Divya Bhaskar

કચ્છમાં ૧.૨૫ ટનથી વધુ કેસર પાકશેFriday, March 19, 2010 00:12 [IST]

mango1
કેરીના રસિયાઓને મે સુધી રાહ નહીં જોવી પડે એપ્રિલમાં જ બજારો કેરીથી છલકાઇ જશે કચ્છી કેસર કેરીના મીઠડા સ્વાદને માણવા આ વર્ષે કેરીના રસિયાઓને લાંબી રાહ નહીં જોવી પડે ઓછા ખર્ચે આ વર્ષે એપ્રિલ માસમાં જ બજાર કેસર કેરીથી છલકાઇ જશે એવું આ ક્ષેત્રના નિષ્ણાતો જણાવી રહ્યા છે. આ વર્ષે કચ્છમાં સવા લાખ મેટ્રિક ટનથી વધુ કેરીનું ઉત્પાદન થવાની સંભાવના છે. હવામાનમાં આવેલા ફેરફારના કારણે...
 
 
Divya Bhaskar

‘પાકિસ્તાન સે બોલ રહા હું, આલા હજરત ટ્રેન મેં બોમ્બ રખા હૈ..’Friday, March 19, 2010 00:11 [IST]

ગુડગાંવ રેલવે સ્ટેશને ટ્રેનને ખાલી કરાવીને દોઢ કલાક સુધી ચેકિંગ કરાયું : અંતે ‘બાતમી’ ખોટી ઠરી પાકિસ્તાનથી ફોન કરતો હોવાનો દાવો કરનાર એક વ્યકિતએ બરેલી-ભુજ એક્ષપ્રેસ ટ્રેનમાં બોમ્બ મુકયો હોવાનું જણાવીને આજે દિલ્હીથી નજીક આવેલા ગુડગાંવ રેલવે સ્ટેશન પર અફડાતફડી મચાવી મૂકી હતી. આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કેટલાક ઉતારૂઓએ સ્થાનિક પોલીસ સત્તાવાળાઓને ટાંકીને જણાવ્યું હતું કે,...
 
 
danik bhaskar

ભુજમાં મહિલાઓને મારવાના કેસમાં પાંચને દોઢ વર્ષની કેદFriday, March 19, 2010 00:11 [IST]

દારૂ ઢીંચીને નણંદ-ભોજાઇ પર બળાત્કાર ગુજારવા અને માર મારવાનો આરોપ હતો શહેરની જૂની રેલવે કોલોનીમાં દારૂ ઢીંરયા બાદ મહિલાના ઘરે જઇને માર માર્યા બાદ નણંદભોજાઇ પર બળાત્કાર ગુજારવાની ચકચારી ઘટના બની હતી, જેમાં મારામારીના કેસમાં પાંચ આરોપીઓને દોઢ વર્ષની સખત કેદ અને રૂ. ૧૨૫૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ભુજની જૂની રેલવે કોલોનીમાં રહેતી નણંદ-ભોજાઇના ઘરે મઘ્યરાત્રિએ જઇને તા....
 
 
danik bhaskar

વીજ તંત્રને અંજારની એક કંપનીએ પણ સાત કરોડનો ઝટકો લગાવ્યોFriday, March 19, 2010 00:10 [IST]

બનિયાન એન્ડ બેરીમાંથી રિકવરી કરવા મહેસૂલતંત્ર પાસે ધા નખાઇ પીજીવીસીએલની ભુજ ખાતેની કચેરીમાં એક કંપનીના કરોડો રૂપિયાના ચેક આવી ગયા હોવા છતાં જમા ન કરાવવાના કેસમાં વીજતંત્રના અનેક કર્મચારી-અધિકારીઓ વધેરાઇ ગયા હોવાના બનાવની હજુ શાહી નથી સૂકાણી ત્યાં અંજાર તાલુકાની એક કંપની પણ પીજીવીસીએલના રૂપિયા સાત કરોડનું લેણું ચૂકવતી ન હોવાની વિગતો બહાર આવી છે. પીજીવીસીએલના માહિતગાર...
 
 
danik bhaskar

ધર્મોત્સવમાં પાણી પૂરું પાડવા ચાર કિ.મી લાઇન બિછાવાઇFriday, March 19, 2010 00:09 [IST]

ભુજમાં તા.૧૫થી૨૩ મે સુધી ઉજવાનારા નરનારાયણ દેવ નૂતન મંદિર મહોત્સવમાં ભાગ લેવા આવનારા લાખો ભાવિક ભકતો માટે મિનરલ વોટરની વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. મે મહિનાની કાળ ઝાળ ગરમીને અનુલક્ષી પીવાના પાણીની ખપત વધશે તે જોતાં રાવલવાડીમાં ૧૫ લાખ લિટર પાણીની સંગ્રહ ક્ષમતાનો ટેન્ક બનાવાઇ છે. જેમાંથી આર.ઓ.પ્લાન્ટ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે. આ માટે છેલ્લા ચાર માસથી પાણીની...
 
 
danik bhaskar

ગુજરાતીઓની સુવર્ણવષૉ, ૮૦૦ કિલો સોનાની ડપિોઝિટThursday,March 18,2010 04:38 [IST]

ગુજરાતમાં એક જ વર્ષમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની વિવિધ બ્રાન્ચમાં ૧૩૬ કરોંડ રૂપિયાનું રેકોર્ડબ્રેક ૮૦૦ કિલો સોનું જમા કરાવવામાં આવ્યું છે. સોનું બેન્કમાં ડપિોઝિટ તરીકે મૂકે તેને વ્યાજ આપવાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે યોજના શરૂ કરી હતી. સોનું બેન્કમાં ડપિોઝિટ કરાવવાના મામલે ગુજરાતીઓ દેશભરમાં પ્રથમ નંબરે છે. રાજયના ચાર શહેરોમાંથી અમદાવાદમાં જ ૫૫૦ કિલો સોનું જમા...
 
 
danik bhaskar

સોનામાં રૂ.૧૭૫, ચાંદીમાં ૨૦૦નો ઉછાળો નોંધાયોThursday,March 18,2010 04:38 [IST]

અમેરિકાની મધ્યસ્થ બેન્ક ફેડરલ રઝિર્વે તેની નાણાકીય નીતિની સમીક્ષા દરમિયાન વ્યાજદરમાં કોઈ જ પ્રકારનું પરિવર્તન ન કરતાં આજે સોના અને ચાંદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.
આજે અમદાવાદ ખાતે બુલિયન બજારમાં સોનું તેનાં અગાઉના બંધ ભાવ રૂ. ૧૬,૮૭૫ પ્રતિ દસ ગ્રામથી રૂ. ૧૭૫ વધીને રૂ. ૧૭,૦૫૦ની સપાટી ઉપર બંધ આવ્યું હતું જયારે અમદાવાદ ખાતે ચાંદી પણ તેના અગાઉના બંધ ભાવ રૂ. ૨૭,૦૦૦ પ્રતિ કિ....
 
 
danik bhaskar

ભારતીય બોકસરોએ છ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યોThursday,March 18,2010 04:38 [IST]

ભારતીય બોકસરોએ બુધવારે ઈતહિાસ રચી દીધો. કોમનવેલ્થ બોિકસંગ ચેિમ્પયનશીપમાં છએ છ બોકસરો ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થયા હતા. વીજેન્દ્રકુમાર, દિનેશકુમાર, પરમજીત, અમનદીપ, સુરંજય અને જયભગવાને આ સિદ્ધિ હાંસલ કરી છે. વીજેન્દ્રકુમારને સ્પધૉના સર્વશ્રેષ્ઠ બોકસરનો એવોર્ડ મળ્યો છે. પરસેપ્ટ કંપનીએ બોકસરોને આ સિદ્ધિ માટે રૂ. ૨૫-૨૫ હજાર અને હીરોહોન્ડાએ ૧-૧ બાઈક આપવાની જાહેરાત કરી છે.
 
 
danik bhaskar

મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને રગદોળ્યુંThursday,March 18,2010 04:38 [IST]

નવી દિલ્હી. આઈપીએલ-૩ની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી ડેરડેવિલ્સને ૯૮ રને પરાજય આપ્યો હતો. મુંબઈ તરફથી સચિને ૩૨ બોલમાં ૬૨ રન, તિવારી ૩૭ બોલમાં ૬૧ રન, રાયડુએ ૨૧ બોલમાં ૩૪ રનની ધમાકેદાર બેટિંગને કારણે ટીમે ૨૧૮ રનનો આઈપીએલનો વક્રિમી જુમલો નોંધાવ્યો હતો. જવાબમાં દિલ્હી ડેર ડેવિલ્સ માત્ર ૧૨૦ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દિલ્હીને સૌથી મોટો ફટકો ગૌતમ ગંભીરનો પડ્યો હતો. તે ઈજાગ્રસ્ત થતાં...
 
 
danik bhaskar

ચાઈનીઝ રમકડાંની કાર ફાટતાં બાળકને ગંભીર ઈજાThursday,March 18,2010 04:38 [IST]

ચાઈનીઝ પેદાશોનાં જોખમો વિશે અનેક ચેતવણી છતાં વધુ નફાની લાલચે વેપારીઓ દેશમાં આ માલ ઠાલવી રહ્યાં છે. બુધવારે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મોટી ખરડું ગામે બનેલા એક બનાવમાં ભગોરીયાના મેળામાંથી પોતાના લાડલાને રમવા માટે અપાવેલી ચાઈનીઝ બનાવટની કારના રમકડામાંથી બોંમ્બ ફૂટે તેવો ભારે િવસ્ફોટ થતાં જ માસૂમ બાળકની બે આંગળીઓના ફુરચા ઊડી ગયા હતા જયારે કાનમાં ગંભીર ઈજા થતાં આ બાળક કાયમ...
 
 
danik bhaskar

રહસ્ય ખોલનારા બસપાના કણૉટકના પ્રવકતા સસ્પેન્ડThursday,March 18,2010 04:38 [IST]

ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી માયાવતીનો રૂ. ૧૦૦૦ની નોટનો વિવાદાસ્પદ હાર રૂપિયાની નોટોનો બનેલો હતો તેવી સોમવારે જાહેરાત કરનારા બસપાના કણૉટક એકમના પ્રવકતા વાય.એન. શમૉને પક્ષે સસ્પેન્ડ કરી દીધા છે. પક્ષ આ વિવાદને બંધ કરવા આ હાર મૈસૂરના વનમાંથી લેવાયેલા ફૂલોનો છે તેવું કહેવાના મૂડમાં હતો ત્યારે જ શમૉએ આ જાહેર કરી દેતા તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. શમૉએ સસ્પેન્શન અંગે નારાજગી...
 
 
danik bhaskar

નોટોની ‘માયા’ : ૧૮ લાખનો બીજો હાર પહેર્યોThursday,March 18,2010 04:38 [IST]

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી માયાવતીએ બુધવારે રૂ. ૧૮ લાખની કિંમતનો રૂપિયાની નોટોનો વધુ એક હાર પહેરીને આ વિવાદને વધુ આગળ ધપાવ્યો છે. માયાએ બે દિવસ પહેલાં પહેરેલા રૂ. ૧૦૦૦ની નોટોના કરોડોની કિંમતના મનાતા હારના મુદ્દે વપિક્ષોના ભારે વિરોધને સ્પષ્ટ રીતે ફગાવી દીધો છે. લખનઉમાં બુધવારે યોજાયેલી બસપાના નેતાઓની બેઠક પહેલા માયાવતીને રૂ. ૧૮ લાખની કિંમતનો રૂપિયાની નોટોનો હાર પહેરાવાયો...
 
