શહેરના જવાહર મેદાન ખાતે લોકમેળો ભાવેણા-૨૦૧૦નો ભવ્યાતભિવ્ય રીતે પ્રારંભ થયો હતો.ભાવનગર મહાનગરપાલિકા આયોજિત લોકમેળાનો શહેરના જવાહર મેદાન ખાતે મેયર નિમુબેન બાંભણીયાના હસ્તે પ્રારંભ થયો હતો.
મેળાના પ્રારંભે શેઠ બ્રધર્સ દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. જેમાં શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠ અને મોહિતભાઈ શેઠ હાજર રહ્યાં હતાં. ભવ્ય આતશબાજીને નિહાળવા લોકો જવાહર મેદાન ખાતે ઉમટી પડ્યાં હતાં. ઉદ્દઘાટન કાર્યક્રમમાં કલેક્ટર ઝાલાવાડીયા, કમિશનર પટેલ, જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આજે પ્રથમ દિવસે ફિલ્મ સંગીતનો રંગારંગ કાર્યક્રમ શ્રાવણી સરગમ યોજાયો હતો. જ્યારે આવતીકાલે તા. ૧ ને બુધવારે રાત્રે ૮-૦૦ કલાકે નવા-જુના ફિલ્મીગીતો, ભજનો, લોકગીતોનો કાર્યક્રમ એક શામ કિતિg સહાયકે નામ યોજાશે.