તુલાધાર ઉદાર વિચારસરણી લાવનારા વિદ્વાન હતા. તેમને વ્યર્થ આડંબર અને દેખાડામાં વિશ્વાસ નહોતો. તેઓ ક્યારેય કોઈ ધાર્મિક યાત્રા પર નહોતા ગયા કે ન તો દરરોજ મંદિર જતા હતા. પૂજા-પાઠ કરવા, વ્રત-ઉપવાસ કરવા વગેરે તેમની દિનચર્યાનો ભાગ હતા. તે પ્રાણીમાત્રની સેવાને સર્વોપરી માનીને તેમાં જ રત રહેતા હતા.
એક દિવસ તુલાધારના ઘરે એક સાધુ આવ્યા. તુલાધારે તેમનો યથોચિત સત્કાર કર્યો. પછી બંને વચ્ચે ધાર્મિક ચર્ચા થવા લાગી. સાધુ તુલાધારથી ખૂબ જ પ્રભાવિત થયા. વાત વાતમાં સાધુ બોલ્યા, બેટા તું થોડા દિવસ માટે તીર્થયાત્રા કરી આવ. તેનાથી તને શાંતિ અને પુણ્ય પ્રાપ્ત થશે. સાધુની વાત સાંભળીને તુલાધાર બોલ્યા, મહારાજ, મારા આ ગામમાં ઘણા લોકો ભૂખથી પીડાય છે, કેટલાય લોકોને દવાની જરૂર છે તથા ઘણાને વસ્ત્રોની જરૂર છે.
હું મારી કમાણીની કેટલીક રકમ આ લોકોના રોટી, કપડાં અને વસ્ત્રો માટે ખર્ચ કરવાનું ઉચિત માનું છું. આ જ મારી તીર્થયાત્રા છે અને તેનાથી મને પરમશાંતિ મળે છે. હું તેને જ સાચું પુણ્ય માનું છું. તુલાધારની વાત માનીને સાધુને પોતાની મિથ્યા આિસ્તકતાનું ભાન થયું અને તુલાધારને પોતાના ગુરુ માનીને સેવાકાર્યોમાં જોડાઈ ગયા. સાર એટલો જ છે કે સેવા જ સાચો ધર્મ અને કર્મ છે, કારણ કે તે ‘નિજ કા પર’ પ્રતિ સમર્પણ છે, જ્યારે વ્રત-ઉપવાસ, તીર્થયાત્રા વગેરે અંગત લાભ માટે કરવામાં આવે છે.
જીવનદર્શન