જાણો...અંતિમ સમયમાં શું ઈચ્છતી હતી દામિની

માતાને વળગીને વારંવાર 'સોરી' કહી રહી હતી દામિની
પૈત્તૃક ગામે શ્રાદ્ધકર્મ કરાયું
દિલ્હીમાં ગેંગરેપ પીડિતાના શ્રાદ્ધકર્મ બલિયા ખાતેનાં તેમના પૈત્તૃક ગામે હાથ ધરવામાં આવ્યા હતા. પુત્રી 'દામિની'નો ઉલ્લેખ થતાં જ તેના પિતા રડી પડે છે. દામિની સફદરજંગ હોસ્પિટલમાં બિમાર સ્થિતિમાં દાખલ કરવામાં આવી હતી. તે સમયે ભાનમાં આવતી ત્યારે માતા સાથે વાત કરતી, જેને યાદ કરીને તેના પિતા રડી પડે છે. દામિની માતાની સાથે વાતો કરતી અને તેને હિંમત અપાવતી. પાછળથી તેણી ધીમે-ધીમે બોલવા લાગી હતી. તેણીએ માતાને પકડીને સોરી કહ્યું હતું.
પીડિતાના પિતાના કહેવા પ્રમાણે, તા. 16મી ડિસેમ્બરે સાંજે સાતેક કલાકે અંતિમ વખત દામિનીનો ફોન આવ્યો હતો. તેણીએ કહ્યું હતું કે, થોડી વખતમાં આવી જવાની વાત દામિનીએ કરી હતી. આઠ કલાક સુધી ન પહોંચી તો પરિવારજનોએ ફોન લગાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ તે જોડાયો ન હતો. ક્રિસમસના દિવસે તેની બહેનને અંતિમ વખત ભાન આવ્યું, ત્યારે તેણે ભાઈને ઈશારાથી કહ્યું હતું કે, હું ઉપર જાઉ છું. બાય. જ્યારે ક્યારેય દામિની વેન્ટિલેટર પર ન હતી, ત્યારે તેણી ભાઈને તેના અભ્યાસ અંગે પુછતી.








