Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Gujarat's Heritage
 

ઝૈનાબાદ

 
Source: City Reporter, Ahmedabad   |   Last Updated 7:01 PM [IST](28/03/2010)
 
 
 
 
 
ઝૈનાબાદ અમદાવાદથી ૧૦૦ કિ.મી.નાં અંતરે આવેલા કચ્છનાં નાના રણની પેરીફેરી પર આવેલું છે. ભૂજથી ૨૬૦ કિ.મી.ની દૂરી પર આવેલું આ ઝૈનાબાદ એ જંગલી ગધેડા જોવાનું એક ઉત્તમ સ્થળ છે. કચ્છના સૂકા રણની ફાટેલી ધરતી પર દોડતા જંગલી ગધેડાનાં નાના-મોટા જૂથ જોવા માટે અહીં રણસફારીનો આનંદ લેવા દૂરદૂરથી લોકો આવે છે.

ઓપનજીપમાં બેસાડીને કલાકોની સફર માણતા અહીં જંગલી ગધેડાની (ઘુડખર) એક અદ્ભુત સફારી જોવા મળે છે.

શિયાળા દરમિયાન ઝૈનાબાદની મુલાકાત એક આનંદદાયક અને યાદગાર સફર બની રહે છે. એક શતક પહેલાં અહીં રાજ કરી ચૂકેલા નવાબ ઝૈનખાન પરથી આ સ્થળનું નામ ઝૈનાબાદ રાખવામાં આવ્યું હતું. કચ્છનાં નાનારણમાં પ્રવેશવાનું આ એક મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. ઝૈનાબાદમાં કચ્છ અને સૌરાષ્ટ્રનું બ્લેન્ડ કલ્ચર જોવા મળે છે.

અહીંનું શિલ્પ સ્થાપત્ય મિશ્ર કલ્ચરની ઝાંખી કરાવે છે. જંગલી ગધેડા ઉપરાંત અહીં વૂલ્ફ, જેકલ, ફોકસ, અને વાઈલ્ડ કેટ પણ જોવા મળે છે. અહીંના રણમાં કેમલ સફારી પણ માણવા મળે છે.

ઝૈનાબાદ એક એવી જગ્યા છે કે, જયાં ત્યાંના લોકલિસ્ટ દેશી ખાવાનું બનાવીને વિઝિટર્સને ભોજન કરાવે છે. આમ આવો ભારતીય આતિથ્ય વૈભવ અહીં માણવા મળે છે. ઉપરાંત સવારથી ફેમિલી કે મિત્રો સાથે સૂકા રણમાં જીપ સફારીથી એક અલગ જ લાહવો માણવા મળે છે. બપોર પછી વધુ પડતા આકરા તડકાને કારણે શિયાળાની ઋતુ અહીં આવવા માટે સૌથી સારી રહે છે.

કન્ટેન્ટ : પાર્થિવી અઘ્યારુ શાહ, આશા દેસાઈ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.