- ધીરુભાઈ અંબાણીએ મેળવેલી સફળતા અને કરેલી મહેનતના સંભારણા
- અંબાણી પરિવારે ડિસેમ્બર, 2011માં આ મેમોરીયલનું ઉદઘાટન કર્યું હતું
- જાહેર જનતા માટે 3જી ફેબ્રુઆરીથી ખુલ્લુ મુકાશે આ સ્મૃતિભવન
સોરઠનાં ચોરવાડથી પ્રારંભ કરેલી ઉદ્યોગ યાત્રાને વિશ્વફલક પર લઇ જનારા મેમોરેબલ ઉદ્યોગ માનવ ધીરૂભાઇ મેમોરીયલ હાઉસ શુક્રવારથી લોકો માટે ખૂલ્લુ મૂકાનાર છે. આ પ્રસંગે કોકાલાબેન અંબાણી અને પરીમલ નથવાણી માદરે વતન ચોરવાડ ફરી આવી રહ્યા છે.
અનિલ, મુકેશ, માતા કોકીલાબેન અંબાણી સહિત પરિવાર ગત ડિસેમ્બર માસમાં માદરે વતન ચોરવાડ આવ્યો હતો અને અહી વાસ્તુપૂજન, માતાજીની ઉજાણી બાદ બીજા દિવસે ધીરૂભાઇ એચ. અંબાણી મેમોરીયલ હાઉસનું જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાનાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.
આ અવસરનાં એકાદ માસ બાદ તા. ૩ ફેબ્રુઆરીએ ફરી કોકીલાબેન અંબાણી અને રીલાયન્સના વાઇસ પ્રેસીડેન્ટ પરીમલ નથવાણી ચોરવાડ આવી રહ્યા છે અને તેઓ ધીરૂભાઇની સ્મૃતિ ચોરવાડ આવનારા સૌ કોઇ લોકો જોઇ શકે તે માટે તૈયાર કરાયેલ આ મેમોરીયલ હાઉસ લોકદર્શન માટે ખૂલ્લુ મૂકનાર છે.
આ મેમોરીયલ હાઉસમાં બંગલામાં ઝાઝી તોડફોડ કરાઇ નથી અને દુનિયાભરનાં લોકો આ મેમરી જોઇ શકે તે પણ તેઓનાં માદરે વતનમાં એ ઇચ્છા કોકીલાબેન અંબાણીની હતી.