ગુજરાતી ખેલાડીઓની શા માટે થઈ ટીમ ઈન્ડિયામાંથી બાદબાકી?
- શ્રીલંકા પ્રવાસે જનારી ટીમમાં પઠાણબંધુઓ અને જાડેજાની હકાલપટ્ટી, ઓલ-રાઉન્ડરની પડશે ખોટ
એશિયા કપ બાદ લાંબા વેકેશન પછી ટીમ ઈન્ડિયા માટે નવા સત્રની શરૂઆત શ્રીલંકા પ્રવાસેથી થશે. આ માટેની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં એક પણ ગુજરાતી ખેલાડી નથી. ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા, યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. જ્યારે મુનાફ પટેલને પણ ટીમમાં તક આપવામાં નથી આવી.
ટીમમાં સચિન તેંડુલકરના સ્થાને અજિંક્યા રહાણે છે. ટીમની પસંદગી આ વર્ષે શ્રીલંકામાં રમાનારા ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જેથી યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. પરંતુ ટીમમાં એક પણ નિષ્ણાંત ઓલ-રાઉન્ડર નથી જે સૌના માટે ચર્ચાનો વિષય બન્યો છે.
આવો જોઈએ શા માટે ટીમમાંથી પઠાણ બંધુઓ અને જાડેજાની હકાલપટ્ટી કરવામાં આવી છે...
- તમારો મત
શું રવિન્દ્ર જાડેજા, યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણને તેમના પ્રદર્શનના આધારે ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે? ઈરફાનનું આઈપીએલ સિવાયની છેલ્લી મેચોનું પ્રદર્શન જોતા શું ટીમમાંથી તેની હકાલપટ્ટી યોગ્ય છે? શું જાડેજા અને પઠાણ બંધુઓની ગેરહાજરીમાં ટીમને ઓલ-રાઉન્ડરની ખોટ પડશે? તમારો મત નીચેના ફિડબેક બોક્સમાં લખો. તમારો મત લખવામાં ગાળો કે અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવો ગુનો બને છે જેના માટે તમે જાતે જવાબદાર રહેશો.
આ યુવા ધૂરંધરોએ આવી રીતે મારી ટીમ ઈન્ડિયામાં ENTRY
જાડેજા-પઠાણ બંધુઓની હકાલપટ્ટી અંગે શ્રીકાંતે આપ્યો આ જવાબ
જાણો, દ્રવિડને ‘ઘાયલ’ કરી સચિનનું સ્થાન લેનાર કોણ છે આ
સચિનના સ્થાને રહાણે જશે શ્રીલંકા, રવિન્દ્ર જાડેજાની હકાલપટ્ટી
ટી૨૦ વર્લ્ડ કપ માટે પુનરાગમન કરવા યુવરાજ હકદાર: શ્રીકાંત
જોશમાં હોશ ખોઈ બેસે છે ભજ્જી, કરી નાંખે છે કંઈક આવું