 
danik bhaskar

આકાશમાંથી અગનગોળા: ઈડર ૪૨, અમદાવાદ ૪૧.૫Thursday,March 18,2010 04:38 [IST]

હીટ વેવની લપેટમાં આવેલા ગુજરાતમાં બુધવારે આકાશમાંથી અગનગોળા વરસ્યા હોય તેમ અમદાવાદ તથા ભુજમાં બુધવારે માર્ચ માસમાં છેલ્લા પાંચ વર્ષમાં પુન: રેકોર્ડબ્રેક ગરમી નોંધાઇ છે. અમદાવાદનું તાપમાન ૪૧.૫ ડગિ્રી, જયારે ભુજનો પારો ૪૧.૦ ડગિ્રી રહ્યો હતો. ઇડરમાં પણ ગરમીનો પારો રોકેટગતિએ ઉપર ચડી ૪૨ ડગિ્રી નોંધાતા સમગ્ર ઉનાળો કાળઝાળ રહેશે તેનો અણસાર મળી જવા પામ્યો છે.
એકાએક શરૂ થયેલી...
 
 
danik bhaskar

પાલતુ પ્રાણીના સંસર્ગથી શરીરમાં ગાંઠ થઈ શકેThursday,March 18,2010 04:38 [IST]

શોખ કે એકલતા દૂર કરવા ઉચ્ચ વર્ગના લોકો વિવિધ જાતિનાં શ્ર્વાન તેમજ વ્યાવસાિયક રીતે પ્રાણીઓ પાળતા લોકો માટે ખતરાની ઘંટી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મંગળવારે શહેરની શ્રેય હોસ્પિટલમાં પ્રાણીની લાળને કારણે ૨૪ વર્ષીય યુવતીનાં ફેફસાંમાં થયેલી જીવલેણ ગાંઠનું ત્રણ કલાક ઓપરેશન કરી ડોકટરે દર્દીનો જીવ બચાવ્યો હતો.
ડો કટરો જણાવી રહ્યા છે કે, શ્ર્વાન ઉપરાંત બિલાડી, ગાય-ભેંસ...
 
 
danik bhaskar

મજુર મહાજનની ઓફિસમાં મિલ કામદારોની તોડફોડThursday,March 18,2010 04:38 [IST]

માણેકલાલ હરિલાલ મિલના કામદારોએ સાત મહિનાથી પગાર નહીં મળતા તેઓએ ગુસ્સો મજુર મહાજન સંઘ પર ઉતાર્યો છે. ૨૦૦થી વધારેના કામદારોનાં ટોળાએ મજૂર મહાજનની કચેરીના કાચોની તોફડોડ કરતા આખરે પોલીસને બોલવવી પડી હતી. શહેરની જૂની મિલ પૈકીની એક માણેકલાલ હરિલાલ મિલ પાસેથી કામદારોને ૨૫ કરોડથી વધારે લેણી રકમ નીકળે છે.
આ બનાવ અંગેની વગિત એવી છેકે ગત ૨૯મી સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ માણેકલાલ હરિલાલ...
 
 
danik bhaskar

ગાંધીનગરને મનપાનો દરજજો અદાલતના કારણે મળ્યો : શિકતસિંહThursday,March 18,2010 04:38 [IST]

ગાંધીનગરને મહાનગરપાલિકાનો દરજજો ભાજપ સરકાર કે મુખ્યપ્રધાનને કારણે નહીં પણ અદાલતના આદેશને કારણે મળ્યો છે એમ વિરોધપક્ષ નેતા શિકતસિંહ ગોહિલે જણાવ્યું છે.
ગાંધીનગરને મહાપાલિકાનો દરજજો આપવાની શહેરી વિકાસપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી બાદમાં તેનો જશ લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગોહિલે ગાંધીનગર જાગૃત નાગરિક પરિષદે અદાલતમાં દાખલ કરેલા કેસનો ઉલ્લેખ કરી સરકારને વળતો સવાલ...
 
 
danik bhaskar

શુક્રવારે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકThursday,March 18,2010 04:38 [IST]

ગાંધીનગર ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક ૧૯ માર્ચ, શુક્રવારે ગાંધીનગરમાં પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુની અધ્યક્ષતા અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બપોરે ૧ કલાકે યોજાશે. અગાઉ આ બેઠક ૧૫મી માચેઁ યોજવામાં આવી હતી, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે મુલતવી રખાઈ હતી. આ બેઠકમાં ગુજરાત ભાજપના નવનિયુકત પ્રદેશ હોદ્દેદારો, પરામર્શ સમિતિના સભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. બેઠકમાં...
 
 
danik bhaskar

ગાંધીધામમાં ઝૂલેલાલનો જયજયકારThursday,March 18,2010 04:38 [IST]

ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ મહારાજની ગાંધીધામ-આદપિુરમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. તો લોહાણા સમાજ દ્વારા પણ દરિયાલાલ જયંતીની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શહેરમાં ધાર્મિક પૂજા, શોભાયાત્રા તથા સમૂહપ્રસાહ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સિંધી સમાજ દ્વારા શહેરના ઝૂલેલાલ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા....
 
 
danik bhaskar

ગુજરાતીઓ યુકેની ચૂંટણીનાં પરિણામો ફેરવી શકે : મરફીThursday,March 18,2010 04:38 [IST]

વિશ્વના અગ્રણી રાષ્ટ્રોનો ઈતિહાસ ‘ગુજરાતી પ્રજા’ના ઉલ્લેખ વગર અધૂરો ગણાય. યુ.કે., યુ.એસ., કેનેડા કે પછી આફ્રિકાના દેશોમાં ગુજરાતીઓએ મેળવેલી અિદ્વતીય સફળતા ‘ગુજરાતી ડાયસ્પોરા’ને એક નવી ઊંચાઈ બક્ષે છે. ૧૯૯૭થી ૨૦૦૫ સુધી ટોની બ્લેરના પોલિટિકલ અને સ્ટ્રેટેજિક એડ્વાઇઝર રહેલા ડેરેન મરફીના મતે યુ.કે.માં પણ ‘ગુજરાતી ડાયસ્પોરા’ની પોતાની આગવી ઓળખ છે. આ ઓળખ ગુજરાતીઓના આત્મબળ, કોઠાસૂઝ,...
 
 
danik bhaskar

આજથી ગુજરાત યુનિ.ની પ્રથમ તબક્કાની પરીક્ષાઓThursday,March 18,2010 04:38 [IST]

ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ થશે. ૧૮મી માર્ચથી ૨૭મી માર્ચ દરમિયાન ચાલનારી આ પરીક્ષામાં બી.એ., બી.કોમ., બી.એસસી., બીબીએ, બીસીએ સહિતની વિધ્યાશાખાની પરીક્ષાઓ યોજાશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારના ૨૫૯ પરીક્ષા કેન્દ્રો પર યોજાનારી આ પરીક્ષા આશરે ૫૪,૦૦૦ર્થી વિધ્યાર્થીઓ આપશે . આ પરીક્ષામાં સત્તાવાળાઓએ પ્રથમ વાર બેઠક વ્યવસ્થામાં ધરખમ ફેરફાર કર્યો છે....
 
 
danik bhaskar

દરિયાલાલના જયઘોષ સાથે કચ્છ ગૂંજયુંThursday,March 18,2010 04:38 [IST]

ોહાણા સમાજના ઇષ્ટદેવ દરિયાલાલની જયંતીએ કચ્છના ગામો ‘આયોલાલ, ઝૂલેલાલ તેમજ જય દરિયાલાલ’ના નાદની ગૂંજી ઉઠયા હતા. અંજાર ઉપરાંત માધાપર, માંડવી, પશિ્ર્વમ કચ્છના નખત્રાણા, દયાપર, કોઠારા તથા જખૌ સહિતના ગામોમાં શોભાયાત્રા, આરતી, પૂજન, મહાપ્રસાદના કાર્યક્રમો સાથે ચૈત્રી ચંદ્ર ઉજવાયો હતો.
માધાપર મધ્યે જલારામ બાપા તથા દરિયાલાલજી મંદિરે સવારે શાસ્ત્રોકત પૂજા અર્ચના મુખ્ય યજમાન મૂળજી...
 
 
danik bhaskar

અમદાવાદ-હરિદ્વાર વચ્ચે કુંભમેળા દરમિયાન સ્પે. ટ્રેનThursday,March 18,2010 04:38 [IST]

હરિદ્વાર ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં જવા માટે પ્રવાસીઓના ધસારાને જોતાં પ.રેલવે દ્વારા અમદાવાદથી હરિદ્વાર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન ૨૦મી માર્ચથી ૨૪ એપ્રિલ સુધી દોડશે. આ અંગે સાંસદ હરિન પાઠક દ્વારા અમદાવાદથી વિશેષ ટ્રેન શરૂ કરવા રેલવેમંત્રી સમક્ષ માગણી કરી હતી. આ ટ્રેન દર શનિવારે રાત્રે ૯ કલાકે અમદાવાદથી ઊપડશે, જયારે વળતા આ ટ્રેન દર રવિવારે રાત્રે ૧૧.૨૫ કલાકે...
 
 
danik bhaskar

વસતીગણતરીમાં પ્રથમ તબક્કામાં મકાન તથા રહીશોને લગતી સંપૂર્ણ વગિતો એકઠી કરાશેThursday,March 18,2010 04:38 [IST]

દેશભરમાં વસતીગણતરી -૨૦૧૧ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ૧૪ એપ્રિલથી ૪થી જુન સુધી યોજાનારી પ્રથમ તબક્કાની ગણતરીમાં મકાન તથા રહીશોને લગતી નાનામાં નાની વગિતો એકઠી કરવામાં આવશે. યાદીની તૈયારી માટે ભરવાનાં ફોર્મમાં ૩૬ જેટલા અલગ-અલગ કોલમ દર્શાવવામાં આવ્યા છે. જેમાં વ્યક્તિનું નામ, કુટુંબના સભ્યોની વગિત, ઘર કેટલા રૂમનું છે, ઘરમાં ફ્રજિ, લેપટોપ, ઘરઘંટી, એસી, કાર સહિતનાં ઉપકરણો અંગે...
 
 
danik bhaskar

ભુજમાં દરિયાલાલ જયંતીની ઉમંગભેર કરાઇ ઉજવણીThursday,March 18,2010 04:38 [IST]

જિલ્લામથક ભુજમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોહાણા સમાજના જ્ઞાતજિનોએ હોંશભેર દરિયાલાલ જયંતીની ઉજવણી કરી હતી. આ અવસરે દરિયાસ્થાન મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, તો સવારે નીકળેલી શોભાયાત્રાએ શહેરીજનોમાં આકર્ષણ જગાવ્યું હતું. જ્ઞાતિના અગ્રણીઓનું સન્માન તેમજ સમૂહપ્રસાદના કાર્યક્રમ સાથે ઉજવણી સંપન્ન થઇ હતી.
સવારે દરિયાસ્થાન મંદિરે કાંતિલાલભાઇ મિરાણી તથા...
 
 
danik bhaskar

ધો. ૧૦ ગણિતમાં ત્રણ માક્ર્સની ભૂલThursday,March 18,2010 04:37 [IST]

શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધો. ૧૦ ગણિત વિષયની પરીક્ષામાં પેપરસેટરે ત્રણ માર્કનો પ્રશ્ન નંબર ૪૯ ખોટી રીતે (ભૂલ હોવાની) પૂછયો હોવાની ફરિયાદ કેટલાક વાલીઓએ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પેપરસેટરે પ્રશ્ન નંબર ૪૯માં ‘કેરોસીનથી પૂર્ણ ભરાયેલ ૨.૮ મી. વ્યાસ અને પમી ઊંચાઈ ધરાવતા ટાંકામાંથી ૨૫ લિટરના કેટલા ડબા ભરી શકાય’ પ્રશ્નમાં નળાકાર શબ્દ નહીં હોવાની ભૂલ હતી.
 
