'કોમી હુલ્લડનું જ ઈનામ હતુ માયા કોડનાનીને મળેલુ મંત્રીપદ'

ટ્વિટર પર પૂરજોશમાં ચાલતો નરોડા પાટીયાનો ટ્રેન્ડ
ગુજરાતના હુલ્લડો દરમિયાન થયેલા નરોડા પાટીયા હત્યાકાંડમાં 32 લોકો દોષિત સાબિત થયા છે. ફેંસલો આવ્યા બાદથી જ ટ્વિટર પર નરોડા પાટીયાનો ટ્રેન્ડ
ચાલી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે 2002માં થયેલા નરોડા પાટીયા હત્યાકાંડમાં 97 લોકો માર્યા ગયા હતા. આ કેસ સ્પેશિઅલ ઈન્વેસ્ટીગેશન ટીમ પાસે છે. આ મામલે 32 લોકોને
દોષિ ઠેરવવામાં આવ્યા જેમાં મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા માયા કોડનાની અને વિહિપના નેતા બાબુ બજરંગીનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ
કોર્ટે મુંબઈ હુમલાના આરોપી કસાબની ફાંસીની સજા યથાવત રાખવાનો નિર્ણય આપ્યો.
વાંચો આ નિર્ણયો પર ટ્વિટર પર આવેલી કેટલીક પ્રતિક્રિયાઓ
Joy
આજે ન્યાયનો દિવસ છે. કસાબની ફાંસીની સજા યથાવત અને નરોડા પાટીયા કેસમાં 32 આરોપીઓ દોષિત સાબિત. પરંતુ દુ:ખની વાત છે કે બંન્ને ઘટનાઓના
માસ્ટર માઈન્ડ હજૂ સુરક્ષીત છે.
TwoCircles.net
ન્યાયના પૈડા આપમેળે જ નથી ચાલતા, તે તમામ લોકોને સલામ જેમના પ્રયાસોથી નરોડા પાટીયા કેસમાં ફેંસલો આવી શક્યો.
Manish Chandra નરોડા પાટીયા મામલે આવેલા નિર્ણયનું સ્વાગત છે...દસ વર્ષમાં જ ન્યાય મળી ગયો પણ 1984ના હુલ્લડોમાં માર્યા ગયેલા શિખ હજૂ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે...જે દુ:ખદ છે.
Rana Safvi તો જે સમયે નરોડા પાટીયામાં નિર્દોષોને જીવતા સળગાવવામાં આવી રહ્યા હતા ત્યારે માયા કોડનાની નરેન્દ્ર મોદીના મંત્રી ન હતી...મતલબ કે મંત્રીપદ બાદમાં તેમને ઈનામમાં મળ્યુ છે.







