જાડેજા-પઠાણ બંધુઓની હકાલપટ્ટી અંગે શ્રીકાંતે આપ્યો આ જવાબ
Agency, Mumbai
| Jul 05, 2012, 10:41AM IST
- શ્રીલંકા પ્રવાસે જનારી ભારતીય ટીમમાંથી રવિન્દ્ર જાડેજા તથા પઠાણબંધુઓને બાકાત રખાયા છે
શ્રીલંકા પ્રવાસ માટેની ભારતીય ટીમની જાહેરાત થઈ બુધવારના રોજ કરવામાં આવી. જો કે આ ટીમમાં કોઈ આંચકાજનક બાબતો નહોતી. સચિન તેંડુલકર શ્રીલંકા પ્રવાસમાં જવાનો નથી. જ્યારે તેના સ્થાને યુવા ઓપનર અજિંક્યા રહાણેને તક આપવામાં આવી છે.
જ્યારે અપેક્ષા પ્રમાણે વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ અને અનુભવી ઝડપી બોલર ઝહિર ખાનને સ્થાન મળ્યું. જો કે ટીમમાં એક પણ ઓલ-રાઉન્ડર નથી. ઈરફાન પઠાણ, યુસુફ પઠાણની અવગણના કરવામાં આવી જ્યારે રવિન્દ્ર જાડેજાની હકાલપટ્ટી કરી દેવામાં આવી.






