સાવરકુંડલા રેવન્યુ વિસ્તારમાં અવારનવાર સાવજો આવી ચડે છે. અને દુધાળા પશુઓના મારણ કરી રહ્યાં છે. આ વિસ્તારની નજીક મિતીયાળા અભ્યારણ્ય આવેલ હોય સિંહો અવારનવાર રેવન્યુ વિસ્તારમાં હુમલો કરે છે. જેના કારણે વાડી ખેતરોએ જતા ખેડુતોને ભય લાગી રહ્યો છે. વનવિભાગ દ્રારા આ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારવું જોઇએ તેવું લોકો ઇચ્છી રહ્યાં છે.