રાજસ્થાનના કેશુઆ ગામે ભારતીય ગૌ કલ્યાણ મહોત્સવમાં હજારો લોકો ઉમટી રહ્યા છે
ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના પથમેડા ગૌ તીર્થ ધામ તરીકે જાણીતું છે અને તેના દ્વારા રેવદર તાલુકામાં નંદવન બનાવેલ છે. જેમાં કથાકાર રમેશભાઇ ઓઝા (ભાઇજી) દ્વારા હજારો લોકો કથાનું સ્મરણ કરી રહ્યા છે અને આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી પણ પહોંચી ગયા હતા અને ત્યાં લોકોને દેખીને ભાવ વિભોર બની ગયા હતા.
ગુજરાતના કથાકાર શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી) પથમેડા ગૌશાળામાં પોતાની અમૃતવાણીનો લાભ લોકોને આપી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી પણ આ લહાવો લેવા માટે નંદગામ કેશુઆ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં હજારો લોકોને જોઇને આનંદ વિભોર બન્યા હતા. આ પ્રસંગે તેઓએ લોકોને સંબોધતાં જણાવ્યું હતું કે, ગૌ રક્ષાએ સૌથી મોટી રક્ષા છે. આજે જ્યાં દેખો ત્યાં ગાયોની કતલ થાય છે. જેથી ગુજરાતમાં અમોએ સૌપ્રથમ ગૌ રક્ષાનો કાયદો અમલી બનાવ્યો છે.
જ્યારે ગુજરાતમાં ગૌ હત્યા કરનારાઓને પાસા લગાવવામાં આવે છે તેમજ ગુજરાત સરકારે દુનિયામાં પ્રથમ હરતી ફરતી માંસની ચકાસણીની લેબોરેટરી ઉભી કરી છે અને જો ગૌ માંસ જણાય તો તેને તાત્કાલીક જેલના હવાલે કરવામાં આવે છે અને લોકોને નરેન્દ્ર મોદીએ ખાસ જણાવ્યું હતું કે, જો લોકો પોતાના ઘેર એક-એક ગાય પાળે તો આ ગૌ વંશ ક્યારેય કતલખાને નહી જાય.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે ગુજરાતના અગ્રણી રાજકીય નેતાઓ અને એમ.એસ.અગ્રવાલ પણ ત્યાં ખાસ સેવાઓ આપી રહ્યા છે.