આજના યુવાનો ભલે ઈચ્છતા હોય કે ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ, હાવર્ડ અને એમઆઈટી અમેરિકા જેવી યુનિવર્સિટીમાં ભણે પરંતુ, હજારો વર્ષ પહેલા એવું ન હતું. સંભવતઃ આ વિશ્વવિદ્યાલયોનું અસ્તિત્વ પણ ન હતું. આ સમય જે યુનિવર્સિટીની ચર્ચા સમગ્ર વિશ્વમાં થતી એ હતી નાલંદા વિશ્વવિદ્યાલય. આ યુનિવર્સિટીમાં દેશ-વિદેશના દરેક વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગતા હતાં પરંતુ, નામાંકન એમને જ મળતું, જેમનાંમાં પ્રતિભાની સરવાણી વહેતી હોય. નાલંદા વિશ્વવિદ્યાલયની સ્પાપ્ના સંભવતઃ પાંચમી શતાબ્દીમાં થઈ હતી. બિહારમાં અવસ્થિત આ વિદ્યાલયનું પુનર્નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. આના માટે દેશ-વિદેશમાંથી લોકો સહાય કરી રહ્યાં છે.
પ્રસ્તુત છે નાલંદા સાથે જોડાયેલી પાંચ મહત્વપૂર્ણ હકીકતો...