- અગાઉના ઝઘડાનો ખાર રાખી બે જૂથ એકબીજા પર છરીથી તૂટી પડ્યા, નાસભાગ
શહેરના મવડી વિસ્તારના અંકુરનગરમાં ભરવાડ પરિવારને ત્યાં યોજાયેલા લગ્નમાં બે જૂથ વચ્ચે ચાલતી તકરારે ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. અને બંને જૂથ એકબીજા પર છરીથી તૂટી પડતા મહિલા સહિત ત્રણને ઇજા થઇ હતી.
સહકાર સોસાયટીમાં રહેતો અજય બટુકભાઇ ભરવાડ (ઉ.વ.૨૩) અંકુરનગર મેઇન રોડ પર લગ્ન પ્રંસગે ગયો હતો ત્યારે ત્યાં લગ્નમાં આવેલા ભરવાડ મહિલા શીતલ પરમાર સહિતના શખ્સોએ અગાઉના ઝગડાનો ખાર રાખી બોલાચાલી શરૂ કરી હતી. અને શીતલ તેમજ લખી, મીતેશ મનુ, અને કાળુ નામના શખ્સો અજય પર છરીથી તૂટી પડ્યા હતા. અજય પર હુમલો થતાં તેને બચાવવા દોડેલા ખોડીયાર સોસાયટીના વિરમ બુધાભાઇ ભરવાડ (ઉ.વ.૨૨) પર પણ હુમલાખોરો તુટી પડ્યા હતા.
વધુ માહીતી વાંચવા ફોટો સ્લાઇડ કરો...