- બોર્ડની પરીક્ષાને દસ દિવસ પૂર્વે વિશેષ માર્ગદર્શન
એચએસસી, એસએસસીની પરીક્ષામાં સફળ થવા મહેનત, લગન ઉપરાંત કેટલીક અન્ય બાબતો પણ અગત્યની છે. શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડે તેની છણાવટ તેમની પુસ્તિકા પરીક્ષા ગીતામાં કરી છે. પરીક્ષાને હવે એક જ સપ્તાહ બાકી રહ્યું છે.
ત્યારે મનની સ્વસ્થતા ટકે, આત્મવિશ્વાસ ડગે નહીં તે માટેની સંપૂર્ણ ઉપયોગી વાતો તેમણે કરી છે. આખું શૈક્ષણિક વર્ષ મહેનત કર્યા પછી છેલ્લે માત્ર મનની સ્થિતિને લીધે પરીક્ષાર્થીને નુકસાન ન જાય તે હેતુથી અહીં પણ એ વાતોનો સાર રજૂ થઇ રહ્યો છે.
આંતર મનનો ઉપયોગ –
- ઊંચા માકર્સ મેળવવા છે, સફળતા પ્રાપ્ત કરવી છે તેવા ધ્યેયવાક્યો નક્કી કરવા
- અત્યંત સફળતા મળી છે, બધા અભિનંદન આપે છે. છાપામાં ફોટો આવ્યો છે તેવા વિચાર કર્યે રાખવા
- વારંવાર આવી વાતોનું પૂનરાવર્તન કરવાથી એક સ્થિતિ બનશે
આત્મવિશ્વાસ ન ઘટે -
વિચારોને અટકાવવા થોડી કસરત કરો. ધ્યાન કરો, ચાલવાનું શક્ય બને તો સારું વિચારોની દિશા બદલાશે. જે આવડે છે તે સતત વાંચો. સાથે અન્ય વિષયો પણ તૈયાર કરો. જેનાથી ડર લાગતો હોય તે પ્રકરણ શરૂઆતમાં કરી લો.
હળવી તાણ ઉપયોગી -
વધુ પડતો તનાવ નુકસાનકારક પરંતુ સાધારણ તાણ હોય તો કાર્ય કરવાની ગંભીરતા વધે છે. હળવી તાણ પરીક્ષા માટે અનિવાર્ય છે તેથી ગભરાવવું નહીં