સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતાં ગુજરાતી સમાજ, આફ્રિકા તથા વિકલાંગોની સેવા કરતી નારાયણ સેવા સંસ્થા (ઉદેપુર)ના સંયુક્ત ઉપક્રમે યોજાનાર કથામાં પૂ. મુકેશગીરીબાપુ વિદેશમાં શિવકથામૃતનું રસપાન કરાવી ભારતીય ધર્મ સંસ્કૃતિનો પ્રચાર-અને પ્રસાર કથાના માધ્યમથી કરશે.
મૂળ સાવરકુંડલાના વતની અને સમગ્ર ભારતભરમાં અનેક સ્થળોએ શિવગાથાના મહિમાનો પ્રચાર-પ્રસાર કરનાર પૂ. મુકેશગિરિબાપુ આગામી તા.૨૧-૮-૧૦ થી તા.૫-૯ સુધી આફ્રિકા - કેન્યા મુકામે તથા આગામી તા. ૧૩-૯ થી તા. ૧૩-૧૦ સુધી લંડન ખાતે શિવજીનો મહિમા પ્રસરાવશે.
આ પ્રસંગે ભાવેણાની મંગલ ચેરીટેબલ ટ્રસ્ટના વિનુભાઈ પણ ધર્મપ્રચાર અર્થે સાથે જોડાશે.