Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Rajkot City
 

૩૯૬ બેરોજગારોને નોકરીનું ‘ગાજર’ આપતું PGVCL

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 3:46 AM [IST](26/08/2010)
 
 
 
 
 
એજીએમ કટારા મશ્કરી કરતા હોય તેવા જવાબો આપ્યા

પીજીવીસીએલ દ્વારા જુનિયર આસિસ્ટન્ટની ભરતી કરવા માટે આપેલી જાહેરાત બાદ ૩૯૬ બેરોજગારોને નોકરીનું ‘ગાજર’ અપાતું હોય આ મુદ્દે વિધ્યુત સહાયક અન્યાય નિવારણ સમિતિએ આસિસ્ટન્ટ જનરલ મેનેજરને આવેદનપત્ર પાઠવી વેઈટિંગમાં રખાયેલા ૩૯૬ બેરોજગારોને વીજ કંપનીમાં સમાવી લેવા રજુઆત કરી હતી. જો કે આ સમયે એજીએમ કક્ષાના અધિકારીએ બેરોજગારોની વાત સાંભળવાના બદલે તેઓની મશ્કરી કરતાં હોય તેવા ઉડાઉ જવાબો આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

વીજ કંપનીમાં જુનિયર આસિસ્ટન્ટની ભરતી પૂરી થઈ ગઈ છે. જો કે ૩૯૬ જેટલા ઉમેદવારોનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાંથી ૬૧ જેટલા ઉમેદવારોની ભરતી કરી દેવામાં આવી છે પરંતુ બાકીના બેરોજગારો પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે.

પીજીવીસીએલ દ્વારા આઠ માસ થઈ જવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા બુધવારે વિધ્યુત સહાયક અન્યાય નિવારણ સમિતિના નેજા હેઠળના બેરોજગારો આસિસ્ટન્ટ જનરલ મેનેજર કટારાને મળ્યા હતા અને વેઈટિંગમાં રહેલા બેરોજગારોની ભરતી નહીં કરીને અન્યાય કરવામાં આવ્યો હોવાની રજુઆત કરવામાં આવી હતી.

આ સમયે એજીએમ કટારાએ એવા જવાબો આપ્યા હતા કે હાલમાં સ્ટાફ સરપ્લસ છે અને વેઈટિંગનું લિસ્ટ કદાચ કેન્સલ પણ કરી નાખવામાં આવે. અને ભરતી માટે બોર્ડ આગામી દિવસોમાં પરીક્ષા પણ લે તેવી સંભાવના છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.