ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ માટેની ટીમમાંથી હકાલપટ્ટી થયેલો ઓપનર ગૌતમ ગંભીર ઈન્ડિયા-એ ટીમનું નેતૃત્વ કરશે. ઈન્ડિયા-એ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. આ મેચ 16 ફેબ્રુઆરીથી ચેન્નાઈ ખાતે રમાશે.
ગૌતમ ગંભીર ઈન્ડિયા-એના સુકાની શિખર ધવનની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરશે. શિખર ધવન ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમ ઈન્ડિયામાં પસંદગી પામ્યો છે.
ગૌતમ ગંભીરને ખરાબ ફોર્મના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થવું પડ્યું છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણી બાદ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ગંભીર ફ્લોપ રહ્યો હતો. જેના કારણે પસંદગીકારોએ તેને બહાર મૂક્યો છે.