ભાજપ સરકાર ખેડુતોની નથી એવુ મે ઘણીવાર સાંભળ્યુ હતુ પરંતુ હવે તો નજરે જોઇ લીધુ છે. તેમ મહુવાના ધારાસભ્ય ડૉ.કનુભાઇ કળસરીયાએ આજે ભાવનગર સરકીટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં બોલતા જણાવ્યુ હતુ. તેઓએ જણાવ્યું હતું કે મોદીના મનથી હું સાવ વિખુટો છું.
મહુવા પાસેના પિઢયરકા ગામે નિરમા દ્વારા સુચિત સિમેન્ટ પ્લાન્ટની સ્થાપના અંગે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધત ડૉ.કળસરીયાએ જણાવ્યુ હતુ કે ૮૫ ટકાથી વધુ લોકો નીરમાં મહુવા ખાતે આવે તેવુ ઇચ્છતા નથી. આ પ્રોજેક્ટ મહુવામાં આવશે તો ૩૦ હજારથી વધુ લોકો બેકાર થઇ જશે.
તેઓએ એવુ પણ જણાવ્યુ હતુ કે કોંગ્રેસ-ભાજપનો પ્રશ્ન નથી. હાલ તો નીરમા સીમેન્ટ ફેક્ટરીનુ મહત્વ છે. ભાવનગરથી અમરેલી વચ્ચેનો ૪૮ કિલોમીટર લાંબો દરીયાકાંઠો બચાવવાનો પ્રશ્ન છે. ખેડુતોના ભોગે કોઇ પ્રોજેક્ટ ન હોવા જોઇએ તેમ માઠી વીરડી બાબતે પુછેલ પ્રશ્નના જવાબ આપતા તેઓને જણાવ્યુ હતુ. લોકોને ભરમાવવામાં નરેન્દ્ર મોદી અત્યાર સુધી સફળ થાય છે. પરંતુ હવે લોકો તેઓને ઓળખી ગયા છે. જેથી હવે તેઓને સફળતા નહીં મળે.
દરિયા કિનારાને સિલ્વર કોરીડોર નહીં ગ્રીન કોરીડોર બનાવવો જોઇએ. નિરમાની સંમતિ ખોટી રીતે અપાઇ હોવાનુ અને તે બાબતે તેઓને અંધારામાં રાખ્યા હોવાનુ જણાવેલ. પાર્ટી કરતા પ્રજા મહત્વની છે તેમ જણાવી તેઓએ જણાવ્યુ હતુ કે પક્ષ મને જલદી છુટો કરે તેવી હું ભગવાનને પ્રાર્થના કરૂ છુ.
આજની પત્રકાર પરિષદમાં ભાવનગર શહેર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દગિ્વીજયસિંહ ગોહિલની સુચક હાજરી અંગે પુછતા તેઓએ જણાવેલ કે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસનો આદેશ છે કે ડૉ. કનુભાઇની સથે રહેવુ રાહુલ ગાંધીની ડોળીયા સંમેલનમાં હાજરી બાબતે તેઓએ જણાવેલ કે તેઓની સરપ્રાઇઝ વીઝીટની શક્યતાને નકારી ન શકાય.