Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City
 

જીવન જીવવાની કળારૂપ મિકેનીઝમ જાણવુ જરૂરી

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 2:54 AM [IST](02/09/2010)
 
 
 
 
Advertisement
 
અક્ષરવાડી ખાતે આયોજિત પારાયણમાં પૂ.વિવેકસાગર સ્વામીનું મનનીય ઉદ્દબોધન

જીવન જીવવાની કળારૂપ મીકેનીઝમ જાણવાની જરૂર છે જેથી અટકેલુ જીવન આગળ જઈ શકે તેમ અક્ષરવાડી ખાતે પ.પૂજય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં ચાલતી કઠોપનિષદની ૯માં દિવસની પારાયણને આગળ ધપાવતા પૂજય વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું.

તેઓએ ભગવાનને પામવાની સાધનાનું પ્રથમ પગથીયું સમજાવતા જણાવ્યું હતું કે ઈન્દ્રીયો અતિ બળવાન છે. તેનાથી બળવાન મન છે. અને તેનાથી બળવાન બુદ્ધિ છે. તેનાથી બળવાન બ્રહ્ન છે અને તેનાથી બળવાન પરબ્રહ્ન એટલે કે પરમાત્મા છે. કથા દરમિયાન પૂ.વિવેકસાગર સ્વામીએ શ્રોતાજનોને જોડાની રમુજી વાત કહી હસાવ્યા હતા.

દરમિયાન પ.પૂજય પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે હરિભક્તો માળા, પ્રદક્ષિણા, દંડવત જનમંગલના પાઠ, નર્જિળા ઉપવાસ, એક્ટાણા, પદયાત્રા, સ્વામિનારાયણ મંત્ર લેખન સહિતના ધાર્મિક કાર્યો કરી રહ્યા છે જ્યારે કેટલાક હરિભક્તોએ આજીવન જે-તે ખાદ્ય સામગ્રી ન ખાવાની પણ બાધા લીધી છે. અને હજી પણ આ તપશ્વર્યામાં હરિભક્તો જોડાઈ રહ્યા છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.