 
danik bhaskar

હૃદયની તકલીફથી પીડાતી વિધ્યાર્થિનીને ટીચરે કલાસ બહાર ઊભી રાખીThursday,March 18,2010 04:37 [IST]

મણિનગરની એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિધ્યાર્થિનીને હૃદયની તકલીફ હોવા છતાં વર્ગશિક્ષકે તેને સ્કૂલ છુટી ત્યાં સુધી વર્ગખંડની બહાર ઊભી રાખતાં હોબાળો થયો છે. વર્ગશિક્ષકને વિધ્યાર્થિનીની તકલીફ અંગે જાણ હોવા છતાં આવું કૃત્ય કરતાં શિક્ષક સામે વાલી રોષે ભરાયા છે. સ્કૂલમાં બનેલી આ ઘટના બાદ વિધ્યાર્થિની સ્કૂલે જતાં પણ ગભરાતી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મણિનગરમાં...
 
 
danik bhaskar

ભુજમાં પાણી વિશે યોજાયેલી સંશોધન પરીક્ષાનું પરિણામThursday,March 18,2010 04:37 [IST]

જળસ્રોત સ્નેહસંવર્ધન સમિતિ અને એરિડ કોમ્યુનિટ્ીસ એન્ડ ટેકનોલોજી દ્વારા ભુજની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓ માટે પાણીના વિષયે યોજાયેલી સંશોધન સ્પધૉનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં વજિેતા થયેલા છાત્રોને એવોર્ડથી સન્માનાશે.
૯૦ સ્પર્ધકો વચ્ચે યોજાયેલી આ હરીફાઇમાં કચ્છી લેવા પટેલ કન્યા વિધ્યામંદિરના વાઘજિયાણી અનિતા, હિરાણી રસિલા વી. , હિરાણી કૃપા ડી.,...
 
 
danik bhaskar

તબીબોને ભેટના પ્રતબિંધનો મુદ્દો વિવાદના વમળમાંThursday,March 18,2010 04:37 [IST]

દેશભરના ડોકટરો હવે ફામૉ કંપનીઓ પાસેથી ભેટ કે અન્ય લાભો નહીં લઇ શકે તેવા મેડિકલ કાઉિન્સલ ઓફ ઈન્ડિયાના પરપિત્રથી તબીબી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છ નવા ફેરફાર મૂજબ હવે પછી તબીબોએ ભેટ કે અન્ય લાભ લીધા છે તેવી ખબર પડશે તો ત્રણ મહિનાથી લઈને એક વર્ષ કે તેથી વધુ સમય માટે તેમનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ પણ કરી શકાશે. આ કાયદા કે નિયમનો અમલ કેટલો-કેવો થશે તે તો ભવિષ્યમાં જ ખબર પડશે પરંતુ...
 
 
danik bhaskar

ભુજ, અંજાર અને આદપિુરમાં મહિલા દિનની ઉજવણી કરાઇThursday,March 18,2010 04:37 [IST]

મહિલા મંડળ ભુજ દ્વારા આંતરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઇ હતી.
જિલ્લા ઉધ્યોગ કેન્દ્રના અધિકારી અખિલેશભાઇ અંતાણીએ સ્વરોજગાર અંગે માહિતી આપી હતી. તથા સરકારી યોજનાઓનો સ્થળ પર લાભ લેવા મહિલાઓનું અલગ સંમેલન બોલાવવા અનુરોધ કર્યો હતો. આ ટાંકણે અધ્યક્ષ સ્થાને થી જયંતી જોશીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. અધ્યક્ષ પુષ્પાબેન વૈધ, વિણાબેન મેહતા, કિશોરભાઇ જોષી, બિંદીયા ગેરૈયા, નયનાબેન...
 
 
danik bhaskar

ગેસ્ટહાઉસની બારીમાંથી પડી જતાં યુવકનું મોતThursday,March 18,2010 04:37 [IST]

શહેરકોટડા વિસ્તારમાં બે યુવકોનાં અકસ્માતે મોત નીપજયાં હોવાની કરુણ ઘટનાઓ બનવા પામી હતી. જે પૈકી એક યુવક ગેસ્ટહાઉસની બારીમાંથી પડતાં તેણે જીવ ગુમાવ્યો હતો, જયારે અન્ય એક યુવકનું બાઇક સ્લીપ થઈ જતાં તેનું મોત નીપજયું હતું.
જુની કલ્યાણ પોલીસચોકી નજીક આવેલા શિવમ ગેસ્ટહાઉસના રૂમ નંબર-૨૦૬માંથી સોમવાર રાત્રે એક યુવક બારીમાંથી નીચે પડ્યો હતો.જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું...
 
 
danik bhaskar

મ.ભો. યોજના કર્મચારી મંડળે વેતન વધારવા માંગ દોહરાવીThursday,March 18,2010 04:37 [IST]

અંબાજીમાં ગુજરાત રાજય મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી મહામંડળે રાજયકક્ષાની કારોબારી બેઠક તા. ૧૩/૩ના યોજી હતી. જેમાં કેન્દ્ર અને રાજયના નીતિ નિયમોમાં પ્રવર્તતી વિસંગતતા વિશે ચર્ચા વિચારણા અને વેતન વધારવા માંગ દોહરાવવાનું નક્કી કરાયું હતું. પ્રમુખ ચંદનસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ભારત સરકારની મધ્યાહન ભોજન યોજનાની માર્ગદિર્શકા મુજબ પગાર, પેશગી અને ખાધ્ય...
 
 
danik bhaskar

પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસને તાકીદThursday,March 18,2010 04:37 [IST]

શહેરના ટ્રાફિક પોઇન્ટ પર વાહનચેિંકગનો ૧૦૦નો ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસ કર્મચારીઓ સામાન્ય માણસોને હેરાન પરેશાન કરી રહ્યા હોવાનું અધિકારીઓના ધ્યાન પર આવતા પોલીસ કર્મચારીઓને આ ટાર્ગેટ પૂરો કરવા ખાતર નહીં પરંતુ શંકાસ્પદ વાહનો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવીને ચેક કરવા જેવી પરિણામલક્ષી કામગીરી કરવા તાકીદ કરી છે.
આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં રાખી શહેરના તમામ...
 
 
danik bhaskar

ભીરંડિયારામાં વીજ જોડાણ મળતાં ખુશીThursday,March 18,2010 04:37 [IST]

ભુજ તાલુકાના ભીરંડિયારાના નવા ફિળયામાં ૬૩ જેટલા બીપીએલ લાભાર્થીઓને વીજ જોડાણ મળતાં ખુશી વ્યાપી હતી.
ગરીબ પરિવારોના ઘર રોશનીથી ઝગમગી ઉઠતાં કચ્છી મંત્રી વાસણભાઇ આહિર, માજી સાંસદ પુષ્પદાન ગઢવી, જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન તૈયબ સમા તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન હઠુભા જાડેજા, સરપંચ કમાલશા, ઉપસરપંચ ઇgસ્માઇલ રાયશીનો લાભાર્થીઓએ આભાર માન્યો હતો.
 
 
danik bhaskar

નવમા માળેથી નીચે પટકાયેલા કામદારનું મોતThursday,March 18,2010 04:37 [IST]

સેટેલાઇટ પ્રહ્લાદનગર ગાર્ડન પાસેની સફલ પેગાસર્સ બિલ્ડિંગના નવમા માળે આવેલા ઇન્ટાસ ફામૉ કંપનીના ફ્લેટના ટેરેસનું સિમેન્ટનું પતરું તૂટવાથી ત્યાં કામ કરી રહેલો સફાઈ કામદાર નીચે પટકાયો હતો. નવમા માળેથી બિલ્ડિંગના એન્ટ્રન્સમાં લગાવેલા ફાઇબરના પતરા પર પડવાથી કામદારનું સ્થળ પર જ મોત નીપજયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સફલ પેગાસર્સ બિલ્ડિંગના નવમા માળે ઇન્ટાસ ફામૉ કંપનીની...
 
 
danik bhaskar

ધુફીમાં જપ્ત થયેલો સીંગદાણાનો જથ્થો મુકત કરવા આદેશThursday,March 18,2010 04:37 [IST]

જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા તા. ૧૦/૧૨/૦૯ના રોજ અબડાસા તાલુકાના ધુફી ગામેથી પુરવઠા ખાતાએ ધંધાના સ્થળે સ્ટોપ અને ભાવપત્રક ન હોવાના કારણે જપ્ત કરવામાં આવેલા ૧૧ લાખની કિંમતના ૨૭,૫૦૦ કિલો સીંગદાણાના જથ્થા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતાં તેને મુકત
કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કિશોર ઇન્ડસ્ટ્રીઝના એડવોકેટ મહેન્દ્ર દયારામ ઠક્કરે કલેકટર સમક્ષ સમગ્ર જથ્થાને...
 
 
danik bhaskar

આઇડીબીઆઇની આસિ. મેનેજર યુવતીની ભેદી સંજોગોમાં આત્મહત્યાThursday,March 18,2010 04:37 [IST]

સેટેલાઇટની આઇડીબીઆઇ બેન્કની આસિસ્ટન્ટ મેનેજર અને મૂળ જમ્મુની ૨૮ વર્ષની સ્વરૂપવાન યુવતીની લાશ તેના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી મેડિલિંક હોસ્પિટલ પાછળના ફલેટમાંથી મોડી સાંજે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. નોંધનીય છે કે બુધવારે એટલે કે આજે સવારે રાબેતા મુજબ ઓફિસે ગયા બાદ શ્રિયા શમૉ બપોરે ઘરે પરત આવી ગઈ હતી. જો કે તેનો મોબાઇલ બંધ આવતાં બે બેન્કકર્મીઓ સાંજે તેના ઘરે આવ્યા...
 
 
danik bhaskar

મુન્દ્રામાં છેલ્લા દોઢમાસથી ઉભરાતી ગટરથી લોકો ત્રસ્તThursday,March 18,2010 04:37 [IST]

મુન્દ્રા ખાતે ઓસવાળ શેરીમાં રોજબરોજની ગંદકીની સમસ્યા અને છેલ્લા દોઢ માસથી પણ વધારે સમયથી ઉભરાતી ગટરથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ સ્થાનિકે પંચાયત તેમજ ઉચ્ચસ્તરે લેખિત ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આ મુદે્ સ્થાનિકસ્તરે અનેક રજૂઆતો કરાયા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાની લાગણી દર્શાવતાં શેરીમાં ૨૦૦૯ના સપ્ટેમ્બર માસમાં તાલુકા પંચાયત હસ્તક ગટરની લાઇન નખાઇ હતી....
 
 
danik bhaskar

મુંબઈમાં શમૉનાં હોટેલ રોકાણનાં લાખોનાં બિલ કંપનીઓ ચૂકવતી હતીThursday,March 18,2010 04:37 [IST]

ભુજ જમીનકૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન કલેકટર પ્રદીપ શમૉ બે ખાનગી મોબાઇલ રાખતા હતા. આ બંને મોબાઇલના રૂ.૨.૨૪ લાખનાં બિલો કચ્છ અને કંડલાની બે મોટી કંપનીઓએ ભરવા ઉપરાંત પ્રદીપ શમૉ નવી મુંબઇમાં તાજ લેન્ડ્સ ઇન અને લીલા સેવન્થ સ્ટાર હોટલમાં સી ફેસિંગ રૂમમાં સુધી રોકાતા હતા. આ હોટલનાં બિલો પણ કચ્છની ખાનગી કંપનીઓ જ ભરતી હતી. સીઆઇડી ક્રાઇમે બે ખાનગી કંપનીઓના ડિરેકટરોના લીધેલાં...
 
 
danik bhaskar

મુન્દ્રામાં છેલ્લા દોઢમાસથી ઉભરાતી ગટરથી લોકો ત્રસ્તThursday,March 18,2010 04:37 [IST]

મુન્દ્રા ખાતે ઓસવાળ શેરીમાં રોજબરોજની ગંદકીની સમસ્યા અને છેલ્લા દોઢ માસથી પણ વધારે સમયથી ઉભરાતી ગટરથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ સ્થાનિકે પંચાયત તેમજ ઉચ્ચસ્તરે લેખિત ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આ મુદે્ સ્થાનિકસ્તરે અનેક રજૂઆતો કરાયા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાની લાગણી દર્શાવતાં શેરીમાં ૨૦૦૯ના સપ્ટેમ્બર માસમાં તાલુકા પંચાયત હસ્તક ગટરની લાઇન નખાઇ હતી....
 
 
danik bhaskar

ચાંદખેડા ઈજનેરીના વિધ્યાર્થીઓ શિક્ષણમંત્રીને રજુઆત કરશેThursday,March 18,2010 04:37 [IST]

ચાંદખેડાની ઈજનેરી કોલેજના પ્રથમ વર્ષના વિધ્યાર્થીઓને ગાંધીનગર કોલેજમાં ખસેડવાના તેમજ કોલેજમાં આઈઆઈટીને વધુ બ્લોક ફાળવવાના મુદ્દે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા ચાંદખેડા સરકારી ઈજનેર કોલેજના વિધ્યાર્થીઓ આક્રમક મૂડમાં છે. આંદોલન પર ઉતરેલા વિધ્યાર્થીઓ ગુરુવારે આ પ્રશ્ને શિક્ષણમંત્રી રમણલાલ વોરા, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરનાર છે.
આંદોલન પર ઉતરેલા આ...
 
 
danik bhaskar

મેઘવંશી ગુર્જર પાવર બત્રીસી એપ્રિલમાં યોજશે સમૂહલગ્નThursday,March 18,2010 04:37 [IST]

મેઘવંશી ગુર્જર પાવર બત્રીસી સમાજની અગત્યની બેઠક અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજના પ્રમુખસ્થાને મળી હતી, જેમાં તા. રપ/૪ના ધાણેટી મુકામે સમૂહલગ્નનો કાર્યક્રમ ઘડવા ૨૬ જણાની સમિતિ રચાઇ હતી.
ધર્મેન્દ્ર ગોહિલના પ્રમુખસ્થાને મળેલી બેઠકમાં સર્વ સંમતિથી સમાજના સમૂહલગ્ન એક જ સ્થળે, એક જ દિવસે અને એક જ સમયે યોજવા નક્કી કરાયું હતું. સમૂહલગ્ન સમિતિ દેવજી હધુ કાગી, રાણા કરમણ...
 
 
danik bhaskar

ના.સરોવર રહેણાક વિસ્તારના મોબાઇલ ટાવરથી લોકો ત્રસ્તThursday,March 18,2010 04:37 [IST]

નારાયણ સરોવરમાં રહેણાક પાસે મોબાઇલ ટાવર ઊભો કરાયો હોવાથી રહીશોને ચામડીના રોગો, માથાના દુ:ખાવા સહિતની બીમારીઓનું પ્રમાણ વધતાં સત્વરે ટાવર દૂર કરવા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી છે.
આ અંગે વિôલદાસ જોષીએ જણાવ્યું હતું કે રહેણાકથી માત્ર પાંચ મીટર દૂર ખાનગી કંપનીનો મોબાઇલ ટાવર છે. ૨૦૦૭/૦૮માં આ તોતિંગ ટાવર ખડો કરવામાં આવ્યો છે.આ ટાવરનું...
 
 
danik bhaskar

જવેલર્સના શો-રૂમમાંથી ચાર મિનિટમાં ૮ લાખની સોનાની લગડીની ઉઠાંતરીThursday,March 18,2010 04:37 [IST]

એક્ઝિકયુટિવની જેમ બ્રફિકેસ લઈને શો રૂમમાં સોનાની લગડી ખરીદવાના બહાને આવેલા બે ગિઠયા ચાર જ મિનિટમાં સેલ્સગર્લની નજર ચૂકવી રૂ. ૮.૪૦ લાખની િંકમતની ૫૦૦ ગ્રામની સોનાની પાંચ લગડી સેરવીને રફુચક્કર થઈ ગયા હોવાની સેટેલાઇટ વિસ્તારની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી હતી. શો રૂમના સીસી ટીવી કેમેરામાં કેદ થયેલી બંને ગિઠયાની તસવીરોના આધારે પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
આંબાવાડીમાં...
 
 
danik bhaskar

માંડવીમાં મધદરિયે એસ.પી.ની બોટનું ડીઝલ ખૂટયુંThursday,March 18,2010 04:37 [IST]

કચ્છના પોલીસ વડા વાબાંગ જામીર તા.૧૭મી માચેઁ માંડવીના દરિયામાં બોટ લઇને સ્થાનિક પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે પેટ્રોલિંગ કરવા માટે ગયા હતા ત્યારે મધ દરિયે બોટમાં ડીઝલ ખૂટી ગયું હતું. જેને પગલે સ્થાનિક પોલીસ દોડધામમાં મુકાઇ ગઇ હતી.
જાણવા મળતી વગિતો મુજબ એસ.પી.વાબાંગ જામીર બુધવારે બપોરે માંડવીના દરિયામાં બોટ લઇ ને પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. સ્થાનિકે પોલીસ અધિકારી અને...
 
 
danik bhaskar

ભગવાનનાં દર્શન છ રીતે થઈ શકેThursday,March 18,2010 04:37 [IST]

ભગવાનનાં દર્શન કઈ રીતે થાય. ભગવાનનાં દર્શન કરવાનો પણ નિયમ છે-પ્રોટોકોલ છે. તમારા ઘરના મંદિરમાં ભગવાન હોય કે, કોઈ મંદિરમાં હોય તેમના માટે ભાગદોડ ન કરો, આમ તેમ ન જુઓ. તમે ફકત મૂતિgને જ જુઓ. મૂતિgને જોવાનો પણ કાયદો છે, તે છ ક્રમમાં જોઈ શકાય છે. ‘છબિ સમુદ્ર હરિરૂપ બિલોકા’ ભગવાનના રૂપને જોઈને એવું લાગે કે, આ છબિનો સમુદ્ર છે, સૌંદર્યનું સાગર છે, દુનિયાનું સંપૂર્ણ રૂપ, સંપૂર્ણ સુંદરતા આ...
 
 
danik bhaskar

રાપર તાલુકાના બી.આર.સી. કો.ઓડિe કહે છે કેThursday,March 18,2010 04:37 [IST]

શિક્ષણમાં હકારાત્મક અભિગમ અને બાળકોને જ કેન્દ્રમાં રાખી કામો થવા જોઇએ પરંતુ રાપર તાલુકાના બી. આર. સી. કો.ઓડિeનેટરના જક્કી વલણથી તાલુકાની કેટલીય શાળાઓ ભુજની સંસ્થાની મદદથી મળનારા કમ્પ્યૂટરોથી વંચિત રહેવા પામી છે તેવી માહિતી વશિ્ચાસપાત્ર સૂત્રોએ જણાવી હતી. સંસ્થાના નિયમ મુજબ શાળાના વી.ઇ.સી.ની ઠરાવ બુકને બી.આર.સી. કો.ઓડિeનેટર સહી સિક્કા કરી પ્રમાણિત કરી દેતા સંસ્થા કમ્પ્યૂટર ...
 
 
danik bhaskar

શહેરમાં આજેThursday,March 18,2010 04:37 [IST]

વિવિધ
સવારે ૭ : સદ્વિચાર પરિવાર, સમપર્ણ વિધ્યાપીઠ, રામદેવનગર બસ સ્ટેન્ડ પાસે, સેેટેલાઈટ ખાતે પાકિeન્સન્સ ડિસીઝ સોસાયટી દ્વારા પાકિeન્સન્સના દર્દીઓ માટે નિ:શુલ્ક યોગાશન.
સાંજે ૫ : નર્મદ-મેઘાણી લાયબ્રેરી, મીઠાખળી ખાતે સેકયુલર લોકશાહી આંદોલનની મીટિંગમાં ઓસ્કાર એવોર્ડ વજિેતા ફિલ્મ હર્ટ લોકર પર જયદીપ ભટ્ટ દ્વારા ચર્ચા.
ભાગવત સપ્તાહ
બપોરે ૨ : માં અંબા ધામ, લક્ષ્મીનારાયણની...
 
 
danik bhaskar

માંડવીની સંસ્થાએ મોરબીમાં પોલિયો તપાસણી કેમ્પ યોજયોThursday,March 18,2010 04:37 [IST]

માંડવી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા સિરામિક એસો.ના સહયોગથી મોરબીમાં પોલિયો ઓપરેશન તપાસણી કેમ્પ યોજાયો હતો, જેમાં ૧૫૭ દર્દીઓએ લાભ લીધો હતો. મોરબીના કેમ્પમાં ૮૯ દર્દીઓ ઓપરેશન યોગ્ય જણાયા હતા. આ ઓપરેશન આગામી ઓકટોબરમાં યોજાનારા ૧૪મા પોલિયો કેમ્પમાં કરાશે.
તપાસણી કેમ્પને મોરબીના ધારાસભ્ય મોહનભાઇ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ રઘુભાઇ ગડારાએ કેમ્પ ખુલ્લો મૂકયો હતો. ડો....
 
 
danik bhaskar

કલ્બે જવાદ સામે અમદાવાદની મુિસ્લમ મહિલાઓનો વિરોધThursday,March 18,2010 04:37 [IST]

લખનઉના શિયા મૌૈલવીએ મહિલા અનામત બિલની વિરુદ્ધમાં આપેલા અભપિ્રાયનો અમદાવાદની મુિસ્લમ સ્ત્રીઓએ આજે વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં મૌલવીની ટપિ્પણીના વિરોધમાં યોજાયેલી એક સભામાં મુિસ્લમ સ્ત્રીઓએ જણાવ્યું હતું કે, મુલ્લા અને મૌલવીઓને મુિસ્લમ મહિલાને સલાહ-સૂચન આપવાનો કોઈ અધિકાર જ નથી. આજે જયારે દેશના બંધારણે મહિલાને રાજકારણમાં પણ સમાન અધિકાર આપ્યો છે ત્યારે તેને બિરદાવવાને...
 
 
danik bhaskar

સ્ત્રીનું પેટ ચીરી બાળકની હત્યાની વાત ખોટી ઠરીThursday,March 18,2010 04:37 [IST]

નરોડા પાટિયા કેસમાં પોસ્ટમોર્ટમ કરનારા તબીબ જયંત કનોરિયાની જુબાની દરમિયાન એક મહત્વના આક્ષેપ પરથી પડદો ઊઠી ગયો છે. કૌસરબાનુ નામની સગભૉને તલવાર મારી તેની કૂખમાંથી બહાર આવેલા ભ્રૂણને તલવારની નોક પર ફેરવી આગમાં ફેંકી તેની હત્યા કરવાનો બાબુ બજરંગી તથા ગુãુ છારા પર આક્ષેપ થયો હતો. જો કે આ સંદર્ભે તબીબની જુબાની દરમિયાન જણાવા મળ્યું હતું કે, સગભૉના પેટમાં આઠ માસનો ગર્ભ હતો. તેના...
 
