Advertisement
Home >> Saurashtra >> Latest News >> Jamnagar >> Jobless Worker Doning Work For Get Eat In Jamnagar

વાંચી દંગ ના રહી જતાં, 'જીના ઇસી કા નામ હૈ'

Bhaskar News, Jamnagar | May 29, 2012, 23:57PM IST
 
 


- રોજગારી માટે રાજસ્થાનથી આવતા પરિવારો ચોમાસામાં ડાલ્ડા અને રૂપેણબંદરે ધામા નાખે છે

ઓખામંડળના માછીમારી બંદરો પર હવે માચ્છીમારીની સીઝન પુરી થઇ છે. પરંતુ અહીં એક નવી સીઝનનો પ્રારંભ થયો છે. રાજસ્થાનથી આવેલા કેટલાંક પરિવારોએ તૂટેલી અને નકામી બની ગયેલી પ્લાસ્ટીકની માચ્છીમારીની જાળનાં રેસામાંથી જાડા રસ્સા અને નાળા બનાવી આ પરિવારો અહીં રોજગારી મેળવી રહયા છે.

જ્યારે એક રસ્તો બંધ થાય છે. ત્યારે કુદરત બીજો રસ્તો ખોલી આપે છે. જરૂર હોય છે માત્ર એ રસ્તો શોધવાની દ્રષ્ટિની. ઓખા મંડળના ડાલ્ડા અને રૂપેણબંદરે ચોમાસુ આવતાં જ માચ્છીમારીનો વ્યવસાય થંભી જાય છે. અહીં સર્વત્ર સુનકાર વ્યાપી જાય છે. પરંતુ આ સુનકારમાંથી જ અન્ય એક રોજગારીની તક ઉભી થાય છે અને તે છે નકામી બનેલી માચ્છીમારીની જાળમાંથી અન્ય ઉપયોગી વસ્તુ બનાવવાની.

રાજસ્થાનથી આવતાં કેટલાંક પરિવારો ચોમાસા દરમિયાન અહીં ધામા નાંખે છે. તેઓ માચ્છીમારો પાસેથી નકામી બની ગયેલી પ્લાસ્ટીકની માછીમારી જાળ વજનના ભાવે ખરીદી લે છે. તેના રેસા અલગ કરી તેને ગુંથીને તેમાંથી બોટનાં નાળા, રસ્સા બનાવી તેને વેંચે છે અને તે દ્વારા રોજગારી મેળવે છે. આ વ્યવસાયમાં પુરૂષો સાથે સ્ત્રીઓ અને બાળકો પણ હાથ બટાવે છે. બેરોજગારીની સમસ્યાનો સામનો કરતી સરકારો આવી વિચરતી જાતિનાં લોકો માટે કોઇ યોજના અમલમાં લાવે તો રોજગારીનાં નવા માધ્યમને માન્યતા મળી શકે.


 
 
 

Your Opinion
 
 
Code:
1 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment