ગેસથી ચાલતા વાહનોને પણ ઇંધણ બચાવવાના અભિયાનમાં જોડવામાં આવ્યા છે. ૨૦૧૪ સુધીમાં ગેસના વપરાશમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે.
પેટ્રોલ ડીઝલના ઘટતા સ્તર અને તેના કારણે થતા પ્રદૂષણને અટકાવવા માટેકંપનીઓએ ગેસથી ચાલતા વાહનો વિકસાવ્યા છે. આ વાહનોને ઈકો ફ્રેન્ડલી કહેવાય છે. જોકે વાહનો બનાવતી કંપનીઓ તેમાં એક ડગલું આગળ વધી છે. ટ્રાન્સસોનિક સુપરક્રિટિકલ ફ્યુઅલ ઈંજેકશન સિસ્ટમ દ્વારા ગેસ એન્જિનોને વધારે ઈકો ફ્રેન્ડલી બનાવવાની ટેક્નિક ૨૦૧૪ સુધીમાં બજારમાં આવી જશે.
કંપનીના સીઈઓ બ્રાયન અલબ્રોહન કહે છે કે આ ટેક્નિક બજારમાં લાવવાની શરૂઆત આવતી સાલ એટલે કે ૨૦૧૧થી થશે. તેને દર વર્ષે અલગ અલગ સ્તરે રજુ કરવામાં આવશે. તેઓ વધુમાં જણાવે છે કે, ‘અમારો એ સતત પ્રયાસ છે કે આગામી પાંચ વર્ષમાં ગેસના વપરાશમાં ૫૦થી ૭૫ ટકાનો ઘટાડો થઈ જાય’. આ માટે તેમણે પ્રારંભિક ધોરણે ૩૦ ટકા ગેસ બચાવવાનું લક્ષ્ય તો હાંસલ કરી લીધું છે. કલાસ બીની ટ્રકોમાં તો ૯૦ ટકા ગેસ બચાવવાની આશા રાખી છે.