Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Uttar Gujarat >> Latest News >> Banaskantha
 

રણછોડપુરામાં ચક્રવાતથી લાખોનું નુકસાન

 
Source: Bhaskar News, Palanpur   |   Last Updated 4:27 AM [IST](09/08/2010)
 
 
 
 
Advertisement
 
ઘરોમાં પાણી ફરી વળતાં ઘરવખરી અને અનાજ પણ બગડ્યાં

વડગામ તાલુકાના રણછોડપુરા (ડાલવાણા) ગામમાં શનિવારે સાંજે ચક્રવાત આવતાં ગામના રહેણાંક મકાનો તેમજ ખેડૂતોના ખેતરમાં આવેલા મકાનો અને પશુ બાંધવા માટેના તબેલાઓની છત પણ ઉડી જતાં મોટુ નુકસાન થવા પામ્યું હતું. ચક્રવાતથી લોકોના રહેણાંક મકાનો પરથી પતરાં-નળીયાં ઉડી ગયા હતા. તેજ સમયે મૂશળધાર વરસાદના કારણે વરસાદનું પાણી સીધુ ઘરોમાં રેલાયું હતું.

જેથી ઘરોમાં પાણી ફરી વળતાં ઘરવખરી તેમજ ઘરોમાં રખાયેલા અનાજના જથ્થાનો બગાડ થવા પામ્યો હતો. આ ઉપરાંત ખેતરોમાં પણ મકાનો તેમજ તબેલા પરના પતરાંઓ ઉડી જતાં પશુઓ માટે સાચવીને રાખેલા સુકા ઘાસચારાનો પણ મોટા પ્રમાણમાં બગાડ થવા પામ્યો હતો.આ અંગે રવિવારે વડગામ નાયબ તાલુકા વિકાસ અધિકારી કેશરભાઇ ચૌધરી તેમજ એસ.ઓ.ગોવિંદભાઇ ચૌધરીએ રૂબરૂ મુલાકાત લઇ અસરગ્રસ્તોનો સરવે હાથ ધર્યો હતો.

આ ચક્રવાતના કારણે રણછોડપુરા ગામમાં લાખોનું નુકસાન થવા પામ્યું છે. તેમજ મૂશળધાર વરસાદની સાથે ચક્રવાતના કારણે ખેતીનો પાક પણ જમીનદોસ્ત થઇ જતાં ચોમાસુ પાકમાં પણ વ્યાપક નુકસાન થયું છે. તેમ રણછોડપુરાના ખેડૂત અમરસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.