર્જીવ તેના પર આધારિત છે. તે શાશ્વત, સનાતન અને સંપૂર્ણ પ્રભુત્વશાળી છે.’ આમ છતાં અલ્લાહ પરમકૃપાળુ...

raha-roshan-111
 
 
danik bhaskar

મોઢેરાનાં શ્રી મોઢેશ્વરી માSunday, January 31, 2010 13:57 [IST]

મોગલ સામ્રાજ્ય વખતે શ્રી મોઢેશ્વરી માતાજીની મૂર્તિને વિધર્મીઓ ખંડિત ન કરે તે માટે તેને વાવમાં સંતાડી દીધી હતી જે આજે ‘ધર્મવાવ’ નામે જાણીતી છે. મંદિરસંકુલમાં શ્રી મોઢેશ્વરી મૈયાના નિજસ્થાનક ઉપરાંત શ્રી ભટ્ટારિકાદેવી, શ્રી કૃષ્ણમંદિર, શ્રી શિવજીનાં દેવસ્થાનક દર્શનીય છે. આ વરસે શ્રી મોઢેશ્વરી (મતંગી) માતાજીનો ૧૦૦મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઊજવવામાં આવી રહ્યો છે. મોઢેરાસ્થિત...
ModheswariMataji1
 
 
danik bhaskar

દુર્વ્યસની કૌરવોને ભગવાને પણ ન બચાવ્યાTuesday, February 2, 2010 18:54 [IST]

વિદુરજી અને ઉદ્ધવજી બન્ને એકબીજાની વાત સાંભળી દુ:ખી થઈ ગયા. વિદુર નીતિગત વિરોધ હતા તો ઉદ્ધવ પ્રીતિગત સહયોગી હતા. ઉદ્ધવજી શ્રીકષ્ણના પરમ મિત્ર હતા.

તેમણે બધી જ વાતો વિદુરજીને જણાવી. જયારે વિદુરજીએ યદુવંશના વિનાશ અને સ્વયં ભગવાનના પરમધામ જવા વિશે પૂછ્યું ત્યારે, ઉદ્ધવજીએ જણાવ્યું કે, યદુવંશીઓ દુવ્ર્યસનોમાં, મદિરાપાનમાં અને એકબીજા સાથે સંઘર્ષ કરવામાં લિપ્ત હતા તેથી જ...

lord-krishna111
 
 
danik bhaskar

૨૩ તત્વો સંકલિત કરાતાં પુરુષની રચના થઈSaturday, January 30, 2010 11:45 [IST]

મહાત્મા વિદુર ભગીરથના તટ પર સ્થિતિ મૈત્રેય મુનિના આશ્રમમાં પહોંચ્યા. જયાં તેમણે મૈત્રેય મુનિને વિનંતી કરી કે, તેઓ શ્રીકૃષ્ણની લીલાઓનો મર્મ સમજાવે. મૈત્રેય મુનિને યાદ આવ્યું કે, ભગવાન શ્રીકષ્ણએ મહાત્મા વિદુરના નામનો ઉલ્લેખ કર્યો હતો. મૈત્રેયજીએ મહાત્મા વિદુરને કહ્યું કે, તેઓ સૌભાગ્યશાળી છે કે પોતાના અંત સમયમાં ભગવાને તેમને યાદ કર્યા. હવે હું તમને એ ઉપદેશ સંભળાવું છું....
KRISHNA1
 
 
danik bhaskar

આકંઠ પી લે મનવા, અમૃત કલશ પ્રાણનો...Tuesday, February 2, 2010 11:01 [IST]

ફેફસાંમાં ભરાયેલ શ્વાસને હળવે હળવે છોડવાની ક્રિયાને રેચક કહેવાય. આ ક્રિયાઓ કરવામાં મળદ્વાર, પેટ અને ગળાના સ્નાયુઓની મદદ લેવામાં આવે છે. શ્વાસને પૂરેપૂરો બહાર કાઢીને મળદ્વાર પાસેના સ્નાયુઓનું સંકોચન કરી અંદરની તરફ ખેંચવાની ક્રિયાને મૂલબંધ કહે છે. ડૂંટીને અંદર ખેંચી ઉદરપટલને સંકોચીને ઉડ્ડિયાનબંધ કરી શકાય. ગરદનને આગળ ઝુકાવી હડપચીને છાતી સાથે અડકાવીને ગળામાંથી શ્વાસ...

