હજારો વર્ષ પહેલાં ગોકુળ અને વૃંદાવનની ગોપીઓને ઘેલું લગાડનાર કૃષ્ણની મોહિની આજે પણ એટલી જ પ્રભાવક રહી છે. કૃષ્ણ જન્મને ઉજવવા સમગ્ર વિશ્વ થનગની રહ્યું છે ત્યારે રાજકોટમાં પણ ઉત્સાહના ઘોડાપૂર વહે છે.
કાનાના જન્મને હૃદયપૂર્વક વધાવવા રંગીલા રાજકોટવાસીઓ કૃષ્ણના રંગમાં રંગાઇ ગયા છે અને શહેરના દરેક ચોકે વિવિધ ફ્લોટ્સ ઊભા કરી અનેરો શણગાર કરવામાં આવ્યો છે. જ્યાં ઉત્સવને સ્વયં ઉજવાઇ જવાનું મન થાય તેવા રાજકોટ શહેરના ઉત્સવપ્રિય લોકોએ શહેરને ગોકુિળયું બનાવી દીધું છે.
શહેરની વિવિધ સ્કૂલોમાં પણ બાળકો માટે કૃષ્ણ ભગવાન વેશભૂષા, હરીફાઇ યોજાઇ હતી. પંચનાથ મંદિર, એસ્ટ્રોન ચોક, રૈયારોડ, સોરિઠયાવાડી ચોક, કાલાવડ રોડ સહિતના શહેરના તમામ ચોકમાં બંસરીના સૂર રેલાવા લાગ્યા છે. ગોકુળિયું બનેલા રાજકોટે રોશનીની ચાદર ઓઢી લીધી છે.
સમગ્ર શહેરમાં હાથી ઘોડા પાલકી, જય કનૈયાલાલ કીના નાદ ગૂંજી ઊઠ્યા છે. નાના બાળકોથી લઇ મોટેરાઓમાં આ તહેવારનો અનેરો ઉત્સાહ છવાયો છે અને કૃષ્ણ જન્મની વધામણી માટે રંગીલા રાજકોટવાસીઓ થનગની રહ્યા છે.