બગસરા પાસેના સમિઢયાળા ગામે સરપંચ દર વર્ષની માફક આ વર્ષે પણ આકરા તપમાં જોડાયા છે.
વિગત અનુસાર બગસરા પાસે રૂપાવટી નદીને કાંઠે વસેલા સમિઢયાળા ગામના મુક્તિ નારાયણ મહાદેવના સાનિધ્યમાં આવેલા શ્રીરામ નિવાસ ગુફામાં ગામના સરપંચ સંજયભાઈ જોશી દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી શ્રાવણ માસ નિમિત્તે આકરી તપસ્યાં કરવામાં આવે છે.
સંસારી હોવા છતાં એક માસ સુધી રામ નિવાસ ગુફાના સંત રામદાસજી ગુરુ રામચરણદાસજીની સાથે રહી મૌન સાથે શ્રીમદ્દ ભાગવત્ મહાપુરાણના પાઠ તેમજ ઓમ નમ: શિવાય પંચાક્ષરી મંત્રનું લેખન કરી આકરી તપસ્યા કરી રહ્યા છે તેમના પુજા અર્ચન સહિતના ધાર્મિક કાર્યથી નાના એવા ગામમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું છે.