dharma-vigyan11
 
 
danik bhaskar

વિધાકીય સંકટ દૂર કરવાનો દિવસ-અંગારકી સંકષ્ટ ચતુર્થીFriday, January 29, 2010 20:43 [IST]

2જી ફેબ્રુઆરીના મંગળવારે ગણેશ ઉપાસના કરી વિધાર્થીઓ વિધાકીય સંકટ દૂર કરી શકે 2જી ફેબ્રુઆરીના રોજ અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. મંગળવારે ચતુર્થી આવતી હોય ત્યારે અંગારકી સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. આ દિવસ અનેક સંકટોની સાથે વિધાકીય સંકટ દૂર કરવાનો પણ ઉત્તમ દિવસ કહેવાય છે. સાથોસાથ આ દિવસ જ્ઞાનપ્રાપ્તિ માટે પણ ઉત્તમ છે. શાસ્ત્રજ્ઞાતાઓએ ગણેશજીની કપા મેળવવા માટેના ઉપાયો દર્શાવ્યા...
Ganeshji-2881
 
 
danik bhaskar

હે પ્રભુ, આપની ઉપસ્થિતિની અનુભૂતિ કરાવતા રહોFriday, January 29, 2010 16:43 [IST]

હે સર્વ આઘ્યાત્મિક તથા ભૌતિક જ્ઞાનવિજ્ઞાનો, કલાઓ તેમજ અદભૂત ગુપ્ત સામર્થ્યોના પ્રદાન કરવાવાળા પરમેશ્વર! આપ થકી અમોને ઉત્તમ ઉત્તમ જ્ઞાનવિજ્ઞાનની પ્રાપ્તિ થશે તો અમે અમારાં બધાં જ કુસંસ્કરોને દબાવવામાં સમર્થ થઇ જઇશું, અમારી બધી જ કુટેવોને પકડવામાં સમર્થ થઇ જઇશું, અમારી સમસ્ત કુટેવોને નબળી બનાવવામાં સમર્થ થઇશુ, અમારી સમસ્ત પાપવૃત્તિઓ જેવી કે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેને...
untitled1
 
 
danik bhaskar

વાસ્તુ-શિલ્પકલાના પ્રથમ પ્રણેતા ભગવાન વિશ્વકર્માThursday, January 28, 2010 18:14 [IST]

વિશ્વકર્મન ગ્રહાણેદં મંત્રપુષ્પં મયાર્ષિતમ્! મમ મંત્રસ્ય સિદ્ધર્થ પ્રસીદ પરમેશ્વર!! એટલે કે, હે વિશ્વકર્મા ! મારા મંત્રની (વિચારની) સિદ્ધિને માટે મેં અર્પણ કરેલા આ મંત્ર પુષ્પાંજલિ આપ ગ્રહણ કરો અને આપ હંમેશાં અમારા ઉપર પ્રસન્ન થઈને અમારાં કાર્યો સિદ્ધ કરો ભારતીય કલા-સ્થાપત્ય, વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રની ગણના, મહત્તા અને પ્રશંસા વિકસિત દેશોમાં પણ સ્વીકૃત થઈ રહી છે....
vishwakarma1
 
 
danik bhaskar

બાળકને હંમેશાં પ્રોત્સાહન આપોMonday, February 1, 2010 11:08 [IST]

બાળકને સ્કૂલે જતાં હસતે મુખે વિદાય આપીએ અને આવે ત્યારે હસીને એને આવકારીએ. શાંતિથી, સમજદારીપૂર્વક તેઓને શાળાએ જવા માટે પ્રોત્સાહન પૂરું પાડીએ. સ્કૂલે લઇ જવાની સામગ્રી વ્યવસ્થિત આપીએ. વારંવાર સ્કૂલની મુલાકાત લઇએ. તેમના શિક્ષકોને મળી બાળકોની પ્રગતિની માહિતી મેળવીએ. અભ્યાસ સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બાળકોને પ્રોત્સાહિત કરીએ. ઇતર પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસમાં...