 
danik bhaskar

ખામી સુધારવાના નિર્ણયથી ફીડર બસો આવવામાં વિલંબThursday,March 18,2010 04:37 [IST]

મ્યુનિ.ના મહત્વાકાંક્ષી બીઆરટીએસ પ્રોજેકટને સફળ બનાવવા તથા એએમટીએસને કાર્યરત રાખવા ૪૦૦ ફીડર બસ ખરીદવાના નિર્ણય બાદ તાતા કંપનીની બસોમાં ડ્રાઇવરની સામેના વિશાળ ડેશબોર્ડ અને સાંકડા પેસેજમાં સુધારા કરવાના નિર્ણયના કારણે ફીડર બસોના આગમનમાં હજુ વિલંબ થશે.
બીઆરટીએસને જોડતા રસ્તાઓ ઉપર નાગરિકોની સુવિધા માટે ફીડર બસો દોડાવવાનો નિર્ણય મ્યુનિ. સત્તાધીશોએ કર્યો હતો અને તેના માટે...
 
 
danik bhaskar

યુનિ.માં વિધ્યાર્થીનો યુનિક આઇડી જ બારકોડ બનશેThursday,March 18,2010 04:37 [IST]

ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિધ્યાશાખાઓેની આજથી શરૂ થતી પરીક્ષામાં વિધ્યાર્થીઓની ઉત્તરવહીની ચકાસણીની પ્રક્રિયામાં ધરખમ ફેરફારો કરાયા છે. ઉત્તરવહીની ચકાસણીની પ્રક્રિયામાં ઝડપ આવે, ગેરરીતિ ન થાય તે માટે વિધ્યાર્થીને ફાળવેલ યુનિક આઈડી (પરીક્ષાનો નંબર) નંબર બારકોડમાં રૂપાંતરિત કરાશે.
ઉત્તરવહીની ચકાસણી કરતાં પહેલાં વિધ્યાર્થીના યુનિક આઈડી નંબર( પરીક્ષા નંબર)ને બારકોડ...
 
 
danik bhaskar

ચાઇનીઝ રમકડાંનો અબજોનો વેપારThursday,March 18,2010 04:37 [IST]

દેશભરમાં કરોડો રૂપિયાનો કારોબાર કરતા ચાઇનીઝ રમકડાં બાળકોના ચહેરા પર પળવાર માટે હાસ્ય રેલાવી દે છે, પરંતુ કયારેક તેમાં રહેલું ટોિકસક, કયારેક સેલ-બેટરી અથવા તો ઇલેિકટ્રક સર્કિંટ નિદોઁષ બાળકોના મોતનું કારણ પણ બની રહે છે. દેશભરમાં ચાઇનીઝ રમકડાંનું બજાર અંદાજે ૨.૫ બિલિયન ડોલર (રૂ. ૨૫૦૦ કરોડ) છે. જેમાંથી ૩૦ ટકા જેટલો ફાળો ગુજરાતનો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે, એટલે કે ગુજરાતમાં...
 
 
danik bhaskar

સેકન્ડ યર બીએના કેટલાક વિધ્યાથીgઓને રિસપિ્ટ ન મળવાની ફરિયાદThursday,March 18,2010 04:37 [IST]

ગુજરાત યુનિવર્સિટીની ગુરુવારથી શરૂ થતી એસવાયબીએ એકસટર્નલ પરીક્ષાના કેટલાક વિધ્યાર્થીઓને રિસપિ્ટ ન મળી હોવાની ફરિયાદ ઊઠી છે. પરીક્ષાના એક જ દિવસ પહેલાં આ પરિસ્થિતિને કારણે વિધ્યાર્થીઓ કફોડી હાલતમાં મુકાયા છે.ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષા અંતર્ગત સેકન્ડ યર બીએ એકસટર્નલ અને રેગ્યુલરની પરીક્ષાનો એક સાથે પ્રારંભ થઈ
રહ્યો છે.
 
 
danik bhaskar

કમ્પ્યૂટરો વારંવાર ઠપ થતાં ટેકસ અને જન્મ-મરણ ખાતામાં નારાજગીThursday,March 18,2010 04:37 [IST]

મ્યુનિ.માં જ ઈ-ગવર્નન્સની કામગીરી સુપેરે નહીં ચાલતી હોવાના કારણે ટેકસ અને જન્મ-મરણખાતાના કામઅથેg આવતા નાગરિકોને ધક્કા ખાવા પડે છે અને મ્યુનિ.ની કામગીરી ઉપર પણ અસર થાય છે.
મ્યુનિ.ના જુદા જુદા ખાતામાં કમ્પ્યૂટરાઇઝ કામગીરી કરી દેવાઈ છે અને ઈ-ગવર્નન્સ અંતર્ગત સર્વર લગાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં મ્યુનિ.નાં કમ્પ્યૂટરો તથા ઈ-ગવર્નન્સને લગતાં સાધન-સામગ્રીના મેઇન્ટેનન્સના...
 
 
danik bhaskar

ઇસ્કોન મંદિર દ્વારા બે દિવસીય રથયાત્રાનું આયોજનThursday,March 18,2010 04:37 [IST]

ઇસ્કોન મંદિર દ્વારા બે દિવસ રથયાત્રા નીકળશે. જેમાં વિદેશી કૃષ્ણભકતો પણ નામસંકીર્તન કરતાં નજરે પડશે. આ અંગે ઇસ્કોન મંદિરના પ્રમુખ જશોમતી-નંદનદાસજીએ જણાવ્યું કે, ઇસ્કોન મંદિર દ્વારા ૧૩મા પાટોત્સવ સપ્તાહ અને રામનવમી મહોત્સવ ઉજવણી અંતર્ગત તા.૧૯, ૨૦ માર્ચે શહેરમાં રથયાત્રા નીકળશે. જેમાં ૩૫ ફૂટ ઊંચા રથમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બળદેવ, શ્રી શ્રી રાધાગોિંવદ, શ્રી શ્રી...
 
 
danik bhaskar

સ્વામિનારાયણ મંદિરનો ૧૭ મો પાટોત્સવ ઉજવાશેThursday,March 18,2010 04:36 [IST]

ભગવાન સ્વામિ-નારાયણની ૨૨૯મી પ્રાગટÛ જયંતી તથા સ્વામિનારાયણ મંદિર-કુમકુમનો ૧૭મા પાટોત્સવનો પ્રારંભ ૧૯મી માર્ચથી થશે. જે ૨૫મી માર્ચ સુધી ચાલશે. મંદિરના મહંત આનંદપ્રિયદાસજીની નશિ્રામાં દરરોજ રાત્રે ૮થી ૧૦ સુધી મહામંત્રની ધૂન, કીર્તન થશે. તા.૨૪મીએ ભગવાન સ્વામિનારાયણની પ્રાગટÛ જયંતી નિમિત્તે બપોરે ૩.૩૦થી ગ્રંથ પારાયણ યોજાશે. તા.૨૫મીએ મંદિરનો પાટોત્સવ યોજાશે. આ પ્રસંગે આત્મીય...
 
 
danik bhaskar

શહેરમાં ચેટીચંડની સિંધી સમાજ દ્વારા ઉજવણી કરાઈThursday,March 18,2010 04:36 [IST]

ભગવાન ઝૂલેલાલના જન્મદિન-ચેટીચંડની બુધવારે ચેટીચંડ સિંધી દિવસ કમિટી દ્વારા ઉજવણી કરાઈ હતી. પાંચકૂવા દરવાજાથી શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે જગન્નાથજી મંદિરના દિલીપ મહારાજ, ડેપ્યુટી મેયર કલ્પનાબહેન ભટ્ટ, ધારાસભ્ય ડો.માયાબહેન કોડનાની, ચેટીચંડ સિંધી દિવસ કમિટીના કન્વીનર લછમણદાસ રોહરા ઉપસ્થિત રહ્યાં હતાં.
શોભાયાત્રામાં ‘આયોલાલ ઝૂલેલાલ’ના જયઘોષ થયા હતા. જેમાં ૮૦ જેટલી...
 
 
danik bhaskar

ભૂમપિૂજનની સાથે ભદ્રકાળી મંદિરના જીણોgદ્ધારનો પ્રારંભThursday,March 18,2010 04:36 [IST]

શહેરનાં કુળદેવી ભદ્રકાળી માતાજીના મંદિરના જીણોgદ્ધારના પ્રારંભ માટે બુધવાર, ચૈત્ર સુદ બીજના દિવસે મંદિરના ગર્ભગૃહના જીણોgદ્ધારનું ભૂમપિૂજન કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માતાજીનો ખાસ હવન યોજાયો હતો. જયારે મોટી સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓએ હવનનો લાભ
લીધો હતો.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર કલ્પનાબેન ભટ્ટ, રામબલીપ્રાગ્ તિવારી ટ્રસ્ટના ચેરમેન શશીકાંતભાઇ તિવારી સહિત શહેરના...
 
 
danik bhaskar

અવસાન નોંધThursday,March 18,2010 04:36 [IST]

ગોહિલ : સ્વ. ગજરાબા મખુભા ગોહિલ (૩૭, વજિયલક્ષ્મી સોસાયટી વિ.-૨, કબાડી નં. ૩ સામે, બહેરામપુરા.
શાહ : સરોજબહેન ચિમનલાલ શાહ (૨૦૫, પ્રેમચંદનગર, બોડકદેવ).
 
 
danik bhaskar

બેસણુંThursday,March 18,2010 04:36 [IST]

પરીખ : સ્વ.દિલીપભાઈ બી. પરીખનું બેસણું સવારે ૮થી ૧૦, મધુરિકાબહેન રસિકલાલ શાહ સાંસ્કૃતિક ભવન, એચએલ કોલેજ પાછળ, નવરંગપુરા.
શાહ : સ્વ.જશોદાબહેન હરકશિનદાસ શાહનું બેસણું સવારે ૮થી ૧૦.૩૦, બી-૭, પાવાપુરી ટેનામેન્ટ, ઘાટલોડિયા.
સ્વ.શીલાબહેન સુરેશભાઈ શાહનું બેસણું સવારે ૮.૩૦થી ૧૦.૩૦, એકવીસગામ દશા ખડાયતા ઈચ્છાબહેનની વાડી, કાંકરિયા.
સ્વ.ચંદ્રકાંતભાઈ હરગોવનદાસ શાહની પંચકલ્યાણપૂજા...
 
 
danik bhaskar

બેસણુંThursday,March 18,2010 04:36 [IST]

પરીખ : સ્વ.દિલીપભાઈ બી. પરીખનું બેસણું સવારે ૮થી ૧૦, મધુરિકાબહેન રસિકલાલ શાહ સાંસ્કૃતિક ભવન, એચએલ કોલેજ પાછળ, નવરંગપુરા.
શાહ : સ્વ.જશોદાબહેન હરકશિનદાસ શાહનું બેસણું સવારે ૮થી ૧૦.૩૦, બી-૭, પાવાપુરી ટેનામેન્ટ, ઘાટલોડિયા.
સ્વ.શીલાબહેન સુરેશભાઈ શાહનું બેસણું સવારે ૮.૩૦થી ૧૦.૩૦, એકવીસગામ દશા ખડાયતા ઈચ્છાબહેનની વાડી, કાંકરિયા.
સ્વ.ચંદ્રકાંતભાઈ હરગોવનદાસ શાહની પંચકલ્યાણપૂજા...
 
