મેઘદૂત
કવિ: મહાકવિ કાલિદાસસંપાદક : રજનીકુમાર પંડયાપ્રકાશક : શ્રી હીરાલક્ષ્મી મેમોરિયલ ફાઉન્ડેશન(આશાપુરા ગ્રુપ)પાનાં : ૮૦, કિંમત(સમગ્ર સંપુટ): ૫૯૫ રૂપિયા, માત્ર પુસ્તક : ૨૯૫ રૂપિયા.
વિરહની વાત આવે એટલે મહાકવિ કાલિદાસ રચિત કાવ્યકૃતિ ‘મેઘદૂત’ અચૂક યાદ આવે. ‘મેઘદૂત’ વિશે અનેક વિવરણો લખાયાં છે અને ગુજરાતી ભાષામાં જ એના ચાળીસેક જેટલા અનુવાદ થયા છે, જેમાં નેવું વર્ષ પહેલાં સ્વ. કિલાભાઇ ઘનશ્યામે કરેલો અનુવાદ સૌથી શ્રેષ્ઠ અને લોકપ્રિય ગણાય છે.
આ પુસ્તકમાં કવિ કાલિદાસે રચેલા શ્લોકોનો સ્વ. કિલાભાઇ ઘનશ્યામે કરેલો સમશ્લોકી અનુવાદ છે, તેમ જ ગધ સ્વરૂપમાં તેનો સવિસ્તાર અર્થ આપવામાં આવ્યો છે. ડો. ગૌતમ પટેલે કરેલા તેના ગધાનુવાદનું જાણીતા સાહિત્યકાર રજનીકુમાર પંડયાએ રસાળ પુનર્લેખન કર્યું છે. અનેક ઉપમા અને રૂપકોવાળા આ મેઘદૂતમાં શું વર્ણવાયું છે? સ્વામી કુબેરની સેવા કરતાં કોઇ યક્ષ ફરજ ચૂકે છે. એને યક્ષિણીથી વિખૂટા પડવાનો શાપ મળે છે અને એ યક્ષ રામગિરિના આશ્રમમાં જઇ વસે છે.
અષાઢ મહિનો આવતાં જ આકાશમાં છવાયેલાં વાદળને જૉઇ પોતાની પ્રિયતમાને મળવા માટે આકુળવ્યાકુળ થયેલો યક્ષ શ્યામલ મેઘને પોતાનો સંદેશાવાહક - દૂત બનાવી દે છે. ‘પૂર્વ મેઘ’ અને ‘ઉત્તર મેઘ’ એમ બે ખંડમાં વહેંચાયેલા આ ખંડકાવ્યની વિશેષતા એ છે કે અહીં નાયક-નાયિકાનાં કોઇ ચોક્કસ નામ નથી. કાલિદાસે ફકત કિશ્ચત યક્ષ: એટલે કે ‘કોઇક યક્ષ’ એટલું જ કહ્યું છે. તેથી જ ‘મેઘદૂત’ ફકત યક્ષકથા ન રહેતાં કવિ તથા પ્રત્યેક માનવીની કથા-વ્યથા બની જાય છે.
વાદળ મહારાષ્ટ્રના નાગપુર નજીકના રામગિરિ પર્વતથી છેક ઉત્તરે કૈલાસની અલકાનગરી સુધીનું અંતર કાપે છે. મેઘ જે રસ્તે પસાર થાય છે એ માર્ગમાં આવતી ભારતની નદી, પર્વત, ગ્રામ, ગ્રામવધૂ, ગ્રામજનો, નગર, મહેલાતો, સુંદરીઓ અને ભારતવર્ષના ઇતિહાસ ભૂગોળ ગૂંથી લેવાયા છે. આમ આ કાવ્ય ભારતનું સાહિત્યિક રાષ્ટ્રગાન પણ કહી શકાય. નયનરમ્ય રેખાંકનોવાળું પુસ્તક અને જહેમતપૂર્વક તૈયાર થયેલી ઓડિયો સીડી ધરાવતો આ સેટ આપણા સાહિત્યિક વારસાના રસલહાણ સમાન છે.
પાત્રો અને પરિસ્થિતિઓમાં આંતર્પ્રવેશ
મનપ્રવેશ
લેખક: રવીન્દ્ર પારેખ
પ્રકાશક: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે,
ગોપીપુરા, સુરત ૩૯૫૦૦૧
પાનાં: ૧૧૨, કિંમત: ૫૦ રૂપિયા
નાયિકાની સખી તથા એનો પ્રેમી પણ ઘોડાપૂર આવતાં જ વછૂટી જાય છે. છેવટે બાકી બચે છે નાયિકા એકલી. આ કથામાં લેખકે બે જ ગતિસ્થિતિ આલેખી છે - એક જળ અને બીજી અશ્રુજળ! લાચાર નાયિકાની ટૂંટિયું વાળીને પડેલી અને પછી આળસ મરડીને બેઠી થતી ભૂખ, ફૂંફાડા મારતાં પાણી વરચે જીવવાની જીજીવિષા.. નાયિકાની હોપલેસ અને હેલ્પલેસ પરિસ્થિતિ લેખકે અસરકારક રીતે બયાન કરી છે. ‘મનપ્રવેશ’ સર્જકનો પોતાનામાં પાછા ફરવાનો અને સ્વયંને ઓળખવાનો અનુભવ છે.
અક્ષરધામ, રૂપાલી શાહ