પોતાના દૂસરા બોલ માટે જાણીતા બનેલા પાકિસ્તાની ઓફ સ્પિનર સકલિન મુશ્તાકે સ્પિનર સઇદ અજમલને તેની બોલિંગ એકશન અંગે થઇ રહેલી શંકાઓની અવગણના કરીને પોતાની બોલિંગ પર ધ્યાન આપવા માટેની સલાહ આપી છે.
સકલિને જણાવ્યું હતું કે અજમલની બોલિંગ એકશનને આઇસીસીએ લીલી ઝંડી આપી છે તેથી તેણે તમામ આક્ષેપોની અવગણના કરવી જોઇએ. આ તેના માટે ઘણી મહત્વપૂર્ણ બાબત છે અને તેણે હંમેશાં આ બાબતને ધ્યાનમાં રાખવી જોઇએ.
મીડિયા સાથેની સતત ચર્ચાના કારણે અજમલ પોતાનો તાલમેલ ગુમાવી શકે છે કારણ કે તે હંમેશાં પોતાની બોલિંગ અંગે જ વિચારણા કરતો રહેશે. કોઇ પણ ખેલાડીએ નિવેદન કરતી વખતે પોતાની ટેક્નિક કરતાં પોતાના પ્રદર્શન અંગે વધારે ચર્ચા કરવી જોઇએ.