Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Rajkot City
 

ખાબોચિયાં યથાવત, કપચીના ટ્રક ક્યાં ગયા?

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 2:53 AM [IST](04/09/2010)
 
 
 
 
Advertisement
 
થોડા સમય પહેલાં અહીં સ્વતંત્રતાપર્વની ઉજવણી થઇ ત્યારે બે માસથી તંત્ર ઊંધા માથે હતું,છેલ્લા દિવસોમાં તો વરસાદ પડે કે તરત કપચી-માટીના ટ્રકના ટ્રક ઠલવાતા,તે જ મેદાનમાં અત્યારે રાજકોટના લોકો મેળામાં ફરી રહ્યા છે પરંતુ તેમણે કાદવ ખૂંદવો પડી રહ્યો છે.સતત પડતા વરસાદને લીધે પાણી સૂકાતું નથી,કાદવ પણ યથાવત છે.

આમ તો તંત્રે આ વર્ષે મોસમનો મિજાજ જોઇને જ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરૂર હતી,પરંતુ આ મેળામાં તો સામાન્ય માણસો જ આવવાના હતા, મંત્રી કે વીઆઇપી તો અહીં ફરકે નહીં તેથી તંત્રે થોડું કામ કર્યું,બાકી રામ ભરોસે. જેટલી કપચી કે રેતી કે મોરમ ઠલવાઇ હોવાનું કાગળ પર દર્શાવાયું છે તેટલી ઠલવાઇ હશે કે નહીં તે પણ સવાલ છે.

પ્રથમ દિવસે જે પ્રમાણમાં વરસાદ પડ્યો તેવી રીતે જ આજે પણ વરસાદ પડ્યો છે પરંતુ તેની વચ્ચે બે દિવસ કોરા ગયા ત્યારે પણ કાદવ ઉલેચવાનું કે ખાબોચિયાં સૂકવવાનું તંત્રને જરૂરી જણાયું નથી.સાતમ અને આઠમના દિવસોએ પણ મેળામાં ફરનારા માણસો કાદવ ખૂંદીને ફયાઁ હતાં, તેમના માટે ગંદા પાણીમાં જ જવા સિવાય કોઇ વિકલ્પ નહોતો.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.