 
danik bhaskar

ગેંગરેપ કેસના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાશેThursday,March 18,2010 04:36 [IST]

ગેંગરેપમાં આજીવન કેદની સજા પામેલા પોલીસપુત્રો શાહિદ સૈયદ અને તારિક સૈયદ દ્વારા આ કેસના ચુકાદાને આવતા અઠવાડિયે ગુજરાત હાઇકોર્ટમાં પડકારવા આવશે. હાલ જુનાગઢની જેલમાં આ સજા કાપી રહેલા શાહિદ સૈયદ અને તારિક સૈયદનો કેસ હવે હાઇકોર્ટના એડ્વોકેટ પ્રતીક બારોટ લડશે.
એડ્વોકેટ પ્રતીક બારોટ સુરતમાં આરોપી શાહિદ અને તારિક તરફે કેસ
... અનુસંધાન પાના નં. ૧૩
લડનાર મહેસાણાના એડ્વોકેટ ભરત...
 
 
danik bhaskar

આશ્રમ રોડ ખાતે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભThursday,March 18,2010 04:36 [IST]

અંબાજી માતાના મંદિર, બાટા શો રૂમ પાસે, આશ્રમ રોડ ખાતે બુધવારથી શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. જે ૨૩મી માર્ચ સુધી બપોરે ૨થી ૬ સુધી ચાલશે. જેમાં વ્યાસપીઠે ચાણસ્માવાળા સ્વામી સિચ્ચદાનંદજી છે. આ કથામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે.
 
 
danik bhaskar

૨૫મીએ વૈષ્ણોદેવી મંદિરે પંચકંુડી શતચંડી મહાયજ્ઞThursday,March 18,2010 04:36 [IST]

એસ.જી.હાઈવે સ્થિત વૈષ્ણોદેવી મંદિર ખાતે ૨૫મી માચેઁ પંચકુડી શતચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા માટે ૨૧મી માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. એમ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ વમૉએ જણાવ્યુંછે.
 
 
danik bhaskar

‘દાસ્તાન ઔર ઉદૂg અદબ’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદThursday,March 18,2010 04:36 [IST]

હઝરત પીરમોહંમદ શાહ લાઇબ્રેરી એન્ડ રિસર્ચ સેન્ટર તથા ગુજરાત ઉદૂg સાહિત્ય અકાદમી દ્વારા ‘દાસ્તાન ઔર ઉદૂg અદબ’ વિષય પર ૨૧મી અને ૨૨મી માર્ચના રોજ સવારે ૧૦ વાગ્યાથી રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું છે. પાનકોરનાકા સ્થિત હઝરત પીરમોહંમદ શાહ લાઇબ્રેરી કેમ્પસ ખાતે યોજાનાર પરિસંવાદમાં અધ્યક્ષ તરીકે હઝરત પીરમોહંમદ શાહ દરગાહ ટ્રસ્ટના પ્રમુખ મોહંમદ હબીબ કાકીવાલા હાજર રહેશે....
 
 
danik bhaskar

લિંબાયતના મકાનની આગમાં કિશોરી દાઝીThursday,March 18,2010 04:36 [IST]

લિંબાયતના ઇદગાહપુરાના એક મકાનમાં બુધવારે બપોરે લાગેલી આગમાં એક કિશોરી દાઝી ગઈ હતી, જેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અથેg દાખલ કરવામાં આવી હતી. ફાયર બ્રગિેડનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત વગિતો અનુસાર બુધવારે બપોરે લિંબાયતમાં મદીના મિસ્જદ રોડ પર આવેલા ઇદગાહપુરામાં ઇબ્રાહિમ તરોપાવાલાના ઘરે કોઈક કારણોસર આગ ફાટી નીકળી હતી, જેમાં તેમની ૧૬ વર્ષીય પુત્રી રઝિયા ગંભીર રીતે દાઝી ગઈ...
 
 
danik bhaskar

૧૯મી માર્ચથી ગુરુકુળ ખાતે ‘સ્મૃતિ મહોત્સવ’Thursday,March 18,2010 04:36 [IST]

જોગી સ્વામી, માધવપ્રિયદાસજી સ્વામી, બાલકૃષ્ણદાસજી સ્વામીની નશિ્રામાં તા.૧૯મી માર્ચથી ‘સ્મૃતિ મહોત્સવ’નો પ્રારંભ મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે થશે. જેમાં શુક્રવારથી અખંડ ધૂન, શનિવારથી કથાનો પ્રારંભ થશે. તા.૨૧મીએ પૂર્વ વિધ્યાર્થીઓનું મિલન તથા સમૂહ મહાપૂજન થશે. ૨૨મીએ મહિલા સંમેલન,૨૪મીએ રામચંદ્રજી ભગવાનનો પ્રાગટÛોત્સવ તથા ભગવાન સ્વામિનારાયણનું પૂજન થશે, એમ કનુ ભગતે...
 
 
danik bhaskar

ટાગોર હોલમાં ૨૧મીએ યુગપુરુષ આદશિંકરાચાર્ય નાટકThursday,March 18,2010 04:36 [IST]

આધ્યાત્મ વિધ્યા મંદિર દ્વારા વર્તમાન સમયમાં જગદ્ગુરુ આદિ શંકરાચાર્યજીના જીવન, કવન અને ઉપદેશોને પ્રસ્તુત કરતું ભવ્ય નાટક ‘યુગપુરુષ આદિ શંકરાચાર્ય’ તૈયાર કરાયું છે. શહેરમાં આવેલ ટાગોર હોલ, પાલડી ખાતે આગામી ૨૧મી માચેઁ, રવિવારના દિવસે સાંજે ૬.૦૦થી ૯.૩૦ કલાક સુધી આ નાટક ભજવવામાં આવશે. આ નાટકનું આયોજન શહેરના જાણીતા તબીબો અને આધ્યાત્મ વિધ્યામંદિર દ્વારા કરવામાં આવ્યું છે.
 
 
danik bhaskar

મોક્ષમાલાશ્રીજી કાળધર્મ પામ્યાંThursday,March 18,2010 04:36 [IST]

જૈનાચાર્ય સ્વ. આચાર્ય રામચંદ્રસૂરીશ્ર્વરજી મ.સા. સમુદાયના જૈ. હેમભૂષણસૂરીશ્ર્વરજી મ.સા. તથા સુપ્રસિદ્ધ મુનિરાજ દિવ્યભૂષવજિયજી મ.સાના સંસારી માતુશ્રી કે જેઓ ૮૩ વર્ષની જૈફ વયે હજારોની મેદની વચ્ચે ધામધૂમથી દીક્ષિત થયા હતા તે પૂ. સાધ્વીજી મોક્ષમાલાશ્રીજી મહારાજ મહારાષ્ટ્રના નાસિક ખાતે ૧૭ માર્ચ બુધવારે સવારે ૪.૫૦ કલાકે ચતુવિgધ સંઘની ઉપસ્થિતિમાં નમસ્કાર મહામંત્રાદિ...
 
 
danik bhaskar

મહિલા પોલીસ સાથે અશ્લીલ વાતો કરનારની ધરપકડThursday,March 18,2010 04:36 [IST]

દોઢ માસ પહેલા પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કરી મહિલા પોલીસ કર્મચારી સાથે અશ્લીલ વાતો કરનારા યુવાનને ક્રાઇમ બ્રાન્ચે બુધવારે ઓલપાડના અછારણ ગામમાંથી ઝડપી પાડÛો હતો. ૧૮ વર્ષીય નીલેશ ઠાકોર રાઠોડે મોબાઇલ પરથી પોલીસ કન્ટ્રોલરૂમને ફોન કર્યો હતો, જે મહિલા પોલીસ કર્મચારી સર્વદાબેને ઉપાડÛો હતો. સામે છેડેથી નીલેશ ગંદી ગાળો તથા અશ્લીલ શબ્દો બોલ્યો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને તપાસ...
 
 
danik bhaskar

ટીમ ગડકરી સામે અસંતોષ જાગ્યોThursday,March 18,2010 04:36 [IST]

ભાજપના પ્રમુખ નીતિન ગડકરીની નવી ટીમ અંગેનો ઉત્સાહ એક દિવસમાં જ અર્દશ્ય થઇ રહ્યો હોવાનું લાગે છે. કોઇને પોતાના પ્રદેશની અવગણનાની ફરિયાદ છે તો કોઇ મહત્વના હોદ્દાઓ અંગે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.
ગડકરીના પફોgર્મન્સ ઓડિટના વચન અંગે સૌથી વધુ આંગળીઓ ચિંધાઇ રહી છે. તેનું કારણ અગાઉના કાર્યકાળમાં કોઇ કમાલ નહીં બતાવનારાઓને નવી ટીમમાં ફરી પસંદ કરવામાં આવ્યા છે.
ગડકરી માટે રાહતની વાત એ...
 
 
danik bhaskar

ડુમસના ૧૦૦૦ ચો. મીટરથી નાના પ્લોટોમાં કપાત નહીં થાયThursday,March 18,2010 04:36 [IST]

પાલિકાની ટીપી કમિટીએ બુધવારે ડુમસ સહિતની જે ૬ ટીપી મંજુર કરી છે તેમાં ૧૦૦૦ ચો. મી. થી તમામ નાના પ્લોટો કે જે રહેણાક હેતુના છે. તેમાં મિલકતદારનું ૭/૧૨ માં નામ, પાલિકા વિસ્તાર પહેલાંના તમામ રેકર્ડ, દસ્તાવેજો , સિટી સરવેની પ્રોપર્ટી કાર્ડની નકલ વગેરે પુરાવાને ધ્યાને લઇ જમીન કપાતોમાંથી મુકિત આપતો મહત્વનો નિર્ણય કરાયો છે.
એન. એ. પ્લોટોને મુકિત : જે જમીનોના પ્લોટો કે સોસાયટીઓને...
 
 
danik bhaskar

પાક. ધારાસભામાંથી હિન્દુ સાંસદોએ વોકઆઉટ કર્યોThursday,March 18,2010 04:36 [IST]

પાકિસ્તાનના લઘુમતી હિન્દુ સમુદાયના સાંસદોએ એક ટોચના ન્યાયાધીશે આપેલી ટપિ્પણી સામે વિરોધ જાહેર કરતાં રાષ્ટ્રીય ધારાસભામાંથી વોકઆઉટ કર્યો હતો. ન્યાયપાલિકા સામે પાકિસ્તાની સંસદમાં આમ પહેલી જ વાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સત્તાધારી પીપલ્સ નેશનલ પાર્ટીના સાંસદ રમેશ લાલે સંસદમાં મંગળવારે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે લાહોર હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ખ્વાજા...
 
 
danik bhaskar

ડ્રાઇવરના લમણે તમંચો ધરી બે યુવકો કાર લઈ ભાગી ગયાThursday,March 18,2010 04:36 [IST]

સચિનના સેઝમાં ડીજીવીસી ફેકટરીના મેનેજરની હોન્ડા સિટી કારની બુધવારે સવારે ડુમસ રોડ પરથી સનસનાટીભરી લૂંટ થઇ ગઇ હતી. બે અજાણ્યા શખ્સોએ ફિલ્મી ઢબે મેનેજરના ડ્રાઇવરનું અપહરણ કરીને ચલાવેલી આ દિલધડક લૂંટ દરમિયાન ડ્રાઇવર ચાલુ કારે ઝંપલાવી દેતા હેમખેમ બચી ગયો હતો.
સચિનમાં સેઝ વિસ્તારમાં ડીજીવીસી ફેકટરીના મેનેજર અજય શમૉનો ડ્રાઇવર જેઠાલાલ ઉફેઁ લાલો હનુભાઇ ભરવાડ બુધવારે સવારે...
 
 
danik bhaskar

ભાજપ બજેટમાં ‘કટ મોશન’ લાવશેThursday,March 18,2010 04:36 [IST]

ડાબેરીઓ બાદ હવે કેન્દ્ર સરકારના આર્થિક નીતિઓની અંગે સરકાર પર દબાણ વધારીને ભાજપે જાહેરાત કરી હતી તે કેન્દ્રીય બજેટ પર ‘કટ મોશન’(કાપ દરખાસ્ત) લાવશે. જેના કારણે લોકસભામાં યુપીએ સરકારની પરીક્ષા થશે. લોકસભાના વપિક્ષી નેતા સુષ્મા સ્વરાજે પ્રથમ તબક્કા દરમિયાન વપિક્ષો વચ્ચે સંકલન સાધવા અને મોંઘવારી અંગેની નીતિઓ સામેના વિરોધમાં બજેટ રજુઆત દરમિયાન ભાજપ દ્વારા અભૂતપૂર્વ સભાત્યાગ...
 
 
danik bhaskar

ટકરના કુલસચિવનો પગાર યુનિ.ના કુલસચિવ કરતાં વધુThursday,March 18,2010 04:36 [IST]

એક જ કેમ્પસમાં આવેલી બે શૈક્ષણિક સંસ્થાઓમાં સમાન પદ ધરાવતા અધિકારીઓના પગારમાં મોટો તફાવત છે, કારણ કે રાજય સરકારે છઠ્ઠા પગારપંચનો અમલ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમશિન (યુજીસી)નાં ધારાધોરણો મુજબ હજુ પણ નથી કર્યો.
યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજય સરકાર સામે અધ્યાપકોએ કરેલા આંદોલન પછી તેમને તો યુજીસીનાં ધારાધોરણો મુજબ પગાર આપી દીધો પરંતુ બિનશૈક્ષણિક કર્મચારીઓમાં ઉચ્ચ...
 
 
danik bhaskar

સગીર ભત્રીજીના બળાત્કારી કાકાને માત્ર પાંચ જુતાંની સજાThursday,March 18,2010 04:36 [IST]

આધુનિક યુગ તરફ હરણફાળ ભરી રહેલા ભારતના અંતરિયાળ પ્રદેશો અને ગામડાઓમાં આજેય માત્ર પંચાયત રાજ ચાલી રહ્યું છે. તેમાંય કેટલાંક ગામોમાં તો પંચાયત રાજના નામે મનમાની અને જોહુકમી ચાલી રહી છે તેનું વરવું ઉદાહરણ ગાઝિયાબાદમાં એક નાનકડા ગામમાં બનેલી ઘટના છે. જેમાં કિશોરવયની ભત્રીજી પર બળાત્કાર ગુજારનારા કાકાને માત્ર પાંચ જુતાં ફટકારવાની સજા થઇ છે. જોકે, પંચાયતના આ ચુકાદા બાદ પોલીસ...
 
 
danik bhaskar

૨૬/૧૧ : હેડલી આજે ગુનો કબૂલશેThursday,March 18,2010 04:36 [IST]

મુંબઇના ભયંકર ત્રાસવાદી હુમલાના કાવતરાખોરોમાંના એક અને અમેરિકન ત્રાસવાદી ડેવિડ કોલમેન હેડલી મૃત્યુદંડની સજાથી બચવા માટે આવતીકાલે ગુરુવારે અમેરિકાની કોર્ટમાં નાટયાત્મક રીતે પોતાના દુષ્કૃત્યની કબૂલાત કરશે. ગુનાની કબૂલાતને કારણે હેડલીને હળવી સજા થવાની સંભાવના છે. હેડલીને પોતાનું નિવેદન બદલવા માટે ૧૮ માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
 
 
danik bhaskar

ભારતની કેમ્પસ યોજનાને બ્રિટશિ યુનિ.નો ઠંડો પ્રતિસાદThursday,March 18,2010 04:36 [IST]

ભારતમાં કેમ્પસ સ્થાપવાની વિદેશી યુનિવર્સિટીઓને મંજૂરી આપતા ખરડાને ભારતીય કેબિનેટ દ્વારા ચાલુ સપ્તાહે આપવામાં આવેલી બહાલીની મોટાભાગની બ્રિટશિ યુનિવર્સિટીઓએ નોંધ લીધી છે પરંતુ ભારતમાં કેમ્પસ સ્થાપવાની તાકીદે તેમની કોઇ યોજના નથી. જો કે, ભારતીય સંસ્થાઓ સાથે તેમનો હાલનો સહયોગ અને અન્ય જોડાણો બ્રિટશિ યુનિવર્સિટીઓ ચાલુ રાખશે તેમ કેિમ્બ્રજ, ઓકસફર્ડ યુનિવર્સિટીઓ અને લંડનની...
 
 
danik bhaskar

જવેલરીની નિકાસ ૪૬ ટકા વધીThursday,March 18,2010 04:36 [IST]

જેમ એન્ડ જવેલરીની ફેબ્રુઆરી મહિનાની કુલ નિકાસ ગત વર્ષના આ સમયગાળાની સરખામણીએ ૪૬ ટકા જેટલી વધી છે, જયારે કટ એન્ડ પોલશિ્ડ ડાયમંડની આ સમયગાળા દરમિયાનની નિકાસ ૫૦ ટકા જેટલી વધી છે. નિકાસમાં ઝડપથી વધારો થવાને કારણે હીરાઉધ્યોગમાં ઉત્સાહ વધશે એમ જાણકારો માની રહ્યા છે.ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભારે મંદીનો સમયગાળો હતો એ હવે દૂર થઇ રહ્યો છે એ વાત નિકાસ વધારાની સાબિતી છે, એમ...
 
 
danik bhaskar

કેટ મેિકસકો પહોંચીThursday,March 18,2010 04:36 [IST]

હોલિવૂડની અભિનેત્રી કેટ વિન્સલેટ તેના પતિ સેમ મેન્ડસથી અલગ થયા બાદ રજાઓ ગાળવા બાળકો સાથે મેિકસકો પહોંચી ગઈ છે. જોકે મેન્ડસ હાલ ન્યૂ યોર્કમાં જ છે. કેટે સોમવારે તેના છૂટાછેડાની જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર છૂટાછેડાની જાહેરાત બાદ મીડિયાથી બચવા તે મેિકસકો ચાલી ગઈ છે.
 
 
danik bhaskar

ધો.૧૦ના ગણિતના પેપરમાં એક સવાલનો સાચો જવાબ જ ન હતોThursday,March 18,2010 04:36 [IST]

ધો. ૧૦ની બોર્ડ પરીક્ષામાં ગણિતના પેપરમાં એક સવાલ એવો હતો, જેનો સાચો જવાબ અપાયો જ ન હતો. વિધ્યાર્થીઓએ મુંઝાઇને ચોપડીમાં જે જવાબ હતો તે જ લખી દીધો હતો. જે ખરેખર ખોટો છે. ધો. ૧૦ની ગણિતની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોમાં એક પ્રશ્ન એવો પુછાયો હતો કે ‘ચાલુ વર્ષે’ સિનિયર સિટઝિન્સને ઇન્કમટેકસમાંથી મુિકત મળે તેવી આવકની ટોચમયૉદા કેટલી છે? જવાબના ચાર વિકલ્પોમાં રૂ. ૨ લાખ, રૂ.૧ લાખ, રૂ.૧.૩૫ લાખ...
 
 
danik bhaskar

હ્રદયરોગીઓ માટે નવી દવાThursday,March 18,2010 04:36 [IST]

બ્રિટનના વિજ્ઞાનીઓએ હ્રદયરોગીઓની ધમનીઓમાં રહેલી અડચણ દૂર કરવા માટે એક નવી દવા શોધી છે. તેને ધમનીઓમાં લોહી જામતી રોકવા માટેની અત્યાર સુધીની સૌથી મોટી શોધ કહેવામાં આવી રહી છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે પ્રેડેકસા નામની આ નવી દવા લોહીને પાતળું બનાવે છે. આ દવા લોહીને જામતું અટકાવનારી બાકીની બીજી દવાઓ કરતાં વધુ અસરકારક જોવા મળી છે. આ દવાની કોઈ આડઅસર પણ નથી.
 
 
danik bhaskar

હનીફ ટાઇગરનો કબજો લેવા પોલીસ અધિકારીઓ લંડન જશેThursday,March 18,2010 04:35 [IST]

૧૯૯૩માં સુરતમાં બે સ્થળે બોમ્બબ્લાસ્ટ થયા હતા તે ગુનામાં વોન્ટેડ હનીફ ટાઇગર લંડનમાં પકડાઈ ગયા બાદ તેનો કબજો લેવા માટે એક ડીસીપી અને બે પોલીસ ઇન્સ્પેકટર લંડન જવા રવાના થશે. આ માટેની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.
છઢ્ઢી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી ધ્વંસની ઘટના બની તેના વિરોધમાં ૧૯૯૩ના વર્ષમાં સુરતમાં રેલવે સ્ટેશન અને વરાછાના મિનીબજારમાં બોમ્બબ્લાસ્ટ થયા હતા....
 
 
danik bhaskar

દાલમિયાની સામેના કેસમાં પવારને રાહતThursday,March 18,2010 04:35 [IST]

બીસીસીઆઇના ભૂતપૂર્વ વડા જગમોહન દાલમિયાની નાણાકીય ગેરરીતિઓ આચરવા બદલ કરવામાં આવેલી હકાલપટ્ટી સંબંધિત એક કેસમાં કેન્દ્રીય પ્રધાન શરદ પવાર અને ક્રિકેટ બોર્ડના પાંચ અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાના કોલકાતા હાઇકોર્ટના આદેશને સુપ્રીમકોર્ટ દ્વારા રદ કરવામાં આવતા શરદ પવારને રાહત મળી છે. મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલકૃષ્ણન, ન્યાયમૂર્તિઓ દીપક વમૉ અને બી.એસ. ચૌહાણની બનેલી...
 
 
danik bhaskar

છાતીમાં દુખાવા બાદ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંThursday,March 18,2010 04:35 [IST]

બોેલિવૂડના અભિનેતા અને ભૂતપૂર્વ સાંસદ ધર્મેન્દ્રને છાતીમાં દુખાવો ઉપડતાં બુધવારે ચંદીગઢની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે બપોર બાદ તેમને રજા આપી દેવાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ‘યમલા પગલા દિવાના’ નામની એક ફિલ્મના શૂટિંગ માટે ધર્મેન્દ્ર હાલમાં પોતાના વતન રાજય પંજાબમાં છે.
 
 
danik bhaskar

સાતમા ધોરણનાં પ્રેમીપંખીડાં મુંબઈથી ભાગી સુરત પહોંચ્યાં!Thursday,March 18,2010 04:35 [IST]

‘પ્રેમ આંધળો છે’ એ વાત ફલિત કરતી ઘટના અનેક વખત પ્રકાશમાં આવી ચૂકી છે પરંતુ આજે જે કિસ્સાની વાત કરવાની છે તેમાં પ્રેમ કરવો એ કોઈની જાગીર નથી, કોઈ પણ વયે પ્રેમ થઈ શકે છે તે વાતની પ્રતીતિ કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાતમા ધોરણમાં અભ્યાસ કરતા ‘નાના પ્રેમી’ઓ મુંબઈથી ભાગીને સુરત સુધી પહોંચી ગયા હતા. આખરે મામલો લિંબાયત પોલીસ સુધી પહોંચ્યો હતો. લિંબાયત પોલીસ મુંબઈના માહિમ પોલીસ મથકે...
 
 
danik bhaskar

રેલવેમાં ૫૨૦૦થી વધુ ભ્રષ્ટ કર્મચારીThursday,March 18,2010 04:35 [IST]

રેલવેએ ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવા અને વહીવટમાં પારદર્શકતા લાવવાના પ્રયાસરૂપે ૫૨૦૦થી વધુ કર્મચારીઓ સામે છેતરપિંડીમાં સામેલ હોવા બદલ વિભાગીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
સૌથી વધુ ઉત્તર ભારતના ૮૫૫ અધિકારીઓનો તેમાં સમાવેશ છે, જેમાં ૮૪૬ નોન-ગેઝેટેડ અને ૯ ગેઝેટેડ અધિકારીઓનો સમાવેશ છે. ત્યારપછીના ક્રમે સાઉથ સેન્ટ્રલ રેલવેના ૬૪૦ કર્મચારીઓનો સમાવેશ છે. વેસ્ટર્ન રેલવેના ૫૫૯...
 
 
danik bhaskar

લીલા શાકભાજી, સિંગદાણા બચાવે છે પેટના કેન્સરથીThursday,March 18,2010 04:35 [IST]

પેટના કેન્સરથી બચવા માટે પુરુષોએ પોતાના ખોરાકમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધારવું જોઇએ. તે લીલા શાકભાજી, સિંગદાણા વગેરેમાં મળે છે. મેગ્નેશિયમ આમ પણ હાઈ બ્લડપ્રેશર, હ્રદયરોગ, ટાઈપ ટૂ ડાયાબિટીસ, માઈગ્રેન, ઓસ્ટિયોપાયરોસિસ વગેરેની રોકથામમાં મદદગાર માનવામાં આવે છે. ‘ધ ગ્લોબ એન્ડ મેઇલ’ અનુસાર ખોરાકમાં દરરોજ ૩૨૭ મિલીગ્રામ મેગ્નેશિયમ લેવાથી પેટનું કેન્સર થવાની સંભાવના ૫૨ ટકા ઘટી જાય...
 
 
danik bhaskar

સાતમા ધોરણનાં પ્રેમીપંખીડાં મુંબઈથી ભાગી સુરત પહોંચ્યાં!Thursday,March 18,2010 04:35 [IST]

‘પ્રેમ આંધળો છે’ એ વાત ફલિત કરતી ઘટના અનેક વખત પ્રકાશમાં આવી ચૂકી છે પરંતુ આજે જે કિસ્સાની વાત કરવાની છે તેમાં પ્રેમ કરવો એ કોઈની જાગીર નથી, કોઈ પણ વયે પ્રેમ થઈ શકે છે તે વાતની પ્રતીતિ કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાતમા ધોરણમાં અભ્યાસ કરતા ‘નાના પ્રેમી’ઓ મુંબઈથી ભાગીને સુરત સુધી પહોંચી ગયા હતા. આખરે મામલો લિંબાયત પોલીસ સુધી પહોંચ્યો હતો. લિંબાયત પોલીસ મુંબઈના માહિમ પોલીસ મથકે...
 
 
danik bhaskar

ગર્ભસ્થ શિશુનું સુખ-દુ:ખ માતાના હાથમાંThursday,March 18,2010 04:35 [IST]

ગભૉવસ્થા દરમિયાન મહિલા પોતાની કૂખમાં રહેલા શિશુને ભોજન અને ઓિકસજન જ નહીં પરંતુ સુખ-દુ:ખ પણ આપે છે. જાપાનની નાગાસાકી યુનિવર્સિટીના સંશોધનકર્તા કાઝુયુકી સિનોહારા અને તેમની ટીમે સુખ-દુ:ખથી ભરેલી બે વીડિયો િકલપિંગ ગર્ભવતી મહિલાઓને બતાવી હતી. આ ઉપરાંત એક સામાન્ય િકલપિંગ પણ બતાવી હતી. તે સમયે ગર્ભમાં રહેલા શિશુની હલચલને જોતાં જાણવા મળ્યું કે ખુશીની પળોમાં તેના હાથ-પગ વધુ હલે છે....
 
 
danik bhaskar

દિલ્હીમાં કોન્ડોમનો ઉપયોગ ઘટÛો, ગોળીઓનું ચલણ વધ્યુંThursday,March 18,2010 04:35 [IST]

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અસરકારક ગર્ભનિરોધક સાધન તરીકે સેકસ બાબતે સક્રિય લોકોમાં કોન્ડોમનો ઉપયોગ ઘટÛો છે જયારે ગોળીઓનું ચલણ વધ્યું છે. નવેસરના શહેરના સરકારી આંકડા અનુસાર વર્ષ ૨૦૦૮-૦૯માં ૯૪,૭૬,૦૦૦ કોન્ડોમનો ઉપયોગ થયો હતો. જેની સરખામણીમાં વર્ષ ૨૦૦૬-૦૭માં ૧,૨૩,૭૭,૦૦૦ કોન્ડોમનો ઉપયોગ થયો હતો.
દિલ્હીવાસીઓમાં અસરકારક ગર્ભનિરોધક સાધનની પસંદગીમાં હજુય કોન્ડોમનો ઉપયોગ...
 
 
danik bhaskar

સીબીએસઈ હવેથી આંતરરાષ્ટ્રીય બોર્ડ બનશેThursday,March 18,2010 04:35 [IST]

ધો. ૧૦ની પરીક્ષાને વૈકિલ્પક બનાવાયા બાદ દેશનું અગ્રણી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન(સીબીએસઈ) નવા શૈક્ષણિક સત્રથી આંતરરાષ્ટ્રીય વિધ્યાર્થીઓ માટે નવો સિલેબસ(અભ્યાસક્રમ) રજુ કરશે અને દુનિયાના કોઈપણ દેશની કોઈપણ સ્કૂલ સાથે જોડાણ કરશે. જોકે સ્થાનિક વિધ્યાર્થીઓ માટેનો અભ્યાસક્રમ હાલમાં છે તે જ યથાવત રહેશે.
સીબીએસઈ આગામી સત્રથી વિદેશી વિધ્યાર્થીઓ માટે નવો અભ્યાસક્રમ રજુ...
 
 
danik bhaskar

મોતિયાનાં મૂિળયાં મગજમાં છેThursday,March 18,2010 04:35 [IST]

વયસ્કોને મોતિયાની શરૂઆત આંખોમાંથી નહીં પરંતુ મગજના એક ભાગમાંથી થાય છે. વાંડરબલ્ટિ યુનિવર્સિટીની આઈ ઇિન્સ્ટટÛૂટના સંશોધકોએ આ દાવો કર્યો છે. પ્રયોગશાળામાં ઉંદરો પર પરીક્ષણ કયૉ બાદ સંશોધનકર્તાઓને જાણવા મળ્યું કે આ બીમારીનો પ્રથમ સંકેત આંખોના રેટિનામાં નહીં પરંતુ મગજના વચ્ચેના ભાગમાં જોવા મળે છે. મોતિયાની બીમારી જયારે આંખોના આ ભાગને પકડે છે, ત્યારે ઓપિ્ટક નર્વથી સંકેત મળવાના...
 
 
danik bhaskar

મૃતક યુવાનનાં લિવર-કિડનીનું દાનThursday,March 18,2010 04:35 [IST]

કાપોદ્રા વિસ્તારમાં રવિવારે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનનું લિવર અને કિડનીનું દાન કરી અન્યને જીવતદાન બક્ષવાનું પુણ્ય કાર્ય કર્યું હતું. પૂણા ગામના યોગીચોક ખાતે આવેલી બી-૭૫, આમ્રકુંજ સોસાયટીમાં રહેતા જયંતીભાઈ ઘુસાભાઈ રાણપરિયા તેમની બાઇક પર તેમના ભાઈ સાથે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળની સીટ પર બેઠેલા જયંતીભાઈને ગંભીર ઇજા થતાં તેમને આયુષી...
 
 
danik bhaskar

૩૩ ટકા અનામત ભલે મળે પણ મહિલાઓને માંડ ૧૫ ટકા નોકરીThursday,March 18,2010 04:35 [IST]

લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મહિલાઓની રોજગારીનું પ્રમાણ સરેરાશ ૧૫ ટકા જેટલું માંડ થાય છે. એટલે કે ૮૫ ટકા નોકરીઓ પર હજુ પણ પુરુષોનો ઇજારો બરકરાર છે. વર્ષ ૨૦૦૯માં જાહેર ક્ષેત્રમાં કુલ નોકરીઓમાંથી જાહેર ક્ષેત્રમાં મહિલાઓને ૨૧ ટકા નોકરી મળી હતી જયારે ખાનગી ક્ષેત્રમાં તે પ્રમાણ માત્ર ૧૦ ટકાનું રહ્યું...
 
 
danik bhaskar

કોંગ્રેસનું કાયૉલય નવી જગ્યાએThursday,March 18,2010 04:35 [IST]

મક્કાઇપુલ ખાતે ચાલતું કોંગ્રેસ કાયૉલય હવેથી કાદરશાની નાળ વિસ્તારમાં નવી જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે, આ નવા કોંગ્રેસ કાયૉલયનું નામકરણ ‘રાજીવ ગાંધી’ ભવન તરીકે કરવામાં આવ્યું છે. આ
અંગે વગિતવાર શહેર પ્રમુખ શંભુભાઇ પ્રજાપતિના જણાવ્યા અનુસાર ગુરૂવારે સવારે ૧૦.૩૦ વાગ્યે નવી ઓફિસમાં કુંભઘડો મુકાશે.
મૂકવાની વિધિ કરવામાં આવશે. સંકલન સમિતિના સભ્યો, શહેર સમિતિના સભ્યો,...
 
 
danik bhaskar

લાંચ-રુશ્વત માટે અલાયદી કોર્ટ શરૂThursday,March 18,2010 04:35 [IST]

એન્ટી કરપ્શન બ્યુરોના પોલીસ અધિકારીઓ હસ્તક આવતા તમામ કેસોની ટ્રાયલ ચલાવવા માટે સુરત ન્યાયાલય ખાતે અલાયદી કોર્ટની ફાળવણી કરવામાં આવી છે. ફાસ્ટ્રેક કોર્ટના જજ વી. આર. વ્યાસની આ સ્પેશિયલ કોર્ટ માટે નિમÒક કરાઈ છે. આ કોર્ટમાં જ લાંચ-રુશ્વતને લગતાં તથા અપ્રમાણસરની મિલકતો ધરાવવાના તમામ કેસોની ટ્રાયલ ચાલશે.
 
 
danik bhaskar

હવેથી અનાજ નહીં હોય તો ગરીબોને રોકડા અપાશેThursday,March 18,2010 04:35 [IST]

ગુજરાતના ગરીબ પરિવારો માટે અનાજ ઉપલબ્ધ નહીં હોય તો હવે રોકડા રૂપિયા આપવા પડશે. આ મતલબનો કાયદો સંસદમાં પસાર કરવામાં આવી રહ્યો છે. જેમાં એવી પણ જોગવાઈ છે કે ગરીબોને સરકાર દ્વારા મહિને ૨૫ કિલોગ્રામ અનાજ આપવાનું રહેશે.
ગુજરાતમાં લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવરી લેવાયેલા પરિવારની સંખ્યામાં બીપીએલ પરિવાર ૨૫.૬૮ લાખ, એપીએલ પરિવાર ૭૮ લાખ અને અંત્યોદય પરિવાર ૮.૧૫ લાખ છે....
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB