મેચના થોડા સમય પહેલા જ યુવરાજ બન્યો ભાવુક, કર્યું આવું ટ્વિટ
divyabhaskar.com
| Sep 08, 2012, 18:38PM IST
કેન્સરમાંથી બહાર આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરી રહેલા યુવરાજ સિંહે કહ્યું છે કે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી20 મેચ વર્લ્ડ કપ-2011ની ફાઈનલ બાદ તેની કારકિર્દીનો સૌથી મોટો દિવસ છે.
મેચ શરૂ થવાના થોડા કલાકો પહેલા જ યુવરાજે કહ્યું છે કે વર્લ્ડકપ ફાઈનલ બાદ આ મારી કારકિર્દીની સૌથી મહત્વની ક્ષણ છે. હું લોકોના પ્રેમ અને સહયોગથી ઘણો જ અભિભૂત છું જેઓએ મને શુભેચ્છાઓ પાઠવી છે.
કેન્સરમાંથી સાજો થયા બાદ યુવરાજ સિંહ શનિવારના રોજ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી20 મેચ રમશે. કિવિ સામેની બે ટી20 મેચ યુવરાજ માટે મહત્વની બની જશે. આ મેચ દ્વારા તે પોતાની ફિટનેસ પણ સાબિત કરી દેશે.