santati-shashtra-11
 
 
danik bhaskar

ગુરુ, સુગુરુ અને સદગુરુSunday, January 31, 2010 18:17 [IST]

ભગવાન પૂર્ણજ્ઞાની છે. ગુરુ જ્ઞાની છે. ગુરુ જ્ઞાની એટલા માટે છે કેમકે ગુરુ પોતાને પૂર્ણજ્ઞાની નથી માનતા. પોતાને પૂર્ણર્જ્ઞાની માની લે તે ગુરુ થઇ ન શકે. પોતાના અજ્ઞાનને સ્વીકારીને ચાલે તે જ જ્ઞાની બની શકે. ગુરુએ ધર્મની શરૂઆત અહીંથી કરી છે. પોતે ગમે તેટલા આગળ વઘ્યા હોય, પોતાની અપૂર્ણતાને ગુરુ ભૂલતા નથી. આવા ગુરુને પોતાના જ્ઞાનનો, પોતાની સાધનાનો કે પોતાના ત્યાગનો અહંકાર નથી હોતો....

jain-darshan11
 
 
danik bhaskar

અપરિગ્રહ વ્રતનું પાલન કરનારSunday, January 31, 2010 14:07 [IST]

ઇ.સ.૧૯૦૧ ઓક્ટોબર માસમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવવા નીકળ્યા ત્યારે નાતાલમાં રહેતા હિંદીવાસીઓએ ગાંધીજીનું ઠેકઠેકાણે બહુમાન કર્યું હતું. ઘણી કીમતી ભેટો પણ આપી હતી. ભેટોમાં સોના-ચાંદીના દાગીના અને હીરાની વસ્તુઓ પણ હતી. ઉપરાંત કસ્તૂરબાને માટે પચાસ ગીનીનો એક હાર પણ હતો. ગાંધીજીના મનમાં વિચારોનો વંટોળ ઊપડ્યો. મોટાભાગની ભેટો તો એમણે કરેલી જાહેરસેવાને અંગે જ હતી. સેવા...

gandhi211
 
 
danik bhaskar

ભગવાન ધર્મ અને અઘ્યાત્મનો સરવાળો છેMonday, January 25, 2010 09:31 [IST]

ભગવાનને સમજ્યા વગર જીવનમાં ઉતારવાથી તેનાં વિપરીત પરિણામો આવી શકે છે. એક વ્યક્તિને ચર્મરોગ થયો. તેણે ડોકટરને બતાવ્યું ત્યારે ડોકટરે તેને બે પ્રકારની દવા આપી. એક પીવાની દવા અને એક લગાવવાની દવા. ઘરે આવતાં આવતાં તે ભૂલી ગયો અને તેણે પીવાની દવા શરીર પર લગાવી અને શરીર પર લગાવવાની દવા પી લીધી. આપણે વિચારી શકીએ છે કે તેનું શું પરિણામ આવ્યું હશે. ભગવાન ધર્મ અને અઘ્યાત્મનો સરવાળો છે....
krishna1
 
 
danik bhaskar

યોગ એટલે શું?Sunday, January 24, 2010 18:11 [IST]

યોગ એટલે ભૂખ્યા રહેવું કે બહુ ખાવું, ઊંઘવું જ નહીં કે બહુ ઊંઘવું, બોલવું જ નહીં કે બસ બોલ્યા જ કરવું, આવી અસંતુલિતતાને યોગ ન કહેવાય. ગીતા આને માટે ‘યુક્ત’ શબ્દનો પ્રયોગ કરે છે. યુક્તાહાર... વિહારશ્ચ... આહાર અને વિહારમાં સંતુલન હોવું જોઇએ. માટે જ કહેવામાં આવ્યું કે ‘સમત્વં યોગ ઉચ્યતે’- જીવન વ્યવહારનું સંતુલન એટલે યોગ. આ સિવાય શ્રીકૃષ્ણે યોગની બીજી ખૂબ જ સુંદર અને સચોટ વ્યાખ્યા કરી,...
yoga1
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB