આસો માસની વદ તેરસને ધનતેરસ કહે છે. આ દિવસે ભગવાન ધન્વન્તરિની વિશેષ પૂજન- અર્ચન કરવામાં આવે છે. આ વખતે આ પર્વ 24 ઓક્ટોબર, સોમવારે છે. પુરાણોમાં વર્ણિત કથાના અનુસાર દેવતાઓ અને દૈત્યોએ જ્યારે સમુદ્ર મંથન કર્યુ તો તેમાંથી ઘણાં પ્રકારનાં રત્ન નીકળ્યાં. સમુદ્ર મંથનના અંતમાં ભગવાન ધન્વન્તરિ અમૃત કળશ લઇ પ્રગટ થયા. આ દિવસે ભગવાન ધન્વનંતરિનો પ્રગટોત્સવ પણ મનાવવામાં આવે છે. પુરાણોમાં ધન્વન્તરિને ભગવાન વિષ્ણુનો અંશાવતાર પણ માનવામાં આવે છે. ધનતેરસનાં દિવસે ભગવાન ધન્વન્તરિનું પૂજન આ પ્રકારે છે -
પૂજન વિધિ
– સૌ પ્રથમ ન્હાઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ભગવાન ધન્વન્તરિની મૂર્તિ કે ચિત્રને સ્વચ્છ સ્થાન પર સ્થાપના કરો તથા પોતે પુર્વાભિમુખ થઇને બેસી જાઓ. તેના પછી ભગવાન ધન્વન્તરિનું આહ્વાન નિમ્ન મંત્રથી કરો . सत्यं च येन निरतं रोगं विधूतं, अन्वेषित च सविधिं आरोग्यमस्य। गूढं निगूढं औषध्यरूपम्, धन्वन्तरिं च सततं प्रणमामि नित्यं।।
તેના પછી પૂજન સ્થળ પર આસન આપવાની ભાવનાથી ચોખા ચઢાવો. તેના પછી આચમન માટે જળ છોડો. ભગવાન ધન્વન્તરિનાં ચિત્ર પર ગંધ, અબીલ,ગુલાલ, ફૂલ,રોલી વગેરે ચઢાવો. ચાંદીના પાત્રમાં ખીરનો નૈવેધ લગાડો (જો ચાંદીનું પાત્ર ઉપલબ્ધ ના હોય તો અન્ય પાત્રમાં પણ નૈવેધ પણ લગાડી શકો છો. આ પછી ફરી આચમન માટે જળ છોડો. મુખ શુદ્ધિ માટે પાન, લવિંગ, સોપારી ચઢાવો. ભગવાન ધન્વન્તરિને વસ્ત્ર અર્પણ કરો. શંખપુષ્પી,તુલસી, બ્રાહ્મી વગેરે પૂજનીય ઔષધિઓ પણ ભગવાન ધન્વન્તરિને અર્પણ કરો. રોગનાશની કામના માટે આ મંત્રનો જાપ કરો -
ऊँ रं रूद्र रोगनाशाय धन्वन्तर्ये फट्।।
તેના પછી ભગવાન ધન્વન્તરિને શ્રી ફળ અને દક્ષિણા ચઢાવો. પૂજનનાં અંતમાં કપુર આરતી કરો.