જૈન ધર્મનું પર્યુષણનું પર્વ માત્ર પર્વ નહીં એક ધર્મ પણ છે. સરળ અર્થોમાં કહીએ તો મનુષ્યની દરેક નબળાઈઓને તે સમાપ્ત કરે છે અને સ્થાયી સુખ આપે છે. વાસ્તવમાં તે એક અધ્યાત્મને જીવીત કરે છે.
આ પર્વ દ્વારા જૈન તીર્થંકરોના દસ ગુણોને જીવનમાં અપનાવવા માટે જોર આપવામાં આવ્યું છે. આ માટે દસ લક્ષણ પર્વના રુપમાં તેને માનવામાં આવે છે. આ સદ્ગગુણ છે. ક્ષમા કે માફી, મર્દવ કે વિનમ્રતા , અર્જવ કે સરળતા, સમજવું કે વિચારવું, સત્ય, ઈન્દ્રિય સંયમ, તપ, ત્યાગ, અકિંચન કે અધિકાર રહીત બ્રહ્મચર્ય. આ ગુણ કોઈ પણ વ્યક્તિને જીવનની સફળતાના માર્ગ પર લઈ જાય છે. જેની અંતિમ મંજિલ મોક્ષ હોય છે.
ધાર્મિક દ્રષ્ટિએ પર્યાવરણ એ એક એવું મહાપર્વ છે જે વ્યક્તિને આત્મ નિરીક્ષણ, આત્મ- જ્ઞાન અને આત્મ ઉન્નતિનો અવસર આપે છે. આ દરમ્યાન દર્શાવવામાં આવેલા દરેક નિયમ અને બંધનો પાછળનો હેતુ કર્મની શુદ્ધિ છે. આ પ્રવની દરેક પરંપરા જીવનમાં સુખ, શાંતિ આપવાની સાથે સારા આચરણ અને વ્યવહાર માટે પ્રેરિત કરે છે. આ પર્વ સામાજિત ક્લેશ અને મનની ખટાશને દૂર કરે છે. સદાય પ્રસન્નીય વાતાવરણ બનાવીને જૈન ધર્મનો મૂળ ભાવ જીવો અને જીવવા દો શબ્દોને સાર્થક કરે છે.